________________
ન
કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં-સહસ્ત્રદલ-મોટાં કમળોને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળોનાં રજકણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચારે કોર જળચર જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું, લાંબું, પહોળું અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલયો, રાતાં કમળો, મોટાં કમળો, ઊજળાં કમળો, એવાં અનેક પ્રકારનાં કમળોની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રુપ ભારે મનોહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી-મત્ત-મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઊપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠો અવાજ કરનારા કલહંસો, બગલાંઓ, ચક્રવાકો રાજહંસો, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીનો હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલા મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરોવર, જોનારનાં હૃદયોને અને લોચનોને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી રમણીય દેખાતા એ સરોવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. [૧]
લn