________________
ઈ
ane
ઈ
ઈઈ
ઉપર મોઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજાનું છે આખું ઘર પણ શોક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગો, વીણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લોકો રાસ
લેતા હતા, નાટકીયાઓ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે.
ww
[૮૯] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલો આ આ પ્રકારનો વિચાર-ચિંતવન-અભિલાષારૂપ
મનોગત-સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે.
[૯૦] ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બોલી ખરેખર મારો ગર્ભ હરાયો નથી, યાવત્ મારો ગર્ભ ગળ્યો પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતો નહોતો તે હવે હલવા લાગ્યો છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા
ક્ષત્રિયાણી એમ રહેવા લાગે છે.
ઈ
JY