________________
_
[૨૪૬] વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, ઉત્તેદિમ, સંસ્વેદિમ, ચાઉલોદક.
[૨૪૭] વર્ષાવાસ રહેલા છટ્ટભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તિલોદક, તુષોદક, જવાદક. . [૪૮] વર્ષાવાસ રહેલા અટ્ટમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, આયામ, સૌવીર, શુદ્ધવિકટ.
[૨૪૯] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ ૧૫ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં.
[૫૦] વર્ષાવાસ રહેલા ભક્તપ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉષ્ણવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, તે પણ કપડાથી ગળેલું, તે પણ પરિમિત-માપસર, તે પણ જોઈએ તેટલું પૂરું.
[૫૧] વર્ષાવાસ રહેલા, ગણેલી દત્તિ પ્રમાણે આહાર લેનાર ભિક્ષુને ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી ખપે અથવા ભોજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભોજનની પાંચ
/
IT
IS