________________
cી રી હતી Gone Cીટ
તે શ્રાવણશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા, યાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહંત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે “સમુદ્રવિજય”ના પાઠ સાથે યાવતું આ કુમારનું નામ “અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું. | [૧૬૪] અરહંત અરિષ્ટનેમિ દક્ષ હતા તેઓ ત્રણસેં વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ સમજવું. - જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણનો શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ શુદ્ધની છઠ્ઠના પક્ષે દિવસને ચડતે પહોરે જેમની વાટની પાછળ પાછળ દેવો માનવો અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચ થઈને જે તરફ રૈવતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને | અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઉભી રખાવે છે. ઉભી રખાવીને તેઓ શિબિકા-પાલખીમાંથી ઉતરે છે, પોતાની મેળે
of 6
Gre 2
Eliાતા