________________
[૧૦૬] શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ટ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો જેમકે; ત્રિશલા, વિદેહદિના, | પ્રિયકારિણી.
| [૧૦] શ્રમણ ભગવાન મહાવીરના પિતૃવ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું.
[૧૦૮] શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ જેમકે; અણોજ્જા તથા પ્રિયદર્શના.
[૧૯] શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી-દીકરીનાં દીકરી કાશ્યપગોત્રનાં હતાં. તેમનાં બે નામ જેમકે શેષવતી તથા જસસ્વતી-યશસ્વતી.
[૧૧] શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા. એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલી હતી. એ પોતે ભારે રુપાળા | હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા, પ્રખ્યાત હતા, જ્ઞાતવંશના પુત્ર હતા, જ્ઞાતવંશના રાજા