SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ | [૧૮] વળી, એવો પણ લોકમાં અચરજ બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જ્યારે તે અરહંત ભગવંતો વગેરેએ નામગોત્ર કર્મનો ક્ષય નથી કરેલો હોતો, એ કર્મનું વેદન નથી કરેલું હોતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ કર્મને ઉદય હોય છે ત્યારે તે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં કે કંજુસના કુલોમાં પણ આવેલા છે કે, આવે છે કે, આવશે એટલે એવાં હલકાં કુલોવાળી માતાઓની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે, ઉપજે છે કે, ઉપજશે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મ્યા નથી કે હવે પછી જનમવાના પણ નથી. [૧૯] અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રવાળા રિષભદત્ત માહણની ભાર્યા-પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. - allis a nd W y .org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy