________________
[૧૮૫] અરહંત પદ્મપ્રભુને કાલગત થયાને દસ હજાર ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ દશ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું.
[૧૮૬) અરહંત સુમતિને કાલગત થયાંને એક લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એક લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું.
[૧૮૭] અરહંત અભિનંદનને કાલગત થયાંને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું.