________________
ધ9 ક ર ક ઉ
લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકોનો તેણે ઘણો આદર સત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભોજન આપ્યું.
પુષ્પો, સુગંધી ચૂર્ણો, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમનો ભારે સત્કાર કર્યો, સન્માન કર્યું, એમ સત્કાર સન્માન કરીને તેણે આખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણપાઠકોને માનભરી વિદાય આપી.
[૩૯] પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિંહાસણ ઉપરથી ઉભો થાય છે, સિંહાસણ ઉપરથી ઉભો થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું.
[20] હે દેવાનુપ્રિયે !” સ્વપ્નશાસ્ત્રમાં બેતાળીશ સ્વપ્નો કહેલાં છે ત્યાંથી માંડીને માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુધીની જે બધી | હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકોએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે.
કે
વ
)