________________
બરાબર જે વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું ઉત્તમોઉત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવલવરજ્ઞાન અને કેવલવરદર્શન પ્રગટયું.
[૧૨૧] ત્યાર પછી તે ભગવાન અરહંત થયા, જિન, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં-જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે-આખા લોકમાં તમામ જીવોનાં આગમન-ગમન સ્થિતિ વનઉપપાત, તેમનું મન માનસિક સંકલ્પો ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભોગવિલાસો, તેમની જે જે પ્રવૃત્તિ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરિહંત થયા એટલે તેમનાથી કશું રહસ્ય-૫-રહી શકે એમ નથી એવા થયા, તેમની પાસે કરોડો દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરિહંત થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક | 3. અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતાં જોતાં વિહરતા રહે છે.
Gી
Jain Education International
For F
erne Only
www amery.org