________________
J
g
[૮૫] વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાતકુળ રુપાથી
ઈ વધવા માંડયું, સોનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી અને જશકીર્તિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ-બહોળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશંખ, રાજપટ્ટો-શિલા, પરવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખરાં સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર સત્કાર પણ ઘણો ઘણો વધવા માંડયો.
and and
[૮૬] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિંતવન અભિલાષારુપ મનોગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદીથી વધયે છીયે, સોનાથી વધિયે છીયે, એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધનભંડારોથી, કોઠારથી,
પુરથી, અંતઃપુરથી, જનપદથી તથા જશકીર્તિથી વધિયે છીયે તથા બહોળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખો, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક ઈ
D DO
€ €