________________
OD
તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર, આગલા તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવતું જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ.
અહીં સ્વર્ગમાં રહેલો હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ એમ કરીને તે દેવરાજ ઈદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંહાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે.
[૧૭] ત્યારપછી તે દેવેન્દ્ર શુક્રને આ એ પ્રકારનો એના અંતરમાં ચિંતનરૂપ, અભિલાષારૂપ મનોગત સંકલ્પ પેદા થયો કે-“એ થયું નથી, એ થવા જોગ નથી અને એવું થનારું ય નથી કે અરહંત-ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ | રાજાઓ કે વાસદેવ રાજાઓ ઉગ્રવંશના કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજયવંશના કુલોમાં ઈક્વાકવંશના કુલોમાં કે | સા
ક્ષત્રિયવંશના કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કોઈ બીજાં તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલોમાં આજ પહેલાં આવેલાં છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા એવા ઉત્તમ કુલોમાં આવનારા છે.
Jain Economic
For
me daly
www.dinelibrary.org