________________
જી ) Bi su )
25 થી ૧૭
-
સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવો માનવો અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટલોકો હતા, કેટલાક મુખમંગળિયામુખે મીઠું બોલનારા-હતા, વર્ધમાનકો એટલે પોતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણો હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિકો હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને | ભગવાનના કુલમહત્તરો તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે કલ્યાણરુપ શિવરુપ ધન્ય મંગળમય પરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની
સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા. | [૧૧૨] હે નંદ ! તારો જય જય થાઓ, હે ભદ્ર ! તારો જય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઈદ્રિયોને જિતી લેજે, જિતાયેલા શ્રમણધર્મને પાળજે, વિદનોને જિતી લઈને હે દેવ! | તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપદ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લોને હણી નાખજે, ધૈર્યનો મજબુત કચ્છ
05 - 0
૧૭
'T H
ITE
@g