SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીરોદધિ સાગરને-દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરોદધિસાગરનો | મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળો છે એટલે અતિઉજળો છે, વળી, એ ક્ષીરોદધિસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો-વધતો હોવાથી એ બધી બાજુએ ઘણો ઊંડો છે, એનાં મોજાં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મોજાંની સાથે જોરથી અથડાય છે તેથી મોજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એવો દેખાવ થાય છે તથા એ તરંગો ભયભીત થયા હોય એમ અતિક્ષોભ પામેલા જેવા દેખાય છે એવા એ સોહામણા નિર્મળ ઉદ્ધત કલ્લોલોના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયા કાંઠા તરફ દોડતો આવે છે અને ઘડીકમાં વળી એ પોતા તરફ પાછો હટી જાય છે એવો એ ક્ષીરોદધિસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા-મોટા મગરો, મોટા-મોટા મચ્છો, તિમિંગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના જળચરો પોતાનાં પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં મોટી eyay
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy