SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ | | [૧] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતનો અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ. | [૨] પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી હાઈ, બલિ કર્મ કર્યું, કૌતુક અને મંગલ પ્રાયશ્ચિતો કર્યા. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડા, ઉના, તીખાં, કડવાં, તુરાં, ખાટાં, ગળ્યાં, ચીકણાં, લૂખાં, ભીનાં, અતિશય સૂકાં, ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધાં અને ઋતુને યોગ્ય સુખ આપે એવાં ભોજન ધારણ કરતી તે રોગ, શોક, મોહ, ભય, અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેનો પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એવો આહાર લેતી તે દોષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દોહદો થયા. તે દોહદો સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ | દોહદોનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દોહદોનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત or D ની આ 8) C શા ) Jain Education Interesanal For m enty www .org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy