________________
શ્રી કરવિજયજી સ્મારક સમિતિ
સન્મિત્ર, સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેઓ સં. ૧૯૯૩ના આ વદિ ૮મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં શ્રી જૈન બાળ મિત્રમંડલ તથા ખંભાત વીસા પિોરવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગડીજીને ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સં. ૧૯૪ ના આ વદિ ૮ના રોજ મળી હતી. તે વખતે શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયો કે “એ પુણ્યપુરુષનું નામ કોઈ સંગીન યેજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જે ફંડ થાય તે રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણોથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપ્યો અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોકસી, રાજપાળ મગનલાલ વોરા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયોચિત ભાષણો કર્યાતેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તે રીતે શ્રાવકો પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમ ભરાણી.
સમિતિનું કામ નાણુ ભરનારા સભ્યોની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થ છે – ૧ મોતીચંદગિરધરલાલ કાપડીઆ ૪ વાડીલાલ જેઠાલાલ શાહ ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. પ હીરાલાલ રામચંદ મલબારી. ૩ મેહનલાલ દીપચંદ શેકસી. ૬ નત્તમદાસ ભગવાનદાસ શાહ
૭ રાજપાળ મગનલાલ વહાર