________________
છે
2
DD 6 થવા મેં ઉ up
( શ્રીકૌશલિક અરહંત ઋષભદેવ ] [૧૯] તે કાલે તે સમયે કૌશલિક એટલે કોશલા-અયોધ્યા-નગરીમાં થયેલા અરહંત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા, છે અને પાંચમાં અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને
જીવનના પાંચમાં પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે; કૌશલિક અરહંત ઋષભદેવ ઉત્તરષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
[૧૯૧] તે કાલે તે સમયે કૌશલિક અરહંત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે અષાડમાસની વદિ ચોથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઈત્યાદિ છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈક્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર્યા મરુદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે-મધરાતે-ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
લde
OTT III