________________
$u D
)
(ST) પછી વળી, જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી વાણીવડે તેમને કહ્યું
ઈત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે, પછી જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસની વદિ આઠમના દિવસના પાછલા પહોરે જેમની વાટની પાછળ દેવો મનુષ્યો અને અસુરોની મોટી મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અરહંત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને વાવતું વિનીતા નગરીમાંથી નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ આવે છે, આવીને અશોકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઉભી રખાવે છે ઈત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવતુ પોતે જ ચાર મુષ્ટિ લોચ કરે છે ત્યાં સુધી. તે સમયે તેમણે પાણી વગરના ક્ટ ભક્તનું તપ કરેલ હતું. હવે એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષો સાથે તેમણે એક દેવદૂષ્ય લઈને મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અનગાર દશાને સ્વીકારી.
[૧૯૬] કૌશલિક અરહંત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમના એક હજાર વરસ વીતી ગયાં.
8.5
છા) | જીવન હી બ્રા)
= $u )
- buse
Jain Education international
બીજી lThe Te W:00g