________________
[૮૪] જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને-કુબેરને- છે તાબે રહેનારા તિર્યલોકમાં વસનારા ઘણા ભક દેવો ઈંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાનો મળી આવે
છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠાલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણાં મહાનિધાનોની-મોટા મોટા ધનભંડારોની-હકીકત આ પ્રમાણે છે. એ ધનભંડારોનો હાલ કોઈ ધણીધોરી રહ્યો નથી, હવે કોઈ વધારો કરનાર રહ્યું નથી, ભંડારો જેમનાં છે તેમના ગોત્રોનો પણ કોઈ હવે હયાત રહ્યો જણાતો નથી, તેમ તેમનાં ઘરો પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓનો ઉચ્છેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કોઈ વધારો કરનારાનો પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકોનાં ગોત્રોનો પણ ઉચ્છેદ થઈ ગયો છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો ક્યાંય ગામડાઓમાં, ક્યાંય અગરોમાં-ખાણોમાં, ક્યાંય નગરોમાં, ક્યાંય
ખેડાઓમાં-મૂળિયા ગઢવાળાં ગામોમાં, ક્યાંય નગરની હારમાં ન શોભે એવાં ગામોમાં, ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ
ન
બબ્બે ગાઉમાં જ કોઈ ગામ હોય છે એવા ગામડાઓમાં-મડંબોમાં, ક્યાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા
ઈ
J
J