SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ on 9 જી ) ( ) PT માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરુપ ધાર્મિક અને સરસ વાતો વડે પોતાનાં એ મહાસ્વપ્નોની સાચવણ માટે જાગતી રહેલી છે. [૫૮] ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દે છે, પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દઈ તે આ પ્રમાણે બોલ્યોઃ હે દેવાનુપ્રિયો ! આજે બહારની આપણી બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળા પાંચ પ્રકારનાં પુષ્પો વેરવાનાં છે, કાળો અગર, ઉત્તમ કંદર અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠક મઘમઘતી કરવાની છે તથા ઊંચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે. જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણો છાંટી તેને સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કોઈ સુગંધી વસ્તુની ગોટી-ગોળી જ હોય એવી તેને સજવાની છે; આ બધું ઝટપટ કરો, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંહાસણ મંડાવો, સિંહાસણ મંડાવી તમે મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે' એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળો. [૫૯] ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો રાજી રાજી થતા યાવતુ હૃદયમાં ઉલ્લાસ 9 ) ( ) Jain Education intematon une only M HIMATEGY,Gg
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy