________________
Bi vD) -
u)
તેમનું માતાપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ ફુરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાનો પરિશ્રમ કરેલ છે જેથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઈ આકસ્મિક ભય ઉભો થતાં કે ભયાનક ક્રૂર સિંહ વગેરે જંગલી જનાવરોનો ભય આવતાં એઓ તદ્દન અચલ રહેનારા છેજરાપણ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરિષહો એટલે ભૂખ તરસ વગેરેના સંકટો આવતાં તથા ઉપસર્ગો એટલે બીજાઓ તરફથી ગમે તેવા શારિરીક સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહોને અને ઉપસર્ગોને ક્ષમાવડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શોક અને હર્ષ આવતાં તે બન્નેને સમભાવે સહન કરનારા છે તે સદ્ગણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે.
[૧૦૫] શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો જેમકે, સિદ્ધાર્થ, એજંસશ્રેયાંસ અને જસંસ-યશસ્વી.
(૩)
=
હી ક્રિા)
) - ડા)
Jain
an
international
For
Paname Only
www
y
.org