________________
(અ)
૭ ઇ
ઉ
જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તમો ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવો, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવો ‘જય જય’ એવો નાદ કરે છે.
[૧૧૧] શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થધર્મમાં આવતાં-વિવાહિત જીવનથી-પહેલાં પણ ઉત્તમ, આભોગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું. તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાનાં ઉત્તમ આભોગિક જ્ઞાનદર્શન દ્વારા પોતાનો નિષ્ક્રમણકાળ એટલે પ્રવ્રજ્યા સમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણને તજી દઈને, સુવર્ણને, ધનને, રાજ્યને, રાષ્ટ્રને, એ જ પ્રમાણે સેનાને, વાહનોને, ધનભંડારને, કોઠારને તજી દઈને, પુરને, અન્તઃપુરને, જનપદને, બહોળાં ધન કનક રતન મણિ મોતી શંખ રાજપટ્ટ કે રાજાવર્ત પરવાળા માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાનો વિચાર કરીને અને પોતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુનો જે તે પહેલો માસ અને પહેલો પક્ષ એટલે માગશરનો વદિ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની વદિ દશમનો દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વ દિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પૌરુષી થવા આવી હતી તેવે સમયે
ઉ
ઉ »
ઉ> m)
T