________________
ઉ
on
વરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતો ચાલતો એટલે નીચે આવતો તે, તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ જે બાજુએ જંબુદ્વીપ આવેલો છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે. અને તેમાં જ્યાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવાર સહિત દેવાનંદ માણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ધારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ-પુદ્ગલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુ-પુગલોને ફેંકે છે-વેરે છે-ફેલાવે છે, એમ કર્યા પછી ‘ભગવાન્ ! મને અનુજ્ઞા આપો’ એમ કહી પોતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ધારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં