________________
ย
૧૭૫
and se ane
CA
૧ પ્રાચીનગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિર અને ૨ માઢરગોત્રી આર્યસંભૂતિવિજય સ્થવિર. પ્રાચીનગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરો અંતેવાસી હતા.
૧ સ્થવિર ગોદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર યજ્ઞદત્ત, અને ૪ સ્થવિર સોમદત્ત. આ ચારે સ્થવિરો કાશ્યપગોત્રી હતા.
ઈ
કાશ્યપગોત્રી સ્થવિર ગોદાસથી અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યો. તે ગણની ચાર શાખાઓ કહેવાય છે. ૧ તામલિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૩ પંડુવદ્ધણિયા અને ૪ દાસીખખ્ખડિયા.
[૨૦૮] માઢરગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રસમાન, પ્રખ્યાત આ બાર સ્થવિરો અંતેવાસી હતા. ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભદ્ર, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણભદ્ર અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજ્જુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીર્ઘભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર.
JY
૧૭૫