________________
ઈદ
૪૪
કુલોમાં કે રાજન્યવંશના કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશના કુલોમાં કે હરિવંશના કુલોમાં કે કોઈ બીજાં તેવાં પ્રકારના વિશુદ્ધજાતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલોમાં ફેરવી નાખવા ઘટે.
P.12714
0%
GUDOL
[૨૫] તો હે દેવાનુપ્રિય ! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભાર્યા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયોનો વંશજ અને કાશ્યપગોત્રનો સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભાર્યા વાસિષ્ઠગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે.
[૨૬] ત્યારપછી પાયદળસેનાનો સેનાપતિ તે હરણેગમેસી દેવ, દેવેન્દ્ર-શક્રની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયો અને યાવત્ તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત્ બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ ઈ જોડીને ‘એમ દેવની જેવી આશા' એ પ્રમાણે એ આશાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આશાના વચનને
વિનયપૂર્વક સ્વીકારીને તે હરિણગમેસી દેવ, દેવેંદ્ર-દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના J J
DO