SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અરહંત અરિષ્ટનેમિ) | [૧૬૧] તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે; અરહંત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઈત્યાદિ ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. [૧૬૨] તે કાલે સમયે અરહંત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ અને કાર્તિક મહિનાની વદિ બારશના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સૌરિપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગો થતો હતો એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં ગર્ભપણે ઉત્પન થયા. | ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરે તે પ્રમાણે સમજવું. [૧૬૩] તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણ મહિનાનો શુદ્ધ પક્ષ આવ્યો તે સમયે
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy