________________
ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભોજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે રીતે ન ચલવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે.
[૨૪૨] વર્ષાવાસ રહેલા છઠ્ઠભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે.
[૨૪૩] વર્ષાવાસ રહેલા અઠ્ઠમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે.
[૨૪૪] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે.
[૨૪૫] વર્ષાવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને બધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે.
Jain
E
LRIE
www
.ig