________________
_|
|૨૦૩
સ્થવિરોએ પ્રત્યેકે ત્રણસેં ત્રણસે શ્રમણોને વાચના આપેલી છે, ૯ કોડિનગોત્રી સ્થવિર આર્ય મેઈજજ (મેતાય) અને સ્થવિર પ્રભાસ-એ બન્ને સ્થવિરોએ ત્રણસેં ત્રણસે શ્રમણોને વાચના આપેલી છે; તો તે હેતુથી હે આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા.
[૨૦૩] શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયારે ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા, ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા થાવત્ સર્વદુઃખોથી રહિત થયા.
મહાવીર પ્રભુ સિદ્ધિ ગતિમાં ગયા પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બન્ને સ્થવિરો પરિનિવાર્ણ પામ્યા.
[૨૦૪] જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે-વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારનાં સંતાનો છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો શિષ્યસંતાન વિનાના લુચ્છેદ પામ્યા છે.
/// T
LT