________________
ક
પ્ર.- હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? ઉ.- કુલો આ પ્રમાણે છે. ઈસિગોરિય, ઈસિદત્તિય અને અભિજસંત.
[૧૬] કોટિક કાકંદિક કહેવાતા અને વગ્ધાવચ્ચગોત્રી સ્થવિર સુક્રિય અને સુખડિબુદ્ધથી અહીં કોડિયગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ અને ચાર કુલ નીકળ્યાં છે.
પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ ઉચ્ચનાગરી, ૨ વિજ્રાહરી, ૩ વઈરી અને ૪ મજિઝમિલ્લા. પ્ર.- હવે તે કયાં કયાં કુલો છે ? ઉ.- કુલો આ પ્રમાણે છે. બંભલિજ્જ, વચ્છલિજ્જ, વાણિજ્ય અને પ્રશ્નવાહનકુલ.