SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થોએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ | વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.” | [૨૬ થી ૨૩૦] જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો, ગણધરોના શિષ્યો, સ્થવિરો, જેઓ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે, વિદ્યમાન છે તેઓ, તથા આચાર્યો, ઉપાધ્યાયો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. [૩૧] જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયો યાવતુ વર્ષાવાસ રહે છે. તેમ અમે પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છીયે. એ સમય કરતાં વહેલું વર્ષાવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ઊલંઘવી ન ખપે એટલે એ છેલ્લી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવો જોઈએ.
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy