SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વપ્નલક્ષણપાઠકોને એટલે સ્વપ્નોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવો. ૬૫] ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યા એ પ્રમાણેનો હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ધરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે. [૬૬] ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષોએ બોલાવેલા તે સ્વપ્નલક્ષણપાઠકો હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતુ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું બન્યું. તે સ્વપ્નલક્ષણપાઠકો નહાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકો એટલે ટીલાંટપકાં અને મંગલ કર્મો-પ્રાયશ્ચિત્તો કર્યા. પછી તેમણે ચોકખાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલપ ઉત્તમ વસ્ત્રો
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy