________________
પર્યાયાંતકૃતભૂમિ, યુગાન્તકૃતભૂમિ એટલે જે લોકો અનુક્રમે મુક્તિ એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એનો શિષ્ય મુક્તિ પામે એ પછી એનો પ્રશિષ્ય મુક્તિ પામે; એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મોક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિ કહેવાય. અને પર્યાયાંતકૃતભૂમિ એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકો મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિ કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકૃતભૂમિ હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી એમના કોઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિ જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કોઈક મોક્ષે ગયો, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો થયો અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો.
[૧૪૬] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મસ્થ એવા મુનિ પર્યાયને પામીને, ત્રીસ કરતાં કંઈક ઓછા વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદરે કુલ બેતાલીસ વરસ સુધી સાધુપણાનો પર્યાય પામીને એ રીતે કુલ બોતેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમના વેદનીય, આયુષ્ય, નામ અને
Eory