Page #1
--------------------------------------------------------------------------
________________
સદ્ ગુણાનુરાગી શ્રી કર્ખરવિજયજી લેખ સંગ્રહ
ભાગ ૫ મે
.
કિ
A
.
કર
હરદયાલાજ રાહદારાસદાર રાજકaserate tara tatter!
*
જે પ્રકાશક:
શ્રી કુષ્પરાવજયજી મારક સમિતિ-સુએઈ,
Page #2
--------------------------------------------------------------------------
________________
સન્મિત્ર સગુણાનુરાગી
મુનિમહારાજ શ્રી કપૂરવિજયજી
લેખ સંગ્રહ
ભાગ ૫ મે
પ્રકાશક:
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
મુંબઈ
વીર સ’. ૨૪૬૭
*
વિક્રમ સ. ૧૯૯૭
કિંમત પાંચ આના
કપડાના પૂઠાવાળીના છ આના
vrone&Rajgg990:
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ—
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ મત્રી–નરોત્તમદાસ ભગવાનદાસ શાહુ ગેાપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ
> પ્રત ૧૦૦૦ નું
મુદ્રકઃ—
રાહુ ગુલાબચંદ લ શ્રી મધ્ય દા.પ:
****
Page #4
--------------------------------------------------------------------------
________________
વિશ્વ
કરી શકો
વસન્મિત્ર શ્રી રાવજી મહારાજ
દીક્ષા સં. ૧૯ ૪૭ વૈશાક, શુક્ર સ. ના આ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
2] મ•સ્તાવના পিপাসা
||||||
ચારિત્ર તે સમ્યક્ત્વ જે
શુદ્ધ રીતે પાળતા,
તે ભવ્ય જીવાતે સદા
પ્રત્યે વાળતા,
કપૂરવિજય મુનિરાજના,
સન્માર્ગ
એવા નિવાસી સ્વર્ગના
સ્મારકતણા આ ગ્રંથની
કિંચિત્ લખું પ્રસ્તાવના.
*
त्रिवर्गसंसाधनमंतरेण, पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्मं प्रवरं वदन्ति न तं विना यद्भवतोऽर्थकामौ ॥
ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પ્રકારના પુરુષાથૅના | આરાધન વિના માનવીઓનું જીવિતવ્ય પશુની માફક નિષ્ફળ છે. આ ત્રણ પુરુષાર્થ પૈકી શાસ્ત્રકાર મહારાજાએ ધને જ સર્વોત્તમ કહ્યો છે; કારણ કે ધર્મ વિના તે ખતે અથ અને કામ-ની પ્રાપ્તિ થતી જ નથી. —સિંદૂરપ્રકર
ઉપર્યુક્ત તાકારા દત્તનાં કેટલી મહત્તા છે તેનાં સ્ત્રાપણુને ઝાંખી થાય છે. દૃશ્ય સુનો કવિજી મહારાજનું આલેખન પ બહુધાએ ધાન ક ડગલે ને પગે કાળજી
જેમ ડગ ભરતાની તેનું માપતા ખ તે જ રીતે સદૂતશ્રી ક
Page #7
--------------------------------------------------------------------------
________________
૪ )
( પેાતાના સહવાસમાં આવતી દરેક વ્યક્તિની, રખેને તે અધથી વાસિત ન બની જાય તેવી સંપૂર્ણ કાળજી અને ચીવટ રાખતા. ઊગતા છેાડ અને બાળમાનસ જેમ વાળીએ તેમ વળે-તે વાત તેઓશ્રી સપૂર્ણ રીતે સમજતા અને તેથી જ તેઓ બાળકામાં સુસંસ્કાર રેડવા માટે સદૈવ પ્રવૃત્ત જ રહેતાં. તેમના લખાણામાં પણ આપણે બાળકેળવણી પ્રત્યે અતિશય વજન અપાતુ નિહાળીએ છીએ.
કાઇપણ વ્યક્તિનું હાર્દ કેવુ છે તે તેમની લેખનશૈલી, વિચારશૈલી અને ભાષાવ્યવહારથી જાણી શકાય છે. સદ્દગતશ્રીનું હૃદય ભવ ભીરુ અને કરુણા હેાવા સાથે ધર્મ-દૃઢ હતું અને આ વાતની સાક્ષી તેમના લેખસંગ્રહા પૂરે છે. તમે ગમે તે વિભાગ લઇને વાંચવા બેસશે તે તમને ઉપરોકત ત્રણે ગુણાને સાક્ષાત્કાર થશે. તેઓએ ઉપદેશની પરબ ખાલી હતી. પરખે જઇને દરેક પ્રાણી પોતાની તૃષા છીપાવે તેમ શ્રીમાન કપૂરવિજયજી મહારાજ પાસે જનાર પ્રાણી કંઇ તે કાંઇ ઉપદેશ, વ્રત યા નિયમ વિગેરે લઇને જ પાછા ફરતા. આધુનિક વાતાવરણથી રંગાયેલ કાલેજના વિદ્યાર્થીને પણ તેઓ શાંત રીતે સમજાવતા અને તે વિદ્યાર્થી પણ સુસ ́સ્કારની સારી છાપ લઈને જ ત્યાંથી ઊઠતેા. તેમના આસનની નજીક ચારે બાજુએ પુસ્તકાનેા ઢગ પડ્યો જ હાય અને જેવા ખપી જીવ હાય તેને લાયક પુસ્તક તેએ બક્ષીસ આપતા અને એ રીતે તે એક જીવતા "" પુસ્તકાલય રૂપ જ હતા.
""
તેઓશ્રી માનતા કે એક વાર ધાર્મિક સંસ્કાર સુદઢ થયા પછી મેહ–માયાના પાશા–પ્રલેાભનેા પ્રાણીને ઝકડી શકશે નહિ. અને એટલા ખાતર તેમણે પોતાના ઉપદેશ–પ્રવાહ સરલ અને સુખેાધ ભાષામાં વહેતે મૂકયેા. તેમના પોતાનામાં સારી વિદ્વત્તા હતી, સંસ્કૃતને સારા મેધ હતા, આધુનિક ઇંગ્લીશ કેળવણીના સારા અભ્યાસ પણ હતા; છતાં તેમની ભાષામાં આડંબર, કાર્ડિન્ય અને વિષમ વાકયપ્રયાગા નહાતા. સામાન્ય આમજનતા જાણી શકે—સમજી શકે તે માટે હળવી અને સાદી
Page #8
--------------------------------------------------------------------------
________________
( ૫ )
ભાષાની અગત્ય તેએ જોઇ શકયા હતા અને તે પદ્ધતિને અનુસરીને જ તેમણે લેખા લખ્યા હતા.
સદ્ગત મુનિશ્રી કપૂરવિજયજી મહારાજશ્રીના જીવનવૃત્તાંત સબંધે આ પાંચમા સંગ્રહના અગાઉના ચારે વિભાગેામાં ધણું લખાઇ ગયું છે એટલે તે સબંધે પિષ્ટપેષણ ન કરતાં આ પાંચમા વિભાગની પર્યાંલોચના તરફ કંઇક દ્રષ્ટિપાત કરીએ.
ગુલાબનાં પુષ્પની પ્રશંસા કે પરીક્ષા કરવાની આવશ્યકતા રહેતી જ નથી. તે તે સ્વયમેવ પેાતાને પમરાટ પ્રસરાવે છે. લેખસંગ્રહના અત્યાર અગાઉના ચાર વિભાગેાને જે આદર મળ્યા છે તેમાં આ પાંચમા વિભાગ વિશેષ વધારા કરશે તે નિઃશક અને નિર્વિવાદ હકીકત છે.
કેટલાક શખ્સો મુનિશ્રીને કહેતા કે-“ મહારાજશ્રી ! આવા છૂટક છૂટક લેખેા લખે છે. તેના કરતાં આગમના કાષ્ઠ ગ્રંથનું અવતરણુ કરો તે તે વધુ ઉપકારક થશે. ” ત્યારે સદ્ગતશ્રી જવાબ આપતા કે—“ આમ જનતાને તેટલા અવકાશ હાતા નથી. તેમને તે આગમગ્રંથૈાના નવનીતરૂપે સારાંશ જણાવીએ તે તે વધુ હિતકર અને ઉપયાગી નીવડે. ’ અને ખરેખર તેમના કેટલાક લેખે તે અત્યંત પ્રશંસા માગી લે છે. આ વિભાગમાં આપવામાં આવેલા વિષયા પૈકી કેટલાએક લેખાનુ દિગ્દર્શન કરીએ.
ચારિત્ર એ તેમની અતિપ્રિય વસ્તુ હતી અને તેને જ પોતાનુ જીવન સ`સ્વ ગણુતા, ચારિત્રની મહત્તા સબંધમાં તેમણે દર્શાવેલ નવ કલમેા ખાસ વિચારણીય છે. ( પૃ. ૪ )
માનવ તરીકે જન્મ ધારણ કરવાથી પુરુષ નામની સાકતા નથી થતી. પોપફેરો પાંવિક્—પારકાને ઉપદેશ દેવા માત્રથી પુરુષની પંકિતમાં ગણનાપાત્ર ન થવાય, પરન્તુ જેએ પાતાની જ જાતને પ્રથમ સુધારવા પ્રયત્ન કરે તેને જ સાચા પુરુષ કહી શકાય. આ ભાખતમાં મુનિશ્રીએ આપણી સમીપે નૂતન દૃષ્ટિબિંદૂ રજૂ કર્યું છે. ( પૃ. ૧૫)
Page #9
--------------------------------------------------------------------------
________________
માનવી ઘડી ઘડીમાં મગરુર બની જાય છે. અભિમાનના આવેશમાં સારાસાર કે હિતાહિતનું ભાન ભૂલી જાય છે. આ સંબંધમાં સમજણ આપતાં સદગતશ્રી જણાવે છે કે—પાંચમા આરાનાં આ પ્રાણીને કઈ વસ્તુનું અભિમાન કરવા જેવું છે ? નથી તેની પાસે ચક્રવર્તીની ઋદ્ધિ, નથી અભયકુમાર જેવી શ્રેષ્ઠ બુદ્ધિ, આ સંબંધે બાહુબળી, દુર્યોધન અને રાવણનું દષ્ટાંત જણાવી સિદ્ધ કર્યું છે કે “લઘુતામાં જ પ્રભુતા છે.” (પૃ. ૧૯ તથા ૧૬૧).
આધુનિક સમયમાં દેખાદેખી અને સદ્દજ્ઞાનના અભાવમાં ઉન્માર્ગગામીપણું વૃદ્ધિ પામી રહ્યું છે. આ બધો ઊલટો પ્રચાર સત્સંગ અને સદુપદેશના અભાવના છે. સત્સંગથી અને સદ્દગુરુની ઉપાસનાથી કેવા સુંદર લાભ થાય છે તે મુનિશ્રીએ સારી રીતે વર્ણવી બતાવ્યા છે. (પૃ. ૨૪)
ભક્ષ્યાભર્યા અને પયા પેયના સંબંધમાં તે દિવસે દિવસે માજા મૂકાતી જાય છે અને પરિણામે શરીર-કાયા નિઃસત્વ અને કમજોર થતી જાય છે. શ્રીમાન કર્ખરવિજ્યજીએ આ વધતા જતા સડા સામે અંગુલિનિર્દેશ કરી શરીરને સુદઢ તેમજ નિરોગી બનાવવા કેટલાંક જીવનસૂત્ર ઉપદેશ્યા છે જે અત્યંત વિચારણીય છે. (પૃ. ૪૧ થી ૪૮)
સદ્દગત મુનિશ્રીને ઉપદેશ બહુધાએ ધાર્મિક હતો, છતાં તેમણે વ્યાવહારિક વિષય પરત્વે દુર્લક્ષ તો નથી જ કર્યું. રામાયં ધર્મસાધન એ વ્યવહારુ વચને તેમને પણ માન્ય હતું અને તેથી તેમણે આરોગ્ય જાળવવાના કેટલાક નિયમો સારી રીતે સમજાવ્યા છે. (પૃ. ૧૩૬ તથા ૧૬૪)
જૈન ફિલોસોફી કર્મના અબાધિત નિયમને સૌથી વિશેષ આવકાર આપે છે. કર્મની સત્તા અને સ્વરૂપ જેવી સૂક્ષ્મ રીતે જેને શાસ્ત્રકારોએ સમજાવ્યું છે તેવી બારીકાઈથી કોઈ પણ ઇતર દર્શને પ્રરૂપણ કરી નથી. મુનિશ્રીએ કર્મના અસ્તિત્વ અને પ્રાબલ્ય પર જે જે ઉદાહરણ ટાંક્યા છે તે અત્યંત રોચક, વિચારણીય અને હૃદયસ્પર્શી છે. (પૃ. ૨૫૧)
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૭ ). સામાન્ય આમજનતા સહેલાઈથી સમજી શકે તે માટે કેટલાક વિષયો તેમણે પ્રશ્નોત્તરરૂપે સરસ શૈલીથી સમજાવ્યા છે. (પૃ. ૨૨૬ તથા ૩૧૨ ).
આ ઉપરાંત પર્યુષણ પર્વ (પૃ. ૮૩), જયતી (પૃ. ૧૪૮) તેમ જ જીવદયા અને પાંજરાપોળની આવશ્યક્તા દર્શાવતા વિદ્વત્તાપૂર્ણ વિવેચન પણ આ વિભાગમાં આમેજ કરવામાં આવ્યા છે.
સજજનોનાં લક્ષણો જાણવા આવશ્યક છે તેવી જ રીતે મૂખનાં લક્ષણો પણ જાણવા અગત્યનાં છે કે જેથી પોતે તે પૈકી કોઈપણ પ્રકારનું આચરણ કરતો હોય છે તેથી બચવા પામે. આ સંબંધે “મૂર્ખ શતક” નો ભાષાનુવાદ આપવામાં આવ્યો છે, જે પણ ગમ્મત સાથે જ્ઞાન આપે તેવો છે. (પૃ. ૨૨)
જે માણસની રહેણીકરણી અને આચારવિચાર શુદ્ધ ન હોય તેની ગણત્રી કશા લેખામાં આવતી નથી. લક્ષ્મીવાન કે બુદ્ધિમાન હોવા છતાં આચારશૂન્ય પ્રાણી ગણનાપાત્ર થતો જ નથી. મુનિશ્રીએ “આચારોપદેશ” નામના આખા બેધક ગ્રંથનો છ વર્ગમાં ભાષાનુવાદ આપી આચારના વિષયને વધારે પુષ્ટ બનાવ્યો છે. આ આખું ભાષાંતર વિચારણીય હવા સાથે આચરણય પણ છે. (પૃ. ૨૬૨ થી ૩૨)
અહીં તો માત્ર કેટલાક વિષય પરત્વે આપણે વિચારણા કરી. પણ આવા અમૂલ્ય લેખો તે આ વિભાગમાં સ્થળે સ્થળે માલૂમ પડે છે. તદુપરાંત સૂક્ત વચન, હિતબોધક વા, હિતશિખામણો, ઉપદેશક વચન વિગેરે વિગેરેને તે તૂટો જ નથી. આપણું કથાનુગનાં ચરિત્રોમાં ઘણીવાર વાંચીએ છીએ કે હિતશિખામણનાં વાક્યો કોઈ કોઈ રાજપુત્ર યા શ્રેષ્ઠીપુત્ર લક્ષ-લક્ષ સુવર્ણમહેર આપીને ખરીદતા. આવાં જ સુવાક્યો સદ્દગતશ્રીએ આ વિભાગમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. જે તેવા દરેક વાકનું વિવરણ કરવા બેસીએ તે આ પ્રસ્તાવના
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૮ ) પિતાનું સ્વરૂપ બદલીને એક નાની–સી ટેટના આકારમાં ફેરવાઈ જાય; છતાં પણ કેટલાંક અતિબોધપ્રદ સુવાક્યો અહીં ઉદધૃત કરવાનું કાર્ય અસ્થાને તે નથી જ.
પ્રાણુ ગયા પછી પાણી પાવું નકામું છે તેમ તક ગયા પછી દાન દેવું તે પણ નકામું જ છે.
આડંબરમાં મેહ પામી અવગુણુ પ્રત્યે પ્રેમ કરે નહિ; કારણ કે ગાયના દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી નહિ. - કાંબળ ભીંજાવાથી જેમ ભાર વધે છે તેમ હઠાગ્રહથી આમા કમથી ભારે બને છે.
જેમ સૂર્યોદય થતાં અંધકાર ન ટકી શકે તેમ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં સાંસારિક વિકારે આપોઆપ નાશ પામી જાય છે.
સંકટના સમયમાં હિંમત રાખવી તે અડધી ફતેહ મેળવવા બરાબર છે.
જે વધસ્થાનમાંથી તમે મુક્ત ન થઈ શક્તા હો ત્યાં હસ્તે ચહેરે ઊભા રહેવું.
પ્રકૃતિ જ્યારે મુશ્કેલી વધારે છે ત્યારે સાથોસાથ બુદ્ધિબલ પણ વધારે છે.
સમય બરબાદ ન કરે, જે સમય ગુમાવશે તે ફરી આવશે નહિ.
જેમ તમારી જરૂરિયાતો ઓછી કરશે તેમ તમે વધારે સુખી થશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
- કટ્ટો દુશમન જેવું દુઃખ ન આપી શકે તેવું દુ:ખ અભિમાન આપે છે; તેથી જ તે અભિમાન જે કટ્ટો શત્રુ છે.
ધર્મકલા સર્વ કળાઓને જીતી લે છે.
જે મનને નિગ્રહ કરી શકે છે તે જ આત્માનું પૂરેપૂરું હિત કરી શકે છે.
અમૃતના પાત્રમાં કદી પણ કડવાશ હોતી નથી. પુણ્ય પણ સુવર્ણ-શૃંખલા જેવું જ છે. રસનાલુબ્ધ પ્રાણી લેશ માત્ર ચેતી શકતું નથી.
ઉપરનાં બધાં સવા દવાના ડેઝ જેવાં છે. જેમ દવાના ડેઝથી વ્યાધિ ઉપશમી જાય છે તેમ ઉપરોક્ત સુવાકના અનુસરણથી પ્રાણુઓની સંસારરૂપી વ્યાધિ શાન્ત થઈ જાય છે.
કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે સદ્દગતશ્રીના આ લેખસંગ્રહને બદલે કોઈ નવીન જ પ્રકાશન કર્યું હોત તો તે વધુ ઉપયોગી નીવડત, પણ તેવી સૂચના કરનારાઓએ લક્ષમાં રાખવું જોઈએ કે આ લેખોમાંના કેટલાક લેખો અને વાક્યો ઉત્તમ કોટિનાં પુસ્તકોનાં દેહનરૂપ છે. સામાન્ય જણાતાં વાક્યની પાછળ અદ્દભુત ભાવ ભર્યો જણાય છે. સદ્દગતશ્રીના દરેક લેખોનું હાર્દ તપાસશો તો તેમાંથી ઉપદેશસરિતા વહેવા સાથે પ્રગતિને પ્રતિધ્વનિ ગુંજી ઉઠશે. તેઓ પોતે ઉચ્ચ કોટિના સંયમી સાધુપુરુષ હતા અને પરિમિત અને શિષ્ટ લખાણ જ લખતા. તેમને સસ્તી કીર્તિ કમાવાની કદી પણ લાલસા થઈ જ નથી. તેઓ લખવા ખાતર લખતા નહી પણ પોતાનું લખાણ કેટલું લેકભોગ્ય બનશે અને કેટલું ઉપકારક નીવડશે તેની પૂરેપૂરે પરામર્શ કરીને જ તેઓ લેખિની ચલાવતા. તેમાં લેખન સમયે સામાન્ય બુદ્ધિવાળાં
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
પ્રાણીએ કેવી રીતે સમજી શકે તે દૃષ્ટિબિંદુ લક્ષમાં રાખીને જ હળવી અને સાદી ભાષામાં લેખા લખતા.
એક રીતે કહીએ તેા તેઓશ્રીએ ખરેખર જ્ઞાન-ગંગા રેલાવી છે. જે ક્રાઇ તેમાં સ્નાન કરશે તે અવશ્ય પવિત્ર બનશે. સંસારથી સતપ્ત આત્માએ અવકાશના સમયે આવા જ્ઞાન–નીરથી પેાતાને દાહ શમાવી શકશે. ગરમ પાણીમાં હાથ ઝએાળી શીતળતાની આશા રાખવી અસ્થાને છે તેમ જેઓ ભવ-દાવાનળમાં રચ્યાપચ્યા રહે છે તેને આત્મશાન્તિ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે.
મુનિશ્રી કપૂરવિજયજીએ એક અધ્યાત્મી પુરુષ તરીકે પેાતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું છે. આમ્રરસને એક વાર આસ્વાદ કરવા પછી બીજા બધા રસે। નિરસ જણાય છે તેમ અધ્યાત્મ રસ પણ આમ્રરસ જેવા જ છે. સદ્દગતશ્રીએ પોતાનું સંપૂર્ણ આયુષ્ય આત્મગવેષણામાં જ વ્યતીત કર્યુ. છે અને સમયે સમયે જે આંતરનાદ ઊઠતા તેને લેખાદ્વારા અક્ષરદેહ ' આપ્યા છે. તેમને દુન્યવી પ્રલાભને, પદવીને મેહ કે ખાટી કીર્તિની લાલસા આકર્ષી શકયાં નહતાં. એક રીતે તેમને આધુનિક આન ધનજી કે ચિદાન'ના નામથી સએધીએ તેા તેમાં અતિશયેાક્તિ નથી.
66
આવા અધ્યાત્મપરાપણુ પવિત્ર પુરુષના લખાણાના સંગ્રહ કરી તેને પ્રકાશમાં મૂકવાનું કાર્ય સંવત ૧૯૯૪ ના મુંબઇ ગાડીજી દેરાસરના ઉપાયમાં મારા ચાતુર્માસ દરમિયાન મે વિચાર્યું અને તેને મુંબઇની જૈનપ્રજાએ વધાવી લઇ યોગ્ય સહાયતા અ`તાં “ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ ” ની સ્થાપના કરી લેખ સ ંગ્રહ છપાવવા શરૂ કર્યાં. આ બના દરેક લેખસંગ્રહમાં જણાવવામાં આવી છે.
""
સમિતિની સ્થાપના થઇ તે જ વખતથી સમિતિના સેક્રેટરી તરીકે શ્રીયુત્ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની નિમણુક થઇ છે,
તેએ
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) અત્યંત ઉત્સાહી અને પરિશ્રમી પુરુષ છે. સાથે સદ્દગતના અનન્ય ભકત છે. તેમના અથાગ પરિશ્રમથી આટલા ટૂંકા ગાળામાં લેખસંગ્રહના પાંચ વિભાગે એટલે લગભગ બે હજાર પૃષ્ઠો બહાર પાડવાનું બની શકયું છે. હજી સદગતશ્રીનું ઘણું લખાણ પ્રગટ થવાનું બાકી છે. હાલ તે માત્ર “ શ્રી જૈન ધર્મ પ્રકાશ અને
શ્રી આત્માનંદ પ્રકાશ' માસિકમાં આવેલા લેખોનો જ સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યા છે. સમિતિએ જે કામ ઉપાડયું છે તે સંપૂર્ણ રીતે પાર પાડે તેવી ઈચ્છા અસ્થાને તો નથી જ. આ કાર્યને આગળ ધપાવવામાં સહાયની ખાસ અપેક્ષા રહે છે તો સદ્દગતશ્રીના સાધનસંપન્ન ભકતે તથા સંગ્રહસ્થ જ્ઞાનાવરણીય કર્મની નિર્જરાના હેતુભૂત આવા કાર્યને સંપૂર્ણ સહાય કરે. સદ્દગતશ્રીએ કેટલું લખાણ લખ્યું છે તેની હવે આપણને કંઈ ઝાંખી થાય છે. આવા નિઃસ્વાર્થ હિતેચ્છુ મહાપુરુષના સ્મારક તરીકે પ્રગટ થતાં આવા પ્રકાશનોમાં સંપૂર્ણ સહાયતા અને ઉત્તેજન પ્રાપ્ત થાય એ ઈચ્છવા ગ્ય છે. સ્મારક સમિતિના કાર્યવાહકોએ આરંભેલ આ અતીવ ઉપયોગી કાર્ય અખંડિતપણે શરૂ રહે એ જ અભિલાષા.
મહા શુકલ પૂર્ણિમા, | મુંબઈ : ૧૯૯૭, }
ભોયખલો.
અનુગાચાર્ય પંન્યાસ શ્રી
પ્રીતિવિજય ગણી.
મ
Page #15
--------------------------------------------------------------------------
________________
સદ્દગુરુના સમાગમમાં
પ્રશ્ન કમળકેરા પુષ્પને પ્રગટ થવાનું સ્થાન ક્યાં? ઝળકતાં પ્રવાહિરને ઉત્પન્ન થવાનું સ્થાન કયાં? મહામૂલાં મોતીઓને પાકવાનું સ્થાન ક્યાં ? મહાપુરુષને જન્મવાનું કહે “અમર' સ્થાન ક્યાં ?
ઉત્તર કાદવમહીં ઊગે કમળ, ઝાહિર પત્થર જડ્યા; મોતી પાકે છીપમાં મહાત્મા ભારત પડ્યા.
( અમર આત્મમંથન ) ભારતભૂમિ ભૂતકાળમાં મહાપુરુષોથી ઉભરાતી હતી, વર્તમાનમાં પણ અનેક મહાપુરુષો દષ્ટિગોચર થાય છે, પણ આત્મધ્યાની શાંતિપ્રિય મહાત્માઓને સમાગમ તે દુર્લભ જ છે. એવા પુ જવલ્લે જ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયા પછી આ કલિકાળમાં તેમની ઉપર શ્રદ્ધાન થવું અતિ દુર્લભ છે. યોગ્ય જીવો, આત્માભિલાષીઓ જે એવા સદ્દગુરુની શોધમાં જ હોય છે તેઓને એ યોગ પ્રાપ્ત થાય છે અને કલ્યાણ સાધી જાય છે. પૂર્વે ચિદાનંદજી, આનંદઘનજી જેવા ધૂરંધર આમત્યાગી મહાત્માઓ સાંપડ્યા હતા પરંતુ તેઓનાં અમુક સ્તવને કે સવૈયાઓરૂપી અક્ષરદેહ સિવાય વિશેષ કાંઈ માહિતી મળતી નથી તેનું કારણ સમાજની જિજ્ઞાસાવૃત્તિની ન્યૂનતા જણાય છે. આવા મહાત્માઓની ખોટ પૂરી કરવા અને સમાજજીવનને ઉચ્ચતર બનાવવા માટે એક મહાત્મા
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૪ );
પુરુષની આ વીસમી સદીમાં આપણને મહામૂલી ભેટ મળી કે જે વખતે નૂતન યુગનાં નૂતન વહેણ વહી રહ્યાં હતાં, પ્રજાજીવનમાં પલટો આવી રહ્યા હતા, લોકો જિજ્ઞાસાવૃત્તિવાળા હતા, તેમ જ બુદ્ધિવાદને અપનાવી રહ્યા હતા. એ મહાત્મા તે સદ્દગત મુનિશ્રી કપૂરવિજયજી મહારાજ જેમણે નૂતન યુગની આંગ્લ કેળવણી લઈ આત્મજ્ઞાતિના પંથે ભરયૌવનવયમાં કે જ્યારે યુવાનીના ઉલ્લાસ ભોગવવાનો સમય હતે, ગૃહસ્થ જીવનની મોજ માણવાનો પ્રસંગ હતા તે સમયે બાળબ્રહ્મચારીપણે એ મહાત્માએ વૈરાગ્યરંગે રંગાઈ સંસારની અસારતા સમજી તેને ત્યાગ કર્યો અને ઉચ્ચમાં ઉચ્ચ કલાવાળું મુનિજીવન, અણીશુદ્ધ ક્રિયા અને જ્ઞાન, ધ્યાન, તપમાં પરિપૂર્ણ કરી ભવ્યજીવોને ગંગાના હેણ જેવી ઉપદેશામૃત સરિતા, પવિત્ર પંથે પ્રયાણ કરવા અપતા ગયા. '
સદ્દગત મુનિરાજશ્રી ઉપરના મારા મનોભાવ ધવલપત્ર ઉપર કલમ ચલાવી આલેખતાં સદ્દગતની સૌમ્ય જીવનમૂર્તિ અંતઃકરણ પટ્ટ પર તાદશ્ય થઇ - ભૂતકાલનાં સત્સંગના સંસ્મરણોની યાદ તાજી થઇ. એક પછી એક દવાને ભાગ જેમ દદોને અનુક્રમે આપતાં દર્દી નિરોગી થાય છે તેમ ગુરુવર્યના ગદ્યસાહિત્યના આ લેખ સંગ્રહનાં એક પછી એક ભાગો ત્રિવિધ તાપથી (આધિ, વ્યાધિ, ઉપાધિ યા જન્મ, જરા, મરણ) અકળાયેલા છેવને સદુપદેશામૃતનાં પાન કરાવી, કર્મમળ દૂર કરાવી, આત્મશુદ્ધિ કરાવી આત્મશાતિરૂપ આત્માની નિરગી પવિત્ર અવસ્થા પ્રાપ્ત કરાવે છે. સંસારરોગના ચિકિત્સક, મોક્ષમાર્ગના જાણકાર કુશળ ઑકટર દઈ મુજબ જુદી જુદી જાતની દવાઓ આપનાર એ મુનિરાજ ! જેમની લેખિનીમાં સંસારમળથી શુદ્ધિ કરવાની અનેકવિધ ઔષધિઓ ભરી છે એવા તે જ્ઞાનપ્રેમીના સ્મારકરૂપે શ્રીમાનની સુસહાયથી સ્થપાયેલી કપૂરજ્ઞાન હેસ્પિટલમાં સંસારરોગથી કંટાળેલાં ભવિજને અમૃત અક્ષરરૂપ દવાથી અલ્પમૂલ્ય મહાન લાભ ઉઠાવી, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી અમૃતસમાન આત્મશાન્તિ પ્રાપ્ત કરી મહામૂલા માનવ જીવને સંસારરોગનો નાશ કરવા ભાગ્યશાળી થઈ અમરત્વ પ્રાપ્ત કરી શકે છે.”
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
સદ્દગત મુનિરાજને તે મારે। પરિચય મારા બાલ્યકાળને છે. તેને આજે વીસ વીસ વરસનાં વ્હાણાં વાઈ ગયાં છે. તેમના સત્યમાગમે પારમાર્થિક જીવન જીવવાની અમૂલ્ય તક મને સાંપડી છે. ‘કુમલા છેડ જેમ વાળીયે તેમ વળે’ એ ન્યાયે મારા પરિચય બહુ જ સમયસરને સધાયા હતા. તેઓશ્રી પ્રત્યે મારું ખેંચાણ થાડાક જીવન્ત કારણાને આભારી છે. મારુ વતન કાઠિયાવાડમાં પચ્છેગામ છે. તેની બાજુમાં જ વળા (વલ્લભીપુર ), જે ભૂતકાળમાં જૈનેાની વિજયપતાકા ફરકાવનાર અગ્રગણ્ય નગરી હતી ત્યાં આ મહાપુરુષના જન્મ થયા હતા. પચ્છેગામમાં તેઓશ્રીનાં હસ્તે જૈન પાઠશાળા સ્થપાવાથી પાઠશાળા સાથે મુનિરાજનું મુબારક નામ અંકિત છે તે શાળામાં મેં ધાર્મિક કેળવણી લીધેલી. ત્યારપછી બાર વર્ષની ઉમરે હું પાલીતાણા(સિદ્ધક્ષેત્ર)માં શ્રી યશેાવિજયજી જૈન ગુરુકુલમાં વિદ્યાભ્યાસ અર્થે દાખલ થયા તે અરસામાં એક વખત તેએશ્રીને વાંદવા જવાને ચેાગ પ્રાપ્ત થયા. અંતરમાં ભાવના હતી, નામથી પરિચિત હતા પણ જ્યારે તેઓશ્રીને દૃષ્ટિએ નિરખ્યા ત્યારે હૃદયપટ ઉપર અજબ છાપ પડી. એમનું યાગી જેવું જીવન, એમની શાન્ત મુખમુદ્રા, એમનું લભ્ય લલાટ, એમની મધુર વાણીથી હુ આકર્ષાયા. ત્યારપછી હું વખાવખત સ્કૂલમાં રજા હાય, શત્રુજયયાત્રા કરવા જવાનું હાય ત્યારે તેમને ખાસ વાંદવા જતા. તેમની પાસેથી મને ઊડવું ગમતું નહિ, તેમનેા ઉપદેશ, તેમની શાન્તિથી સમજાવવાની રીત, મારા આલ્યજીવનમાં અમૃત ફળનાં બીજ માફક વવાતી ગઇ. તેઓશ્રીએ મને પુસ્તક વાંચવા માટે આપવા માંડ્યા અને ધાર્મિક ક્રિયામાં મારું મન એટલું વધતું ગયું કે એ વયમાં આયંબિલ, એકાસણા, ઉપવાસ, એળી, સામાયિક, પ્રતિક્રમણ, યાત્રા વિ. અંતરના ભાવથી હુ કરતા. નવરાશમાં એમનાં પુસ્તક વાંચતા. આ ભાવના એટલી વિકસી કે સંસ્થાના દરેક વિદ્યાર્થીઓ ક્રીકેટ, ભગડ, વિ. રમવા જાય ત્યારે હું વાંચવામાં ગુંથાઉં. રમતને શાખ નીકળી જ ગયા અને રવિવારે તે હું રજા લઇ શહેરમાં જાઉં અને મહારાજશ્રી પાસે ત્રણ ચાર
કલાક
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) બેસું તે વખતે અંતરમંથન એટલું થતું કે ઘણું ઘણું બાબતમાં હું ગુંચવાઈ જતે અને એ ગુંચને ઊકેલ હું મહારાજશ્રી પાસે જ્યારે કરાવતો ત્યારે મારા મનનું સમાધાન થતું. તેઓશ્રી પણ મને દરેક બાબત બહુ જ શાન્તિથી, દષ્ટાંતથી સમજાવતા અને નવાં નવાં પુસ્તકો આપતા. કેટલાયે વ્રત-નિયમ હું સ્વેચ્છાથી મહારાજશ્રી પાસેથી ગ્રહણ કરતો અને પાળતો. આથી મારું જીવન કેમલ છતાં દઢ અને ધર્મજિજ્ઞાસુ બન્યું અને એમાં જ મને આનંદ મળવા લાગ્યો. મુનિરાજ શુદ્ધ ખાદી પહેરતા, એટલે મને પણ ખાદી પહેરવાની વૃત્તિ થઈ. તેઓશ્રીનો ભાવ મારા ઉપર વધવા લાગ્યો. એકાદ વખત ન ગયો હોઉં તો પણ યાદ રાખે, નિત્ય નિયમ વિ. ની પૂછપરછ કરે, નવી નવી ભાવનાઓ રેડતા જાય. આથી મને આગળ વધવાની જિજ્ઞાસા થઈ. આધ્યાત્મિક કેળવણી લેવા માટે તેઓશ્રીએ પાટણ જૈન બેન્કિંગમાં જવાની મને દરેક અનુકૂળતા કરાવી આપી. તેના મેનેજરને રૂબરૂમાં મારી વાત કરી દાખલ કરવા જણાવ્યું, પણ મારા પૂર્વ કર્મસંગે ને તે હું પાટણ જઈ શકો કે ન ગુરુકુળમાં સંપૂર્ણ કેળવણી લઈ શક્યો અને વિદ્યાકાળનાં ચાર વર્ષ સિદ્ધક્ષેત્રની છાયામાં ગુરુરાજના સમાગમમાં ગાળી, જૈનધર્મનાં અને અહિંસાનાં અમૃતપાન કરી હું રજા લઈ સ્વવતન ગયો તે ગયે જ-ફરી ગુરુકુળમાં આવ્યો જ નહિ. તેનું કારણ મને પાટણ જઈ કેળવણી લેવાની બહુ હોંશ હતી પણ માતાપિતાની મંજૂરી પ્રેમના આવેશમાં ન મળી અને હું સંસારરથમાં જોડાયો. પૂજ્ય ગુરુરાજે જે પુસ્તકોની ભેટ કરી હતી તે મારા જીવનને શાન્તિ આપવામાં સહાયક થઈ પડ્યાં. મેં તે પુસ્તકને ઘરમાં સંગ્રહ કરી તેનું “અમર જ્ઞાનભંડાર” એવું નામ રાખ્યું અને નિવૃત્તિ મળતાં એ ભંડાર પાસે બેસી વાંચ્યા કરું. અને ગુંચવાડ થાય એટલે પચ્છેગામમાં શ્રી જાદવજી રામજી માસ્તર જેઓ તત્ત્વજ્ઞાની છે તેમની પાસે ગુને ઉકેલ કરાવું. આવી અનુપસ જિજ્ઞાસાવૃત્તિ, આત્મદષ્ટિ અર્પવા માટે એ ગુરુરાજનો હું કેટલો ઉપકાર માનું ?
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) . યુવાન વયે પચ્છેગામથી હું મુંબઈનાં જંજાળી જીવનમાં આવ્યો અને મેહમયી નગરીની માયાના રંગે રંગાઈ ગયો અને ધર્મભાવનામાં ઓટ આવી તેનું કારણ સત્સમાગમની ખામી હતી. મુંબઈથી હું દેશમાં ગયો અને પાલીતાણું મુનિરાજને વાંદવા ગયો. મારા પહેરવેશ ઉપરથી તેમને દુઃખ થયું હોય તેમ બોલ્યા: “કેમ ! બધું પલટાઈ ગયું ?” હું શરમીદ બની ગયો. અને પાછી આગળની સુવાસ એમના એક વચને જ પ્રગટ કરી. મુંબઈ આવ્યો અને એક સોનેરી તક સેવાની સાંપડી અને એવું એક ક્ષેત્ર સાંપડયું કે જે મારા જીવનને માટે મહામૂલું હતું. તે કાર્ય મુંબઈના તબેલાઓમાંથી કતલખાને વેચાતાં ઢેરેને બચાવવાનું. તેના લીધે મુંબઈની શ્રી જીવદયા મંડળીનાં પરિચયમાં આવ્યો. ગુરુશ્રીએ મારા જીવનમાં વાવેલાં અમૃત બીજોના અંકુરા ફૂટવાને આ સુવર્ણયોગ હતો. આ તક મેં જતી નહિ કરી. આ સેવાના ક્ષેત્રમાં મેં તનમનથી ઝંપલાવ્યું. શ્રીમાન શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી અને રા. શ્રી જયંતિલાલ માન્કરનો સમાગમ થયો અને જીવનમાં થોડો ટાઈમ આવેલી એટ પાછી ભરતીએ ચડી તે ચડી. આજે તેને બાર બાર વર્ષ થયાં છે છતાં તે પ્રત્યે મારો પ્રેમભાવ અખંડ જળવાઈ રહ્યો છે. પ્રાણીસેવાનાં કાર્યમાં, લેખનકાર્યમાં, કવિત્વમાં મને જે આત્માનંદ પ્રાપ્ત થયો છે અને થાય છે તે આ ગુરુવર્યને જ પ્રતાપ છે.
હજુ પણ તેમનાં આપેલાં પુસ્તકોમાં “આત્મજ્ઞાન પ્રવેશિકા ” શાતિનો માર્ગ' વિ. મને શાન્તવન આપી રહ્યાં છે. વીશ વીશ વરસ થયાં છતાં હું તેને સંભાળી રહ્યો છું. તેઓશ્રીને મારા ઉપર મહદ ઉપકાર છે. તેઓશ્રી નિષ્કામ ઉપકારી હતા. માનવજીવનને ઉન્નતમાર્ગે વાળવા તેઓશ્રીની લેખિની એકધારો ચાલુ હતી. જ્ઞાનગંગાના રહેણ તેમણે જે ચાલુ કર્યા છે તેમાં અનેક ભવ્ય સ્નાન કરી પવિત્ર થયાં છે અને થશે.
જૈન સાધુઓમાં તેઓશ્રી અજોડ સાધુ હતા, તેઓશ્રીનું જીવન શાન્ત હતું, પારમાર્થિક પ્રવૃત્તિમય હતું, આડંબર વગરનું હતું, સાદું હતું,
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
સરળ હતું, તેમની ક્રિયા અણીશુદ્ધ હતી. તેમની કેળવણી પ્રત્યેની ભાવના એર હતી. તેઓશ્રીને ખરા શ્રાવકા અને આદર્શ ગૃહસ્થા બનાવવાની ભાવના હતી, તે આટલા વૈરાગ્ય રંગે ર ંગાયેલા હતા છતાં દેશ, કાળને અનુસરી વનાર હતા. તેએ ગુણપ્રિય હતા, તેઓની ચાલવાની, બેસવાની, ગેાચરીની, ઉપદેશ દેવાની, નિત્ય નિયમની ઝાંખી કલમવડે કેમ વવું ? કારણ કે જેટલું અનુભવમાં હેાય છે તેટલું વાણીમાં આવી શકતું નથી. ટૂંકામાં તેએાશ્રીનુ જીવન ધણું ઉચ્ચ, આદર્શ, વૈરાગ્યમય અને ધાંધલ વગરનું હતું. જ્ઞાન ઉદ્યોત કરાવવા તે તેમને મુખ્ય વિષય હતા. તેમની સામગ્રીમાં એ પાતરાં કે એ જોડી કપડાં સિવાય ભવિજનેને જ્ઞાનલ્હાણ કરવા પુસ્તકા ભર્યાં હાય.
તેઓશ્રોની આ જિજ્ઞાસાને મુંબઇની ‘શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ એ તેમના લેખાનેા સંગ્રહ બહાર પાડી તેમના આદર્શોને કરી વખત ગ્ર ંથારૂઢ કરી સદ્ગતના આત્માને શાંતિ અર્પી છે, અને તેમનું યાગ્ય સ્મારક રાખ્યું છે તે ઘણું જ ધન્યવાદને પાત્ર છે. તેમાં મદદ કરી આત્મ રે!ગીએની ચિકિત્સા કરાવનાર આ જ્ઞાન હાસ્પિટલને જીવત રાખનાર દાનવીર પણ તેટલા જ ધન્યવાદને પાત્ર છે.
હજી પણ તેમના લેખા–સંગ્રહા અનુક્રમે બહાર પડશે તેા માનવજીવનમાં વિચરતાં આત્માઓની અન ંત સેવાનું ફળ એ મહાનુભાવાને પ્રાપ્ત થશે.
પૂજ્ય ગુરુદેવશ્રી ઉપરના મારા આટલા મનેભાવે! ધવલ પત્ર ઉપર વ્યક્ત કરી આત્માનંદ અનુભવુ છુ... અને સમિતિને અભિનંદન આપી શ્રીમાતાને આવા કાર્યોંમાં સારી સહાય કરવા વિનંતિ કરું છું.
માશી` શુદ ૫ઃ ગુરુઃ ૧૯૯૭
મુંબઈ.
}
લી. પૂજય ગુરુદેવના ચરણાપાસક, અમચંદ્ર માવજી શાહ
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) કરવિજયજી મહારાજની ત્રીજી જયંતિ વખતે
સમૈમાં ગવાયેલી સ્તુતિ. (વીર મને તારે મહાવીર મને તાર–એ દેશી) વિરજિનેશ્વરસાહિબ સુણો , અરજ કરું છું જગધણું રે–એ ટેક. દયા-વારિથી સ્નાન કરીને, સંતોષ ચીવર ધારીએ રે; વિવેક તિલક અતિ અંગ કરીને, ભાવના પાવન આશયે રે. વી. ૧ ભક્તિ કેસર કીચ કરીને, શ્રદ્ધા ચંદન ભેળીએ રે; સુગંધી દ્રવ્ય ભેળીને, નવ બ્રહ્માંગ જિન અચીએ રે. વી. ૨ ક્ષમા સુગધી સુમનસ દામે, દુવિધ ધર્મ ક્ષેમ યુગવરે રે; ધ્યાને અભિનવ ભૂષણ સારે, અચીએ અમે હષભરે રે. વી. ૩ આઠે મદના ત્યાગ કરણરૂપ, અષ્ટ મંગળ તે સ્થાપીએ રે; જ્ઞાન હતાશન જનિત શુભાશય, કષ્ણાગસે ઉખેવીએ રે. વી. ૪ શુધ અધ્યાત્મજ્ઞાન વહ્નિથી, પ્રગ ધર્મ લવણ ઉતારીએ રે; યોગ સુવયુલ્લાસ કરતાં, નિરાજના વિધિ પૂરીએ રે. વી. ૫ આતમ અનુભવ જ્ઞાનસ્વરૂપી, મંગળ દીપ પ્રજાળીએ રે; યોગ ત્રિક શુભ નૃત્ય કરતાં સહજ રત્નત્રયી પામીએ રે. વી. ૬ સત્ય પર્યાય સુઘોષા બજાવી, રમ રમ ઉલ્લાસીએ રે; ભાવ પૂજા લયલીન હેવંતાં, અચલ મહેદય પામીએ રે. વી. ૭ ભાવ પૂજા અભેદ ઉપાસક, સાધુ નિર્ચ અંગીકરી રે; દ્રવ્ય પૂજા ભેદ ઉપાસક, ગૃહમેધીને નિત્ય વરી રે. વિ૮ દ્રવ્યશુધ્ધિ ભાવશુદ્ધિ કારણ, જિન આન્ના અવધારીએ રે; ધ્યાતા ધ્યેય ધ્યાનરૂપ એકે, અજર અમર પદ પામીએ રે. વી. ૯ સાલંબન નિરાલંબન ભેદે, ધ્યાન હુતાશન જલાવીએ રે; કંચનોપલને ન્યાયે કરીને, ચેતનતા અજવાળીએ રે. વી. ૧૦ કર્મ કઠીન ધન નાશ કરીને, પૂર્ણાનંદતા પામીએ રે; રમતાં નિત્ય અનંત ચતુષ્ક, વિજયલક્ષ્મી પદે જામીએ રે. વી. ૧૧
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી કરવિજયજી સ્મારક સમિતિ
સન્મિત્ર, સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેઓ સં. ૧૯૯૩ના આ વદિ ૮મે દેહમુક્ત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઈમાં શ્રી જૈન બાળ મિત્રમંડલ તથા ખંભાત વીસા પિોરવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગડીજીને ઉપાશ્રયમાં અનુગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સં. ૧૯૪ ના આ વદિ ૮ના રોજ મળી હતી. તે વખતે શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયો કે “એ પુણ્યપુરુષનું નામ કોઈ સંગીન યેજના કરીને ચિરસ્થાયી કરવું.” પછી શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જે ફંડ થાય તે રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણોથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પંન્યાસજી પ્રીતિવિજયજીએ ટેકો આપ્યો અને પિતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દીપચંદ ચોકસી, રાજપાળ મગનલાલ વોરા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયોચિત ભાષણો કર્યાતેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પિતાથી બની શકે તે રીતે શ્રાવકો પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમ ભરાણી.
સમિતિનું કામ નાણુ ભરનારા સભ્યોની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થ છે – ૧ મોતીચંદગિરધરલાલ કાપડીઆ ૪ વાડીલાલ જેઠાલાલ શાહ ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. પ હીરાલાલ રામચંદ મલબારી. ૩ મેહનલાલ દીપચંદ શેકસી. ૬ નત્તમદાસ ભગવાનદાસ શાહ
૭ રાજપાળ મગનલાલ વહાર
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
વ્યવસ્થાપક સમિતિએ નરેોત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મત્રી તરીકે નિમણૂક કરી છે અને એક આફ ઇંડિયામાં પૈસા રાખવાની ગેાઠવણુ કરી છે. શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ, મેાતીચ ંદ્રુ ગિરધરલાલ કાપડીઆ, મેાહનલાલ દીપચંદ ચેાકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતુ ખેાલ્યુ છે.
શ્રી કપૂરવિજયજી લેખસ ંગ્રહનુ પ્રેસકેાપી અને સંશાધનનુ કામ માસ્તર લક્ષ્મીચ૬ સુખલાલ શાહ કરે છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજનાં જે લેખા ‘ શ્રી જૈનધમ પ્રકાશ ’ માં, ‘ શ્રી આત્માનંદ પ્રકાશ ’ માં, ‘જૈન’ પત્રમાં અથવા બીજા પત્રામાં આવ્યા હૈાય તે સર્વ ના સંગ્રહ કરીને એક લેખસંગ્રહ બહાર પાડવા. તે પ્રમાણે સ ંવત ૧૯૯૫ ના ભાદરવા શુદ્ધિ દસમે પહેલા ભાગ બહાર પડ્યો હતા. તે પછી બીજો ભાગ સંવત ૧૯૯૬ ના પોષ સુદિ ચેાથે બહાર પડ્યો હતા. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશાડ શુદિ નામે બહાર પડ્યો હતા. ચેાથેા ભાગ સ ંવત ૧૯૯૬ ના આસેા વદ ૦)) મહાર પડ્યો હતે અને આ પાંચમા ભાગ આજે બહાર પડે છે. સિમિત પાસે હવે આગળના ભાગ માટે પૂરતા પૈસા નહિ હાવાથી હાલમાં છઠ્ઠો ભાગ બહાર પડવા સભવ નથી.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મત આપવી, રૂા. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મત આપવી અને તેથી એથ્થુ ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઈ, જેણે ક ંઇ ભર્યું ન હેાય, તેને અધી કિમતે આપવી. આ ઉપરથી જોઇ શકાશે કે આ સમિતિના ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારેા કરવાને છે.
આ લેખ સ ંગ્રહના ભાગેા મેઘજી હીરજી બુકસેલર,
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
પાયધુની, મુબઈને ત્યાંથી તથા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ પુસ્તક મેળવવા ઇચ્છા હેાય તેને પેસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્યે મળી શકશે.
પૂજય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશ ંસકેા, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હાય તેમણે
શાહ નરાત્તમદાસ ભગવાનદાસ-ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ--મુખ.
એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે. કૂંડમાં અની શકતી સહાય કરવા દરેક વાચકમ ને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કા ક્ષય કરવાના આવેા ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. કુંડમાં પૈસા ભરનાર ભાઈઓને આભાર માનવામાં આવે છે.
જે ભાઇઓએ પ્રસ્તાવના, ઉપેાઘાત, બે એલ, વિગેરે લખીને આ પાંચે ભાગ પ્રસિદ્ધ કરાવવામાં સહાય કરી છે તે સર્વને સમિતિ તરફથી હું ઉપકાર માનુ છું. સમિતિના સભ્યાએ મીટિંગેામાં હાજરી આપીને કામમાં જે સરલતા કરી આપી છે તે માટે પણ તેમના ઉપકાર માનું છું.
શ્રી મહેાદય પ્રિન્ટિંગ પ્રેસે પાંચે ભાગ બહાર પાડવામાં જે સરલતા, અનુકૂળતા અને ઝડપથી કામ કરી આપ્યું છે તે માટે તેના પણ ઉપકાર માનુ છું.
વિ. સં. ૧૯૯૭
માહ સુદ ૧૫ મુંબઇ
નરાત્તમદાસ ભગવાનદાસ શાહ
માનદ મંત્રી
Page #25
--------------------------------------------------------------------------
________________
પંન્યાસજી પ્રીતિવિજયજીના ઉપદેશથી શ્રી કરવિજયજી સ્મારક સમિતિના કુંડમાં સહાય
આપનારનાં મુબારક નામે.
વર્ગ પહેલે-પે ૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
રૂા. ૫૦૧) ૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. ૫૦૧) ૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઈ કસળચંદ કમળશીપ૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી
૫૦૧) ૫ ,, મેહનલાલ વસનજી હ. હરકિસનદાસ ૫૦૧)
વર્ગ ત્રીજો શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી
૧૦૧) મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
૧૦૧) ૩ , શાંતિલાલ દયાળજી
૧૦૧) માણેકચંદ જેચંદ જાપાન
૧૦૧) સકરચંદ મેતીલાલ મૂળજી
૧૦૧) વાડીલાલ પુનમચંદ
૧૦૧) સેન્ડહસ્ટરેડના ઉપાશ્રય તરફથી હા.શેઠ મંગળદાસ ૧૦૧) , કરમચંદ ચુનીલાલ
૧૦૧) , ગિરધરલાલ ત્રિકમલાલ
૧૦૧
Page #26
--------------------------------------------------------------------------
________________
૫૧)
૨૫)
૨૫)
૨૫) ૨૫)
(૨૩ )
વર્ગ ચાથે ૧ શેઠ નાનાલાલ હરિચંદ ૨ , દુર્લભજી મૂળચંદ
વર્ગ પાંચમ ૧ શેઠ જીવરાજ ભીખાભાઈ ૨ ,, માણેકચંદ કુંવરજી કુંડલાવાળા ૩ ,, ગોવિદજી વિઠલદાસ વાળુકડવાળા ૪ ,, છોટાલાલ મગનલાલ ભાવનગરવાળા ૫ , 3. ગિરધરલાલ ટી. મેંદી રૂા. ૬ શેઠ રણછોડભાઈ રાયચંદ ૭ શાહ નત્તમદાસ ભગવાનદાસ ૮ શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૯ , જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ ૧૦ , મેહનલાલ મગનલાલ
, હરખચંદ કપુરચંદ
, ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ ૧૩ ,, વાડીલાલ સાંકળચંદ વેરા
, હરખચંદ રતનચંદ-ચાંદવડ
, ખૂમચંદ ગુલાબચંદ-શીશાદરા ૧૬ ,, દલીચંદ ગુમાનચંદ ૧૭ ભેગીલાલ પુરુષોત્તમદાસ-અમદાવાદ ૧૮ ,, હીરાભાઈ રામચંદ મલબારી
2 ટે છે કે કે છે કે દ દે છે કે છે ?
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૯
૨૦
શાંતિલાલ ઓધવજી
કાળીદાસ નેમચંદ-મારવાડા
માહનલાલ દીપચંદ ચાકસી મણિલાલ કુવરજી–રાધનપુર
૨૨
૨૩
ગુલાબચંદ ડાહ્યાભાઈ
૨૪ નટવરલાલ હરકીસનદાસ
૨૫,, છેટુભાઇ ભીખાભાઈ
२६ વનમાળીદાસ ઝવેરચદ
""
૨૭ પરી મિણલાલ ખુશાલચંદ-પાલણપુર
૨૮ શેઠ લાલચંદ કેશવજી હા. સેાભાગચંદ ૨૯ રતિલાલ ફૂલચ ંદ
૩૦ વાડીલાલ જેઠાલાલ શાહ
23
૩૧ રા. રાજપાળ મગનલાલ વ્હારા ૩૨ શેઠ ઇશ્વરલાલ હીરાચંદ, સુરત
૩૩ ટાલાલ માણેકચંદ છ
""
૩૪ એન શાંતિ તે શેઠ બાબુલાલ ગાવિ દજીની ધણીયાણી
રૂપ બેન ચ ંચળ તે શેઠ બાબુલાલ છગનલાલની ધણીયાણી-સુરત ૫)
૨૧
,,
""
,,
99
,,
( ૨૪ )
,,
૧૧)
3)
૨)
૨)
૧૫
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૫ માના વિષયાની લેખાનુક્રમણિકા.
પ્રાથમિક ક્રમ
મુખપૃષ્ઠ
પ્રસ્તાવના
સદ્ગુરુના સમાગમમાં જયંતિ-સ્તુતિ
...
ક્રમાંક
શ્રી કપૂરવિજયજી રમારક સમિતિ
શ્રી ક. સ્મા. સમિતિના કુંડમાં નાણાં આપનાર ગૃહસ્થાનાં મુબારક નામેા
...
...
...
...
...
000
...
630
૧ સદ્વિદ્યા
...
૨ જગતની મહાનમાં મહાન વસ્તુ ચારિત્ર્ય ૩ આપણી સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ સાધવા
...
૫
માટે સંપ તથા એકતાની જરૂર ૪ આપણી ઉન્નતિ કેમ થઇ શકતી નથી ? તેના સંભવિત ઉપાય ૧૧ ૫ સહૃદય અને સકર્ણ સજ્જનેને સાગ્રહ સૂચના
૧૩
૬ પુરુષની પંક્તિમાં કાને ગણવા ? ૭ ધર્મ ભાવના જાગૃત કરવાની જરૂર
૮ માન–અભિમાનની પણ કંઈ હદ હાય ખરી કે ? ૯ સંત-સાધુજનેની સેવાથી લાભ શી રીતે લઇ શકાય ૧૦ સત્સંગ કરવાથી થતા અનેક ઉત્તમ લાભ ૧૧ સદ્ગુરુ-સત્સંગ મહિમા ૧૨ મિથ્યાત્વના ચાર ભેદ ૧૩ આચાર્યાદિક ઉત્તમ પદવી પાત્રમાં જ શોભે છે
...
...
...
..
...
...
...
***
...
...
પૃષ્ટાંક
૧
૩
૧૨
૧૮
૧૯
...
440
૨૨
પૃષ્ઠાંક
2-3
૪
૧૫
૧૯
૨૧
૨૩
૨૪
૨૬
૨૭
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૨૬ )
ક્રમાંક
...
૧૪ સામાયિક-સમભાવ-સમતા પ્રાપ્તિ ઉપાય ૧૫ સયમ એ જ સુખ-શાંતિની ખરી ચાવી છે ૧૬ મન અને ઇંદ્રિયદમન કરવાની અતિ જરૂર ૧૭ સ્વજીવન શક્તિને વ્ય વ્યય કરતાં અટકે... ૧૮ મૂંગા ઉપયેાગી જાનવરે। પ્રત્યે અનુકંપા–દયા રાખવાની
...
...
આપણી ફરજ...
...
404
૧૯ આપણાં દિલમાં દયા ગુણ ખીલવવા સુગમ તે સરલ ઉપય. ૨૦ સ્વજીવનતત્ત્વને ટકાવી રાખવાની કળા ૨૧ આરેાગ્ય સાચવવા અવશ્ય લક્ષમાં રાખવા યેાગ્ય નિયમે અને તેથી થતા ફાયદા ૨૨ જૈન તેમજ જૈનેતર દયાળુ જતાને ભઠ્યાભઢ્ય ખાનપાન સબંધી થાડીક સૂચનાઓ
૨૩ જુદે જુદે સ્થળે વસતા કચ્છી કાઠિયાવાડી અને ગુજરાતી જૈનીને એ ખેલ
૨૪ સસામાન્ય હિતવચને
૨૫ હિતવચનમાળા–એધદાયક વચને ૨૬ હિતવચનમાળા
...
...
...
૨૭ સ્વક વ્યપ્રેરક સૂક્ત વચને
૨૮ તત્ત્વજ્ઞાનના સરલ મા-સદ્બાધ સંગ્રહ સેવાનુ અનુપમ ફળ
૨૯ દ્રવ્ય-ભાવતી
૩૦ સગ્રહિત સૂક્ત વચનેા
...
...
...
0.0
...
...
...
...
...
...
...
૩૧ લક્ષ્મીને વાસ કયાં હાઇ શકે? ૩૨ જૈન દર્શન અને ઇતર નાના તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન શાસ્ત્ર સ`બધી મુકાબલે
૩૩ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની સક્ષિપ્ત વ્યાખ્યા તેની ધર્મોચરણથી જ સાકતા
...
પૃષ્ઠોંક
રસ
૩૧
33
૩૫
૩૮
૪૦
૪૧
૪૪
૪
૪૮
પર
૫૪
૫૭
૬.
કર
૬૬
૬૮
૦૩
૭૫
૭૬
Page #30
--------------------------------------------------------------------------
________________
ક્રમાંક
૩૪ પરમસુખ પ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિનુ ફળ કઇ રીતે મળે ?
( તત્ત્વ સંબંધી શાસ્ત્ર સમર્થ્યન ) .
...
( ૨૭ )
૩૫ સંત-સમાગમ દુર્લભ છે
૩૬ સુપાત્ર લક્ષણ
૩૭ સત્સંગ-સંતસમાગમ કેમ કરતા નથી ?
૩૮ પ`ષણ પ્રસ ંગે
૩૯ ઉન્નતિને પંથે ( ચાર ગુણની પ્રાપ્તિ) ૪૦ નીતિ મેષ-વચને
૪૧ ઇચ્છા અને મા
...
...
...
...
...
...
...
...
...
...
૪૨ જુદા જુદા પ્રકારનું વાંચન માણસને કેવાં બનાવે છે ?...
૪૩ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા...
૪૪ વિચારામાં રહેલી અદ્ભુત શક્તિ
૪૫ રકતા અને શ્રીમંતાઇ
...
...
...
...
૪૬ આપણામાં ઉચ્ચ કેળવણીના પ્રસાર કરવાના ખાસ ઉદ્દેશ. ૪૭ જૈનશાસનની રક્ષા અને પુષ્ટિને સરળ મા ૪૮ કેશરને કાયડે કાણુ અને કયારે ઊકેલશે ?... ૪૯ જૈતા અને સ્વદેશી વસ્ત્રો
૫૦ ધર્માંસાધન કરવામાં ઢીલ કરવી જોઇએ નહિ... ૫૧ વીતરાગકથિત ધર્મનું સેવન તું જલદી કરી લે પર ચૂંટી કાઢેલાં સારી હિતવચને
૫૩ નીતિ વચને
૫૪ સાચા સુખના અર્થીએએ કુસ ંપને ટાળી શુદ્ધ પ્રેમી અને
નિર્દોષજીવી થવાની જરૂર.
૫૫ પરાપકારી સજ્જતાના સુંદર સ્વભાવ ૫૬ ત્રણ પ્રકારના મિત્ર અને તેને વિલક્ષણ સ્વભાવ પછ જેવી ભાવના એવી સિદ્ધિ : જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
...
...
...
800
પૃષ્ઠાંક
UG
૮.
૮૧
R
૮૫
૮૬
૯૩
૯૪
૯૫
૯૬
૯૬
૯૭
૧૧૦
૧૧૨
૧૧૫
૧૧૭
૧૧૮
૧૨૦
૧૨૨
૧૨૩
૧૨૫
૧૨૬
૧૨૭
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૨૮ )
ક્રમાંક
પક
•
૧૩૬
૫૮ મનને નિરાકુળ રાખવાની ઘણું જ જરૂર છે.
૧૩૦ ૫૯ સાચા મિત્રનાં શાસ્ત્રોક્ત લક્ષણ ... ... ... ૧૩૨ ૬૦ દવા કરવા કરતાં પથ્ય ઉત્તમ .... ..
૧૩૪ ૬૧ શરીરના આરોગ્યભૂત મુખ્ય કારણે ૬૨ સર્વસાધારણ હિતવચને ... ... ... ..... ૧૩૭ ૬૩ તત્ત્વજિજ્ઞાસુ સજજનો પ્રત્યે પર્યુષણ પ્રસંગે બે બેલી... ૧૩૯ ૬૪ આપણી આંતરસ્થિતિ સમજીને સુધારવાની જરૂર • ૧૪૩ ૬૫ આપણું ભાવી ઉન્નતિની દિશા સમજીને આદરવાની જરૂર ૧૪૪ ૬૬ આપણી ઉન્નતિને સરલ-સુગમ માર્ગ .. ... ૧૪૬ ૬૭ શ્રી તીર્થકર ભગવાનના કલ્યાણક ઉજવવાનો પ્રસંગ
જયંતિ અને કલ્યાણકની એકતા... ... ... ૧૪૮ ૬૮ દશ શ્રાવક કુલક (આણંદાદિક દશ શ્રાવકને સંક્ષિપ્ત
અધિકાર છે ... ... ... ... ... ૧૫૫ ૬૯ સર્વ જીવોની ઉન્નતિ સંબંધી બે મિત્રોનો સંવાદ ... ૧૫૬ ૭૦ વીતરાગ શાસનની રક્ષા અને પ્રભાવને આપણાથી શી
રીતે થઈ શકે?. ... ... ... ... ૧૫૯ ૭૧ લઘુતા ત્યાં પ્રભુતા, નમે તે પ્રભુને ગમે, નમ્રતામાં
જ મોટાઈ . ... . ••• ... 151 કર કથની કથવા માત્રથી શું વળવાનું છે? રહેણીએ રહેવાથી
જ સિદ્ધિ છે .. ••• .. • • • ૧૨ ૭૩ રેગી તથા નિરોગી થવાનાં કારણ સમજી, નિરોગી જીવન
ગુજારવાનું આપણા ભાઈ બહેને કયારે શીખશે ? .... ૧૬૪ ૭૪ અવંચક વેગથી ક્રિયા અવંચકતા અને ક્રિયા અવંચક્તાથી
અવંચક ફળપ્રાપ્તિ અવશ્ય થાય છે .. ૭પ ઈન્દ્રિયાદિ વિકાર-નિરોધ કલકની સરળ વ્યાખ્યા ... ૧૬૯ ૭૬ ઇરિયાવહીય કુલક–વ્યાખ્યા .• • • ૧૭૦
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૮૨
( ૨૯ ). ક્રમાંક
પૃષાંક ૭૭ સાધુ-નિગ્રંથ ચરણસિત્તરી અને કરણસિત્તરી. ૧૭૩ ૭૮ ગૌતમ કુલકનાં સુવર્ણ વાક્ય .. . . ૧૭૪ ૭૯ કેવા કર્મો કરવાથી કેવી અવસ્થા પમાય છે? ... ૮૦ આત્મા સાથે કર્મને સંબંધ કેવી રીતે થાય છે ? અને
તેને અંત શી રીતે આવે છે? .. • ૧૮૭ ૮૧ આત્માવબોધ કુલક-વ્યાખ્યા ... ૮૨ અહિંસા યાને દયાધર્મ .. .. ૮૩ જીવદયા અથવા અનુકંપાના ખર્ચ સંબંધી થતે ઊહાપેહ
અને તેનું પરિણામ . ••• . ૨૪ ૮૪ આ જીવન યાત્રા સફળ કરી લેવા રાખવી જોઈતી ચીવટ,
અને પ્રમાદાચરણથી દૂર રહેવા અગત્ય (આત્મ જાગૃતિ ) ૨૦૬ ૮૫ ઉપમિતિ ભવપ્રપચા ક્યાંતર્ગત-ઉપયુક્ત વચનને અનુવાદ ૨૦૮ ૮૬ મુખ શતક . . .. ... ... ર૨૦ ૮૭ પ્રશ્નોત્તર રત્નમાલિકા ... ... • • ૨૨૬ ૮૮ જેન કામની પડતી માટે જવાબદાર કોણ? તેની ચડતી
કેમ થઈ શકે ? . .. ••• .. ૨૩૨ ૮૯ આત્મકલ્યાણ સાધવાની સંક્ષિપ્ત શિખામણે... ... ૨૩૫ ૯૦ શ્રી વીતરાગપ્રણીત પવિત્ર ધર્મમાર્ગ ... ... ૨૩૭ ૯૧ હવે પણ કંઈ ચેતી શકાય કે નહિ? .. ૯૨ જેવું વાવશે તેવું લણશો-જેવું કરશે તેવું જ પામશે ૨૪૧ ૯૩ સદ્દભાવનાને અલૌકિક ચમત્કાર, તે આપણી નસેનસમાં
પ્રગટાવવાની જરૂર • • • • ૨૪૩ ૯૪ જૈન બંધુઓને ખાસ ઉપયોગી સૂચનાઓ ... ... ૨૪૫ ૯૫ પાંજરાપોળ પ્રમુખ જીવદયાની સંસ્થાઓને સૂચના ... ૨૪૭ ૯૬ સદ્દભાવના એ જ અનુપમ શાંતિ સમર્પનારી સાચી કલ્પના છે ૨૪૮ ૯૭ અને નાયક (ગણી આચાર્યઆદિમાંથી) કોણ હોઈ શકે? ૨૪૯
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ) ક્રમાંક
પૃષાંક ૯૮ કર્મના અસ્તિત્વ અને અતુલ પ્રભાવ ઉપર કર્મ કુલકની વ્યાખ્યા ૨૫૧ ૯૯ છવાનુશાસ્તિ કુલકની વ્યાખ્યા.
૨૫૪ ૧૦૦ કેવળ હિતબુદ્ધિથી સાધુઓ આપણને સાચો માર્ગ બતાવે
તેને આદરતાં પ્રમાદ કરે તે ગંભીર ભૂલ લેખાય. ... ૨૫૭ ૧૦૧ સુશ્રાવક ઋષભદાસકૃત હિતશિક્ષાના રાસમાને સુંદર બોધ ૨૫૯ ૧૨ વિઘ યાને અંતરાય કર્મનું સ્વરૂપ. . . ૨૬૧ ૧૦૩ શ્રાવકધર્મોચિત આચારોપદેશ. .. .. ૧૦૪ શીધ્ર સ્વહિત સાધી લેવા ભવ્યાત્માને યોગ્ય હિતોપદેશ. . . ૩૦૩ ૧૦૫ સુખના અર્થીએ દુઃખના માર્ગથી પાછા હઠી સુખના
માર્ગે જ સંચરવું જોઈએ. . . . . ૩૫ ૧૦૬ મનુષ્ય જન્મની સાર્થકતા કેમ થાય ? ૧૦૭ સદ્દગુણીનો અનાદર નહિ કરતાં તેમના ગુણની કિંમત
કરતાં શીખો ... ... ... ... . ૩૦૮ ૧૦૮ સૂકત વચનો વાંચી કે સાંભળી આદરવા લાયક વિવેક. ... ૩૧૦ ૧૯ પ્રશ્નોત્તરો ...
૩૧૨ ૧૧ મૈત્રી ભાવનાને અનુક્રમે થતો વિકાસ-વિસ્તાર. . ૩૧૯ ૧૧૧ જિન અને જૈન શબ્દ સંબંધી સાદી સમજ.
૩૨૩ ૧૧૨ અકારાદિ અનુક્રમણિકા.
૩૨૫ ૧૧૩ શ્રી. લે. સંગ્રહ માટે જાહેર વર્તમાન પત્રોના અભિપ્રાય
છ
છ
છ
૩ ૩૧
છે
Page #34
--------------------------------------------------------------------------
________________
nિ n a liliiliinlanlilarlin a na
સગુણાનુરાગી સમિત્ર મુનિ મહારાજ
શ્રી કપૂરવિજયજી
תכתבתתכתבתכתבת
STUFFSHSingSURESHBENESISEMINESH
લેખ સંગ્રહ
ભાગ ૫ મ.
UEUEUEUEUEUEUEUEUS
Page #35
--------------------------------------------------------------------------
________________
विद्यानाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी यशस्सुखकरी विद्या गुरूणां गुरुः । विद्या बंधुजनो विदेशगमने विद्या परमदैवतम्,
विद्या राजसु पूजिता न तु धनं विद्याविहीनः पशुः ॥
卐
न चोरचौर्य न च राजहारी,
न भ्रातृभाज्यं न च भारकारी ।
व्यये कृते वर्धत एव नित्यं,
विद्या धनम् सर्वधनप्रधानम् ॥
卐
केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चंद्रोज्ज्वला,
न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः ।
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते,
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ॥ १ ॥
→XAO
Page #36
--------------------------------------------------------------------------
________________
હું શ્રીરવિજય લેખસંગ્રહ ભાગ પામો છે
સદ વિધા જી૧૦૦©e
«OS૦° ( જીવ અછવાદિ વસ્તુને વસ્તુગત એટલે તે જેવા રૂપમાં છે તેવા રૂપમાં બરાબર સમજાય તે ખરી વિદ્યા જાણવી, અને અનિત્ય, અશુચિ તેમ જ અનાત્મીય વસ્તુને નિત્ય, શુચિ અને આપણે સમજવી તે અવિદ્યા જાણવી. વિદ્યા, કળા અને કૌશલ્યથી આત્માની વિવિધ શક્તિઓ વિકસિત થાય છે, તેથી અન્ય અજ્ઞ જને ગમે તેવા શારીરિક બળથી જે કામ કરી શક્તા નથી તે વિદ્વાન જને ડાં કળબળથી સહેજે કરી શકે છે. વિદ્યાને પ્રભાવ બહુ અલૈકિક છે એમ આપણે પ્રગટ જોઈએ છીએ; કારણ કે વિદ્યા એ મનુષ્યનું ખરેખર ઝળકી રહેલું આંતરતેજ છે, તેમ જ ઘણું જ ગુપ્ત ધન છે. વિદ્યા વળી ભેગ, યશ અને સુખ કરવાવાળી છે. વિદ્યા ગુરુને પણ ગુરુ છે. વિદેશગમન પ્રસંગે વિદ્યા બંધુજન સમાન છે. વિદ્યા શ્રેષ્ઠ દેવતા સમાન છે. વળી જેમ વિદ્યા રાજાઓમાં પૂજાય છે તેમ ધન પૂજાતું નથી, માટે વિદ્યા રહિત મનુષ્યને પશુ તુલ્ય સમજો. વિદ્યા એ જ ખરેખરું ભૂષણ છે. બાજુબંધ કે ચંદ્ર જેવા ઉજજવળ મેતીના હારે, સ્નાન, વિલેપન, પુપ કે સુશોભિત કેશે પુરુષને વિભૂષિત કરતાં નથી. કેવળ એક ઉદાર વાણું જ પુરુષને ભાવે છે. બીજા બધાં ભૂષણે સદા ય ક્ષીણ થઈ જાય છે, પરંતુ ઉદાર વાણુરૂપ ભૂષણ કાયમ રહે છે. વિદ્યારૂપ આંતર-ધનને કોઈ ચાર
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
ચારી શકતા નથી, જે સદા ય કઇ ને કંઇ સુખની પાષણા કરે છે, અથી જનાને અપાતા છતાં સદા વૃદ્ધિને પામે છે અને કદાપિ જેને વિનાશ થવા પામતા નથી. આવું આંતરધન જેમની પાસે છે તેમની સાથે કાણુ સ્પર્ધા કરી શકે ? જેને ચાર ચારી શકે નહિ, રાજા ઈંડી શકે નહિ અને ભાઈ ભાગ પડાવી શકે નહિ તેમ જ જે ભારભૂત અને નહિ અને અથીજાને આપ્યા છતે ખૂટે નહિ, પણ ઊલટું વધતું જ એવું વિદ્યારૂપ ધન સર્વ પ્રકારનાં ધન કરતાં પ્રધાન ધન છે, અને તેથી જ ખરા સુખના અથીજનાએ તે આદરવા ચેાગ્ય છે.
જાય
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૧૭. ]
જગતની મહાનમાં મહાન વસ્તુ ચારિત્ર્ય.
૧. શુદ્ધ ધ્યેય અને શુદ્ધ ચારિત્ર્ય એ જ હમેશાં સત્યના પથ છે.
૨. ઉદાર બના, એટલે બીજા માણસમાં ઉદારતા સૂતેઢી હશે તે જાગૃત થશે અને તમારી ઉદારતાને મળવા આવશે.
૩. ચારિત્ર્ય એ જ શક્તિ, એ જ પૈસા, એ જ ધર્મ અને એ જ મેાક્ષ છે.
૪. ચારિત્ર્યને કંઇ પણ ભલામણની આવશ્યકતા નથી. તે પેાતાની ભલામણ પાતે જાતે જ કરે છે. ચારિત્ર્ય વગરનુ અધુ તુચ્છ જ છે.
પ. મહાન્ કાર્યં કરવું એ જ કઇ જીવનનું મુખ્ય કર્ત્તવ્ય નથી, પરંતુ આપણે પોતે મહાન થવું એ જ કન્ય છે. ચારિત્ર્ય
Page #38
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[૫] એ જ જીવનનું ઉત્તમોત્તમ અને સ્થાયી ફળ છે, ચારિત્ર્ય એ જ સાચી આંટ છે.
૬. ચારિત્ર્ય વગરની એકલી બુદ્ધિ આપણને અધોગતિમાં લઈ જાય છે.
૭. સ્વાર્થ ત્યાગનો પાઠ શીખ્યા હોઈએ તે માનાપમાનની પણ આપણા ઉપર અસર થાય નહીં.
૮. દઢ ચારિત્ર્યવંતને ગમે તે રાજા પણ ખરીદી શકે નહીં.
૯. જાગૃત થયેલ આત્માને પ્રતીત થાય છે કે સતકર્તવ્ય એ જ જીવનને હેતુ છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૩૦૨.] આપણી સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે સંપ તથા એકતા (Harmony) દઢપાયે સ્થાપવા આપણ સહમાં ઉદાર–
નિસ્વાર્થભાવના પ્રગટાવવાની અનિવાર્ય જરૂર.
સદ્દભાવના એ આપણે મુદ્રાલેખ બન જોઈએ, તથા તુચ્છ સ્વાર્થવૃત્તિને આપણે તિલાંજલિ આપવી જોઈએ. દુનિયાના સહુ પ્રાણીઓ સુખને જ ચાહે છે અને વિવિધ જાતનાં દુઃખથી કંટાળી તેમાંથી મુક્ત થવા ઈચ્છા રાખે છે, પણ તેનો ખરે રસ્તે તેમને યથાર્થ સમજાય હેતું નથી, તેથી તેઓ બહુધા દુઃખના જ માર્ગે પ્રયાણ કરતાં રહે છે. પરિણામે સુખને બદલે જાતજાતનાં દુઃખનાં જ દર્શન કરી તેને કડે અનુભવ
Page #39
--------------------------------------------------------------------------
________________
[ 6 ]
શ્રી કપૂરવિજયજી મેળવે છે. ક્ષણિક-વિનાશી સુખમાં મુગ્ધજને વારંવાર લેભાઈ જઈ, સ્વાભાવિક અવિનાશી આત્મિક સુખને અનાદર કરે છે. ક્ષણિક, કલ્પિત સુખમાં મુંઝાઈ રહેનારા કે ખરા અવિનાશી સુખનો અનુભવ કરી શકતા નથી અને અપૂર્વ અલૈકિક સુખથી તે સહ વંચિત-બેનસીબ જ રહે છે. તુચ્છ સ્વાર્થવૃત્તિને વશ થઈ રહેવાથી જ આવું વિષમ પરિણામ વારંવાર આવે છે અને વિવિધ વાસનાઓના જરથી અહીંતહીં જન્મમરણના ફેરામાં અટવાયા કરે છે. તે જન્મમરણનાં અનંતાં દુ:ખમાંથી જીવને ઉદ્ધાર થાય એ ખરેખર બહુ જ ઈચ્છવા યોગ્ય છે.
આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આપણું મુખ્ય સાધ્યબિંદુ ક્ષણિક-વિનાશી, કપિત સુખ નહિં પણ ખરું શાશ્વત, અવિનાશી, આમિક સુખ જ હોવું જોઈએ. તેને લક્ષીને જ સકલ ઉચિત પ્રવૃત્તિ કરવી ઘટે. તેવું ખરું સુખ નિજ આત્મામાંથી જ મળી શકે છે. બીજા બધા તો સુખ-દુઃખમાં કેવળ નિમિત્તરૂપ જ હોઈ શકે. પ્રત્યેક આત્મામાં શક્તિરૂપે અનંતજ્ઞાનાદિક રત્નરાશિ છૂપી રહેલી છે તેમ જ તે સકલ રત્નરાશિને પ્રગટ કરવાનું અનંત-અગાધ સામર્થ્ય પણ છૂપું રહેલું છે, એ સાચી વાત કોઈ વિરલા જ જાણે છે. મોટે સમૂહ તો તેથી તદ્દન અજ્ઞાનઅજાણ્યો જ રહે છે. તેમને એ ખરી હકીકતથી જાણીતા કરવા એ ખરા તત્વજ્ઞાનીનું કર્તવ્ય છે. તત્ત્વજિજ્ઞાસા થવાથી તત્વજ્ઞાનની પ્રાપ્તિ સુલભ્ય થાય છે. ખરા જ્ઞાની પ્રત્યે નિજ હદયમાં શુદ્ધ પ્રેમ-બહુમાન જાગૃત થાય એ તત્ત્વજ્ઞાન પામવાની ખરી કુંચી છે. એ કુંચી કેઈ સદભાગી મેળવીને તેને લાગુ પાડે છે, તો પરિણામે નિજ આત્મામાં જ છૂપી રહેલી અનંતી ઋદ્ધિ તેને અનાયાસે મળી આવે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ 9 ]
યથાર્થ જ્ઞાન, યથા શ્રદ્ધા અને યથાર્થ ચારિત્રના સંયુક્ત મળથી ખરું અવિનાશી સુખ પ્રાપ્ત થઈ શકે છે. જન્મ મરણુ સબંધી અનંત દુ:ખરાશિમાંથી છૂટવાનેા એ જ ધારી માર્ગ છે. અજ્ઞાન અને મેહવશતાથી ખરે। માગ ભુલાઇ ગયા છે અને ઊલટા માર્ગ પકડી લેવાયેા છે. એથી જ ખાપડા જીવા સુખને ખદલે દુ:ખમાં જ ડૂબતા જાય છે. તેમાંથી પ્રત્યેક જીવના ઉદ્ધાર કેમ થાય અને પ્રત્યેક જીવ ખરી સુખશાંતિ કેમ પામે ? એવુ ચિંતવવું એ જ ખરી મૈત્રી ભાવના. તેવા દુ:ખી જીવેાને તન, મન, વચન કે ધનથી ગમે તે રીતે દુ:ખમુક્ત કરવા સાક્ષાત્ પ્રયત્ન સેવવા તે ખરી કરુણા ભાવના. આપણા વિચાર, વાણી તથા વનમાં રહેલી વિષમતા ( ખામી) દૂર કરી તે આપણે તેને શુદ્ધ, પવિત્ર અને નિર્મળ બનાવી લઇએ તેા એ બધાં વડે આપણા તેમ જ અન્ય અનેક દુ:ખી આત્માએના સહજમાં ઉદ્ધાર કરી શકાય, પરંતુ ખેદની વાત છે કે બહુધા સ્વત ંત્રતાના મિષથી સ્વચ્છ ંદતાને સ્થાન આપવામાં આવે છે, જેથી સ્વપર અહિતમાં અધિક ઉમેરો જ કરાય છે. જ્યાંસુધી આપણામાં ચેાગ્ય વિકાસ ન થાય ત્યાંસુધી આપણે સહુએ શિષ્ઠ જનાને અનુસરીને જ ચાલવુ જોઇએ. આપણામાં તે પ્રકારની યેાગ્યતા આવતાં તે જ આપણને સ્વતંત્ર શાસન કરવા દેવા અનુમત થશે
વ્હાલા બંધુઓ તથા બહેના ! નિ:સ્વાર્થ ભાવના બળથી આપણે સહુ તે પ્રકારની રુડી યેાગ્યતા પામી શકશું. કોઇને પણ દુ:ખમુક્ત-સુખી કે સદ્ગુણી સાક્ષાત્ દેખી કે સાંભનીતે આપણે સહુએ રાજી અને પ્રસન્ન થવું જોઇએ, મનમાં લેશમાત્ર ખેદ, રાષ કે ઈર્ષ્યા, અદેખાઇ નહિ લાવતાં પ્રમાદ યા પ્રસન્નતા ધારવી, જેથી આપણી આંતરભૂમિમાં રહેલાં
Page #41
--------------------------------------------------------------------------
________________
[૮]
શી કપૂરવિજયજી શલ્ય માત્ર દૂર થઈ શુદ્ધ ને સુગ્ય થવા પામે. ઉન્નતિનાં ખરાં કારણ શોધી, સમજીને આપણે આદરવાં જોઈએ, જેથી આપણું અમુક પ્રકારની ઉન્નતિ થવા સાથે અન્ય જનેને પણ સમુન્નત બનાવવામાં આપણે શુભ સાધનરૂપ થઈએ. ગમે તેવાં નિંદ્ય અને કઠેર કર્મ કરનાર પ્રત્યે પણ દ્વેષ, ખેદ કર્યા વગર પ્રબળ કરુણાયુક્ત હૃદયથી તેનું કંઈ પણ હિત કરી શકાય તેમ હોય તો કરવું, નહિં તે છેવટે અસાધ્ય વ્યાધિવતની જેમ તેને ઉપેક્ષણય સમજી, રાગદ્વેષ રહિત સમભાવથી શક્ય સ્વપરહિત સાધવામાં જ મશગૂલ રહેવું એ જ માધ્યચ્ય ભાવના. સાચા મોક્ષસુખની ચાવી જેવી અવિરોધી એ સઘળી સંભાવનાઓ આપણા સહુના દિલમાં સદેદિત (કાયમ) રહેવી જોઈએ. એવી ઉદાર નિ:સ્વાર્થ ભાવના આપણામાં પ્રગટાવ્યા વગર અને તેને દૃઢ-સ્થિર કર્યા વગર આપણે આપણામાં સંપ ત્યા એકતા સ્થાપી શકશું નહિં અને તેને નિભાવી પણ શકશું નહિં.
કદાચ કોઈ નિમિત્તવશ ઉપરટપકે સંપ યા એક્તા સ્થપાયેલ જણાશે, પરંતુ તે પ્રકારની હૃદયની શુદ્ધતા, નિર્મળતા, નિઃસ્વાર્થતા પેદા કર્યા વગર ઉક્ત સંપ યા એકતા સ્થિર થઈ શકશે નહિ, તેમ જ આપણે એકબીજાનું ખરું વાસ્તવિક હિત પણ કરી શકશું નહિં.
આપણે સહુમાં સંપ યા એક્તા-દૃઢ-સ્થિર સ્થાપવાની અનિવાર્ય જરૂર છે. એ વડે જ વાસ્તવિક સ્વપરહિતની રક્ષા અને વૃદ્ધિ કરી શકીશું. તેવા ઉત્તમ સંપની સ્થાપના નિમિત્તે સહુએ વિવેકથી સ્વાર્થ ત્યાગ કરવો જ જોઈએ. તુચ્છ અને કલ્પિત સ્વાર્થને ત્યાગ કર્યા વગર તો કશું હિત-શ્રેય-કલ્યાણ થવા સંભવ જ નથી. જ્યારેત્યારે પણ સ્વાર્થ ત્યાગ કરવાથી જ શ્રેય
Page #42
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯ ] થવાનું છે, તે પછી તુચ્છ સ્વાર્થને વશ થઈ આવી અપૂર્વ તક ગુમાવી દેવી તેને અર્થ શું? તંત્રી-વીણાના ત્રણે તાર સારા મજબૂત અને સુવ્યસ્થિત હોય છે તે જ તે મજાનો મીઠોમધુરો સૂર કાઢી શ્રોતાજનેને રીઝવી શકે છે. હારમોનિયમ વિગેરે વાછત્ર પણ એવા જ અર્થસૂચક છે. જડ વસ્તુઓ પણ આ રીતે સુવ્યવસ્થિત હોય તો તે દ્વારા અનેક જેને ઈચ્છિત લાભ મેળવી શકે છે, તે પછી ઉપર જણાવ્યું તેમ અનંત શક્તિ-સામર્થ્યને ધારણ કરનારો પ્રત્યેક આત્મા ધારે તો તેને પ્રાપ્ત થયેલી સકલ શુભસામગ્રીને સદા ય સદુપયેગ કરે. | સ્વવિચાર, વાણી અને આચરણ બરાબર પવિત્ર બનાવે, તે માટે શરૂઆતમાં જ વર્ણવેલી સઘળી શુભ ભાવનાઓને સતત અભ્યાસ રાખે, તુચ્છ, કલ્પિત, ક્ષણિક સ્વાર્થ માત્રને જતો કરે, વિષયને ચાહનારી ઇંદ્રિયોને કબજે રાખે–મોકળી ન મૂકે, તેમાં પણ સકળ ઇંદ્રિયોને પોષણ આપનારી રસના-જીભને વિશેષ કબજે (કાબૂમાં) રાખે. એટલે એને નિર્દોષ અને નિયમિત પિોષણ આપે કે જેથી તેનામાં તેમ જ તેને લઈ અન્ય ઇંદ્રિમાં પણ વિક્રિયા થવા પામે જ નહિ. એટલું જ નહિ પણ યોગ્ય પોષણ પામેલી ઇન્દ્રિયો પિતાના સ્વામીરૂપ આત્માની ખરી સેવા સાવધાનપણે બનાવી શકે, જેથી સુવિવેકી આત્મા ઉન્નતિના માર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે. વળી તે સુવિવેકી આત્મા ક્રોધાદિક કષાયને સારી રીતે નિગ્રહ થાય તેમ ડહાપણભરી ક્ષમા, સમતા, મૃદુતા, નમ્રતા, ઋજુતા, સરલતા અને તુષ્ટિનિર્લોભતાનું સેવન કરે. ક્રોધ પ્રીતિને, માન મર્યાદાનો, માયા મિત્રાઈને અને લોભ સર્વગુણુ નાશકારક છે, એવું સમજનાર વિવેકી કદાચ ક્રોધ-રીસ કરે છે, પિતાના જ
Page #43
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી કપૂરવિજયજી અવગુણ પ્રત્યે કરે, માન–અહંકાર કરે તે પ્રમાદાદિક શત્રુઓને પરાભવ કરી મળેલી તકની સાર્થકતા કરવા સાવચેતી રાખવા માટે જ કરે, માયા-કપટ કેળવે તે પિતાની ખરી ઉન્નતિમાં અપાય-વિઘ કરનારા દોષ–દુર્ગણોને વટાવી દેવા પૂરતી જ કરે અને લેભ કરે છે જેથી જન્મમરણને ભય દૂર થાય એવી સાધનસંપત્તિ પ્રાપ્ત કરી લેવા નિમિત્તે જ કરે. જેથી સ્વકર્તવ્યનું ભાન ભૂલાય અને કર્તવ્યભ્રષ્ટ થવાય એવા કોઈ પણ માદક પદાર્થનું સેવન વિવેકાત્મા ન જ કરે. આ ટૂંકી જિંદગીના અમૂલ્ય સમને આળસ વધારવામાં ખચી ન જ નાંખે, પણ તેને પોતાનાથી બની શકે તે સારામાં સારો ઉપગ કરે, જેથી સ્વપરહિતની રક્ષા સાથે તેમાં દિનપ્રતિદિન વધારો જ થાય એવું અભિનવ જ્ઞાન (વિજ્ઞાન) જાતે મેળવવામાં, મેળવેલું અન્ય અથી જનેને આપીને વધારવામાં, તેને ફેલાવો કરવામાં, સત્સંગનો લાભ લેવામાં, સંશયનું સમાધાન કરવામાં અને મંદ મતિ જીને સ્વકર્તાવ્ય સમજાવી તેમને કર્તવ્યપરાયણ કરવામાં પોતાના અમૂલ્ય સમયને વીતાવે. ફૂલડાં ઝરે અથવા અમૃત વર્ષે એવી મીઠી-મધુરી હિતકારી સત્ય વાણું પ્રસંગને લક્ષી ગર્વ રહિત અને સ્થિરબુદ્ધિથી વિચારીને વદે, સર્વ પ્રાણીવર્ગને નિજ આત્મા સમાન લેખી પિતાનાથી બને તેટલી તેમની અનુકૂળતા સાચવે અને અન્ય જનોને એવું જ હિત આચરણ કરવા શીખવે. શુદ્ધ બ્રહ્મચર્ય જાતે પાળવા તથા તેને ઉત્તમ પ્રભાવ શ્રોતાવર્ગને સમજાવી તેઓ તેમાં રત થાય તે પ્રયત્ન કરવા તત્પર બને છે. બ્રહ્મચર્ય જ ચારિત્રનું મૂળ અધિષ્ઠાન છે, એમ પોતે સારી રીતે સમજે અને તેને મહિમા અન્યને સમજાવે. માયા, મમતાને દૂર કરી દે.
Page #44
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧ ]
6
આવા સુવિવેકી આત્માને મારું તારું હાતુ નથી. આવુ ઉત્તમ આદર્શ જીવન જીવવા સદ્ભાવના આપણામાં સદા ચ સ્ફુરા અને એવા અનેક આદર્શજીવનેાના સંયુક્ત ખળથી વિશ્વમાં અખંડ એકતા સધાએ અને શ્રેષ્ઠ સુખશાંતિ સ્થપાએ.
[ આ. પ્ર. પુ. ૧૭, પા. ૯૭. ]
આપણી ઉન્નતિ કેમ થઇ શકતી નથી ? તે તથા આપણી ઉન્નતિના સંભિવત ઉપાય,
આપણામાં ગતાનુગતિકતા બહુ વધી ગઇ છે, એટલે જે જે ક્રિયા ( ધર્મ કરણી ) કરવામાં આવે છે તેના શાસ્ત્રોક્ત હેતુ કે પરમાર્થ સમજવાની બહુ જ એછી દરકાર કરવામાં આવે છે અને ઘણે ભાગે વગરસમયે દેખાદેખીથી અનેક ક્રિયાઓ કરાય છે, તેથી તે તે ધર્મકરણી જોઇએ એવી કલ્યાણસાધક થઇ શકતી નથી. વાતા ( મેાટી માટી ) કરવામાં આપણે શૂરા છીએ ખરા, પણ આપણી ગંભીર ભૂલ સુધારવાની કશી દરકાર કરતા નથી એ ભારે ખેદની વાત છે. જો આંતરિક દૃષ્ટિથી જોવામાં આવે તે આપણે ઘાંચીના બળદની જેમ અધગતિ કરી રહ્યા છીએ એટલે ગમે તેટલું ચાલ્યા કરીએ તે પણ ઠામના ઠામ રહેવાના છીએ. આવી ભયંકર દુ:ખદાયી સ્થિતિમાંથી આપણા ઉદ્ધાર શી રીતે થઇ શકે?
જો કે આપણુ સહુને સુખ ગમે છે, દુ:ખ નથી ગમતું; પરંતુ સુખના ખરા રસ્તા આદર્યા વગર અને દુ:ખના માર્ગ તજ્યા વગર સાચું સુખ મળવાનુ નથી અને દુ:ખ ટળવાનું પણ નથી.
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી કર્ખરવિજયજી સમર્થ શાસ્ત્રકારે કહે છે કે યથાર્થ શ્રદ્ધા (સમ્યગદર્શન), યથાર્થ બોધ (સમ્યજ્ઞાન) અને યથાર્થ વર્તન( સચ્ચારિત્ર)નું બરાબર પરિપાલન કરવાથી જ સર્વ દુઃખને સર્વથા અંત આવી શકે છે અને અક્ષય, અનંત, શાશ્વત મોક્ષ-સુખ મળી શકે છે. તે રત્નત્રયીનું આરાધન કરવાની વાત તે દૂર રહો, પ્રથમ તેની પ્રાપ્તિ માટે એગ્ય (લાયક) બનવા માટે વિનય, વિવેક, ન્યાય, નીતિ, ક્ષમા, સરલતા, સંતેષાદિક માર્ગોનુસારીપણાના ગુણોને પણ જ્યાં સુધી એગ્ય આદર ન કરવામાં આવે અને ક્ષુદ્રતા-તુચ્છ દોષદષ્ટિ પ્રમુખ દુર્ગણે તજવામાં ન જ આવે ત્યાંસુધી સાચા સુખની પ્રાપ્તિ અને વિવિધ પ્રકારનાં દુઃખને અંત થવાની આશા શી રીતે રાખી શકાય ?
જેમ મળશુદ્ધિ કર્યા વગર લેવામાં આવતી ગમે તેવી કિંમતી દવા ગુણ કરતી નથી તેમ મૈત્રી, કરુણા, મુદિતા અને મધ્ય
સ્થતાના સેવનવડે રાગ, દ્વેષ, અહંતા, મમતાદિક જડ ઘાલીને રહેલા દુષ્ટ વિકારરૂપ આંતરમાળની શુદ્ધિ કર્યા વગર ગમે તેવી ધમકરણ દુઃખહરણ થઈ શકતી નથી. ઉત્તમ-હિતકારી વૈદ્યનાં વચનાનુસાર ઔષધેપચાર કરવાથી જેમ ગમે તેવા હઠીલા વ્યાધિનો પણ અંત આવે છે તેમ રાગ, દ્વેષ અને મહાદિક વિકાર માત્રથી સર્વથા મુક્ત થયેલા સર્વજ્ઞ પ્રભુની એકાન્ત હિતકારી આજ્ઞાને યથાર્થ રીતે અનુસરવાથી નિશે સકળ દુઃખનો સર્વથા અંત આવી શકે છે. પિતાપિતાના અધિકાર મુજબ શુદ્ધ રહેણુકરણ કરવા પુરુષાર્થ ફેરવવાથી જ સર્વજ્ઞ પ્રભુની કે નિઃસ્પૃહી-નિગ્રંથ ગુરુમહારાજની પરમ હિતકારી આજ્ઞા-શિક્ષાનું ઠીક પરિપાલન થઈ શકે છે, પરંતુ
Page #46
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૧ :
[ ૧૩ ] એકાન્ત હિતકારી દેવગુરુની આજ્ઞાને અનાદર કરી વેચ્છા મુજબ ચાલનાર ગમે તેટલો બાહ્યાડંબર કરે છતાં તે તેને કેવળ કલેશરૂપ થાય છે.
આત્મોન્નતિ કરવા ઈચ્છનારે સ્વેચ્છાચાર તજ જ જોઈએ. મદ–કેફ-રતિ તજવી જ જોઈએ. વિષયલાલસા, કષાય–અંધતા, આળસ, એદીપણું અને નકામી કુથલી કરવાની કુટેવને તિલાંજલી આપવી જ જોઈએ. પિતાનામાં જડ ઘાલીને રહેલા અનેક દુર્ગણોને ટાળવા તથા અનેકાનેક સદ્દગુણ પ્રાપ્ત કરવા અને ખીલવવા સતત પ્રયત્ન કરવો જ જોઈએ. તુચ્છ-ક્ષણિક સુખનો મેહ તજી, ખરૂં શાશ્વત મોક્ષસુખ મેળવવા જ મર્થન કરવું જોઈએ. ગતાનુગતિકતા તજી પરમાર્થ દષ્ટિ આદરવી જોઈએ. મૈત્રી, કરુણા, મુદિતા અને મધ્યસ્થતારૂપ સદ્દભાવનાથી સ્વહૃદયકમળને સદા ય વાસિત કરી રાખવું જોઈએ. ખરો હેતુ સમજી એકચિત્તથી ધર્મકરણ યથાશક્તિ નિયમસર કરવી જોઈએ. ઉચ્ચ આદર્શ નજર આગળ રાખી, શાસ્ત્રાજ્ઞાને માન આપી નમ્રપણે આત્મોન્નતિ સાધવા અને બની શકે તેટલું અન્ય જિનેનું પણ હિત કરવાના ખપી થવું જોઈએ.
[આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૪૬.]
અને માતા
અને
સહૃદય અને સકર્ણ સજજનોને સાગ્રહ સૂચના. હાલા બંધુઓ અને બહેન !
તમે તમારા અંગત સ્વાર્થની ખાતર પુષ્કળ પૈસે ખર્ચો છે, પરિશ્રમ ઉઠાવે છે અને વખતને પુષ્કળ વ્યય કરે છે,
Page #47
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી કર્ખરવિજયજી મનગમતાં ખાનપાન કરે છે, મનગમતાં વસ્ત્રાભૂષણ સજે છે અને મનગમતાં વાહન પર બેસી વિહરે છે. વળી સ્વજનકુટુંબનું પિષણ પણ કરતાં રહો છો. તેમને ઈચ્છિત ખાનપાન, વસ્ત્ર, આભૂષણ વિગેરે આપો છો અને તેમની ઈચ્છાને અનુસરે છે. વિશેષમાં નાતવરા કરે છે, પુત્ર-પુત્રીઓને પરણાવે છે, એછવ–મહોચ્છવ કરે છે, વૈભવ મેળવવા ચાહે છે અને તમારા આશ્રયે રહેલાને સુખી કરવા ઈચ્છે છે. કવચિત તીર્થયાત્રા પણ કરે છે, દેવપૂજા, ગુરુવંદન કરે છે અને દુઃખી જનેને દેખી તેમના ઉપર અનુકંપા પણ લાવે છે. કવચિત્ હુંસાતુસીથી બીનજરૂરી ભારે ખર્ચ પણ કરો છો. આ બધું તમને તમારા વૈભવના પ્રમાણમાં કરવું કદાચ ઉચિત લાગતું હશે, જશ-કીર્તિ મેળવવા જરૂરનું જણાતું હશે અને આબરુ સાચવવા અગત્યનું સમજાતું હશે, પરંતુ તમે તમારા પરભવ સુધારવા તમારી આત્મન્નિતિ થાય તેવી શુભ કરણી વિવેકથી કરવા કંઈ લક્ષ સાધ્યું છે ?
જે દરેક આત્મામાં પરમાત્મા જેટલી શક્તિ છુપી રહેલી છે તે પ્રગટ કરવા પોતપોતાની યોગ્યતા મુજબ ખરો માર્ગ ગ્રહણ કરવો એ આપણે ખાસ ફરજ છે તેને તદ્દન વિસારી દેવી તે અનુચિત છે. યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા સહિત સદાચરણ એક નિષ્ઠાથી સેવ્યા વગર કદાપિ આત્મોન્નતિ થવાની નથી, તેથી ઉક્ત રત્નત્રયીની પ્રાપ્તિ માટે જરૂર પુરુષાર્થ સેવા જોઈએ. વિષયલાલસા, કષાય-અંધતા, સ્વકર્તવ્યવિમુખતા, વિકથારસિકતા, અજ્ઞાન, મિથ્યાત્વ અને સ્વેચ્છાચાર તો અવશ્ય તજવાં જોઈએ. ચગ્યતા મેળવવાથી ઈચ્છિત લાભ મળી શકશે, માટે ક્ષુદ્રતા,
Page #48
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫ ]
અવિનીતતા, સ્વાર્થી ધતાદિક દુર્ગુણ્ણા ટાળવા અને ગંભીરતા, વિનીતતા તથા પ્રામાણિકતાદિ સદ્ગુણૢા મેળવવા જરૂર પ્રયત્ન કરવા. તેમજ સ` કેાઇનું પારમાર્થિક હિત થાય તેવું જ ઇચ્છવુ અને તન, મન, ધનથી તેમ કરવા સતત લક્ષ રાખવુ. પ્રમાદ– જડતા દૂર કરી સ્વપરહિતમાં વૃદ્ધિ જ કરવી.
[ આ. પ્ર. પુ. ૧૭, પા. ૨૨૨.]
પુરુષની પંક્તિમાં કાને ગણવા ?
એક પ્રશ્નનુ` સમાધાન.
“ ના દિડુંગળના તેમાં, ચેડરિક્ષાવિચક્ષળા: । ये स्वं शिक्षयितुं दक्षा-स्तेषां पुंगणना नृणाम् ॥ "
ભાવાર્થ:—જેએ અન્યને યથેચ્છ શિખામણ દેવામાં
,
શૂરા છે તેમને પુરુષની ગણત્રીમાં જ કાણુ ગણે છે ? શાસ્ત્રકાર કહે છે કે અમે એવા ૮ પરાપદેશે પાંડિત્ય ' અતાવનારા શુષ્ક હૃદયવાળાઓને પુરુષની પંક્તિમાં ગણતા જ નથી. ફક્ત જેએ પેાતાની જાતને જ કેળવવા–સુધારવા ચકાર ( સાવધાન ) રહે છે તેમને જ અમે ખરા પુરુષની ગણત્રીમાં ગણીએ છીએ.
પરમાર્થ –આ અતિ ઉપયોગી ( મહત્ત્વપૂર્ણ ) àાકમાંથી કોઇ પણ આત્મકલ્યાણેચ્છુ જન ધારે તેા બહુ જ ઊંડું ( અપૂર્ણ ) રહસ્ય પામી શકે એમ છે. માણુસ ગમે તેવા બુદ્ધિશાળી હાય, શરીરે હૃષ્ટપુષ્ટ ( નિરાગી ) હાય, લક્ષ્મીવત હાય અને વચનશક્તિવાળા પણ હાય; પરંતુ એ બધી બુદ્ધિ, શક્તિના ઉપયાગ જ્યાંસુધી પેાતાના આત્મકલ્યાણાર્થે કરવામાં
Page #49
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી કર્ખરવિજયજી ન આવે, કેવળ લેકરંજનાથે અથવા તુચ્છ મન:કામના પૂર્ણ કરવા માટે જ કરવામાં આવે તો તે બુદ્ધિ-શક્તિની ખરી સાર્થકતા ગણી શકાય નહિં.
રુડી-નિર્મળ બુદ્ધિ પામીને સ્વપર, જડચેતન, હિતાહિત, કર્તવ્યાકર્તવ્ય, ભક્ષ્યાભઢ્ય, પિયા પેય, ગમ્યાગઓ તથા ગુણદેષની યથાર્થ વહેંચણ કરતાં શીખી ખરી વસ્તુને આદરવી અને બેટી વસ્તુને તજી દેવી જોઈએ. રુડી નિરોગી કાયા પામીને તુચ્છ વિષયાદિકની લાલસા તજી ડાં વ્રત–નિયમ આદરવા ખપ કરે જોઈએ. શ્રીમંતાઈ પામીને પરોપકારાર્થે તેને સદુપયેગ કરવો જોઈએ અને રુડી વચનશક્તિ પામીને અન્ય પ્રાણુઓને પ્રીતિ ઉપજે તથા તેમનું હિત-શ્રેય-કલ્યાણ થાય તે તેને વિવેકપૂર્વક ઉપયોગ કર જોઈએ. તેમ જ સ્વપરહિતની વૃદ્ધિ થાય તેવાં દરેક કાર્યમાં પ્રયત્ન કરવા સાવધાન રહેવું જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૭પૃ. ૨૪૭. ] ધર્મની ભાવના જાગૃત કરવાની જરૂર
ધર્મરતો નથઃ ” ગમે તેવો આકરો પ્રસંગ ઊભું થયું હોય તો પણ પંડિત પુરુષે સ્વકર્તવ્યધર્મનો ત્યાગ કરતા નથી; કેમકે જ્ઞાની પુરુષે કહે છે કે “જે ધર્મનું રક્ષણ કરે છે તેને જ જય થાય છે.” એ ઉત્તમ શિષ્યવચનને અનુસરી આપણે સહુએ અવશ્ય સ્વકર્તવ્યપરાયણ થવું જોઈએ. ધીરજ રાખી ખરી ખંતથી સ્વકધર્મમાં મચી રહેવાથી જરૂર આપણે જય ( ઉદય ) થવા પામશે.
Page #50
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭ ] આજકાલ જ્યાં જ્યાં દષ્ટિ નાખી જોઈએ ત્યાં ત્યાં યથાવિધિ સ્વકર્તવ્યપાલન કરવામાં બહુધા ઉપેક્ષા કહે કે બેદરકારી જોવામાં આવે છે, અને એથી ઊલટી દિશામાં પ્રયાણ થતું જોવામાં આવે છે. એ હકીકત જ મૂળથી આપણું અજ્ઞાનતા સૂચવે છે કે સ્વકર્તવ્યધર્મનું આપણને બરાબર ભાન જ થયું નથી. અથવા તો આપણે તેને વિસારી દીધું છે. જ્ઞાની મહાત્માઓ કહે છે કે સ્વકર્તવ્ય ધર્મનું યથાવિધિ પાલન કર્યા વગર તમારે જય કે ઉદય થવાને જ નથી, તેથી જો તમે તમારો જય કે ઉદય કરવા ઈચ્છતા જ હે, તો પ્રથમ તમે કર્તવ્યધર્મને સારી રીતે સમજવાને પ્રયાસ કરો. સ્વકર્તવ્યધર્મને જે સારી રીતે જાણતા-સમજતા હાય, તથા તે કર્તવ્યધર્મનું યથાવિધિ પાલન કરવાથી જ આપણો જય કે ઉદય થવાને છે એવી જેમની દૃઢ શ્રદ્ધા કે માન્યતા હોય, અને એવી ઊંડી શ્રદ્ધા સહિત જ જે પ્રમાદ તજી, સ્વકર્તવ્યધર્મનું યથાર્થ પાલન કરવામાં ઊજમાળ રહેતા હાય એવા પ્રમાણિક પુરુષ પાસે બહુ વિનય અને માનપૂર્વક સ્વકર્તવ્યધર્મને તમે બરાબર સમજે, તથા તેથી જ તમારો જય કે ઉદય સધાશે એવી શ્રદ્ધા કે માન્યતાને દૃઢ કરે તેમ જ એવી દૃઢ શ્રદ્ધા, પ્રતીતિ સાથે જ સ્વકર્તવ્યધર્મનું યથાવિધિ પાલન કરવા સકળ પ્રમાદ પરિહરી સદાકાળ સાવધ રહો.
સહુને પિતપોતાના અધિકાર પ્રમાણે કર્તવ્યધર્મ પાળવાને છે, એવી શાસ્ત્રમર્યાદા પરાપૂર્વથી ચાલી આવે છે, પરંતુ સંગેની વિચિત્રતાથી તેમાં ઘણે બગાડે થયેલા જોવાય છે. સમાજમાં, શ્રદ્ધામાં તેમ જ વર્તનમાં ફેરફાર થયેલ
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી છે. મજબૂત મનના, ઉદાર દિલના અને સમયજ્ઞ સુજ્ઞ-ચકેર ભાઈબહેને ધારે તે ખરા ખંતભર્યા પ્રયાસથી તેમાં ઠીક સુધારો કરી શકે એમ છે, પરંતુ બેપરવાઈ કે ઉપેક્ષા કરવાથી જ ઘણું કામ બગડે છે. જે સ્વપરહિતકારી કાર્ય જરૂર કરવું જ હોય છે તેવી બેપરવાઈ કે ઉપેક્ષા કરી શકાય નહિ. શાસનપ્રેમી, દયાળુ અને સત્યવાદી, ખરા ત્યાગી, વૈરાગી સાધુસાધ્વીઓ આ અગત્યની વાત ધ્યાન પર લે, તો સદુપદેશવડે તેઓ ઘણું શાસનહિત કરી શકે.
ખરા શાસનરાગી અને સગુણપ્રેમી શ્રાવકશ્રાવિકાઓએ પણ સમય ઓળખીને એવા ઉત્તમ સાધુ, સાધ્વીઓ તેમ જ નિર્મળ આચારવિચારવાળા શાણા શ્રાવક, શ્રાવિકાઓનાં હિતવચન આદરથી સાંભળી, પોતાનું આચરણ સુધારવા જરૂર લક્ષ રાખવું જોઈએ. ઉત્તમ યેગ્યતાવાળા સાધુ, સાધ્વી કે શ્રાવક, શ્રાવિકાનો યથોચિત વિનય-સત્કાર કરવાથી આપણામાં રૂડી યોગ્યતા આવે છે. આ પણ દુઃખદાયી અજ્ઞાન, મિથ્યાત્વ અને દુરાચરણ ટળે છે–દૂર થાય છે અને આપણામાં ખરેખરૂં સુખદાયક તત્વજ્ઞાન, શ્રદ્ધા અને તત્ત્વરમણતા જાગે છે–પ્રગટે છે. એ જ આ દુર્લભ માનવભવાદિક ઉત્તમ સામગ્રી પામવાનું સાર્થકય છે, તે વગરનું બધું નકામું છે. જો કે અજ્ઞાન, અશ્રદ્ધા, મિથ્યાત્વ અને સ્વચ્છંદાચરણથી આપણી પારાવાર ખરાબી ( પડતી ) થઈ છે, પરંતુ હજી સમય ઓળખી સાવધાન થઈ જશું તો પાછી ઉન્નતિ સાધી શકીશું.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૩૬. ]
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯ ]
માન–અભિમાનની પણ કઇ હૃદ હાય ખરી કે ?
વીરા મારા ગજથકી ઊતરા, ગજ ચડ્યાં કેવળ ન હોય રે”-વીરા મારા. વ્હાલા બંધુએ અને બહેન !
એકદા ભરત અને બાહુબલી વચ્ચે દૈવયેાગે ભારે યુદ્ધ થયેલું. તેમાં કરોડો મનુષ્ય અને પશુઓને સંહાર જોઇ, કરુણાથી જેમનું હૃદય ચીરાતુ હતુ એવા ઉત્તમ દેવાએ, અને અધુઆને એ અઘાર યુદ્ધથી ઉપરામ (વિરામ ) પામીને, એક બીજાની હારજીતની ખાત્રી કરવા ફ્રેંદ્ર યુદ્ધની જ ભલામણુ કરી. તેમાં પણ જ્યારે બાહુબલીની જ જીત અને ભરતની હાર થઇ ત્યારે દિગ્મૂઢ જેવા બનેલા ભરતે બાહુબલી ઉપર પાતે કરેલી પ્રતિજ્ઞા વિસારી ચકરત્ન મૂકયુ. તે પણ તેને ત્રણ પ્રદક્ષિણા નઇ પાછુ ફર્યું ત્યારે ભરત વિલખા થયા. આ બાજુ બાહુબલીએ ચક્ર સહિત ભરતને ચૂરી નાંખવા પેાતાની વજ્ર જેવી મજબૂત સુષ્ટિ ઉપાડી. એ જ વખતે ળી વિચાર આવ્યે કે આ અમેઘ મુષ્ટિપ્રહારથી એ ચક્રવતીરૂપ મારા વડીલબંધુનું અવશ્ય મૃત્યુ થશે અને તેના પાપ અને અપયશથી હું... કલંકિત થઇશ, તેથી એ અકાય તા ન કરવું એમ વિચારી એ ઉપાડેલી મુડીવડે પાંચસૃષ્ટિ લેાચ કરી, વિરાગ જાગવાથી પોતે સાધુ અણુગાર અન્યા
પૂર્વ પોતાના ૯૮ અનુજો(લઘુબ ધુએ)એ જેનું શરણુ ગ્રહેલુ છે એવા આદીશ્વર પ્રભુની જ સેવા કરી સ્વમાનવભવ સફળ કરવા ભાવ થયા, પરંતુ તેમ કરવા જતાં પ્રથમના દીક્ષિત થયેલા લઘુબંધુએ કે જે અત્યારે સાધુસ્થિતિમાં પ્રવર્તે છે તેમને મારે જરૂર નમન-વંદન કરવું પડશે તે કેમ કરી શકાય ? એ
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
શ્રી કરવિજયજી વિચારે તે બાહુબલી મુનિને ઘેર્યા. છેવટે મનમાં નિશ્ચય કર્યો કે “અહીં જ કાઉસગ્ગધાને સ્થિત થઈ, કેવળજ્ઞાન ઉપાર્જન કર્યા પછી જ પ્રભુ પાસે જઉં એટલે વંદન કરવાપણું રહેશે નહિ.” આ પ્રમાણે મનથી જ નકકી કરી ત્યાં જ પિતે નિશ્ચળ થઈને કાઉસગ્ગ ધ્યાને સ્થિત થયા. તેવી રીતે એક વર્ષ વીતી ગયું છતાં અભિમાનવશ થયેલા તે મુનિને કેવળજ્ઞાન પ્રગટ ન થયું. આ બધી હકીકત કેવળજ્ઞાનદિવાકર આદીશ્વરપ્રભુ જાણતા જ હતા. પૂર્વે બ્રાહ્મી બહેને પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. ત્યારપછી ભરતની આજ્ઞા-અનુમતિ મેળવી સુંદરીએ પણ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે બંને સાધ્વીઓને અવસર પામી યથાયોગ્ય સમજાવી, જ્યાં બાહુબલી મુનિ કાઉસગધ્યાને સ્થિર ઊભા રહ્યા છે ત્યાં તેમને પ્રતિબોધવા નિમિત્તે પ્રભુએ મેકલી.
ત્યાં આવીને તપાસ કરતાં મુનિશ્રી ચતરફ વેલડીવડેવિટાઈ ગયેલા હોવાથી મુશ્કેલીથી નજરે પડ્યા. પછી બંને સાધ્વીઓએ પ્રભુની હિતશિક્ષાના પ્રતિધ્વનિ જેવા “વીરા મારા ગજથકી. ઊતરો, ગજ ચડવાં કેવળ ન હાય રે” ઈત્યાદિ હિતવચને કહા. તે વચને કર્ણાચર થતાં બાહુબળી મુનિ વિચારમાં પડ્યા કે આ વચનો મને જ સંબંધીને કહેવાયાં છે પરંતુ કાઉસગ્ગ ધ્યાને સ્થિત થયેલા એવા મારે ગજ-હાથી સાથે શે સંબંધ છે? પછી એકાગ્રપણે તેના ઉપર ઊંડે આલોચ-વિચાર કરતાં તે મહામુનિને ખરું તત્ત્વ-સત્ય સમજાયું કે હું પોતે જ અભિમાનરૂપી ગજ-હાથી ઉપર આરૂઢ થયેલ છું. વયથી લઘુ એવા સાધુરૂપ બંધુઓને હું કેમ નમું? કેમ વંદું? આ જ ઉત્તુંગ માન-અભિમાનરૂપી ગજ-હાથી ઉપર હું ચઢે છું ત્યાં સુધી મને કદાપિ કેવળજ્ઞાન પ્રગટ થવાનું નથી. એથી જ એ અભિમાન
Page #54
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧ ] રૂપી હાથી ઉપરથી નીચે ઉતરી, નમ્રતા ધારણ કરી, એ મહાનુભાવ મુનિવરેને સદ્ભાવથી નમન-વંદન કરવું અને હિતકારીકલ્યાણકારી જ છે, એમ નિશ્ચય કરી, કાઉસગ્ગ પારી, પગ ઉપાડી, પ્રભુ પાસે જવા ચાલતાં તે મહામુનિને ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું. તેવા કેઈ ઉત્તમ ગુણવગર મિથ્યાભિમાનવડે દુઃખી થનારા જીવને આના કરતાં બીજા દષ્ટાંતની ભાગ્યે જ જરૂર પડશે. લઘુતા ત્યાં જ પ્રભુતા વસે છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૩૭. ]
સંત-સાધુ જનની સેવાથી લાભ શી રીતે લઈ શકાય?
જેમ મિષ્ટ અને નિર્મળ જળનું સેવન કરવાથી દાહની શાંતિ, તૃષાને ઉચ્છેદ અને મળની શુદ્ધિ થાય છે તેમ જગમાં તીર્થરૂપ સંત-સાધુનું સેવન કરવાથી કષાયદાહ ઉપશાન્ત થાય છે-ક્રોધાદિક કષાયતાપ ટળે છે, વિષયાદિક તૃષ્ણા શાંત થાય છે–સંતોષ વળે છે તથા રાગ, દ્વેષ અને મહાદિક મહાદેષરૂપ મળ દૂર થાય છે. સંતસેવા કલ્પવૃક્ષની જેવી સુખદાયી છે, શુદ્ધનિષ્ઠાથી સંત-સુરપાદપની સેવા કરનારને અમૃત ફળની પ્રાપ્તિ થાય છે, તેમની છાયા પણ શીતળતા ઉપજાનારી અને પાપ-તાપને નિવારનારી હોય છે. એવા ઉત્તમ વિરલ સંત મહાત્માઓની સેવા કોઈ વિરલ ભાગ્યશાળી અને જ પામી શકે છે.
એવા ઉત્તમ સંત-સાધુ મહાત્માની સેવા પામીને જે તેમનામાં પ્રગટેલા ક્ષમા, મૃદુતા, સરલતા, સંતેષાદિક ઉત્તમ
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
શ્રી કરવિજયજી ગુણે આપણે આદરીએ અને કોધાદિક દોષ નિવારીએ તે જ તેમની પવિત્ર સેવાની સાર્થકતા ગણાય. તેમ ન થાય અને આપણે જેવા ને તેવા દોષિત જ રહીએ તે કયાં તે તેમનામાં સંતપણાની ખામી છે કે આપણામાં તેવી ગ્યતાની જ ઊણપ છે એમ સમજવુ તેમાં પ્રથમ પક્ષ કરતાં એટલે સંતની ખામી લેખવવા કરતાં, આપણી જ ઊણપ શોધી લેવી વધારે યોગ્ય છે જે આપણે ક્ષુદ્રતાદિક દેષદૃષ્ટિ તજી હંસની જેવી ઉમદા ગુણદૃષ્ટિને જ આદરીએ તો જ આપણું ઉન્નતિ થતાં થોડી જ વાર લાગે, પણ દુર્ભાગ્યે આપણે જ્યાં ત્યાં દોષ જ જેવા વધારે ટેવાયેલા હોવાથી, જ્યાંથી અનેક ગુણ મળવાનો સંભવ હોય ત્યાંથી પણ આપણે દોષને જ ગ્રહણ કરીએ છીએ અને દૂધમાં પણ પોરા કાઢવા જેવું કરીએ છીએ, એ બહુ શરમાવા જેવી તેમ જ નાદાનીભરેલી વાત લેખી શકાય. જે કે ઉત્તમ જાતિ, કુળાદિક સામગ્રી આપણે મોટાં પુણ્ય પામ્યા છીએ, પરંતુ જો તેને સદુપયેાગ કરી લેવાય તે જ તેની સાર્થકતા છે. બીજાનાં નિંઘ કામ જોઈ જેમ આપણે તેમનાં એવાં નિંદ્ય કામ તરફ અભાવ-તિરસ્કાર જણાવીએ છીએ તેમ આપણા તેવા જ કામ તરફ અભાવ કે તિરરકાર શા માટે ન થવું જોઈએ ? અવશ્ય છે જોઈએ. તેમ છતાં તે થતું ન હોય તો તેમાં આપણા હૃદયની શૂન્યતા કે કઠેરતા જ સમજવી. આપણું આટલી બધી અગ્યતા જાણી, જ્ઞાની ગુરુ કેવળ અનુકંપાબુદ્ધિથી આપણે ઉગ જગાડવા અને કે મળતા, નમ્રતા, સરલતા અને સંતોષાદિક ગુણ આદરી અનાદિ ક્રોધ, માન, માયા અને લોભાદિક દુર્ગુણ નિવારવા અમૃત જેવાં હિતવચનો કહેતા જ રહે છે.
જેનું ભલું થવાનું હોય, જેનો ઉદય જાગવાને હય, જેનું
Page #56
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩ ] ભવિષ્ય સુધારવાનું હોય એવા ભવ્ય જનો જ નિસ્વાથી ગુરુના હિતવચન સાંભળી હૈયે ધરે છે. ગુરુમહારાજના અમૃત જેવાં શીતળ વચનથી તેમના સઘળાં પાપતાપ દૂર થવા પામે છે. પૂર્વકૃત કર્મ અનુસાર પ્રાપ્તમાં સંતોષ રાખી પિતાનું ભવિષ્ય સુધારવા, સ્વકલ્યાણ સાધવા તે સાવધાનપણે પ્રયત્ન કરે છે. ઉચ્ચ પ્રકારની ગ્યતા પ્રાપ્ત કરવા મન, વચન, કાયા સંબંધી દેનું નિવારણ કરી, ન્યાય, નીતિન પાયે મજબૂત કરી, શ્રેષ્ઠ દેવ, ગુરુ, ધર્મમાં અનન્ય શ્રદ્ધા રાખી, પવિત્ર વિચાર, વાણું અને આચારનું પાલન કરનાર અવશ્ય આત્મહિત કરી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૬૮. ]
સત્સંગ કરવાથી થતા અનેક ઉત્તમ લાભ.
સંત-સુસાધુ જનોની સંગતિ કલ્પવેલીની પેઠે કયા કયા ગુણરૂપ લાભની પ્રાપ્તિ નથી કરાવતી ? ક૯૫વેલી કેવળ ઍહિકઆલેક સંબંધી સુખની પ્રાપ્તિ કરાવે છે ત્યારે સંતસેવા ભક્તિરૂપ અપૂર્વ કલ્પવેલી તે અલૈકિક અગણિત સુખસંપદાની પ્રાપ્તિ અને વૃદ્ધિ માટે થાય છે. તે અનંત કાળના પુરાણું પાપસમૂહનો નાશ કરે છે, જેથી આત્માની અનેક પ્રકારની મલિન વાસનાઓ વિલય પામે છે અને શુભ વાસનાઓ જાગૃત થાય છે, સુકૃત્યની વૃદ્ધિ કરે છે અને કલ્યાણપરંપરાનો જમાવ કરે છે, જેથી જીવને સર્વત્ર સુખશાન્તિને જ અનુભવ થાય છે, જીવની સુબુદ્ધિ જગાડે છે અને કુબુદ્ધિ ટાળે છે. પરિણામે જડતા (ભ્રમ-વિશ્વમાદિક) દૂર થતાં ગમે તેવા પ્રસંગમાં લગારે મુંઝાયા વગર સત્ય દિશાનું શીધ્ર ભાન થાય છે અને તેમાં અખલિત પ્રયાણ થઈ શકે
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
શ્રી કપૂરવિજયજી છે. વળી તે નવી નવી રૂડી વિજ્ઞાનકળા પ્રગટાવે છે, જેથી કઈ પણ સ્થળે પરાભવ નહિ પામતાં સર્વત્ર જયલક્ષમી પ્રાપ્ત થાય છે, અજ્ઞાન-મિથ્યાત્વરૂપ અંધકાર દૂર કરી જ્ઞાન-પ્રકાશ પ્રસારે છે, જેથી સ્વાત્મગત અનંતવીર્ય–શક્તિનું યથાર્થ ભાનશ્રદ્ધા પ્રગટ થતાં, સ્વવીશક્તિને ઉપગ ઉત્તમ પ્રકારના સંયમયેગનું યથાર્થ પાલન કરવાવડે, અનંતી આત્મઋદ્ધિ સંપાદન અથે કરી લેવામાં આવે છે. આ રીતે સંત-સુસાધુ જનની સેવા–ભક્તિ-ઉપાસના અકૃત્રિમ (સાચા સ્વાભાવિક) સુખના અથી મુમુક્ષુ જનોને છેવટે અક્ષય-અનંત-અવિનાશી સુખશાંતિ આપવા સમર્થ બને છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૫૧. ]
સદ્દગુરુ–સત્સંગ મહિમા ૧ સશુરુની કૃપાથી જડ જે શિષ્ય પણ જ્ઞાની–પંડિત બનીને પિતે કલ્યાણભાગી થાય છે અને અન્યને સદભાગી કરે છે.
૨. મલયાચળની સુવાસથી અન્ય ખડાં (વૃક્ષ) પણ ચંદનરૂપ બની જાય છે તેમ શુદ્ધ ચારિત્રસંપન્ન સદગુરુના સંગથી મલિન વાસનાવાળા જી પણ સુધરી સુવાસિત થાય છે.
૩. પારસમણિના સંગથી જેમ લોહ સુવર્ણરૂપ થઈ જાય છે, તેમ સંત-મહાત્માના સમાગમથી ( તેમના પ્રસાદથી ) જીવનું કલ્યાણ થઈ જાય છે.
૪. વેધક રસના સ્પર્શથી જેમ તાંબુ સુવર્ણરૂપ થઈ જાય છે તેમ સંત–સુસાધુ જનની સેવા-ભક્તિથી ભક્તોનું કલ્યાણ થાય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫ ] ૫. મેરુ ( સુવર્ણગિરિ ) ઉપર ઊગેલું તૃણ પણ સુવર્ણ તાને પામે છે તેમ સત્સંગના પ્રભાવથી જીવનું સદભાગ્ય જાગે છે.
૬. ગમે તેવાં મલિન ( મેલાં ) પાણી પણ ગંગા નદીમાં ભળવાથી ગંગાજળ તરીકે મનાય છે–સેવાય છે તેમ સત્સંગના પ્રભાવથી ગમે તેવા દુરાચારી પણ સુધરી સદાચારી બને છે.
૭. જળબિંદુ સમુદ્રમાં ભળવાથી જેમ અક્ષય થાય છે તેમ સંતચરણમાં આત્માર્પણ કરવાથી તદ્રુપ થવાય છે.
૮. જેમ ભમરીના ચટકાથી ઈયળ મટીને ભમરી બની જાય છે તેમ સંત પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી સંતરૂપ થવાય છે.
૯. સ્વાતિ નક્ષત્રનું જળબિંદુ, છીપલીના સંગથી, સાચા મેતી રૂપ બને છે તેમ સંત પ્રત્યે સાચા હૃદયની પ્રીતિભક્તિથી જડતા દૂર થઈ જાય છે અને આત્મા સગુણમય બની જાય છે.
૧૦. જેમ જાંગુલી મંત્રથી વિષધરાદિકનું વિષ ઊતરી જાય છે તેમ સંત-સાધુ જનેની ધર્મ–આશિષવડે દારિદ્ર-દુઃખ દૂર જાય છે અને નવજીવન પ્રગટે છે.
૧૧. સંત મહાત્મા ધર્મ–દેવ હોઈ સદા ય સેવવા યોગ્ય છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૫૩.]
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ર૬ ]
શ્રી કપૂરવિજયજી મિથ્યાત્વના ચાર ભેદ. ૧. પ્રવર્તન મિથ્યાત્વ-લેકિક તેમ જ લેકોત્તર મિથ્યાત્વ સંબંધી કરણી કરે-દ્વેષાદિકથી અભિભૂત ( વ્યાસ ) લોકિક દેવ, ગુરુની સેવા કરે તે લોકિક તેમ જ વીતરાગ દેવ, ગુરુ, ધર્મનું તુચ્છ આશંસા રાખીને સેવન કરે તે લેકેત્તર મિથ્યાત્વ તજવા ચોગ્ય છે. વ્યવહારસમકિતના સેવનથી તે સુખે તજી શકાય છે.
૨. પ્રરૂપણું મિથ્યાત્વ–સત્યથી વિપરીત અસત્યમાર્ગ અન્ય મુગ્ધ જનેને સમજાવી તેમને ઉન્માર્ગે દોરી જવારૂપ પ્રરૂપણ મિથ્યાત્વ પણ વ્યવહાર સમતિની પ્રાપ્તિ થતાં દૂર થઈ શકે છે–દૂર થાય છે.
૩. પરિણામ મિથ્યાત્વ-સર્વજ્ઞ અને સર્વદશી વીતરાગકથિત તત્ત્વવચનને યથાર્થ નહિ માનવારૂપ મિથ્યાત્વ–વિપ રીત બુદ્ધિ ( વાસના ) અવશ્ય તજવા યોગ્ય છે. વીતરાગકથિત તત્વને યથાર્થ જાણી તેના ઉપર દૃઢ પ્રતીતિ ( આસ્થા ) રાખવાથી તે દૂર થઈ શકે છે. સદ્વિવેકરૂપ રત્નદીપક હૃદયમંદિરમાં પ્રગટવાથી અજ્ઞાન–મિથ્યાત્વરૂપ અંધકાર સહેજે નાસી જાય છે.
૪. પ્રદેશ મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયાદિક મેહનીય કર્મની સાત પ્રકૃતિ કદળરૂપે સત્તામાં રહેલી હોય તે પ્રદેશ મિથ્યાત્વ ક્ષાયિક સમકિત આત્મામાં પ્રગટ થવાથી તે દૂર થઈ શકે છે. મિથ્યાત્વરૂપી મહાશલ્ય, મહાવિષ, મહાવ્યાધિ અને મહાઆપદા દૂર કરવા સિદ્ધ ઔષધિરૂપ સમ્યકત્વ (સમકિત ) સંજીવની સગુરુ પાસેથી પ્રાપ્ત કરી કૃતાર્થ થવું.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ.૧૫ર. }
Page #60
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[૨૭] આચાર્યાદિક ઉત્તમ પદવી પાત્રમાં જ શેભે છે
ઉપદેશમાળાદિક પ્રમાણિક ગ્રંથમાં પ્રતિરૂપાદિક ચિદ ગુણથી અલંકૃત હોય તેમ જ પ્રસિદ્ધ એવા ૩૬૪૩૬=૧૨૬ ગુણથી વિભૂષિત હોય એટલે સામાન્ય સાધુ-નિગ્રંથ—અણગાર કરતાં ઘણા ઘણા ઊંચા ગુણવડે સુશોભિત હોય તે જ જૈનશાસનમાં સૂરિ–આચાર્યપદવીને એગ્ય કહ્યા છે. તથા પ્રકારના ગુણ વગર ગ્યતા--પાત્રતા રહિતમાં ઉત્તમ આચાર્યાદિક પદવી આરોપવી એ કાગડાની કોર્ટમાં રત્નની માળા આરોપવા જેવું થાય છે, તેથી લાભને બદલે નુકસાન વધારે થાય છે અને એવી ઉત્તમ પદવીને જનસમાજમાં ઉતારી પાડવા જેવું અથવા તેની હાંસી-મશ્કરી કરાવવા જેવું થાય છે, તેથી જ એવી ઉત્તમ પદવી લેનાર અને દેનારની જવાબદારી જેન શાસનમાં જેવી તેવી નહિ પણ ઘણું જ મોટી જણાવવામાં આવી છે. પાત્રતા–લાયકાત મેળવ્યા વગર આવી ઉત્તમ પદવી ધારણ કરી જેનશાસનની લઘુતા કરાવનાર તો નીચી ગતિને અધિકારી થાય છે; પરંતુ તેવી પદવી પરીક્ષા કર્યા વગર જેવા તેવાને સ્વેચ્છાએ આપનાર પણ અધોગતિના ભાગી થાય છે. આચાર્યાદિક સંપદાને પામેલા ગ્યતાવંત તો આંબા જેવા ઉત્તમ વૃક્ષની પેઠે નમ્રતા ધારણ કરીને અનેક જીવોને ઉપકારી થઈ પવિત્ર શાસનને શોભાકારી થાય છે. જ્યારે અંગારમર્દકાદિક જેવા યોગ્યતા વગરના છ ઊલટા શાસનને વગોવનારા નીવડે છે. મર્કટે મદિરા પીધી હોય અને વળી તેને વીંછી કરડ્યો હોય તે વખતની તેની મસ્તીને જેમ પાર રહેતે નથી તેમ એક તે ઓછું પાત્ર ને અધિકું ભર્યું, તે સાથે આચાર્યાદિક પદવીને ભેગા થયા પછી જેઈ લેવી તેની ખુમારી.
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
શ્રી કપૂરવિજયજી ગૌતમસ્વામી જેવા સુગ્ય સમર્થ પુરુષોએ ઉત્તમ ગુણ યોગે ધારણ કરેલી પદવી તથા પ્રકારની લાયકાત વગર જેવા તેવા જી જીરવી શકે? કાચ પારો ખાવાથી ખાનારને જેમ નુકસાન કરે છે તેમ પાત્રતાહીનને પદવી લાભને બદલે નુકસાનકારી જ થાય છે.
આગલા વખતમાં સુગ્ય જીવને જ અનુક્રમે આચાર્યાદિક પદવી આપવાની સંભાળ સારી રીતે રાખવામાં આવતી હતી, તેથી તે સ્વપરને લાભકારી જ થતી હતી, પરંતુ અત્યારે આચાર્યાદિક પદવી પ્રદાન તે પ્રકારની યોગ્યતા કે અનુક્રમ વગર ગમે ત્યારે સ્વેચ્છાપૂર્વક કરવામાં આવે છે તે બહુ વિચારણીય છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૭ર. ] સામાયિક-સમભાવ–સમતાપ્રાપ્તિ ઉપાય. શ્રુતસામાયિક, સમકિત સામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક-એમ ચાર પ્રકારે સામાયિક હેઈ શકે છે. શ્રુત-શાસ્ત્રાભ્યાસવડે, શમ–સંવેગ-નિર્વેદ–અનુકંપા અને આસ્તિકય લક્ષણ સમ્યકત્વવડે, સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી પ્રમુખ તજવા વડે અને સર્વથા હિંસાદિક પાપપ્રવૃત્તિને ત્યાગ કરવાવડે સાધ્યદષ્ટિવંત જીવને સમતા–સામાયિકનો લાભ થાય છે. બાહ્યદષ્ટિવાળા જીવ તે અપૂર્વ લાભ મેળવી શકે નહિ. સર્વવિરતિવંત સાધુ જનેને જિંદગી પર્યતનું સામાયિક હોય છે અને દેશવિરતિવંત શ્રાવકને તે કમમાં કમ બે ઘડીનું હોય છે. આત્મલક્ષથી તેમાં જેટલો વધારે સમય લેવાય તેથી અધિક લાભ જ થાય છે; હાનિ થતી નથી. જ્યાં સુધી શ્રાવક
Page #62
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯ ] સામાયિક(સમતા ભાવ)માં વતે ત્યાં સુધી તે સાધુ જેવો પાપારંભ રહિત લેખાય છે, તેથી જ ભાવિક શ્રાવક, શ્રાવિકાઓ અવકાશે તેનો ખપ કરે છે. ભવ્યાત્માઓએ તેને અધિકાધિક ખપ કરે જ ઘટે છે, કેમકે તેમાં જે સમય જાય છે તે અપૂર્વ લાભકારી હોવાથી અમૂલ્ય છે. જેમ જેમ તેનો અભ્યાસ આત્મલક્ષપૂર્વક અધિકાધિક કરવામાં આવે છે તેમ તેમ આત્મશાંતિમાં વધારે જ થતો જાય છે, એ વાત સ્વાનુભવથી સિદ્ધ કરી શકાય એમ છે. કઈક મુગ્ધજનો પિતાનો સમય ફેગટ ગપ્પાસપામાં ગાળે છે તે કઈક ક્ષણિક મોજમજા માણવામાં ગાળે છે. કઈક કલેશકંકાસ કરવામાં તે કઈક કપટજાળ ગુંથવામાં–એમ સ્વેચ્છાચારમાં જ વખત ગાળી બાપડા માનવભવને ફેગટ હારી જાય છે. કેઈક વિરલા આત્માથી જો જ પુણીયા શ્રાવકની પેઠે અથવા આણંદ કામદેવાદિકની પેઠે પોતાને અમૂલ્ય માનવભવ ધર્મારાધન કરવાવડે લેખે કરે છે. તુલસા, ચંદનબાળા, સીતા, દ્રૌપદી પ્રમુખ સતીઓ પિતાનાં પવિત્ર આચરણથી પ્રસિદ્ધ થયેલ છે. ગરીબ-ભિક્ષુ સરખે પણ સામાયિક-ચારિત્રના પ્રભાવથી ઈન્દ્ર અને નરેંદ્રાદિકવડે પૂજિત બને છે. એ સામાયિકનાં આઠ પર્યાય નામે સમજવા ગ્ય છે – ૧. સામાઈયંત્ર સામાયિક = ભાવ-સમતાની પ્રાપ્તિ. ૨. સમઈયં= સમયિક = સમ્યગદયાપૂર્વક સર્વ જીવ
પ્રત્યે પ્રવર્તન ૩. સમેવાઓ= સમ્યવાદ: રાગદ્વેષ રહિત યથાસ્થિત કથન. ૪. સમાસ= સ્તક(ડા)અક્ષરવડે કર્મનાશક તત્ત્વાવબેધ. ૫. સંખે= સંક્ષેપ=અક્ષર છેડા પણ અર્થગંભીર દ્વાદશાંગી.
Page #63
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
શ્રી કપૂરવિજયજી ૬. અણવઅં=અનવદ્ય=નિષ્પાપ આચરણ. ૭. પરિણા પરિજ્ઞા પાપત્યાગવડે એક સાથે વસ્તુતત્વનું જ્ઞાન. ૮. પચ્ચખાણ=પ્રત્યાખ્યાન તજવા ગ્ય વસ્તુનો ત્યાગ.
એ આઠ પર્યાય નામનું રહસ્ય મનન કરવા યોગ્ય છે. સહજ સ્વાભાવિક આત્મિક સુખ પ્રગટ કરવાના અભિલાષી જને એ પ્રતિદિન અવકાશ મેળવી ઉક્ત સામાયિકનો જેમ અધિક લાભ મેળવાય તેમ પ્રયત્ન કરવો ઘટે છે. સામાયિક એટલે સમભાવની પ્રાપ્તિ અને વૃદ્ધિ જે રીતે અને જે માર્ગે અધિક થવા પામે તે રીતે અને તે માર્ગે અધિક કાળજીથી પ્રવર્તન કરવું તે. દેશવિરતિ શ્રાવકને સામાયિકનો કાળ બે ઘડીથી ઓછો ન હોય, પણ કદાચ પાંચ, દશ મિનિટને અવકાશ મળે તો તેને પણ સદુપયોગ કરી સમભાવ-સમતા ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરવાનું ભૂલવું ન જોઈએ. જે પ્રતિજ્ઞા કરવામાં આવે તેનું રહસ્ય સારી રીતે લક્ષમાં રાખી તેને સફળ કરવા કાળજી રાખવી જોઈએ. મન, વચન અને કાયાવડે પાપાચરણને જાતે આદર કરે કે કરાવવો નહિં. ભાવના ઉદાર રાખવી. મૈત્રી, કરુણા, મુદિતા અને માધ્યથ્યને કાયમ અભ્યાસ રાખવો. સંસારની અસારતા સમજી તેમાં ભાગ્યયેગે પ્રાપ્ત થયેલ માનવભવાદિક સામગ્રીની સફળતા શીધ્ર કરી લેવી ઘટે છે.
[ આ. પ્ર. પુ. ૧૭. પૃ. ૧૯૮. ]
Page #64
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧ ] સંયમ એ જ સુખ-શાંતિની ખરી ચાવી છે.
કિઈક ભેળા લોકે સંયમના નામથી જ ભડકે છે. તેમને સંયમને ખરે અર્થ સમજાયે હોતો નથી. અથવા સંયમના મિષથી કઈક વખત બગભક્તોને દંભ જોઈ તેઓ તેથી ઉભગી ગયા હોય છે અથવા તો તેમને તે તરફ અભાવ પેદા થયેલ હોય છે, પરંતુ જે સંયમને ખરે અર્થ–પરમાર્થ બરાબર સમજાય અને તેવા જ સાચા સંયમનું યથાર્થ રીતે પાલન કરાતું સાક્ષાત્ જોવાય તો તે સાચા સંયમ પ્રત્યે તેમ જ સંયમવંત વ્યક્તિ પ્રત્યે પ્રેમ પ્રગટ્યા વગર રહે જ નહિં. તેથી જ સંયમને અર્થ–પરમાર્થ કહેવા પ્રયત્ન કરશું.
ઉક્ત સંયમમાં સં અને યમ બે પદ છે. સમ્ = સમ્યફ– સારી રીતે, યમ = નિયમનું પાલન કરવું. હિંસા, અસત્ય, ચેરી, જારી પ્રમુખ પાપકાને બને તેટલે પરિહાર ( ત્યાગ ) કરે, મન તથા ઈદ્રિયોનો નિગ્રહ કરે છે તેમને ઉન્માર્ગે જવા ન દેતાં અટકાવવાં ), કેધ–રેષ, માન, અહંકાર, માયા-કપટ અને લેભ ( અથવા રાગ અને દ્વેષ ) રૂપ ચંડાળોથી ચેતતા રહેવું ( તેમને સંગ ન કર ) તથા મન, વચન અને કાયાને કબજામાં ( અંકુશમાં ) રાખવા પ્રયત્ન કરે તેનું નામ સંયમ.
શુદ્ધ પ્રેમ-દયા, સત્ય, પ્રામાણિકતા અને શીલ-સતિષાદિકનું સતત સેવન કરવાથી, ક્ષણિક અને અશુચિભરેલા જડ વસ્તુ સંબંધી વિષયભોગની અસારતા સમજી, તેની ઉપેક્ષા કરી આત્માના સહજ સ્વાભાવિક સત્-ચિત્ આનંદ મેળવવા ,
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી કપૂરવિજયજી
ખરા નિ:સ્પૃહી જ્ઞાની ગુરુની ખરા દિલથી સેવા-ઉપાસના કરવાથી, ક્ષમા-સમતા, મૃદુતા-નમ્રતા, ઋજુતા–સરળતા અને સતાષાદિક સગુણા સારી રીતે આદરવાથી તથા વિચાર, વાણી અને આચારમાંથી મલિનતા ટાળી શુદ્ધિ કરવાથી સંયમની પ્રાપ્તિ, રક્ષા અને અભ્યાસખળથી વૃદ્ધિ થાય છે. એ જ સુખ, શાંતિ પ્રાપ્ત કરવાની, તેને ટકાવી રાખવાની તેમ જ તેની અભિવૃદ્ધિ કરવાની ખરી ચાવી છે અને તેથી જ તે દરેક ભવ્ય આત્માને અવશ્ય આદરવા યેાગ્ય છે.
પૂર્વોક્ત હિતકારી સુખદાયક સંયમમા ને અનાદર કરી જીવ ો સ્વચ્છ દપણું હિંસા, અસત્ય, ચારી, જારી પ્રમુખ પાપમાર્ગમાં જ રચ્યાપચ્યા રહે, મનગમતા શબ્દાદિક વિષયમાં રાગ–આસક્તિ અને અણુગમતા વિષયે પ્રત્યે દ્વેષઅરુચિ કરતા રહે, ક્રોધાદિક કષાયાગ્નિને ઠારવા શાન્ત કરવાને બદલે તે પ્રખળ થાય તેવાં આચરણ કર્યા કરે અને મન, વચન તથા કાયાને, કહેા કે વિચાર, વાણી અને આચારને શુદ્ધ-પવિત્ર બનાવવાને બદલે મિલન બનાવતા રહે તે તે અસંયમવડે પરિણામે દુ:ખ અને અવનતિમાં જ આવી પડે. સર્વે જીવનું હિત ચિન્તવન કરવુ, દુ:ખી જનનાં દુ:ખ દૂર કરવા આપણાથી બનતું કરવું, સુખી કે સદ્ગુણીને દેખી કે સાંભળીને રાજી ખુશી થવું અને પાપી પ્રાણી ઉપર દ્વેષ નિહ કરતાં બની શકે તે તેને સુધારવા (નિષ્પાપી મનાવવા) પ્રયત્ન કરવા, એ આપણી પવિત્ર ક્રજ સમજવી જોઇએ. તેને બદલે અન્યનુ અનિષ્ટ, અહિત ચિન્હવીએ, દુ:ખીની ઉપેક્ષા કરીએ અથવા તેા તેના તરફ દ્વેષ, અરુચિ, ખેદ, તિરસ્કાર બતાવી દુ:ખમાં ઉમેરા જ કરીએ, સુખી કે સદ્ગુણીની ઇર્ષ્યા, અદેખાઇ, અવજ્ઞા જ
Page #66
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૩ ]
કરીએ અને પાપી, નીચ, નિ ંદ્ય કામ કરનાર સાથે પ્રીતિ માંધી પાપાચરણને પુષ્ટિ આપીએ, એ બધાં અસંયમવડે સુખ, શાંતિ પામી ન જ શકીએ, એ સ્પષ્ટ સમજી સંયમ સેવવે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૪૯. )
મન અને ઇંદ્રિયદમન કરવાની અતિ ઘણી જરૂર
મન પારા જેવું અથવા પવન જેવું અતિ ચંચળ, ચપળ વેગવાળું હાવાથી તેને ક્રમવુ વધારે મુશ્કેલ પડે છે, પણ તેને દમવાની જરૂર તા છે જ. સંકલ્પ અને વિકલ્પરૂપ ઘેાડાઆવડે તે અત્યંત વેગવાળું બનતુ જાય છે. રાગ, દ્વેષના પ્રમાણમાં તે સંકલ્પ, વિકલ્પા ઊઠે છે, વધે છે કે મંદ પડે છે. જીવ-આત્મા જેવાં સારાં નરસાં નિમિત્ત મેળવી, શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તેવા રાગદ્વેષના પરિણામથી સંકલ્પવિકામાં ફેરફાર થયા કરે છે. પૂર્વના જન્મામાં કોઇ રુડાં કર્મ( પુન્ય )સાગે જ્ઞાની પુરુષના ઉપદેશથી કે સહજ આત્માની પ્રેરણાથી સારા કૃત્યા ભાવથી કર્યા હાય, તે નાં ફળપરિપાક તરીકેજ આ વર્તમાન ભવમાં–મનુષ્યજન્મમાં મનગમતી ( અનુકૂળ ) શુભ સામગ્રી પામી શકાય છે. તેના અત્યારે જેવા સારા કે નરસે ઉપયાગ કરવામાં આવે તેના ઉપર જ આપણાં ભવિષ્ય( શુભાશુભ )નુ નિર્માણ થઈ શકે છે. પાંચે ઇંદ્રિયા પરવડી ( પૂરેપૂરી સુંદર ), શરીર નિરોગી, સત્યાસત્ય, હિતાહિત, લાભાલાભ અને ગુણદોષાદિકને બરાબર પારખવાની કળા ( સમજશક્તિ ), ઉપરાંત દીર્ઘ-લાંબુ આયુષ્ય, સારા જ્ઞાની અને સદાચરણી સજ્જનાના સંગ
૩
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
શ્રી કપૂરવિજયજી
મેળાપ, તેમની સાથે નિર્મળ−નિ:સ્વાર્થ પ્રેમ-પ્રીતિ, તેમનાં એકાંત હિતવચન( ઉપદેશ )માં ઊંડી શ્રદ્ધા( આસ્થા ) અને તે મુજબ વર્તન કરવા ઉજમાળતા ( પુરુષાર્થ )—આ સઘળાં આપણું ભવિષ્ય સુધારી લેવાનાં શ્રેષ્ઠ સાધન મળેલાં છે, છતાં જો આપણે તેને લાભ ન લઇ શકીએ અને અનેક પ્રકારનાં અસદાચરણા સ્વેચ્છા મુજબ સેવી, મળેલેા અમૂલ્ય સમય નકામે વીતાવી દઇએ, ઐહિક સુખમાં જ રચ્યાપચ્યા રહીએ, પરલાંકની ( પરભવની ) દરકાર જ ન કરીએ, મન અને ઇંદ્રિયાને તદ્ન મેાકળાં જ મૂકી દઇએ, તેમને સ્વેચ્છા મુજબ ચાલવા દઇ, બધી રીતે પાપ-અનથ જ પોષણ કરીએ અને પ્રાસસામગ્રીના કંઇ પણ સાગ ન જ કરીએ, તેા આપણે આત્મદ્રોહી યા આત્મઘાતી જ લેખાઇએ, કેમકે તેથી સ્વપરહિત કરવાની અમૂલ્ય તક ફોગટ ગુમાવી સ્વેચ્છાચારવડે આપણને નીચી ગતિમાં જ જવુ પડે, જ્યાં અતિ ઘણુા કાળ કેવળ દુ:ખી હાલતમાં જ પસાર કરવા પડે, તેમ છતાં જે અમૂલ્ય તક આપણે મૂર્ખાઈથી સ્વચ્છંદપણે ચાલવામાં ગુમાવી હાય તે અપાર કષ્ટ સહન કરવા છતાં પુન; પામવી અતિ મુશ્કેલ થઈ પડે. ધારો કે આ માનવભવમાં આપણે મળેલી પુન્યસામગ્રીના કશા રુડા ઉપયેગ કરી આપણે સ્વપરહિત આચરણુવડે સંચેલા પુન્યયેાગે ઊંચી ગતિ પામી શકીએ. વૈમાનિક દેવ તરીકે કે જેમાં ત્રિકાળ સંબંધી જ્ઞાન આખી જિંદગી સુધી રહે એવું રુડું અવિધિજ્ઞાન જ્યાં વિદ્યમાન હૈાય એવા ગમે તે દેવનિકાયમાં જન્મ પામીએ તે આપણું ભવિષ્ય સુધારવાને કેવા કેવા ઉપાય ચૈાજવાની ખાસ જરૂર છે તેનું આપણને સાક્ષાત્ ( પ્રત્યક્ષ ) ભાન થાય, તેથી તે તે ઉપાય આદરવા
Page #68
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૫ ] ઉચિત અને આવશ્યક છે એમ દઢ પ્રતીતિ (શ્રદ્ધા) થાય અને આપણું બળ-વયે પહોંચે તેટલા પ્રમાણમાં તે તે સદુપાયે પ્રમાદરહિત આદરી–આદરવા દઢ નિશ્ચય કરી દઢ પ્રયત્નને તેમાંથી અમેઘ-અચૂક ફળ મેળવી શકીએ, એ વાત સ્પષ્ટ છે.
સમાધિમરણ-આરાધકપણાની ઈચ્છા રાખી તે મુજબ સદ્વર્તન સેવવા નિજ પુરુષાર્થ ફેરવનારા સજજન તો થોડા જ વખતમાં જન્મમરણના ફેરા ટાળી અક્ષય-અવિનાશી પરમાનંદ મક્ષપદ પામી શકે છે, પરંતુ પૂર્વના પુનેગે પ્રાપ્ત થયેલી આ બધી દુર્લભ સામગ્રીને વિષય-કષાયાદિક સ્વેચ્છાચારવડે નિષ્ફળ-નિરર્થક કરી નાંખી કરેલાં દુષ્કૃત્યેવડે જે મુગ્ધ (અજ્ઞાની) જને પશુ જેવી નીચી ગતિમાં જન્મ ધારણ કરે છે તેમના હાથમાંથી જે અમૂલ્ય તક સરી ગઈ તે ગમે તેવાં ભારે કષ્ટ સહન કરવા છતાં પણ પાછી મળવી અત્યંત દુર્લભ છે. તેથી જ મન અને ઇંદ્રિયને લગામમાં રાખી, અવળે રસ્તે જતાં અટકાવી, સવળ–સાચે રસ્તે દોરી આપણું ઉન્નતિ સાધવામાં જ ઉપયોગી બનાવવા ઉચિત છે.
(આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૯૯. ) સ્વજીવનશક્તિ Vitality નો વ્યર્થ વ્યય
કરતાં અટકો કરકસર એ બીજો ભાઈ છે.” ઉડાઉ પણું ન કરવું વિગેરે શાણુ શિખામણને અર્થશાસ્ત્રમાં જેમ ઉપયોગ કરીને લક્ષમીને નાહક વ્યય થતો અટકાવવામાં આવે છે, તેમ જેના વડે આપણે આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણતા
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
શ્રી વિજયજી પ્રમુખ સહજ સ્વાભાવિક આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરી તેની રક્ષા તથા પુષ્ટિ કરી શકીએ, અને અનેક અજ્ઞાન જીવોને ઉન્માર્ગે જતાં જે જે અનર્થ ( દુઃખી થાય છે તે સારી રીતે નિ:સ્વાર્થપણે સમજાવી, તેમને અસત્ય માર્ગથી પાછા વાળી, સન્માર્ગે જેડી શકીએ તેવી જીવનશક્તિનું સંરક્ષણ કરવાની આપણું સૌથી અગત્યની ફરજ છે.
જેમ અનુકૂળ રાકથી શરીરનું આરોગ્ય સચવાય છે અને પ્રતિકૂળ ખોરાકથી શરીરનું આરોગ્ય બગડે છે, જેમ ન્યાય, નીતિ ને પ્રામાણિકતાભર્યા વ્યાપાર-વ્યવસાયવડે લક્ષ્મીની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ થઈ શકે છે અને અન્યાય, અનીતિ ને અપ્રમાણિક આચરણથી તેનો વિનાશ જ થાય છે તેમ સદ્દભાવનાવાળા પવિત્ર વિચાર, ઉચ્ચાર અને આચારવડે આપણું જીવનશક્તિનું રક્ષણ અને પોષણ થવા પામે છે, અને તેવી જ રીતે વિરોધી ભાવનાયુક્ત મલિન વિચાર, વાણું અને આચારવડે તેનો નાશ પણ થાય છે, એમ સમજી સુજ્ઞ જનેએ સદા ય મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યથ્યિ જેવી ઉત્તમ ભાવનાઓ વડે પિતાનાં અંત:કરણને ભાવિત કરી નાખવું જોઈએ, તેમજ પોતાના વિચાર, ઉરચાર અને આચારને પણ જેમ બને તેમ અધિક ઉન્નત બનાવવા પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જીવનશક્તિને ખીલવવાને અને તેને સાર્થક કરી લેવાને એના જેવો સરલ, સુગમ ઉપાય ભાગ્યે જ હોઈ શકે. જેમ જેમ જીવનશક્તિનો સન્માર્ગે વિવેકથી વ્યય કરવામાં આવે છે તેમ તેમ છૂપાઈ–ઢંકાઈ રહેલી જીવનશક્તિ પ્રગટ થઈ તેમાં વધારો જ થતો જાય છે. જીવનશક્તિ એ સ્વાભાવિક આત્મબળ છે અને જે તેને ખીલવવા
Page #70
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૭ ]
વિકસાવવાની ધર્મ-કળા ખરાખર હાથ આવે તે તે શક્તિ અનંત, અક્ષય મનવા પામે છે. સભ્યજ્ઞાન, વિજ્ઞાનકળા, દર્શનકળા અને ચારિત્રકળા એ જ ખરી ધર્મ કળા છે. અને એવી સદ્ધ કળા પ્રાપ્ત કરી લેવાનું. સાભાગ્ય કેાઇક વિરલાને જ હાય છે. જેમને એ ઉત્તમ કળા પ્રાપ્ત થયેલ હાય છે તે બહુધા ચંદ્ર, સૂર્ય અને દીપકાદિની પેઠે અનેક પ્રાણીવ`ને ઉપકારી અને છે; તેથી જ એ ઉત્તમ કળા પ્રાપ્ત કરી, તેની કાળજીપૂર્વક યથાર્થ રક્ષા કરી, તેના જેમ બને તેમ અધિક વિકાસ કરવા પ્રયત્ન સેવવા જોઇએ.
સભ્યજ્ઞાનાદિક કળાવડે આત્મબળ વધતુ જાય છે અને પુષ્ટિ પામેલા આત્મબળ( પુરુષાર્થ )વડે ઉક્ત કળા અધિક ખીલતી જાય છે. એ રીતે અન્યાન્યાશ્રયવડે ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ થયા જ કરે છે અને છેવટે તે અનંતપણાને પામે છે, એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનતચારિત્ર (સ્થિરતા ) અને અન’તવીર્યરૂપ અને છે. સત-ચિત્—આનદસ્વરૂપી આત્મા એ રીતે સાક્ષાત્ અનંતજ્ઞાન અને સુખને સ્વામી પાતે અને છે અને પેાતાના અમૃતમય ઉપદેશવડે અનેક ભવ્યાત્માઓને પણ સનાથ કરે છે-કરી શકે છે.
એ રીતે સ્વપરને સ્વાભાવિક સુખશાંતિ પમાડવાની કળા કેળવવાની આપણને મળેલી અનુપમ, અનુકૂળ તક ખરાખર સાધી સાર્થક કરી લેવી કેટલી બધી જરૂરની છે તે હવે તમને સહેજે સમજી શકાશે.
હીણા-નબળા મલિન વિચારા, અણુછાજતા, અસભ્ય, રાષાદિકભર્યાં મલિન વન અને વવિચાર્યા સ્વપરપ્રાણ
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી ઘાતક આચરણે વડે મુગ્ધ-અજ્ઞાન છે બાપડા પિતાને મળેલી અમૂલ્ય તકને, કહે કે સ્વજીવનશક્તિને વ્યર્થ ગુમાવી ઊલટા અધિક દુઃખી બને છે, માટે માદક પદાર્થોનું સેવન (મદ્ય), વિષયાસક્તિ, ક્રોધાદિક કષાય, આલસ્ય અને વિકથાદિકને દૂર તજી, સદ્ધર્મકળાવડે આપણે સ્વજીવનશક્તિને ખીલવવી ઘટે. તેથી જ અંતે અનંત સુખશાંતિ પ્રસરે છે.
(આ. પ્ર. પુ. ૧૭, ૬, ૧૪૮.) મૂંગાં પણ ઉપયોગી જાનવરો પ્રત્યે અનુકંપા અથવા દયા દાખવવાની આપણી ફરજ.
મૂંગા પણ અનેક પ્રકારે ઉપગી જાનવરે પ્રત્યે આપણું વર્તન વિવેકથી સુધારવાની જરૂર છે. ગાય, ભેંશ, બળદ અને બકરી પ્રમુખ પ્રાણીવર્ગ પ્રત્યે સ્વાર્થવશતાથી (પિતાનો સ્વાર્થ સધાતો હોય ત્યાંસુધી ) સારું વર્તન ચલાવાય છે ખરું, પરંતુ
જ્યારે સ્વાર્થ સરી જાય છે ત્યારે તે તે પ્રાણવર્ગને પૂર્વ ઉપકાર વિસારી મૂકી ક્યાં તો તેને પાંજરાપોળમાં પધરાવી દેવાય છે, અથવા તે કસાઈલેકને વેચાતાં આપી દેવામાં આવે છે. આવું વર્તન અનુચિત અને અન્યાયી જણાય છે. કસાઈલકોને ઉપરોક્ત નિર્દોષ પ્રાણુઓ વેચાતાં આપવાં એ તે તદ્દન નિર્દયતાનું કામ છે, તેમ જ ઉપકારને બદલે અપકાર કરવા જેવું છે. તે પ્રાણીઓનું તેમની જિંદગીપર્યત કૃતજ્ઞતાથી પાલન-પોષણ જાતે જ કરવાને બદલે પાંજરાપોળમાં મૂકી દેવાં તે પણ પાંજરાપિળને ખર્ચ વધારી મૂકી તેને બેજારૂપ થવા બરાબર છે.
પાંજરાપોળમાં તો કેવળ પાંગળાં, લાં, લંગડાં, અશક્ત
Page #72
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫
[ ૩૯ ]
અને જેમને કાઇ ધણીધારી ન હાય એવાં પ્રાણીઓના જ મહુધા નિર્વાદ્ઘ થવા જોઇએ, તેને બદલે તેમાં જો સબળ જાનવરોને પણ પાળવા-પાષવામાં આવે તે તેમાં અધિક ખર્ચ થતાં ખીજા અપ’ગાર્દિક દુઃખી અને દુળ પ્રાણીઓને મેટા પ્રમાણમાં રાખવાનુ કે સાચવવાનું પાલવે નહિ; એટલું જ નહિ પણ આજકાલ ચાલતી અવ્યવસ્થિત અને સગવડ વગરની પાંજરાપેાળમાં તેા બહુધા સખળ જાનવરાવડે નિળ જાનવરના વધારે મરા થવા પામે છે. તે ન્યાયવિરુદ્ધ હેાવાથી ઉચિત લેખાય નહિ, તેથી ગમે તેવા સાગેામાં પાંજરાપોળામાં જમા થયેલાં સબળ જાનવરાનું ખર્ચ વધારવા કરતાં તેવાં પ્રાણીઓને કૃતજ્ઞતા સાથે અનુક પાબુદ્ધિથી તેના માલીકેાએ જાતે જ પાળવા અથવા તેમનું અન્યત્ર સારી રીતે પાલન-પાષણ થાય તેવી પેાતાના ખર્ચે થી વ્યવસ્થા કરવી વ્યાજખી છે.
પ્રથમના વખતમાં દયાળુ, ઉદાર અને શ્રદ્ધાળુ લેાકેા આવાં ઉપયાગી સંખ્યાબંધ જાનવરાને પેાતાની પ્રજા પેઠે પાળતા, પાષતા અને તને ખરી સંપત્તિ સમજતા હતા. આનંદાર્દિક ગૃહ હુપતિઓને ત્યાં કેટલા ગાકુળ હતા ? અને તે કેવા સુખી અને આબાદ રહેતા હતા ? સદ્ગુણી ગૃહસ્થા એવી ઉદાર રીતિ-નીતિ કયારે અખત્યાર કરશે ?
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૭૮ )
糖
Page #73
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શી કપૂરવિજયજી આપણાં દિલમાં દયા ગુણ ખીલવવા શાક્ત સરલ
ને સુગમ ઉપાય. સાધુ હોય કે ગૃહસ્થ હોય પણ પાપાચરણથી બચવા માટે ધર્મ–કમ ( વ્યવહારિક કામ ) કરતાં સુખના અથી દરેક જને હાલતાં-ચાલતાં, બેસતાં-ઊઠતાં, શયન-સંથારો કરતાં, સંભાષણ કરતાં તેમ જ ભેજન પ્રમુખ કિયા કરતાં જયણાજીવદયા અવશ્ય પાળવી જોઈએ. સર્વ જીવને આત્મ સમાન ( પિતાના પ્રાણ જેવા ) લેખનાર સાધુજનોને એવા પ્રસંગે જયણા પાળવી સુલભ છે મોહવિકળ એવા ગૃહસ્થ જનો અભ્યાસવડે ધારે તો તેવી જયણા થોડા ઘણા અંશે પાળી શકે છે અને તે અભ્યાસ પાડવે જરૂરનો પણ છે. અભ્યાસથી શું થઈ શકતું નથી ? ખંતભર્યા અભ્યાસથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણું બેદરકારીથી કોઈના પ્રાણની હાનિ ન થાય તે માટે જરૂર લક્ષ રહેવું જોઈએ. બીજા જીવોનું હિત થાય એમ સાવધાનપણે હલન, ચલન, શયન, આસન, ભજન, ભાષણદિક કરતાં સ્વહિત અવશ્ય સધાય છે, પણ સ્વાર્થોધપણે તે પ્રત્યેક કામ કરતાં બેદરકારી રાખવાથી સ્વપરહિતને હાનિ જ થવા પામે છે. ગમે તેવા શુદ્ર (લઘુ) જંતુના જીવિતને અંત કરવાને કઈને હક્ક કેમ હોઈ શકે ? તેમ છતાં જે કોઈ સ્વછંદતાથી પરના પ્રાણનો અંત કરે-કરાવે છે તેને તેનાં કડવાં ફળ ભેગવ્યા વગર છૂટકે નથી. આપણે જે પુન્યસામગ્રીનો વેગ પામ્યા છીએ તેને સાર્થક કરવા, તેને બને તેટલો સદુપયોગ જ કરવું જોઈએ. હિંસાદિક દુષ્કૃત્યથી દૂર જ રહેવું જોઈએ, મન અને ઈન્દ્રિયોને કબજે રાખવાં જોઈએ,
Page #74
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૧ ]
ક્રોધાદિક દુષ્ટ કષાયાને ક્ષમાદિકડે વશ કરવાં જોઇએ; તેમ જ ઉદાર ભાવનાયુક્ત રહેણીકરણીવડે મન, વચન, કાયા કહેા કે વિચાર, વાણી અને આચારની શુદ્ધિ અવશ્ય કરવી જોઇએ
એ રીતે સંયમ યા. આત્મનિગ્રહવડે જ સ્વભાવદયાની સિદ્ધિ થાય છે. સ્વદયા વગરની પરક્રયા શી રીતે થઇ શકે ? જેનામાં ક્ષમા–સમતાર્દિક ન હૈાય તે અન્યને ક્ષમા-મારીી આપી, અભય શી રીતે કરી શકશે જેનામાં નમ્રતા સભ્યતાદિક નહિ હૈાય તે અન્યને નમ્રતાદિક ગુણા કયાંથી શીખવી શકશે ? જેનામાં સરલપણું તથા સંતાષાદિક નહિ હાય તેનું વિત અન્યને શી રીતે ઉપકારક બની શકશે ? મતલબ કે જે આત્મનિગ્રહ કરી શકશે તે જ ખરો સ્વદયા સિદ્ધ કરી અન્ય અનેક જીવાનુ પણ હિત સાધી શિવસંપદા પામી શકશે.
( આ. પ્ર. પુ. ૧૭, પૂ. ૩૦૧. )
સ્વજીવનતત્ત્વને ટકાવી રાખવાની કળા.
૧. સાદું, સાત્ત્વિક, પરિમિત, નિયમિત, નિર્દોષ, ઇચ્છિત ખાનપાન કરવાથી શરીરનુ આરેાગ્ય ઠીક સચવાય છે, અને આપણાં નિત્યકર્ત્તવ્ય સ્ખલના રહિત સાધી શકાય છે.
૨. શરીરના સંચા બગડે ત્યારે તેને નિયમમાં લાવવા, મળની શુદ્ધિ કરવા લંઘન–ઉપવાસાદિક અકસીર ઉપાય છે, છતાં નિળ મનના લેાકેા શરીરમમતાથી દુઃખરૂપ થાય એવું નકામુ ખાનપાન કર્યા કરે છે. આપણા લેાકેા આરેાગ્યરક્ષાના નિયમ કયારે પાળતા શીખશે ?
Page #75
--------------------------------------------------------------------------
________________
[ કર ].
શ્રી કરવિજયજી ૩. શુદ્ધ હવા, પાણી અને પ્રકાશ જે સ્થળમાં સહેજે મળે એવું સુંદર નિર્દોષ સ્થળ રહેવા માટે પસંદ કરવું જોઈએ.
૪. ગંદકી કે દુર્ગધીથી દૂષિત સ્થાન ન હોવું જોઈએ. ૫ વસ્ત્રાદિક સાદાં પણ સ્વચ્છ રાખવાં જોઈએ.
૬. જેમ કાટ લોઢાને ખાઈ જાય છે તેમ આળસ-પ્રમાદ-- એદીપણું પણ શરીરને બગાડી નાંખે છે.
૭. શરીરને સારી રીતે કસતા રહેવું જોઈએ, જેથી તે સુખશીલ બની રોગગ્રસ્ત થઈ ન જાય.
૮. જે સુખશીલ બની રહેલ હોય છે તે કંઈ પણ રેગાદિક કષ્ટ પ્રાપ્ત થતાં, તાપમાં સુકમળ પુષ્પની જેમ ચીમળાઈને દુઃખી થાય છે.
૯ જે પ્રથમથી જ શરીરને સારી રીતે કસી રાખે છે તે ગમે તેવા કષ્ટપ્રસંગે પણ ઠીક ટકી શકે છે.
૧૦. ગમે તેવા રોગાદિક વિષમ પ્રસંગમાં જે કોઈ મનનું સમતોલપણું સાચવી શકે છે તેના ઉપર ગમે તેવા દુષ્ટ ગાદિક માઠી અસર કરી શકતા નથી.
૧૧. રોગ કરતાં ચિંતા કરવાથી વધારે વિનાશ થવા પામે છે તેથી જ ચિંતાને ચિતા કરતાં અધિક ગણું છે. ચિંતા કરવાથી શરીરનું લેહી ઓછું થાય છે.
૧૨. હવાફેર કે પાણીફેર કરવા ઈચ્છનારાઓએ શંત્રુજય, ગિરનાર, આબૂ કે શિખરજી જેવાં સ્થળે અનુકૂળતા મુજબ
*
Page #76
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૩ ] પસંદ કરવાં જોઈએ કે જેથી ત્યાંનું ઉત્તમ વાતાવરણ પણ તન-મન ઉપર સારી અસર કરી શકે.
૧૩. નાના મોટા સહુએ સ્વચ્છતા અને સુઘડતા જરૂર રાખતાં શિખવું જોઈએ કે જેથી સ્વપર અનેકને લાભ થઈ શકે.
૧૪. ખરી ભૂખ વગર રસેંદ્રિયવશ થઈને ખાવું તે જોખમવાળું છે. ૧૫. અજીર્ણ છતાં અન્ન લેવાથી તે વિષરૂપ થાય છે.
૧૬. પ્રસન્નચિત્ત રહેવાથી અશાંતિ ઉપજતી નથી અને આંતરશાંતિ અનુભવાય છે, તેમ જ દુઃખ માત્ર દૂર થાય છે. ૧૭. કલુષિત ચિત્ત કરવાથી શાંતિને લેપ થાય છે.
૧૮. અતિ સ્નિગ્ધ-માદક પદાર્થના અધિક સેવનથી ચિત્તવૃત્તિ બગડે છે, કામેન્માદ પ્રગટે છે અને વીર્યને વિનાશ થવાથી શરીર નિ:સત્વ બને છે–
નિવાઈ જાય છે, પણ માફકસર ખાનપાનથી સ્વવીય જળવાઈ રહે છે.
૧૯ અતિ વિષયાસક્તિથી વીર્યને અત્યંત વિનાશ થાય છે.
૨૦. ક્રોધ-દ્વેષાદિક તાપથી લેહી બધું તપી જઈ ખરાબ થઈ જાય છે.
૨૧. હીણી–નબળી બતથી પણ બહું અનિષ્ટ પરિણામ આવે છે.
૨૨. ખરી દિલસોજીવાળું વચન અમૃતની ગરજ સારે છે.
૨૩. અતિ શેક, સંતાપથી લેહીનું પાણી થઈ જાય છે, મુખ ફિક્કુ કે શ્યામ પડી જાય છે અને અકાળ મૃત્યુ થાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૪૪]
શ્રી કપૂરવિજયજી ૧૪. સહુએ સ્વજીવનતત્વને ટકાવી રાખવાની અને સદ્વિવેકવડે તેને સફળ-સાર્થક કરી લેવાની કળા શીખી લેવી જોઈએ.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૧૯ )
આરોગ્ય સાચવવા અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય નિયમ અને તેથી થતા કંઈક અવાંતર ફાયદા,
૧. સુખે પચી શકે એવો સાદો અને સાત્વિક, નિર્દોષ વનસ્પતિ રાક નિયમિત વખતે માફકસર સુધાને શાંત કરવા, તેમ જ ક્ષીણતા દૂર કરવા લેવો જોઈએ.
૨. લેવામાં આવતો ખોરાક કઠણ હોય તો તેને ખૂબ ચાવીને પાણી જેવા કર્યા પછી જ ગળે ઉતારે જોઈએ.
૩. દૂધ જે પ્રવાહી ખોરાક હોય તે તેને પણ ધીમે ધીમે કઠણ પદાર્થની પેઠે મોઢામાં થોડો વખત મમળાવ્યા બાદ જ ગળે ઉતારે જોઈએ.
૪. પાચનક્રિયા બરાબર સતેજ થાય એટલા પુરતી શરીર મહેનત કરવા જરૂર લક્ષમાં રાખવું જોઈએ.
પ. ખુલ્લી, સ્વચ્છ હવા પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ. ૬. શુદ્ધ, સ્વચ્છ જળ ખાનપાનમાં વાપરવું જોઈએ.
૭. સૂર્યાદિકને પ્રકાશ સારી રીતે આવી શકે એવા સ્થળમાં નિવાસ કરે જોઈએ.
Page #78
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૫ ]
૮. બની શકે ત્યાં સુધી જિં દગીની પ્રથમ પચીશ વર્ષની વયપર્યન્ત મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવુ જોઇએ.
૯. દરમિયાન તામસી વૃત્તિને પેાખનારા ખાનપાનથી પરહેજ રહેવુ જોઇએ. સાત્ત્વિક વૃત્તિને અનુકૂળ હેાય એવુ જ ખાનપાન લેવુ જોઇએ.
૧૦. પવિત્ર ને નિર્દોષ વિચાર, વાણી અને આચારના અભ્યાસ રાખી કાયમ તેની ખીલવણી કરવી જોઇએ.
૧૧. સદોષ ને મલિન વિચાર, વાણી તથા આચરણથી સદંતર દૂર રહેવા સતત પ્રયત્ન કરવા જોઇએ.
૧૨. સર્વનું સદા ય
૧૩. દુ:ખી જના ચૂકવુ' ન જોઇએ.
હિતચિંતન કરતાં શીખવું જોઇએ. દુ:ખ વિદ્યારવા બનતા પ્રયત્ન કરવા
૧૪. સુખી અને સદ્ગુણીજનાને દેખીને કે સાંભળીને દિલમાં રાજી-પ્રમુદિત થવુ જોઇએ.
૧૫. ગમે તેવા નીચ-નાદાન—નિંદ્ય કાર્ય કરનાર ઉપર દ્વેષભાવ લાવ્યા વગર તેને સુધારી શકાય તેા સુધારવા પ્રયત્ન કરવા અને તેમ કરવું અશકય જણાય તે સમભાવ રાખી અન્ય હિતકાર્ય પ્રમાદ વગર કરવાનું સદા લક્ષ રાખવુ.
૧૬. શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, ચિત્તશુદ્ધિ અને સ્થાનશુદ્ધિ વિગેરેથી આરેાગ્ય સચવાય છે, તેથી તેવી શુદ્ધિઓની ઉપેક્ષા કરવી નહિ.
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૭. શરીર–આરોગ્ય સારું સચવાય તે ચિત્ત પ્રસન્ન રહે છે અને ચિત્તની પ્રસન્નતાથી સુખશાંતિમાં વધારો થઈ શકે છે તથા ધર્મ સાધન પણ અનુકૂળતાથી થઈ શકે છે, જેથી પરિણામે પરભવ પણ સુધરી શકે છે.
૧૮. શરીરનું આરોગ્ય ટકાવી રાખવા ઈન્દ્રિયનિગ્રહ, કંધાદિક કષાયનિગ્રહ, મન, વચન, કાયનિગ્રહ અને હિંસાદિક પાપનિગ્રહ અવશ્ય કર્તવ્ય છે.
૧૯. સંયમ અથવા આત્મનિગ્રહ જ સર્વ સુખ-શાંતિનું મૂળ જાણી તેની રક્ષા અને પુષ્ટિ થાય તેમ આળસ–પ્રમાદ રહિત વર્તવું તે સર્વથા ઉચિત છે
૨૦. ઇંદ્રિય, વિષય અને કષાયને પરવશ થવાથી, મન, વચન, કાયાને મેકળાં મૂકવાથી તથા હિંસાદિક પાપમાં રત રહેવાથી અનિષ્ટ પરિણામ જ આવે છે.
૨૧. આત્મનિગ્રહને જ ખરી ઉન્નતિનું પ્રબળ સાધન ગણું સુખના અથી જનેએ તે સેવવા સદા ય લક્ષ રાખવું.
(આ. પ્ર. પુ૧૭, પૃ. ૨૭૯. ) જૈન તેમ જ જૈનેતર દયાળુ જનને ભક્ષ્યાભઢ્યા
ખાનપાન સંબંધી થોડીક સૂચનાઓ. ૧. માંસ, મદિરાને ધિક્કારનારાઓ પણ આજકાલ છૂટથી વિદેશી દવાદિકને ઉપયોગ કરતા દેખાય છે. તેમાં કેવી કેવી ભ્રષ્ટ વસ્તુઓ આવે છે તેનું જે પૃથક્કરણ કરવામાં આવે તે કમળ હૃદય ઉપર ભાગ્યે જ અસર થયા વગર રહે. દાખલા તરીકે
Page #80
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૭ ] વિદેશી દવામાં જેટલા પ્રવાહી પદાર્થ આવે છે તેટલામાં પ્રાય: દારુને ભેગ તે સાથે હોય છે જ. તે સિવાય કોડલીવર-ઑઈલ એક જાતની માછલીના કલેજાનું તેલ છે ઈત્યાદિ બ્રણ વસ્તુઓ વાપરવા કરતાં ધર્મને બાધ ન આવે એવી દેશી, ચોખ્ખી વસ્તુઓને જ દવામાં ઉપયોગ કર ઉચિત લેખાય. વળી વિદેશી વસ્તુઓ કરતાં સ્વદેશી વસ્તુ જ આપણા શરીરને વધારે માફકસર આવે એ દેખીતું છે. કદાચ વિદેશી વસ્તુના ઉપયો ગથી ક્ષણભર રેગશાંતિ દેખાય, પણ કંઈક વખત તે તે નવું તૂત પણ ઊભું કરે છે જ્યારે વિવેકસર સ્વદેશી ચેમ્પી વસ્તુના ઉપયોગથી તે રોગ નિર્મૂળ થવા પામે છે.
૨. ઘણાખરા રેગે તે રસલંપટતાથી પેદા થાય છે અને તે વળી કુપચ્યથી જ વધે છે. એવા વધતા જતા રોગને અંત લાવવાની ઈચ્છાવાળાએ તેવી રસલંપટતા તથા કુપસેવનથી દૂર જ રહેવું જોઈએ. આ મુદ્દાની વાત તરફ લેક ઘણી જ બેદરકારી રાખી વખતેવખત અનેક પ્રકારના વ્યાધિઓના ભેગા થઈ પડે છે.
૩. એકબીજાએ એઠાં કરેલાં અન્ન પાણું ખાવાપીવાથી, એકબીજાની મોઢાની લાળ એકબીજાનાં પેટમાં જવાથી, એક બીજાના વ્યાધિઓને ચેપ લાગે છે. તેથી પણ કઈક વખત અચાનક વ્યાધિઓ પેદા થાય છે અને ઉપર જણાવેલી માઠી રૂઢી તજવામાં ન આવે ત્યાં સુધી તેવા રેગની પરંપરા વધતી જ જાય છે. તેથી એ કુરૂઢી પણ અવશ્ય તજી દેવી જોઈએ.
૪. આરોગ્ય ઈચ્છનારે જેમ બને તેમ ઉન્માદક વસ્તુનું સેવન નહિ કરતાં પ્રકૃતિને અનુકૂળ આવે એવું સાદું અને સાત્વિક ખાનપાન જ કરવું જોઈએ.
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
શ્રી કપૂરવિજયજી
૫. રાત્રિèાજનને તે મનતાં સુધી સર્વદા અને સથા ત્યાગ જ કરવા જોઈએ.
૬. સડી ગયેલી, બગડી ગયેલી, વિરસ થયેલી વસ્તુ ખાવી પીવી નહિ.
આર્દ્રા નક્ષત્ર ૭. બેઠા પછી કેરી, ફાગણુ શુદ ૧૪ પછી ખજૂર પ્રમુખ જીવાકુળ થતા ખાવાપીવાના પદાર્થ ખાવા– પીવા નહિ. ચાતુર્માસમાં લીલી ફુગવાળા પાપડ તથા સુકવણી અને સુકા મેવા વાપરવાં નહિ. કાચાં, કુમળાં ફળ ખાવાં નિહ. અણુગળ–ગાળ્યા વિનાનું પાણી પણ પીવું નહિ.
૮. ચા, કૉરી, કાકા, ભાંગ વિગેરે ઉત્તેજક પદાર્થ પીવા નહિં. બીડી, તમાકુ, ધતુરી, ગાંો, હાકેા વિગેરે પીવા નહિ.
૯. ભ્રષ્ટવાડા થાય એવાં હેાટલનાં ખાણુાંપીણાંથી સદંતર દૂર રહેવુ.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૩૦૨. ]
જુદે જુદે સ્થળે વસતા સહુ કચ્છી, કાઠિયાવાડી અને ગુજરાતી જૈનીએને બે એલ.
વ્હાલા બંધુઓ અને બહેન !
એક બાળક પાસેથી પણ હિત ગ્રહણ કરવું જોઇએ, એ નીતિવચનનું પાલન કરવાથી બેશક આપણને કંઇ ને કંઇ લાભ જ થવા સંભવ રહે છે. સન વીતરાગ જેવા દેવ, સ્વપરહિત કરવા ઉજમાળ નિગ્રંથ ગુરુ અને આત્માના ઉદ્ધાર કરવા સમર્થ
Page #82
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૪૯ ] અહિંસા, સંયમ તથા તાલક્ષણ ધર્મ ઉપર દઢ આસ્થા-શ્રદ્ધા રાખનાર શ્રાવકેન આચાર-વિચાર કે સરસ -કલ્યાણકારી જોઈએ તે સંબંધી આલોચના જેમના અંતરમાં થઈ શકતી હોય તેમને આ અમારું કથન ઉપગી સમજાશે.
૧. કઈ પણ પ્રકારના કુવ્યસનથી શ્રાવક માત્ર દૂર રહેવુંદૂર રહેવા પૂર્ણ કાળજી રાખવી.
૨. બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને યથાર્થ સમજી તજવા જરૂર ખપ કરો.
૩. રાત્રિભેજનને તે સદંતર ત્યાગ કરવો, લોકિક શાસ્ત્રમાં પણ તેનું મોટું પાપ ગયું છે.
૪. શરીરમાં રોગ પેદા થાય અને મન મલિન થાય એવાં ભ્રષ્ટ ખાનપાનથી સદંતર દૂર રહેવું. - પ. શરીર નિરોગી રહે અને મન નિર્મળ થતું જાય તેવાં પવિત્ર ખાનપાનનું નિયમિત સેવન કરવું. દેખાદેખીથી પરદેશી બ્રણ વસ્તુઓ ખાનપાનમાં વાપરવાને પ્રચાર વધતું જાય છે તે જરૂર દૂર કરે.
દ. પરહિતચિંતવનરૂપ મૈત્રી, પરદુઃખભંજન કરવારૂપ કરુણ, પરસુખ જાણું સંતોષ ધરવારૂપ પ્રમોદ અને પરદેષની ઉપેક્ષા કરવારૂપ માધ્યસ્થતા આદર્યા વગર સ્વશ્રેય થવાનું નથી.
૭. પાયા વગર ઈમારત ન હોય તેમ ઉપરોક્ત સદ્દભાવના વગર ધર્મ–આચરણ સફળ હોઈ શકે જ નહિ.
Page #83
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ] .
શ્રી કરવિજયજી ૮. આપણાં વહાલાં સંતાન–બાળકની ઉન્નતિની ખાતર આપણું વર્તન સુધારવાની જરૂર છે જ.
૯. ઉત્તમ લક્ષ રાખી યથાશક્તિ આપણી નિયત ફરજ બજાવવાથી જ આપણું સિદ્ધિ છે.
૧૦. ખરા કર્તવ્ય પ્રત્યે દુર્લક્ષ રાખી ઘાંચીના બળદની પેઠે વારંવાર ફર્યા જ કરવાથી કલ્યાણ થઈ ન શકે.
૧૧. ચિન્તામણિ રત્ન સમાન શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને યથાર્થ ઓળખવા બહુ જ મુશ્કેલ છે.
૧૨. પરમ કલ્યાણકારી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે પૂર્ણ આદર છે તે તે અત્યંત દુર્લભ છે.
૧૩. તેથી જ આપણે તથા પ્રકારની યોગ્યતા કહો કે પાત્રતા પ્રાપ્ત કરવાની અને વધારવાની બહુ જ અગત્ય છે.
૧૪. ન્યાય-નીતિ-પ્રામાણિકતાથી વ્યવસાય, સત્ય માટે ટેક, વડીલે પ્રત્યે ઉચિત આદર-સન્માન, નાના કે દુઃખી પ્રત્યે દયા–અનુકંપા, અને કામ, ક્રોધાદિક દુષ્ટ અંતરંગ શત્રુઓ પ્રત્યે પૂર્ણ કટાક્ષ-તિરસ્કારાદિ માર્ગાનુસારીપણાના ૩૫ બેલેને ઠીક અભ્યાસ કરવાથી સારી પાત્રતા મેળવી શકાય છે.
૧૫. પરંતુ તે તરફ તદ્દન દુર્લક્ષ રાખી કેવળ ધૃષ્ટતા (ધીઠાઈ) આદરવાથી તે ઊલટી હાનિ થવા પામે છે.
૧૬. આપણું મન, વચનાદિક યુગ નિર્મળ થતા જાય તે પ્રયત્ન સદા ય સેવ.
Page #84
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૫ :
[ ૫૧ ]
૧૭. એવા પવિત્ર હેતુથી જ એકાન્ત હિતકારી સર્વજ્ઞ ભગવાને પવિત્ર ધરત્નની પ્રાપ્તિ માટે પૂરી પાત્રતા–યેાગ્યતા મેળવવા અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ૨૧ ગુણા આદરવાના ઉપદેશ કર્ચા છે.
૧૮. પરાયા ઢાષા-છિદ્રો નહિ તપાસતાં તેમના ઉજજવળ ગુણ તરફ ષ્ટિ રાખવી અતિ લાભદાયક છે.
૧૯. આપણામાં જડ ઘાલીને બેઠેલા મિથ્યાત્વ, કષાય, અવિરતિ અને મન, વચન, કાયાની ચપળતાદિક દુષ્ટ દાષાને નિવારવા સર્વજ્ઞ ભગવાને ભાખેલા ઉત્તમ ઉપાયે કાળજીથી આદરવા ઘટે.
૨૦. શરીર નિરોગી હાય તે જ સર્વ સાધન સારી રીતે કરી શકાય છે, તેથી શરીરનુ આરેાગ્ય ટકી રહે અને સામર્થ્ય માં વધારો થવા પામે એવા નિર્દોષ ઉપાયેા કુશળ શાસ્ત્રકારાએ કહેલા યથાર્થ સમજી, જાતે આદરી, તેને સાક્ષાત્ અનુભવ મેળવી, તેનેા લાભ પેાતાનાં બહેાળા કુટુંબને આપવા કાળજી રાખવી.
૨૧. જેનાથી અનેક ચેપી રેગેા અકસ્માત્ લાગુ પડે છે અને વંશપરંપરાએ ઊતરી આવે છે એવું એક બીજાએ એન્ડ્રુ કરેલું ( એક બીજાની લાળમિશ્રિત થયેલું ) પાણી પીવાની ખાટી પ્રવૃત્તિ જરૂર સુધારી લેવાની સહુએ કાળજી રાખવી. શુદ્ધ( અમેટ ) અને ગાળેલા જળપાનથી શરીરની આરાગ્યતા સચવાશે. અશુદ્ધ( એઠા ) થયેલા ભ્રષ્ટ જળપાનથી શરીરમાં વિવિધ વિકાર થવા ઉપરાંત લેાનિંદા અને ધર્મની
Page #85
--------------------------------------------------------------------------
________________
[ પર ]
લઘુતા થવા પામે છે એમ સમજી શાણા સંબંધમાં જરૂર વિવેક આદરવા, તેમ જ એના ભલા માટે તેમને પણ તેના ગુણુ, માનું આચરણ કરવા પ્રેરણા કરવી.
શ્રી કપૂરવિજયજી
ભાઇબહેનાએ એ પેાતાના સંબંધીદોષ સમજાવી હિત
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૯૮. )
સર્વ સામાન્ય હિતવચનેા. ( ખાસ મનન કરવા યાગ્ય )
૧. ખરું' તત્ત્વ-રહસ્ય શેાધી કાઢવું એ બુદ્ધિ પામ્યાનુ ફળ છે. સત્યાસત્ય, હિતાહિત, કૃત્યાકૃત્ય, ગમ્યગમ્ય, ભક્ષ્યાપેયાપેય અને ગુણદોષને સારી રીતે સમજી વિવેક આદરવાથી જ બુદ્ધિની સાર્થકતા લેખી શકાય. છતી બુદ્ધિએ ખરી ખાટી વસ્તુને પારખી, ખાટી વસ્તુ તજી, ખરી વસ્તુને સ્વીકાર ન કરી શકાય તેા તેની સાકતા શી ?
લક્ષ્ય,
૨. જ્ઞાન–વિદ્યા, સુશ્રદ્ધા અને સદાચારથી જ આપણી ખરી ઉન્નતિ થવાની છે એમ સમજી, દુષ્ટ અજ્ઞાન, અશ્રદ્ધા અને અસદાચારના ત્યાગ કરવા અને તત્ત્વજ્ઞાનાદિની પ્રાપ્તિ કરી લેવા દૃ પ્રયત્ન કરવા.
૩. ભભકાદાર વસ્ત્રાભૂષણાદિ પાછળ ખર્ચ કરવાનું તજી દઇ, ખરી કેળવણી પ્રાપ્ત કરવામાં અને તેના વિકાસ કરવામાં તેવા ખર્ચ કરાય તેા જ આપણી કઇક અ ંશે ઉન્નતિ થઇ શકશે.
૪. દરેક ભવ્ય આત્માને ચેાગ્ય કેળવણી આપવામાં આવે તે તેમાં ગુપ્ત રહેલી અનતી જ્ઞાનાદિક શક્તિ પ્રગટ થઈ શકે
Page #86
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૫૩ ] એટલે દરેક આત્મા પરમાત્મારૂપ બની શકે, છતાં યેગ્ય કેળવણની જ ખામીથી પરમાત્મા જેવું સ્વરૂપ ઢંકાઈ રહે છે, તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે જરૂર છે. તેમાં બનતી મદદ કરવી તેના જેવું પારમાર્થિક કાર્ય ભાગ્યે જ બીજું હોઈ શકે. - પ. ઇંદ્રિયદમન, કષાયનિગ્રહ, હિંસાદિ પાપવૃત્તિને ત્યાગ તથા મન, વચન અને કાયા ઉપર પૂરતે કાબૂ રાખવારૂપ સંયમ કહે કે આત્મનિગ્રહ જ સર્વ પ્રકારની ઉન્નતિનું પ્રબળ સાધન સમજી સ્વપરઉન્નતિના અથજનેએ તેમાં પ્રમાદરહિત યથાયોગ્ય આદર કરવો ઘટે.
૬. ઇંદ્રિયાદિની પરવશતાથી અજ્ઞાની જીવ ખરા પારમાર્થિક સુખથી બેનસીબ રહે છે, પરંતુ ઇંદ્રિયદમનાદિ સંયમગે સહેજે ખરું પારમાર્થિક સુખ પ્રાપ્ત કરી શકાય છે. ૭. આત્મસંયમ જ ખરા સુખની ચાવી છે.
૮. શરીરાદિકની મમતાવડે આત્મસંયમ ખેવાય છે અને મમત્વ-ત્યાગથી સંયમ રક્ષાય છે.
૯ ઇંદ્રિયપરવશતાદિથી સ્વવીર્યને વિનાશ-વિનિપાત થવાથી શરીર કમજોર થવા પામે છે અને તેમાંથી થતી પ્રજા પણ નમાલી-નિર્બલ બને છે.
૧૦ સ્વવીર્યનું સંરક્ષણ કરવા ઈચ્છનારે વિચાર, વાણું અને આચાર( વર્તન )માં યથાર્થ પવિત્રતા સાચવવી અથવા તે સાચવવા માટે મન, વચન, કાયાની મલિનતા ટાળવા પૂરતી કાળજી રાખવી.
Page #87
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી કર્ખરવિજયજી ૧૧. બીજાં બધાં ય કૂડાં વ્યસને તજી, સત્સંગ( પુરુષ અથવા સશાસ્ત્ર )નું વ્યસન પાડવું જોઈએ * ૧૨. જે જે વ્યસનેથી આપણું તથા આપણી પ્રજાની પ્રત્યક્ષ પાયમાલી થતી જણાય તેને અવશ્ય ત્યાગ કરી જેથી સ્વપરનો ઉદ્ધાર થાય તેવો સંયમમાર્ગ પૂર્ણ પ્રેમથી પ્રમાદ ૨હિત સેવા જોઈએ.
૧૩. કૃત્રિમ આભૂષણોને મેહ તજી શીલ, સંતોષાદિ ખરાં આભૂષણે ઉપર પ્રીતિ જગાડવી જોઈએ.
૧૪. સર્વનું ભલું ઈચછવું અને ભલું જોઈ રાજી થવું એ જ કલ્યાણનો માર્ગ છે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૨૩. ) હિતવચનમાળા–બેધદાયક વચન. ૧. ખરી તકે જે કંઈ અધિક ઉપયોગી શુભ વસ્તુ દેવાય છે તેથી જ ખરો લાભ થાય છે. ધાન્યનાં કણસલાં સુકાઈ ગયા પછી થયેલ વરસાદથી શું ધાન્ય પાકે ખરું કે ?
૨. સુજ્ઞજનોએ જે કંઈ કાર્ય કરવું તે સર્વથા સ્વશક્તિ અનુસારે જ કરવું જોઈએ.
૩. જેમ પ્રાણ ગયા પછી પાણી પાવું નકામું તેમ તક ગયા પછી પુષ્કળ દાન દેવું તે પણ નકામું.
૪. વિદ્યારૂપી ધન મહામહેનતે પેદા કરી શકાય છે, આળસુ તે હોય તે પણ ગુમાવે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ પ પ ] ૫. હિતશિક્ષા જેને રુચતી નથી તેને દુ:ખદાયક દોષરૂપી રોગ દૂર થઈ શકતો નથી.
૬. મોટા(કુલીન)નું દુઃખ મેટા (કુલીને) જ ટાળી શકે. જે અન્યનું દુઃખ ટાળવા સશક્ત હોય તે જ કુલીન-મોટા સમજવા.
૭. મોટા મનુષ્યએ મુખ–મલિનતા ને હૃદયની કઠોરતા તજી દેવી. ઉદારતા ને ગંભીરતા વાપરે તેને જ મોટા-કુલીન સમજવા.
૮. સજન અને દુર્જનને સરખા ગણવા તે ગેળ અને ખેળ સરખા ગણવા બરાબર છે.
૯. આડંબરથી મહી અવગુણીમાં રંગાવું નહિં. ગાયનાં દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી કદાપિ ન મળે.
૧૦. માયાવી-કપટીને શિખામણ દેવી તે નાકકટ્ટાને દર્પણ દેખાડવા જેવું છે.
૧૧. મોટા-ઉદાર દિલવાળાનું અભિમાન શીતળ અને મિષ્ટ વચનથી ગળી જશે–શાંત થઈ જશે.
૧૨. સમયને વિચારી અવસરચિત પ્રિય અને પથ્ય ( હિત-મિત ) સત્ય વચન વદવું.
૧૩. ધ અને અહંકાર ઉપજાવે એવાં વચન વદવાથી ક્રોધાદિકની શાંતિ શી રીતે થશે ?
૧૪. કાંબળ ભીંજાયાથી જેમ તેમાં ભાર વધે છે તેમ હઠકદાગ્રહ વધવાથી આત્મા કર્મથી ભારે થાય છે તેથી તેવું વર્તન સુજ્ઞજનેએ ન કરવું.
Page #89
--------------------------------------------------------------------------
________________
[ પ ]
શ્રી કપૂરવિજયજી ૧૫. ક્રોધાદિકના આવેશ વખતે પિત્તજ્વરીને સાકરના જેવું સરસ વચન પણ કડવું લાગે.
૧૬. જ્યાં જેનું મન રંગાયું હોય છે ત્યાં ગુણદોષને વિચાર કરવાનો અવકાશ જ રહેતું નથી.
૧૭. નિર્મળ ભક્તિરસ તજી, મૂજન વિષયરસનું આદરથી સેવન કરે છે.
૧૮. જેથી આપણું ખરું જીવન પોષાય તે ઉદ્યમ કદાપિ કાળે તજ ન જોઈએ.
૧૯. ઉજ્વળ ચરિત્રવાળા એક પણ શિષ્ય કે સુપુત્રથી ગચ્છ યા કુળની મહત્તા વધે છે.
૨૦ ગુણીજને ગુણી જનને પિછાણી શકે છે, નિર્ગુણ પિછાણી શકતો નથી.
૨૧. પોતે સદ્દગુણી છતાં જે અન્ય સદગુણને દેખી દિલમાં રાજી થાય છે તેવાની કીર્તિ જગતમાં ગાજી રહે છે. અને તે જગતમાંના બીજા ગુણીજને કરતાં આગળ વધી જાય છે.
૨૨. સજનનું અહિત કેઈ કરે, તે પણ તે તે ચંદનાદિકની પેઠે તેનું હિત જ કરે છે.
૨૩. દુર્જનનું હિત જ કર્યું હોય છતાં તે તે સદા ય અહિત જ કરવાને.
૨૪. દર્પણમાં પ્રતિબિંબની જેમ જેવી કરણું તેવું જ ફળ મળી શકે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૫૭ ] ૨૫. કામથી કુળ ઓળખાય છે. વચન ઉપરથી પણ તેની પરીક્ષા થઈ શકે છે.
ર૬. પ્રેમ એ વશીકરણ છે. જેમાં જેટલી ઉદારતા તેટલું જ તે આપી શકે છે.
૨૭ ઉત્તમ જનેની વિભૂતિ-સંપદા પરોપકાર નિમિત્તે જ હોય છે.
૨૮. પ્રકૃતિ–સ્વભાવને ઓળખી સામા સાથે મળવું એ જ સાચો મેળાપ લેખી શકાય.
ર૯. દૂધ ને જળની પેઠે સુખદુઃખમાં સમભાગી થતું રહે તેને જ ખરે મિત્ર જાણ.
૩૦. સ્વાર્થની જાળ સર્વત્ર પ્રસરેલી છે. શુદ્ધ ધર્મ જ એક નિસ્વાર્થ મિત્ર છે.
૩૧. શુદ્ધ ધર્મ-મિત્રને પામીને જ પરમાનંદ મોક્ષસુખ ૫માય છે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૬૨ )
હિતવચનમાળા ૧. એક વખત પિતાની ઉપર કરેલા ઉપકારના સ્મરણથી કૃતજ્ઞતાવડે સજજન હોય તે સામા(ઉપકારી)એ કરેલા સેંકડે અપરાધને સહે છે-દરગુજર કરે છે, જ્યારે નીચ-દુર્જન, સેંકડો ઉપકાર કરનારને પણ રુડે બદલો વાળવો તે દૂર રહે પણ ઊલટે અપકાર કરવા ચૂક્તિ નથી. ઉપકારીનું પણ અહિત જ કરે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
[૫૮]
શ્રી કપૂરવિજયજી ૨. જે રાજાના વૈદ્ય, ગુરુ અને મંત્રી મીઠાબોલા-ખુશામતીઆ હોય છે તેનાં શરીર, ધર્મ અને ભંડારને નાશ થાય છે.
૩. જે જેમાં રક્ત હોય તેમાં તે ગુણ જ દેખે છે અને જેથી વિરક્ત હોય તેમાં દોષ જ દેખે છે. જે નિષ્પક્ષ-મધ્યસ્થ હોય તે જ યથાસ્થિત ગુણ તથા દેષ દેખી–જાણી શકે છે.
૪. અતિ ઉગ્ર પુન્ય અને પાપનું ફળ જીવને અહિં જ પ્રાપ્ત થાય છે. જે જેવું કામ કરે છે તે તેવું તેનું શુભાશુભ ફળ પામે છે.
૫. જેણે પરમાનંદ ( સ્વાભાવિક આનંદ ) જાણ્યો નથી તેવો અજ્ઞાન જીવ જ ક્ષણિક અને અસાર વિષયસુખને સારભૂત અને રમણિક લેખે છે. જેણે કયાંય પણ ઘી જોયું-આસ્વાદું નથી તે જ બાપડા તેલને પ્રિય લેખે છે અને ઘી બદલે તેલ ખાય છે.
૬. જેમણે નિર્મળ જળવાળાં માન સરોવરમાં લાંબો વખત કીડા કરી હોય તે હંસ જેમ સેવાળથી ભરેલા ખાઈના કલુષિત જળમાં ન જ રાચે, તેમ પરમાનંદનો અનુભવ કરનારા ઉત્તમ વિવેકીજનને ક્ષણિક અને અશુચિય વિષયસુખમાં પ્રીતિ ન જ થાય.
૭. શિષ્ય, મિત્ર, ચાકર, પુત્ર અને સ્ત્રી પ્રત્યે અતિ આક્રોશ –તર્જના-તાડનાદિકને પ્રયોગ કરવો નહિ, કેમકે તેમ કરવાથી, જેમ દહીંને અતિ ઘણું મસળવાથી ( વવવાથી ) માખણ જુદું પડે છે તેમ તેમનાં અંતરમાં રહેલે ને દૂર થઈ જાય છે.
૮. ક્ષણમોહ-નિર્મોહી મહાત્માઓ રોષ, તોષને વશ થતા
Page #92
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૫૯ ] નથી. મેહઘેલા વિકળ જને જ ક્ષણમાં રૂછ અને ક્ષણમાં તુષ્ટ થતાં હાંસીપાત્ર બને છે.
૯. સર્વત્ર સમભાવ રાખનારા મહામુનિઓ શત્રુ કે મિત્ર, તૃણ કે સ્ત્રી, સુવર્ણ કે પથ્થર, મણિ કે માટી અને મેક્ષ કે સંસારમાં ભેદ-વિશેષ લેખતા નથી.
૧૦. એવા નિઃસ્પૃહી મહાત્માઓને માનાપમાન કે નિંદાસ્તુતિમાં વ્યગ્રતા-વિષમતા થતી નથી–તેમનું મન ઊંચું નીચું ન થતાં સમતલ રહી શકે છે.
૧૧. તેવા સંતપુરુષો ચંદ્ર જેવી શીતળતા વરસાવનારા, સાગર જેવી ગંભીરતા રાખનારા અને ભારડ પક્ષીની જેમ પ્રમાદને પરિહરી સદા ય સંયમમાર્ગમાં સાવધાન રહેનારા હોય છે. વળી તેઓ કમળની જેમ રાગ-દ્વેષથી નિલેપ રહે છે, તેમાં લેપાઈ-રંગાઈ જતા નથી. આવા મુનીશ્વરો સંયમરૂપી નાવવડે આ સંસાર-સાગરને જલદી તરી જાય છે, એટલું જ નહિ પણ અનેક ભવ્ય જનને, આ ભયંકર જન્મમરણના દુ:ખરૂપ જળથી ભરેલ ભવસાગરને તરી જવામાં સહાયભૂત થાય છે.
૧૨. ઉક્ત ઉત્તમ સાધુજનેનું અનન્યભાવે શરણ ગ્રહણ કરી યથાશક્તિ ઈન્દ્રિયદમન કરનારા, ક્રોધાદિક ચારે કષાયને નિગ્રહ-નિરોધ કરનારા, હિંસાદિક પાપસ્થાનકને તજી દયા સત્યાદિકનું યથાવિધિ પાલન કરનારા અને મન, વચન, કાયાને બને તેટલે સાવધાનપણે સદુપયેાગ કરનારા ગૃહસ્થ જન (સ્ત્રી પુરુષો) પણ યથાયોગ્ય સંયમના પ્રભાવે (સપાત્ર હાઈને ) ધીમે ધીમે પણ ચોક્કસ પરમાનંદપદના અધિકારી થઈ શકે છે.
( આ. પ્ર. પુ ૧૭, પૃ. પર.),
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
શ્રી કપૂરવિજયજી
સ્વક વ્યપ્રેરક સૂક્તવચના
૧. પ્રથમ વયમાં ( બાળપણમાં ) જેણે વિદ્યા સંપાદન કરી નહિ, બીજી વયમાં ( જુવાનીમાં) જેણે ધન પેદા કર્યું નહિ અને ત્રીજી વયમાં જેણે ધર્મનું સેવન–આરાધન કર્યું. નહિ તે ચેાથી વૃદ્ધવયમાં શું કરી શકવાના ? તેની જિંદગી થા-નકામી ગયેલી સમજવી.
૨. નિરુદ્યમી, આળસુ, નસીબ ઉપર જ આધાર રાખી રહેનાર અને પુરુષાર્થ હીનને લક્ષ્મી વરતી નથી. જેમ વૃદ્ધપતિને સેવવા પ્રમદા–જુવાન સ્ત્રી ચાહતી નથી તેમ ચેાગ્યતા વગરના-નાલાયક નરને લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. ઉદ્યમી, ચંચળ, કા દક્ષ, ઉત્સાહી અને ખંતીલા વિરલા નરાને જ લક્ષ્મી વરે છે.
૩. કેસરીસિંહ જેવા પરાક્રમી પુરુષ કદાચ દૈવયેાગે કઇક સ્ખલિત થયેા હાય, તે તેથી તે નિરાશ બની જતા નથી તેમ જ પુરુષાર્થ હારી જતા નથી, પરંતુ ધૈર્ય અને હિંમત રાખી, ખંતી ચેાગ્ય પુરુષા સેવી, સાવધાનપણે ઇચ્છિત કા સાધી લે છે. નાહિંમત થઇ પાછી પાની કરતા નથી.
૪. તથાપ્રકારની સામગ્રી વિદ્યમાન નહિ છતાં, સુખમાં કે દુ:ખમાં અને નીચ સેાખતમાં પણ જે સત્ય ધર્મના અનાદર કરતા નથી–તેનું યથાર્થ પાલન કરે છે તેને જ ખરેખર દૃઢધમી અને પ્રિયધી સમજવા.
૫. વખતની કિંમત જે ખરાબર સમજી શકે છે તે પેાતાના અમૂલ્ય સમય અલેખે કેમ જવા દેશે ?
Page #94
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૧ ] ૬. પ્રમાદ સમાન કોઈ દુશમન નથી અને સદુદ્યમ સમાન કેઈ હિતમિત્ર નથી. એ પ્રમાદ ઘણા પ્રકાર છે.
મદ-માદક પદાર્થનું સેવન કરવું, વિષયસુખમાં આસક્ત બની રહેવું, ક્રોધાદિક કષાયને વશ થવું, નિદ્રા-આળસ વધારવાં, નકામી કુથલી કરવી, મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનવશ થઈ રહેવું, ટૂંકાણમાં પરમ કરુણાળુ સર્વજ્ઞ પ્રભુનાં હિતવચનને અવગણું સ્વછંદ વર્તન કરવું તેનું નામ પ્રમાદ. એ જ જીવને મોટામાં મોટો શત્રુ છે.
૭. પ્રબળ પુરુષાર્થ વગર પ્રમાદ–શત્રુને પરાભવ થઈ શકે નહિ. પ્રમાદને પરાજય કરવા ઈચ્છનારે તેવા નિઃસ્વાથી જ્ઞાની ગુરુનું શરણ લઈ, અનન્ય શ્રદ્ધા-વિશ્વાસ રાખી, વિનય બહુમાનપૂર્વક તેમની સેવા, ભક્તિ કરી, સ્વહિતાહિત સારી રીતે સમજી લેવાં. પછી અહિતને તજી કાળજીથી હિતાચરણ સેવવું.
૮. ગૃહસ્થ શ્રાવકોએ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને પૂર્વાપર વિરોધ રહિત સેવવા જોઈએ. એટલે કે ધર્મનું રક્ષણ થાય તેમ અર્થ અને કામનું સેવન કરવું, પણ ધર્મની ઉપેક્ષા કરીને અર્થ, કામની સેવા કરવી નહિ. તેમ જ અર્થને હાનિ ન પહોંચે, તેની રક્ષા થાય તેવી રીતે જ વિવેકથી કામનું સેવન કરવું, પણ અર્થની ઉપેક્ષા કરીને કે હાનિ પહોંચે તેમ અવિચારીપણે વિવેક રહિત વિષયાંધ બનવું નહિ.
૯ મુનિજને તો મોક્ષનું જ નિશાન રાખી સકળ સંયમકરણ કરે, સર્વ જીવને નિજાત્મા સમાન સમજી તન, મન, વચનથી તેમની રક્ષા કરે, તેમને યથાયોગ્ય હિતમાર્ગ બતાવી
Page #95
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ]
શ્રી કરવિજયજી
તેમને હિતમા માં જોડે-સ્થાપે, તેમ જ સદાકાળ તપ-સંયમમાં સાવધાનપણે રહે. ગૃહસ્થ તેવી રુડી ભાવના રાખે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૬૯. )
તત્ત્વજ્ઞાનના સરલ માર્ગ–સદ્બોધ સંગ્રહ,
૧. સુકાન વગરના વહાણુની પેઠે, નિશ્ચિત દિશા વગરની ગતિની પેઠે અને લક્ષ વગરના માણુની પેઠે આપણું જીવન નકામુ –નિષ્ફળ જાય છે, પવિત્ર હેતુ વગરનું જીવન જયાં ત્યાં જગતમાં અથડાવામાં, ફૂટાવામાં, પીટાવામાં પૂરું થાય છે ને ધૂળમાં રાળાય છે.
૨. જો આપણા જીવન-હેતુ પવિત્ર હોય અને તે સિદ્ધ કરવા આપણું મન મજબૂત હાય તે ગમે તેવાં મેટાં વિઘ્ન પણ વટાવી શકાય, એટલું જ નહિ પણ તે બધું પ્રસન્નતાથી ( હસતે મુખે ) લગારે દીનતા વગર કરી શકાય. કહેા કે આપદા તે જ સંપદારૂપે થઇ જાય.
૩. પૂર્વભવના સંસ્કારથી કે સદ્ગુરુની કૃપાથી કાઇ સદ્ભાગી જીવને સહેજે સમજાય છે કે તલવાર મ્યાનમાં છતી, જેમ મ્યાનમાંથી ન્યારી-જુદી કરી શકાય છે, અરે! વસ્તુત: તે ન્યારી જ છે, તેમ શરીરમાં રહેલા ચેતન-હુંસ પણ શરીરથી ન્યારા જ છે.
૪. વસ્ત્રો જીણું થાય છતાં તેના ભાગ કરનાર શરીર જીણુ થતું નથી, તેમ શરીર અનેક વાર ધારણ કર્યા છતાં તેને ભાગી-ચેતન-જીવ જીણુ -ઘરડા થતા નથી. જેમ નવાં, જૂનાં
Page #96
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૩ ] વસ્ત્રનાં જુદા જુદા પર્યાય છે તેમ શરીર આશ્રયી જાણવું. ચેતનદ્રવ્ય તે અખંડ ગમે તે ગતિમાં કે સ્થિતિમાં જેવું ને તેવું બન્યું બન્યું રહે છે, એમ સમજનારા જ્ઞાની પુરુષે આ અદ્ભુત નાટક નિજ-નજરે જોતાં છતાં તેમાં મુંઝાયા વગર, નિર્મળ જ્ઞાન-દર્શન–ચારિત્રમય નિજ સ્વરૂપનું અવલંબન કરીને રહે છે.
૫. થોડું પણ તત્ત્વજ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટયું હોય તે આત્મશ્રદ્ધા-પ્રતીતિ યુક્ત હે આત્માને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. સચારિત્રના બળથી સર્વ કર્મ કટકને છિન્નભિન્ન કરીને આત્મા અવિનાશી મોક્ષપદને પામે છે.
૬. નિજ ચેતનને જાગૃત કરે એવું એક પણ તત્ત્વવચન કલ્યાણકારી છે, તેવાં જ તત્વવચન અધિક અભ્યાસાય તેમ અધિક લાભ છે. બાહ્ય આડંબરી જ્ઞાનથી કશું વળતું કે વળવાનું નથી. અને કાચ તે કાચ જ અને હીરો તે હરે જ છે.
૭. પિતાની ભૂલ પોતે જ જઈને સુધારી શકે અને બનતાં સુધી તે ભૂલ થવા ન દે, એવું આત્મશાસન કરવા સામર્થ્ય ન પ્રગટે ત્યાં સુધી સન્માર્ગદાતા અને ત્રાતા ગુરુના ચરણથી વેગળા રહેવામાં હિત નથી જ, છતાં જેઓ છૂટા પડી સ્વચ્છ ચાલવા મન કરે છે અને ચાલે છે તેમના વાડામાંથી પાડું એકની જેમ” ભૂંડા હાલ થાય છે.
૮. આત્મજ્ઞાનરૂપ ચક્ષુ વગરના છ ચડાય તો સાધુ હોય કે ગૃહસ્થ હોય, તેનાથી પગલે પગલે ખલન થાય, અતિચારાદિક દોષ લાગે, વિયષવિકાર જાગે, કષાયનું જેર તેવાં નિમિત્ત મળતાં વધે, માદક પદાર્થ સેવવા મન થાય, નિદ્રાઆલસ્યની વૃદ્ધિ થાય અને વિકથા કરવામાં કે સાંભળવામાં રસ
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી કપૂરવિજયજી લાગે તેથી તેવાં દરેક દુ:ખદાયી પ્રસંગે દયાળુ સદ્દગુરુ વગર અને તેમની હિતશિક્ષા વગર તેનું કેણ નિવારણ કરે ? અહા ! સ્વછંદતા જ બધા અનર્થનું મૂળ છે.
૯. ઘણું ભણવાને આગ્રહ નથી પણ રાજહંસની જેમ સાર, વિવેગે થોડું પણ રુડું, કલ્યાણકારી ભણીગણીને આદરી લેવાય એટલે બસ. શુદ્ધ-નિર્મળ શીલ આચરણયુક્ત અને તેવા લક્ષસહિત આવેલું જીવન ભવસાગરથી પાર ઉતારનાર છે.
૧૦. જે જ્ઞાનથી આપણી મલિન વાસનાઓ-રાગ, દ્વેષ, કષાયાદિ પરિણામ દૂર થાય તે તત્વજ્ઞાન જ પ્રમાણ છે.
૧૧. સૂર્યોદય થતાં અંધકાર ટકી ન શકે તેમ સાચું આત્મજ્ઞાન પ્રગટ થયે રાગાદિક વિકાર પણ દૂર થાય જ.
૧૨. સંકુચિત મન વિશેષે “મારું, તારું” ગણે છે. જેમ જેમ ગુરુકૃપાથી અંતરમાં સત્ય જ્ઞાનને પ્રકાશ પડતાં રાગ, દ્વેષ, મમતાદિક વિકારે અકળાઈ જઈ મન મોટું થાય છે-હદય વિશાળ થાય છે તેમ તેમ અંતરમાં ઉદાર ભાવના કુરે છે, સાચી શ્રદ્ધા પ્રગટે છે અને ખેટ ભય દૂર થાય છે. તત્ત્વજ્ઞાનથી જ જીવન ઉદાર અને રસિક બનતું જાય છે.
૧૩. સસંગાદિક સાધન વડે સ્વજીવન ઉચ્ચ, ઉદાર, રસિક ને શ્રદ્ધાળુ બનાવવું એ જ સહુથી વધારે જરૂરનું છે.
૧૪. જેને આત્માનું-આત્મઋદ્ધિનું યથાર્થ ભાન થયું હોય તેને અન્ય સઘળું બાળલીલા જેવું જણાઈ આવે છે.
૧૫. જે નિજસ્વરૂપમાં જ મગ્ન ( મદમસ્ત ) બની રહે છે તેને ક્ષણિક સુખવાળી પરવસ્તુમાં રતિ-પ્રીતિ થતી નથી.
Page #98
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૫ ] ૧૬. અનંત જ્ઞાનાદિક ઐશ્વર્ય પ્રાતને આ જગતના વિવિધ ખેલ ઈન્દ્રજાળ જેવા અથવા બાજીગરની બાજી જેવા અસાર લાગે છે.
૧૭. આત્માની જ્ઞાનાદિક ઋદ્ધિ જાતિવંત રત્નની તિ જેવી કાયમ રહે એવી છે, જ્યારે જડ-દ્રવ્યાદિક અદ્ધિ માગી લાવેલાં ઘરેણું જેવી અસ્થિર છે. પુનેગે પ્રાપ્ત થયેલી દ્રવ્ય, સંપત્તિ સાંગિક હેવાથી અમુક અવધિએ અવશ્ય તેને વિયેગ થાય છે જ, એમ ચોક્કસ સમજી શકનારા તેમાં નહિં મુંઝાતાં આત્માની સ્વાભાવિક જ્ઞાનાદિક ત્રાદ્ધિને પ્રાપ્ત કરી લેવા આદર કરે છે.
૧૮. દ્રવ્યસંપત્તિ પેદા કરતાં અને તેને સાચવતાં અનેક જાતના સંકલ્પવિકલ્પ ઊઠે છે, ત્યારે સત્ય જ્ઞાનાદિક ઋદ્ધિ પ્રાપ્ત થતાં તે સર્વે જોતજોતામાં વિલય પામી જાય છે. સંકલ્પ વિકલ્પની પરંપરાથી અસ્થિરતા-અશાન્તિ ઉપજે છે, જ્યારે નિર્વિકલ્પપણાથી ખરી સ્થિરતા–શાન્તિ પ્રગટે છે અને તે કાયમ બની રહે છે. સમતારૂપ સામાયિકનો દૃઢ અભ્યાસ રાખવાથી અનુક્રમે આત્મશાન્તિમાં વધારો જ થાય છે. તેને અનાદર કરી અનેક પ્રકારની પ્રાપંચિક ઉપાધિઓને આદર કરવાથી તે ખરી શાન્તિથી વિમુખ થવાય છે.
૧૯. ખરી જ્ઞાનદૃષ્ટિ જાગૃત થતાં દુષ્ટ તૃષ્ણનું જોર પણ નરમ પડી જાય છે, પછી જેની તેની પાસે દીનતા કરવાની ગરજ રહેતી નથી.
૨૦. તૃષ્ણાતુર, કૃપણ જન જેની દિનરાત અભિલાષા કર્યા કરે છે તેવી જડસંપત્તિ જ્ઞાની પુરુષને ખરેખર ઉપેક્ષા કરવા
ગ્ય છે. જ્ઞાનીઓ તેની ઉપેક્ષા કરે જ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી ૨૧. સત્ય સંતોષવડે વિષયતૃષ્ણાદિકને તજે છે તે ખરી શાન્તિને અનુભવે છે. ઈન્દ્રચક્રવર્યાદિક એવી શાંતિથી બેનસીબ રહે છે.
૨૨. વિષયતૃષ્ણાદિક દુષ્ટ વાસનાને વશ થઈ જતાં ગમે તેવા સાધુ-ગી-સંન્યાસી સહજ સ્વાભાવિક સુખથી ભ્રષ્ટ થઈ જાય છે.
૨૩. મૃગજળ જેવાં કપિત ક્ષણિક સુખ પુનઃ પુન: સેવવા છતાં સંતોષ વળતું નથી. આત્મસંતોષી સાધુ ઈન્દ્રથી પણ અધિક સુખી છે.
૨૪. આત્મા ઉપરના અજ્ઞાન, ભ્રાન્તિ, અવિશ્વાસાદિક વાદળાં વેરાઈ જાય છે ત્યારે જ તે તેને ખરા રૂપમાં પ્રકાશે છેઝળકી નીકળે છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૯૪. ]
દ્રવ્ય-ભાવ તીર્થસેવાનું અનુપમ ફળ. શત્રુંજય, ગિરનાર, અબુદાચળ, અષ્ટાપદ અને સમેતશિખરાદિક સ્થાવર તીર્થો લેખાય છે, જ્યારે ક્ષમા-દયાદિક અનેક ગુણોથી અલંકૃત થયેલા ઉત્તમ ગણધરાદિક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ જંગમ તીર્થરૂપ કહેવાય છે.
ઉક્ત ઉભય તીર્થને સ્થાપનારા (પ્રવર્તાવનારા), અસાધારણ ગુણ-શક્તિને ધારણ કરનારા તીર્થંકરાદિ દેય છે ઉક્ત ઉભય તીર્થનું તેમ જ તીર્થકર ભગવાનનું યથાર્થભાવે સેવન
Page #100
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૭ ] કરનારા ભવ્ય જનો અનુક્રમે ઉત્તમ પ્રકારના જ્ઞાન, વૈરાગ્ય(સંયમ-ગ)ને પામી સહજમાં આ ભવસાગરને તરી જાય છે.
તીર્થભૂમિમાં ઉત્તમ પ્રકારનું વાતાવરણ બંધાયેલું રહે છે, તેના સંગથી મલિનતા દૂર થાય છે અને અંત:કરણ પવિત્ર બને છે. અઘોર પાપ કરનારા પણ પવિત્ર તીર્થસેવનથી સકળ પાપથી મુક્ત થઈ અંતે પરમાનંદ પદ પામી શકે છે. શ્રી શત્રુંજય તીર્થની સેવાથી કરકંડુ રાજા જેવા (પાપી–નિર્દયી )
છો પણ તરી ગયા છે. તીર્થસેવાથી મહીપાળ કુમારની પેઠે દ્રવ્યભાવ રેગથી મુક્ત થઈ શકાય છે.
શ્રી તીર્થરાજની યાત્રા કરનારા યાત્રિક જનની રચના સ્પર્શથી પવિત્ર થવાય છે. તીર્થાટન કરવાથી ભવભ્રમણ કરવું પડતું નથી. તીર્થભૂમિમાં ઉદાર દિલવડે દાન દેવાથી લક્ષ્મી સ્થિર થાય છે અને જિનેશ્વર દેવની પૂજા-અર્ચા કરવાથી પોતે પૂજનિક બને છે.
અન્ય સ્થાને કરેલાં પાપ તીર્થસ્થાને ( જપ, તપ, વ્રત, નિયમ કરવાથી ) છૂટી શકે છે, પરંતુ તીર્થસ્થાને (સ્વેચ્છાચારથી ) કરેલાં પાપ વોલેપ સમાન થાય છે” એમ સમજી સર્વ આશાતના તજી વિધિપૂર્વક તીર્થ સેવા કરવી.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૧૫૧. ]
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી
સંગ્રહિત સૂક્ત વચને.
૧. જે જે વખતે જે જે સ્થિતિમાં હાઇએ તેમાં સંતાષ માનવા તેમ જ સત્ય અને નીતિના માર્ગે ચાલવા પ્રયત્ન કરવા. ૨. ‘ સ તેાષી નર સદા સુખી ’–સતાષી માણુસ સદા સુખમાં રહે છે.
૩. Content is more than a kingdom-સંતેાષ એ એક રાજ્ય કરતાં વિશેષ છે.
૪. Honesty is the best poliey-પ્રામાણિકતા એ સર્વોત્તમ નીતિ છે.
પ. અડગ નિશ્ચય અને સત્ય માનું અવલંબન એ જગતને ધ્રુજાવી નાખનાર શક્તિ છે.
૬. “ સુખ સમયમાં છકી નવ જવું, દુ:ખમાં હિંમત ન હારવી; સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઊર ઉતારવી. ’
૭. જીવન એટલે સુખ અને દુ:ખને તાણે!–વાણેા. તાણાવાણા વિના જેમ લુગડું અને નહિં તેમ સુખ દુ:ખ વિનાનું જીવન હાય નહિ. કેવળ સુખ કે કેવળ દુ:ખ હેાવુ તે કલ્પના માત્ર છે, એટલે આપણે સુખ-દુ:ખથી ન ડરીએ. સુખને સેવીએ, દુઃખને સહન કરીએ પણ એકેથી ભય પામીને ખસી ન જઇએ. જીવન જીવવું આકરું છે, દુ:ખ સહન કરવું ખમ કઠીન છે અને તેથી ચે કઠીન સુખ પચાવવું એ છે, અને જીવનના કીમિયા સુખ–દુ:ખ વિષે સમતુલા કેળવવામાં છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૯ ]
૮. જે વધસ્થાનમાંથી તમે મુકત થઇ શકતા ન હૈા તે સ્થળે હસ્તે ચહેરે ઊભા રહેવું એમાં જ ખરી બહાદુરી છે.
૯. સોંકટના સમયમાં હિંમત ધારવી એ અડધી લડાઇ જીતવા સમાન છે.
૧૦. ઘણાં માણસૈાની મહત્ત્વતાના કારણભૂત તેમની પ્રચ’ડ મુશ્કેલીએ જ હોય છે.
૧૧. પ્રકૃતિ જ્યારે મુશ્કેલીઓ વધારે છે ત્યારે સાથેાસાથ બુદ્ધિબળને પણ વધારે છે.
૧૨. જો કે હાનિઓ અને સકટા એ અત્યંત કઠિન પાઠા છે તે પણ તેમાંથી જે મેધ મળે છે તે અન્યત્ર કચાંય પણ મળતા નથી
૧૩. વિપત્તિ એ મહાપુરુષાની ઉન્નત્તિનુ કારણ છે.
૧૪.
""
“ અસત્યામાંહેથી હે પ્રભુ ! તું પરમ સત્યે લઈ જા; ઊંડા અંધારેથી હું પ્રભુ ! તું પરમ તેજે લઈ જા. ૧૫. ‘ સત્યમેવ જ્ઞયતે ’–સત્યના સદા વિજય છે. the simplest
૧૬. The greatest truth are મહાન્ સત્યા સાદામાં સાદા હાય છે.
૧૭. અનિશ્ચિત મનના માણસે કાઇપણ મહાન્ કાર્ય કર્યું નથી.
૧૮. Once resolved the trouble is over-એક વખત નિશ્ચય કરવાથી મહેનતના અંત આવે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
શ્રી પૂરવિજયજી ૧૯. દઢ ઈચ્છા અને નિશ્ચય ધરાવનાર માણસને માટે આ જગતમાં સમય અને તક છે, છે ને છે જ.
૨૦. “ મન gવ મનુષri ri ગંધનોથો ? મન એ જ મનુષ્યને બંધ અને મોક્ષનું કારણ છે.
૨૧. Industry is the parent of success-ઉદ્યોગ એ જ વિજયને જન્મદાતા છે.
૨૨. અધીરાઈ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.
૨૩. Haste is waste-ઉતાવળા સે ન્હાવરા, ધીરા સો ગંભીર.
૨૪. સઘળાં કાર્યોમાં આરંભ કર્યા પૂર્વે ઉત્તમ પ્રકારની તૈયારી કરી રાખવી જોઈએ.
24. Well begun is half done-2412 21324100 થાય એ અડધું કાર્ય થઈ ગયા બરાબર છે,
૨૬. “સંપ ત્યાં જંપ
20. United we stand, divided we fall-21'4 ezté જં૫, કુસંપ ત્યાં પતન.
૨૮. “કરે તેવું પામે, વાવે તેવું લણે.”
RE. Do unto others, as you would be done byબીજા આપણું પ્રત્યે જે રીતે વર્તે એમ ઈચ્છતા હોઈએ તે આપણે પણ તે રીતે તેમને તરફ વર્તવું.
Page #104
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૧ ] ૩૦. ધીરજ મોટી વાત છે, સમતાનાં ફળ મીઠાં છે.
39. Time is more than money-quid glad કરતાં ય વધારે કિંમતી છે.
32. Of all that is best time is the best-2014 સર્વોત્તમ વસ્તુ છે.
૩૩. ગયે સમય પાછો આવતો નથી. ૩૪. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. ૩૫. Delay is dangerous-વિલંબ ભયંકર છે.
36. Idle people never have leisure -24107 માણસોને કદી નવરાશ હોતી નથી.
30. Perseverence overcomes difficultiesખંતથી મુશ્કેલીઓના પર્વત ઓળંગાય છે.
36. Patience and persevernce overcome mountains–ધીરજ, ખંતથી પર્વતે ઓળંગાય છે. ૩૯. “પડે ચડે જીભ વડે જ પ્રાણી,
વિચારીને યાર ઉચ્ચાર વાણી.' . 8o. Kind words are worth much and they cost nothing-માયાળુ શબ્દોની કિંમત ઘણી છે અને તેના કાંઈ પૈસા બેસતા નથી, ૪૧. “કોયલ નવ દે કેઈને, હરે ન કેનું કાગ
મીઠાં વચનથી સર્વને, લે કેમલ અનુરાગ.”
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજય 82. Do good, no matter to whom-017 ago પણ ભલું કરે.
૪૩. પ્રત્યેક જણે પિતાની ભાંજગડ પિોતાની જાતે કરવી. બીજા ઉપર આધાર રાખવો નહિં. “સ્વાવલંબન ” ને જ તમારે મૂળ મંત્ર બનાવે.
૪૪. મનુષ્યને આંતરિક અને બાહ્ય વિધ્ર જેમ અધિક સહન કરવો પડે છે તેમ તેનું જીવન અધિક મહત્વનું અને વિશેષ પ્રેત્સાહક બને છે.
than
words-20e
84. Acts speak loudly કરતાં કાર્યોની અસર ઘણી વધારે છે.
૪૬. If you cannot have the best, make of what you have-જે તમને સારામાં સારી વસ્તુ ન મળે, તો જે કાંઈ તમારી પાસે હોય તેને સારામાં સારે ઉપયોગ કરો.
૪૭. Few have all they need none all they wish કેઈને જ પિતાને જોઈએ તે મળે છે, બધાને પોતે જે ઈ છે તે મળતું નથી. ૪૮. “કઈ લાખે નિરાશામાં, અમર આશા છુપાઈ છે.
ખફા ખંજર સનજાનામાં, રહમ ઊડી લપાઈ છે.” 8. God came at last when think.He is furthestપ્રભુને જ્યારે આપણે દૂર દૂર માનીએ છીએ ત્યારે અંતે તે મદદે આવી પહોંચે છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શેખ સંગ્રહ : ૫ &
[ ૭૩ ] 40. The darkest hour is near the dawn-242164 પહેલાં ખૂબ અંધકાર હોય છે.
૫૧. ચાહે કોટી કરે ઈલાજ, પણ ભાગ્યવિણ મળે ન કેડી.
42. Diligence is of no use where luck is wantingભાગ્ય વગર ખેત કશા કામની નથી.
પ૩. કદિ પણ પતિત ન થવું એમાં કાંઈ પરમ ગૌરવ રહેલું નથી, પણ જ્યારે જ્યારે પતિત થઈએ ત્યારે ત્યારે પુનઃ ઉન્નત થવામાં પરમ ગૌરવ છે.
૫૪. થયેલી ભૂલને હઠીલાઈથી વળગી રહેવા કરતાં થયેલી ભૂલ સુધારવામાં વધારે પ્રબળ સંક૯પની જરૂરિયાત છે.
[ આ પ્ર. પુ. ૨૮, ૫. ૩૮.]
લક્ષ્મીને વાસ કયાં હોઈ શકે?
૧. જ્યાં વડીલજનોને યેગ્ય આદર-સત્કાર-માન અપાય છે.
૨. જ્યાં ન્યાય-નીતિ ને પ્રામાણિકતાથી વ્યવસાય કરાય છે, એટલે દ્રવ્ય ઉપાર્જન માટે અનીતિનું સેવન કરવામાં આવતું નથી, પણ અનીતિને વિષ જેવી ગણી તેને તજી દેવામાં આવે છે.
૬. તેમ જ કલેશ-કંકાસથી જ્યાં સદા દૂર રહેવામાં આવે છે ત્યાં લક્ષમી વાસ હોઈ શકે છે અને ત્યાં લકમી સ્થિર પણ રહી શકે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજી
[ ૭૪ ] દારિદ્રચ-દરિદ્રતા ક્યાં ક્યાં પાષાય અને વૃદ્ધિ પામે ? ૧. જ્યાં જૂગાર રમાતુ હાય છે કે સટ્ટાબાજી ખેલાતી હાય. ૨. જ્યાં સ્વજન-કુટુબીઓ સાથે વિરાધ રખાતા હાય. ૩. જ્યાં ધાતુવાદના છંદ લાગ્યે હાય, તેમાં અઢળક ધન ખર્ચાતું હાય.
૪. જ્યાં નિરુદ્યમીપણું પ્રિય હાય, ને હાડકાં હુરામનાં થયાં હાય.
૫. જ્યાં આવક-જાવકના હિસાબ જ રખાતા ન હાય એટલે આગળપાછળને વિચાર કર્યાં વગર નકામા ખ કરી ભારે થવાતુ હાય, બાપ-દાદાની કીર્તિ ને આબરુની ધૂનમાં તણાઈ જઈ, ભવિષ્યના વિચાર કર્યા વગર ખરાબ થવાતું હાય, બાહ્યાડબરમાં પડી જઇ, ગજા વગર ખેચાતુ હાય ત્યાં અંતે પેાલ ઊઘાડી પડી જાય છે, ભરમ ખુલ્લા પડે છે ત્યારે પેાતાની ભારે હલકાઇ-નિંદા થવા માંડે છે, એટલે પોતાના પશ્ચાત્તાપના પાર રહેતા નથી. વળી લેણદારાને માટે રહેવું ઘણું મુશ્કેલ થઇ પડે છે. એટલે વ્યાપારવણજ ભાંગી–અટકી પડવાથી કુટુ નિર્વાહ કે જીવનનિર્વાહનાં પણ સાંસાં પડે છે અને છેવટે નાદારી નોંધાવવા જેવા વખત આવે છે. આ રીતે અવિચારી-અવિવેકી વર્તનવડે પેાતાની મેળે પાયમાલી વ્હારી લેવામાં આવે છે. તેવે સ્થળે દરિદ્રતાને સહેજે સ્થાન મળે છે. તેનાથી બચવા ઇચ્છનારા તે તે દેષથી વિરમી, ચેતીને ચાલે-ચાલતાં શિખે.
[ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૪.
Page #108
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ ?
[ ૭૫ ] જૈન દર્શન અને ઈતર દર્શનેને તત્ત્વજ્ઞાન અને
વિજ્ઞાનશાસ્ત્ર સંબંધી મુકાબલો, જૈનદર્શન સંપૂર્ણ નગર્ભિત હોવાથી પ્રમાણરૂપ તત્વજ્ઞાનરૂપ છે, અને ઇતર દર્શન કેઇ એક નયને નિર્દેશ કરી વિરમતા હોવાથી તેના એક અંશરૂપ વિજ્ઞાનરૂપ ગણાય. સમુદ્રમાં સર્વ નદીઓ સમાઈ શકે પણ કેઈએક નદીમાં સમુદ્ર શી રીતે સમાય ? તેથી એક પંડિતે પોતાના ગ્રંથમાં છેવટે જણાવ્યું છે કે “જૈનશાસ્ત્રમાં સઘળાં શાસ્ત્રો દેખાય છે અને ઈતર શાસ્ત્રોમાં તેની ભજના એટલે જેનશાસ્ત્ર હોય કે ન હોય અથવા વિભાગથી હેય. ” એમાં જરાએ અતિશયોક્તિ નથી. તેમ જ તેમાં નવીનતા નથી, કોઈ દેવી ચમત્કાર નથી, તેમાં કાંઈ આશ્ચર્યકારક ઘટના પણ નથી. કારણ સાદું અને સહજ છે કે જેનદર્શન તત્વજ્ઞાનશાસ્ત્ર છે અને ઇતર દર્શન વિજ્ઞાનશાસ્ત્રો છે. એટલે એ બંનેને વ્યાપ્ય વ્યાપકભાવ હોય જ એ સ્વાભાવિક છે. ઈત્યાદિ ઉલેખ તેમના ગ્રંથમાં છે અને આગળ પણ પોતે જણાવે છે કે “ગ્ય પાત્રોને શાસ્ત્ર-રહસ્ય ન આપનાર અને અગ્ય પાત્રોને રહસ્ય આપનાર એ બને ય આચાર્યો પ્રાયશ્ચિત્તના ભાગી છે. ”
શંકરાચાર્ય જેવી સમર્થ વિદ્વાન વ્યક્તિને પણ જૈનદર્શન સમજવાની-જાણવાની બરાબર સગવડ ન મળવાથી જેનોને અમાન્ય વસ્તુઓ પણ પોતે માન્ય તરીકે લખી નાખી છે ને પછી તેનું ખંડન કરવા તત્પર થયા છે. નજીવી અને સામાન્ય બાબતોમાં ભૂલ ખાધી છે. તેનું કારણ તેમને વસ્તુસ્થિતિ જાણવાની સગવડ જ ન મળી શકી હોય એમ લાગે છે.
[ આ. પ્ર પૃ. ૩૦, પૃ. ૨૮૯. ]
Page #109
--------------------------------------------------------------------------
________________
[ ૭૬ ]
શ્રી કરવિજયજી વિજ્ઞાન અને તત્વજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા.
તેની ધર્માચરણથી જ સાર્થકતા. જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષે વિસ્તાર પૂર્વક વિગતવાર હકીકત એકઠી કરી સિદ્ધાન્ત નક્કી કરનાર શાસ્ત્રો વિજ્ઞાનરૂપ કહેવાય છે, અને તે સમગ્ર વિજ્ઞાનનું એકીકરણ કરી પરસ્પર સંબંધે નક્કી કરી આખા વિશ્વની ઘટનાઓ સાથે પરસ્પરનો મેળ બેસાડી આપનાર શાસ્ત્ર-- તત્ત્વજ્ઞાન કહેવાય છે. બંને વચ્ચેને આ ભેદ બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
ધર્મજ્ઞાન એટલે અધ્યાત્મ-શાસ્ત્ર, એ તત્વજ્ઞાનશાસ્ત્રનું એક મેટું અંગ છે પણ ધર્માચરણનું તત્વજ્ઞાન એ પેટા અંગ છે. ધર્મજ્ઞાન સમજીએ તો ધર્મનું અને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પરંતુ ધર્મના આચરણ પ્રસંગે તત્વજ્ઞાન માત્ર સ્થિરતા અને પ્રગતિ માટે ઉપયોગી થાય છે, તેથી તે ધમાચરણનું એક અંગ બને છે. તત્વજ્ઞાનના સારને અમલ કરવા ધર્માચરણ જ ઉપયોગી છે.
ધર્મ એ મહાન પ્રગતિમાર્ગમાં પ્રયાણરૂપ ક્રિયાત્મક એક વસ્તુ છે કે જે જગતમાં સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે, અને તત્ત્વજ્ઞાન માત્ર જ્ઞાનસ્વરૂપ છે, જે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે પરંતુ ધમચરણથી તેને બીજો નંબર છે. યેગશાસ્ત્ર વાંચવા માત્રથી
ગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેવી જ રીતે અધ્યાત્મશાસ્ત્ર કે તત્ત્વજ્ઞાનશાસ્ત્ર જાણવા માત્રથી ધર્મ વિષે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તત્વજ્ઞાન અને ધર્મની અત્યંત નજદીકનું
Page #110
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ ઃ
[ ૭૭ ]
અધ્યાત્મશાસ્ત્ર જિંદગીભર વિચાર્યા કરે તે પણ ધર્માચરણથી થતા જીવનવિકાસ તેથી થવાના સભવ નથી. તત્ત્વજ્ઞાન વિચારનારને કોઇ ને કેાઇ વખત ધર્માચરણ કરવું જ પડશે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૯૦. ]
પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિનુ ફળ કઇ રીતે મળે ?
તત્સંબંધી શાસ્ત્રસમ ન.
૧. રાગદ્વેષાદિક દોષથી મલિન થયેલું મન ભવભ્રમણ હેતુક અને છે. અને સકળ દોષથી મુક્ત થયેલુ મત મેાક્ષદાયી નીવડે છે. આવા કારણથી જ અન્ય પડિતા પશુ ચિત્તશુદ્ધિના સંબંધમાં આવી રીતે માને છે.
૨. રાગાદિક કલેશથી વાસિત થયેલું ચિત્ત જ ખરેખર જન્મ-મરણુજન્ય સંસારરૂપ છે અને તે ાગાદિક વિકારથી સર્વથા મુક્ત થયેલું મન જ મેાક્ષરૂપ છે.
૩. આ અત્યંત ગૂઢતત્ત્વ તુજને કહું છું કે સારી રીતે સંસ્કારિત કરેલું ચિત્તરૂપી શ્રેષ્ઠ રત્ન જ અતિ યત્નથી સાચવી રાખવું. તેને મેાકળુ રઝળતું ન જ મૂકવું.
૪. જ્યાંસુધી વાયુથી પણ અધિક વેગવાળુ તારુ'મન વિવિધ વિષયામાં દોડાદોડ કરે છે ત્યાંસુધી તને સાચા સુખના ગધ પણ આબ્યા નથી એમ જાણજે.
૫. જ્યારે માન–પ્રતિષ્ઠા મનમાં ભૂંડની વિષ્ટા જેવી અનિષ્ટ લાગશે, રાજયનુ સુખ રજ જેવુ નિર્માલ્ય લાગશે અને વિષય
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી ભેગ પણ રોગની જેવા અળખામણું લાગશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૬. જ્યારે તારું ચિત્ત બહાર ભટકવાનું તજી દઈ, સ્થિરતાને પામી નિ:સ્પૃહ બની જશે ત્યારે જ તેને પરમસુખ પ્રાપ્ત થશે.
૭. જ્યારે તારું ચિત્ત ધ્યાનસરેવર મળે આત્મગુણાસ્વાદરૂપી કમળમાં ભ્રમરની જેમ લીન થઈ જશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૮. જ્યારે તારું મન મનહર સ્ત્રીઓમાં અને કાળી મસીમાં સમભાવ ધારણ કરશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૯ દેદીપ્યમાન રત્નમાં અને મોડીમાં જ્યારે તારી મનોવૃત્તિ એક સરખી થઈ જશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૦. મેઘના આવરણ અને રાહુના અંતરાયથી રહિત એવા ચંદ્રમાની જેવું નિર્મળ તથા રજોગુણ અને તમગુણ વિનાનું જ્યારે તારું ચિત્ત થશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૧. ક્રોધાતુર થયેલા શત્રુ ઉપર અને શુદ્ધ અંત:કરણવાળા સજન ઉપર જ્યારે તારું મન સમભાવ ધારણ કરશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૨. જ્યારે તારું મન વાઘથી જેટલું ડરે તેટલું પરનિંદાથી અને વિષધરથી જેટલું ડરે તેટલું પરદ્રોહથી ડરતું રહેશે અર્થાત પ્રાણાતે પણ પરનિંદા અને પરદ્રોહમાં પ્રવૃત્તિ કરશે નહિ ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
Page #112
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૯ ] ૧૩. ચંદનને વિષે સુગંધની જેમ તારા ચિત્તને વિષે જ્યારે ધર્મ સદાકાળ એક સરખી રીતે પરિણમશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૪. શીત, તાપાદિક ભવડે જ્યારે ચિત્તની લગારે લાગણી દુખાશે નહિ અને સર્વ સાધક–બાધક ભાવોને એક સરખી રીતે રહી શકે એવી અભેદવૃત્તિ થશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૫. જ્યારે તારું ચિત્ત અનાદિ વાસનારૂપ વાયરાવડે જ્ઞાન માત્રના આસ્વાદનથકી અન્ય સ્થળે દેરાઈ નહીં જાય, પરંતુ કેવળજ્ઞાનના રસમાં જ મગ્ન બન્યું રહેશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૬. જ્યારે સમ્યગજ્ઞાનરૂપી નિર્મળ નીરવડે અને દુર્ધર વ્રતરૂપી તીક્ષણ ક્ષારવડે તારું ચિત્તરૂપી વસ્ત્ર સર્વ પાપરૂપી મળથી રહિત-શુદ્ધ થશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૭. જ્યારે તારું ચિત્ત (તારો આત્મા) સંપૂર્ણ જ્ઞાનવડે જગતના નાના-મોટા સર્વ જીવોને સમદષ્ટિથી જોશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૮. પાણીના પરપોટા જેવા (ક્ષણિક ) સર્વ સાંસારિક ભાવોને સંહરીને (સમેટીને) ચિત્ત જ્યારે આત્મઉદધિમાં (સાગર-રત્નાકર મધ્યે) સ્થિતિવાળું થશે, અર્થાત્ જ્યારે ચિત્ત સર્વ સાંસારિક પદાર્થો ઉપરથી સર્વથા વિરક્ત–ઉદાસીન બની પરમશાંતિના સ્થાનરૂપ આમામાં જ સ્થિત થશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજયજી ૧૯પરવસ્તુની અપેક્ષાવાળી પરાધીનતા તજી દઈને જ્યારે ચિત્ત અનુભવ સામ્રાજ્યને જ સ્વાધીન કરવા ઈચ્છશે ત્યારે જ તેને પરમસુખ પ્રાપ્ત થશે.
૨૦. સુષુપ્તિ ( નિદ્રા ), સ્વપ્ન અને જાગૃત એ ત્રણે અવસ્થાને ઉલ્લંઘી જ્યારે તારું ચિત્ત ઉજાગર દશારૂપ ચોથી અવસ્થાને અનુભવ લેશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૫૬ ]
સંત-સમાગમ દુર્લભ છે ૧. શત્રુ અને મિત્ર વિષે, માન તથા અપમાન વિષે, લાભ અને અલાભ વિષે, તેમ જ માટીના ઢેફા અને સુવર્ણ વિષે જેની સમાન દષ્ટિ હોય છે, સમ્યક્ત્વની ભાવનાવડે જેના પરિણામ શુદ્ધ હોય છે, જે જ્ઞાન-વિદ્યાભ્યાસમાં સદા તત્પર હોય છે, જે ચારિત્રનું પાલન કરવામાં સદા સાવધાન હોય છે અને જેને અભિલાષા માત્ર એક મેક્ષસુખની જ હોય છે એવા ઉત્તમ આદર્શ— સાધુને સમાગમ પામી, જે તેને લાભ લઈ ન જ શકે તે દુર્ભાગી પ્રાણી મનુષ્ય જન્મના ઉત્તમ લાભને સર્વથા હારી જાય છે.
૨. શીતળ સદા સંત સુરપાદપ અર્થાત્ ઉત્તમ કલ્પવૃક્ષ સમા સંતપુરુષને સુભાગ્યે સમાગમ પામી તેને ઉત્તમ લાભ લેવા ચૂકવું નહીં.
૩. તેવા અમૃત દષ્ટિવાળા, કરુણાળુ સંતપુરુષે આપણામાં કંઈ એવી ગ્યતા દેખી આપણને એગ્ય માર્ગ બતાવે છે, તે પ્રમાણે સુશ્રદ્ધાથી ચાલતાં આપણે સહેજે સુખી થઈ શકીએ.
Page #114
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૧ ] ૪. વિનય એ એક અજબ વશીકરણ છે. એથી એવા સંતજને પણ સુપ્રસન્ન થઈ જાય છે.
૫. વિનય વેરીને પણ વશ કરે છે, તો તેવા ઉપકારી સંત મહાત્માનું શું કહેવું ?
[ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૨૧ ]
સુપાત્ર લક્ષણ ૧. જેઓ મન, વચન અને કાયાના સંયમવડે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, સદાચારનું આચરણ કરનાર હોય, જ્ઞાનની સંપદાથી યુક્ત હાય, તથા સર્વ પ્રાણુ વર્ગ ઉપર કરુણવંત હોય તે સુપાત્ર કહેવાય છે.
૨. તેમ જ જેઓ વૈર્યભાવનાવડે યુક્ત હોય, સત્વભાવના સહિત હોય અને તત્વજ્ઞાનમાં જ ચિત્તને સ્થાપનારા હોય તેવા ઉત્તમ પુરુષે જ દાતારને સુપાત્રરૂપ છે.
૩. સુપાત્રરૂપ મહાપુરુષ ધર્યભાવનાવડે દુ:ખને નાશ કરે છે, તત્વભાવનાવડે ભવ-ભ્રમણને નાશ કરે છે અને જ્ઞાનભાવનાવડે કર્મને નાશ કરે છે.
૪. જેઓ સમતાને વિષે જ આગ્રહી છે, કર્મ–શત્રુઓ સાથે જ જેઓ યુદ્ધ કરે છે અને વિષયસુખની ઈચ્છા પણ જેઓ રાખતા નથી તે ઉત્તમ યતિ–સાધુઓ જ સુપાત્ર છે.
૫. જેઓ સર્વ સંગ રહિત છતાં સદાચારના સંગવાળા
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
શ્રી કપૂરવિજયજી છે, સર્વ વસ્તુઓ ઉપર સનેહ રહિત છતાં શાસ્ત્ર ઉપર સનેહવાળા છે, અને આભૂષણ રહિત છતાં તારૂપી આભૂષણથી ભૂષિત છે એવા ગીજને જ સદા સુપાત્રરૂપ છે.
૬. જે ઉદાર ચિત્તવાળા સદા સ્વશરીર ઉપર પણ મમતા રહિત છતાં સર્વ જીવેનું હિત કરવામાં રક્ત છે તેવા સંયમીજને જ સુપાત્ર છે.
[ આ. પ્ર. પુ૨૮, પૃ. ૧રર ]
સત્સંગ-સંતસમાગમ કેમ કરતું નથી ? સંત બડે પરમારથી, ઉનકા શીતળ અંગ; તપન બૂઝાવે એરકી, લગા દે અપના રંગ. તુલસીદાસ શીતળ સદા સંત સુરપાદપ.” -ચિદાનંદજી કાયા કાગે કુંભ છે, જીવ મુસાફર પાસ; તારે ત્યાં લગી જાણજે, જ્યાં લગી શ્વાસે શ્વાસ.” (જીવ ) “મનથી જ બાંધે ને મનથી જ છોડે. »
-પ્રસન્નચંદ્ર રાજર્ષિ ૧. કામ, કેધ અને લેભ એ ત્રણે દુર્ગુણોને તજવાથી જ કલ્યાણ સાધી શકાય છે.
૨. “કીડીને કણ અને હાથીને મણ” એમ સિને ભાગ્ય પ્રમાણે ઉદ્યમ કરતાં મળી રહે છે.
૩. જે કંઈ નીતિથી મળે તેમાં જ સંતોષ માની, અંતઃકરણ કમળ રાખી જન્મ સુધારે.
Page #116
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૩ ] ૪. “મનકા ફેરત જન્મ ગયો, ગયા ન મનકા ફેર;
કરકે મનને છોડકે, મનકે મનકે ફેર.” માળાના મણકા ફેરવતાં ફેરવતાં જન્મારો-જન્મ ગયે, પણ મનને ફેર–મનની ચંચળતા ન ગઈ માટે હાથમાં ફેરવવાની માળાના મણકા છોડીને મનના મણકાને ફેરવ. એટલે મનની ચંચળતા તજી દે જેથી મન શુદ્ધ થાય.
૫. “વંતિ: રથ ઉ ર ોતિ ઈનામ?” સંતપુરુષોની સત્સંગતિથી માણસને શું શું લાભ નથી મળતો? તાત્પર્ય કે સર્વ પ્રકારના લાભ મળે છે.
૬. “સત્સંગ સબનકે સાર” સર્વમાં સત્સંગ તે સાર વસ્તુ છે, એમ સમજી સત્સંગ કરે અને કુસંગ તજવો.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૫૪]
પર્યુષણ પ્રસંગે ૧. સહુનું શુભ જ ચિંતવવું, શુભ જેઈને કે જાણીને રાજી થવું, બને તેટલું શુભ કરવા તત્પર રહેવું, જ્યાં શુભ થવાને અવકાશ જ ન હોય ત્યાં કેવળ ઉપેક્ષા યા માધ્યસ્થતા ધારણ કરી આત્મસુધારણા તરફ અધિક લક્ષ આપવું.
૨. કોઈએ જાણતા અજાણતાં આપણે અપરાધ કયો હોય તે મનમાં રોષ ન રાખો.–થયું ન થયું થતું નથી” એમ સમજી સમતા રાખવી.
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
શ્રી કપૂરવિજયજી ૩. આપણે પોતે આ જન્મમાં અને અન્ય જન્મમાં જાણતાં અજાણતાં કેટલાં પાપ સેવ્યાં હશે? કેટલા અપરાધ કર્યા હશે? હવે તેમાંથી છૂટવા પ્રયત્ન કરે જોઈએ.
૪. “ક્ષણ લાખેણે જાય.” “સારા કામમાં સો વિઘ” એમ સમજીને આપણે સદા પોકારીએ છીએ છતાં વિષયકષાય અને વિકથાદિકમાં પ્રમાદવશ બની, વખતને કેટલે બધે ગેરઉપયેગ કરાય છે? અને તેની વિમાસણ પણ ભાગ્યે જ કરાય છે, તે પછી તેનાં ફળ-વિપાક-પરિણામ ભોગવવાને પણ આપણે તૈયાર રહેવું જ જોઈએ. પોતાનામાં તથાવિધ ગુણ વગર તેને ખેટે આડંબર કરે જીવને કેમ ગમતો હશે ? કહે છે કે જેવી ગતિ એવી મતિ, તો તેવા મિથ્યાડંબરથી જીવને શું દુર્ગતિમાં જવું હશે ? નહીં તો જીવને એવી દુર્મતિ સૂઝે જ કેમ ?
૫. જે સાચા દિલથી કે શુદ્ધ અંત:કરણથી જીવને પાપનો પસ્તાવો થયેલ હોય તો ફરી ફરી તેવાં પાપથી પાછા ઓસરી, શુભ માર્ગે ચાલવા અવશ્ય પ્રયત્ન કરે, તે જ સામાયિક, પ્રતિક્રમણાદિક ધર્મકરણ કરી લેખે થાય નહીં તે પછી ઘાણીના બળદની જેમ ફેગટના ફેરા ફરી ફરી હતા ત્યાં ને
ત્યાં જ રહેવાના, માટે મેહ–અજ્ઞાનવશ જીવ પિતે કેટકેટલા પાપ બાંધી ભારે થતું જાય છે તેની તેને સૂઝ પણ પડતી નથી. એવા અનર્થદંડરૂપ પાપોથી બચવા જીવને સન્મતિ સૂઝે !
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૫૫. ] [UE
Page #118
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૫ ] ઉન્નતિને પંથે (ચાર ગુણની પ્રાપ્તિ ) ભાવથી ગૃહધર્મ જેને પ્રાપ્ત થાય છે તેનામાં ચાર ગુણ અવશ્ય પ્રગટે છે.
૧. આત્મશાંતિ–આત્મા આત્માકારે પરિણમે ત્યારે અંદુભુત આનંદ પ્રગટે છે.
૨. મનને સંતોષ–આસક્તિ વિનાનું મન થાય છે અથવા વિષયાદિકમાં આસક્તિ ઓછી થતાં મન દોડાદોડી કરવાનું કામ બહુ જ ઓછું કરતું હોવાથી મનની શાંતિ ટકી રહે છે, અથવા કર્મના સિદ્ધાંત જાણતા હોવાથી જે થાય છે તે એગ્ય થાય છે એમ સમજી, બહુ ઉત્પાત કે હાય ના કરતાં તેમાં સાક્ષીભાવે રહે છે તેથી શાંતિ મળે છે.
૩. કર્મબંધનની ક્ષીણતા–તેને કમની આવક ઓછી થાય છે, કર્મની દીર્ધ–લાંબી સ્થિતિને તે બાંધતો ન હોવાથી, કર્મનો બોજો હલકે થવાને લીધે મન કુર્તિવાળું ને સાત્વિક બને છે.
૪. પરિમિત ભ્રમણ-સંસાર પરિભ્રમણનો ભય ઓછો થાય છે. પિતાનાં તાત્વિક જ્ઞાન અને શુદ્ધ વર્તનથી તેને સંતોષ થાય છે. તેનું મન કબૂલ કરે છે કે હવે મારે વધારે ભવભ્રમણ કરવું પડશે નહીં.
[આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૩૫.]
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
શ્રી કરવિજયજી નીતિ બેધ-વચને. ૧. “નીતિ એ ધર્મની પરિચારિકા છે.” ધર્મની પહેલાં નીતિ હેવી જ જોઈએ. માણસે પિતાના સાધ્યને સિદ્ધ કરવા માટે કોઈ પણ દિવસ નીતિથી–નીતિના માર્ગથી ચુત થવું ન જોઈએ.
૨. તમે તમારી સમક્ષ ઉચ્ચ અને પૂર્ણ આદર્શ રાખે. ૩. દરેક કાર્ય કરે તેમાં તમારો આશય શુદ્ધ રાખે.
૪. “ કુદતા પહેલા આગળ દૃષ્ટિ કરો” કોઈ પણ કાર્ય શરૂ કરો તે પહેલાં તેને બરાબર વિચાર કરો.
૫. આરંભેલું કામ વચમાં આવતી મુશ્કેલીઓને લીધે છેડે નહિ. ગુલાબનાં ફૂલને કાંટા હોય છે, જેથી તમારા પ્રયાસમાં પાછાં નહીં હઠતાં કાંટાને દૂર કરે, મુશ્કેલીઓને વટાવો અને તમારે માર્ગ ચેખે કરો. (શૂરવીર–સજજનનું એ લક્ષણ છે.)
૬. “જે પોતાને મદદ કરે છે તેને જ દેવ મદદ કરે છે.” કઈ દિવસ બીજાના ઉપર આધાર ન રાખો. તમારી શક્તિમાં પૂર્ણ વિશ્વાસ રાખો અને ત્યારબાદ તમારા કાર્ય કરો.
૭. આશાવાદી બને, કદિ પણ નિરાશ ન થાઓ. એમ માનીને કે “જે કાંઈ થાય તે સારા માટે.”
૮. તમારા વ્યવહારમાં હમેશાં પ્રમાણિક બને, કદાપિ અર્ધા દિલના ન બને. તમારી શક્તિ એગ્ય માર્ગે દોરે.
Page #120
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૭ ] ૯. સ્વચ્છતાનું રહસ્ય સારી પેઠે સમજી તમે સ્વચ્છ અને સુઘડ બને; અને આસપાસ પણ સ્વચ્છતા ને વ્યવસ્થા રચે.
૧૦. બાહ્ય સ્વચ્છતાની સાથે મનની પવિત્રતાને મેળ હવે જોઈએ.
૧૧. “પોતાને ઓળખો.” તમારામાં ઘણું ગુપ્ત શક્તિઓ છુપાએલી છે. તેને નકામી પડી રહેવા ન દે. દરેક શક્તિને ગ્ય કાર્ય સેપે અને એ રીતે શક્તિને વિકાસ સાધે.
૧૨. જગતની કોઈપણ ચીજને નકામી ન ગણે. તેનું વિવેકથી પૃથક્કરણ કરે-કરતાં શિખે, જેથી તેનું ખરું રહસ્ય સમજાશે.
૧૩. તમારા વિચારોને ઉતાવળીયા નિર્ણયથી તણાઈ જવા ન ઘો. ઊંડે વિચાર કર્યા વગર તમારો નિર્ણય જણાવે નહીં.
૧૪. કેઈના ઉપર-તરફ દુષ્ટ ઈચ્છાબુદ્ધિ નહીં રાખેછેષ નહીં રાખે.
૧૫. સરલ અને સ્પષ્ટ વક્તા બને. મનને ચેખું-પ્રસન્ન રાખે. ૧૬. હમેશાં વિનયીનમ્ર-મૃદુ સ્વભાવના બને.
૧૭. દરેક તરફ દયાવાન બને. તમારી મદદ શેતે આવે તેને કોઈ જાતના સંકેચ કે ભેદ વિના આપે, તેને બદલે તમને મળી રહેશે. અભય આપીને તમે અભય મેળવી શકશે.
૧૮. તમારાથી ઉતરતા દરજજાના માણસો સાથે વાત કરતા
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી કરવિજયજી હો ત્યારે પણ મોટાપણાને ઘમંડ ન રાખે. મળતાવડા અને માયાળુ બને. સ્વમાન પણ સાચવે કે જેથી તમારી ભલમનસાઈને દુરુપયોગ ન થાય.
૧૯. કોઈપણ વાતને અહંકાર ન કરે. આપણું કરતાં વધુ સારા, વધુ શક્તિશાળી, પરોપકારી માણસે હોય તેમનું અનુકરણ કરશે.
૨૦. તમારા વ્યવહારમાં હમેશાં સરલ બને. જે એક વાર પ્રતિષ્ઠા ગુમાવશે તે તમે હંમેશના ગયા સમજે માટે પ્રતિષ્ઠા જાળવી રાખશે.
૨૧. પ્રામાણિકતા એ સૌથી ઉત્તમ સિદ્ધાન્ત છે. સામાન્ય બાબતમાં પણ હંમેશ પ્રમાણિક બને. અપ્રમાણિક માણસ જીવનમાં કદાપિ સફળ થશે નહીં.
૨૨. કોઈ પણ વાતનો બેટો ડોળ કરો નહીં. ઘણાએક ઘણું બેલી કર્તવ્યમાં મૂકે છે, જ્યારે તમે ડું બેલી ઘણું કરી બતાવે.
૨૩. બીજા તમારી-તમારા ગુણની પ્રશંસા કરે ત્યારે તમે તમારી જાતને ભેળો નહીં, આત્મલાઘા કરે નહીં, તેમ ઈચ્છા પણ નહીં.
૨૪. હંમેશા બહાદુર અને હિંમતવાન રહે તે જયવિજય પામશો.
૨૫. તમારી જાતને દુઃખથી કસતા રહે, તેનાથી ટેવાઈ તમે મજબૂત બનશે, જેથી તમારા જીવનમાં કંઈ ડરવાનું રહેશે નહીં.
Page #122
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૯ ] ૨૬. આવતી કાલને વાયદે છેડે નહીં, જે સારું કામ આજે જ કરવું જોઈએ તે કાલ ઉપર ન રાખે. વચમાં રાત્રિયોગે કદાચ તમારા વિચાર બદલાઈ જાય.
૨૭. તમે બીજા તરફથી જેની આશા રાખો તે જ પ્રમાણે બીજા તરફ તમે વર્તે. સહુને અનુકૂળ થઈને ચાલવાનું પસંદ કરો.
૨૮. દરેક માણસને બંધુરૂપ–ભાઈ સમાન સમજે. તેને માટે તમારાથી બનતું કરે. એક બીજાને મદદ કરવી એ આપણી ફરજ છે.
૨૯. સાચું સુખ દરેકને સ્વસમાન ગણવામાં જ અને બીજાનું ભલું કરવામાં જ સમાયેલું છે. જે એમ ન થઈ શકે તે જીવનની સાર્થકતા શી ?
૩૦. જિંદગી માત્ર ક્ષણિક સુખવિલાસ માટે નથી, પણ ઘણે ઉચ્ચ ઉદ્દેશ-જીવનઉદેશ સિદ્ધ કરવા માટે છે.
૩૧. સમય બરબાદ ન કરે. જે સમય ગુમાવશે તે ફરી આવશે નહીં.
૩૨. દરેક જણ પાસેથી કાંઈક પણ સદગુણ ગ્રહણ કરવાને પ્રયાસ કરો, તેની ભૂલે-ખામીઓ તરફ ન જુઓ. તેની ઊજળી બાજુ જુઓ. દરેક ચીજ આપણને શિખામણ લેતાં આવડે તે આપી રહી છે.
૩૩. દરેક કામમાં આસ્તા રાખ-રાખતાં શિખે.
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી કર્ખરવિજયજી ૩૪. આદત ઘડવામાં હમેશાં કાળજી રાખે, સારી આદત જરૂર પાડવી, નઠારી પડવા ન દેવી.
૩૫. તમારા નિણત કરેલાં કાર્યોમાં નિયમિત બને. નિયમિત માણસને વિશ્વાસ થઈ શકે છે, બીજાને નહીં.
૩૬. સહુની સાથે દયા અને પ્રેમની લાગણીથી વર્તો.
૩૭. કેઈને પણ તિરસ્કાર ન કરે. બીજાની લાગણી અનુભવતાં શિખે અને તે મુજબ તમારા માર્ગોને દેરો.
૩૮. કેઈને પણ પીડા ન ઉપજાવે. સહુને આત્માની જેમ ચાહે.
૩૯. કદાપિ સત્ય છોડે નહીં અને અસત્ય વદે નહીં. બીજાની સાથેના વ્યવહારમાં હમેશાં સાચા ને પ્રમાણિક બને. મશ્કરીમાં અસત્ય ન આવે તેવા પ્રયાસ કરે. માયામૃષા કદાપિ ન જ સે.
૪૦. ભજ્યાભક્ષ્ય અને પેયાપેયને બરાબર ખ્યાલ રાખે.
૪૧. જો તમે આધ્યાત્મિક ઉન્નતિ અને તંદુરસ્તી ચાહતા હે તે કદાપિ અભક્ષ્ય ભક્ષણ ન કરે. માદક વસ્તુથી દૂરપરહેજ રહો.
૪૨. સત્ય અને સરલ માગે ચાલો. સાદાઈ અને સંયમ આદરે.
૪૩. તમારી પાસે જે કાંઈ હોય તેનાથી સ્વાત્મસંતોષી રહે, જેથી તમોને હંમેશનું સુખ જણાશે. તમને જે કંઈ
Page #124
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[૧] મિલકત બીજાએ સુપ્રત કરી હોય તે બાબત કદાપિ પણ વિશ્વાસઘાત કરતા નહીં.
૪૪. પ્રથમના પચ્ચીસ વર્ષ સુધી બ્રહ્મચારી જીવન ગુજારે. ત્યારપછી ગૃહસ્થ જીવનમાં સ્થિર થાઓ. ગૃહસ્થાશ્રમમાં અનેક જાતની ફરજો બજાવવાની હોય છે તેને ન વિસારે. વિષયવાસના ઓછી કરવાથી તે બની શકે છે.
૪૫. વિષયવિકાર વધે એવા બાહ્ય-રંગથી સુજ્ઞજનોએ મહાવું ન જોઈએ. તત્ત્વદષ્ટિથી વિચાર કરતાં વિષયવિકાર ઉપર જય મળી શકશે.
૪૬. માનસિક શક્તિઓના વિકાસને આધાર બહુધા બ્રહ્મ ચર્ય પાળવા ઉપર રહે છે, જેથી હંમેશા વિચાર, વાણું તેમ જ વર્તનમાં સંયમી બને–ર–રહેવા પ્રયત્ન કરો.
૪૭. કઈ પણ ખરાબ વિચારને પોતાના મનમાં પેસવા નો.
૪૮. સ્ત્રી સાથે એકાંત સેવન કરે નહીં, તેની સાથે હાંસી મશ્કરી કરો નહીં, તેમ જ તેના અંગે પાંગાદિની સુંદરતા નિહાળે નહીં.
૪૯ તમારા વિકારો અને સ્વાદો ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરે. વિકારોના ગુલામ ન બનતાં તેમને કાબૂમાં રાખે.
૫૦. જેમ તમારી જરૂરિયાત ઓછી તેમ તમે વધારે સુખી રહેશે.
૫૧. પગ જોઈને પાથરણું ખેંચે. તમારા ખર્ચને આવકની હદમાં રાખવાની કાળજી રાખો. બીજાઓ પાસેથી લઈ દેવું કરે નહીં.
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
શ્રી કરવિજયજી ખાસ કરીને તમારા મિત્ર-સ્વજનના લેણદાર કે દેણદાર ન બને; નહીં તો કદાચ તમારે મિત્રતા અને પૈસો બને ગુમાવવા પડશે.
પર. કસોટી કર્યા વગર કેઈને વિશ્વાસ કરશે તે તમારે પસ્તાવું પડશે. સચ્ચાઈની કસોટી કર્યા પહેલાં કેઈમાં વિશ્વાસ મૂકે નહીં.
૫૩. મિત્રની પસંદગીમાં ખાસ કરીને એ બાબતની કાળજી રાખે.
૫૪. જાહોજલાલી મિત્રો મેળવે છે અને મુશ્કેલી તેની કટી કરે છે. જે ખરું હિત ઈચ્છતા જ હો તે સાચા મિત્રને શોધી તેને જ ખૂબ આદર કરો, જેથી બને ભવ સુધરી શકે
૫૫. એક સ્વાર્થ-મિત્ર હોય છે અને બીજા નિ:સ્વાર્થમિત્ર હોઈ શકે છે, તેને ભેદ સમજી તેને યોગ્ય આદર કરે.
પદ. ગો અને પન્નગ( ગાય અને સાપ)ની પેઠે પાત્રાપાત્રનો વિવેક કરવા ગ્ય છે. ગાયને ખવરાવવામાં આવતાં ઘાસમાત્રમાંથી અમૃતસમું દૂધ નીપજે છે અને સાપને પાવામાં આવતાં દૂધમાંથી વિષ-ઝેર પેદા થાય છે. પાત્રાપાત્રમાં કેટલે બધે અંતર-તફાવત છે ?
૫૭. અજ્ઞાનવશ એવા કોઈને તેની પ્રકૃતિ કે નબળાઈને માટે ખીજવશે નહીં. આપણે તેને સારું દષ્ટાંત બતાવવું અને ખરો માર્ગ બતાવ.
૫૮. જે સદગુણ આપણે જીવનમાં ઉતાર્યો હોય તે સંબંધી સામાને સચોટ સમજાવી છાપ પાડી શકાય છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૨૬. ]
Page #126
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯૩ ] ઈચ્છા અને માર્ગ ૧. દઢ ઈચ્છાથી માર્ગ અવશ્ય મળવાને. ૨. કાં તે હું માર્ગ શોધી કાઢીશ અને કાં તે તેને બતાવીશ. ૩. દઢ ઈચ્છા કરી શકનારને માટે કેઈપણ કાર્ય અશકય નથી.
૪. એક મજબૂત અંતઃકરણની દઢ ઈચ્છા હજારો માણસોને થર થર ધ્રુજાવી મૂકે છે. એક સુકલકડી ઠીંગુજી પોતાની દઢ ઈચ્છાથી સઘળી બાજી ફેરવી નાંખે છે ને ધાર્યું કામ કરી શકે છે.
૫. જે માણસ એમ ધારે છે કે અમે અમુક કાર્ય કરવાને શક્તિમાન છીએ તેઓ જ તે કાર્ય કરી શકે છે. ચારિત્રબળ એ સંપૂર્ણ વિકાસ પામેલી ઈચ્છા જ છે.
૬. ઈચ્છાશક્તિનો વિકાસ કરે એ આપણા જીવનને ઉદ્દેશ છે. દઢ નિશ્ચય ધરાવનાર માણસને માટે આ જગતમાં સમય અને તક છે, છે ને છે જ.
૭. અડગ નિશ્ચય અને સત્યમાર્ગનું અવલંબન એ જગતને હલાવી (આકષી) નાખનાર શકિતઓ છે.
૮. ઝળકતી કારકીર્દિવાળા promising તરુણના શબ્દકોષમાં નિષ્ફળતા જે કોઈ શબ્દ જ હોતો નથી.
૯. નિરંતર આગળ ધપવાની ટેવ અને શ્રદ્ધા એ સઘળી મુશ્કેલીઓને હંફાવી નાંખે છે.
૧૦ જ્યારે એક દઢ નિશ્ચયવાન માણસ જાહેરમાં આવે છે ત્યારે તેની આસપાસની જગ્યા કેવી સાફ થાય છે અને તેને
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
શ્રી કપૂરવિજયજી માટે કેટલે બધે અવકાશ અને છૂટ રહે છે તે જોઈને આપણને કુતુહળ થાય છે.
૧૧. અજેય ઈચ્છાને ઊગેલે તારો કેવો ગંભીર, નિશ્ચયી અને નિશ્ચળ છે ?
૧૨. ગમે તેવા દુદખદાયક સંગે પણ દઢ ઈચ્છાને સદાકાળને માટે દબાવી રાખી શકશે નહીં.
૧૩. નિશ્ચયવાન માણસને જગત હમેશાં રસ્તે કરી જ આપે છે. દેખીતી અશક્યતામાં પણ ઈચ્છાશકિત માગ કરી લે છે.
૧૪. માણસમાં બુદ્ધિને કે શક્તિને અભાવ નથી, પરંતુ ઉદ્દેશ અને પરિશ્રમ કરવાની ઈચ્છાને જ અભાવ (જણાય) છે. ૧૫. દઢ નિશ્ચય એ જ સાચામાં સાચું ડહાપણ છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૭. ] જુદા જુદા પ્રકારનું વાંચન માણસને કેવાં બનાવે છે?
થોડાંક પણ તત્ત્વજ્ઞાનનાં અને આધ્યાત્મિક ગ્રંથે રમે રોમ વ્યાપી, ચારિત્રમાં ઊતરે ત્યાં સુધી પ્રયત્ન, કાળજી અને મનનપૂર્વક વાંચ્યા કરવા જેવા હોય છે. વાંચન મનુષ્યને સંપૂર્ણ બનાવે છે. લેખન તેને ચોક્કસ બનાવે છે. કવિતા તેને રસિક બનાવે છે. તત્વજ્ઞાન ઊંડી બુદ્ધિવાળો બનાવે છે. વાતચીત તેને તૈયાર કરે છે. ઈતિહાસ તેને ડાહ્યો બનાવે છે. નીતિશાસ્ત્ર તેને ગંભીર બનાવે છે. ન્યાય અને અલંકારશાસ્ત્ર વાદવિવાદની શક્તિ આપે છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૮]
Page #128
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯૫ ] યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ૧. વિકાસ પામતા રહે અથવા ક્ષીણ થતા ચાલે એ કુદરતને મુદ્રાલેખ છે, અને એ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ પર લખેલે છે.
૨. આપણું શાશ્વત-ચિરસ્થાયી તારુણ્ય આપણા મનમાં જ રહેલું છે, બીજે નહીં.
૩. માણસનું મન સંમતિ આપે નહીં ત્યાં સુધી તેને ચહેરો ઘરડે થઈ શકતે નથી, કેમકે શરીર એ મનને દોરેલે નક છે.
૪. પ્રતિકૂળ સંગો વચ્ચે મનમાં ચિંતા પેદા થવાથી શરીર ઉપર તેની વધારે ખરાબ અસર થવા પામે છે. - પ. ગમે તેવા સંજોગોમાં મન ઉપર ખરાબ અસર થવા ન પામે એવું મન સહજ ટેવાઈ-કેળવાઈ ગયું હોય તે શરીરસ્વસ્થતા ટકી રહે છે–બગડતી નથી.
૬. તમે માત્ર પચાસ વર્ષના થયા છે તે સમયે પૂર્ણ નિરોગી કાયાવાળા બની રહે તે તમે તરુણાવસ્થામાં હોવા જોઈએ.
૭. ઘેળા વાળ, ચામડીમાં કરચલીઓ ઈત્યાદિક ઘડપણનાં ચિહ્નોને યુવાવસ્થા સાથે કશો સંબંધ નથી. બુદ્ધિ, શક્તિ, સંદર્ય અને સદ્દગુણની વૃદ્ધિ તથા દઢતા થવી એ જ મેટી ઉમરનાં ચિહ્નો હોવાં જોઈએ. નિર્બળતા, નિપગિતા અને વળિયાં, પળિયાં એનાં લક્ષણ હેવાં જોઈએ નહીં.
૮. ઘડપણને વિચાર કરવાની ટેવ પાડવી જેટલી સહેલી છે તેટલી જ તારુણ્યનો વિચાર કરવાની આદત પાડવી સહેલી છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
૯. ખરું તારુણ્ય છે.
શ્રી કપૂરવિજયજી
કત્તવ્ય કર્મ કરવાના પૂરા ઉત્સાહ બની રહે એ
[ આ. પ્ર. પુ. ૩, પૃ. ૨૫૮ ]
વિચારામાં રહેલી અદ્ભુત શક્તિ.
૧. કાઇપણ મનુષ્યનું મન ખરાબ વિચારાથી અને કુટેવાથી એટલું બધું મિલન કે વિષમય બની ગયું નથી ( દુરાચારમાં એટલુ બધુ ડૂબી ગયું નથી હેતુ' ) કે તે ઉચ્ચ વિચારાથી પાછું શુદ્ધ ન થઈ શકે.
૨. ઉત્સાહ, હિમ્મત, આશા અને આનંદ એ એવાં સાધના છે કે જે બિમારને સાજા કરવામાં દવા કરતાં વિશેષ મદદ કરે છે. સુજ્ઞ વૈદ્ય વિગેરેને તેના અનુભવ અને પરિચય હાય છે.
૩. જમતી વખતે અને ઊંઘતા પૂર્વે આનંદી રહેવાને અભ્યાસ પાડવા એ દરેકનુ બહુ જરૂરી કન્ય છે, કારણ કે એથી શરીર અને મનના આરાગ્ય સ્વસ્થતાને ઘણેા જ લાભ થાય છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૯. ]
રકતા અને શ્રીમ તાઇ
૧. રકતાના વિચાર જેટલેા ખરાબ છે એટલી રકતા પેાતે નથી.
૨. જે દિવ્યતા આપણા ઉદ્દેશાને ઘડે છે તે આપણામાં જ રહેલી છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯૭ ]
૩. ઉદાર આત્મા આપીને શ્રીમત થશે અને કન્નુસ સંઘરીને રક થશે. ( આત્મનિરીક્ષણથી તે સાફ સાફ દેખાય એવી હકીકત છે )
૪. મહત્ત્વાકાંક્ષા( ઉચ્ચ આદર્શ અને ઉન્નત હેતુ )માંથી શક્તિ જન્મે છે.
૫. તમારા આદર્શ, એ અંતે તમે કેવા થશે! તેની આગાહી આપે છે.
૬. ઇશ્વરને ઉપાસનારને નવીન મળ મળશે. ઉન્નતિના આકાશમાં તે ગરુડની પેઠે ઊડશે. તે દોડશે પણ થાકશે નહીં. તે એજો ઉપાડશે પણ બેશુદ્ધ થશે નહીં.
૭. ઘણા લેાકેા હાસ્યરસપ્રધાન અને પ્રોત્સાહક ગ્રંથ વાંચીને ઉદાસીનતાને હાંકી કાઢે છે. કેટલાક બુદ્ધિમાના સ્તવ– સ્તેાત્રા, કહેવતા અથવા મહાત્માએનાં વચનામૃતા વાંચીને ઘણુંા લાભ ઉઠાવે છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૯ ]
આપણામાં ઉચ્ચ કેળવણીના પ્રસાર કરવાના ખાસ ઉદ્દેશ.
૧. હાલના રાજકર્તા તરફથી વ્યાવહારિક કેળવણી સંબંધી મહેાળા ફેલાવા થયેલા પ્રત્યક્ષ જોઇ, અન્ય કામના આગેવાન ઉદાર ગૃહસ્થા પેાતાની કેામના તમામ મનુષ્યે એક સરખા લાભ મેળવી શકે તેવા હેતુથી, સ્થળે સ્થળે સાંસારિક
G
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
શ્રી કપૂરવિજયજી
સ્થિતિ સુધારવાને સારું સાંસારિક જ્ઞાન અને તેની જ સાથે નીતિ વધારવાને તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થવાને માટે કાંઇપણુ બદલાની ઇચ્છા સિવાય ફક્ત પરમાર્થ બુદ્ધિથી તન, મન અને ધન સંબ ંધી યથાયેાગ્ય શક્તિ પ્રયુ જી શાળાએ સ્થાપન કરે છે; એટલુ જ નહિ પણ તેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએને સ્કાલરશીપ વગેરેની મદદ કરી પેાતાના જાતિભાઇઓને જ્ઞાન સંબંધી અને સાંસારિક સ્થિતિ સંબંધી સારી પાયરી ઉપર આવતા જોઇ પોતે સતાષ માને છે. એવા એકથી વધારે દાખલા પ્રત્યક્ષ નજર સામે જોવા છતાં આપણી જૈન કેામ તે સંબંધમાં બહુ પછાત છે એમ કહેવામાં કાંઇ આંચકેા ખાવા જેવું નથી, માટે જૈન કેામનાં બાળકેાને હાલના જમાનાને અનુસરી ગુજરાતી અને અગ્રેજી જ્ઞાન મેળવવાની સાથે જૈન ધર્મનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય એવા ઈલાજ શેાધવા જોઇએ.
૨. પાઠકવર્ગ કેળવણીથી વધી પરીક્ષામાં પસાર થાય તે જ હાલના રાજકર્તા તેઓને પદવીલાયક જાણી મેાટા મેટા હાદ્દા બક્ષે છે. ત્યારબાદ તેએ અભ્યાસ કરાવવાની પરવાનગી મળેથી શાળાઓમાં ભણાવે છે. એવુ છતાં પણ તેના ઉપરી
પણ હાય છે અને હજારા ગાઉમાં સ્થળે સ્થળે એક સરખું જ શાળાનું બંધારણ જોવામાં આવે છે. જૈનકામમાં હાલના સમયે જૈનજ્ઞાન મેળવવાને સારું સગૃહસ્થા ધનાદિથી મદદ કરી જૈનશાળાએ સ્થાપન કરે છે, પરંતુ પુષ્કળ વ્યય થવા છતાં ધનાદિના યથા ઉપયાગ ન થવાથી તેનુ પરિણામ સારું દેખાતું નથી, તાજેતરમાં નીચે પ્રમાણે ખામીએ શાળાઓમાં જણાય છે.
૩. જેને પૂરું લખતાં, વાંચતાં અને શુદ્ધ ઉચ્ચાર કરતાં
Page #132
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
| ૯૯ ]
પણ આવડતું ન હાય તેવી સ્થિતિવાળાને શાળાના માસ્તર મનાવવામાં આવે છે, એટલુ જ નહિ પણ તેને જ શાળા સંબંધી સ્વતંત્રતા અર્પણ કરાય છે, એટલે તે પેાતાની મરજી અનુસાર બાળકોને અભ્યાસ કરાવે છે. એમ થવાથી ધનાદિ મદદને લીધે શાળા તા કદાચ સ્થાયીભાવે શરૂ રહે છે, પરંતુ શુદ્ધ અભ્યાસ થતા નથી એમ સ્પષ્ટ જોવામાં આવે છે.
માટે અમુક સ્થળે શાળાઓના માસ્તરાની અગાઉથી પરીક્ષાના વિષયેાની જાહેરખબર આપીને પરીક્ષા થવી જોઇએ, અને પછી પરીક્ષાના પરિણામ ઉપર ધ્યાન આપી તેઓને લાભ આપવા જોઇએ.
૪. શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ધેારણસર એક સરખી રીતે અભ્યાસ કરાવવાની ખરેખરી જરૂર છે. તેમ થવાથી શાળાઓમાં પરીક્ષા લેવાનુ કાર્ય જેના શિર ઉપર નાંખવામાં આવે તેને પરીક્ષા લેવાનું સુગમ થાય અને તે ઉપરાંત સુધારા પણ થઇ શકે, માટે અભ્યાસીઓને સ્થળે સ્થળે એક સરખી રીતે અભ્યાસ કરાવાય તેવું ખધારણ થવા માટે તુરત ધ્યાન ખેંચાવું જોઇએ.
કેવી શૈલીથી વ્યવહારિક તથા ધાર્મિક શિક્ષણ અપાવું જોઈએ ?
૫. વ્યવહારિક કેળવણીને અનુસરતું ગુજરાતી છઠ્ઠા ધેારણ સુધીનું જ્ઞાન જૈન પાઠશાળામાં આપવા ઉપરાંત ફક્ત અબ્બે કલાક જૈન ધાર્મિક જ્ઞાન આપવાની આવશ્યકતા છે. સાંસારિક સ્થિતિ સુધર્યા સિવાય ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કેમ કે પેાતાનું
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી ગુજરાન અને કુટુંબનું ભરણપોષણ હાલના જમાનામાં ઈંગ્રેજી અને ગુજરાતી જ્ઞાનને આધારે જોવામાં આવે છે. આ કામમાં ખર્ચનો બોજો વધારે છે તે પણ પોતાના સ્વધમભાઈઓની સ્થિતિ સુધરે અને જ્ઞાનમાં પણ પ્રવીણ થાય એમ ઈચ્છનાર સદગૃહસ્થોએ ખર્ચ તરફ ધ્યાન આપવાનું નથી, માટે જેનશાળામાં મુખ્ય તો ગુજરાતી અને બની શકે તેટલું ઈંગ્રેજી જ્ઞાન મળવું જોઈએ.
૬. અત્યાર સુધીમાં અનેક સ્થળે જૈનશાળાઓ સ્થાપન થયાને ઘણે લાંબો વખત થયા છતાં તેમાંના વિદ્યાથીઓનો અભ્યાસ કોઈ પણ સ્થળે પસાર થયો હોય એવું જાહેરાતમાં આવ્યું નથી, તેનું મુખ્ય કારણ જેનકમમાં ઘણું કરીને હાલના સમયે નરમ સ્થિતિવાળ વર્ગ વધારે જોવામાં આવે છે. પોતે દ્વવ્યાદિએ સુખી થવાની ઈચ્છાને લીધે પિતાનાં બાળકોને સાંસારિક જ્ઞાન લેવા તરફ તેઓના રક્ષકો વધારે પ્રેરણા કરે છે, પરંતુ સ્થિતિના સબબે તે અભ્યાસ પણ સંપૂર્ણ થતો નથી અને જેનજ્ઞાન પણ મેળવાતું નથી. પરિણામે મૂળ સ્થિતિ ફરી શકતી નથી, કેમ કે હાલમાં કેળવણીનો ખર્ચ બહુ વધી ગયા છે.
૭. આ બધી હકીકતથી જેનવનું હિત વાંછનારા મહાપુરુષોએ જેન પાઠશાળામાં બને (સાંસારિક અને ધાર્મિક) અભ્યાસ હમેશાં થઈ શકે તેવી યેજના કરવી જોઈએ.
૮. આજ ઘણે સ્થળે સામાયિકાદિ ષડાવશ્યક પણ શુદ્ધ ઉચ્ચારથી ભણાતા હોય એમ જણાતું નથી, તેમ જ ભણેલું અશુદ્ધ હોય તે તે સુધારવાની ઈચ્છા ધરાવતા હોય એમ પણ જણાતું નથી, એ ઘણું જ ખેદકારક છે. વળી સંવછરી
Page #134
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૦૧ ] જેવા મોટા દિવસોમાં જે શ્રાવક સૂત્રનું ઘી બોલે તે જ ભણાવે એ પ્રથા ભૂલભરેલી જણાય છે, કેમ કે ખોટા ઉચ્ચારના આવશ્યક કરવા અને તે સાંભળવા તે કરતાં ઘીની ઉપજ ન થાય તો કાંઈ હાનિ થવા સંભવ નથી, માટે ધર્માચાર્યોએ શુદ્ધ ઉચ્ચારવડે આવશ્યક ક્રિયા કરાવનારને જ આદેશ આપવો જોઈએ. ધર્મસ્થિતિ સુધારવા માટે સંસારસ્થિતિ સુધારવાની જરૂર
૯ પાછળ કહ્યું તેમ જ્યાં સુધી સાંસારિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી ધાર્મિક સ્થિતિ સુધરવાનો સંભવ નથી. સાંસારિક સ્થિતિ સુધારવા માટે ગુજરાતી અને ઈંગ્રેજી કેળવણી યોગ્ય રીતે મળવી જોઈએ અને તેને માટે જેનસમુદાય તરફથી મોટાં મોટાં શહેરોમાં જેનસ્કૂલ સ્થાપવી જોઈએ કે જેમાં સરકારી કેળવણીખાતાની જેમ કેળવણી આપવામાં આવે અને તે સાથે એક એક અથવા બે બે કલાક દરજ યોગ્યતાના પ્રમાણમાં ધર્મ સંબંધી જ્ઞાન પણ આપવામાં આવે.
૧૦. ધર્મ સંબંધી કેળવણું આપવી એટલે માત્ર “નમો અરિહંતા ” વગેરે સૂત્ર પાઠ કંઠે કરાવવા એમ સમજવું નહિ, પરંતુ બાળકેની શક્તિના પ્રમાણમાં પ્રારંભથી જ ઓછીવત્તી સમજુતી અર્થ સહિત આપવી જોઈએ. બાળવૃક્ષની પેઠે બાલ્યાવસ્થાથી જ ધીમે ધીમે જૈનધર્મનાં તો એવી રીતે તેના મનમાં ઠસાવવાં જોઈએ કે જેથી પુષ્ટ થયેલું વૃક્ષ જેમ નમાવી શકાતું નથી તેમ મોટી ઉમ્મરે અન્યદર્શનીઓનાં શાસ્ત્રો વાંચીને કે યુરોપિયનનાં સિદ્ધાંત જાણીને તેનું મન લેશ માત્ર પણ ચલિત થાય નહિ. કોઈ હકીકત પ્રત્યક્ષ પ્રમાણાદિવડે જતાં લક્ષ્યમાં ઊતરે નહિ તો તે વખતે તેવી સમજણનાં શાસ્ત્રોને
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ )
શ્રી કરવિજયજી વિરહ, ગીતાર્થ ગુરુને અભાવ અને પિતાની સમજણમાં ખામી વિચારી મધ્યસ્થભાવ ધારણ કરે.
૧૧. જ્યારે આવી રીતની જેમકેળવણી આપવી ઠરે ત્યારે તેવી કેળવણું આપનાર માસ્તરે જોઈએ અને તેને માટે પરીક્ષા લેવાનું સ્થળ મુકરર કરી પરીક્ષા પણ લેવાવી જોઈએ. વળી તેમાં પાસ થયાના પ્રમાણમાં તેને પગાર મળ જોઈએ અને કામ પણ તેની યેગ્યતાના પ્રમાણમાં સેં પાવું જોઈએ. હાલમાં પરીક્ષા લીધા વિના માત્ર સૂત્રપાઠ અર્થ સમજ્યા વિના ગોખી
ખીને કઠે કરેલાં માણસો મહેતાજી તરીકે નીમાય છે અને તેઓ પિતાની આવડત પ્રમાણે શુદ્ધ કે અશુદ્ધ જેવું ભણાવે તેવું ચલાવી લેવામાં આવે છે, પરંતુ તેથી ખર્ચ માત્ર થાય છે અને ધારણા ફળિભૂત થતી નથી.
૧૨. જેનશાળાઓ સ્થાપી માસ્તર રાખીને પગાર વગેરેને ખર્ચ કરવામાં મુખ્ય ધારણા જૈન બાળકે શુદ્ધ ઉચ્ચાર સહિત જેનસૂત્રે શીખે અને તેના અર્થ સમજી જૈનધર્મનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ જાણું તેમાં દૃઢ થાય એવી હોય છે. જ્યારે આવી ધારણા અંતઃકરણમાં રાખવામાં આવે છે ત્યારે તે ફળિભૂત થઈ કે નહિ ? અથવા કેટલે દરજજે થઈ ? તે જાણવા માટે દરેક જૈનશાળામાં અભ્યાસ કરનારા વિદ્યાથીઓની નિયમિત વખતે પરીક્ષા લેવાવી જોઈએ.
૧૩. પરીક્ષા લેવાનું ધોરણ દાખલ કરવાનો વિચાર કરતાં પહેલાં અભ્યાસનું ધોરણ મુકરર કરવું જોઈએ, તથા અભ્યાસના સાધન તરીકે પુસ્તકની યોજના દેશકાળને, વિદ્યાથીઓની ઉમ્મરને અને બુદ્ધિને અનુસરતી થવી જોઈએ. માસિક, વર્તન
Page #136
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૦૩ ] માનપેપર અને ભાષણ આદિદ્વારા ધર્મજ્ઞાનના શિક્ષણની ખામી અને તે કેવી રીતે દૂર કરી શકાય તેને માટે ઠેકાણે ઠેકાણે ચર્ચાઓ થઈ રહી છે, પણ સારાં કામનો પ્રારંભ કરવા માટે સર્વ કઈ જાણે છે તેમ તે કાર્યને ઉપયેગી થઈ પડે તેવાં સાધનો ઉત્પન્ન કરવા જોઈએ.
૧૪. અત્યારે ધર્મજ્ઞાનની શરૂઆત કરવા માટે નાનાં પુસ્તકો જે કે બહાર પડેલાં નજરે પડે છે, તથાપિ અફસોસ, જેને જે રસ્તો ઉત્તમ લાગે તેણે તે સ્વેચ્છાએ અમલમાં મૂક્યો. બીજાઓને તે વિચારે કે પદ્ધતિ અનુકૂળ પડશે કે નહિ તેની દરકાર કરી નહિ. આ રીતે ધર્મજ્ઞાન ફેલાવવાનો રસ્તો વિવિધ પદ્ધતિ અને વિવિધ વિચારવાળે પકડવાથી ધારેલું ફળ મળવું મુશ્કેલ છે. બાળકનાં તન, મનને ચે અને તેની શક્તિની હદમાં જ હોય એવાં બહુમતથી લખાયેલાં ધર્મશિક્ષણનાં પુસ્તકો જોઈએ.
૧૫. અત્યાર સુધીમાં બહાર પડેલાં પુસ્તકની શૈલી એવી જેવામાં આવે છે કે શીખવાને આરંભ કર્યા પછી નિરસતાથી કે કઠિનતાથી શીખનાર તે કામ છોડી દે છે, શીખવામાં તેને ગમ ન પડવાથી તેને રસ ઉપજતો નથી અને તે બનેથી તેને ઊગતે ધર્મભાવ નાબૂદ કે લગભગ નષ્ટ થઈ જાય છે.
વળી વિશેષ અફસોસની વાત તો એ છે કે-કેળવણુમાં આગળ વધેલામાંનાં ઘણાખરાં માણસો ધર્મને કે દેવદર્શનને ખરેખર તિરસ્કારની નજરે જુએ છે. અંગ્રેજી ભણીને આગળ વધી ડીગ્રીઓ મેળવતા થયા એટલે તે તેમને ધર્મની જરૂર જ જાણે ન હોય ? પરભાષા શીખ્યા એટલે જાણે પરધમી જ બની ગયા હોય એવો ભાસ થાય છે. ધર્મમાં આગળ વધેલાં
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી માણસોનાં હૃદયમાં આ વાતથી ખરેખર મોટે આઘાત લાગ્યા છે. તેઓ ધારે છે કે કેળવણીમાં આગળ વધે એટલે તેઓ ધર્મમાં પણ આગળ વધવા જોઈએ. તેઓ એવા તો આસ્તિક અને ધર્મકાર્યમાં ભાગ લેનારા હોવા જોઈએ કે કેળવણીમાં પછાત રહેલાઓને અને પૈસાદાર માણસને તેઓનું કાર્ય અને તેમની કલમ જાગૃત કરીને કર્તવ્યમાર્ગે દરે, અને ધર્મકાર્યમાં વિશેષ સહાયભૂત થઈ પડે; પરંતુ બને છે તેથી ઊલટું જ ! આ બિનાથી કયા ધાર્મિક પુરુષને ખેદ થયા વિના રહેશે ?
૧૬. ઓછા કેળવાયેલા કે નહિ કેળવાયેલા માણસે શીખવાશીખવવામાં સર્વમાન્ય માર્ગ ગ્રહણ કરે છે, પરંતુ કેટલાક કેળવાયેલા યુવાન પુરુષો હસવા સરખી દલીલો રજૂ કરીને કહેશે કે સૂત્રે મોઢે કરવાની શી જરૂર છે? ખાલી મહેનત શા માટે કરવી જોઈએ? એકલી સમજણથી શું ન ચાલે? સૂત્રપાઠ મુખે કર્યા સિવાય શું અમારે નહિ ચાલે? વગેરે બોલીને સૂત્રો મુખપાઠ કરવાની બાબતમાં વાંધો લે છે. અલબત્ત અમારે કબૂલ કરવું જોઈએ કે કેટલેક સ્થળે સમજણ વગરનું કેવળ ગેખણ ચલાવવામાં આવે છે એ વાત નિઃસંશય છે, પરંતુ જે જે બાબત સમરણમાં જ રાખવા ગ્યા હોય તે તો મુખપાઠ કરવી જ જોઈએ એમ તો અમારા કેળવાયેલા બંધુઓ પોતે લીધેલી વ્યાવહારિક કેળવણીના અનુભવ ઉપરથી કબૂલ કરશે જ. આ વાતના ટેકામાં અમે કેટલીક દલીલે નીચે રજૂ કરીએ છીએ.
૧૭. આજકાલ અપાતી વ્યાવહારિક કેળવણીમાં ભૂગળજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વ્યાકરણ તથા રસાયનવિદ્યા ઈત્યાદિ જ્ઞાનના વિષયેમાં કેટલું કેટલું મુખે કરવું પડે છે ? વળી
Page #138
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૫
[ ૧૦૫ )
કાયદાશાસ્ત્રીને, વૈદ્યકશાસ્ત્રોને, ભાષાજ્ઞાનીને તથા ઇજનેર વગેરે વિદ્વાન પુરુષોને યાદશક્તિના કેટવા બધા ઉપયાગ કરવા પડે છે તે તેઓ જાણે છે.
૧૮. ઇંગ્રેજીમાં કહેવત છે કે-“ મહાવરા મનુષ્યને પરિ પકવ બનાવે છે. ’” એ વાત ખરી જ છે, કેમ કે નાનાં બાળકોને મનની, વચનની તથા શરીરની જે જે ટેવા નાનપણથી પાડવામાં આવે છે તે દૃઢ મૂળ ઘાલીને રહે છે. જુએ, અંગબળમાં નાનપણથી બાળકનું શરીર જેટલુ વળી શકે છે તેટલું માટી ઉમ્મરના વાળી શકતા નથી, તેમ જ વાક્ચાતુર્ય માં નાટકગૃહનાં નાનાં બાળકે જેવાં સુભાષિત, મધુર અને અસરકારક વચના મેલે છે તેવી વચનકળા માટી ઉમ્મરે શીખતાં મુશ્કેલ પડે છે, અને કદાચ શીખે છે તેા તેની અસર પાડી શકતા નથી. તે જ પ્રમાણે બાળકેાનાં કુમળાં મનની યાદશક્તિ ખીલવવા માટે મહાપુરુષોનાં જ્ઞાનગર્ભિત ગંભીર વના પણ મેઢ કરાવવાની જરૂર છે.
૧૯. અસલના મહાન્ આચાર્ય તથા ધર્મવેત્તાએ માટા ગ્રંથે! ઉપરથી સંક્ષિપ્ત સૂત્રાની રચના કરી ગયા છે તે મુખપાઠે કરવાના હેતુથી જ કરેલી દીસે છે, એવું અમારા કેળવાયેલા મિત્રાને ધર્મશાસ્ત્રના ઊંડાં તવામાં ષ્ટિ કરતાં માલૂમ પડશે. હાલ તેઓ જે એકાંત અભિપ્રાય આ બાબતમાં આપે છે તે તેઓના ધર્મજ્ઞાન વગરના એકપક્ષીય જ્ઞાનનું પરિણામ છે. માટે તેને અમારી નમ્ર ભલામણ છે કે- તે પેાતાના સુવિચાર તથા ઉત્તમ નીતિરીતિને સુધારા આજના ધર્મ શ્રદ્ધાવાળા પણ અભણ વર્ગમાં દાખલ કરવા ઇચ્છતા
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી કરવિજયજી હોય તે તેઓની ખાસ ફરજ છે કે તેઓએ ધર્મશાસ્ત્રનાં તનું સદ્દગુરુ પાસે દરરોજ થોડા થોડા વખત અધ્યયન કરવું, એટલું જ નહિ પણ પિતાને મળેલા જ્ઞાનનો સદુગ કરી તેમની સાથે દરેક ઉપયેગી પ્રસિદ્ધ ધર્મક્રિયામાં ભાગ લે. આથી પરસ્પર વિરોધભાવ ટળી જઈને વિશ્વાસની વૃદ્ધિ થશે અને તેને પરિણામે સાંસારિક સ્થિતિ સુધારવાના તેઓ કારણભૂત થશે.
૨૦. હાલ અપાતા ધર્મશિક્ષણથી પિોપટીયું જ્ઞાન માત્ર મળે છે તેનું કારણ સમજણવગરનું ગેખણ માત્ર કરાવાય છે તે જ છે. શીખવનારને શીખવવાની કંઈ વિશેષ માહિતી કે કેમ શીખવવું તેની કિંચિત્ સૂચના પણ કેઈ પુસ્તકમાં જોવામાં આવતી નથી, એથી આ કામ કેવળ કઢંગી સ્થિતિમાં ગમે તેમ ચાલ્યું જાય છે. કહેવાનો મતલબ એ જ છે કે-શિક્ષકને શિક્ષણ સંબંધી કંઈક પણ માહિતી મળે અને વિદ્યાથીઓને સરળ થઈ શકે એવી પદ્ધતિનાં સર્વમાન્ય પુસ્તક બહાર પડવાં જોઈએ. આ અડચણ દૂર કરવાના હેતુથી બહુમતે લખાયેલી, જૈનધર્મની શરૂઆત કરવામાં ઉપયોગી થઈ પડે તેવી જ્ઞાનમાળાની
જના ઘડી કાઢવામાં આવી છે, માટે જે તે કંઈ પણ લાભકારક થઈ પડશે તે પ્રયત્ન અને ધારણા ફળિભૂત થયાં સમજાશે.
૨૧. આજકાલ ચાલતી જૈન વિદ્યાશાળાઓમાં અપાતું ધર્મશિક્ષણ દેશકાળને અનુસરતું ન હોવાથી તથા સાંસારિક કેળવણીની પદ્ધતિ પ્રમાણે સરળ ન હોવાથી પ્રથમ શીખનાર જેન કે અન્યદર્શનીને અઘરું પડે છે, એટલું જ નહિ પણ
Page #140
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫
[ ૧૦૭ ]
જે ધર્મજ્ઞાનના રસનું આસ્વાદન આનંદપૂર્વક થવુ જોઇએ તે પણ થતુ નથી. વળી ઘણે સ્થળે સૂત્રેાના પાઠ ફક્ત મેઢે કરાવવામાં જ આવે છે, તેમાં અજ્ઞાનના સ્હેજ પણ વિચાર કરાવવા તેા દૂર રહ્યો પણ શુદ્ધ ઉચ્ચાર ઉપર પણ લક્ષ્ય ભાગ્યે જ આપવામાં આવે છે. શીખનાર તથા શીખવનારને માત્ર એટલી જ ઉત્કંઠા જણાય છે કે જેમ બને તેમ થાડા કાળમાં ઘણા પાઠ તૈયાર કરી નાખવા. વળી જો કેાઇ સ્થળે કદાચ અર્થ સહિત શીખવવામાં આવે છે તેા તે પણ કેવળ શુકપાઠ સમાન હાય છે, પણ શીખનાર પાઠના સાર કે હેતુ સમયેા છે કે નહિ તે સંબંધી શિક્ષક અને શિષ્યની વચ્ચે કંઇ પણ તર્ક, પ્રશ્નોત્તર કે પરીક્ષા થતી નથી. તેથી પરિણામ એવુ આવે છે કે-બહારના કાઇ કેળવાયલેા ગૃહસ્થ આવા ભણનારને અમુક બાબતને પ્રશ્ન કરે તે તેના સતાષકારક ઉત્તર આપી શકતા નથી, ઉપરાંત પાતે પાપટની માફ્ક શીખેલા પાઠના શબ્દેશબ્દ કહેવા જતાં પણ અનેક ભૂલેા કરે છે.
૨૨. જૈનધમ સબંધી જ્ઞાનમાં પ્રથમ શું શીખવવું તથા કેવી રીતે શીખવવું ઇત્યાદિની ક્રમવાર સરળ ચેાજના ન હેાવાથી ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન અપાય છે. વળી પરીક્ષાના નિયમ પણ ક્યાંઇ જોવામાં આવતા નથી, તેથી અમુક માણુસે કેટલું ધર્મ જ્ઞાન મેળવ્યું છે, તે જાણવાનું પણ કંઈ સાધન નથી. એ સઘળી અડચણા કંઇક અંશે દૂર કરવાના હેતુથી આ જ્ઞાનમાળા ઉપયેગી થઇ પડશે. આથી શિક્ષકને, શિષ્યને તથા પરીક્ષકને પોતાના કામમાં સરલતા થશે અને વખત બ્ય જતા અટકશે એવી આશા રાખવામાં આવે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
શ્રી કપૂરવિજયજી ૨૩. આ પુસ્તકમાં પ્રથમ સ્વર અને વ્યંજનની સમજણ આપ્યા પછી પ્રવેશક પાઠ નાંખવામાં આવ્યા છે. અર્થની ગંભીરતા પ્રમાણે અનુક્રમે કઠિન સૂત્રપાઠ દાખલ કર્યા છે. ત્યારપછી પાછલા સૂત્રપાઠ ઉપર વિશેષ વિવેચનના રૂપમાં કેટલાક પાઠ જરૂરીયાત પ્રમાણે આપ્યા છે, તેમાં સામાયિક તથા ચૈત્યવંદનની ક્રિયા-વિધિ યથાગ્ય રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. છેવટે શિષ્યનું જ્ઞાન પારખવા માટે પરીક્ષકને ઉપયેગી થાય એવા હેતુથી તમામ પાઠમાંથી પ્રશ્નો કાઢીને મૂકવામાં આવ્યા છે.
૨૪. એ પ્રશ્નોદ્વારા એવી નેમ રાખવામાં આવી છે કે પરીક્ષકોએ પ્રશ્નો ઉપરથી જ શિષ્યને અભ્યાસ સંબંધી સવાલ કરવા પણ તે પુસ્તકથી બહારને કોઈપણ પ્રશ્ન કરવો નહિ.
૨૫. આથી ભણનાર શિષ્યની તેમ જ તેના ભણાવનાર શિક્ષકની પરીક્ષા થશે એટલું જ નહિ પણ આ પહેલું પુસ્તક પૂરું કરનાર કેટલું જ્ઞાન પામ્યા છે તે પણ હાલ ચાલતી વ્યવહારિક કેળવણીના ધોરણની શૈલી પ્રમાણે કોઈને પણ જાણવું સરળ થઈ પડશે.
૨૬. જે આ પુસ્તક જેનવર્ગમાં સામાન્ય રીતે સર્વત્ર ઉપયોગી થઈ પડશે એટલે કે શાળામાં ભણતા વિદ્યાથીઓને તથા સામાન્ય રીતે શીખનાર અભ્યાસીઓને તેમ જ બીજા પુખ્ત ઉમરના ધર્માથી સજજનોને પણ અમુક અંશે લાભ કારી નીવડશે તો હવે પછી આ પુસ્તકના ક્રમાનુસાર બીજા પુસ્તકો પણ કાઢવાનો ઈરાદો છે, અને તે પુસ્તકોમાં ભણનારની બુદ્ધિ તથા વયનાં પ્રમાણમાં ચઢતાં ચઢતાં ધર્મજ્ઞાનનાં ઉપયોગી વિષય ને ક્રિયાવિધિ, અર્થવિચારની સમજણ સહિત દાખલ કરવાની ઈચ્છા રાખી છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૦૯ ] આ પુસ્તકની રચનામાં હાલ વપરાતા પ્રતિકમણાદિ પુસ્તકોના પાઠની શૈલીમાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવ્યું નથી, એટલે સૂત્રોના પાઠ જેવા અનુક્રમમાં બીજાં પુસ્તકમાં જોવામાં આવે છે તેવી જ રીતે આખા ને આખા આપ્યા છે. વિદ્યાથીની સગવડ માટે તેના શબ્દાર્થમાં વિભાગ કરવામાં આવ્યા છે.
ર૭. વળી મારે જણાવવું જોઈએ કે આ ધર્મનાં પુસ્તકોમાં કઈ પણ જગ્યાએ સૂત્રવિરુદ્ધ કે આજ્ઞાવિરુદ્ધ લખાણ કરવાની કોશિશ કરી નથી, તેમ છતાં કઈ નજરેદેષથી કે અલ્પમતિ યા અલ્પશક્તિને લીધે તેમ જ આ અમારો તદ્દન નવીન જ પ્રયાસ હોવાથી કોઈ સ્થળે કઈ દોષ કે ખામી માલુમ પડે તે સુજ્ઞજનો સુધારી લેશે, અને તે બાબત જે કાંઈ સુધારો કરવા ધારો તો તે પ્રમાણેની સૂચના મારી ઉપર મોકલવા કૃપા કરશે કે જેથી આગળ જતાં તે સુધારો કરવાનું બની શકે.
૨૮. આજકાલ ઘણા શ્રાવકો તરફથી સૂચના કરવામાં આવે છે કે સાંસારિક કેળવણુ સાથે ધાર્મિક કેળવણી આપવા માટે પાઠશાળાઓ, બોડીંગ સ્કૂલ તથા નાની વિદ્યાશાળાઓ સ્થાપી, ધર્મશિક્ષક તૈયાર કરવા. પણ તેટલું કર્યા પછી પણ એક મોટી મુશ્કેલી તે નડશે જ. એ મુશ્કેલી વિષે કેળવણીના શુભેચ્છકોના લક્ષ્યમાં આવ્યું હોય એમ જણાતું નથી. તે મુશ્કેલી એ છે કે-તમામ શાળાઓમાં શિક્ષણનું એકસરખું બંધારણ કરવા માટે ગ્ય પુસ્તકો જોઈશે. હાલ વપરાતાં પ્રતિક્રમાદિ પુસ્તક શિક્ષણની સુધરેલી પદ્ધતિને અનુસરતાં હોય એમ લાગતું નથી. આ મુશ્કેલી કંઈક અંશે દૂર કરવાના
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
ઇરાદાથી મેં હવે પછી પ્રગટ કરવા ધારેલી જ્ઞાનમાળા તૈયાર કરવાના પ્રયત્ન કર્યો છે.
""
શ્રો કપૂરવિજયજી
આ
“. જૈનધમ
( “ જૈન ધર્મ જ્ઞાનમાળા ”” ની ઉપયેાગિતા દર્શાવતી
લેખમાળાનુ અવતરણ. )
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૬૮. ]
જૈનશાસનની રક્ષા અને પુષ્ટિના સરળ માર્ગ,
જૈનસમાજમાં સંવેગી ( ત્યાગી ) ગણાતા સાધુ-સાધ્વીએની સંખ્યા સારા પ્રમાણમાં છે. બહેાળે ભાગે સમાજને ઢારવાનુ અને ઉપદેશ દેવાનું તેમને જ સુપ્રત થયેલ છે, તેથી જ જો ત્યાગી લેખાતા સાધુ-સાધ્વીએ પેાતાની જવાબદારી સમજી જેવી તેવી નજીવી વાતા-વિકથાઓમાં પેાતાના અને પરના અમૂલ્ય સમય ગુમાવી નહિ દેતાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ રૂડી રીતે જાતે કરી, પેાતાની તત્ત્વશ્રદ્ધા નિ`ળ અને નિ:શાંતિ બનાવી, જો તેઓ પેાતાનું ચારિત્ર ઉત્તમ પ્રકારે ઘડવા તથા તપ-જપનુ સેવન કરવા ઉજમાળ અને તે તેમના ઉપદેશની અથવા સદ્ગુનની છાપ સમાજ ઉપર એર જ પડે અને પવિત્ર શાસનની સ્હેજે રક્ષા તથા પુષ્ટિ થવા પામે.
પ્રથમ આગેવાન લેખાતા સાધુ-સાધ્વીએ જો સમયને એળખી, નકામી આળપંપાળ છેડી, કેવળ આત્માથી પણે સ્વપરહિતસાધનમાં જ ઉજમાળ થઇ રહે તેા તેમના આશ્રય તળે રહેનારા કંઇક ભવ્યાત્માએ ઉપર તેની અજખ અસર થવા પામે જ. જૈનસમાજ અને શાસનનેા ઉદય નજદીકમાં થવા નિમિત હૈાય તા જ પ્રત્યેક આગેવાન સાધુ-સાધ્વીને આવી સમુદ્ધિ સૂઝે.
Page #144
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧૧ ] જે કે અત્યારે કોઈ કોઈ વિરલ સદભાગી સાધુ-સાધ્વી તે પોતપોતાથી બનતું સ્વપરહિત કરવા ઉજમાળ રહેતા જ હશે, તે પણ તેમાં મોટો ભાગ ત્યાગીષ ધારણ કરવા છતાં ભાગ્યે જ સ્વકર્તવ્યને યથાર્થ સમજતો હશે, તે પછી યથાર્થ વર્તનનું તો કહેવું જ શું ? જે કે અદ્યાપિ ભેળા-ભદ્રિક જને ગમે તેવા ભાવથી વર્તમાન સાધુ-સાધ્વીઓને માને-પૂજે છે, તે પણ ખરા આત્માથી સાધુ-સાધ્વીઓએ તે તેથી લેશમાત્ર ફૂલાઈ નહિં જતાં સાધુપણાની પિતામાં કેટલી પાત્રતા છે તેને જ સરલતાથી વિચાર કરી ધન્ય તે મુનિવર રે જે ચાલે સમભાવે” ઈત્યાદિ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયકૃત ૩૫૦ ગાથાવાળું શ્રી સીમંધરસ્વામીનું આખું સ્તવન સરહસ્ય શાંતિપૂર્વક ધારી જવું ઘટે. વધારે નહિં તે શ્રીમદ્દ યશોવિજયજીકૃત સ્તવન, સઝાય, પદાદિકને જરૂર અવગાહી જવા ઘટે. આત્માથીપણે એમ કરવાથી કવચિત્ ભાગ્યયેગે આપણું ખામી આપણને યથાર્થ સમજાઈ જાય અને તે ખામી સુધારી લેવા આપણામાં ખરી લાગણી પ્રગટવા પામે અને જે પ્રમાદ માત્રને તજીને ખામી દૂર કરી શકાય તે જ આ સાધુવેષ ચરિતાર્થ થયો ગણાય- ' કહો કે સાર્થક લેખાય. તેમ કર્યા વગર તે શ્રીમદ્ કહે છે તેમ “જેમ જેમ બહુત બહુજન સંમત, બહુ શિષ્ય પરવરિ; તેમ તેમ જિનશાસનનો વૈરી, જે નહિ નિશ્ચય દરિએ.” ઈત્યાદિ વચનોનું ઊંડું રહસ્ય ભવભીરુ ગીતાર્થ ગુરુની પાસે સમજવા જેવું છે.
નવરે માણસ બહુ નુકશાન કરે”એ વચન પણ ગંભીરાથવાળું છે. નકામી ભાંજગડો તજી દઈ આ પવિત્ર ત્યાગીષને સાર્થક કરવા ઈચ્છતા દરેક સાધુ-સાધ્વીએ પોતાની ઉચિત ફરજ
Page #145
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
શ્રી કરવિજયજી યથાર્થ સમજીને પ્રમાદરહિત બજાવવી ઘટે છે. નવો યુગ-જમાને વાકચતુરાઈ માત્રથી રીઝી જાય એવો નથી, પણ ખરા ચારિત્ર્યબળની કિંમત કરે એવો છે એમ સમજી, આમાથી પણ માની, આપણી શિથિલતા-સુખશીલતા દૂર કરવા, પારકી નિંદાટીકા કરવાનું તજી હંસ પેઠે ગુણમાત્ર ગ્રહણ કરવા, જાતે સાદાઈ સજી, પ્રેમથી અન્યને આકર્ષવા સહુએ શાસન પ્રેમી થવું જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૯૦ ]
કેશરનો કોયડો કોણ અને ક્યારે ઉકેલશે ?
પૂરી ખાત્રીવાળું શુદ્ધ સ્વદેશી કેશર મળી શકતું જ હોય તેમ જ જે તે ભેળસેળ તથા જીવજંતુ વગરનું જ હોય તો પ્રભુ પૂજાદિક શુભ પ્રસંગે વાપરવા કોણ મનાઈ કરે છે ? કઈ જ નહિ. પણ તે મળે છે જ ક્યાં? તેની પૂરી ખાત્રી કરીને લેવાની કોણ પરવા કરે છે? કદાચ ક્યાંય શુદ્ધ મળતું જ હોય તો પણ સ્વાર્થવશ વ્યાપારીઓ તેમાં ભેળસેળ કરતા ન હોય એવું એકાએક માની લેવું સાહસભર્યું લાગે છે. એવી કિંમતી વસ્તુ વેચનારા વ્યપારીઓમાં ભાગ્યે જ પ્રામાણિક્તા હોવાનો સંભવ છે.
વળી કેવળ પરમાર્થદાવે સ્વરસથી એમાં આત્મભેગ આપી કામ કરનારા ક્યાં દેખાય છે? જ્યારે આવી ચર્ચા ઊભી થાય ત્યારે તેમાં ઊંડા ઉતરી ગુણદોષ કે લાભાલાભનો પૂરતો વિચાર કર્યા વગર નકામે કેળાહળ કરી મૂકનારાની સંખ્યા કંઈ ઓછી નથી, પણ તેથી લાભ શો ? સારી શિખામણ આપવા જનારી સુઘરીને જ માળ જેમ વાંદરાએ ચૂંથી નાખ્યો તેવું પરાક્રમ ફેરવવામાં મોટાઈ શી? સત્યશોધક
Page #146
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧૩ ] ભાઈબહેનેએ મનમાં સાલતી શંકાઓ દૂર કરી પિતાનું જ મન કબૂલ કરે તે સાચે ને સરલ માર્ગ આદરી લે, અને આપણા અન્ય મુગ્ધજનને શાંતિથી સમજાવી ઠેકાણે પાડવા જોઈએ. વેદીયા ઢોર જેવું કરવું નહિ તેમ જ અંધશ્રદ્ધાથી ગાડરીયા પ્રવાહે ચાલવું નહિ, પરંતુ સ્વક્ષપશમ પ્રમાણે બુદ્ધિબળ વાપરી, શાસ્ત્રકારને પવિત્ર આશય સમજી તેની આજ્ઞાનું યથાર્થ પાલન જેમ શક્ય રીતિથી થઈ શકે તેમ કરવા શુભ પ્રયત્ન સેવ.
કઈક વખત અજ્ઞાનવશ મુગ્ધ જનો ભક્તિના મિષે આશાતના કરે છે તેવી આશાતના સુજ્ઞજનો તે ન જ કરે, એટલું જ નહિ પણ તેઓ તે ભક્તિનો ખરે માર્ગ સમજી દઢ શ્રદ્ધાપૂર્વક જાતે તેનું પાલન કરવાપૂર્વક અન્ય મુગ્ધ જનેને પણ પાલન કરનારા બનાવે છે. ધીરજ રાખી નિપક્ષપણે ભેળા મુગ્ધ જનને ભક્તિનો ખરો માર્ગ બતાવનારા સુજ્ઞ ભાઈબહેનોને શું ઓછો લાભ થાય છે ? અર્થાત્ ઘણે સારો લાભ થઈ શકે છે.
મૂળચંદ ભાઇવાળા મુદ્દાસર લખાયેલા કેસર સંબંધી લેખને લક્ષ્મપૂર્વક વાંચી, વિચારી, જાતે હિતમાર્ગ આદરી, અન્ય સ્વજનમિત્રાદિક વર્ગને જાણેલી સત્ય હકીકત સમજાવી હિતમાર્ગ આદરવા પ્રેરણા કરવી સર્વથા ઉચિત છે. શું આટલું અ૯પ પણ આપણાથી કરી ન શકાય? આટલી સામાન્ય બાબતને ડહાપણભરી રીતે ઉકેલ આણતાં મોભે પાણી ચડે છે તે પછી બીજું મહત્વનું કામ શી રીતે કરી શકાય ? નકામી વાત કે ચૂંથણ કરવાથી શું વળે? શાણા ભવભીરુ ભવ્યજનોને
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ]
શ્રી કપૂરવિજયજી
તે એ રીતે અમૂલ્ય સમય ગાળવા ને નાહક બુદ્ધિશક્તિના દુરુપયોગ કરવા ન જ પાલવે.
ક્ષણ લાખેણી રે જાય એમ કહેનારા શું આવા સમય એળે ગાળશે ? આપણામાં ઘણી જ જડતા–મદતા પેસી ગઇ છે, તેથી જ પ્રમાદવશ આપણે તિમામાં અધિક પ્રવૃત્તિ-પ્રગતિ કરી નથી શકતા. કાર્યદક્ષતાની આપણામાં ભારે ખામી છે તે કેાઇ રીતે દૂર થવી જ જોઇએ. બળથી જે કામ ન થઇ શકે તે કળથી થઇ શકે એવા અનુભવ આપણે મેળવવા જોઇએ. ખાસ કરવા આદરવા જેવી બાબત હાય તેમ છતાં નૈતિક હિંમતની ભારે ખામીથી, તે કામ કરવાની ઇચ્છા હાય છતાં મનમાં સંકેાચ રાખી કશી પ્રવૃત્તિ ન જ કરીએ અને કદાચ કંઇક પ્રવૃત્તિ આદરી હાય તે ખાખત જો કેાઈ મુગ્ધ જના મરજી મુજબ ટીકા કરવા લાગ્યા હાય તા ગમે તેવી સુંદર અને આશાજનક પ્રવૃત્તિને પણ તજી દેતાં વાર લાગતી નથી. શાસ્ત્રકાર સ્પષ્ટ જણાવે છે કે શંકાશીલ મુખ્ય જના તેવી કશી શુભ પ્રવૃત્તિને જાતે આદરતા જ નથી, કઇક શ્રદ્ધાળુ પણ મેળા મનનાં માણસે લાભ સમજી કદાચ તેમાં પ્રવૃત્તિ કરે છે ખરા પણુ કઇ વિઘ્ન નડતાં તેને તરત તજી દે છે. ફ્ક્ત જે દઢ મનનાં, સુશ્રદ્ધાળુ ઉત્તમ જના હાય છે તેએ પરિણામદશી હેાઇ જે કઈ શુભ પ્રવૃત્તિ આદરે છે. તેમાં ગમે તેટલાં વિઘ્ના નડે તેા પણ તેથી લેશમાત્ર ડગ્યા વગર અંત સુધી અડગપણે તેમાં આગળ વધ્યા કરે છે.
જ
66
""
આપણે હવે અધમતા અને મધ્યમતાને દૂર કરવા ઢ નિશ્ચય કરવેા જોઇએ, તેા જ ઉત્તમ જનાનું શુભ અનુકરણ કરી
Page #148
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૧૫ ] આપણે સહુ કર્તવ્યનિષ્ઠ બની સુખી થઈ શકશું. આવી વાત કોને ગમતી નહિ હોય ? સહુ કોઈને ગમે જ, પરંતુ પ્રમાદવશ શિથિલ પરિણામથી કંઈ હિત પ્રવૃત્તિમાં દઢતાથી જોડાઈ શકાય નહિં અને તેમ કર્યા વગર આપણે ઉદ્ધાર પણ થઈ શકે નહિં. સમજે તેને માટે આટલું બસ છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૭૫ ] જેને અને સ્વદેશી વ. અત્યારે આખા હિંદમાં ચોતરફ વિદેશી (વસ્ત્રાદિક) જ વાપરવાની હિલચાલ ભારે જોશથી ચાલી રહી છે, તેમાં સમયને ઓળખી કામ કરવા ઈચ્છનારા કેટલાએક આપણા નવયુવાને અને ડેએક બાળવર્ગ સિવાયનો બીજે મેટો ભાગ (ભાઈઓ અને બહેનો) આ સમયેચિત હીલચાલથી અળગો રહી જાય છે એ ખેદજનક બિના છે.
સ્વદેશી અને તેમાં પણ શુદ્ધ સ્વદેશીના સંબંધમાં ઘણએક દેશદાઝવાળા દિલસોજ અનુભવી સાક્ષરોના વિચારો અનેક પ્રસંગે અનેક રીતે જાણવા તથા સાંભળવામાં આવતાં તેમ જ તેના ઉપર સ્વતંત્ર ઊહાપોહ કરતાં તેની ઉપયોગિતા જેમ મને પિતાને જણાઈ ચૂકી છે તેમ અનેક સાહદય ભાઈબહેનને જણાયેલી હોવી જોઈએ. તેમ છતાં આપણે એટલા બધા ઢીલા– પિચા બની ગયા છીએ કે સ્વદેશી યા શુદ્ધ સ્વદેશીને આદરવા જેવી તદ્દન સાચી ને ઉપયોગી બાબતે પણ અનેક બહાનાં કાઢી તત્કાળ આદરી શકતા નથી. એથી જણાય છે કે આપણી (સમાજ) ઉપર એની જોઈએ એવી ઊંડી અસર થયેલી
Page #149
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
શ્રી કરવિજયજી નથી. તે જલ્દી થાય અને એની ખરી ઉપગિતા બરાબર સમજાય ને દઢ શ્રદ્ધાભરી હિંમતથી તત્કાળ તેને સ્વીકાર કરી લેવાય એમ આપણે સહુ આતુરતાપૂર્વક ઈચ્છીશું.
કેઈ એક લેખક મહાશયે બતાવેલા અંદાજ પ્રમાણે આખા હિંદ માટે અહીં હિંદમાં તેમ જ હિંદ બહાર મિલેમાં જે કાપડ તૈયાર થાય છે તેમાં વપરાતી ચરબી નિમિત્ત લગભગ એક કરોડ જાનવરો કપાય છે. આટલાં બધાં જાનવરોની હિંસાથી નીપજતાં મિલનાં વસ્ત્ર (સ્વદેશી કે પરદેશી) માત્ર શુદ્ધ અહિંસકભાવવાળા કઈ પણ ( સાધુ કે ગૃહસ્થ ) સજજનને વાપરવાં ન જ ઘટે.
આ વાત જ્યાં સુધી પ્રકાશમાં નહતી આવી ત્યાં સુધી તેવાં મલિન તત્વવાળાં વસ્ત્રાદિક આપણે વાપર્યા, પણ હવે જે. વસ્તુસ્થિતિ બરાબર સમજ્યા જ હોઈએ તે અહિંસા યા અન્ય નિરપરાધી જીવોની રક્ષાની ખાતર પણ આપણે હવે પછી તેવાં સદોષ વસ્ત્રો ધારણ કરવાં ન જ ઘટે. એ ઉપરાંત આર્થિક દષ્ટિથી જોતાં પણ આપણે સહુએ કેવળ સ્વદેશી (બને ત્યાં સુધી તે શુદ્ધ સ્વદેશી ) વસ્ત્રાદિકનો જ ઉપયોગ કરવો જોઈએ.
હિંદમાં આયાત થતા વિદેશી વસ્ત્રની જ ખાતર લગભગ ૬૦ કે ૮૦ કરોડ જેટલું દ્રવ્ય પ્રતિવર્ષ વિદેશમાં ઘસડાઈ જાય છે, અને એવી અનેક મેહક વિદેશી ચીજની વપરાશ કરતા રહેવાથી ઉપર મુજબ કરડે દ્રવ્ય પ્રતિવર્ષ પરદેશમાં પાણીના પ્રવાહે ચાલ્યું જતું હોવાથી હિંદનું આર્થિક બળ ઘટી ગયું છે અને હજુ સુધી વિદેશી ફેશનમાં ફસાઈ રહેવાથી હિંદ વધારે પાયમાલ થતું જાય છે.
આવી આર્થિક પાયમાલીમાંથી બચી જવાની હિંદનાં હવા,
Page #150
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
પાણી, અન્ન અને પ્રકાશને લાભ મેળવનાર દરેક વ્યક્તિની ફરજ છે. સ્વકર્તવ્યકર્મનું જેને ઠીક ભાન થયું હોય તેને એથી વધારે કહેવાની કે સમજાવવાની ભાગ્યે જ જરૂર હોઈ શકે, કેમ કે એવા સુજ્ઞ જેને તે જાતે ખરો માર્ગ તત્કાળ આદરી, અન્ય સ્વજન કુટુંબીજનેને પણ સન્માર્ગમાં સ્થાપન કરવા બનતું કર્યા જ કરે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૩૪ ]
ધર્મ સાધન કરવામાં ઢીલ કરવી જોઈએ નહિ.
, ધર્મના જ પ્રભાવથી સુખ-સંપદા, માન-પ્રતિષ્ઠા અને વામિત્વાદિ પ્રાપ્ત થયા છતાં એ જ ધર્મને જે લેપ કરે છે તે પાપી એવા સ્વામીદ્રોહીનું શ્રેય શી રીતે થઈ શકશે?
ધર્મદ્રોહી મહાપાપી છે તેથી તેનું શ્રેય-કલ્યાણ થઈ ન જ શકે એ ચોક્કસ સમજી રાખવું. પવિત્ર ભાવ સહિત નિઃસ્વાર્થપણ તુચ્છ એવા વિષયસુખની સ્પૃહા રાખ્યા વગર જે સર્વજ્ઞ પ્રભુએ ફરમાવ્યા મુજબ દાન, શીલ તપ અને ભાવ પ્રમુખ સત્કરણ કરે છે તે ધર્મકરણી જ જીવને દુર્ગતિમાં પડતો અટકાવી સળતિમાં જોડી શકે છે. ઉદારભાવથી કરેલે–સેલ દાનાદિ ધર્મ જીવને ક૯૫વૃક્ષની પેઠે ફળે છે. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ-રોગ રહિત છે અર્થાત્ જ્યાં સુધી અનેક પ્રકારના વ્યાધિઓ પ્રગટ થયા નથી, જ્યાં સુધી જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચી નથી, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયની શક્તિ અખલિત છે અર્થાત તે પિતાનાં કામ કરવા પાવરધી–બળવાન છે અને જ્યાં સુધી
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮]
શ્રી કરવિજયજી આયુષ્ય પણ ખૂટ્ય-સમાપ્ત થયું નથી ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરુષે આત્મકલ્યાણ કરી લેવા મહાન્ પ્રયત્ન સેવ યુક્ત છે; કેમ કે પિતાનું ઘર બળવા લાગ્યા પછી કૂવે ખદવા ઉદ્યમ કરે તે શા કામને ? માટે જ્યાં સુધીમાં જરા આવી શિથિલ બનાવે નહિ, વ્યાધિ પીડે નહિ અને ઈદ્રિ ક્ષીણ થઈ જાય નહિ ત્યાં સુધીમાં જ સાવચેત થઈને ધર્મસાધન કરી લેવું યુક્ત છે. તેમ છતાં જે ઢીલ કરવામાં આવશે તો
જ્યારે કાળ ઓચિંતો આવી ગળું પકડશે ત્યારે મનના બધા ય મનોરથ મનમાં જ રહી જશે. પરભવ જતાં સહાયભૂત સંબળ ( ભાતું ) ફક્ત ધર્મ જ છે, એમ સમજી ધર્મસાધન કરી લેવામાં ઢીલ કે ગફલત કરવી જોઈએ નહિ.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૧૭ ]
વીતરાગકથિત ધર્મનું સેવન તું જલ્દી કરી લે.
આ દુનિયામાં દેખાતી સુખ-સંપદા જળમાં ઊઠતા તરંગના જેવી અસ્થિર છે. તે જોતજોતામાં હતી ન હતી થઈ જાય છે. યૌવન પણ પતંગિયા રંગની પેઠે જલદી જતું રહે છે–ટકી રહેતું નથી, આયુષ્ય શરઋતુના વાદળની જેમ ક્ષણમાં વિલય પામી જાય છે, તે પછી આ દેખાતી જડ વસ્તુની માયામાં નકામા શા માટે મુંઝાઈ રહેવું? એવી નકામી મોહમાયાને તજી જિનેશ્વર પ્રભુએ પ્રકાશેલા પવિત્ર ધર્મનું સેવન કરે. અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મ જગતમાં પરમ ઉત્કૃષ્ટ મંગળરૂપ વર્તે છે. તેવા પવિત્ર ધર્મમાં જેનું મન સદા ય વર્તે છે તેને મહાન ઇદ્રાદિક દેવે પણ નમસ્કાર કરે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧૯ ]
નિજ ગુણુની રક્ષા અને પુષ્ટિ થાય એવી નિપુણુ દયા, વિષયકષાયાદિ કર્મ –હતુઓના નિરાધ ( આત્મનિગ્રહ ) અને પુરાણા કમળને ગાળી નાંખે એવા સમર્થ બાહ્ય અભ્યંતર તપ એ જ સક્ષેપથી પવિત્ર ધર્મનું ખાસ લક્ષણ છે. શુદ્ધ ટિક રત્ન સમાન નિર્મળ નિષ્કષાય . આત્મસ્વભાવ પ્રગટ કરવા માટે જ ઉપર કહેલા પવિત્ર ધર્મને સેવન કરવાનું કહ્યું છે, પરંતુ મુગ્ધ જના કલ્પિત સુખમાં મુંઝાઇ પ્રમાદવશ થઇ ધર્મસેવન કરતા નથી. ખાવનાચંદનને ખાળી તેની ભસ્મ શરીરે ચાળવા જેવું જીવાનુ દૃશ્ય સુખ છે.
જુએ કે મનુષ્યનું આયુષ્ય બહુ તા સેા વર્ષનું પરિમિત લેખાય, તેમાંનું અર્ધ રાત્રિમાં પસાર થાય-વ્યતીત થઈ જાય, બીજી અધ બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં ચાલ્યું જાય, બાકીનું વિવિધ વ્યાધિ અને વિયેાગાદિ દુ:ખવાળુ, પરસેવાદિવડે પૂરું કરાય છે. એ રીતે જળતરગ જેવા ચંચળ જીવિત વિષે પ્રાણીઓને ખરું સુખ કયાંથી હાય ? ફક્ત જે કાઇ સાવધાનપણે પવિત્ર ધર્મનું સેવન કરી લે છે તે જ ખરા વાસ્તવિક સુખને મેળવી શકે છે, અને તેમ કરીને જ સ્વમાનવભવાદિક દુર્લભ સામગ્રીને સફળ કરી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૧૮ ]
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
શ્રી કપૂરવિજયજી ચૂંટી કાઢેલાં સાર હિતવચનો. ૧. ઉત્તમ (અવિકારી–પવિત્ર) મન શરીરને પણ ઉત્તમ બનાવે છે.
૨. વીરતા-સાવધાનતા–નીડરતા-એ એક જાતની હિતૈષધિ છે.
૩. ક્રોધ-રોષ કરવાથી મોઢામાંના ઘૂંકમાં રહેલા રસાયણિક તત્ત્વમાં ફેરફાર થઈને તેનું વિષ-ઝેર બની જાય છે. ખરે પ્રસંગે મનની શાંતિ જાળવી રાખવામાં કેટલો બધો ફાયદો છે? એ ઉપલી હકીકતથી સ્પષ્ટ થાય છે. જેનું મન સ્થિરપ્રશાંત રહે છે તે ચિંતા ને દુઃખ ઉપર વિજય મેળવે છે.
૪. ભય અશક્ત માણસને મારી નાંખે છે જ્યારે હિંમત એ શક્તિ આપનાર ઔષધિ છે, આ વાત ઘણાઓને અનુભવ સિદ્ધ હોવા સંભવ છે.
૫. આભમાન–પ્રતિષ્ટાહાનિને માટે આખો ચહેરો શાકનાં ચિહ્ન ધારણ કરે છે. દુવિચાર મુખાવિંદને પણ કદરૂપું બનાવે છે.
૬. હદયને આકસ્મિક પ્રહાર થવાથી આરોગ્ય અને સ્વાથ્યને નાશ થાય છે.
૭. આપણે આરોગ્ય અને સ્વાથ્યનું ઉચ્ચ લક્ષ્ય નિત્ય આપણું મન:ચક્ષુઓ સમક્ષ રાખવું જોઈએ.
૮. ઉન્નત પવિત્ર અને બળવાન મન શરીરને પણ તેવું જ બનાવે છે.
૯. પવિત્ર વિચાર, વાણી અને આચારના પરિશીલનથી આપણે વધુમાં વધુ પવિત્ર બની શકીએ છીએ.
Page #154
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૧ ] ૧૦. ઉદારતાવાળાને સર્વ વસ્તુ ઉપર શ્રદ્ધા હોય છે. સાંકડા મનવાળો કયાંય વિશ્વાસ સ્થાપી શકતો નથી.
૧૧. માણસેના હેતુ માટે ઉતાવળથી અભિપ્રાય બાંધતા નહિ, વખતે આપણે ભૂલ કરી બેસીએ.
૧૨. ઉદારતાને સ્વાર્થની પૃહા હોતી નથી. આપણે જે કંઈ આપીએ છીએ તેના કરતાં અધિક સારું પ્રાપ્ત કરીએ છીએ. ઉદાર માણસ સહાય કર્યા વગર રહી શકતો નથી.
૧૩. જે અંતઃકરણનો કર્તા છે તે જ માત્ર કોઈ પણ અંત:કરણની સાચી તપાસ કરી શકે છે.
૧૪. કોઈને હાથે કઈ મહત્કાર્ય સિદ્ધ થાય છે ત્યારે આપણે માત્ર તેનું કેટલેક અંશે માપ જ કરી શકીએ છીએ, પરંતુ તે સિદ્ધ કરવામાં પડેલે શ્રમ અને નડેલાં વિદ્ગોનું ખરું માપ આપણે જાણી શકતા નથી, માત્ર સહૃદય, તલસ્પર્શી જને જ ઠીક નિરીક્ષણ કરી શકે છે.
૧૫. આળસુ મગજ એ સેતાનનું કારખાનું છે. બીજા માણસોને સેતાન લલચાવે છે ત્યારે આળસુ માણસ સંતાનને લલચાવે છે, તેને અનેક ખોટા સંકલ્પવિક ઉદ્દભવ્યા કરે છે.
૧૬. બેદરકારી બહુ ભયંકર છે, જાગૃતપણે–સાવધાનપણે સ્વકર્તવ્ય કરનારને કશો ભય નથી.
૧૭. જે પુસ્તકે આપણને સૌથી વિશેષ પ્રેત્સાહન આપે છે અને કાંઈક મહાન કાર્ય કરવાને તથા કાંઈક મહત્તા મેળવવાને આપણને સાથી વિશેષ નિશ્ચયવાળા બનાવે છે તે જ
Page #155
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
શ્રી કપૂરવિજયજી ઉત્તમોત્તમ ગ્રંથ છે. આપણે માત્ર તે જ પુસ્તકો વાંચવા જોઈએ કે જે આપણને ઉન્નત વિચાર આપે અને આપણી શક્તિઓને તથા આપણી તકને સૌથી વિશેષ લાભ લેવાને આપણને પ્રેરે. ઉત્તમ ગ્રંથે આપણામાં ઉત્તમ, ઉન્નત વિચારદ્વારા ઉદારતાદિક અનેક ઉત્તમ ગુણે પ્રગટાવે છે અને ખીલવે છે.
[આ. પ્ર. પુ. ૧૯ પૃ. ૧૨૯]
--
-
-
નીતિવચને. ૧. સદ્દબુદ્ધિ અને શ્રદ્ધાશીલ સજજને જે વાત યુક્તિયુક્ત-સુસંગત હોય છે તેને સરલતાથી સ્વીકારી લે છે, પણ જડબઠર-કદાગ્રહી અને તે કેવળ ખેંચતાણથી ખરી વાતને પણ ખંડિત કરવા મથે છે. હજારો ગાયમાંથી વાછરડી પોતાની માતાને જ શોધી કાઢીને અનુસરે છે, પરંતુ મર્કટ તો જ્યાં ત્યાં વડચકાં જ ભરી કૂદાકૂદ કરી મૂકે છે. મતલબ કે શુદ્ધસરલભાવ જ્યાં ત્યાં હિતરૂપ થાય છે ત્યારે શઠભાવ જ્યાં ત્યાં નિંદાપાત્ર બને છે.
૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરી સાવધાનપણે ચાલવારૂપ આર્વતી નીતિને ખ્યાલ બહુશ્રતોના લક્ષ્ય બહાર કેમ જ રહે?
૩. “આમ જ કરવું અને આમ ન જ કરવું” એટલે વિધિનિષેધને ઉપદેશ એકાંતે શ્રીભગવંત કરતા નથી, પરંતુ પ્રસંગ અનુસરતું સરલ–અશઠભાવે જ કરવા–વર્તવાને તેઓશ્રી ખાસ આગ્રહ કરે છે. બેટી ખેંચતાણ કરી નાહક વીર્યના ક્ષય સાથે આત્મવંચના-આત્મદ્રોહથી દૂર રહેવા તેમને ઉપદેશ હોય છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૩ ] ૪. વસ્તુને વસ્તુગતે સમજ્યા કે સમજવા પૂરે પ્રયત્ન કર્યા વગર કેવળ અંધશ્રદ્ધાથી “હા જી હા’ કહેવાથી મિથ્યાત્વ દૂર થઈ જતું કે આવી જતું નથી. મિથ્યાત્વ એટલે તત્વવિપર્યાસ અને સમક્તિ એટલે યથાર્થ તત્ત્વશ્રદ્ધાન. એથી વધારે શું ?
૫. મધ્યસ્થભાવે મુકાબલે કરતાં ખરી તાત્વિક વસ્તુ સમજાઈ જતાં તેમાં આસ્થા-વિશ્વાસ ચૅટે છે અને ખોટીગરિક વાત તરફ આદર થઈ શકતો નથી. બુદ્ધિ પામ્યાનું એ મનોહર ફળ છે, એથી જ જ્ઞાનબળ અને ચારિત્રબળ ખીલી શકે છે.
[આ. પ્ર. પુ, ૧૯, પૃ. ૧૩૩ ]
સાચા સુખના અર્થીઓએ કુસંપને ટાળી શુદ્ધ
પ્રેમી અને નિર્દોષજીવી થવાની જરૂર
૧. અજ્ઞાન અને હવશ સ્વાર્થી બનેલા આપણામાં કલેશ-કુસંપે કાળો કેર વર્તાવ્યા છે.
૨. પ્રથમ જ્યારે તત્ત્વજ્ઞાન, શ્રદ્ધા અને સદાચરણમાં દઢ અભ્યાસથી આપણામાં સુસંપ સારી રીતે જળવાતું હતું ત્યારે આપણી સમાજ દરેક વાતે સુખી ને આબાદ હતી. તેમાં
જ્યારથી કલેશ-કુસંપ પેઠે ત્યારથી જ આપણું અવનતિપાયમાલીની શરૂઆત થઈ અને તેનું આટલું બધું માઠું પરિ. ણામ આજે આપણે સહુ સાક્ષાત્ અનુભવીએ છીએ. .
૩. એ માઠાં પરિણામને અંત લાવવા સહુ કોઈ સજજન
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪]
શ્રી કપૂરવિજયજી ભાઈબહેનોએ ભારે પ્રયત્ન કર ઘટે. હવે વાતો માત્ર કરવાને વખત નથી, ખરા દિલથી સહુ કેઈએ કામે લાગી જવાની જરૂર છે.
૪. સ્વાર્થોધતા તજી સ્વાર્થ ત્યાગી બનવાની જરૂર છે. ગમે તે રીતે કલેશ-કુસંપને દૂર ફેંકી દઈ, આપણામાં સુસંપનાં બીજે વવાય અને પૂરી કાળજીથી તેનું સારી રીતે રક્ષણ કરાય તે તેમાંથી સુખ-સંપત્તિરૂપ મીઠાં મધુરાં ફળ–પરિણામ મેળવી શકવાની આશા રખાય.
પ. પવિત્ર જૈનશાસનની રક્ષા ખાતર તેમ જ આપણું પતિત સમાજની ઉન્નતિની ખાતર સહુ શાસનપ્રેમી ભાઈબહેનોએ સમય ઓળખીને, સ્વપરહિતની રક્ષા ને વૃદ્ધિ થાય તેવા દરેક સદુપાય આદરવા ઉજમાળ થવું જ જોઈએ. ઉપેક્ષા કરવાથી તો અધિકાધિક હાનિ ને બગાડે થવા પામે છે.
૬. અહિંસા, સંયમ અને તપલક્ષણ પવિત્ર ધર્મની ઠીક પિછાણ થઈ જ હોય, તેમાં સુશ્રદ્ધા-વિશ્વાસ આવેલ હોય અને તેનો રસાસ્વાદ-સ્વાનુભવ કરવા ઈચ્છા જાગી જ હોય તો હવે દુષ્ટ પ્રમાદાચરણ તજી દઈ, શાસનપ્રેમી જનોએ વેળા જાગૃત થવું જોઈએ અને સ્વાત્મોન્નતિ સાથે આખી સમાજની ઉન્નતિ થવા પામે એવી રૂડી યોજના સ્વબુદ્ધિબળથી ઘડી કાઢીને ઈષ્ટ ફળસિદ્ધિને માટે સત્વર સફળ પ્રયત્ન કરવો જોઈએ.
૭. આજ સુધી પેટ ભરીભરીને વાત કરી તેથી શી કાર્ય સિદ્ધિ થઈ? હવે નકામો સમય નહિ ગાળતાં, સર્વેએ આપણામાં જડ ઘાલીને પેસી ગયેલ એકેએક દોષ દૂર થાય તે સબળ પ્રયત્ન કુશળતાથી કરવાની જરૂર છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૫] ૮. નિરાશ નહિ બની જતાં ષષ્ટિ ટાળીને સહુએ ખરું સુખ સાધવા, ગુણદષ્ટિ આદરી યથાશક્તિ અને યથાવકાશ કામ લેતાં શિખવું જોઈએ. હજી બાજી હાથમાં છે ત્યાં સુધીમાં ચેતીને ચલાય, નિઃસ્વાર્થ પ્રેમથી સહનું હિત ઈછાય અને કરાય એવું નિર્દોષ જીવન ગાળતાં શિખવું જોઈએ. શાસનપ્રેમી જેનને એવી બુદ્ધિ જાગે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૨ ]
પાપકારી સજજનેનો સુંદર સ્વભાવ.
મન, વચન અને કાયાને વિષે પૂણ્યરૂપ અમૃતથી પૂર્ણ, ત્રિભુવનને અનેક પ્રકારના ઉપકારો વડે પ્રસન્ન કરનારા અને અલ્પ પણ અન્યના ગુણેને સૂક્ષ્મ દષ્ટિથી પર્વતતુલ્ય વિશાળરૂપે દેખી દિલમાં સદા ય પ્રસન્ન થનારા કંઈક સજજને જગતને પાવન કરે છે.
વળી આંબાનાં વૃક્ષે જેમ ફળ બેસતી વખતે નીચા નમી પડે છે અને વાદળાં જેમ નવા જળવડે ઘણું નીચાં નમે છે તેમ પુરુષો સમૃદ્ધિ પામીને લગારે ઉદ્ધત થતા નથી. પરેપકારીને એ જ સ્વભાવ છે. ચંદનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ સુંદર સુગંધ આપે છે અને સુવર્ણ જેમ જેમ તાવવામાં આવે છે તેમ તેમ તેને વાન સુંદર થતો જાય છે, તેમ પ્રાણુત કષ્ટ આવ્યું છે તે પણ ઉત્તમ જનેની પ્રકૃતિમાં વિકાર થવા પામતે નથી, એટલું જ નહિ પણ તેમની પ્રકૃતિ તેવે કષ્ટ પ્રસંગે અધિકાધિક નિર્મળ થતી જાય છે. જે કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુપર્વત ચલાયમાન થાય,
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
શ્રો કપૂરવિજયજી
અગ્નિ શીતળ થઇ જાય અને પતના અગ્રભાગે શિલા ઉપર કદાચ પદ્મ ( કમળ ) ઊગે તે પણ સજ્જન પુરુષાતુ ભાષિત અન્યથા ન થાય અર્થાત્ તેમનુ એલ્યું મિથ્યા થાય નહિ.
સજ્જન પુરુષા કદાપિ પણ પારકાં દૂષણ કહે નહિ તેમ જ આત્મપ્રશંસા પણ કરે નહિ. દુનામાંથી પણ સજ્જને તે ગુણુ જ ગ્રહે છે. તેએ સદા ય ગુણગ્રાહી, સમુદ્ર જેવા ગંભીર હૃદયવાળા, ચંદ્રની જેવા શીતળ સ્વભાવી, પાપ તાપને શમાવનારા હાય છે. સહુને આત્મસમાન લેખે છે, અમૃત જેવી મીઠી વાણી વદે છે, સમતારસમાં ઝીલતા હાય છે અને સમાગમમાં આવનારને પણ પાવન કરે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૯૪ ]
ત્રણ પ્રકારના મિત્ર અને તેના વિલક્ષણ સ્વભાવ,
नित्यमित्रसमो देहः, स्वजनाः पर्वसन्निभः । ગૂઢા મિત્રલમાં શેયા, ધર્મ: રમવાન્ધવ: || |”
56
દેહ નિત્યમિત્ર સમેા, સ્વજને પમિત્ર સમા અને પરમ રૂપ ધર્મ જાહારમિત્ર સમેા પોતપોતાના વિલક્ષણ ગુણુડે વિખ્યાત છે. નિત્યમિત્ર સમાન ટ્રેડની સેવા, ચાકરી ગમે તેવાં કષ્ટ વેઠીને કરવામાં આવે, તેની રક્ષા અને પુષ્ટિને માટે ગમે તેવા ઉપાય લેવામાં આવે તે પણ તે સડન, પડન, વિધ્વંસનરૂપ સ્વસ્વભાવને તજતા નથી. પેાતાના સંબંધથી પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાંખે છે. તેમ છતાં મુગ્ધ જના માહ-મમતાવશ તેની ખાતર ન કરવાનાં કામે કરે છે અને જન્મ, જરા, મરણુ સંબંધી અનંતા દુ:ખને સહ્યા કરે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૭ ]
પમિત્ર સમા સ્વજનેા કવચિત્ પવૃદ્વિ પ્રસંગે સ્વાવશ ભેગા થાય છે અને સ્વાર્થ સાધી ચાલ્યા જાય છે. જ્યારે મરણાદિક મહાવિપત્તિ આવી પડે છે ત્યારે નિત્યમિત્ર સમા ડુ તેમ જ પમિત્ર સમાન સ્વજના કઇપણ કામ લાગતાં નથી. તેવે વખતે દુર્જનની જેમ અવળું મુખ કરી બેસે છે અને પમિત્રરૂપ સ્વજને ટગર ટગર જોયા કરે છે, મરણાદિક મહાકષ્ટમાંથી કાઇ છેાડાવી શકતું નથી.
જ
તેવે પ્રસ ંગે આડી ઢાલ ધરનાર આ ફક્ત નૂહારમિત્ર સમાન ધર્મ જ છે. ગમે તેવે પ્રસંગે સદ્ભાવથી ભેટેલેા આ ધ મિત્રની ભીડ ભાંગે છે. તેના ઉપર ઉપદેશમાળા ગ્રંથમાં જિતશત્રુ રાજા અને તેના પ્રધાનનું દષ્ટાંત ખાસ મનન કરવા યાગ્ય છે. પૂર્વના બન્ને મિત્રાને ગમે તેટલાં પાઠ્યાં પેાખ્યાં છતાં તે વિમુખતા દાખવે છે, ત્યારે ધમિત્ર એક જ વખત ભેટચા છતાં દારિદ્ર હરે છે, તેા પછી તેના સ્વાર્પણ સંખ'ધી તેા કહેવું જ શું ?
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૯૫. ]
જેવી ભાવના એવી સિદ્ધિ : જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ
यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ॥
66
ܕܕ
આ ગંભીર પ્રશ્નનેા ઉત્તર-સમાધાન મારી મતિ મુજખ આ રીતે છે.
કાઇ પણ કાર્ય કરતાં જેવી ભાવના વર્તતી હાય, જેવી દૃષ્ટિ રહેતી હાય તેવું જ તેનું ફળ-પરિણામ આવે છે. નમળી
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮]
શ્રી કરવિજયજી અને મલિન ભાવના કે દૃષ્ટિનું ફળ-પરિણામ પણ નબળું અને મલિન જ આવે છે અને સબળ તથા નિર્મળ ભાવના દૃષ્ટિનું ફળપરિણામ પણ તેવું જ સબળ અને પવિત્ર જ આવે છે.
ઘણે ભાગે મિથ્યાત્વ-અજ્ઞાન-ક્રોધાદિક કષાય-વિચારવાણી અને આચારમાં શિથિલતા અથવા સ્વછંદતા તથા વિષયાદિક તુચ્છ-અસાર સુખમાં લુપતાને લીધે જ્યાં વિષમય તુચ્છ સ્વાર્થમય ભાવના જ પ્રબળ વર્તતી હોય, જ્યાં અહંતા અને ખોટી મમતા જ છાઈ રહી હોય, જ્યાં દૃષ્ટિ સદાકાળ બહિર્મુખ જ રહ્યા કરતી હોય, જ્યાં યશ-કીર્તિ નિમિત્તે
કરંજનની જ બુદ્ધિ મુખ્યપણે રહેતી હોય ત્યાં ગમે તેવી રૂડી અમૃત જેવી કરણી કરવામાં આવતી હોય તે પણ તેનું ફળ-પરિણામ શુભ આવતું નથી, તેની અમૃત જેવી ઉમદા અસર સ્વજીવન ઉપર થઈ શકતી નથી, જન્મ-મરણનાં દુઃખ-ફેરા પણ ટળી શકતા નથી, અને આત્મામાં ખરી શાંતિ–શીતળતા પણ ઉદ્દભવતી નથી. એટલે આત્મીય સુખ પણ કયાંથી હોય ?
જે આધુનિક સ્થિતિનું ખરું કારણ શોધી તેને જ સુધારવા ભાઈઓ અને બહેન (સાધુએ તેમજ સગૃહસ્થ ) દૃઢ પ્રયત્ન કરે, જે જે કારણથી પિતાની અવનતિ થવા પામી છે તે તે કારણને બરાબર સમજી લઈ હિંમતથી તેનો ત્યાગ કરે, જે જે કારણથી પિતાની સ્થિતિ સુધરી શકે તે તે કારણને સારા, નિ:સ્પૃહી, દયાળુ, જ્ઞાની મહાત્માઓ પાસે સારી રીતે સમજી દૃઢ શ્રદ્ધા અને હિંમતથી તેનો પરિચય કરી, જે તેને યથાર્થ રીતે વર્તનમાં ઉતારવામાં આવે તે પછી પવિત્ર ભાવના–દૃષ્ટિ સહિત કરવામાં આવતી કરણીનું ફળ-પરિણામ પણ તેવું જ રૂડું આવવા પામે એ વાત સ્પષ્ટ છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૯ ]
પ્રથમ તેા પેાતાની ભાવના-દૃષ્ટિ જ સુધારવા માટે ક્ષુદ્રતાતુચ્છતા-પરાયાં છિદ્ર-દોષ જોવા-તાકવાની દુર્બુદ્ધિ-કુબુદ્ધિ જ તજવી જોઇએ અને રૂડી ગંભીરતા રાખી રાજહંસની જેવી વિવેકબુદ્ધિવર્ડ દોષમાત્રની ઉપેક્ષા કરી, ગુણુ માત્રને જ જોવા, આદરવા તથા સેવવાની રૂડી બુદ્ધિ કરવી જોઇએ.
અમૂલ્ય ધર્મ રત્નની પ્રાપ્તિ માટે આપણને ચેાગ્ય-લાયક બનાવે એવા ૨૧ ગુણાને વારંવાર અભ્યાસ કરી તેનું મનન કરવું જોઇએ.
૧. દયા, લજ્જા, વિનય, દાક્ષિણ્યતા, સરલતા, કૃતજ્ઞતા, સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, ગુણાનુરાગિતા, દીર્ઘદશિ તા, પરોપકારરસિકતા અને કાર્યદક્ષતાદિક ઉત્તમ ગુણ્ણાના નિરંતર અભ્યાસ ( પિરચય ) રાખવાથી આપણા વિચાર, વાણી અને આચારની મિલનતા દૂર થવા પામશે, હૃદય સ્વચ્છ થશે, વાણી અમૃત જેવી મીકી, હિતરૂપ અને સત્ય જ વદાશે અને અન્ય જીવાને દુઃખત્રાસ થાય એવા દુષ્ટ આચરણથી દૂર રહેવા સહેજે લક્ષ ખ ંધાશે. એટલે મન કે ઇન્દ્રિય અને કાયા આપણા કબજામાં આવશે. વળી દેવ, ગુરુ, ધર્મ સબંધી ગુણદોષની સારી રીતે પરીક્ષા કરી, શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ને યથાથ આળખી, દૃઢ શ્રદ્ધાથી તેની સેવા, ભક્તિ, બહુમાન કરવાવડે આરાધક થઇ શકાશે. એટલા માટે કલ્પસૂત્રાદિક ઉપકારી આગમ-ગ્રંથે ખરાખર લક્ષપૂર્વક વિનય-હુમાનથી વાંચવા, સાંભળવા, વિચારવા અને તેને પરમાર્થ ખરાખર સમજી સ્વશક્તિ છુપાવ્યા વગર યથાર્થ આદર કરવા.
૨. યથાશક્તિ જે કંઇ દાન, શીલ, તપસ્યાદિક ધર્મ કરણી
૯
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી કરવી તે લકરંજન માટે નહિ; પણ આત્મકલ્યાણ કરવાના પવિત્ર લક્ષ સાથે જ કરવી.
૩. સુખશીલતા અને સ્વચ્છંદતા તજવાં ભગવાન મહાવીર પ્રભુ પ્રમુખ મહાપુરુષનાં પવિત્ર ચરિત્રનું યથાશક્તિ અનુકરણ કરવું.
૪. પુન્યયોગે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને લહાવો લેવા ઈચ્છા જ થાય તે સ્વમીંબંધુઓનો ઉદ્ધાર, વિદ્યાર્થીબંધુઓ અને બહેનને વિદ્યાદાન અને દુઃખી માનવેનું યથાશક્તિ હિત કરવાનું ખરું કામ ભૂલશો નહિ.
૫. અન્યને પણ અનુમોદના કરે એવી સમયાનુકૂળ પ્રભાવના કરવાનું સદા લક્ષ રાખશે.
૬. માનવજીવનમાં ઉચ્ચ ભાવનાબળ કેળો અને કાર્યમાં પૂર્ણ શ્રદ્ધા રાખો. જેટલા પ્રમાણમાં ઉચ્ચ અને પવિત્ર ભાવના અને કાર્યમાં શ્રદ્ધા થશે તેટલા પ્રમાણમાં તે વસ્તુની સિદ્ધિ થશે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૩૮ ]
મનને નિરાકુળ રાખવાની ઘણી જ જરૂર છે.
પ્રયત્નથી મનની પ્રસન્નતા જાળવી શકાશે અને નિજ હૃદયકમળ ખીલવાથી અપૂર્વ સુવાસ સાથે શાન્તિ અનુભવી શકાશે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી જીવ આકુળવ્યાકુળ બને છે. મનને રોગ-ચિંતા એ આધિ, શરીરને રોગ-ક્ષયાદિક એ વ્યાધિ, અને જેનાથી એ આધિ, વ્યાધિ પેદા થાય છે તે રાગ, દ્વેષ, મમત્વાદિક કર્મ એ ઉપાધિ.
Page #164
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૧ ] એ ત્રણે દેને જીતવાની કુંચી જાણવી જોઈએ. ઘણે ભાગે અનુભવી શકાશે કે જેને રાગ, દ્વેષ, મમત્વાદિક ઓછાં હશે અને ઈદ્ધિ ઉપર કાબ હશે તેનું શરીર સારું, નિરોગી હોવા સાથે મન પણ પ્રસન્ન-નિરાકુળ બન્યું રહેવાથી તે શાંતરસને સ્વાદ મેળવી શકે છે, પરંતુ જેનામાં રાગ, દ્વેષ, મમત્વાદિક વિકાર વધારે હશે, ઇંદ્રિય મોકળી હોવાથી ગમે તે વિષય તરફ સ્વેચ્છાથી ફરી શકતી હશે તેનું શરીર વિવિધ વ્યાધિને ભેગા થઈ પડવા ઉપરાંત મન પણ ખેદ, કંટાળાથી ભરેલું અને આકુળતાવાળું બન્યું રહેવાથી ખરી શાંતિથી તે બનશીબ જ રહે છે. યથાર્થ જ્ઞાનવડે જીવ હિતાહિત સમજી શકે છે. જેમ ઝેર-વિષભક્ષણથી જીવિતને અંત થાય છે ખરો, પણ તે જ વિષને ઔષધિવડે મારવાથી તે રસાયણરૂપ બની જીવિતનું રક્ષણ પણ કરે છે, તેમ માઠા-અપ્રશસ્ત રાગાદિકનું સેવન કરવાથી એટલે અનિત્ય, અશુચિ અને જડ એવા દેવાદિક પદાર્થો ઉપર મિથ્યા મમત્વાદિક ધારણ કરવાથી આત્મહિત બગડે છે, પરંતુ શાશ્વત અને પવિત્ર એવી આત્મતિ જેમને પ્રગટ થઈ છે એવા અરિહંત, સિદ્ધાદિક પરમાત્મદશાને પ્રાપ્ત થયેલા પરમપુરુષને ગુરુકૃપાથી યથાર્થ ઓળખી, તેનામાં અનન્ય શ્રદ્ધા–પ્રેમ જાગૃત કરી તેનું એકાગ્રપણે ધ્યાન-ચિન્તવન કરવાથી આત્માનું શ્રેય અવશ્ય સધાય છે.
અન્ય ચિંતા–જાળને ટાળી પરમાત્મતિને તન્મયપણે ધ્યાનાર પોતે જ જ્યોતિરૂપ થાય છે. પ્રથમ પ્રશસ્ત રાગાદિકવડે અપ્રશસ્ત રાગાદિક ટાળી શકાય છે. પછી મરુદેવી માતા તથા ગૌતમસ્વામીની પેઠે પરમ તિનું જ તન્મય
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજયજી પણે ચિન્તવન કરતાં તત્કાળ પ્રશસ્ત રાગાદિકને પણ સહેજે અંત થઈ શકે છે. મન ઉપર સંયમ રાખવે, મનને સ્થિર, શાંત, નિરાકુળ કરવાથી જ નિજ શ્રેય સધાય છે.
આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૦ ]
સાચા મિત્રનાં શાક્ત લક્ષણ, ભર્તુહરિ પિતાના નીતિશતકમાં સાચા મિત્રનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવે છે -
पापान्निवारयति योजयते हिताय, गुह्यं च गृहति गुणान्प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले,
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥ આપણને પાપ-માર્ગથી (પાપાચરણ કરતાં ) નીવારે–અટકાવે, હિતમાર્ગમાં (સુકૃત્ય કરણી કરવામાં) જોડી આપે, આપણુ દુર્ગુણ-એબને ઢાંકેલકમાં ઊઘાડા ન કરે, પણ શાંતિ અને સભ્યતાથી સુધારવા પ્રયત્ન કરે, સગુણે પ્રકાશમાં લાવી તેને ખૂબ વિસ્તાર કરે જેથી ગુણાનુરાગી જને તે તે ગુણનું અનુકરણ અને આસેવન કરે, ખરી આપત્તિમાં અનાદર ન કરે–દુ:ખમાં સહભાગી બને, અને તેવા દરેક પ્રસંગે ગ્ય આલંબન-ટેકે આપી સ્વમિત્રતા સાર્થક કરે. ઉદાર-નિઃસ્વાર્થ મિત્રોમાં ઉપરનાં લક્ષણે અવશ્ય હોવાં જોઈએ.
પ્રગટ કે પરોક્ષ દુઃખનાં ખરાં કારણ સ્પષ્ટપણે સમજાવી એથી દૂર રહેવા (બચવા) આપણને સવેળા ચેતવણી આપે
Page #166
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૩ ]
અને હિતસુખકારી કામ કરવામાં ઉત્સાહિત કરે, આપણી એખ અન્ય કેાઇ જાણવા ન પામે તેમ તે સુધારવા કુનેહ વાપરે, સર્વત્ર ગુણને વિકાસ થાય તેવા પ્રયત્ન કરે અને ખરી વિદા વખતે બરાબર સંભાળ લઇ આપણા ઉદ્ધાર કરવા સદા ય સાવધાન રહે એમ અનેક રીતે સન્મિત્રા પેાતાની પવિત્ર ફરજ મજાવે. સાચા મિત્રની ખરી પરીક્ષા કસેાટીના પ્રસ ંગે થવા પામે છે. સાચા મિત્રા સ્વાર્થ ત્યાગી જ હાય છે; સ્વાોધ હાતા નથી. સ્વાર્થ સાધવામાં તત્પર રહેનારા કપટી મિત્રાથી કદાપિ કલ્યાણ થઈ શકે નહિ. સન્મિત્ર ઉદાર આશયવાળા–ગ ંભીર હૃદયવાળા હેાય છે. હુંસની જેવા ઉજ્જવળ વિવેકથી શે।ભતા હેાય છે. ગમે તેવા વિષમ પ્રસ ંગે સેાનાની જેમ તેમનેા વાન વધતા જાય છે. એવા ઉત્તમ કલ્યાણુ, મિત્રાનેા જ સંગ સહુને સદા યહા !
સ્વાર્થ ત્યાગ અથવા સંયમવડે આપણે આત્મા જ આપણા સાચા મિત્ર બને છે અને સ્વાર્થાધતા અથવા સ્વચ્છંદતાવડે એ જ આપણે આત્મા આપણેા શત્રુ બને છે. આત્મા જ સ્વરૂપ અને આત્મા જ નરકરૂપ બને છે. સુખ અને દુ:ખના કર્તા આત્મા પોતે જ છે. અન્ય તે તેમાં નિમિત્ત-કારણરૂપ જ હાઇ શકે. સુજ્ઞ શાણા જતા સુખ, દુ:ખ પ્રસંગે અન્ય ઉપર મિથ્યા આરેાપ કરતા નથી. તે તેા સિંહની પેઠે પેાતાના જ સાચા પુરુષાર્થ ઉપર આધાર રાખનારા હાય છે. કેવળ મુગ્ધ જને જ અજ્ઞાનવડે અન્ય ઉપર મિથ્યા આરોપ કરે છે અને શ્વાનની પેઠે પેાતાની નિર્બળતા-દુળતા સિદ્ધ કરે છે. આવા કુમિત્રા-કપટી મિત્રાથી પ્રભુ આપણને સદા બચાવે.
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી કપૂરવિજયજી વિવેકાત્મા પિતાના મનને અને ઇન્દ્રિયોને મોકળા નહિ મૂકતા-સ્વછંદપણે ફરવા નહિં દેતાં તેમને લગામમાં રાખે છે. જેના પરિણામે સ્વભાન ભૂલાય અને કર્તવ્યભ્રષ્ટ થવાય એવા માદક પદાર્થથી તે દૂર રહે છે, ક્રોધ-રોષ-માન-અહંકાર-માયાકપટ અને લોભ-તૃષ્ણાને શાંત કરવા ડહાપણભરી ક્ષમા, સમતા, નમ્રતા, મૃદુતા, બાજુતા-સરલતા અને સંતોષ–અમૃતનું સદા ય સેવન કરે છે; નિદ્રા-તંદ્રા-આલસ્યાને દૂર કરવા તથા પ્રકારના સદુઘમને સેવે છે અને નકામી કુથલીઓમાં પિતાનો અમૂલ્ય સમય નહીં વીતાવતાં, તાવિકજ્ઞાન-અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય તેવાં ઉત્તમ શાસ્ત્ર યા કલ્યાણમિત્રોના સસમાગમમાં જ સ્વસમયને વીતાવે છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૫ ?
દવા કરવા કરતાં પથ્ય ઉત્તમ. ( Prevention is better than Cure.) આપણું શરીર નિરોગી રાખવા જૂદી જૂદી ઋતુમાં શાસ્ત્રોક્ત પથ્થસેવન વધારે હિત કરે છે.
વર્ષાઋતુમાં લવણ (ક્ષાર-મીઠું), શરદ ઋતુમાં જળપાન, હેમન્ત તુમાં ગાયનું દૂધ, શિશિરઋતુમાં-શિયાળામાં આમ્લક રસ (ખટાશ), વસન્તજાતુમાં ઘી અને શ્રીમઝાતુમાં ગેળનું સેવન અમૃતતુલ્ય કહ્યું છે.
દરેક તુ બે બે માસ સુધીની સમજવી. તે તે ઋતુમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૫ ] તે તે વસ્તુનું સેવન બીજી જાતની દવા કરતાં અધિક ગુણકારી કહેલ છે. અનુભવ કરવાથી ચોક્કસ ખાત્રી થઈ શકે તેમ છે. નકામી છ દવાઓથી તેમ જ તેના ગેરવ્યાજબી ખર્ચના બજામાંથી બચવાની ઈચ્છા જ હોય તો ઉપરની વાતને અપ પ્રયાસે જ અનુભવ મેળવી શકાશે. અને પોતાને તેની ચોક્કસ ખાત્રી થયે પરોપકારબુદ્ધિથી અન્ય જનને પણ તેને લાભ સહેજે મળે તેવી પ્રેરણા ઉમંગથી કરી શકાશે.
આજકાલ ખરી વસ્તુનું જ્ઞાન (સમજ ) નહિ હોવાથી અનેક જને પિતાના જ હાથે નવાં નવાં દુ:ખ વહોરી લે છે. તેની ચકકસ સમજ મળતાં, પ્રમાદ–આળસ તજી, શ્રદ્ધા-વિશ્વાસ રાખી, એકાદ વખત ધીરજ અને ખંતથી તેનો અનુભવ કરી જેનાર સહેજે દુઃખમાંથી મુક્ત થઈ શકે છે.
લેબી-લાલચુનાં સ્વાર્થભય વચન કરતાં નિર્લોભી અને નિ:સ્પૃહી એવા જ્ઞાની પુરુષનાં કેવળ પરમાર્થબુદ્ધિથી શાસ્ત્રદ્વારા આપેલાં એકાંત હિતકારી વચન ઉપર અધિક આસ્થા-શ્રદ્ધા–પ્રતીતિ લાવવી ઘણું જરૂરની છે. તેથી જ પોતાને તથા પરને અતુલ લાભ થવા પામે છે, તે વગર અત્યારની પ્રચલિત ગતાનુગતિકતાથી તો પારાવાર નુકસાન ન થાય તેમ છે. તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું જણાતું નથી. જે કંઈ હૈયે સાન આવતી હોય તે તેવા પારાવાર નુકસાનમાંથી બચવા પ્રયત્ન કરવાની જરૂર છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૩૯ ]
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
શ્રી કપૂરવિજયજી શરીરના આરોગ્યભૂત મુખ્ય કારણે. ૧. સ્વચ્છ હવા, સ્વચ્છ પાણીનું સેવન, ૨. સૂર્યપ્રકાશવાળા સ્થાનમાં નિવસન, ૩. લઘુ પરિમિત સાત્વિક આહારગ્રહણ, ૪. શક્તિ અનુરૂપ શારીરિક અને માનસિક વ્યાપાર-પરિશ્રમ, ૫. આવશ્યક શારીરિક અને માનસિક વિશ્રાન્તિ (ખાસ ઉપયોગી છે.)
૨. ગમે તે પ્રકારની ગંદકી કે મલિનતા વગરની શુદ્ધ હવા શ્વાસોશ્વાસ મારફત શરીરમાં દાખલ થવાથી શરીરનું આરોગ્ય સચવાય છે અને વધે છે. પીવાનું પાણી પણ એવા જ પ્રકારનું શુદ્ધ-નિર્મળ થયેલું હોવું જોઈએ.
૩. સૂર્યપ્રકાશ ( Sun bath ) પૂરતા પ્રમાણમાં લેવાથી શરીરમાંની જડતા આળસાદિક દૂર થઈ જઈ જાગૃતિ આવે છે અને આરોગ્ય વધે છે. સૂર્યપ્રકાશ સવારના આઠ વાગ્યા સુધી ઘણો લાભદાયક છે.
૪. જઠરાગ્નિ સુખે પચાવી શકે એ સાદે-હલકે અને પ્રમાણે પેત સાત્વિક ખોરાક વખતસર લેવાથી તન, મન, વચનની ઉત્તમ શક્તિ વધે છે. સાત્વિક ખોરાક હંમેશાં ઉચ્ચ વિચારો પેદા કરે છે.
૫. શક્તિ પ્રમાણે તન, મન, વચનને સદુપયોગ કરવાથી પાચનક્રિયા સારી થવા ઉપરાંત શારીરિક આરોગ્ય સચવાવા સાથે તેને વિકાસ પણ થાય છે. પ્રથમ સુખ તે શરીરનું નિરોગીપણું છે.
૬. આરોગ્યરક્ષણ અને વૃદ્ધિ નિમિત્તે જરૂર પૂરત પરિ.
Page #170
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૭ ]
શ્રમ-કસરત કર્યા પછી શરીરને અને મનને વિશ્રાન્તિ પણ પૂરતા પ્રમાણમાં આપવી જ જોઇએ. શરીરની આરેાગ્યતા અને મનની સ્થિરતા પ્રત્યેક કાર્ય માટે ઘણી જ ઉપયાગી છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૯૪ ]
સર્વ સાધારણ હિતવચના
આ મારા ( વહાલા ) અને આ પરાયા ( લેા ) એવી ભેદભાવના સ‘કુચિત મનવાળામાં જ હાય છે. જેમનુ મન વધારે સાંકડુ તેમનામાં ભેદભાવના અધિક અને જેમનુ મન જેટલું મેલુ ( ઉદાર ) તેટલી ભેદભાવના એછી. જેમ જેમ આપણું મન મેાટુ-ઉદાર બનતું જાય છે તેમ તેમ ખેાટી કલ્પિત ભેદભાવના શાંત ( વિલય ) પામતી જાય છે. અત્યંત ઉદાર ( નિ:સ્વાર્થ ) આશયવાળા મહાત્માએને તે આખી દુનિયા ( સમસ્ત પ્રાણી ) કુટુંબરૂપ જ સમજાય છે. વળી વિચાર, વાણી અને વનમાં તે એકતા અનુભવે છે, અને પેાતાના પવિત્ર દૃષ્ટાંતથી આખી સૃષ્ટિને એવી પવિત્ર એકતાના ઉત્તમ પાઠ શીખવે છે.
કલ્યાણના અથીજનાએ ઉત્તમ રહેણીકહેણીવાળા તત્ત્વજ્ઞા પાસે વિનય–બહુમાનપૂર્વક સારી રીતે સાવધાનતાથી ધર્મનુ રહસ્ય સાંભળવું અને તેનું યથાર્થ મનન કરીને તેના નિશ્ચિતા હૃદયમાં એવી રીતે સ્થાપિત કરવા કે જેથી આત્માને અંતે દુ:ખદાયક થાય એવુ કાઇ પણ જાતનું પ્રતિકૂળતાવાળું આચરણ કાઇ પણ પ્રાણી પ્રત્યે આચરવા સ્વપ્નામાં
Page #171
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી કરવિજયજી પણ વિચાર થાય નહિં. તેમ જ તે પ્રકારની અહિત-તાપ ઉપજાવનારી વાણી પણ વદી શકાય નહિ.
સહુનું સદા હિતચિંતન કરવું તે મૈત્રીભાવ, પરનાં દુઃખ હરવા દરેક શક્ય પ્રયાસ કરવો તે કરુણુભાવ, પરને સુખી દેખી દિલમાં રાજી થવું તે મુદિતાભાવ અને પરના અસાધ્ય દોષની તરફ રાગદ્વેષ રહિત સમભાવ રાખે તે માધ્યä અથવા ઉપેક્ષાભાવ પવિત્ર રસાયણની જેમ એકાંત હિતકારી હોવાથી અવશ્ય આદરવા યોગ્ય છે.
વિચાર, વાણું અને વર્તનમાં પોતે પૂર્ણ રીતે પવિત્ર હોઈ, ત્રિભુવનવતી સહુ કોઈ પ્રાણીવર્ગને શ્રેણીબંધ ઉપગારવડે સંતોષ ઉપજાવતા અને અન્યમાં અલ્પમાત્ર પણ ગુણ દેખી દિલમાં રાજી રાજી થનારા કઈક વિરલા સજજને આ પૃથ્વીપીઠને પાવન કરી રહ્યા છે. એવા સજજનથી જ પૃથ્વી રત્નગર્ભા” લેખાય છે તે યથાર્થ છે. આપણે પણ આપણાં આચરણ સુધારી, સ્વાર્થ ત્યાગ કરી, સુસંયમવડે સ્વપકલ્યાણ સાધવા જરૂર પ્રયત્ન કરે. આપણું ભવિષ્ય સુધારવા (ઉજજવળ બનાવવા ) આપણે આપણી ફરજ બજાવવી. સહેજે મળેલી સોનેરી તક વ્યર્થ ગુમાવી નહિ દેતાં તેને સાર્થક કરી લેવી.
મદ (Intoxication), વિષયાસક્તિ (Sensual appetite) કષાય (ક્રોધ, અહંકાર, માયા, લેભાદિક ), આલસ્ય અને કુથલીઓ કરવામાં કાળક્ષેપ કરવો એ અત્યંત અહિતકર છે.
ગમે તેવા સમ, વિષમ પ્રસંગમાં મનની સ્થિતિસ્થાપકતા (સમતોલપણું ) જાળવી રાખવી, એ બહુ જ હિતકર
Page #172
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૯ ] હાઈ ખાસ આદરણીય છે. એથી આત્મામાં અપૂર્વ શાંતિને પ્રગટ અનુભવ થઈ શકે છે.
સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં સુખ પરોક્ષ છે, પરંતુ રાગદ્વેષના અભાવરૂપ સમભાવ ( સમતા, સ્થિરતા, પ્રશમ)જનિત સહજ સ્વાભાવિક સુખ તો આત્મપ્રત્યક્ષ જ છે અને વિરલ સભાગી જનો તે મેળવી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૬ ]
તત્ત્વજિજ્ઞાસુ સજ્જનો પ્રત્યે પર્યુષણ પ્રસંગે બે બેલ વહાલા વીર બંધુઓ તથા બહેને!
આપણે પ્રતિવર્ષ પર્યુષણ પ્રસંગે ભારે ઉત્સાહથી, મોટા સમૂહમાં સહેજે એકઠા મળી સુગુરુને જે હોય તે તેમની સમીપે કલ્પસૂત્ર જેવા પવિત્ર આગમસૂત્રનું શ્રવણ કરીએ છીએ, જેમાં આપણા અતિ આસોપકારી ભગવાન શ્રી મહાવીર પ્રભુના સવિસ્તર ચરિત્રનો સમાવેશ થાય છે. એ પ્રભુના અતિબોધદાયક અદભુત ચરિત્રમાંથી આપણે ધારીએ તે ઘણુંએ ગ્રહણ કરી શકીએ છીએ, તેમ જ તેની જરૂર પણ ઘણું છે. કલ્પસૂત્ર જેવા પવિત્ર શાસ્ત્રદ્વારા ભગવાન મહાવીર પ્રભુનું પવિત્ર ચરિત્ર સાંભળનાર તેના અનુયાયી, સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ જે તેને અંતરમાં ઊતારે તે તેઓ પોતે કેટલા બધા પૂજ્ય-પવિત્ર બનવા પામે ! કેવળ રૂઢિની ખાતર વાંચવા કે સાંભળવા માત્રથી નહિ, પણ સ્વકર્તવ્ય ધર્મ તરીકે વિનય–બહમાનપૂર્વક તે પવિત્ર શાસ્ત્ર વાંચવા કે સાંભળવા પૂર્ણ લક્ષ રખાય.
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી કર્પરવિજયજી તે જ ઉત્તમ પરિણામ આવી શકે. આટલાં આટલાં વર્ષો થયાં પ્રતિવર્ષ પ્રભુનું પવિત્ર ચરિત્ર વાંચવાને તથા સાંભળવાને સતત અભ્યાસ છતાં પણ આપણું હૃદય દ્રવતું કેમ નથી ? તે વસ્તુ આપણને બરાબર પરિણમવા પામે તે હૃદય જરૂર દ્રવવું જ જોઈએ.
પ્રભુએ માતાના ગર્ભમાં રહ્યા છતાં માતા ઉપર અનુકંપાથી કે ભક્તિભાવથી, યાચિત આચરણ કરી આપણને આપણા માતપિતાદિક વડીલજને પ્રત્યે પૂર્ણ ભક્તિભાવથી સમાચિત આચરણ આચરવા સૂચવ્યું; છતાં તેની કશી દરકાર કરાય છે ? માતાપિતાદિક પૂજ્યજનોની આંતરડી દુભવીને ધર્મ—નીતિ વિરુદ્ધ સ્વેચ્છાએ ચાલનારા, કર્તવ્યધર્મથી વંચિત રહીને, કયારે પણ સુખી થઈ શકે ખરા? નહિ જ. અનેક ઉપયેગી બાબતે સંબંધી બારીક બાધ એ પવિત્ર શાસ્ત્ર યથાવિધિ સાંભળવાથી પ્રાપ્ત કરી, તેને સાર ગ્રહણ કરવાવાળા ખપી ભાઈબહેને પ્રમાદ રહિત પિતાપિતાનું વર્તન સુધારવાપૂર્વક ધર્મના અધિકારી બની, ઉભયલેકમાં અવશ્ય સુખી થવા પામે છે.
આ કાળના અને વક્ર જડ તરીકે ઓળખાવ્યા છે, તેથી તેમને શુદ્ધ માર્ગનો યથાર્થ બંધ છે અને–પરિણમ બન્ને દુર્લભ છે. તેમ જ માયા-પ્રપંચ મૂકી શુદ્ધ મન, વચન, કાયાથી તેને યથાર્થ અમલ કરવો તે વળી અત્યંત દુર્લભ છે. તેમ છતાં તેઓ પણ દઢ અભ્યાસ અને વૈરાગ્યના બળથી દેષ સમુદાયને હાસ (ઓછાશ) કરી, પાત્રતા મેળવી, પવિત્ર ધર્મરત્નના અધિકારી બનીને અવશ્ય સુખી થઈ શકે છે. આપણા સહુને પણ ઉચિત છે કે આપણામાં જડ ઘાલીને રહેલા શ્રેષક્ષુદ્રતાદિક દુષ્ટ દોષને દૂર કરવા અને ક્ષમા-સમતા, ગંભીરતાદિક
Page #174
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૧] સગણ પ્રાપ્ત કરવા પૂર્ણ કાળજી રાખતા રહેવું. ધર્મની દરકાર કરનારે ન્યાય, નીતિ, પ્રમાણિકતાને અવશ્ય આદરવાની જરૂર છે. એનાથી વેગળા રહી ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છવું, એ વંધ્યાને પુત્રની પ્રાપ્તિ કરવા–ઈચ્છવા જેવું અશકય છે. ખરા ધર્મની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે સત્યની ખાતર પ્રાણાર્પણ કરવા તત્પર થઈએ. પ્રાણને પણ ન્યાય, નીતિને ન તજીએ. વળી સહુને આપણું પ્રાણ-આત્મા સમાન લેખીએ, પરને દુઃખી દેખી, તેનું દુઃખ દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરીએ અને સુખી તથા સગુણને દેખી, દિલમાં રાજી થઈ તેવા સગુણ બનવા ઉચિત આચરણ દઢતાથી કરીએ, ગમે તેવાં નીચ કાર્ય કરનાર પ્રત્યે પણ છેષ લાવ્યા વગર તેને સુધારવાનું બની શકે તે કરુણ લાવી તેમ કરીએ; છતાં તે સુધરી ન જ શકે એમ જણાય તે પણ શકય હિતકાર્ય કરવા સાવધાન રહીએ તો જ આપણે સર્વજ્ઞોક્ત ધર્મરનની રક્ષા કરવાપૂર્વક તેની સાર્થકતા કરી એમ કહેવાય.
ક્રોધ-માન-માયા-લોભ કષાય રહિત નિર્દોષ સ્ફટિક રત્ન સમાન નિર્મળ આત્માને ધર્મ છે. તે રાગ, દ્વેષ, મળથી મલિન થાય છે. રાગ, દ્વેષની ચિકાસથી જ કર્મબંધ થાય છે અને તેથી જ જન્મ, મરણવડે સંસારભ્રમણ થાય છે. તે અનંતા દુઃખમાંથી બચવા રાગ, દ્વેષાદિક દોષોથી દૂર રહેવું જોઈએ. એટલે કે જે જે નિમિત્તેથી રાગદ્વેષ વધે તે તે નિમિત્તે તજવાં, અને જે જે નિમિત્તથી રાગદ્વેષાદિક ઘટે તે તે નિમિત્તેનું સેવન કરવા લક્ષ રાખવું. જ્યાં સુધી પરાયા દોષ જ જોવાની, જાણ વાની કે ગાવાની કુટેવ દૂર કરી ન શકાય ત્યાં સુધી આપણામાં દોષને જ વધારે થવાને. દેષને ઘટાડે તથા ગુણને વધારે
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
શ્રી કપૂરવિજયજી
ત્યારે જ થઈ શકે કે જ્યારે દ્રષષ્ટિ તજી, ગુણ ગ્રહણ કરતાં શીખીએ-પરિન દાના ઢાળ તજીએ અને ગુણ ગુણીની પ્રશંસાઅનુમેાદના કરી તેને યથાયેાગ્ય આદર કરતા રહીએ. આપ ણામાં ગુણના ગધ સરખા ન ડાય છતાં ખાટી બડાઈ મારીએ અને સામામાં અનેક સદ્ગુણેા હાય છતાં તેને વખાણવાને બદલે ઊલટા વખાડીએ, આવાં અપલક્ષણથી જ આપણી અધાગતિ( પડતી ) થઇ રહી છે. તેમાંથી ખચવુ જ હાય તા તે અપલક્ષણ તજવાં જોઈએ. નવરા, નિરુદ્યમી, દુષ્ટ માણસોને પરનિંદા કરવી વધારે ગમે છે, જેથી પિરણામે તેઓ બહુ દુ:ખી થાય છે. સજ્જને સદા ચેતતા રહીને સુખી થાય છે. સજ્જનેા ચંદન જેવા શીતળ પ્રકૃતિના હાઇ સ્વપને હિતરૂપ થાય છે. પવિત્ર વિચાર, વાણી અને આચરણાગે તેએ અનેક જનાને ઉપકારક થઇ શકે છે. અલૈકિક ક્ષમા, મૃદુતા, નમ્રતા, સરલતા, નિલેભિતા, જિતેન્દ્રિયતા, દયાળુતા, સત્યતા, પ્રામાણિકતા, નિ:સ્પૃહતા અને સુશીલતાદિક સદ્ગુણેાવડે તેએ સારી સૃષ્ટિને ઉપકારી બને છે. શું ગુમાત્ર તેમનાથી દૂર રહે છે, જ્યારે તેમનામાં સદ્ગુણૢા સહેજે આવીને વસે છે. તેએ દેવતાને પણ વહાલા લાગે તેમ છે. તેમના સદ્ગુણ્ણા સહુકોઇને આકષી લે છે તેમ છતાં તેઓ સ્વાશ્રયીપણે આત્મશ્રદ્ધા, આત્મરમણુતા અને આત્મવીર્યમાં જ વૃત્તિ સ્થાપી રાખનારા હોય છે. તેમના અલૈકિક પ્રભાવથી કઈક ભવ્યાત્માએ સન્માને આદરી સુખી થાય છે. કલિકાળમાં પણ અપૂર્વ શીતળતા ઉપજાવનારા આવા સત્પુરુષા હાય છે. તેમનું શરણુ આપણને હા ! જેથી આપણે પણ સદ્ગુણી અને સદ્ગુણાનુરાગી બની ઉભય લેાકમાં સુખી થઈએ. [ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૩૨ ]
Page #176
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૩ ]
આપણી આંતરસ્થિતિ સમજીને સુધારવાની જરૂર.
આપણામાં અનત જ્ઞાનાદિક, અનેક સદ્ગુણે। જેનાવડે છુપાએલા છે તે બધા અજ્ઞાન, અશ્રદ્ધા અને અનાચારાદિક દેાષાના નામથી પ્રસિદ્ધ છે. અજ્ઞાન, અશ્રદ્ધા અને અનાચરણરૂપ દોષ માત્ર ત્યાજ્ય છે અને સમ્યજ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રાદિક ગુણા ઉપાદેય-આદરવા ચેાગ્ય છે. એટલેા અંત:કરણમાં દઢ-નિર્ણય કરી દઈને જે રીતે ઉક્ત દ્વેષા દૂર થાય અને ગુણે! પ્રગટ થાય તેવા ઉદ્યમ યા પુરુષાર્થ પવિત્ર શાસ્ત્રનીતિ મુજબ કરવા અતિ જરૂર છે. ‘ અજ્ઞાન, અશ્રદ્ધાદિક દોષ। અમારાથી ફ્રજાએ !” એમ ખાલી ફક્ત પાકારવાથી કદાપિ દૂર જવાના નથી. તેમ જ ‘ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક સદ્ગુણ્ણા અમારામાં આવેા-પ્રગટે !’ એમ કહેવા માત્રથી કઇ તે પ્રગટતા નથી. ઉક્ત મિથ્યાત્વ અન્નાનાદિક દોષમાત્રને દળવા–દૂર કરવા અને નિર્મળ દન જ્ઞાનાદિક પ્રગટ કરવા ભગવાન મહાવીરદેવની પેઠે ધીરજ અને ખંતથી પૂર્વ મહાપુરુષાએ જાતે આદરેલા અને બતાવેલા ઉત્તમ માગે દઢ પ્રયત્ન કરવાની આપણને ભારે જરૂર છે.
દશ હૃષ્ટાન્ત દુર્લભ એવા માનવભવમાં જ એવા દૃઢ પ્રયત્ન ભવ્ય મુમુક્ષુજના કરી શકે છે અને અનુક્રમે દોષ માત્રને હઠાવી અનતાં ગુણરત્નાને પ્રગટ કરી અંતે અક્ષયસુખસંપદાને વરી શકે છે. શુદ્ધ અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મ સાવધાન પણે સેવવાવડે અનુક્રમે દોષમાત્રનેા જય ( ક્ષય ) થતાં જ સહેજે સદ્ગુણેાની પ્રાપ્તિ થવા પામે છે. ઉક્ત કલ્યાણુસાધક ધર્મસાધનમાં કેવળ પ્રમાદ, સ્વચ્છ ંદતા જ અંતરાયરૂપ થાય છે, તે બહુરૂપી માહના પ્રતિનિધિરૂપ પ્રમાદથી નહિ
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪]
શ્રી કરવિજયજી છળતાં જે ભવ્યાત્મા સાવધાનપણે પૂર્વોક્ત ધર્મનું ડહાપણથી સેવન કરવા ચૂકતા નથી તેઓ દુઃખમાત્રને અંત કરી અક્ષયઅનંતસુખમાં જઈ વિશ્રામે છે અને પરમ મોક્ષપદને પામે છે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૯૪ ]
આપણી ભાવી ઉન્નતિની દિશા સમજીને
આદરવાની જરૂર સુજ્ઞ ભાઈ, બહેને એ સ્વપરહિત-શ્રેય કરવા સદા ય ઈચ્છવું જોઈએ. જે ભવ્યાત્મ સ્વહિત-શ્રેય કરવા આતુરતાથી ઈચ્છતા હોય તેણે શ્રી વીતરાગપ્રણીત માર્ગને યથાયોગ્ય અનુસરીને જ ચાલવું જોઈએ. સ્વયેગ્યતાનુસારે જ ધર્મસાધન કરવાની મર્યાદા શાસ્ત્રકારે કહી છે અને એ જ હિતકારી થઈ શકે છે. ગ્યતા વગર વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી અને ક્વચિત્ જ થાય તે ટકી શકતી નથી. તેમ છતાં એવી યેગ્યતા પ્રાપ્ત કરવા કોઈ વિરલા જ કાળજી રાખે છે અને લાભ પણ તે જ મેળવી શકે છે. પ્રભુનું શાસન જયવંતું લેખાય છે, તેથી એવા પણ સદ્ભાગી જી શાસનમાં હવા ઘટે છે. મહાપુરુષોનાં ચરિત્ર જે બારીકીથી વાંચી-વિચારી સમજી શકે છે તે તેમાંથી સાર ગ્રહી, સ્વપૂનતા દૂર કરી શકે છે. આપણું ધારેલું ન થવાથી કવચિત્ ખેદ પણ થવા પામે છે, પરંતુ તે નિરાશામાં પરિણમવવાને બદલે નવી જાગૃતિ આણવામાં પરિણમે તે જ તે ઈચ્છવા ગ્ય છે.
આપણું જીવન શુષ્ક-જડવત્ બનવાને બદલે સરસ
Page #178
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૫ ] (સ્વપરને રસદાયક) બને એવો પ્રયત્ન સેવતા રહી આગળ વધાય તો કેવું સારું ?
આપણું સંગતિમાં દેહ-છાયાની જેમ વર્તનારી વ્યક્તિએનું પણ જીવન તેવું જ સરસ બને તેવી જ કાળજી આપણે રાખવી ઘટે, જેથી સ્વપરઉન્નતિમાં લેશમાત્ર અંતરાયરૂપ નહિ થતાં એક બીજાને વધારે મદદગાર થવાય–આવી કર્તવ્યભાવના આપણામાં ખીલવવાની જરૂર છે. ઉત્તમ પ્રકારની વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણુની આપણામાં અત્યારે ભારે ખામી જોવામાં આવે છે, તેથી જ આપણું સ્થિતિ દયાજનક થઈ પડી છે. આવી દુઃખી સ્થિતિમાંથી સમાજનો ઉદ્ધાર જેવાતેવાથી કે સંભવિત નથી. એ તે જ્યારે પ્રબળ પ્રભાવશાળી નૈષ્ઠિક બ્રહ્મચર્યને ધારણ કરનારી શુદ્ધ શાસનપ્રેમી વ્યક્તિઓ સદ્દભાગ્યે સજીવન જાગૃત થઈ “સવિ જીવ કરું શાસનરસી ” એવી ઉગ્ર ભાવનાયેગે નિષ્કામ શાસનસેવા કરવા ઉજમાલ બનશે ત્યારે તેને ત્યારે જ સમાજના ઉદય સાથે શાસનને પણ ઉદય થશે. - સ્ત્રીકેળવણમાં તે અત્યારે ઘણું જ ખામી જોવાય છે, પરંતુ ધીમેધીમે વ્યક્તિગત સુધારો થવાથી સારું પરિણામ આવી શકશે. એક જ મહાત્મા ગાંધી અત્યારે કેટલું કરી રહેલ છે? અને તે કયા આલંબનથી? એટલું પણ વિચારશીલ જેને ગંભીરતાથી વિચારે તો પણ સ્વકર્તવ્યની કઈક ઝાંખી કરી શકે એમ છે. આપણે અત્યારે યેગ્યતાસંપન્ન થવાની અને તેવા થઈને સ્વકર્તવ્ય ધર્મ કરવાની ઘણી જરૂર છે. જે આપણું ઉન્નતિ ૧૦
Page #179
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી કરવિજયજી
સાધવા દૃઢ કાળજી અને અવિરત વિચારણા વતી હોય તે ખરેખર તેમાંથી કંઇ ને કંઇ શુભ પરિણામ આવી શકે જ. શુદ્ધ અંત:કરણના અવાજ એ દૈવી અવાજ છે. તેને ખરાખર લક્ષ્યપૂર્ણાંક સાંભળી આદરવામાં આવે તે તે આપણને અચૂક લાભકારી બને. ઇંદ્રિયનિગ્રહ, કષાયનિગ્રહ, ચેાગવિશુદ્ધિ અને અહિંસાદિક સદ્ગુણાનું સેવન કરવારૂપ સંચયવડે જ યારેત્યારે આપણે સ્વઉન્નતિ સાધી શકીશુ, તેા પછી અત્યારે જ પ્રમાદ રહિત ઉક્ત સંયમનુ સેવન કરવા તત્પર શા માટે ન થવુ? ઝુમસ્ય શીઘ્રમ્ ।
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૮૯. ]
આપણી ઉતિને સરલ-સુગમ માર્ગ,
સંયમ અથવા આત્મનિગ્રહવર્ડ આપણી ઉન્નતિના માર્ગ સરલ–સુગમ બનશે. સંયમ એટલે નિજ ઇંદ્રિયને નિગ્રહ. સંયમ એટલે ક્રોધાદિક કષાયના નિગ્રહ, સંચમ એટલે મન, વચન અને કાયાના નિગ્રહ અને સંયમ એટલે હિંસા, અસત્યાદિક પાપના નિગ્રહ. જેટલે અંશે સયમનું અધિક સેવન યા પાલન કરાય તેટલે અંશે આપણી ઉન્નતિમાં આપણે અધિક આગળ વધી શકીશુ.
ઇંદ્રિયનિગ્રહ એટલે આપણી દરેક ઇંદ્રિયાને અસતુમાગે પ્રવતાં નિવારીને કમ રાખવી. ઇક્રિયાને કમજે રાખતાં શીખવાથી આપણે કેટલીએ બીનજરૂરી વસ્તુએ વગર ચલાવી શકીએ, એટલે ક્રોધ, લેાભવશ નહિ થતાં સમતા અને સ ંતેાષ વડે આપણા જીવનનિર્વાહ સ્વલ્પ વસ્તુએથી ચલાવી શકીશુ. એવી રીતે ટેવાઇ જવાથી આપણી રૂડી સમજ સાથે સતાષ
Page #180
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૭ ] વૃત્તિથી આપણે ઘણા ય પાપ-પ્રપંચાચરણથી સહેજે બચી શકીશું અને ન્યાય, નીતિ અને પ્રમાણિક વ્યવસાયથી કરેલી કમાઈવડે સુખપૂર્વક સ્વકુટુંબનિર્વાહ ચલાવવા ઉપરાંત બીજા અ૮૫ સત્ત્વવાળા બંધુઓને તથા બહેનોને પણ કંઈક એગ્ય આલંબન આપવા સમર્થ થઈ શકશું.
ઈદ્રિયનિગ્રહવડે મન પણ સ્થિર થઈ શકશે, રાગ, દ્વેષ અને કષાયથી દૂર રહેવાશે અને યથાપ્રાસમાં સંતોષ રાખી શકાશે, જેથી ક્ષમા, સમતા, મૃદુતા (નમ્રતા) અને સરલતાદિ ગુણે ખીલી શકશે. વળી ઈદ્રિય અને કષાયનિગ્રહયોગે મન, વચન અને કાયા અથવા વિચાર, વાણી અને આચારની શુદ્ધિ સાચવી શકાશે.
અસત-મલિન વિચાર, વાણી અને આચાર ખરી ખંતથી સુધારી લેવા તેનું નામ સંયમ.
મિત્રી, મુદિતા, કરુણા અને માધ્યચ્ય અથવા ઉપેક્ષાભાવથી વિચારાદિની શુદ્ધિ સહેજે થઈ શકશે. સર્વ કેઈનું હિતચિન્તવન કરવાને બદલે અહિત-અનિષ્ટ ચિન્તવન કરવું, દીન-દુઃખીને યથાયોગ્ય સહાય કરવાને બદલે તેની ઉપેક્ષા કરવી, સુખી કે સદ્દગુણને દેખી સંતુષ્ટ થવાને બદલે મનમાં ઈર્ષ્યા કરવી અને અત્યંત ક્રૂર કર્મ કરનારની ઉપેક્ષા કરવાને બદલે તેને અનમેદન મળે એમ વર્તવું એ ખરેખર વિચાર, વાણી અને આચારની મલિનતા ઉપજાવનાર અને વધારનાર બને છે, એમ સમજી ઉપરોક્ત મંત્રી, મુદિતાદિ ભાવનાને દૃઢ આશ્રય કરી વિચારાદિની શુદ્ધિ કરવી ઘટે. એ રીતે આત્મનિગ્રહ કરવાથી હિંસાદિ પાપથી સહેજે નિવતી અહિંસાદિકનો લાભ લઈ શકાય છે. આત્મન્નિતિ કરવા ઈચ્છનારે સર્વ પ્રકારની (કાયિક, વાચિક
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
શ્રી કપૂરવિજયજી
અને માનસિક ) ર્હિંસાદિથી દૂર રહેવુ જોઇએ. સર્વ જીવાને આત્મ સમાન જ લેખી ગમે તે કાર્ય કરતાં તેમની રક્ષા કરવી જોઇએ. પ્રિય અને હિતરૂપ થાય એવું સત્ય ઉચ્ચારવું જોઇએ અને અપરાધીનુ પણ અહિત નહિ' ચિતવતાં તેનું કાઇ રીતે હિત થઇ શકે તેા ઠીક એમ કરુણાદૃષ્ટિથી ચિંતવવુ તે કત્ત બ્ય છે.
ઉદાર મનથી સ્વાર્થ ત્યાગરૂપ સંયમનું સુસેવન કરવાથી આપણે આપણી ઉન્નતિ સહેજે સાધી શકશું.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૦ ]
શ્રી તીર્થંકર ભગવાનના કલ્યાણક ઊજવવાના પ્રસંગ જયતિ અને કલ્યાણકની એકતા.
ભવ્ય સુજ્ઞા ! પ્રમાદ ત્યજો અને આર્થિક સ્થિતિ ઉન્નત કરવાની સાથે સાથે ધાર્મિક દશાને પણ ધ્યાનમાં લ્યે. આજના જમાનામાં · જયંતિ ” શબ્દ આખાલગેાપાળ પ્રસિદ્ધ છે ત્યારે કલ્યાણુક શબ્દને આપણામાંની બહુ ભ્રુજ વ્યક્તિએ જ સમજતી હશે. અને શબ્દોના અર્થ તાપ રૂપે એક જ છે. જયંતિ શબ્દ જ્યારે સર્વોત્કર્ષ ખતાવે છે ત્યારે કલ્યાણક શબ્દ ત્રણ જગતના જીવાને સુખ આપવાને ઉત્કર્ષ બતાવે છે. આ ખાખત નાકા પોતે ચસ્થ જ્યાળ વસ્તુ એ વચનથી શાસ્રસિદ્ધ જ છે. આ સર્વોત્કર્ષનું નામ જ઼ જયાંત કહા કે કલ્યાણક કહા બંને તાત્પરૂપે એક જ છે. ગુર્વાદિક મહાપુરુષાની જયંતિ ઊજવવામાં પણ વિક્ષિત સદ્ગુણ વિષયક જ ઉત્કર્ષ બતાવવાના ઇરાદેા રખાય છે. સર્વોત્કર્ષ તા વીતરાગ ભગવાનના જ દર્શાવાતા હાવાથી ખાસ પાારભાષિક શબ્દ
Page #182
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૪૯ ] કલ્યાણક’થી તેને વ્યવહાર કરાય છે. આ ઉપરથી સમજી શકાશે કે જયંતિ જ્યારે સાધારણ યા અસાધારણ ગુણે માટે ઊજવાય છે ત્યારે કલ્યાણક અસાધારણ ગુણે માટે જ ઊજવાય છે.
જયંતિ અને કલ્યાણકની ભિન્નતા જ્યારે જયંતિ ઊજવવાને રિવાજ સર્વસાધારણ થઈ પડેલો છે ત્યારે કલ્યાણક તે જેઓએ ચાર ઘાતકર્મનો ક્ષય કરી, કૈવલ્યદ્વારા કાલેકના ભાવ જાણું, સમદષ્ટિથી સર્વ વર્ણોને તેમ જ દેવાદિને બોધ આપી તીર્થકરપણું સાર્થક કર્યું હોય તેને માટે જ ઊજવી શકાય છે. જયંતિ અને કલ્યાણક એ બંનેમાં ઉદ્દેશ વિષયક ભિન્નતાવાળે હોવાથી આવી રીતે પ્રત્યક્ષ ભેદ છે. કલ્યાણક ઊજવવાથી શું લાભ થાય છે તે હવે તપાસીએ.
કલ્યાણક ઊજવવાના પ્રકાર કલ્યાણકના મેળાવડા કરવાથી તીર્થકર મહારાજાઓમાં કયા કયા કેવલ્યાદિ અસાધારણ ગુણે હતા? તે ગુણે તેઓએ કેવી રીતે મેળવ્યા? તેમનું વર્તન અને કથન કેટલું વિલક્ષણ અને અસાધારણપણે અવિસંવાદી હતું? તે જાણવાનું અને કથનાનુસાર તેનું કેટલેક અંશે અનુકરણ કરવાનું બની શકે છે. હાલના સમયમાં વ્યાપારની પ્રવૃત્તિ વિલક્ષણ હવાને અંગે અવકાશ બહુ જ અ૯પ મળવાથી હમેશાં ચાલતા પૂજાદિ કાર્યોમાં લાભ લઈ બેધ મેળવવાનું બહુ અલપ જીવોથી બની શકે છે, ત્યારે ખુદ પિતાના ઈષ્ટદેવના સદ્દગુણે અને તેનું ચારિત્ર જણાવી ઉછરતા જૈનવર્ગમાં આસ્તિતા જમાવવાને માટે આવા મેળાવડાની જરૂરીઆત સુજ્ઞ જને જોઈ શકશે.
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
શ્રી કપૂરવિજયજી - કલ્યાણક ઊજવવા માટે પુરા જે કે મૂળ આગમમાં જ છે, છતાં પણ ૧૪૪૪ ગ્રંથકર્તા, જેને થયે લગભગ ૧૫૦૦ વર્ષો વીતી ગયાં છે, તે અસાધારણ વિદ્વાન હરિભદ્રસૂરિજી મહારાજ યાત્રા પંચાશકમાં કયાણકને વિષય કઈ રીતે પડ્યું છે? અને અન્ય દિવસનાં ધર્મકૃત્ય કરતાં કલ્યાણકના દિવસે કરાતાં ધર્મકૃત્યે પર ગાથામાં “તું” શબ્દ લખી કેટલે ભાર મૂકે છે? અને તે જ ગાથાના ટીકાકાર નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિજી તે ઉલ્લેખનું ચમત્કારિક સ્પષ્ટીકરણ પિતાની ટીકામાં કેવી સરસ રીતે આપે છે? તે નીચે યાત્રા પંચાશકની ગાથાઓ તેનો સારાંશ આપીને જણાવેલ છે. તે વાંચવાથી સુજ્ઞજનેને સત્ય વસ્તુની સાબિતી થશે.
ટીકા તેના અભ્યાસીએ તે ગ્રંથમાંથી વાંચી લેવી. પંચાશકનાર મહાત્મા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે –
गाथा
ता रह निरकवणा दिवि, एए उ दिणे पडुच्च कायव्यं । जं एसो खलु विसओ, पहाणमो तीए किरियाए ॥ विसयपग्गरिसभावे, किरियामेत्तंपि बहुफलं होइ । सक्किरिया विहू न तहा, इयरम्मि अवियरागिव्व ।। तित्थगरे बहूमाणो, अभ्यासो तह य जीयकप्पस्स | देविंदादि अणुगिती, गंभीरपरूवणा लोए ॥ वएणो य पवयणस्सा, इयजत्ताए णियमणं । मग्गाणुसारिभावो, जायइ एत्तो चिय विसुद्धो॥
Page #184
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૧ ] સંક્ષિપ્ત સારજિનેશ્વરેના કલ્યાણકોના દિવસે રથયાત્રાદિ મહોત્સવ કરવાથી, તેના જેનારા અનેક ભવ્યાત્માઓને તીર્થંકર પર, તેમના શાસન પર અને જિનેશ્વરમહારાજે પ્રરૂપેલા ધર્મ ઉપર ભક્તિ, પ્રેમ અને અનુપમ બહુમાન ઉછળે છે, માટે આસ્તિક જનેએ કલ્યાણકના દિવસે રથયાત્રા, પૂજા, પ્રભાવના આદિ જિનભક્તિનાં કાર્યો અવશ્ય કરવાં, કારણ કે અન્ય દિવસોની અપેક્ષાએ કલ્યાણકના દિવસો ધાર્મિક કાર્યો માટે અતિ પ્રશસ્ય છે.
ટીકાકાર મહારાજા ઉપરની હકીકતને પુષ્ટિ આપતાં છતાં એટલું વિશેષ કહે છે કે-કલ્યાણક સિવાયના દિવસો અનાગમેક્ત હોવાથી યથાર્થ પૂર્ણ ફળદાયી થતા નથી, પરંતુ કલ્યાણ કાદિકના દિવસે ખાસ આગમત હોવાથી અધિક આરાધનીય છે. તે દિવસે કરેલું થોડું પણ ધર્મકૃત્ય મહાફળદાયી થાય છે.
આ જ હકીકતને પુષ્ટિ આપતાં મૂળ ગ્રંથકાર કહે છે કેજેમ ઉચિત વૃષ્ટિ આદિના સંગે અ૮૫ ખેતી પણ અધિક ફળ આપે છે અને ઉચિત વૃષ્ટિ આદિના અભાવે અધિક ખેતી પણ નિરર્થક થાય છે, તેમ ઉત્તમ દિવસોએ કરેલી છેડી પણ ધાર્મિક આરાધના અને દ્રવ્યનો વ્યય ભવ્ય જીવોને અતુલ ફળ આપે છે આ હકીકતને વધારે પુષ્ટ કરતાં ટીકાકાર કહે છે કે-જેમ અવીતરાગ પુરુષમાં ગુણપ્રકર્ષને અભાવ હોવાથી તે પુરુષને પ્રધાનપણે કલ્પી તેની પૂજા, ઉત્સવાદિ કરવામાં આવે તે તે યથેષ્ઠ ફળ આપવામાં અસમર્થ બને છે, તે જ પ્રમાણે કલ્યાણકાદિ શાસ્ત્રોક્ત દિવસોને તજી દઈને અન્ય દિવસે કરાતાં પૂજા, ઉસવાદિમાં પિતાની કલ્પનાની મુખ્યતા અને સર્વજ્ઞ
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
શ્રી કપૂરવિજયજી
આજ્ઞાના અનાદર હાવાથી તે ઇચ્છિત ફળદાયક થતાં નથી, તેથી શાસનપ્રેમીઓએ કલ્યાણકાદિ દિવસેએ જ બહુધા પૂજા, પ્રભાવના ઉત્સવાદિ કરવાં કે જેથી સ્વપરને અમેાઘ ફળદાયી થાય.
આ હકીકતની પુષ્ટિમાં વળી ગ્રંથકાર મહાત્મા કહે છે કેજિનેશ્વરાના જન્માદિ કલ્યાણકાના દિવસે અથવા તેવા બીજા શાસ્ત્રોક્ત ઉત્તમ દિવસેાએ રથયાત્રા, પૂજા, પ્રભાવના વિગેરે ઉત્સવેા કરાય તા તે જોઇને અન્યદર્શીનીઓને પણ તી કરાદિ ઉપર બહુમાન ઉપજે છે અને તેવા તથાવિધ ધર્મસ્નેહદ્વારા પરિણામે સત્યધર્માંને પણુ પામે છે. પૂર્વ પુરુષાએ બાંધેલી પ્રણાલિકાનું અનુકરણ થાય છે. ઇંદ્રાદિક દેવા પણ તે દિવસેાએ મહેાત્સવાદિ કરે છે, તેથી તેઓના સભ્યગાચારનું પણું અનુકરણ થાય છે. ભવ્ય જીવા તેની સવિશેષ અનુમેાદના કરે છે તેથી તેમને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય છે અને કેટલાએક જીવાનુ સમકિત પણ નિર્મળ થાય છે.
આ ઉપરથી સુજ્ઞ જનેા સમજી શકયા હશે કે કલ્યાણક સિવાયના દિવસેામાં કરેલાં કૃત્ય અને દ્રવ્યના સદ્યય ત્યારે જ ઉપયાગી થાય છે કે જ્યારે કલ્યાણકના દિવસમાં ખાસ ધાર્મિક અને શાસનપ્રભાવના અપૂર્વ ઉદ્ભાસથી અને અસાધારણુ દ્રવ્યન્યયથી કરવામાં આવે. લૌકિક નીતિ પણ તેવી જ હાય છે. એક સગૃહસ્થ વિનાપ્રસંગે લાખા રૂપીઆ ધામધુમ કરી ખર્ચે અને જ્યારે પેાતાને ત્યાં લગ્નાદિ પ્રસંગ આવે ત્યારે કઇ પણ તેવા વ્યય કરે નહિં તે તે આદરપાત્ર બની શકતા નથી, તેમ જ શાસ્ત્રકારની અપેક્ષાએ કલ્યાણકના દિવસનુ સ્મરણ માત્ર પણ ન કરનાર અને તેમાં અપૂર્વ વીલ્લાસ ન
Page #186
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૩ ] અતાવનાર અન્ય દિવસમાં ઘણી ધામધુમે। તેમ જ રથયાત્રાદિ કરે તેા પણ આત્મિક ગુણુના પૂર્ણ લાભ પામી શકતા નથી.
દરેક તીર્થંકર મહારાજના પાંચ પાંચ કલ્યાણક જ હાય છે. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણુ. ’ વમાન ચાવીશીમાં ૧૨૦ કલ્યાણક ઊજવવાની શક્તિના અભાવે પણ વર્તમાન તીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાના પાંચ કલ્યાણુક તેા નાના મેાટા દરેક જૈન વસ્તીવાળાં ક્ષેત્રમાં ઊજવવા જ જોઇએ. શ્રી સિદ્ધાચળજીમાં—શ્રી પાલીતાણા શહેરમાં શ્રી મહાવીર ભગવાનના પાંચ કલ્યાણક ઊજવવાની સાથે ગિરિરાજ ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનાં પાંચ કલ્યાણક ઊજવવાની આવશ્યકતા હેાવાથી નીચે લખ્યા મુજબના દિવસે ઊજવવાં જોઇએ, જેના લાભ સુરજના પેાતાની ઉદારતા દર્શાવી આખી જૈન કામને આપે. કહેવાની જરૂર નથી કે જ્યારે પેાતાના ક્ષેત્રમાં કરેલા દ્રવ્યના સચયના લાભ બહુળતાએ તે જ ક્ષેત્રવાળાઓ લઇ શકે છે ત્યારે આવા અપૂર્વ તીર્થસ્થળમાં કરેલા સદ્વ્યયને લાભ અવારનવાર આખી જૈનકેામ લઇ શકે છે. કલ્યાણકના દિવસેા—
"
ઋષભદેવ પ્રભુના પાંચ કલ્યાણકના ચાર દિવસેા નીચે પ્રમાણે છે—
વિદ ૪ ચ્યવન, ફાલ્ગુન વિદ ૮ જન્મ અને દીક્ષા, મહા વિક્રે ૧૧ કૈવલ્ય, પાષ વદિ ૧૩ નિર્વાણુ. મહાવીર પ્રભુના પાંચ કલ્યાણકાના દિવસે આ પ્રમાણે છે–અષાડ શુદિ ૬ ચ્યવન, ચૈત્ર શુદિ ૧૩ જન્મ, કાર્તિક વદિ ૧૦ દીક્ષા, વૈશાખ શુદ્ધિ ૧૦ કેવલ્ય, આશ્વિન વૃદ્ધિ અમાવાસ્યા નિર્વાણુ.
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪]
શ્રી કપૂરવિજયજી શ્રી ઋષભદેવ ભગવાનનાં પાંચે કલ્યાણક પ્રસંગે શ્રી શત્રુંજયતીર્થ પરની નવ ટુંકમાં આંગી તેમ જ મોટી ટુંકમાં પૂજા, ભાવના, રથયાત્રા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે, તેમ જ શ્રી મહાવીર પ્રભુના પંચકલ્યાણક મહોત્સવ વખતે જાહેર ખબર છપાવી પાલીતાણામાં જે વિદ્વાન ત્યાગી મહારાજ બિરાજતા હોય તેમના પ્રમુખપણ નીચે મેલાવડે, ભાષણે તેમ જ આંગીપૂજા ભાવના વગેરે કરવામાં આવે.
મહાનુભાવે ! બુદ્ધના ભક્તોની તથા પ્રકારની વસ્તી હિંદુસ્તાનમાં નહિં છતાં પણ હજારો માઈલથી આવી તેના ભકતે અત્રે તેની જયંતિ ઉજવવાનો જ્યારે લાભ લે છે ત્યારે જે તીર્થ. કરની લાખે ની સંખ્યામાં રહેલી ભક્ત કેમ આ જ દેશમાં કલ્યાણક ઊજવવા ઉજમાળ ન થાય, એટલું જ નહિં પણ તે કલ્યાણકના દિવસોનું જ્ઞાન માત્ર પણ ન ધરાવે એ કેટલું શોચનીય છે !
જ્યારે પોતાની જાતની અને પિતાનાં બાળબચ્ચાંઓની વર્ષ ગાંઠ ઊજવવામાં ઉજમાળપણું રહે ત્યારે આવા અપૂર્વ તીર્થમાં તીર્થાધિરાજ શ્રી ઇષભદેવ ભગવાનની વર્ષગાંઠ અને કલ્યાણક તેમ જ વર્તમાન શાસનાધિપતિ શ્રી વદ્ધમાન સ્વામીના કલ્યાણકો ઊજવવામાં પ્રમાદી રહે, એ શું વિચારણય નથી ? માટે મહાનુભાવ સદ્ગહસ્થો ! ઉપરનો પ્રબંધ વાંચી, તેને સંપૂર્ણ લક્ષ્યમાં લઈ અપૂર્વ વિલાસથી લાભ લેવા ઉત્સુક બને, અને તે દ્વારા સ્વ અને પારને જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનારા થાઓ.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૧૩ ]
Page #188
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
દેશ શ્રાવક ફલક
આણંદાદિક દશ શ્રાવકાના સક્ષિપ્ત અધિકાર
[ ૧૫૫ ]
વાણિજ્યગ્રામ નગરમાં આણુંદ નામે ગૃહસ્થ રહેતા હતા. શિવાનંદા નામની તેની ભાર્યા (સ્ત્રી) હતી અને દશ દશ હજાર ગાચેાથી બનેલાં ૪ ગાકુળ હતાં, ભંડારમાં, વ્યાપારમાં અને વ્યાજ વિગેરેમાં થઇ એકંદર ખાર ક્રોડ સાનૈયાની ઋદ્ધિ હતી. તે વીર પરમાત્માના અંતેવાસી શ્રાવક થયા. સમકિતમૂળ શ્રાવકના ખાર વ્રત તેણે પ્રભુ પાસે ઉચ્ચયી હતાં. ૧–૨.
ચંપા નગરીમાં કામદેવ નામે સુશ્રાવક થયા. તેને ભદ્રા નામે ભાર્યા હતી. છ ગાકુળ અને અઢાર ક્રોડ સાનૈયાને તે સ્વામી હતા. ૩.
કાશી મધ્યે ચુલનીપિતા નામે પરમ શ્રાવક થયા. તેને શ્યામા નામે સ્રી, આઠ ગેાકુળ અને ચાવીસ ક્રોડ સેાનૈયાની ઋદ્ધિ હતી. ૪.
વળી કાશીમાં સૂરદેવ નામે વ્રતધારી શ્રાવક થયા. તેને ધન્યા નામે સુંદરી અને અઢાર ક્રોડ સાનૈયાની ઋદ્ધિ હતી. ૫,
આલંભિકા નગરીમાં ચુલ્લાતક નામે શ્રાવક થયા. તેને બહુલા નામે પ્રિયા હતી અને કામદેવ શ્રાવક જેટલી સમૃદ્ધિ હતી. ૬.
કાંપિલ્યપુરમાં કડકાલિક નામે શ્રાવક થયા. તેને પુષ્પા નામની સ્ત્રી અને કામદેવ સમાન. સમૃદ્ધિ હતી. ૭.
પેાલા (સનિવેશ ) મધ્યે સદૃાલપુત્ર નામે કુંભાર જાતિના
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી કપૂરવિજયજી શ્રાવક થયા. તેને અગ્નિમિત્રા નામની ભાર્યા અને ત્રણ કોડ સોનામહની ત્રાદ્ધિ હતી. ૮.
રાજગૃહી નગરીમાં શતક નામે શ્રાવક, આઠ ગોકુલ અને વીશ કોડ સોનામહોરના સ્વામી થયા. તેને તે સ્ત્રીઓ હતી. તેમાં રેવતી નામની સ્ત્રી આઠ ક્રોડ અને બાકીની એકેક કોડ સોનામહેર લાવી હતી. ૯. - શ્રાવતી નગરીમાં નંદનીપ્રિય શ્રાવક થયા. તેને અશ્વિની નામે સ્ત્રી અને આણંદ શ્રાવક સમાન સમૃદ્ધિ હતી. ૧૦.
સાવથ્થી (શ્રાવસ્તી) નગરીનો વાસી જે લાતકપ્રિય નામે પરમ શ્રાવક તેને ફાલ્ગની નામે સ્ત્રી અને આણંદ શ્રાવક સમાન દ્ધિ હતી. ૧૧.
એ દશે ઉત્તમ શ્રાવકે, અગીયાર પડિમાના ધારક, સમ્યગ્દષ્ટિવંત-સમકિતધારી, દ્વાદશ વ્રતના ધારક અને વીર પરમાત્માના ચરણે પાસક હતા.
સાર–અન્ય ભવ્યાત્માઓએ યથાશક્તિ તે સર્વનું અનુકરણ કરવા તત્પર થવું જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૯૫ ].
સર્વ જીવોની ઉન્નતિ સંબંધી બે મિત્રોને સંવાદ
રતિલાલ–મિત્ર સુમતિ ! ચરાચર પ્રાણીવર્ગને મોટો ભાગ વિવિધ દુ:ખથી પીડાતો જણાય છે તેનાથી મુક્ત થઈ તેની ઉન્નતિ થાય એ સરલ ઉપાય જાણવાની મારી ઈચ્છા છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૭] સુમતિ–દુ:ખીવર્ગ પ્રત્યે ખરી દિલસોજીભર્યા વર્તનથી તેનાં ઘણું દુઃખ શમી જઈ શાંત થઈ શકે અથવા તો તે કમી અવશ્ય થઈ શકે. ખરી દિલસોજી બતાવનારને તે ચોક્કસ અગણિત લાભ થાય છે.
રતિલાલકેવા આચરણ કરવાથી ખરી દિલસોજી બતાવી કહેવાય કે જેથી દુઃખીવર્ગનાં દુઃખ ઉપશમે કે દૂર થવા પામે?
સુમતિ–હિતકારી પુણ્યમાર્ગનાં પ્રોત્સાહક વિચાર, મધુર સાત્ત્વિક વચન (ઉપદેશ), જાતે કષ્ટ સહન કરીને અથવા સ્વાર્થ તજીને પરોપકાર કરવા પ્રવૃત્તિ સેવવાથી આપણે દુઃખીવર્ગ પ્રત્યે ખરી દિલસોજી બતાવી તેમનાં દુઃખે ઉપશમાવી અથવા કમી કરી શકીએ.
રતિલાલ–જીવને અનેક પ્રકારનાં દુઃખ શાથી સહેવાં પડે છે ?
સુમતિ-છતી શક્તિએ અથવા છતી સામગ્રીએ સ્વપરહિતસાધક પ્રવૃત્તિ નહિં કરવાથી, તેની ઉપેક્ષા કરી, અહિત માર્ગનું ( પાપનું ) સેવન કરવાથી, હિતમાર્ગનું સેવન કરનારને અંતરાય ( વિધ્ર ) કરવાથી, અને અહિતમાર્ગને ઉત્તેજન આપવાથી, હિતસ્વી જનેની અથવા કેઈના પુન્યકાર્યની નિંદા-અવગણના-હાંસી–મશ્કરી કરવાથી, તથા પાપી જનની કે તેમનાં પાપકાર્યોની બેટી પ્રશંસા કરવાથી જીવને પિતાના પરિણામ પ્રમાણે માઠાં-અશુભ કર્મ બંધાય છે, જેથી તેને વિવિધ દુઃખ સહેવાં પડે છે અને તેને આરે જલદી આવતો નથી.
Page #191
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી રતિલાલ–વિવિધ દુઃખ (તા૫) સહન કરવાથી સુવર્ણની પેઠે જીવાત્માની શુદ્ધિ થાય ખરી કે નહિ? 1. સુમતિ–પ્રથમ કરેલાં પાપાચરણવડે સંચેલા કર્મને ઉદય વખતે પ્રાપ્ત થતાં વિવિધ દુ:ખોને સમભાવે (હાયય કર્યા વગર-અદનપણે) સહન કરી લેવાય, તો તેથી અવશ્ય આત્માની શુદ્ધિ થઈ શકે. અન્યથા (હાય કરી ખેદ દીનતાદિક દાખવવાથી) તે તે ઉદય આવેલાં કર્મનાં ફળ ભગવતી વખતે ફરી પાછાં એવાં જ માઠાં–અશુભ નવાં કર્મ બંધાય છે.
રતિલાલ–શું કરવાથી શુભ પુન્યબંધ થાય અને શું કરવાથી અશુભ પાપબંધ થયા કરે ? છે. સુમતિ-કરુણાદ્ધ હૃદયથી અન્ય જીવોનું હિત કરવા તન, મન, વચન કે ધનનો સદુપયેાગ (પરોપકાર) કરવાથી પુન્યબંધ થાય છે, અને ઉક્ત હિતમાર્ગની ઉપેક્ષા કરી કઠોરતાથી અહિતમાર્ગમાં જ તેને દુરુપયેગ (ગેરઉપયોગ) કરવાથી પાપબંધ થાય છે. - રતિલાલ–અહીંયા પ્રગટ સુખદુઃખ વેદતાં જણાય છે તે જ પૂર્વ સંચેલા શુભાશુભ(પુન્ય-પાપ)નું ફળ પૂરતું છે કે એ ઉપરાંત ભવિષ્યમાં પણ અનેરાં સુખદુઃખ જીવને દવાનો પ્રસંગ બીજે ક્યાંય મળે છે? ' સુમતિ–અહીંયા જે જે સુખ અનુભવાતાં જણાય છે તેથી અસંખ્યગણ સુખ સ્વર્ગવાસી દેવોના ભાવમાં હોય છે, તેથી પણ અનંતગણ સુખ મેક્ષમાં વર્ણવેલા છે. વળી દુઃખ પણ અહીં કરતાં નરક નિગોદમાં અનંતગણું જાણું પ્રાણીએ ચેતવું જોઈએ.
[આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૨૧૫]
Page #192
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫૯ ] વીતરાગ શાસનની રક્ષા અને પ્રભાવના આપણાથી
શી રીતે થઈ શકે ? વહાલા બંધુઓ અને બહેને!
આપ સહુને નમ્રપણે નિવેદન કરવાનું કે આપણા પૂજ્ય પિતા તુલ્ય શ્રી મહાવીર પ્રભુએ આપણા સહુના એકાન્ત હિતને માટે પોતે પુરુષાર્થ વડે અઘાર તપસ્યા સાથે અનેક વિષમ ઉપસર્ગો તથા પરિષહ અદીન પણે સહન કરી, નિર્મળ લેક્યા–ધ્યાન–અધ્યવસાયયોગે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય-શક્તિ પોતામાંથી જ પ્રગટ કરી, એવી જ આત્મસંપદા પ્રગટ કરવાનો ઉત્તમ ઉપાય પોતાના જ જ્વલંત દૃષ્ટાન્તથી આપણને ઉત્તમ રીતે સિદ્ધ કરી બતાવ્યો છે, એટલું જ નહિ પણ સહુ કોઈને અધિકારી પરત્વે જે સાધનમાર્ગ બતાવે છે તે બધાં સાધનમાં મુખ્યપણે જેમ બને તેમ સ્વછંદતા કહો કે પ્રમાદાચરણ તજીને ઉદ્ધત અશ્વસમાન મન-ઇન્દ્રિયને દમી-કબજે કરી ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષવડે ક્રોધાદિક ચારે કષાયને નિગ્રહ કરી, ઉદાર અહિંસાદિક આચરણવડે હિંસાદિક પાપસ્થાનકેને પરિહાર કરી, આપણાં વિચાર, વાણું અને આચારને શુદ્ધ, પવિત્ર, અવિકારી બનાવવાના સતત અભ્યાસવડે વીતરાગદશા પ્રાપ્ત કરવા(પ્રગટ કરવા)નું જ સાધ્ય-લક્ષ રાખવાનું સૂચવેલું છે. તે અગત્યના મુદ્દાની વાત થોડી વાર આંખો મીચી શાંત રીતે વિચારી જોતાં તમને સત્ય પરમાર્થરૂપ લાગતી જ હોય તો અત્યાર સુધી એથી અવળું આચરણ કર્યું હોય યા કરાવ્યું હોય તેને માટે નિષ્કપટપણે પરમાત્મા પ્રભુ પાસે માફી એવા ભાવે માગે કે ફરી પાછાં
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી કપૂરવિજયજી
એવાં અવળાં આચરણ જાણીબૂજીને કરવાના વખત ન જ આવે અને ફ્રી ફ્રી ખાટી ખાટી દલભરી મારીી માગવી ન જ પડે.
આજ સુધીમાં જે જે ધર્મકરણી આત્મલક્ષ વગર કેવળ ગતાનુગતિકપણે અથવા પ્રગટ કે પરાક્ષ પાલિક સુખનીઆશાથી કરી હાય તેને માટે મનમાં પસ્તાવેા કરેા. હવે પછી આપણી ચેાગ્યતા પ્રમાણે જે જે ધર્મકરણી કરવામાં આવે તે તે આત્મલક્ષથી જ કરવી, એટલે પ્રથમ તા આપણે ચિન્તામણિ રત્ન સમાન ધર્મની પ્રાપ્તિ માટે આપણામાં પરદેાષાપેક્ષારૂપ ગંભી રતા, પંચેંદ્રિય પટુતા, દયા, લજ્જા, સામ્યતા, લેાકપ્રિયતા, કામળતા, પાપભીરુતા, અશતા, દાક્ષિણ્યતા, મધ્યસ્થતા, ગુણાનુરાગિતા, સત્યપ્રિયતા, સુપક્ષતા, દીર્ઘદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરોપકારિતા અને ચંચળતા સાથે કાર્યદક્ષતા જેવા સદ્ગુણ્ણાનું જરૂર સેવન કરવુ જોઇએ. ત્યારપછી અતિ દુર્લભ સમ્યકૃત્વરન પામવા માટે ઉત્તમ ગુરુના સમાગમ કરી યથાર્થ તત્ત્વની સમજ સાથે શ્રદ્ધા કરવી જોઇએ. પ્રાણાન્તે પણ તત્ત્વમાં અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ સેવવું ન જોઈએ. ન્યાય—નીતિ-પ્રામાણિકતાદિક માર્ગાનુસારીપણુ મક્કમ મને આદરવું અને અન્યાય-અનીતિ-અપ્રમાણિકતાભરી લાલચેાને લાત મારવી જોઇએ. તેમ જ સદ્ગુણી સજ્જનસ્વભાવી સાધી બંધુએ પ્રત્યે અવિહડ પ્રેમ રાખવા જોઇએ અને તેમને માટે પૂરતા પ્રયત્ન કરવા જોઇએ. નિર્મળ જ્ઞાન-વૈરાગ્યયેાગે અનુક્રમે હૃદય એટલું બધું વિશાળ બનાવવું જોઇએ કે આખી દુનિયા સ્વકુટુંબરૂપ જ જણાય. પરમ પવિત્ર પ્રભુના શાસનની પ્રભાવના કહા કે ઉન્નતિ તે આવી જ રીતે થઇ શકશે. કિ બહુના ? [ . પ્ર. પુ, ૧૬, પૃ. ૩૧૩ ]
Page #194
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૧ ] લઘુતા ત્યાં પ્રભુતા, નમે તે પ્રભુને ગમે,
નમ્રતામાં જ મોટાઈ. મગરૂરીથી રાવણ અને દુર્યોધન જેવા પતિએની ભારે ખુવારી થવા પામી છે અને નમ્રતા દાખવવાથી અનેક ભવ્યાત્માએને ઉદ્ધાર થયે છે એ વાત એટલી બધી પ્રસિદ્ધ અને ચોક્કસ છે કે તે માટે વધારે પુરાવાની જરૂર રહેતી નથી. તેમ છતાં શ્રીમત્ ચિદાનંદજી મહારાજે જે એક અદ્ભુત પદ તે બાબત રચ્યું છે તે મનન કરવા એગ્ય હોવાથી તેને અત્રે ઉલ્લેખ કરે ઉચિત ધાર્યો છે. લઘુતા મેરે મન માની, લહી ગુરૂગમ જ્ઞાન નિશાની; મદ અષ્ટ જિનુને ધારે તે દુરગતિ ગયે બિચારે-લઘુતા દેખે જગતમેં પ્રાની, દુ:ખ લહત અધિક અભિમાની.
ઈત્યાદિક બોધદાયક પદમાંથી ચતુરજનેએ લેવા ગ્ય સાર એ છે કે કોઈ પણ વસ્તુ ગમે તેવી એકબીજાથી સારી ચઢિયાતી સાંપડી હોય તે પણ તેને ભૂલેચકે ગર્વ કરે નહિ, પરંતુ પૂર્વે કરેલાં સુકૃતયેગે જ વસ્તુ પ્રાપ્ત થયેલી જાણી, જ્ઞાનીનાં વચન સાચાં માની, ગુણાધિક તરફ નમ્રતા ધારી, વિશેષ સાવધાનીપૂર્વક સુકૃત કમાણું કરવા લક્ષ રાખ્યા કરવું. તેને સમયે ફુલાઈ જઈ, મન્મત્ત બની, જ્ઞાનીનાં હિતકારી વચનેને. અનાદર કરી, વેચ્છાચારી બનવું નહિં. જે કોઈ અજ્ઞાનવશ જાતિમદ, કુળમદ, રૂપમદ, લાભમદ, ઐશ્વર્ય મદ, તપમદ, બુદ્ધિદ અને બળમદ કરે છે તેમને તેથી કશો લાભ મળતો
૧૧
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૨ ]
શ્રી કરવિજયજી નથી, પણ તેઓ આ ભવમાં નહિ તે અન્ય ભવમાં એ જ વસ્તુની ન્યૂનતા અવશ્ય પામે છે એટલું જ નહિ પણ પરની લઘુતા અને આપણ નકામી બડાઈ કરવાથી ભવિષ્યમાં ભારે વિટંબના થવા પામે છે. જે શુભ સામગ્રીવડે સુકૃત કરણી કરી ભવિષ્ય સુધારી શકાય છે તે પિતાની જ મૂર્ખાઈથી હારી જઈ ફરી પાછી તથા પ્રકારની સુકૃત કરણ કર્યા વગર શુભ સામગ્રી પામી શકતા નથી, એમ સમજી શાણા માણસોએ તે પ્રસંગે ફળથી ભરેલા આંબાની જેમ અધિક નમ્રતા જ ધારવી ઉચિત છે.
[ આ. પ્ર. પુ ૧૬, પૃ. ૩૧૪ ]
કથની કથવા માત્રથી શું વળવાનું છે? રહેણીએ
રહેવાથી જ સિદ્ધિ છે. રૂડી રહેણીકરણ વગર કેવળ લેકરંજનાથે કથની કરવી નકામી છે, કેમકે તેથી કંઈ વળતું નથી. તેવી લુખી કથનીની કશી સારી અસર શ્રોતા ઉપર ભાગ્યે જ થવા પામે છે. વધારામાં તે તે વખતે તેવી લુખી કથની કરનારા વાયડામાં ખપે છે, તેથી જ જ્ઞાની પુરુષે પ્રથમ પિતાની જ જાતને સુધારી લેવા ભારપૂર્વક કહે છે, કેમકે તેથી જ પિતાને તેમ જ પરને લાભ થઈ શકે છે. જેની રહેણુકરણ રૂડી હોય છે તેનાં વચનને પ્રભાવ બીજા ઉપર સારે પડી શકે છે. વખતે તે મૌન ધારણ કરે છે, તે પણ તેનું રૂડું ચારિત્ર-આચરણ દેખી લેકે તેનું અનુકરણ કરતાં શીખે છે. તેથી જ શ્રીમદ હેમચંદ્રસૂરીશ્વર જેવા સમર્થ પુરુષે ઠીક જ કહ્યું છે કે-જે કે અન્ય જનેને કરી શિખામણ દેવામાં જ ચતુર હોય તેમને માણસની
Page #196
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૩ ]
પંક્તિમાં જ કાણુ ગણે છે ? જે કોઇ પેાતાની જાતને જ રૂડી શિખામણ દઈ સુધારી શકે છે તેમને જ ખરા માણસની પક્તિમાં અમે લેખીએ છીએ.’ મતલબ કે પોશ પત્તિસ્થં બતાવવાથી આપણું' કશું' વળે એમ નથી.
C
પેાતાની જાતને જ ( પેાતાને જ) પ્રથમ કેળવી સદ્ગુણી અનાવી લેવાથી જ પેાતાનું તેમ જ પરતુ હિત થઇ શકે છે. ચિદાન દજી મહારાજે એવા જ ઉત્તમ આશયથી · કથની કચે સહુ કોઇ, રહેણી અતિ દુરલભ હાઇ ' ઇત્યાદિ ધર દાયક પદ પ્રકાશેલું છે. તે પદ્મ વાંચી-વિચારી સુજ્ઞજનેાએ વધારે ખેલવાની ટેવ તજી દઇને રહેણીએ રહેવાની ટેવ પાડવી જરૂરની છે. વગરજરૂરનું કે રસાસ્વાદ વગરનુ લૂખું ખેલવુ બીજાને ગમતુ નથી, તેથી તે હિત પણ કરી શકતું નથી. કેવળ તે કષ્ટ-શ્રમરૂપ જ થાય છે. ખરા અનુભવી પુરુષા જે સત્ય અનુભવનું ગાન કરે છે તેની સહૃદય જન! ઉપર જાદુઇ અસર થવા પામે છે. જે દેશ કે સમાજમાં મિથ્યાડંબરી ઓછા અને સત્યનિષ્ઠાવાળા અધિક હાય છે તે દેશ કે સમાજના ઉદ્ભય થયા વગર રહેતા નથી. એથી ઊલટુ જે દેશ કે સમાજમાં મિથ્યાડંબરી ( ખાટા ખકવાદ ને ઢાંગ કરનારા ) વધારે અને સત્યનિષ્ઠાવાળા આછા હાય છે તે દેશ કે સમાજની અધાગિત ( પડતી ) પણ થયા વગર રહેતી નથી. કોઈ પણ ન્યાયાધીશ કરતા ધર્મપદેશકની જવાબદારી ઓછી નહિ પણ અધિક છે. તેમણે પોતે દેખાવમાત્રથી જ નહિ પણ અંતરથી શુદ્ધ સદ્ગુણી મનીને જ અન્યને તેવા થવા શિખવવાનુ છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૩૧૫]
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪]
શ્રી કપૂરવિજયજી રોગી તથા નિરોગી થવાનાં કારણ સમજી, નિરોગી જીવન ગુજારવાનું આપણા ભાઈબહેનો ક્યારે શીખશે?
પ્રકૃતિ વિરુદ્ધ આહારવિહારાદિકનું સેવન કરવાથી કે પ્રકૃતિ વિરુદ્ધ વર્તન કરવાથી શરીરનું આરોગ્ય લથડે છેબગડે છે અને પ્રકૃતિને અનુકૂળ ખાનપાન, વિહારાદિક સેવન કરવાથી કે અનુકૂળ વર્તન કરવાથી શરીરનું આરોગ્ય સચવાય છે અને વધે છે. શરીર, ઈન્દ્રિય કે મન સહન કરી શકે એટલી અનુકૂળ કાર્યપ્રવૃત્તિ સેવવાથી શરીરાદિકની સુખાકારી જળવાઈ રહે છે–તેમાં પ્રાય: કશી ખલના થતી નથી, પરંતુ તે દરેકને જરૂરગી પ્રવૃત્તિ તજી શૂન્ય આળસુ થઈ રહેવાથી અથવા પ્રમાણાતીત-ગજા ઉપરાંત કાર્ય પ્રવૃત્તિ સેવવાથી પ્રથમ પ્રાપ્ત થયેલી સુખાકારી (આરોગ્ય) ગુમાવી દેવાય છે અને દુઃખદાયક અનારોગ્ય પેદા થાય છે. શરીરાદિકને જરૂરનાં સ્વચ્છ હવા-પાણીનું સેવન કરવાથી તેમ જ પુષ્કળ સૂર્યપ્રકાશ જેમાં આવી શકે એવા સ્થળમાં વાસ કરવાથી શરીર આરોગ્ય સુખપૂર્વક સચવાય છે અને તેની ઉપેક્ષા કરવાથી શરીરનું આરોગ્ય લથડે છે, જે પાછું પ્રાપ્ત કરવું મુશ્કેલ પડે છે. પ્રકૃતિને અનુકૂળ, પરિમિત, સુખે પચી શકે એવું હલકું અને સાત્વિક ખાનપાન નિયમિત વખતે રુચિપૂર્વક લેતાં સ્વચ્છતાને નિયમ સાચવીને ચાલતાં પ્રાપ્ત થતી શક્તિનો કલ્યાણ માર્ગો સદુપયોગ કરવામાં આવે તો તેથી શરીરનું આરોગ્ય સારી રીતે જળવાઈ રહે છે એટલું જ નહિ પણ એથી ધાર્યું કામ પાર પાડી શકાય છે. એથી ઊલટા પ્રકૃતિ વિરુદ્ધ, અપરિમિત (માપ વગર), ભારે, રે, તેમજ તમે ગુણ વધારે એવાં મલિન ખાનપાન કરવાથી,
Page #198
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૫ ] અનિયમિત રીતે રુચિ વગર લેવાથી અનેક વાર આરોગ્ય બગડે છે, જેને પરિણામે મન ઢીલું પડી જતાં કશું ધારેલું કામ પાર પડી શકતું નથી. એક બીજાએ બેટેલાં-એઠાં કરેલાં, સડેલાં કે કહેલાં ખાનપાન કરવાથી શરીરમાં અનેક પ્રકારના રોગવ્યાધિઓ પેદા થાય છે. પ્રથમનું ખાધેલું કે પીધેલું પચે નહિ ત્યાં સુધી બીજું કશું ખાવું પીવું જોઈએ નહિ. પ્રથમનું પચ્યા પહેલાં કરેલું ખાનપાન ઘણું નુકસાન કરે છે.
ખરી તૃષા લાગે ત્યારે જ જળપાન કરવું અને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું ગુણકારી થાય છે. તૃષા લાગે ત્યારે ભેજન અને ભૂખ લાગે ત્યારે જળપાન કરવું એ લાભને બદલે નુકસાન કરે છે. તાપમાં તપીને આવેલને તરત ઠંડું ખાવું કે પીવું નુકસાનકારક છે. ઠંડા જળથી સ્નાન કરેલને ગરમ ખાનપાન અને ગરમ જળથી સ્નાન કરેલને ઠંડું ખાનપાન તરત કરવું હાનિકારક છે પ્રકૃતિને બગાડનાર છે.
દૂધ જેવી પ્રવાહી વસ્તુને પણ કઠણ વસ્તુની જેમ ચાવી ચાવીને ગળે ઉતારવી અને કઠણ વસ્તુને પુષ્કળ ચાવી ચાવીને રસરૂપ કરીને પછી જ ગળે ઉતારવી, જેથી જઠર ઉપર બોજો થાય નહિ. - શરીરનું આરોગ્ય સાચવી રાખવા શુદ્ધ હવા, પાણી તથા પ્રકાશની ખાસ જરૂર છે. તેવા જ સ્થાનમાં રહેવાનું પસંદ કરવું કે જ્યાંનાં હવા, પાણી અશુદ્ધ થયેલાં ન હોય તેમ જ સૂર્યાદિકને પ્રકાશ પૂરતા પ્રમાણમાં આવી શકતો હોય, જેથી ચૈતન્યમાં સહજ જાગૃતિ રહે. વિચાર, વાણું અને આચારની પવિત્રતા કહે કે મન, વચન, કાયાની નિર્મળતા સાચવવારૂપ બ્રહ્મચર્ય પાળવાવડે સ્વવીર્યનું રક્ષણ કરી તેને કાળજીથી સદુપયોગ
Page #199
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
શ્રી કર્ખરવિજયજી કરે ખાસ જરૂર છે. પોતાના, પોતાની પ્રજાના, કુટુંબના, જ્ઞાતિના, સમાજના, તેમ જ દેશના હિત-શ્રેય-કલ્યાણાર્થે દરેક હાનિકારક રીતરિવાજ તજવા અને લાભદાયક રીતરિવાજ આદરવાની ખાસ જરૂર છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૯૮.
અવંચક યોગથી યિાઅવંચકતા અને ક્રિયાઅવંચતાથી અવંચક ફળપ્રાપ્તિ અવશ્ય થાય છે.
અવંચક યોગ એટલે કપટ વગરનાં સરલતાવાળા મન, વચન, કાયા અથવા વિચાર, વાણી અને વર્તન, શાસ્ત્ર અવિરુદ્ધ વિચાર, વચન-ઉચ્ચાર તેમ જ તેવું જ આચરણ આપમતિવાળું– સ્વછંદતાભર્યું કશું જ નહિ, પણ શુદ્ધ અંત:કરણદ્વારા પ્રેરિત અથવા શાસ્ત્રસાપેક્ષતાવાળું બધું કરવાનું હોય છે. જેવું મનમાં ( વિચારમાં) તેવું જ વાણીમાં અને તેવું જ વર્તનમાં હોય એટલે સરલ-અકુટિલ મન, વચન, કાયાનું પ્રવર્તન–આવા પ્રકારનાં સરલ-અવિરુદ્ધ મન, વચન, કાયાના પ્રવર્તનથી જે ક્રિયા-કરણ કરાય તે કિયા-કરણ પણ અવંચક એટલે સાચી–હિતકારીકલ્યાણ કરનારી સમજવી. એ ક્રિયા-કરણી આત્માનું બગાડનારી નહિ પણ સુધારનારી, સદ્ગતિદાયિકા કે પરમાનંદપ્રાપિકા થઈ શકે છે. એવી ક્રિયા તે તહેતુ અને અમૃત ક્રિયા કહેવાય છે. બાકીની બીજી વિષ, ગરલ અને અન્યોન્યાનુષ્ઠાન ક્રિયા કેવળ આ લેકના સુખને માટે કે પરલકના દેવાદિકના સુખને માટે કે એક બીજાની દેખાદેખીથી ગતાનુગતિકપણે તે તે ક્રિયા તેનાં ફળ પ્રજનાદિક સમજ્યા વગર કે સમજવાની દરકાર કર્યા વગર જ
Page #200
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૬૭ ] કરવામાં આવે છે. આ રીતની ક્રિયાજડતાથી આત્માનું કંઈ વાસ્તવિક હિત થવા પામતું નથી; તેથી જ તેવી તુચ્છ ક્રિયા કેવળ અ૫ ફળવાળી જાણીને તજવા અને ઉપરોક્ત તહેતુ અને અમૃત ક્રિયા વિશિષ્ટ ફળદાયિકા જાણીને આદરવા પરમપુરુષોએ ઉપદેશ્ય છે.
જે આત્મા તરફ લક્ષ રાખી, આત્માને જ નિર્મળ (કમરહિત) કરવા, રાગ, દ્વેષ અને મહાદિક બંધનથી મુક્ત કરવા એટલે જન્મ, જરા, મરણાદિક અનંત દુ:ખમાંથી છુટકારો કરવા અવંચક
ગથી શાસ્ત્રોક્ત ક્રિયા કરવામાં આવે તે જ સાચી હિતકારી કરણી હોવાથી તેનું ફળ પણ શાસ્ત્રોક્ત સાચું હિત–શ્રેય-કલ્યાણ કરનારું થવા પામે છે.
પરમામદશાને પ્રાપ્ત થયેલા વીતરાગ પ્રભુની એકાન્ત હિતવાણ જેમને અંતરમાં રુચી હોય તે ગમે તે રાજા, પ્રધાન, શેઠ, શાહકાર કે રંક સેવક હોય, શ્રીમંત કે નિધન હોય, પંડિત કે અપંડિત હોય, સુખ કે દુ:ખી હોય, પુરુષ કે સ્ત્રી હાય, દેવ, દાનવ, માનવ કે તિર્યંચ હોય તે સરલ સ્વભાવે મન, વચન, કાયાની શુદ્ધિથી પોતપોતાની યોગ્યતાનુસારે શાસ્ત્રોક્ત કરણ કરવા પ્રયત્ન કરે છે અને રાગદ્વેષાદિક બંધન દૂર કરીને અંતે પરમપદ પ્રાપ્ત કરી શકે છે.
આનો ફલિતાર્થ એ છે કે સત્ય સુખના અથી દરેક ભવ્યાતમાએ પ્રથમ તે ચિન્તામણિરત્ન સમાન ધર્મની પ્રાપ્તિ માટે અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ૨૧ ગુણોનો અભ્યાસ કરે જોઈએ. ઉત્તમ પ્રકારની મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા યા માધ્યય્યરૂપ ભાવનાચતુષ્ટયનું સદા ય સેવન કરવું જોઈએ.
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮ ]
શ્રી કપૂરવિજયજી
ન્યાયસંપન્ન વિભવ, વડીલ જનની સેવા તથા કામ, ક્રોધ, મેાહ, મદ, મત્સર અને લેાભાદિ દોષના જય વગેરે માર્ગાનુસારીપણાને મક્કમ રીતે વળગી રહેવુ જોઇએ. મિથ્યાત્વ, અવિરતિ વિષય, કષાય, આળસ અને વિકથાર્દિક પ્રમાદ શત્રુને સાવધાનપણે પરાભવ કરવા જોઇએ. તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વનું સેવન કરવુ જોઇએ, સાક્ત શાસ્ત્રના અભ્યાસ કરવા, નિજ ઇન્દ્રિયસમૂહને સ્વચ્છ દપણે ફરવા નહિ દેતાં તેને કબજે રાખી ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરલતા અને સતાષ સહિત યથાયેાગ્ય સયમમાર્ગનું આરાધન કરવું. સુખ, દુ:ખ, માન, અપમાનાદિક પ્રસંગે ખેદ નહિ કરતાં સમભાવે રહેતાં શીખવું. શ્વાનવૃત્તિ તજી સિંહવૃત્તિ આદરવી. કેઇના ઉપર નકામે રાખ કે તેાષ નહિ કરતાં લાભાલાભમાં અન્યને નિમિત્ત માત્ર લેખવા. જન્મ, મરણનાં કે કર્મનાં બંધન તાડવા માટે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનુ પ્રમાદરહિતપણે સેવન કરવુ. સદ્ગુરુને દુલ ભ યાગ પામીને તેમની પવિત્ર આજ્ઞાનું અખંડ પાલન કરવા ઉદ્યુક્ત રહેવુ. ઘેાડા પણુ પ્રમાદાચરણથી પેાતાની બધી બાજી બગડી જાય તેવું આચરણ નહિ કરતાં એક શ્રેષ્ઠ વીરપુત્ર તરીકે સ્વક વ્યનિષ્ઠ થઇ રહેવું.
[ આ. પ્ર. પુ. ૧૫, પૃ. ૨૯૯. ]
Page #202
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ ઃ
[ ૧૬૯ ]
ઇન્દ્રિયાદિ વિકાર-નિરોધ કુલકની સરલ વ્યાખ્યા.
( વિષયકષાયવશ અંધ બની અકૃત્ય કરનાર જીવાને ખાસ એધ લેવા લાયક )
૧. રાજ્યાદિક ભાગ ( સુખ ) મેળવવા આતુરતાવાળા જીવા આત્ત ધ્યાનવશ મરીને તિય``ચગતિમાં ઉપજે છે, અને જાતિમદવડે છકેલા જીવા મરીને કૃમિ-કરમીયાં જેવી ક્ષુદ્ર જાતિમાં ઉપજે છે. ૨. કુળમદને કરનારા હોય તે શિયાળરૂપે અને રૂપમદ કરનારા ઉંટ વિગેરેની ચેનિમાં જઇ ઉપજે છે; તેમ જ બળમદ કરનારા જીવેા પતંગીયા અને બુદ્ધિમદ કરનારા જીવા કૂકડાપણે અવતરે છે.
૩. ઋદ્ધિમદ કરનારા શ્વાનાદિપણું, સૌભાગ્યમદ કરનારા સર્પ અને કાગડાદરૂપે, તથા જ્ઞાનમદ કરનારા બળદપણે અવતરે છે. એ રીતે આઠે પ્રકારના મદ પરિણામે અતિ દુષ્ટ છે, એમ સમજીને સુજ્ઞને મદના ત્યાગ કરી નમ્રતા ધારણ કરે છે.
૪. ક્રોધી, તામસી વૃત્તિવાળા જીવા અગ્નિકાયમાં એકેન્દ્રિયપણે, માયાવી-કપટવૃત્તિવાળા જીવા બગલાપણું અને લેાભીલાલચુ જીવા ઊંદરપણે ઉપજે છે. એમ કષાયેાવડે બાપડા જીવે ભવભ્રમણ કર્યા કરે છે.
૫. મનદંડવડે જીવેા દુષ્ટ મન-પરિણામવાળા તદુલીયા મચ્છપણે ઉપજે છે અને વચનદંડવડે શુક-પેાપટ, તેતર અને લાવરાં વિગેરે પક્ષીપણે ઉપજીને વધ-ખ ધનાને પામે છે.
૬. કાયદ ડવડે જીવા ઘાતકી એવા મહામચ્છ ( મગર
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૦ ]
શ્રી કપૂરવિજયજી
મચ્છ ) અને મજારપણે ઉપજે છે, અને ત્યાં પણ એવાં અધાર પાપ કરે છે કે જેથી તે ત્યાંથી મરીને નરકગતિમાં જાય છે.
૭. સ્પ`ઇન્દ્રિયના વિકારથી જીવા જંગલમાં ભૂંડપણે અવતરે છે. જીભની લેાલુપતાથી વાઘપણે અને ઘ્રાણવશ બનેલા જીવા સજાતિમાં જન્મ લે છે.
૮. ચક્ષુવિકારવશ જીવા પતંગીયાં અને શ્રવણદોષવશ જીવા હરણીયાં થાય છે. અને એ પાંચે પાછાં ઇન્દ્રિયાના વિકારવડે મૃત્યુવશ થાય છે.
૯. જેમાં વિષયવૈરાગ્ય, કષાયત્યાગ, ગુણ્ણા ઉપર અનુરાગપ્રીતિ અને શુભ કરણીમાં અપ્રમાદ ઉદ્યમ-પુરુષાર્થ જાગૃત હોય તે જ ધર્મ જગતમાં શિવસુખદાયક-શાશ્વત સુખને આપનારા હાઇ ખાસ આદરવા ચૈાગ્ય છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૪૦.]
ઇરિયાવહીય ફલક-વ્યાખ્યા.
૧. ભવ્યજનરૂપી ભ્રમરાવડે સદા ય સાદર-અત્યંત પ્રેમ ભક્તિભાવે સેવાયેલા શ્રી વર્ધમાન પ્રભુના ચરણકમળને પ્રણમીપ્રણામ કરીને ચારે ગતિની સમસ્ત જીવયેાનિએ એટલે જગતના જીવમાત્રને ખમાવવા માટે જેમ શ્રુત-સિદ્ધાંતમાં સાંભળ્યું છે તેમ કુલક રચનારૂપે વર્ણવુ
પર્યાપ્તા અને અપર્યાપ્તા તેમ જ પૃથ્વી, અપ, તેઉ, સુક્ષ્મ અને સ્થૂલ ભેદે દશ
૨. સાત નરકના નારક જીવે ભેદે નિશ્ચે ચૌદ પ્રકારના હોય છે. વાયુ અને વનસ્પતિ એ પાંચ પ્રકારના હાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૧ ] ૩. વળી તે દશ ભેદ પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપે વશ પ્રકારના થાય છે, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પ્રત્યેક વનસ્પતિના ભળવાથી એકેન્દ્રિયના એકંદર બાવીશ ભેદો થાય છે. વળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ત્રણ પર્યાપ્તા અને અપર્યાપ્ત મળીને છ પ્રકારના હોઈ શકે છે.
૪. જલચર, થલચર, ખેચર, ઉર પરિસર્ષ અને ભુજ પરિસર્પ, એ પાંચે સંસી અને અસંશી હાઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના દશ ભેદ થાય છે. તે દશના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદવડે વિશ પ્રકાર થાય છે. એ રીતે તિર્યંચ ગતિના બધા મળીને અડતાલીશ ભેદ થાય છે.
૫. સુવિશાલ એવી પંદર કર્મભૂમિના તથા સુખકરી એવી ત્રિીશ અકર્મભૂમિના અને છપ્પન્ન અંતર્દી પના–એ બધા મળીને એકસો ને એક મનુષ્યના સ્થાન-ભેદ છે.
૬. તેમાં ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા અને અપર્યાપ્તા હોઈ બસે બે ભેદ, તથા તેમના વમન, પિત્તાદિક અશુચિમાં ઉત્પન્ન થતા અપર્યાપ્તા અસંજ્ઞી (સંમૂછિમ) મનુષ્ય પંચેન્દ્રિય ૧૦૧ ભેદે હોય છે એટલે એ બધા મળીને મનુષ્યના ત્રણસો ત્રણ ભેદ થાય છે.
૭. ભુવનપતિની દશ નિકાના દશ ભેદ, પરમાધામીના પંદર ભેદ, તિર્યકર્જુભક દેવના દશ ભેદ, વ્યંતર–વાણવ્યંતરના સોળ ભેદ, ચર–ચાલતા અને સ્થિર એવા (અઢી દ્વીપ સમુદ્ર અંતર્ગત અને તે બહારના) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના દશ ભેદ.
૮. કિબિષ દેવના ત્રણ ભેદ, વૈમાનિકના બાર ભેદ, નવ
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ ]
શ્રી કપૂરવિજયજી
ચૈવેયકના નવ ભેદ, તેમજ લેાકાન્તિક દેવાના નવ ભેદ, અને અનુત્તરવાસી ઉત્તમ દેવાના પાંચ ભેદ-તે બધા ય મળીને દેવદૈવી યુક્ત દેવાના નવાણુ ભેદ થાય છે.
૯–૧૦. તે બધા ભુવનપતિ, વ્યંતર, જયાતિપ્ અને વૈનિક પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને એકસેા અઠાણ ભેદ દેવતાના થયા. તેમાં પૂલા નરક, તિર્યંચ અને મનુષ્યેાના ભેદ મેળવતાં બધા મળીને ૫૪૩ જીવભેદ થયા. તે ૫૬૩ ભેદ્યાને અભિષયાદિ દશ ભેદવડે ગુણ્યા ત્યારે ૫૬૩૦ થયા. તેને ‘ રાગ અને દ્વેષ ’ એ એ પદવડે ગુણતાં ૧૧૨૬૦ થયા. તેને ‘મન, વચન અને કાયા’ એ ત્રણ પદ્મવડે ગુણતાં ૩૩૭૮૦ ભેદ થવા પામ્યા.
૧૧. તેને ‘ કરવુ, કરાવવું અને અનુમેદવું' એ ત્રણ પદ્મવડે ગુણુતાં ૧૦૧૩૪૦ સે થયા. તેને ‘અતીત, અનાગત વર્તમાન ’ એ ત્રણ કાળે ગુણુતાં બધા મળીને ૩૦૪૦૨૦ ભેદ Úોપથિકી સંબંધી થયા.
૧૨. ઉપર જણાવ્યા મુજખ ચારે ગતિ મળ્યે જે જીવે કર્મના ઉદય અનુસારે નવનવી ( ભિન્ન ભિન્ન ) ચેાનિએમાં ઉપજેલા હાય તે સર્વ જીવાને, મસ્તક ઉપર બે હાથ ચઢાવી અહુ બહુ પરે ( ત્રિવિધ ત્રિવિધ ) ખમાવું છું; એટલે તેમના પ્રતિ જે કઇ પ્રતિકૂળ આચરણ મારા જીવે કયારે પણ કાઇ પણ રીતે કરેલુ હાય તેના મિચ્છાદુક્કડ' દઉં છું.
૧૩. એ રીતે મેક્ષ મેળવવાને લાયક એવા જે ભવ્ય જીવા, શુદ્ધ મનથી-શુદ્ધ અંત:કરણથી જગતના સમસ્ત જીવા પ્રત્યે થયેલા કોઇપણ પ્રકારના અપરાધ ( મનના
Page #206
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૩ ]
આમળા મૂકીને) બહુ બહુ પ્રકારે ખમાવે છે–માફી માગે છે મિચ્છામિદુક્કડ આપે છે ( અને ઉપલક્ષણથી પોતે પણ તેમના તરફથી થયેલા કાઇપણ પ્રકારના અપરાધની માફી પેાતાનું કન્ય સમજીને ઉદાર-દિલથી આપે છે અને એ રીતે સમભાવ આદરી અરસપરસના દિલ ચાખ્ખાં કરે છે) તે મહાનુભાવે ભવદુ:ખ છેદી, દિવ્ય-દેવતાઇ સુખ પામીને અંતે મેાક્ષનગરીનું એકાન્તિક અને આત્યંતિક ( અક્ષય અને અવ્યાખાધ) સુખ અવશ્ય મેળવે છે.
સારધ—સુખના અથીજનાએ આળસ–પ્રમાદ તજી, વિવેક-જાગૃતિ રાખવા પ્રયત્ન કરવેા જોઇએ.
[ચ્યા. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૪૧]
સાધુ-નિત્ર થ યોગ્ય ચરણસિત્તરી અને કરણસિત્તરી.
પાંચ મહાવ્રત–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અસંગતા; દર્શવિધ શ્રમણ ધર્મ-ક્ષમા, મૃદુતા, સરલતા, સ ંતાષ, તપ, સંયમ, સત્ય, શૈાચ ( આંતરશુદ્ધિ), અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ; સદવિધ સયમ, (૫ ઇન્દ્રિય સંયમ, ૪ કષાય સંયમ ૩ ચેાગ સંયમ અને ૫ અવ્રત સંયમ, ) અરિહંતાદિક સંબંધી દવિધ વિનય વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મગુપ્તિએ બ્રહ્મચર્ય ની નવ વાડા; જ્ઞાનાદિક ત્રિક-સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર; ૬ બાહ્ય અને ૬ અભ્યંતર દ્વાદશવિધ તપ અને ક્રોધાદિક ચાર કષાયને નિગ્રહ એ ચરણસિત્તરીના (૭૦) તથા
ચાર પ્રકારની પિડવિશુદ્ધિ; પાંચ સમિતિ; અનિત્યાદિક
Page #207
--------------------------------------------------------------------------
________________
ચરિત) દ્વાદશ
ચારણુ, ન
[ ૧૭૪ ]
શ્રી કપૂરવિજ્યજી (૧૨) દ્વાદશ ભાવના સાધુ યોગ્ય (૧૨) દ્વાદશ પડિમા; શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિયનિરોધ, પંચવિંશતિ (૨૫) પ્રતિલેખના-૨૫ પડિલેહણા, ત્રણ ગુપ્તિઓ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવરૂપ ચાર પ્રકારના અભિગ્રહ-એ રીતે ૭૦ ભેદ કરણસિત્તરીના જાણવા. મૂળગુણવિષયક ચરણસિત્તરી તથા ઉત્તરગુણવિષયક કરણસિત્તરી જાણવી. આટલી વાત સંક્ષેપરુચિને માટે જણાવી છે. બાકી વિસ્તારના અથજનેએ ગ્રંથાતરથી યા ગુરુગમથી તે સંબંધી બધ મેળવે અને આત્માથીએ બની શકે તેટલું તેને અનુસરવા લક્ષ રાખવું.
[ અ. પ્ર. પુ. ૧૬ પૃ. ૧૩૯] શ્રી ગૌતમકુલકનાં સુવર્ણ વાક્ય. (સંક્ષેપરુચિ ઇવેને બેધ લેવા લાયક શિક્ષાવચનને સંગ્રહ)
૧. લોભી જન અર્થ-દ્રવ્ય ઉપાર્જન કરવામાં જ (સદા) લુબ્ધ-તત્પર રહે છે.
૨. મૂહ-અજ્ઞાન-મહાકુળ જને કામગ સેવવામાં જ મગ્ન રહે છે.
૩. પંડિત-ચતુર-વિવેકી જન ક્ષમા-ધર્મ સાચવવા અને વેર-વિરોધને સમાવી સુખશાંતિમાં જ તત્પર હોય છે.
૪. અને મિશ્ર જન ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું યથાયોગ્ય સેવન કરે છે.
૫. જ્ઞાની–વિવેકી તેજ કે જે વૈર-વિરોધ-કલેશ-કુસંપ ઈર્ષા–અદેખાઈથી દૂર રહે.
Page #208
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૫ ] ૬. સંત-સુસાધુ તે જ કે જે શાસ્ત્ર-મર્યાદા (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ને અનુસરી ચાલે.
૭. સત્વ-શક્તિવંત તે જ કે જે સ્વ ઉચિત કર્તવ્યધર્મ– (Duty) થી ન ચૂકે.
૮. ખરા નિઃસ્વાર્થ બંધુ તે જ કે જે કષ્ટ વખતે પડખે ઊભા રહીને સહાય કરે.
૯ કોધ–કષાયથી અંધ બની ગયેલા જીવ સુખ-શાંતિ મેળવી શકે નહિ.
૧૦. મિથ્યાભિમાનને વશ થયેલા જીવો અંતે શક-સંતાપને જ પામે.
૧૧. કપટી માણસોને પારકી તાબેદારી, એશીયાળી યા ખુશામત જ કરવી પડે.
૧૨. અતિલોભી અને લાલચુ જેવો (કમતે મરી) નીચી - નરકગતિમાં જાય.
૧૩. કોધ–કષાય જીવને ભવભવ સંતાપે છે તેથી એ જ ઉગ્ર હલાહલ વિષ છે.
૧૪. ભવ્યાત્માને ભવોભવમાં સુખશાન્તિ કરે છે તેથી અહિંસા (દયા) જ ખરું અમૃત છે.
૧૫. કટ્ટો દુશમન દુઃખ આપી ન શકે એવું દુઃખ અભિમાન આપે છે તેથી અભિમાન જ ખરો શત્રુ છે.
૧૬. ગમે તેવા સંકટમાંથી છોડાવી ઉદ્યમ સુખ સાથે ભેટાડે છે તેથી ઉદ્યમ જ ખરો મિત્ર છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી કપૂરવિજયજી ૧૭. માયાજાળમાં પડવું, પરવંચના કરવી એથી જ દુર્ગતિને ભય ઉભવે છે. ખાડો ખેદે તે જ પડે.
૧૮. પ્રિય અને હિતરૂપ થાય એવું જ સત્ય, સ્વપરકલ્યાણાથીએ સદા ય સેવવા ગ્ય છે.
૧૯. સઘળાં દુખ, લેભમાંથી જ પેદા થતાં હોવાથી લેભતૃષ્ણાને જ દુઃખરૂપ કહેલ છે.
૨૦. સમગ્ર સુખ સંતોષમાંથી જ, પેદા થતાં હોવાથી, સંતોષને જ સુખરૂપ કહેલ છે.
૨૧. સેમ્ય, શાન્ત પ્રકૃતિવાળી સુવિનીત (સદ્ગુરુને દરેક રીતે પ્રસન્ન કરનાર) શિષ્યને બહુ સારી બુદ્ધિ ઉપજે છે.
૨૨. ક્રોધી, કષાયી અને દુરાચારી સ્ત્રીપુરુષને અપજશ ચોતરફ ફેલાય છે.
ર૩. નિરાશાવાદી-હતાશા-નિરુદ્યમી જીવને નિર્ધનતા ભેટી પડે છે.
૨૪. સદુદ્યમી-પુરુષાર્થનંત જીવને દ્રવ્ય અને ભાવ લક્ષ્મી વરે છે–તે ધનાઢ્ય થાય છે, એટલું જ નહિ પણ સદ્ગણ બને છે અને પોતાના સમાગમમાં આવતા દરેક ભવ્યાત્માઓને દ્રવ્યભાવથી સુખી બનાવી શકે છે.
૨૫. જે કૃતઘ-વિશ્વાસઘાતી હોય તેને મિત્રે તજી જાય છે. ૨૬. અપ્રમત્ત ષિરાયને સઘળાં પાપ તજી જાય છે. ૨૭, શુષ્ક–જળ વગરનાં સરોવરોને હંસે તજી જાય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭૭ ] ૨૮. કુપિત-રોષથી ભરાયેલ જીવને બુદ્ધિ તજી જાય છે. ૨૯ કોઈને અરુચતી-અણગમતી વાત કહેવી તે વિલાપ તુલ્ય છે.
૩૦. પ્રમાણુ-આધાર કે મેળ વગરની ઉપલકિયા વાત કરવી તે પણ વિલાપ તુલ્ય છે.
૩૧. મન સ્થિર ન હોય એવા વિëળ-વ્યાક્ષિપ્ત પ્રાણીને વાત કરવી તે પણ વિલાપ તુલ્ય છે.
૩૨. તેમ જ અવિનીત અથવા વિનીત શિષ્યને ગમે તેટલું કહેવું–સમજાવવું તે પણ તદ્દન નિરર્થક-નકામું અને કવચિત્ અનર્થક હોવાથી વિલાપ તુલ્ય છે.
૩૩. દુષ્ટ જુલમી નાયક(રાજાઓ કે અધિકારીઓ) પ્રજાને અયોગ્ય રીતે દંડવા તત્પર રહે છે.
૩૪. વિદ્યાધરો મંત્ર સાધવામાં તત્પર રહે છે.
૩૫-૩૬ મૂખ–અજ્ઞાની જનો ક્રોધ કષાય કરવા તત્પર રહે છે જ્યારે સંત-સાધુજને તવ–પરમાર્થ સાધવામાં જ તત્પર રહે છે.
૩૭. ક્ષમા, સમતા, અકષાય એ ઉગ્ર તપની શોભા છે. (ક્ષમાવડે જ તપ શોભે છે. )
૩૮. સમાધિ જોગ-સ્થિર મન, વચન અને કાયમ એ વૈરાગ્યની શોભા છે.
૩૯. નિર્મળ જ્ઞાન અને ધ્યાન એ ચારિત્રની શોભા છે. (તે વડે જ ચારિત્ર શેભે છે. )
૧૨
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી કપૂરવિજયજી
(
૪૦. વિનય-નમ્રતા-મૃદુતા એ શિષ્યની શૈાભા છે ( વિનયવડે જ શિષ્ય શાલે છે ).
૪૧. બ્રહ્મચારીને અન્ય આભૂષણની જરૂર નથી, બ્રહ્મચર્ય - રૂપ શ્રેષ્ઠ ભૂષણુવડે જ તે શાલે છે.
૪ર. સંયમધારીને દ્રવ્યની કશી જરૂર જ નથી, સંયમ એ જ તેનું પરમ ધન છે.
૪૩. રાજમંત્રી બુદ્ધિબળવડે જ શોભે છે ( અભયકુમાર મંત્રીશ્વરની પેઠે ).
૪૪. પુરુષ એક જ સ્ત્રીવાળા છતાં લા યુક્ત શેાલે છે. લાજ-મર્યાદા જ શાભારૂપ છે.
૪૫. જેનુ ચિત્ત અનવસ્થિત-ડામાડાલ રહેતુ હાય તેને તેના આત્મા જ શત્રુરૂપ છે.
૪૬. શીલ સદાચાર જેમના ઉમદા છે તેમના સર્વત્ર ચશ પ્રસરે છે.
૪૭. જેનું મન સ્થિર થતું જ નથી-ભટકતું જ રહે છે તે દુરાત્મા લેખાય છે.
૪૮. જેણે મન અને ઇાન્દ્રયાને વશ કરેલ છે તે જ પવિત્ર આત્મા શરણુ કરવા ચેાગ્ય છે, સ્વશરણે આવેલાને તે પવિત્ર આત્મા જ રક્ષવા સમર્થ થઇ શકે છે.
૪૯. ડહાપણભરી દયારૂપ ધર્મકાર્ય જેવું બીજી કાઈ ઉત્તમ કાર્ય નથી.
Page #212
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
૧૭૯ ]
૫૦. સ્વાર્થીધ બની હિંસા કરવી તેના જેવું બીજી કોઇ અપકૃત્ય નથી.
૫૧. કામરાગ, સ્નેહુરાગ અને દૃષ્ટિરાગ સમાન કોઇ આકરું અંધન નથી.
પર. વીતરાગ શાસન ઉપર પૂર્ણ શ્રદ્ધારૂપ સમકિતરત્નના લાભ સમાન કોઇ ઉત્તમ લાભ નથી. અથવા રત્નત્રયીરૂપ ધર્મપ્રાપ્તિ જેવા ખીજો પરમ લાભ નથી.
પ૩. પરસ્ત્રીમાં માતા જેવી બુદ્ધિ સ્થાપી રાખી તેની સાથે કદાપિ વિષયભોગ કરવા નહિ.
૫૪. ડાહ્યો દુશ્મન સારે, પણ મૂર્ખ મિત્ર સારેા નહિ એમ સમજી મૂર્ખની સેાખત કરવી નહિ.
૫૫. મિથ્યાભિમાન–ગ ગુમાન રાખનારા હલકા માણુસની–નીચ જનાની સામત કરવી નહિ. તેમ જ—
પ૬. પારકા કાન ભંભેરનારા ચાડીયા લેાકેાની પણ સેાબત કરવી નહિ.
૫૭. ક્ષમાદિક ધર્મ ને સેવનારા સજ્જનેાની સેાબત-સંગતિ જરૂર કરવી.
૫૮. જે વસ્તુસ્વરૂપને જાણનારા પંડિત હોય તેમને જરૂર શંકા-સમાધાન પૂછ્યું.
૫૯. જે તેમને આદર સહિત અવશ્ય વંદન કરવું.
સાધુજના આત્મસાધન કરવા ઉજમાળ હાય
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૦ ]
શ્રી કરવિજયજી ૬૦. જે પરપૃહા-મમતા રહિત મહાત્મા હોય તેમને યથોચિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઓષધ, ભેષજ વિગેરે વસ્તુ અવશ્ય વહોરાવવી.
૬૧. માબાપ જેમ પુત્રને કેળવે તેમ ગુરુએ સ્વશિષ્યોને ખંતથી કેળવવા જોઈએ.
૬૨. આત્માથી ભક્તજનોએ ઈષ્ટદેવ અને ગુરુ ઉપર સરે પ્રેમ રાખવું જોઈએ.
૬૩. પશુમાં અજ્ઞાન અને અવિવેક હોવાથી મૂર્ણ તથા પશુને સરખા સમજવા.
૬૪. પગલે પગલે દુઃખ અને અપમાનાદિક સહન કરવાના હાવાથી નિધનને જીવતાં છતાં મરણ જેવું દુઃખ થાય છે.
૬૫. ધર્મકળા બીજી કળાઓને જીતી લે છે.
૬૯. ધર્મકથા બીજી કથાઓને જીતી લે છે-બધી કથામાં ધર્મકથા સર્વોપરી છે.
૬૭. ધર્મબળ બીજા બધાં બળને જીતી લે છે. બધાં બળ કરતાં ધર્મબળ શિરોમણિ છે
૬૮. ધર્મ( ક્ષમા અને સંતેષાદિક )થી પેદા થતું સુખ બીજા સુખથી ચઢિયાતું છે.
(સાત વ્યસને ) ( ૬૯. જૂગાર રમવામાં આસક્ત હોય તેના ધનને (નળરાજાની પેઠે) નાશ થાય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૧ ] ૭૦. માંસભક્ષણ કરવામાં લાલુપી હોય તેના દયા-કરુણાદિક ધર્મનો નાશ થાય છે.
૭૧. મદિરાપાન(દારુ પીવા )નું વ્યસન સેવનારની યશકીર્તિને નાશ થાય છે. અને–
૭૨. વેશ્યાના ફંદમાં ફસેલા કમનશીબ મનુષ્યના કુળનો નાશ થાય છે.
૭૩. હિસા–શિકાર કરવામાં લુબ્ધ બનેલા કમનશીબ મનુષ્યનાં દાન, પુન્યનો નાશ થાય છે.
૭૪. ચોરી કરવાના વ્યસનમાં સપડાયેલ કમનશીબ મનુષ્યના શરીરને નાશ થાય છે.
૭૫. પરસ્ત્રીમાં લુબ્ધ બનેલા મૂઢની સર્વ વસ્તુનો નાશ થાય છે અને (રાજા રાવણની પેઠે ) અધમ ગતિ પ્રાપ્ત થાય છે.
૭૬. નિર્ધનને સુપાત્રમાં દાન દેવાનો પ્રસંગ મળ બહુ મુશ્કેલ છે.
૭૭. રાજા-નાયક-અધિકારી અવસ્થામાં ક્ષમા-ખાશ રાખવી બહુ મુશ્કેલ–દુષ્કર છે.
૭૮. સુખમાં ટેવાયેલા સુખશીલને ઈચ્છાનિરોધ કરમનને કાબુમાં રાખવું દુષ્કર છે.
૭૯. અને યુવાવસ્થામાં ઈન્દ્રિયોને લગામમાં રાખવી તે પણ અતિ દુષ્કર ( છતાં શક્ય ) છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી ૮૦. સંસારી જીવમાત્રનું જીવિત અમુક અવધિ-સ્થિતિવાળું જ હોવાથી તે નાશ પામે જ છે.
૮૧. ( એમ સમજી ) સુજ્ઞજનેએ, કેવળ પરમાર્થ સાધ નારા સાધુપુરુષોએ ઉપદેશેલા ધર્મને અવશ્ય અનુસરવું.
૮૨. ક્ષમા-દયાદિક ધર્મ જ જીવને સર્વત્ર ત્રાણ, શરણું અને આધારરૂપ છે. એ ઉત્તમ ધર્મને જ સેવી--તેનું સેવન કરી ખરું શાશ્વત સુખ મેળવી શકાય છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૪૦ ]
કેવાં કર્મ કરવાથી કેવી અવસ્થા પમાય છે?
૧. માંસભક્ષણ કરવાવાળા, તંદુલીયા મછની પેઠે દુષ્ટ પરિણામવાળે મિથ્યાદષ્ટિ ( વિપરીત બુદ્ધિવાળો ) જીવ મરીને મહાદુઃખથી ભરપૂર નરકમાં ઉત્પન્ન થાય છે.
૨. આર્તધયાનવાળા, પરને સંતાપનારા, અતિકપટ કરનારા અને અતિમહથી–અજ્ઞાનથી ભરેલા જીવો મરીને તિર્યંચપણું પામે છે.
૩. અ૯પ કષાયવાળા, દાતાર, ઉત્તમ પ્રકારે ક્ષમા, વિનય, નમ્રતાને સેવનારા, દાક્ષિણ્યવંત અને સ્વભાવે જ ભદ્રક પરિણામી જીવ મરીને મનુષ્યપણું પામે છે.
૪. અહિંસાદિક મહાવ્રત પાળનારા, અણુવ્રત ધરનારા, વ્રત રહિત છતાં સમ્યકત્વને ધારણ કરનારા, જિનપૂજામાં તથા દાનધર્મમાં રક્ત, બાળ–અજ્ઞાન તપવડે અકામનિર્જરા કરનારા
Page #216
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
| [ ૧૮૩ ] મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવે દેવ સંબંધી આયુષ્યકર્મબંધ એગ્ય પરિણામની વિશુદ્ધિવડે દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
૫. મહાવ્રતધારી સાધુ સધર્મ દેવકથી માંડી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી, શ્રાવક અશ્રુત નામના બારમા દેવલોક સુધી અને સમકિત રહિત સાધુગ્ય ક્રિયા-તપ-સંયમના બળવડે રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
૬. જાતિસ્મરણજ્ઞાનાદિકવડે સમકિતાદિક ગુણધારી પંચેન્દ્રિય તિર્યંચ આઠમા સહસ્ત્રાર દેવેલેક સુધી અને પરિવ્રાજકો પાંચમાં બ્રહ્મદેવલાક સુધી તથા તાપસ તિષ્ક સુધી ઉત્પન્ન થઈ શકે છે.
૭. અજ્ઞાનતપ-કષ્ટ કરનારા, ઉગ્ર રોષ રાખનારા, તપનો ગર્વ કરનારા અને વેરઝેર રાખનારા મરીને અસુરકુમારાદિક દેવનિકાયમાં ઉત્પન્ન થાય છે.
૮. ગળાફાંસો ખાનારા, વિષભક્ષણ કરનારા, અગ્નિમાં અને જળમાં પેસી મરનારા તથા ક્ષુધા, તૃષાથી પીડાતા જીવે વ્યન્તર તરીકે ઉત્પન્ન થઈ શકે છે.
૯. માયા-કપટ વગરની, વિનય-નમ્રતાવાળી, સુશીલા, સંતોષી, ક્ષમાયુક્ત, સત્યની ટેકવાળી અને ચપળતા વગરની–સ્થિરતાવાળી સ્ત્રી મરીને પુરુષપણું પ્રાપ્ત કરી શકે છે.
૧૦. કૂડાં આળ ચઢાવનાર, જૂઠું બોલનાર, ચપળ સ્વભાવી, વગરવિચાર્યા કામ કરનાર અને અન્યને છેતરનાર પુરુષ ( મરીને ) સ્ત્રી પણ ઉત્પન્ન થાય છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪ ]
શ્રી કરવિજયજી ૧૧. જે કૂર પરિણામી હેઈને ઘોડા, બળદ અને ભેંસ પ્રમુખને લિંગ-ઈન્દ્રિયછેદાદિક નિછન કર્મ કરે છે તેમજ અતિ આકરો મેહ-ઉન્માદ ધારે છે તે જીવ મરીને નપુંસકપણું પામે છે.
૧૨. નાના મોટા જીવની હિંસા કરવામાં રક્ત જે મૂઢ જીવ પરલોક( પાપાદિક )ને માનતો નથી તે અતિ મલિન કર્મ કરનારે માનવી અ૮૫ આયુષ્ય-ટૂંકું આવડું ભેગવે છે.
૧૩. શીલવ્રતધારી અને ક્ષમાવંત, દયા-અનુકંપાવાળા, મિષ્ટ-પ્રિય-હિત ભાષણ કરનારા અને જીવહિંસાથી નિવર્સેલા દીર્ધ-લાંબું આયુષ્ય ભોગવે છે.
૧૪. શય્યા, આસન, વસ્ત્ર, અન્ન, પાત્ર, ઔષધ અને પાણી જે કઈ પ્રસન્નપણે સાધુજનોને આપે છે તે વિધવિધ જાતની સામગ્રીને સ્વામી–ભેગી બને છે.
૧૫. જે નિજ વસ્તુનું દાન દેતો નથી, દીધેલું પાછું લઈ લે છે, દાતારને ધન દેતાં વારે છે અથવા અણગમતી વસ્તુ આપે છે તે વિવિધ ભેગસામગ્રીથી વંચિત રહે છે.
૧૬. પિતે ગુણ રહિત છતાં જે આપપ્રશંસા અને ગુણ વંતની નિંદા કરે છે તે મિથ્યાભિમાની અને દુઃખદાયક જીવ દુર્ભાગી બને છે-સહુને અનિષ્ટ–અપ્રિય થઈ પડે છે.
૧૭. જે દેવ, ગુરુનો ભક્ત, વિનયવંત, ક્ષમાયુક્ત, પ્રિયભાષી અને સર્વ જનનું હિત કરનાર હોય છે તે સુભાગી–સર્વ જનને ઈષ્ટ-પ્રિય-વલ્લભ બને છે.
૧૮. જે ભણે, સાંભળે, ચિન્તવે અને બીજાને ભણાવે તથા
Page #218
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૫ ] ઉપદેશ આપે, જ્ઞાનની તથા જ્ઞાની ગુરુની ભક્તિમાં તત્પર રહે તે મરણ પામીને બુદ્ધિશાળી થાય છે.
૧૯ તપસ્વી અને જ્ઞાની મહાશયનું અપમાન કરે અને જ્ઞાન ભણાવનારા તથા સાંભળનારાઓને અંતરાય કરે તે પોતાનાં વિપરીત વર્તનના ફળરૂપે ભવિષ્યમાં દુબુદ્ધિ થાય છે. ૨૦. પંખીનાં બચ્ચાંઓને જે વિહ-
વિગ પડાવતા નથી અને જીવ ઉપર દયા કરે છે તેનાં બાળક જીવતાં રહે છે.
૨૧. જે મૂઢ પારકાં છિદ્ર દીઠાં—અણદીઠાં પ્રકાશે છે તે અન્યને ઝંખવાણા પાડવામાં ઊજમાળ હોવાથી જન્માંધ થાય છે.
૨૨. જે લોકસમક્ષ અણસાંભળેલું કહે છે અને ધર્મવિરુદ્ધ પ્રરૂપણા કરે છે એવો ચાડીયે અને નિન્દક પરભવમાં બહેરો અને મૂંગે થાય છે.
૨૩. દહન, છેદન, ઘાતનાદિકવડે જીવને દુઃખ-ત્રાસ ઉપજાવનાર ભવિષ્યમાં બહુ રોગી થાય છે અને અન્યને અનેક રીતે સુખશાતા ઉપજાવનારો નરેગી થાય છે.
૨૪. જે અન્યને દ્રવ્યોપાર્જન કરતાં અંતરાય કરે કે ચોરલૂંટારાની જેમ પારકું દ્રવ્ય અપહરી લે છે તેવા પરદ્રવ્યનું અપહરણ કરનારો દુ:ખ-દારિદ્રને પ્રાપ્ત થાય છે.
૨૫. જે મધપુડાનો નાશ, અગ્નિદાહ અને સ્ત્રી પ્રમુખને વધ તથા કોમળ વનસ્પતિની વિરાધના કરે છે તે પોતાનાં દુષ્કૃવડે મરીને પરભવમાં કોઢીયે થાય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
૨૬. જે પાડા, ગર્દભ અને ઊંટને અથવા મનુષ્યજાતને અતિ ભાર ઉપડાવી પીડે છે તે કુ-કુમડા થાય છે.
૨૭. ગુરુ સાધુની આજ્ઞાના અનાદર કરનારાએ આંગળી વગરના અને વામન રૂપ ( દ્વીચકા ) અને છે તથા ખાળકાના વિયેાગ કરાવનારને પ્રજા–સંતતિ સ્થિર રહેતી નથી.
૨૮. તપ, સંયમયુક્ત સાધુજનાને પ્રત્યે જે કહુ કે અસત્ય એલે છે તેનુ મુખ ગંધાય છે અને જે પગની પાનીવડે જીવઘાત કરે છે ( પાટુ મારે છે ) તે પગે લેા, લંગડા થાય છે.
૨૯. માનવભવ, આ દેશ, ઉત્તમ જાતિ-કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ, ધર્મ શ્રવણુ, તત્ત્વનિશ્ચય અને રૂડી શ્રદ્ધા વિગેરે ઉત્તમ ધર્મ સામગ્રી ખરેખર ભાગ્યયેાગે જ પ્રાપ્ત થઇ શકે છે.
૩૦. આ માનવભવમાં જ સ ંપૂર્ણ તપ સંયમનું આરાધન થઇ શકે તે! તેથી અક્ષય સુખરૂપ મેાક્ષનો પ્રાપ્તિ થઇ શકે. ગૃહસ્થયેાગ્ય દયા, સત્ય, શીલાદિક સામાન્ય ત્રતાનુ પણ સેવન કરવાથી સતિ તે અવશ્ય પ્રાપ્ત થાય છે.
૩૧. અવસર પામી આહિત સાધવામાં આળસ કરે તેને સુખ કયાંથી મળે ?
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૨૧૧ ]
Page #220
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૭ ]
આત્મા સાથે કર્મના સબંધ કેવી રીતે થાય છે ? અને તેના અંત શી રીતે આવે છે ?
કમ, કુદરત, દેવ, ભાગ્ય, વાસના, અદ્રષ્ટાદિક બધા ય પર્યાયવાચક નામ છે. તેના પ્રત્યેક સંસારી આત્મા સાથે અનાદિ સબંધ કનકાપલના દૃષ્ટાન્તથી સિદ્ધ છે. યપિ આત્મા પેાતાના જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણાવડે સ્વપરપ્રકાશક છે, તેા પણ જેમ સૂર્યાદિક સ્વયંપ્રકાશક છતાં મેઘાદિકના ગાઢ આવરણુડે આચ્છાદિત થયા હાય તા તે ત્યાંસુધી પરવસ્તુ જોવાના પ્રકાશ આપી શકતા નથી, પરંતુ તે મેઘાદિક આવરણા દૂર થયે છતે તે પેાતાના સ્વાભાવિક પ્રકાશવર્ડ પ્રકાશી રહે છે, તેમ આત્મા સાથે લાગેલાં નાના પ્રકારનાં જ્ઞાનાવરણાદિક કર્મોવડે જ્યાંસુધી આત્મા આચ્છાદિત થયેલા હાય છે ત્યાંસુધી તે પેાતાના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણાના પ્રકાશ કરી શકતા નથી, અને જ્યારે તથાપ્રકારને અનુ મૂળ ચેગ મળતાં તે તે જ્ઞાનાવરણાદિક કર્મના ક્ષયેાપશમ થતે જાય છે ત્યારે તે તે જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણે! સ્વયં પ્રકાશમાન થઇ શકે છે. જેમ પ્રયત્નથી અનાદિ સંબંધવાળા કનકાપલ જુદા પડી શકે છે, એટલે તીત્ર અગ્નિના પ્રયાગ કરતાં માટી અને કનક-સુવર્ણ જુદા પડી જાય છે તેમ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા સમ્યગ્દર્શન (તત્ત્વાર્થ` શ્રદ્ધાનરૂપ સમ્યકૃત્ય, તત્ત્વાર્થ અવબેધરૂપ સભ્યજ્ઞાન અને તત્ત્વરમણુતારૂપ સમ્યક્ચારિત્રના આસેવનરૂપ યથા ઉપાયેાવડે આત્મા સાથે લાગેલ કરજ ( કમળ ) દૂર થઇ પેાતાનુ સહજ સ્વાભાવિક રૂપ પ્રગટ થઇ શકે છે; અથવા દૂધ અને જળની જેવા કે અગ્નિ અને લેાહગાળકની જેવા જીવકના સંબંધ છે તે તથા
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮]
શ્રી કપૂરવિજયજી પ્રકારના પ્રયત્નવિશેષથી દૂર થઈ શકે છે. જેમ હંસ પિતાની ચંચુવડે દૂધ તથા જળને સહજમાં જુદાં કરી શકે છે તેમ વિવેકવડે અંતરાત્મા આત્મતત્ત્વ સાથે લાગેલ જડ-કર્મને સહજમાં દૂર કરી પરમાત્મપણું પ્રગટ કરી શકે છે. જેમ જળપ્રયોગ વડે અગ્નિને શાંત કરી શકાય છે તેમ ક્ષમા–શાન્તિ-સમતાદિજનિત ભાવશીતલતાવડે રાગ, દ્વેષ અને મેહજનિત વિવિધ તાપને દૂર કરી આત્માને પરમ શીતળ કરી શકાય છે, પરંતુ જે મુગ્ધ જ અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય અને અગ્રતાદિક યોગે પિતાના આત્માને વિશેષ મલિન કરતા રહે છે તેઓ તો આ ભવસાગરમાં ખરેખર ડૂબે જ છે. તુંબડાને સ્વભાવ તરવાનો છે ખરો, પણ જે તેના ઉપર માટીના લેપ લગાવ્યા હોય તો તે જેમ જળમાં ડૂબી જાય છે તેમ આ આત્માઆશ્રયી સમજી લેવું. જે આત્માને અક્ષયસુખ સાથે જેડ જ હોય તો વિષયેલાલસા તજી, કષાયને કબજે કરી, આળસને પરિડરી, મદોન્માદ દૂર કરી, અને વિકથા કહો કે નકામી કુથલી કરવાનું છોડી દઈ, અપ્રમત્તપણે વીતરાગ પરમાત્માએ જગતના એકાન્ત કલ્યાણ માટે બતાવેલા સમ્યગજ્ઞાન-ક્રિયાયોગને આરાધ. જોઈએ. એથી જ જન્મ, જરા, મરણનાં અનંતા દુઃખનો અંત આવશે, અને અનંત અક્ષય અવ્યાબાધ મોક્ષસુખ પ્રાપ્ત થશે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૧૪. ]
Page #222
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૮૯ ] શ્રી આત્માવબોધ કુલક-વ્યાખ્યા. આત્માર્થી જનોએ ખાસ મનન કરી નિર્ધારી રાખવા ગ્યસુવર્ણ વાક
૧. ઉત્કૃષ્ટ પુન્યપ્રભાવવડે અથવા સ્વાભાવિક આત્મતિવડે આનંદકારી અને મહેન્દ્રોએ (પણ) નમન કરવા ગ્ય શ્રી જનશ્વરદેવને (ત્રિવિધે) પ્રણામ કરી, ભવદુઃખને અંત કરવા સમર્થ એવું આત્માવબોધ કુલક હું (જયશેખર ) વર્ણવીશ.
૨. જેમ પ્રભાવડે જ સૂર્યોદય થયાની ખાત્રી થઈ શકે છે પણ તે વગર ગમે તેના શપથ (સોગન) માત્રથી ખાત્રી થતી નથી તેમ તથા પ્રકારના ગુણ—લક્ષણવડે જ આત્માવબોધ થયાની સ્વયમેવ ખાત્રી થવા પામે છે–તેવા ગુણ વગર વધારે બોલવાથી કશું વળતું નથી–ખાત્રી થઈ શકતી નથી.
૩. ઈન્દ્રિયનું દમન, મને વિકારનું શમન, તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વપરહિતચિન્તવન, મેક્ષસુખની જ વાંચ્છા, ગુણદોષની ચોખી સમજ, અને પ્રબળ વૈરાગ્ય-વિષયસુખથી વિમુખતા એ બધા ય અંતરમાં રહેલા આત્માવબોધરૂપી બીજના ઊગેલા પણ અંકુર-ફૂટેલા ફણગા જાણવા
૪. જે આત્મસ્વરૂપને–તેના સ્વાભાવિક સુખને જાણે છે તે તુચ્છ વિષયસુખની કામના-વાંછના કરતા નથી. જેને કલ્પવૃક્ષ ફન્યા હોય તે શું બીજા તુછ-અસાર વૃક્ષની વાંછના કરે ખરો કે ? નહિ જ. - પ. આત્મજ્ઞાન( અધ્યાત્મ )માં મગ્ન બનેલાને નરકાદિનાં દુઃખ કદાપિ વેઠવાં પડતાં નથી, કેમકે જે (સમજપૂર્વક) સન્મા જ ચાલે છે તે શું કૂવામાં પડે ખરો કે ? નહિ જ.
Page #223
--------------------------------------------------------------------------
________________
{ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૬. જેણે આત્માને આળખ્યા નથી-આત્મસ્વરૂપ પિછાણ્યુ નથી તેમને મેાક્ષ તેા દૂર જ છે અને બ્યસ'પદા પણ ઉપાધિકલેશના કારણરૂપ થાય છે અને તેની આશા-ઇચ્છા-અભિલાષામનેારથમાળા અધૂરી જ રહે છે.
છ. જ્યાંસુધી આત્મમેધ થયા નથી ત્યાંસુધી આ ભવસાગર તરવા દુર્લભ છે, મહાસમ માહુને જીતવા દુર્લભ છે અને તૃષ્ણાને તજવી પણ બહુ આકરી છે; પરંતુ સ્વાત્મòાધ યા સ્વસ્વરૂપપ્રકાશ થતાં જ એ બધાં ગમે તેવાં દુસ્તર છતાં પણ સુલભ થઈ જાય છે.
૮. જેણે સુર અને અસુરના ઇન્દ્રોને ( પણ) અનાથની જેવી દશાને પમાડ્યા છે-ખૂબ સતાવ્યા છે, દીન-રાંક–ભિખારી જેવા નિર્માલ્ય બનાવી દીધા છે તે સબળ કામ પણ અધ્યાત્મધ્યાનરૂપ અગ્નિમાં ભસ્મસાત્ થઈ જાય છે એ શુ થાડા આશ્ચર્યની વાત છે ?
૯. જેને ખાંધ્યું–સાંકળ્યું હતું છટકી જાય છે–સ્થિર થઈ શકતુ નથી અને વાયું–દસ્યુ –અટકાવ્યું. છતાં નિર કુશપણે ચેતરફ ક્રતુ-ભટકતું રહે છે તેવું ચંચળ ચિત્ત પણ ધ્યાનઅળે પેાતાની મેળે અનાયાસે સ્થિર થઈ જાય છે.
૧૦. જ્ઞાની ગુરુનાં વચન-એધથી જેણે શુભ-સુખકારી ધ્યાનરસાયણ પ્રાપ્ત કર્યું–પીધું તેને જવર ત્રિદોષાદિક બાહ્ય ન્યા ષિ તેમ જ રાગ, દ્વેષ અને મેહાર્દિક અંતરગ વ્યાધિઓ દુ:ખ દેતાં નથી. વિવિધ વ્યાધિએ તેનામાં પ્રગટતા કે ફાવતા નથી અને પ્રથમના હાય તે પણ શમી જાય છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯૧ ] ૧૧. સ્વસ્વરૂપનું જ ચિન્તવન કરવામાં તત્પર રહેતા મહાશયને કોઈ પીડા કરતું નથી અને કદાચ કોઈ કર્મચાગે પીડા કરે તે તેના ત્રણમાંથી પિતાને મુક્ત થયેલ માનીને આત્મજ્ઞાનીને દુ:ખ સમજાતું નથી.
૧૨. દુઃખની ખાણ જેવા ( ભયંકર) રાગદ્વેષે ચળાચળ ચિત્તમાં હોય છે. જેમ આલાનર્થભે બાંધેલો હાથી સ્થિર થાય છે તેમ અધ્યાત્માગવડે ચિત્ત પણ પોતાની સ્વાભાવિક ચપળતા તજી સ્થિર થઈ જાય છે.
૧૩. પ્રસન્ન કે અપ્રસન્ન આત્મા (ચિત્ત) જ મિત્ર કે અમિત્ર (દુશ્મન) છે. સ્વર્ગ કે નરક છે તેમ જ રાજા કે રંક પણ એ જ છે.
૧૪. આ જીવે (અનેક વાર) દેવની અને મનુષ્યોની ઋદ્ધિઓ પ્રાપ્ત કરી અને વિષયરસ પણ વારંવાર ભેગવ્યા, પરંતુ તેથી સંતોષ પાપે નહિ. સંતોષ વગર કયાંય પણ શાન્તિ વળે? નહિ જ.
૧૫. જેમ વાદળાવડે તેજસ્વી સૂર્ય પણ ઢંકાઈ જાય છે તેમ હે જીવ! તારી મેળે ઉત્પન્ન કરેલાં શરીર, ધન, સ્ત્રી અને કુટુંબનેહવડે તું પણ સત્તાએ (શક્તિરૂપે) કાલેકપ્રકાશક જ્યોતિરૂપ છતાં ઢંકાઈ જાય છે. એટલે સ્નેહજાળવડે તારી શક્તિ (પ્રભાવ) લુપ્તપ્રાય થઈ જાય છે તે તું જે.
૧૬. હે જીવ! આ તારો દેહ, વિવિધ વ્યાધિરૂપ સર્ષ અને વ્યાધિરૂપ વૈરીઓને વશ થવા છતાં તે તેના ઉપર મમત્વ કરીને શું લાભ મેળવવાને છે?
૧૭. ઉત્તમ જાતિનાં ભેજન, પાન, સ્નાન, શૃંગાર અને
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી કરવિજયજી વિલેપનવડે પોષણ મળ્યા છતાં આ શરીર પિતાના પોષક સ્વામીને છેહ દે છે, તેથી શ્વાન જેટલી પણ કૃતજ્ઞતા તેનામાં જણાતી નથી, તે પછી ક્યા નિમિત્તે તું તેના ઉપર મેહ-મમત્વ કરે છે.
૧૮. હે જીવ! અનેક પ્રકારનાં કષ્ટ સહન કરીને તે જે ધન ઉપાર્યું કે તે તને કણ માત્ર આપી અંતે અન્યના જ ભેગમાં આવે છે. ધનની મમતાથી તેને મેળવવા માટે તું અત્યંત મહેનત કરે છે અને કશું બચી શકતા નથી, જેથી તારા મૃત્યુ પછી કે પહેલાં તે બીજાના હાથમાં જાય છે. આ તારી કેવી મૂખોઈ ? તેને કંઈ વિચાર કરી ઉચિત લાગે તેમ કર.
૧૯. જેમ જેમ મેહ–અજ્ઞાનવશ તું ધન, ધાન્યાદિક પરિગ્રહ (મમત્વ) ઘણે કરતો જાય છે તેમ તેમ અધિક ભારથી ભરેલી નાવની જેમ આ ભવસાગરમાં તું જોતજોતામાં ડૂબી જાય છે. તારે ભવભયમાં ઘણું જ સંકટ વેઠવું પડશે, તેનો કંઈ વિચાર કર.
૨૦. શરીર અને મનની નિર્બળતાને લીધે જેને સ્વપ્નમાં પણ જે જોવા માત્રથી મનુષ્યનું વીર્ય હરી લે છે તે સ્ત્રીને તારી જીવલેણ વ્યાધિ જેવી સમજીને તું તેને તજી દે–તેનો સંગ તજ.
૨૧. હે મુગ્ધ જીવ! તું ચિત્તની શુદ્ધિ કરવા અભિલાષા રાખે છે, અને તેમ છતાં સ્ત્રીના હાવભાવાદિક વિષયરસમાં તું રક્ત બની જાય છે આ તે તારી કેવી મૂઢતા ? અરે ! ગળીથી મિશ્રિત કરેલા વસ્ત્રમાં વેતતા ટકી શકે ખરી? કદાપિ નહિ જ.
૨૨. હે જીવ! મેહરાજાએ તને નેહરૂપી બેડીઓ વડે જકડી બાંધીને સંસારરૂપી કારાગૃહમાં નાંખે છે અને તેમાંથી
Page #226
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૭ ] તું નાશી ન છૂટે એટલા માટે તારી ઉપર પૂરતી દેખરેખ રાખવા કુટુંબકબિલાદિક સનેહી સંબંધીઓના બહાને પહેરેગીરા મૂક્યા છે, તેમના ઉપર તું આટલો બધે મેહ-રાગ કેમ રાખે છે ?
૨૩. હે આમન્ ! તું આવું અંતરંગ કુટુંબ કર કે ધર્મ એ જ પિતા, કરુણ-દયા એ જ માતા, વિવેક એ જ ભ્રાતા ( ભાઈ ), ક્ષમા-સમતા એ જ પ્રિયા–સ્ત્રી અને જ્ઞાનદર્શનચારિત્રાદિક ગુણ એ જ સુપુત્ર.
૨૪. અતિ લાલનપાલન કરાયેલી ( ચિર–પરિચયવાળી ) કર્મપ્રકૃતિરૂપી સ્ત્રીએ હે જીવ ! તારામાં પુરુષાર્થ છતાં તને બંધનથી બાંધીને ચાર ગતિમાં ભમાડ્યો છે તેથી શું તને લેશમાત્ર પણ લજજા-શરમ આવતી નથી ?
૨૫. રે જીવ ! તું જાતે જ કામ કરે છે અને તે વડે તું ચાર ગતિમાં ભટકે છે. તેમ છતાં અરે આત્મવેરી ! તું અન્યને શા માટે દોષ આપે છે ?
ર૬. હે આત્મન્ ! તું એવું કામ કરે છે, એવા બાલ બેલે છે અને એવા વિચાર કરે છે કે જેથી તું અનેક કષ્ટમાં આવી પડે છે. આવી આપણા ઘરની ગુપ્ત વાત અન્યની આગળ કહી શકાય નહિ. ( એથી પોતાની જ જાંઘ ઊઘાડી થાય અને લેકમાં હાંસી થાય. આ પ્રમાણે અંતરાત્મા, બહિરાત્માને અથવા સુમતિ, કુમતિને વશ પડેલા પિતાના સ્વામી-ચેતનને કહે છે )
૨૭. હે ચેતન ! પાંચ ઇન્દ્રિરૂપી પ્રબળ શેર દુષ્ટ મનરૂપી યુવરાજને મળી જઈ, પાતપિતાના વિષયરસમાં આસક્ત - ૧૩
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪ ]
શ્રી રવિજયજી બની તારી મૂળ મૂડીરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યાદિક સ્વાભાવિક સ્થિતિ–મર્યાદાને લેપે છે.
૨૮. તેઓએ વિવેકરૂપી હિતી મંત્રીને હણી નાખે, દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનું ધર્મચક ભેદીભાંગી નાંખ્યું, જ્ઞાન અને ક્રિયારૂપી ધન લૂંટી લીધું અને તેને પણ કુગતિરૂપ કૂવામાં નાંખી દીધો.
૨૯. આટલે બધો વખત તું મેહરૂપ નિદ્રાને વશ, મડદાલ જે પુરુષાર્થહીન બની ગયો હતો તે વાત, જે હવે તું ગુરુમહારાજનાં હિતવચનથી ખરેખર જાગે જ છે તે, શું નથી જાણતો ? જાણે છે જ.
૩૦. હે ચેતનરાય! તું લેકપ્રમાણુ અસંખ્ય પ્રદેશનો સ્વામી છે, તેમ જ અનંત જ્ઞાન અને વીર્ય-શક્તિવાળે છે, તો તું ધર્મ ધ્યાનરૂપ સિંહાસન ઉપર બેસીને સ્વરાજ્યસ્થિતિની ચિન્તા કર એટલે કે તું તારી મૂળ શક્તિને સંભારી, કાયરતા તજી, રાજ્યમર્યાદા સાચવ, સાવચેત થા.
૩૧. હવે જે તું જાગે છે-સ્વસ્વરૂપ સમજે છે તે છે આત્મરાજ ! તું તારું ચૈતન્ય–વીય ફેરવ, પ્રમાદ રહિત અને પ્રમત્ત થા. પછી જે કે દુષ્ટ મનરૂપી યુવરાજ કે મેહરાજાદિક કોણ તને રાજ્યભ્રષ્ટ કરી શકે છે ? પોતાનું રાજ્ય સંભાળવા સાવધ થયેલા એવા તને રાજ્યભ્રષ્ટ કરવાની કોનામાં તાકાત છે? કેઈનામાં નથી.
૩૨. હે ચેતન ! પુરુષાર્થસાધ્ય શિવનગર સ્વાધીન છતે આ સંસારરૂપ કારાગૃહમાં કેમ વસે છે? જેમાં તું જ્ઞાનમય
Page #228
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૫ ] છતાં જડ છે અને સ્વામી-નાયક-રાજા-મહારાજા છતાં ચાર જેવો થઈ રહ્યો છે.
૩૩. વળી જે( સંસાર)માં કષાયરૂપી રિટા, મહાઆપદારૂપી દુષ્ટ હિંસક જાનવરો અને વિવિધ વ્યાધિઓરૂપી મોટી નદીઓ સદા વિદ્યમાન છે. વળી જેમાં–
૩૪. ચિત્તારૂપી દુર્ગમ અટવી, મુગ્ધ સ્ત્રીરૂપી અતિ અંધકારમય ગુફાઓ, ચાર ગતિરૂપ અનેક ખાણ અને આઠ મદરૂપી ઊંચા પર્વતના શિખરે (જેમાં સ્પષ્ટ જણાય છે). વળી જેમાં–
૩૫. મિથ્યાત્વરૂપી રાક્ષસ અને મનના દુષ્ટ પરિણામથકી પેદા થતી મમતારૂપી મોટી શિલાઓ છે. એવા સંસારરૂપી પર્વતને હે ચેતન ! હવે તું ધ્યાનરૂપી વજાવડે ભેદી નાંખી સંસારનો શીધ્ર અંત કર.
૩૬. જે મહાનુભાવને આત્મજ્ઞાન જાગ્યું છે તે મોક્ષસુખને આપનારું નિશ્ચય જ્ઞાન જાણવું અને બાકીનું જ્ઞાન ગમે તેટલું અધિક પ્રમાણમાં મેળવેલું હોય તો પણ તે આજીવિકા પૂરતું ફળ આપનારું જાણવું.
૩૭. જેમ યથાર્થ બાધરહિતપણે પ્રયોજાયેલા હિતકારી ઔષધથકી વ્યાધિ ઊલટો વધે છે અથવા ન પેદા થાય છે તેમ એકાન્ત હિતકારી આત્મબોધ રહિત મૂઢ જનો જેમ જેમ ઘણું ઘણું ભણે છે તેમ તેમ તેમનું ચિત્ત ગર્વ અભિમાનવડે ઉભરાય છે. મતલબ કે મૂઠ–મેહાતુર જીવોને શ્રુતજ્ઞાન પણ અજ્ઞાનપણે પરિણમે છે અને તેથી તેમને લાભ-હિત થવાને બદલે નુકસાન-અહિત જ થાય છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
શ્રી કરવિજયજી ૩૮. પોતાના આત્માને બંધ કર્યા વગર એટલે આત્મબોધ મેળવ્યા વગર જે કોઈ અન્ય જનોને બોધ આપવા મંડે છે તેને પણ જડ-મૂખે જ જાણવા. કહો કે જ્યારે સ્વજનવ ભૂપે રહેતો હોય ત્યારે દાનશાળા (સદાવ્રત) માંડવાનું શું પ્રજન હોય ? કશું જ નહિ.
૩૯. કેટલાએક લોકે અન્ય જનને બોધ આપે છે અથવા સ્વરદય, હઠાગ કે તિષશાસ્ત્રના અભ્યાસથી કાળજ્ઞાન જાણે છે, સૂત્ર ભણે છે અને સદા ય સ્વસ્થાન (ઘરબાર વિગેરે) મૂકીને (તજીને ) બહાર ફરતા જ રહે છે, પરંતુ આત્મબોધ-સ્વસ્વરૂપની ઓળખાણ થયા વગર તેમને મોક્ષસુખની પ્રાપ્તિ તે થતી જ નથી.
૪૦. કદાપિ કોઈને પણ નિન્દો નહિ-નિંદા કરવી જ નહિ, તેમ જ પિતાનાં વખાણ કરવાં નહિ એટલે આત્મલાઘા (સ્વપ્રશંસા) પણ કરવી જ નહિ, પરંતુ સમભાવ રાખવો એટલે ગમે તે કાર્ય પ્રસંગે કત્વ આભમાન નહિ કરતાં સાક્ષીભાવે વર્તવું–વર્તતા રહેવું એ જ આત્મબોધ અથવા અધ્યાત્મજ્ઞાનનું ઊંડું રહસ્ય છે.
૪૧. હે ચેતનરાય ! જે આત્મવિજ્ઞાન ( આત્માનુભવ ) ઈચ્છતા જ હે તો તું પારકી ભાંજગડ (પંચાત) તજી દે, આત્મગુણના અભ્યાસ વડે પિતાના આત્માને જ રાજી કર (સંતોષ આ૫) અને નકામી વાતે-વિકથા કરવાનું પણ તજી દે. ગમે તેમ કરીને સ્વાત્મહિત સંભાળ.
૪૨. હે વિચક્ષણ! તું એવું ભણ, એવું ગણ, એવું વાંચ,
Page #230
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯૭ ]
એવું ધ્યાન કર, એવેા ઉપદેશ આપ અને એવું આચરણ કર કે જેથી ઘેાડા વખત પણું તુ આત્મારામાં ( સહજ સમાધિરૂપ નંદનવનમાં ) આનંદ-અનુભવ કરી શકે. એ જ તારા પરમધર્મ -પરમકત્તવ્ય સમજ.
૪૩. આ પ્રમાણે ગુરુશ્રીએ ઉપદેશેલું શ્રેષ્ઠ તત્ત્વ-સ્વરૂપ સમજીને હું મહાશય ! તેમાં તું પ્રબળ પ્રયત્ન કર કે જેથી કેવળલક્ષ્મી ( સર્વજ્ઞતા ) મેળવીને તું જયશેખર-આઠે કર્મ રૂપી શત્રુઓના સંપૂર્ણ જય કરનારા થઇ શકે. ( છેવટે પ્રકરણકારે જયશેખર શબ્દવડે સ્વનામનિર્દેશ કરેલા છે. )
સારાંશ કે આપણે સહુએ આત્મજ્ઞાન સંપાદન કરવા પૂરતુ લક્ષ રાખવુ જ જોઇએ.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૧પ.]
અહિંસા યાને દયાધમ .
જીવદયાપ્રતિપાલકપણાના દાવા કરનારા દરેકે દરેક જૈન તેમ જ જૈનેતરીએ, ગમે તેવી સ્થિતિમાં રહેલા હાય તે પણ તેમણે પ્રથમ અહિંસા યા દયાનુ સ્વરૂપ જાણવું જોઇએ. તત્સંબંધી યથાર્થ જ્ઞાન મેળવનાર જ તેનું યથાર્થ ભાવે સેવન કરી શકે છે, તેથી તેના અત્યુત્તમ લાભ લેવાના અથીજને એ આ વિષયને જેમ બને તેમ અધિક પરિચિત ( અભ્યસિત ) કરવા. હિંસાને ત્યાગ કરવા–હિંસાથી દૂર રહેવું અથવા હિંસા સંબંધી દ્વેષા લાગે એવાં દુષ્ટ કારણેા સમજીને દૂર તજવાં એનુ નામ અહિંસા યા યા કહેવાય છે. તેથી હિંસા
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮]
શ્રી કપૂરવિજયજી તે શું? અને તેનાં કારણ ક્યા ક્યા છે તે જાણવું જિજ્ઞાસુઓને બહુ જરૂરનું છે. આ સંબંધમાં શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત યેગશાસ્ત્રના પ્રથમના ચાર પરિચ્છેદમાં ઘણું મુદ્દાસર વિવેચન કરાયું છે. સંક્ષેપમાં “મિત્તાત્ પ્રાચપ/vi હિંના” એ હિંસાનું લક્ષણ કહેલું છે. તેમ જ શ્રીમાનું અમૃતચંદ્રાચાર્ય પ્રણીત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથમાં કહ્યા મુજબ “કોધાદિક કષાયયુક્ત મન, વચન, કાયાના યોગ વ્યાપાર )થી દ્રવ્યભાવ પ્રાણનો ઘાત કરે તે ખરેખર હિંસા કહેવાય છે.” અર્થાત ક્રોધ, માન, માયા અને લેભ (Anger etc.) યુક્ત પરિણામથી [ તેમ જ ઉપલક્ષણથી મદ (intoxication), વિષય (Sensual desires), નિદ્રા (Idleness) atit Casal (False gossips) Caola 44151 ચરણથી મલિન થયેલાં મન, વચન અને કાયાવડે સ્વપરનાં (પિતાના તેમ જ પારકા) દ્રવ્યભાવ પ્રાણને ઘાત કર-
વિગ કરે તે જ હિંસા કહેવાય છે. ચક્ષુ આદિ પાંચ ઇંદ્રિયે, મન, વચન અને કાયાનાં બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ કહેવાય છે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય પ્રમુખ ભાવપ્રાણ લેખાય છે. તેમનો એક અથવા બીજી રીતે વિનાશ કરવો તેને શાસ્ત્રકાર હિંસા કહે છે. અને તેમ કરનાર હિંસક લેખાય છે એમ સમજી ઉક્ત હિંસાથી અથવા એવા દુષ્ટ કારણોથી નિવર્તનાર અહિંસા યા દયાધર્મનાં અધિકારી ગણાય છે. વળી સંક્ષેપથી કહેવાયું છે કે-અસત્ય બોલવું, ચોરી કરવી, પશુવૃતિ (મૈથુનકીડા) સેવવી, મમતાવશ બની જડ વસ્તુઓનો સંચય કરે, રાત્રિભોજન કરવું, અભક્ષ્યનું ભક્ષણ કરવું તેમ જ રાગ, દ્વેષ અને કલહ કરવા,
Page #232
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૯ ] બેટા આળ ચઢાવવા, ખાટી ચાડી ખાવી, ઈનિષ્ટ સંગે હર્ષ ખેદ કરવો, પરનિંદા કરવી, માયાવીપણે જૂઠું બોલવું અને તત્ત્વપરીક્ષા કર્યા વગર અસ્થાને અંધશ્રદ્ધા અથવા વિપરીત શ્રદ્ધા કરવી તે સર્વ, સ્વછંદ આચરણરૂપ પ્રમત્તપણથી, આત્માનાં વિશુદ્ધ પરિણામરૂપ ભાવપ્રાણુની રક્ષા કે પુષ્ટિ થવા દેવામાં અવરોધ યા અંતરાય કરે છે તેથી તે હિંસારૂપ જ લેખાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ એ બધા ય પ્રમાદાચરણ કહે કે સ્વછંદાચરણ અવશ્ય પરિ. હરવા જ. જેનોમાં તેમ જ જૈનેતરમાં પોતપોતાનામાં પાપોની માફી માગવાના જ શુભાશયથી જ નિર્મિત કરેલી જે કઈ પદ્ધતિ હોય છે તે સંબંધે અંતરલક્ષ રાખી ઉપગ સહિત તે તે પાપાચરણે પિતાથી બનતાં સુધી ફરી થવા ન પામે એવી શરતે જ હોય છે. અત્યારે પહેલાં મેહ કે અજ્ઞાનવશ થઈ ગયેલાં પાપ–દોષ યા અપરાધની માફી માગવાના હેતુરૂપ તે પ્રણાલિકા હોય છે. તેને જે યથાર્થ રીતે આદર કરાય તો ઉક્ત હિંસા સંબંધી મહાદેષથી ઘણા જીવ બચવા પામે એ નિર્વિવાદ જણાય છે. પૂર્વોક્ત હિંસા સંબંધી લક્ષણનું જે લક્ષપૂર્વક મનન કરવામાં આવે તો તેનો જે ખરો આશય સ્પષ્ટ થાય છે તે જ ખુલા શબ્દમાં હિતબુદ્ધિથી ઉક્ત શાસ્ત્રકાર નીચે મુજબ દર્શાવે છે. સર્વપ્રાણીવર્ગને નિજ આત્મા સમાન લેખી, સાવધાનપણે સંભાળ રાખી ચાલનારને રાગ-દ્વેષાદિક દોષના આવેશ વગર કવચિત કદાચિત્ સ્વશરીર સંબંધી કઈ જીવને વ્યથા, પીડા યા પ્રાણહાનિ થઈ જાય તે તથા પ્રકારે વ્યથા, પીડા કે પ્રાણહાનિ માત્રથી ખરેખર તે હિંસા કરેલી લેખાય નહિં પણ રાગાદિક વિકારને વશવતી એવી પ્રમત્ત (યતના રહિત ) અવસ્થામાં
Page #233
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
શ્રી કરવિજયજી વર્તતા સાક્ષાત્ કઈ જીવ પ્રાણહાનિરૂપ મરણને પામે યા ન પામે તે પણ તેને હિંસા સંબંધી દોષ લાગે જ; કારણ કે કષાયવશ થયેલ જીવ પ્રથમ પિોતે જ પિતાને (પિતાનાં ભાવપ્રાણોને ) હણે છે; પછી અન્ય પ્રાણીઓની ( દ્રવ્યભાવ ) હિંસા થાય કે ન પણ થાય. મતલબ કે ‘હિંસાથી નિવવાના સંબંધમાં અનિગ્રહ ( નિયમ રહિતપણે વર્તન ) અને હિંસા કરવામાં સાક્ષાત્ પ્રવૃત્તિ (મન, વચન, કાયાથી ) એ બન્ને પ્રકારે હિંસા લાગે છે, તેથી પૂર્વોક્ત પ્રમાદયુકત મન, વચન, કાયાના પેગ વર્તતે છતે કાયમ હિંસાદોષ લાગે છે. યદ્યપિ હિંસાદોષમાં પરવતુ તે કેવળ નિમિત્ત માત્ર છે અને નિજ કિલ ( કષાય યુક્ત ) પરિણામ જ વાસ્તવિક ઉપાદાન કારણ છે, તો પણ પરિણામવિશુદ્ધિ સાચવી રાખવા માટે મૂચ્છ-મમતાદિક પેદા કરનારા અને વધારનારા પરિગ્રહાદિક હિંસાનાં સ્થાનકોનો ત્યાગ કરવો જરૂરી છે. ખાટાં કારણ સેવવાથી ખોટું જ કાર્ય–પરિણામ આવે છે. આ હેતુથી જ મેક્ષના તીવ્ર અભિલાષી મુમુક્ષુજને દ્રવ્યભાવ ઉભય પરિગ્રહને તજે છે. દ્રવ્યપરિગ્રહ ધન, ધાન્ય, રજત, સુવર્ણાદિકરૂપ અને ભાવપરિગ્રહ અહંતા-મમતા(મૂચ્છ )રૂપ–એ ઉભય પરિગ્રહના પરિહારથી જ તેઓ ભાવનિગ્રંથ કહેવાય છે. મતલબ કે સાપની કાંચળીની પેઠે બાહ્ય ( દ્રવ્ય ) પરિગ્રહનાં ત્યાગમાત્રથી તેમને મેક્ષ થતો નથી. જ્યારે તે સાથે અહંતા અને મમતારૂપ અંતરનું ઝેર જતું રહે છે ત્યારે જ ખરી મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. ઉપર જણાવેલાં વચનને મર્મ બરાબર સમજી શકાય તે પછી ઉપદિષ્ટ શાસ્ત્રકથન સમજવું માનવું સુલભ થઈ પડે છે કે કેઈ એક જીવ સાક્ષાત્ પ્રાણહાનિરૂપ હિંસા કર્યા
Page #234
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૧ ] વગર પણ તથા પ્રકારના હિંસાના પરિણામથી હિંસાદેષના ફળને પામે છે, અને અન્ય કેઈ શુભાશયી જીવથી હિંસા સંબંધી તેવા કિલષ્ટ પરિણામને અભાવે કવચિત્ કઈ જીવની હિંસા સાક્ષાત્ થઈ ગયા છતાં તેને તે થયેલી ( સાક્ષાત્ ) હિંસા સંબંધી દોષનું ફળ ભેગવવું પડે નહિ. વળી તીવ્ર કષાય યુક્ત કરેલી થોડી હિંસા પણ તેના કરનારને પરિણામકાળે ઘણું માઠું ફળ આપે છે ત્યારે મંદ કષાય પરિણામથી કરેલી ( થયેલી ) મહાહિંસા પણ તેના કરનારને ઉદય ( વિપાક ) સમયે અપમાત્ર ફળ આપી વિરમે છે. વળી સાથે જ કરાયેલી એક જ જાતની હિંસા વિપાકકાળે એકને તેના તીવ્ર કષાય પરિણામથી આકરું ફળ આપે છે ત્યારે બીજાને મંદ કષાય પરિણામના કારણથી મંદ ફળ આપે છે. કેઈને કિલષ્ટ પરિણામ હોવાથી હિંસા નહિ કર્યા છતાં ( ફક્ત તેવી તક નહિ મળ્યાથી ) તે હિંસા પ્રથમથી જ ફળે છે, કોઈને ઉક્ત હિંસા કરી છતી જ ફળે છે-ફળ આપે છે, અને ઉક્ત હિંસા કરવાને આરંભ માત્ર કર્યા છતાં તે હિંસા સાક્ષાત્ ર્યા વગર પણ તેના કષાય પરિણામ પ્રમાણે ફળ આપે છે. મતલબ કે હિંસા તેના કરનારના તીવ્રાદિક કષાય પરિણામાનુસારે તીવ્રાદિક ફળ આપે છે. કોઈ એક જ જણ જીવહિંસા કરે છે છતાં ઉક્ત હિંસાનું અનુમોદન કરતાં ઘણા
જીવે તે હિંસાના ફળભાગી થાય છે, તેમ જ વળી ઘણા ( સુભટાદિકે ) હિંસા કરે છે ત્યારે તે સર્વ હિંસાનું ફળ (હાર, જીત વિગેરે) હિંસા કરવાને હુકમ આપનાર રાજા પોતે જ ભેગવે છે. કોઈ એક જીવ મલિન અધ્યવસાયથી અન્યને મારવા જતાં તેના પુન્યપ્રાબલ્યથી બૂરું ( ભંડું) કરવા જતાં
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
શ્રી કરવિજયજી ઊલટું તેનું ભલું જ થઈ જાય છે, પણ હિંસા કરવા જનારને તે તેના માઠા ( કિલષ્ટ ) પરિણામથી હિંસાનું માઠું જ ફળ ઉદયકાળે મળે છે તેમાં લેશમાત્ર સંશય નથી. એટલે કે હિંસા કરનારને કેવળ હિંસાનું જ ફળ મળે છે, ત્યારે બીજાને એ જ હિંસા સમયે ઉત્તમ ક્ષમાદિક પરમ અહિંસક ભાવ ઉદ્યસ્યાથી વિશાળ અહિંસા(પરમદયા)જન્ય મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે છે. કેએકને હિંસા શુદ્ધ પરિણામથી અહિંસાફળને આપે છે અર્થાત સર્વજ્ઞ વચનાનુસારે વર્તનાર શ્રાવકેને શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ અને સાધમી જનની નિ:સ્વાર્થ સેવા-ભક્તિ કરતાં ઉદાર આયોગે પણ સદારંભ પ્રસંગે સચિત્ત પુપ જળાદિ વાપરતાં તેમાં તેની દેખીતી હિંસા થયા છતાં વીતરાગ પ્રભુના વચનાનુસારે સંયમમાર્ગને પાળતા, અને પ્રામાનુગામ વિહાર કરતા માર્ગમાં આવતી નદી પ્રમુખને નિરુપાયપણે ઉતરતા નિગ્રંથ મુનિરાજની પેઠે તે તે જીવે પર પરમ કણબુદ્ધિ વર્તતી હોવાથી પરિણામે સરવાળે ] હિંસાદેષ લાગતો નથી પણ સરેરાશ અહિંસા-દયાનું જ ફળ મળે છે. તેમ જ કે રોગીને હિતબુદ્ધિથી ઔષધોપચાર કરતાં દેવગે તે રોગીનું મરણ નિપજે તો પણ વૈદ્યને હિતબુદ્ધિથી હિંસાનું નહિ પણ અહિંસા યા દયાનું ફળ પ્રાપ્ત થાય છે.
છેવટે શાસ્ત્રકાર જણાવે છે કે ઉક્ત હિંસાના અનેક ભેદ હોવાથી તે સઘળા ભેદે નયજ્ઞાનના નિધાનરૂપ સ્યાદ્વાદી ગુરુ સમીપે સાદર સમજી લેવા ગ્ય છે,
હિંસાના સઘળા ભેદ શુદ્ધ ગુરુગમ્ય જાણનાર ભવ્યાત્મા ખરેખર અહિંસાના નિર્ભય અને સુખદાયી માર્ગને દઢ પ્રતીતિ
Page #236
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩ ] પૂર્વક સેવી-આદરી શકે છે. સ્વરૂપ, હેતુ અને અનુબંધ, દ્રવ્ય અને ભાવ તેમ જ નિશ્ચય અને વ્યવહાર તથા સ્વ અને પર સંબંધી હિંસા તેમ જ અહિંસાના ભેદ પાડી શકાય છે. જેટલા પ્રકાર હિંસાના તેટલા બધા ય પ્રકાર અહિંસા યા દયાના હોઈ શકે છે. બાહ્ય દેખાવરૂપે થાય તે સ્વરૂપ, હેતુ સાધ્ય થાય તે હેતુ અને સરેરાશ પરિણામરૂપે નિપજે તે અનુબંધ, દ્રવ્યપ્રાણને લક્ષીને થાય તે દ્રવ્ય અને ભાવપ્રાણને લક્ષીને થાય તે ભાવ, તેમજ નિજ આત્માને લક્ષીને થાય તે સ્ત્ર અને પરઆત્માને લક્ષીને થાય તે પરહિસા કે અહિસા લેખી શકાય. પ્રથમ વિસ્તારથી જણાવેલા આશા ઠીક ઠીક સમજી લેવાશે તો ઉપરના ભેદ સુસ્પષ્ટ ખ્યાલમાં આવશે. આ લેખમાંથી મુખ્ય સારાંશ લેવા યોગ્ય એ છે કે જેમ બને તેમ સુખશીલતા તજી વિષયાસક્તિ અને કષાયાદિકને વશ થયા વગર નિજ આત્મનિગ્રહ કરીને નિર્મળ આશય સાથે ઉદાત્ત ભાવનાથી સહુ કોઈ જીવોને નિજ આતમા તુલ્ય લેખી સમભાવે વ્યવહારમાં જ સર્વ પ્રકારે સુખ શાન્તિ ને
સ્વપરહિત સમાયેલું છે એવા જ ઉદાર આશયથી સદા સર્વદા ઈચ્છવા યંગ્ય છે કે “જગતવતી સહુ પ્રાણીઓને સુખ શાન્તિ હો ! સહુ કોઈ પ્રાણીવર્ગ પરોપકારરસિક બનો ! દોષમાત્ર વિલય પામે અને લોકો સર્વત્ર સુખી થાઓ ! ”
વળી આવા અતિ પવિત્ર હેતુથી જ સહુ કોઈ સત્ય સુખાથી જનોએ મિત્રી પ્રમુખ ઉદાર ભાવનાઓનો આશ્રય કર્તવ્ય છે. પરહિતચિન્તવન તે મૈત્રીભાવના, પરદુઃખ દૂર કરવા અનુકુળ વ્યાપાર તે કરુણભાવના, પરસુખસમૃદ્ધિ અને ગુણ
Page #237
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
ગોરવ દેખીને તેમ જ સાંભળીને સંતુષ્ટ થવું તે પ્રમાદભાવના અને અન્યના અનિવાય ઢાષા સુધરી ન શકે એવી સ્થિતિમાં જણાય ત્યારે તેને કર્મવશ સમજી, રાગદ્વેષથી દૂર રહી, સ્વકત્ત વ્યમાં સાવધાન રહેવું તે મધ્યસ્થભાવના યા ઉપેક્ષાભાવના કહેવાય, એમ સહુ કાઇ સજ્જનાએ ઉક્ત ઉત્તમ ભાવના સદા સર્વદા સેવવા–આદરવા ચેાગ્ય છે.
[ આ. પ્ર. પુ. ૧૨, પૃ. ૧૮૪] જીવદયા અથવા અનુકંપાના ખર્ચ સંબંધી થતા ઊહાપાતુ અને તેનું પરિણામ
દયાળુ ગણાતી જૈન અને અન્ય કામેામાં પ્યુ ષાદિક માંગલિક પ્રસંગે અનેક આરભ-સમારંભનાં કામ બંધ રાખી-રખાવી ‘અમારી’ પળાવવામાં આવે છે. કુમારપાળ રાજા પોતાના ૧૮ દેશેામાં પેાતાના હુકમથી અને ખીજા ૧૪ દેશેામાં મિત્રતાદિકના મળથી કાયમ અમારી પળાવતા હતા. અકબર બાદશાહ પ્રમુખ મુસલમાન રાજાઓએ પણ જૈન આચાર્ચોનાં અદ્ભુત જ્ઞાન અને ચારિત્ર્યના પ્રભાવથી એક વર્ષોમાં લગભગ ૬ માસ પર્યન્ત કાયમ અમારી પળાવવા પેાતાનાં સમસ્ત રાજ્યમાં ક્રમાના કર્યાં હતાં. એ વખતે અને જ્યાં સુધી જૈનામાં એકસપી હતી તેમ જ જૈનાના પુન્યાય જાગતા હતા ત્યાંસુધી સર્વ પ્રાણીવર્ગને અભય આપવારૂપ અમારી સર્વત્ર સારી રીતે પળાતી હતી. અત્યારે મેળવેલાં ફરમાનાના અમલ કરાવવા જેટલી તાકાત પશુ જૈનેા ધરાવે છે? અંદર અંદર કલેશ-કુસ પવડે પેાતાની વીર્ય શક્તિ વ્યર્થ ગુમાવી
Page #238
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૫ ] દેતી જેનકેમ પ્રથમથી સહેજે મળેલાં અને કરોડે જીવોને સુખદાયક ફરમાનોના યથાર્થ અમલ કરાવવા પ્રત્યે પણ ઓછી દરકાર કરે છે એમ કચ્છના સામાન્ય અનુભવ ઉપરથી જણાય છે. જીવદયા સંબંધી પ્રથમ ભુજના રાજાએ કરી આપેલા ફરમાના દીવા જેવા છે, પણ તેનો અમલ કરાવવાની દરકાર કોને છે ? આપણે બેદરકારીને લાભ લઈ બીજ નિર્દય લકો અન્યથા આચરણ કરતા જણાય છે. અને કરે ત્યારે લેક બૂમ પાડે તેમાં વળે શું? વખત વીત્યા પછી અને હકક ગુમાવ્યા પછી રાજાઓ કે અધિકારીઓ પણ દાદ દેતા નથી તેમાં ખરો દોષ કોને? દુષ્ટ પ્રમાદને જ યા બેદરકારીને. સાપ ગયા ને લીસોટા રહ્યા” એ ન્યાયે આપણે પર્યુષણદિક પર્વ પ્રસંગે જીવદયાની ટીપ કરી, નાણું એકઠાં કરી, કસાઈને ત્યાં જઈ થોડાંક જાનવરોને છોડાવી દઈએ એટલે જીવદયાનું કામ પૂરું થયું માનીએ. એ રીતે બધા ય સ્થળે ખર્ચાતા નાણાંને સરવાળે કરીએ તે કદાચ પ્રતિવર્ષ હજારે બલકે લાખને થાય. આ સિવાય પાંજરાપોળનું ખર્ચ ગણુએ તો કદાચ કરોડની રકમ થવા પામે. અત્યારે નિર્ધન અવસ્થા ભગવતી જેન પ્રજા આટલી ગંજાવર રકમ ખચી છેવટે આ લોકમાં કે પરલોકમાં સંતોષકારક સુખદાયક પરિણામ મેળવી શકે તે તો બહુ સારું, પણ જે હૃદયમાં વિવેકદીપક પ્રગટાવી વસ્તુસ્થિતિ અલેકે તો ગરીબડી થઈ પડેલી પોતાની પ્રજાને જ ઉદ્ધાર કરવા જેવકોમે આટલી ગંજાવર રકમ કેળવણીના માગે ખચ દ્રવ્યની સફળતા કરી લેવી જોઈએ.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૧૭]
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી આજીવન યાત્રા સફળ કરી લેવા દરેક પ્રસંગે સુજ્ઞ જનોએ રાખવી જોઇતી ચીવટ, અને પ્રમાદાચરણથી દૂર રહેવાની અનિવાર્ય અગત્ય (આત્મજાગૃતિ.)
૧. દારુના પીઠામાં જેમ અનેક દારુડીયા એકઠા થાય છે તેમ જેમાં અનેક જાતનાં પાપ આવી મળે છે તેવાં પ્રસિદ્ધ ૧૮ પાપસ્થાનકેને પરમાર્થ સમજી, સુખના અથી જનેએ તેને પરિહાર કરી, સ્વગુણને પ્રકાશ થાય એવી સ્તુત્ય પ્રવૃત્તિ કરવી, કરાવવી અને અનુમોદવી. ગુણકારી કરણીની નિંદા તો કદાપિ કરવી નહિં.
૨. મધ-ઉન્માદ ઉપજાવનાર ખાનપાન, વિષય-આસક્તિ, ક્રોધાદિ કષાય, આલસ્ય અને વિકથાદિ પ્રમાદભર્યા આચરણથી જેમ બને તેમ કાળજીપૂર્વક અળગા રહી, મન અને ઈન્દ્રિયોને યોગ્ય નિગ્રહ કરી તપ, જપ, સંયમનું સારી રીતે સેવન કરી લેવું.
૩. જિનેશ્વર જેવા સમર્થ દેવ, નિર્ગથ-સાધુ જેવા સમર્થ ગુરુ અને સર્વજ્ઞ વીતરાગભાષિત વિશુદ્ધ ધર્મરૂપ ત્રણ તત્ત્વને પામી પિતાનું જીવન આદર્શરૂપ કરવા દઢ પ્રયત્ન સેવ. ઉત્તમ આલંબન મેળવી ઉદારાશય થવુંઉચ્ચ જીવન કરવું.
૪. સંસારની અનિત્યતા, અસારતાદિક સારી રીતે ચિન્તવી વૈરાગ્ય ધાર અને ક્ષમાદિક સ્વાભાવિક ગુણેની રક્ષા તથા પુષ્ટિ થાય તેમ મિત્રી, મુદિતા (પ્રમેદ), કરુણું અને માધ્યસ્થરૂપ રૂડી ભાવનાઓને આશ્રય કરે.
Page #240
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૭ ] ૫. સ્ત્રીઓ જેમ કાંચકીવડે માથામાંથી જૂ અને લીંને પૃથગૂ કરે છે તેમ સત્ય સુખના અથી જનેએ આત્મનિરીક્ષણ યેગે નજરે પડતા દોષમાત્રને દૂર કરવા. આત્મસુધારણાનો એ જ ઉત્તમ ઉપાય છે.
૬. સમતા ગુણને જમાવ કરે અને રાગદ્વેષાદિક દેષજાળને દૂર કરે એ જ લક્ષ્યથી સામાયિકનો અભ્યાસ રાખવો સુજ્ઞ જનોને ઉચિત છે.
૭. નહિં કરવાનું કરવાથી, કરવા ગ્ય નહિં કરવાથી, અશ્રદ્ધા કરવાથી તેમ જ માર્ગ વિરુદ્ધ કથન કરવાથી જીવ દોષપાત્ર થાય છે. જાણતાં કે અજાણતાં થયેલા દોષની આલોચના અંત:કરણથી કરી, ફરી તેવા દેષથી અળગા રહેવા દઢ પ્રયત્ન કરનાર સુજ્ઞ જને પ્રતિક્રમણુવડે આત્મશુદ્ધિ કરી શકે છે.
૮. જેનાથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણને પુષ્ટિ મળે એ જ પૈષધ, આહારલુપતા તજી, શરીરમમતા તજ, બ્રહ્મચર્ય સેવવા દઢ પ્રતિજ્ઞા કરી, પાપવ્યાપારને પરિહાર કરી, કાયમ ન બની શકે તે પર્વને દિવસે પ્રેમપૂર્વક પિષધ કરનાર સુજ્ઞ જનો અવશ્ય સુખી થાય છે.
૯. અનિત્યાદિક બાર ભાવના, મંત્રી પ્રમુખ ચાર ભાવના અને પાંચ મહાવ્રતની પચીશ ભાવના ભાવવાથી પોતાનું જ હિત થાય છે ત્યારે અનેક ભવ્યાત્માઓ ધર્મમાં જોડાય, દઢ થાય એવું સદાચરણ સેવનાર, સેવરાવનાર અને અનુમોદનાર સુજ્ઞ જને શાસનપ્રભાવનાને લાભ મેળવે છે.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૧૮.]
Page #241
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ]
શ્રી કરવિજ્યજી ઉપમિતિ ભવપ્રપંચો કથા અંતર્ગત કેટલાએક
ઉપયુક્ત વચનનો અનુવાદ. ૧. મહાપુરુષનું સાનિધ્ય (તેમની સમીપતા) અતિશય ચમત્કારી હોય છે.
૨. કુશીલ જનેની દષ્ટિ અતિ વિષમ-હાનિકારક હોય છે.
૩. એક્ષપર્યત સહાયકારી પુન્યાનુબંધી પુન્યને જોગ મળે અતિ દુર્લભ છે.
૪. નીચ કાર્ય કરવાનો સંકલ્પ જીવને ખરા સુખથી બેનસીબ રાખે છે. - પ. ભવિષ્યનો વિચાર કરી કે કાર્ય કરવામાં વગર વિચાર્યું ઝંપલાવવું નહિં.
૬. મોહદષના જોરથી જીવ મહાહાનિકારક વિષયભોગવડે છળાયા કરે છે.
૭. મહાત્માઓ અનુચિત કાર્યથી પાછા જ ઓસરતા રહે છે. ૮. સવિચાર વગર અયુક્ત-અસત્કાર્ય સત્કાર્ય જેવું ભાસે છે. ૯. ગુરુજના વચનનું ઉલ્લંઘન કરવું ન ઘટે. ૧૦. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષને અપરાધ લેખાતા નથી.
૧૧. અહિંસા, સધ્યાનની પ્રાપ્તિ, રાગાદિક દેને નિગ્રહ, તેમ જ સાધમ જને પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ-વાત્સલ્ય એ જ સદુપદેશનું રહસ્ય છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૯ ] ૧૨. અજ્ઞાનેગે જ હિંસાદિક દેવ માત્રમાં જે પ્રવૃત્તિ કરતાં રહે છે.
૧૩. અજ્ઞાન દોષથી મલિન થયેલ આત્મા પાષાણ જેવો જડ લેખાય છે.
૧૪. ખરી સરલતા આદરવાથી હૃદયની ઘણું શુદ્ધિ થઈ શકે છે.
૧૫. આપબડાઈ, પારકી નિંદા અને પૂર્વે સેવેલ વિષયવિલાસના વખાણ એ સાધુજનના ચારિત્રને ભારે નુકસાન કારક નીવડે છે.
૧૬. જે મનનો નિગ્રહ કરી શકે છે તે જ આત્માનું ખરું હિત કરે છે.
૧૭. સજજનોની પ્રીતિ અવિહડ-પ્રાણાન્ત સુધી નભે એવી હોય છે.
૧૮. સગુરુ પ્રત્યે વિનયથી વર્તવું એ સજજનેને ઉચિત જ છે.
૧૯. નિર્ગુણ પ્રત્યે સજને તો રાગદ્વેષ રહિત ઉદાસીનતા જ ધારણ કરે છે.
૨૦. સારા-સગુણ પતિ સાથે કન્યાને જોડવાથી ચિંતામુક્ત થઈ શકાય છે.
૨૧. મુખમાં સમાય એવું મંદ હાસ્ય, લજા સહિત કમળ ભાષણ, અને વિકાર રહિતપણે અન્યને નિરખવું એ કુલીન સ્ત્રીઓને ઉચિત છે.
૧૪
Page #243
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
૨૨. હાથક કણને અરીસાની જરૂર રહેતી નથી.
૨૩. કન્યકર્મીમાં જોડાએલા નાકરાએ સ્વામીઓને છેતરવા ન જોઇએ.
૨૪. કર્મથી દુ:ખ પેદા થયુ હાય તેમાં ખેદ-શાક કરવા શા કામના ?
૨૫. માતાને કલેશ-સંતાપ ઉપજાવનારા એવા પુત્રના જન્મથી સર્યું.
૨૬. દીર્ઘદૃષ્ટિથી વિચારી કામ કરનારને શું શું શ્રેય ન સંભવે ? ૨૭. મહાનુભાવા દુઃખ પામતા પ્રાણીએ પ્રત્યે દયાળુ હાય છે. ૨૮. ૫'ડિત જના સમયસૂચકતા વાપરી ડહાપણથી કામ કરે છે. ર૯. કુપાત્ર માટે ગમે તેટલે પ્રયાસ કર્યા છતાં અંતે ખેદ જ પેદા થાય છે.
૩૦ સત્સંગનું મૂલ્ય આંકવાને દુનિયામાં કાણુ સમર્થ છે ? ૩૧. ક્રોધના પૂરા આવેશમાં કરેલ સમાધાન કલહુને
વધારનાર થાય છે.
૩૨. ભાજન સન્મુખ છતાં હાથ હલાવ્યા વગર કાણુ જમી શકે છે?
૩૩. ગમે તેટલા પરિશ્રમ કર્યા છતાં કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહે છે, સીધી થતી નથી.
૩૪. ઊંટ કયાં અને આરતિ કયાં ? સર્વત્ર ગુણ્ણા જ પૂજાય છે. અર્થાત્ ઊંટની આરિત ન હાય.
Page #244
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૧ ]
૩૫. ગુણુ જ જયાં ત્યાં પૂજાય છે. એમાં સબંધનું કશુ કારણ નથી.
૩૬. અધિક ગુણીને જોઇ મહાત્માએ પ્રમેાદ પામે છે. ૩૭. ગુરુજના સહાયરૂપ થાય છે ને માદક પણ હેાય છે. ૩૮. હે ચિત્ત! આત્મામાં રમણતા કરીને તુ જલદી ચિંતા
સુકત થા.
૩૯. મનના ઉદ્વેગ મટાડવા અને મિત્ર સજ્જનાને સતાષવા તેના જાણકાર વિચક્ષણ પુરુષા શ્રેષ્ઠ–ઉત્તમ પ્રહસન જ કરે છે. ૪૦. અંદરમાં મેલું–દુષ્ટ મન સ્નાનાદિકવડે શુદ્ધ થઇ શકતુ નથી. ૪૧. સંસારના પાર પામવાને સૌથી પ્રથમ આપણું ચિત્ત જ શુદ્ધ કરવાની જરૂર છે.
૪૨. સ્નેહપૂર્ણ સજ્જનને જોવાથી ચિત્ત સ્નેહથી દ્રવિત
થઈ જાય છે.
૪૩. ચિતામણિ મેળવનાર દરિદ્રી ન હેાય.
૪૪. સજ્જનને સમાગમ થતાં જડ પણ સંતુષ્ટ ધાય છે.
9
૪૫. બાપ તેવા બેટા ' એ કહેવત પ્રાયે સત્ય હૈાય છે.
'
૪૬. તત્ત્વ( પરમાર્થ )માને નહિ જાણનારા જ માંહેામાંહે વિવાદ કરી વિનાશ પામે છે.
૪૭. તત્ત્વશ્રદ્ધાવš પુનિત આત્માને સંસારમાં રઝળવું પડતું નથી.
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨]
શ્રી કરવિજયજી ૪૮. અજ્ઞાન ચણા તજી દેવી–તેનું સેવન કરવું નહિ.
૪૯. દુષ્ટ સંબંધ-પરિચય તજ અને સદાચારીનું સંસેવન કરવું.
૫૦. માણસ જેટલું જોવે છે તેટલું જ જાણે છે.
૫૧. જે સદા સુગુરુની સેવા-ઉપાસના કરતાં રહે છે તે ભાગ્યશાળી જનો જ્ઞાનવાન બને છે, નિર્મળ શ્રદ્ધારત્નને પામે છે અને ઉત્તમ આચાર પાળવામાં એક્કા બને છે.
પર. સંતોષ-પ્રસન્નતાવડેજને શું શું શુભ કાર્ય નથી કરી શકતા ૫૩. જીવદયા, વૈરાગ્ય, વિધિયુક્ત ગુપૂજન અને વિશુદ્ધ એવી શીલ (સદાચાર) વૃત્તિ એ પુન્યાનુબંધી પુન્યજનક છે.
૫૪. જગતમાં દયા હિત કરનારી, સર્વ ગુણને પેદા કરનારી અને દેષ માત્રને ટાળનારી તેમ જ ધર્મના રહસ્યરૂપ છે.
૫૫. મહામહ અને પરિગ્રહ-મમતા ખરેખર ત્રાસદાયક છે. ૫૬. પાપાચરણથી જ દુઃખ માત્ર ઉત્પન્ન થાય છે. ૫૭. સહુ કોઈનું મન સંપાદન કરવું ખરેખર દુર્લભ છે. ૫૮. આ ભવ-અટવીમાં સાધુવંદન સદ્દભાગ્યે જ પ્રાપ્ત થાય છે. ૫૯. દુષ્ટ રાગાદિક ની સંગતિ પરિણામે દુઃખદાયી જ છે. ૬૦. દુષ્ટ–પાપીજનેને શિક્ષા કરવી એ રાજાને ધર્મ છે. ૬૧. માતા-પિતાના ઉપકારનો બદલે કેમે કરી વળી ન શકે.
Page #246
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૩ ]. ૬૨. જગતમાં જુગાર ને સર્વ અનર્થ ઉપજાવનાર છે.
૬૩. નબળાની સોબતથી નુક્સાન જ અને સારાની સેબતથી ફાયદો જ સંભવે છે. ૬૪. ભાગ્યશાળી જનેને જ વધારે યાદ કરાય છે.
૫. ધર્મોપકાર કરનાર સાધુજનનું મૂલ્ય જ કરી ન શકાય. ૬૬. ધીર પુરુષો સ્વબુદ્ધિ-ચક્ષુથી પરિણામ જોઈ શકે છે. ૬૭. દુર્જનનો સંગ ન જ કરે, સજજનોનો જ સંગ કરવો. ૬૮. ક્રોધથી તેજ પ્રતાપની વૃદ્ધિ થતી નથી, પણ તેજ ઘટે છે. ૬૯ પુન્યદય વગર જીવનું કાંઈ પણ વાંછિત ફળતું નથી. ૭૦. અમૃતના પાત્રમાં કદાપિ કડવાશ હોતી નથી જ.' ૭૧. જુગારીઓને અહીં કે પરલોકમાં કયાંય સુખ નથી.
૭૨. તારે ખરે માર્ગ મૂકવે નહિ અને શત્રુઓને પરાસ્ત કરવા.
૭૩. મોહ(શત્રુ ને દાબી નાંખવા જેવો બીજો કોઈ મહાપકાર નથી.
૭૪. જાતિવંત-કુલિન પુરુષોને પરસ્ત્રીગમન ઉચિત નથી.
૭૫. સ્વાભિમાની જનોને અપમાનકારી સાથે રહેવું તે જ રોગ્ય નથી.
૭૬. ભાગ્યહીનને રત્નને ભંડાર સાંપડતું જ નથી.
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪]
શ્રી કર્ખરવિજયજી , ૭૭. સહેજે કરાય એવા કાર્યમાં પણ પ્રમાદી પકાપાત્ર બને છે.
૭૮. ઉચિત મર્યાદાનું કદાપિ ઉલ્લંઘન કરવું નહિ.
૭૯. સહોદર-સગાભાઈથી થતો પરાભવ ક્ષમાવાન પણ સહી ન શકે.
૮૦. શુદ્ધાત્મા એ સજજન દુર્જનનાં દુરાચરણે ખાત્રીપૂર્વક જાણી શકતું નથી.
૮૧. સજજને દોષિતને પણ અકાળે તજતા નથી.
૮૨. જ્યાં સુધી ચિત્તનું સમાધાન કરી આપનાર ન મળે ત્યાં સુધી આ ભવચક્રમાં જીવને લેશમાત્ર સુખ સંભવતું નથી.
૮૩. નીરાગી મહાશયને દુઃખ ભ ષ કે સુખ પ્રત્યે પૃહા થતી નથી.
૮૪. બહારની વસ્તુઓ તે નિમિત્ત માત્ર છે. - ૮૫. લક્ષણહીન (દરિદ્રી)ને ચિન્તામણિરત્ન પ્રાપ્ત થતું નથી.
૮૬. સજજન–સાધુજને કેવળ નિર્વિકારી હોય છે.
૮૭. પ્રાણીઓની દષ્ટિ જન્માન્તરની સંગતિને જાણનારયાદ રાખનાર જણાય છે, કેમ કે તે પ્રિયને દેખીને વિકસે છે. અને અપ્રિયને દેખીને રેપી બને છે. ના ૮૮. શાન્ત આત્માઓને જે સ્વાભાવિક આંતરસુખ સાંપડે છે તે દેને કે ઈન્દ્રોને પણ સંભવતું નથી.
૮૯ સાધુજનેને આત્મશ્લાઘા કરવી ઘટે નહિ, તે કરે જ નહીં.
Page #248
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૫ ] ૯૦. અધમ જને ઉચિત આચરણ પણ કરતા નથી.
૧. ગમે તેટલું સમજાવ્યા છતાં મૂઢ જન અકાર્ય કરતાં અટક્તો નથી.
૨. બીજાએ કરેલું અકાર્ય જો અણનિષેધ્યું તો તે અનુમેવું સમજવું.
૩. કૃપાળુ સજજનો પારકાં દુઃખ જોઈ ( સહન કરી ) શકતા નથી.
૯૪. શક્તિ હોય તો સુજ્ઞ માણસે પરોપકાર કરે જ, પરંતુ પરોપકાર કરવાની શક્તિ ન જ હોય તે સ્વહિત સાધવા બને તેટલે આદર કરવા ચૂકવું નહિ.
૫. પરસ્ત્રીને સમીપે આવતી જેઈને સજને નીચી દષ્ટિ રાખીને ચાલે છે.
૯. અરસપરસની અનુકૂળતાવડે જ વર-વધુને પ્રેમ સચવાય છે.
૯૭. સાધુજને નમી પડેલા પ્રત્યે દયાળુ, દીન જાને ઉદ્ધારવા ઊજમાળ અને નિઃસ્વાર્થ પ્રેમી જનો માટે પ્રાણાર્પણ કરનારા હોય છે.
૯૮. ગુરુની સ્તુતિ તેમની સમક્ષ કરાય, મિત્ર અને બંધુ ઓની સ્તુતિ તેમની પાછળ કરાય, નેકર–ચાકરની પ્રશંસા કામ કર્યા બાદ કરાય અને સ્ત્રીઓની મૃત્યુ પામ્યા બાદ કરાય; પણ પુત્રની તારીફ તો કરાય જ નહિં.
૯. પ્રભુનું પ્રભુત્વ આજ્ઞામાં છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૦૦. પ્રસ્તાવ રહિત કાર્ય વિચક્ષણ નર આરંભે જ નહિ, ૧૦૧. પાપી જનેની વાતે કરવાથી આપણું પાપ વધે છે. ૧૦૨. પાપ ઘણું કરીને ઢાંક્યું ન રહે જાહેરમાં આવે જ. ૧૦૩. ચિન્તામણિ પામી સાચવી જાણનાર દરિદ્રી કેમ જ રહે? ૧૦૪. પુણ્યને પણ સોનાની બેડી જેવું કહ્યું છે. ૧૦૫. દોષરૂપી મળને શુભ ક્રિયારૂપ જળવડે દૂર કરે.
૧૦૬ પૂર્વભવના અભ્યાસથી જ પ્રાયે પ્રાણીઓના અનેક ભાવ વતે છે.
૧૦૭. ઉદ્યમ કરનારને અને નહિ કરનારને પૂર્વભવમાં જેવું (શુભાશુભ) કમ ઉપામ્યું હોય તેવું જ અહીં પ્રાપ્ત થાય છે.
૧૦૮. જ્ઞાન અને ક્રિયાના ગે જ ફળસિદ્ધિ થવા પામે છે.
૧૦૯. હઠાગ્રહથી ( તેની વગરઈચ્છાએ ) પણ અન્યનું હિતશ્રેય કરવું.
૧૧૦. બ્રહ્મચર્ય, દયા, દાન, નિસ્પૃહતા, સત્ય, તપ અને ઉદાસીનતા એ સઘળાં સત્ત્વની સંવૃદ્ધિ કરનારાં છે.
૧૧૧. મહાકાર્ય સાધવાની શરૂઆત કરનારને પણ વચમાં વિદને પેદા થાય છે.
૧૧૨. મહાત્માઓ ભક્તિવડે વશ થઈ જાય છે.
૧૧૩. અરે ભાઈઓ! ઉત્સાહ લાવીને ખરા ધર્મ–માર્ગમાં આદર કરે.
Page #250
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૫ :
[ ૨૧૭ ]
૧૧૪. અહીં જિનાગમના ચેગ પામી સુજ્ઞજનાએ શીઘ્ર સ્વમળશુદ્ધિ કરવી.
૧૧૫. મહાશયે અન્ય જનાના આન ંદની વૃદ્ધિ માટે થાય છે. ૧૧૬. મહાપુરુષના સમાગમથી ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થાય છે. ૧૧૭. ઇંદ્રિયારૂપી ચારા મનુષ્યેાના સઘળા ધર્મરૂપી ખજાના ચારી જાય છે.
૧૧૮. તત્ત્વવેત્તાએ ધન પ્રાપ્ત થયે છતે મૂર્છા-મમતા અને ગર્વ ન જ કરવા, પણ સારા પાત્રમાં વિવેકથી તેનુ દાન દેવુ અને ભેાગમાં પણ લેવુ.
૧૧૯. જે સારું કામ હાય તે મૂઢ જનેા નથી કરતા અને માઢુ-ભૂંડું કાર્ય તે વાર્યા છતાં પણ કરે છે.
૧૨૦. રાજા તથા પ્રજાનુ જેવું સત્ત્વ હાય તેવા ગુણુ સમજવા. ૧૨૧. નિયતિવશાત્ જે શુભાશુભ સાંપડે તેમાં હર્ષ, ખેદ કરવા નકામા છે.
૧૨૨. જ્યાંસુધી માણસ નિરુદ્યમી રહે છે ત્યાંસુધી લક્ષ્મી વેગળી વસે છે.
૧ર૩. જે માતા જડ, આળસુ, નસીબ ઉપર વિશ્વાસ રાખી એસનાર અને સત્ત્વપરાક્રમ વગરના બાળકને જન્મ આપે છે તેને જ રાવુ-રુદન કરવુ પડે છે.
૧૨૪. જે અહીં ઘરમાં પરાભવ પામ્યા હાય છે તે મહાર પણ પરાભવ પામે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ]
શ્રી કરવિજયજી ૧૨૫. જે કેડેગમે બાહ્ય શત્રુઓને જીતી શકે તે પણ તત્ત્વજ્ઞાન વગર અંતરશત્રુઓને જીતવા સમર્થ થઈ શકતું નથી.
૧૨૬. રસનાલુબ્ધ બનેલે જીવ લેશ પણ ચેતી શકતો નથી.
૧૨૭. રાગાદિકથી વ્યાકુળ થયેલું ચિત્ત વિષયરસમાં પ્રવર્તે છે અને વિવિધ વિષયોમાં પ્રવૃત્ત થયેલા જીવને કર્મને સંચય વધતું જાય છે.
૧૨૮. લોભીને અર્થ આપવાવડે, ક્રોધીને મધુર ભાષણવડે, કપટીને વિશ્વાસ પમાડવાવડે, અભિમાનીને નમ્રતાવડે, ચેરને અંકુશવડે અને પરસ્ત્રીલંપટને સારી બુદ્ધિને ઉપગ કરવાવડે વિદ્વાનો વશ કરી શકે છે.
૧૨૯. પંડિતજનોએ જગતના વ્યવહારમાર્ગનું ઉલ્લંઘન ન કરવું.
૧૩૦ પ્રાણીઓની ચિત્તવૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે.
૧૩૧. વિદ્યા અને ધ્યાનમાં સ્થિરતા અતીવ હિતકારી નીવડે છે.
૧૩૨. સવિદ્યાની વૃદ્ધિયુક્ત સંધ્યાનયોગે ક્ષમાદિક સગુણ સેવવાવડે રાગદ્વેષાદિક ઉપદ્રવ શીધ્ર નષ્ટ થઈ જાય છે.
૧૩૩. ઉદાર આશયવાળા અને અમૃત સમાન સારાધ આપનારા આચાર્ય ભગવંત હોય છે.
૧૩૪. અલ્પજ્ઞ પુરુષ શાસ્ત્રના વિભાગ (ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય વ્યવહાર, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિક) જાણી શકતો નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૧૯ ] ૧૩૫. વિચારીને કામ કરનાર અશકય અર્થમાં કેમ પ્રવર્તે? ૧૩૬. વિષવૃક્ષને વધવા દેવું જ નહીં. પ્રથમથી છેદી નાખવું.
૧૩૭. ખરેખર સંત-સાધુજને રાગદ્વેષાદિક વિકાર રહિત હોય છે.
૧૩૮. ગુરુને વિનય સાચવવા તત્પર રહેનારી કાયા, ગુરુના ગુણ ગાનારી વાણું અને ગુરુના ગુણમાં રંગાયેલું મન ખરેખર પ્રશંસવા યોગ્ય છે. (સદ્ગુરુ શુદ્ધ દેવ સમાન સત્કારવા યોગ્ય છે.)
૧૩૯ સંતજને દાક્ષિણ્યતાથી જ અન્યકૃત પ્રાર્થના અવગણતા નથી.
૧૪૦. દોષિતમાં પણ ગુણને આરોપ કરી લેનાર અને સહુને આનંદ ઉપજાવનાર અચિજ્ય ચિન્તામણિ જેવો અજબ ગુણ સજજનેની પ્રકૃતિમાં હોય છે.
૧૪૧. ગુણ જનો પ્રત્યે પક્ષપાત કરવ મહાપુરુષોને ઉચિત છે.
૧૪૨. પરવશતા માત્ર દુઃખરૂપ છે. સુ વડે પાપ માત્ર દૂર થાય છે.
૧૪. સર્વ કંઈ સત્વમાં રહેલું છે. મહાપુરુષોનું બધું મહાન્ હોય છે.
૧૪૪. આત્મવશ બધું સુખરૂપ છે. જેવી ભવિતવ્યતા હોય છે તેવા જ સહાયક મળી આવે છે.
૧૪૫. સ્વકાર્ય–સ્વાર્થની ઉપેક્ષા કરીને પરોપકાર કરવા સંતે સહેજે ઉદ્યમી હોય છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
[ રર૦ ]
શ્રી કપૂરવિજયજી ૧૪૬. સાધુજને સ્વને પણ સ્વકાયાનું સુખ વાંછતા નથી.
૧૪૭. સજજને આરંભેલું કાર્ય તજી દેતા નથી. સારી રીતે પરખી લીધેલું હોય તે જ કાર્ય કરે છે.
૧૪૮. શંકિત અર્થ છતે કાળ વિલંબ કરવાથી સુખી થવાય છે.
૧૪. પાપી લોકો સાથે સંબંધ રાખે તે સર્વ પ્રકારના અનર્થને પેદા કરનાર જાણ.
૧૫૦. ક્ષત (ઘારા ) ઉપર ક્ષાર નાંખવા જેવું કાર્ય કૃપાળુ સજજનો તે કદાપિ ન જ કરે.
૧૫૧. ક્ષમા-સહનશીલતા-સમતા વગરના સઘળા ગુણે શોભા આપતા નથી.
૧૫ર. જ્ઞાનીનાં રૂપ( આકૃતિ )થી જાતિ ઓળખાય છે, જાતિથી શુભાશુભ આચરણ જણાય છે, સદાચારથી ગુણે પ્રકાશે છે અને સગુણવડે સત્વ ઝળકી નીકળે છે.
( આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૨૭૩ તથા ૨૯૭)
મૂર્ખ શતક ૧. અધિકારધારી કામદાર ઉપર સનેહબદ્ધ આશા રાખનાર. ૨. મંત્રી નિર્દય-દયાહીન હોવા છતાં નિર્ભયતા માનનાર.
૩. કૃતક્ષનું હિત કરી તેની પાસેથી પ્રત્યુપકારની આશા રાખનાર.
Page #254
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૧ ]
૪. નિર્ગુણુ(એકદર)ની પાસે ગુણ–લાભ મેળવવા ઇચ્છનાર. ૫. શરીર નીરાગી છતાં દવા દારુ કરતા રહી શરીર ગાડનાર.
૬. શરીરે રાગીષ્ટ છતાં પથ્ય પાળવામાં ઉપેક્ષા કરનાર. ૭. àાભવશ ખર્ચના ભયથી સ્વજન કુટુંબી સાથે સંપ રાખવાને બદલે તેમની સાથે કલેશ—કુસંપ કરનાર.
૮. તથાપ્રકારનાં વચનયેાગે મિત્રથી વિરક્ત થઈ જનાર. ૯. ગુણ-લાભ મળવાના પ્રસંગે આળસ કરનાર. ૧૦. પૈસાપાત્ર છતાં કલેશ-કુસંપમાં પ્રીતિ રાખનાર.
૧૧. કાઇ જ્યાતિષી( જોશી )ના કથન ઉપરથી રાજ્યની ઈચ્છા રાખી સ્વઉચિત આચરણની ઉપેક્ષા કરનાર.
૧૨. મૂર્ખ-નિટેાળની સલાહ મુજબ ચાલનાર.
૧૩. દુ ળ-અનાથ-ગરીબને પીડા ઉપજાવવામાં બહાદુરી લેખનાર, સરક્ષણ કરવાને બદલે તેને સતાવનાર,
૧૪. પ્રગટ-પ્રસિદ્ધ દોષ( કલંક )વાળી સ્ત્રી ઉપર પ્રીતિ રાખનાર તેની સાથે અનુચિત વ્યવહાર કરનાર.
૧૫. વિદ્યા-વિજ્ઞાન-કળાના અભ્યાસ કરવામાં મદ આદર કરનાર ( ઉત્સાહ વગરના-મંદ ઉત્સાહી ).
૧૬. અન્યાયે કમાણી કરી સંચય કરેલ દ્રવ્યને ઉડાવી દેનાર. ૧૭. વિવેકશૂન્યતાવડે રાજાદિક જેવા દખદમે રાખનાર
Page #255
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૨ ]
શ્રી કપૂરવિજયજી
૧૮. જાહેર રીતે રાજાર્દિક માટા લેાકેાની નિંદા કરનાર. ૧૯. દુ:ખ આવી પડતાં દીનતા અને ચિંતા કરનાર.
૨૦. સુખી સ્થિતિમાં ઉન્માદવશ દુર્ગતિને વિસરી જનાર અને સ્વેચ્છા મુજબ ગમે તેવાં નિંદ્ય કામેા કરનાર.
૨૧. નજીવા, તુચ્છ લાભની ખાતર હૃદ ઉપરાંત ખર્ચ કરી નાંખનાર, લેવાનુ દેવુ કરનાર.
૨૨. પરીક્ષા-ખાત્રી કરવા ખાતર ઝેર ખાનાર.
૨૩. સુવર્ણસિદ્ધિ પ્રમુખ પ્રાપ્ત કરવાની લાલચે પેાતાના પાસેની મૂડી ગુમાવી નિર્ધન-દરિદ્ર બની જનાર.
૨૪. ધાતુ રસાયણું ખાઇને સ્વવીર્ય-ધાતુને નાશ કરનાર.
૨૫. પેાતાનામાં મેટાઇ માની (કલ્પી) મેટા ગુણીજનાથી અતડો રહેનાર. હુંપદ લાવી કાઇને હિસાબમાં નહિ ગણુનાર–મદ, અહંકાર, ગ કરી અંતે નીચેા પડનાર.
૨૬. ક્રોધ–કષાયવશ થઇ આત્મઘાત કરવા તત્પર થનાર.
૨૭. નિત્ય જ્યાં ત્યાં વિના પ્રયેાજને ગમનાગમન કરનાર અથવા જેમાં કશું વળે તેમ ન હેાય એવાં નકામાં કામ કરનાર.
૨૮. ઘા વાગ્યા છતાં યુદ્ધના તમાશેા જોવા ઇચ્છનાર. ૨૯. સમ-ખળીઆ સાથે ખાથ ભીડી( કલેશ કરી ), વૈર આંધી સ્વશક્તિ( અર્થ ખળાર્દિક )ના ક્ષય કરી નાખનાર.
૩૦. અલ્પમૂડી છતાં ભારે મોટા (ખાટા ) આડંબર રાખનાર.
Page #256
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૩ ]
૩૧. પેાતાને પંડિત માની લઈ અહંકારવશ જ્યાં ત્યાં જેમ તેમ અકવાદ-વાદવિવાદ–વિતંડાવાદ કરનાર.
૩ર. પેાતાને શૂરા (બહાદૂર) લેખી બેદરકાર બની કોઇની કશી ખીક (ભીતિ) નહિ રાખનાર.
૩૩. આપસ્તુતિ કરવાવડે અન્ય જનાની હલકાઇ કરનાર. ૩૪. હાસ્યગર્ભિત વચનાવડે અન્યનાં મને લેનાર.
૩૫. નબળી સ્થિતિવાળા પાસે સ્વદ્રવ્યરક્ષણાર્થે થાપણુ મૂકનાર ( અને પછી પાછું ન મળે ત્યારે પસ્તાવા કરનાર).
૩૬. શંકાશીલ કાર્ય કરવામાં ૩૭. વવિચાર્યું . ખર્ચ કરી ખેદ–શેાક કરનાર, અતિ ઉડાઉ બનનાર.
સ્વદ્રવ્યના વ્યય કરી દેનાર. હિસાબ જોઇ મનમાં
૩૮. નસીબ ઉપર આધાર રાખી સ્વપુરુષાર્થ તજી દેનાર. ૩૯. પેાતે નિન છતાં વાતનેા રસીએ બની સ્વાચિત વ્યવસાયમાં ચિત્ત પરાવી કામ નહિ કરનાર.
૪૦. માત,પિતા, અતિથિ પ્રમુખની ભક્તિ કરવી ભૂલી જનાર. ૪૧. પેાતે નમ્રતા ક્ષમાદિક ગુણરહિત છતાં કુળના મદ કરનાર. ૪૨. કટાર સ્વર છતાં (સભા સમક્ષ) ગાયન કરવા બેસનાર. ૪૩. સ્ત્રીના ભયથી ( ઉચિત ) કાર્ય નહિ કરનાર. ૪૪. કૃપણુતાવડે દરદ્રી જેવી દશાને સેવનાર.
Page #257
--------------------------------------------------------------------------
________________
[ રર૪ ]
શ્રી કર્ખરવિજયજી ૪૫. પ્રગટ દષવાળા દુષ્ટ જનેની પ્રશંસા કરનાર. ૪૬. પિતાના અપલક્ષણવડે સભામાંથી બહિષ્કૃત થનાર.
૪૭. સંદેશ પહોંચાડવા કાસદી કરનાર છતાં સંદેશે જ ભૂલી જનાર (શુન્ય હૃદયને બેકાળજીવાળ).
૪૮. ખાંસીનું દર્દ છતાં ચેરીનું સાહસ કરનાર ૪૯. જશ, કીર્તિ માટે ભજન પાછળ પુષ્કળ ખર્ચ કરનારા ૫૦. પોતાની પ્રશંસા કરાવવા માટે થોડું જમી ઊઠી જનાર.
૫૧. તુચ્છ ફળાદિક અથવા શાકાદિક ખાવામાં અતિ આસક્તિ રાખનાર.
પર. કપટભર્યા ચાટુ વચનથી (ખુશામતથી) છેતરાઈ જનાર. ૫૩. વેશ્યાની પેઠે શત્રુ સાથે કલેશ-કંકાસ કરનાર. ૫૪. બે જણ ખાનગી વાત કરતાં હોય ત્યાં વગરરાએ જનાર.
૫૫. રાજાની મહેરબાની પામી, તે કાયમ ટકી રહેશે એમ માની બેસનાર અને ખરે વખતે છેતરાઈ જનાર. - પ. અન્યાય-અનીતિનો માર્ગ આદરી મોટાઈ (પ્રભુતા ) મેળવવા ઈચ્છા રાખનાર.
૫૭. પિતે નિર્ધન-દ્રવ્યહીન છતાં પિસાવડે બની શકે એવાં કાર્ય કરવાની અભિલાષા રાખનાર.
૫૮.જશ કીર્તિના લેભથી અજાણ્યા-અપરિચિત (કાર્ય અથવા મનુષાદિક)ને સાક્ષી–જામીન-ટ્રસ્ટી થવારૂપ જોખમ ખેડનાર.
Page #258
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૫ ] ૫૯. ગુપ્ત–ખાનગી રાખવા જેવી વાત જ્યાં ત્યાં પ્રગટ કરી દેનાર ( અને પાછળથી પસ્તાવો કરનાર ). *
૬૦. હિતશિક્ષા ( શિખામણ ) આપનાર ઉપર નકામે મત્સર ( રોષ ) કરનાર.
૬૧. પાત્રાપાત્રની પરીક્ષા વગર વિવેક રહિત સહુ ઉપર વિશ્વાસ રાખનાર.
૬૨. યથાર્થ લોકવ્યવહારને નહિં જાણનાર (અને નહિં પાળનાર ).
૬૩. ભિક્ષુક-પરોપજીવી છતાં ગરમાગરમ તાજી રસોઈ ખાવાની ઈચ્છા રાખનાર.
૬૪. ગુરુપદ ધાર્યા છતાં સ્વઉચિત કરણમાં શિથિલતામંદતા આદરનાર.
૬૫. કુકર્મ-નીચ-સિંઘ કાર્ય કરતાં છતાં લગારે લજજા ( શરમ ) નહિં રાખનાર, પ્રગટપણે લાજ-શરમ તજી નીચ કર્મ કરી બડાઈ મારનાર ( અને પશુ જેવું જીવન જીવનાર ).
૬૬. ઠાવકું મોઢું રાખીને બોલવાને બદલે ( ખડખડ ) હસતો હસતો બોલનારે.
આ મૂર્ણ શતકનો ભાવાર્થ સમજી જે ભવ્ય જને પારકાં છિદ્ર નહિં જતાં પોતાની ભૂલે શેધીને સુધારશે તે જરૂરી સુખી થશે.
| ( આ. પ્ર. પુ. ૧૮. પૃ. ૩૦૦ )
૧૫
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
શ્રી કપૂરવિજયજી પ્રશ્નોત્તર રત્નમાલિકા (“વેતામ્બર ગુરુશ્રી વિમલેન રચિતા.) ૧. પ્રો-આદરવા યોગ્ય શું?
ઉ૦-ગુરુની હિતશિખામણ (શિક્ષા). ૨. પ્ર-તજવા યોગ્ય શું ? ઉ–ન કરવાના કામ (અકાર્ય). ૩. પ્ર-ગુરુ કોણ? ઉતત્ત્વજ્ઞ તેમજ પરહિત કરવા ઊજમાળ. ૪. પ્રો-વિદ્વાનોએ શીધ્ર શું કરવું?
ઉ૦-ભવપરંપરાને ઉચ્છેદ (જન્મમરણનો અંત.) પ. પ્ર-મેક્ષને ઉપાય શો?
ઉ૦-સમ્યગ (યથાર્થ) જ્ઞાન અને સદ્વર્તન. ૬. પ્રા–પરભવ જતાં ભાતુ શું ?
ઉ–ભાવ સહિત દાન, શીલ અને તપ (ધર્મ ). ૭. પ્ર-આ લોકમાં પવિત્ર કોણ?
ઉ-જેનું મન પવિત્ર-નિર્મળ હોય તે. ૮. પ્ર-પંડિત કેણ? ઉ૦-વિવેકવાન ૯. પ્ર-વિષ ( હલાહલ ઝેર) કયું?
ઉ –ગુરુનું અપમાન (આશાતના). ૧૦. પ્ર–મનુષ્યપણાને સાર શું ?
ઉ૦–વપરહિત સાધવા સદા સાવધાનતા.
Page #260
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૨૭ ] ૧૧. પ્ર-મદિરાના પેઠે મૂચ્છિત કરનાર કોણ? ઉ–નેહ-રાગ. ૧૨. પ્રવ–આત્મધન લૂંટનારા ચોર કે ?
ઉ –શબ્દ, રૂપ, રસાદિ વિષયે. ૧૩. પ્રવ-ભવને વધારનાર કેણ? ઉ૦-તૃષ્ણ. ૧૪. પ્ર–અહિતકારી દુશ્મન કેણ ? ઉ૦–પ્રમાદ–આળસ જ. ૧૫. પ્ર–જગતના જી શાથી બીહે છે ( કંપે છે )
ઉ૦-મરણથી. ૧૬. પ્રા–જાતિઅંધથી આકરે કેણ? ઉ૦-રાગાધે. ૧૭. પ્ર.–ખરે શૂરવીર કોણ?
ઉ –સ્ત્રીના કટાક્ષ બાણથી જે અવ્યથિત (અપરાજિત) છે. ૧૮. પ્ર-કર્ણપુટવડે પીવા યોગ્ય અમૃત શું ? ઉ–સદુપદેશ. ૧૯. પ્ર-પ્રભુતાનું મૂળ શું?
ઉ૦–કેઈની પાસે પ્રાર્થના (દીનતા) ન કરવી તે. ૨૦. પ્ર-અતિ ગહન-ગૂઢ શું? ઉ–સ્ત્રીચરિત્ર. ૨૧. પ્રક-ચતુર કોણ?
ઉ–જે સ્ત્રીચરિત્રથી ન છેતરાય–ઠગાય-ખંડાય તે. ૨૨. પ્ર-દારિદ્ર કયું? ઉ૦-અસંતોષ. ૨૩. પ્ર-લઘુતા કઈ? ઉ૦–વાચના.
Page #261
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૮]
શ્રી કરવિજયજી ૨૪. પ્ર–ખરું જીવિત (જીવતર ) કયું?
ઉ–નિર્દોષ ( પાપ-કલંક-રહિત ). ૨૫. પ્ર-જડતા કઈ?
ઉ૦-છતી શકિત-બુદ્ધિએ આળસ કરવું (અભ્યાસ ન કરવો તે). ૨૬. પ્રહ-જાગતે કોણ?
ઉ૦-વિવેકી (જેને હિતાહિતનું યથાર્થ ભાન થયું હોય તે). ૨૭. પ્ર-નિદ્રા કઈ? ઉ–જીવની મૂઢતા (અજ્ઞાનદશા). ૨૮. પ્રહ-અતિ ચપલ શું?
ઉ૦-જોબન (જુવાની), લક્ષ્મી અને આયુષ્ય. ૨૯. પ્ર-ચંદ્રના કિરણ જેવા શીતળ કોણ?
ઉ૦-સજજન-સપુરુષ જ. ૩૦. પ્ર–ખરી નરક કઈ? ઉ૦-પરવશતા-પરતંત્રતા–પરાધીનતા. ૩૧. પ્ર.–ખરું સુખ કયું? ઉ–સર્વસંગત્યાગ–વેરાગ્ય. ૩૨. પ્ર-સત્ય કયું? ઉ૦-પ્રાણીને હિતરૂપ થાય તે. ૩૩. પ્ર-પ્રાણીમાત્રને પ્રિય શું? ઉ૦-નિજ પ્રાણ ૩૪. પ્ર.–ખરું દાન કર્યું ? ઉ૦-ફળની ઈચ્છા રહિત દેવાય તે. ૩૫. પ્ર૦-ખરો મિત્ર કો?
ઉ૦-પાપથી નિવર્તાવે અને ધર્મમાં જે તે. ૩૬. પ્રખરું આભૂષણ કયું? ઉ૦-શીલ-સદાચરણ.
Page #262
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ રર૯ ] ૩૭. પ્રક-વાણીનું ભૂષણ શું?
ઉ૦-પ્રિય અને પથ્થ(હિત)રૂપ સત્ય. ૩૮. પ્રવ-અર્થકારી શું?
ઉ૦–અસ્તવ્યસ્ત (અવ્યવસ્થિત) મન, ૩૯. પ્ર.–સુખ-શાંતિકારી શું? ઉ૦-સર્વહિત ચિન્તવનરૂપ મૈત્રી. ૪૦. પ્ર–સર્વ દુઃખનાશક શું ?
ઉ –સર્વવિરતિ ચારિત્ર (આત્મનિગ્રહ). ૪૧. પ્ર-અંધ કોણ? ઉ૦–અકાર્યમાં રક્ત રહે તે. ૪૨. પ્રક-બધિર (બહેરે) કોણ?
ઉ૦-હિતવચન ન સાંભળે તે. ૪૩. પ્ર-મૂંગે કોણ? ઉ૦–અવસરે પ્રિય બોલી ન જાણે તે. ૪૪. પ્ર-મરણ કયું ? ઉમૂર્ણપણું-મૂઢતા. ૪૫. પ્ર-અમૂલ્ય શું? ઉ૦-જે ખરી તકે દેવાય તે. ૪૬. પ્ર-મરણ પર્યન્ત સાલે શું ?
ઉ૦-છાનું કરેલું કાર્ય (પાપ). ૪૭. પ્ર-કયાં ઉદ્યમ કરવો?
ઉ૦-વિદ્યાભ્યાસ, સઓષધ અને દાનમાર્ગમાં. ૪૮. પ્ર–ઉપેક્ષા કયાં કરવી ?
ઉ૦-દુર્જન, પરસ્ત્રી અને પરધન વિષે.
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
શ્રી કર્ખરવિજયજી ૪૯ પ્ર–સદા શું ચિન્તવવું? | ઉ-સંસારની અસારતા. ૫૦. પ્ર-વહાલી કેને કરવી? ઉ૦-કરુણા, દાક્ષિણ્યતા અને મૈત્રો. ૫૧. પ્રહ-કંઠે પ્રાણ આવે તે પણ કોને વશ ન થવું?
ઉ૦-મૂર્ખ, ખેદ, ગર્વ અને કૃતનને. ૫૨. પ્ર૦-પૂજ્ય કોણ?
ઉ–સદાચરણવંત-સુચારિત્રી ( અખંડ ચારિત્રવત ). ૫૩. પ્ર–કમનસીબ કોણ? | ઉ-કુશીલ-દુઃશીલ અથવા ચારિત્ર-આચારભ્રષ્ટ. ૫૪. પ્ર-જગતને કોણ જીતી શકે ?
ઉ૦–સત્ય અને ક્ષમાવંત પુરુષ. ૫૫. પ્રવ-દે પણ કોને ભાવપૂર્વક અત્યન્ત નમે છે?
ઉ૦-દયાપ્રધાન અત્યંત દયાળુ પ્રાણીને. પ૬. પ્ર-સુજ્ઞજનેએ શાથી વિરક્ત રહેવું ?
ઉ૦-સંસાર અટવી થકી. ૫૭. પ્ર-પ્રાણુઓ કોને વશ થઈ રહે?
ઉ–સત્ય અને પ્રિયભાષી વિનીત જનને. ૫૮. પ્ર-પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ માટે કયાં સ્થિતિ કરવી?
ઉ૦-ન્યાયના માર્ગમાં.
Page #264
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૧ ] ૫૯. પ્ર-વિજળી જેવાં ચપળ કેણું ?'
ઉ૦-દુર્જનની સંગતિ-ગોષ્ટી અને સ્ત્રી જાતિ. ૬૦. પ્ર–કલિકાળમાં પણ મેરુપર્વત જેવા નિશ્ચળ કેણ ?
ઉ૦-પુરુષ-સજ્જને. ૬૧. પ્ર-છતે પૈસે શોચવા ગ્ય શું ? - ઉ૦–કૃપણુતા-કંજુસાઈ–બબીલાઈ. ૬૨. પ્ર—ઘણું ઓછું ધન છતાં પ્રશંસવા યોગ્ય શું ?
ઉ –ઉદારતા. ૬૩. પ્ર-પ્રભુતા–અધિકાર છતાં પ્રશંસવા યોગ્ય શું ?
ઉ૦–સહનશીલતા-ક્ષમા-નમ્રતા. ૬૪. પ્ર–ચિંતામણિ રત્ન જેવી દુર્લભ કઈ ચાર વસ્તુ જ્ઞાની
પુરુષ વિશેષ વખાણે છે ? ઉ૦-(૧) પ્રિય-મિષ્ટ વચન સહિત દાન, (૨) ગર્વ–મદ
રહિત જ્ઞાન, (૩) ક્ષમા સહિત શાર્ય અને (૪) ત્યાગ વૃત્તિ-ઉદારતા સહિત લમી. એ ચાર શુભ વસ્તુને
સંગ પ્રાપ્ત થ દુર્લભ છે. ઉપરોકત નિર્દોષ પ્રશ્નોત્તરમાળાને જે ભવ્યાત્માઓ કંઠગત કરશે તેઓ અન્ય આભરણે વગર પણ વિદ્વાનોની સભામાં ભા પામશે. નિર્મળ રત્નમાળની જેવી આ પ્રશ્નોત્તરમાળા વિમલ નામના વેતામ્બર ગુરુશ્રીએ વિરચી છે તે કંઠગત કરી છતી
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી
કોને વિભૂષિત ન કરે ? એટલે કઢંગત કરનાર–હૃદયે ધારનાર સહુકાઇ ભવ્યાત્માઓને તે વિભૂષિત કરે જ. ઘણી સુગમતાથી ગંભીર પ્રશ્નોના ઉત્તર આ લઘુ ગ્રંથમાં આપેલ છે તેના ઉપર સારી રીતે મનન કરી હુંસવત્ સારગ્રાહી બની સહુ કાઇ સ્વશ્રેય સાધેા.
[ આ, પ્ર. પુ. ૧૫, પૃ. ૫૫ ]
જૈન કામની પડતી માટે જવાબદાર કાણુ ? તેની ચડતી કેમ થઇ શકે ?
અહારથી લેક જૈન કામને પૈસેટકે સુખી સમજે છે, પણ તેમની એ સમજ ઉપરઉપરના દેખાવ ઉપરથી બ ંધાયેલી હાય છે. શહેરામાં આગેવાન જૈના મેાજશાખ માણુતા દેખાય, ભાગવિલાસ વિલસતા જણાય અને ઇચ્છા મુજબ એ પૈસા અનુ ક પાબુદ્ધિથી કે ધર્મ બુદ્ધિથી કે દેખાદેખીથી વાપરતા દેખાય તેથી બીજા લેાકેા આખી જૈન કામ પણુ સુખી જ હશે એવુ અનુમાન કરી લે એ બનવાજોગ છે.
અત્યારે જૈન કામના આગેવાને, સાધુએ કે શ્રાવકેાની એપરવાઇથી, બેદરકારીથી કે પ્રમાદથી જૈન કામના માટે ભાગ ગરીમ સ્થિતિમાં આવી ગયા જણાય છે. નિર્ધન અવસ્થાને કારણે આજીવિકાની ચિન્તાને લઇ કેટલાક ભાગ ધર્મ કર્મ પણ વિસરી જતા જોવાય છે. કેટલાંક ખાનદાન કુટુએ લાચારભરી સ્થિતિમાં આવી જવાથી તેમને ઉત્તરપૂતિ પણ ભાગ્યે જ થવા પામે છે. તેમ છતાં શ્રીમત ગણાતા લેાકેા જે ભાગવિલાસ કરવા ટેવાયેલા છે. તેમાં જ મશગૂલ રહી તેમની ભાગ્યે જ દર
Page #266
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૩ ] કાર કરતા દેખાય છે એ શું શરમની વાત નથી ? વધારે શરમની વાત તો એ છે કે તે બાપડા પ્રમાદી શ્રીમંતો પોતે શાથી પૈસો પામ્યા? તેને તથા ભવિષ્યમાં–ભવાન્તરમાં પોતે શી રીતે સુખ સાધન પામી શકશે? તેને ખ્યાલ સરખે પણ ભાગ્યે જ કરે છે. શત્રુંજય માહાયમાં શ્રી ધનેશ્વરસૂરીશ્વર સ્પષ્ટ જણાવે છે કે “ ધર્મના પ્રભાવે લમીલીલા પ્રમુખ પામીને જે કોઈ શખ્સ એ જ ઉપગારી ધર્મને અનાદર કરે છે, તે સ્વસ્વામી દ્રોહ કરનાર પાતકીનું શ્રેય ભવિષ્યમાં શી રીતે થવા પામશે ? ” સૂરીશ્વરનાં આ વચન બહુ મર્મભરેલાં અને મનન કરવા લાયક હોવાથી પ્રમાદશીલ જનોએ આંખ ઉઘાડી વિચારવા અને લક્ષમાં લેવા ગ્ય છે. પૂર્વ જન્મમાં સારાં સુકૃત કરી આ જન્મમાં તેનાં ફળરૂપે લક્ષ્મી પ્રમુખ અદ્ધિ પ્રાપ્ત કરેલી છે પણ જે પ્રાપ્ત થયેલી રૂડી સામગ્રીવડે આ ભવમાં જે કંઈ પણ સુકૃત કમાણી કરી લેશે નહિ તો ભવિષ્યમાં તેને બહુ પસ્તાવું પડશે, લાચારી ભોગવવી પડશે અને આગળ ઉપર દુઃખે દહાડા કાઢવા પડશે; કેમકે “કરણ એવી પાર ઉતરણું” અને “વાવવું એવું લણવું” એ સ્પષ્ટ વાત છે, એકડેએક જેવી છે અને પોતે જ ઠાવકી રીતે એમ બોલે પણ છે; છતાં પરોપકારનાં કામમાં બહુ પશ્ચાત પડી જાય છે અને બહુધા ઉપેક્ષા પણ કરે છે. ઘણે ભાગે આવી દુઃસ્થિતિ જોવાય છે. કદાચ કઈ શ્રીમંત જેન બે પિસા ખર્ચવા ઈચ્છે તો તે કૃપણતાને લઈને કરે છેઠું અને લોકમાં દેખાડે ઘણું. અથવા જે વધારે દ્રવ્ય ખર્ચે તો તેવા કેઈ ઉદારદિલના સજન-સાધુ પુરુષોની સલાહ કે ઉપદેશની ઓછી દરકાર રાખીને મનમાનતી રીતે ખચી નાંખે છે. કાં તે જમણવાર કરે છે અને કાં તો જેથી
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
શ્રી કર્ખરવિજયજી મહેટાઈ મળે એવી બાબતમાં ખર્ચ કરે છે. આગેવાન શ્રીમંતની આવી વર્તણૂકથી કે મને બહુ સહન કરવું પડે છે. અભણે શ્રીમંતેને કેળવણીની કદર હોતી નથી અને હોય તે પ્રમાણ માં બહુ જ અ૫. તેથી જેન કોમની ઉન્નતિ જે કાર્યવડે થવી સંભવિત છે તેવા કેળવણું જેવા કાર્યમાં તેવા શ્રીમતિ ભાગ્યે જ કંઈ ખર્ચ કરી શકે છે, જેનેની કેટલીક જ્ઞાતિઓમાં કેટલાંક ફંડ પણ હોય છે પણ વિવેકની ખામીથી તેને સંતોષ ઉપજાવે એવી રીતે વ્યય થતું નથી. પછી દિવસે દિવસે દ્રવ્યને નાશ થાય છે યા તે એક અથવા બીજી રીતે ખવાઈ જાય છે. નિર્ણાયક ટોળાની જેમ આવા આગેવાનોને કંઈ સમર્થ પૂછનાર, સમજાવનાર કે ઠેકાણે પાડનાર પણ ભાગ્યે જ મળે છે. આ રીતે જેનકોમના બહોળા દ્રવ્યનો તે નાહક-નકામે.નાશ થયા કરે છે. દ્રવ્યને ફગટ વિનાશ થતો અટકાવી તેને સમચિત અતિ અગત્યના [ વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક કેળવણવાળ] માર્ગે જ ખર્ચવા જેન કેમમાં પૂજાતા મનાતા આગેવાન સાધુએ જે એકમતથી આગેવાન શ્રીમતાને ઉપદેશ આપે તે ખર્ચની દિશામાં સુધારે થે સંભવિત છે ખરે, પણ
વ દિન કબકે મીયાં કે પાઉમેં જુતીયા?” સાધુઓના એવા વિચાર થાય એવું આપણું સૌભાગ્ય કયાંથી કે જેથી તેઓ સમયને ઓળખી આડેઅવળે રસ્તે ખર્ચાતી જેનેની લક્ષ્મીને વિવેકસર કલ્યાણકારી માર્ગે ખર્ચવા એકસપથી ઉપદેશ આપે ? જે તેઓ એ પ્રમાણે વર્તે તે તેમનું માન ઘટવાને બદલે ઊલટું વધવાનું. સાથોસાથ જૈન સમાજને ઉદ્ધાર થાય, ધર્મની પ્રભાવના થાય અને સહુનું શ્રેય જ થાય.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૨૩ ]
Page #268
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
( [ ૨૩૫ ] આત્મકલ્યાણ સાધવાની સંક્ષિપ્ત શિખામણ.
૧. હે મુગ્ધ જીવ ! રાઈ અને સરસવ જેવડાં પરાયાં છિદ્રને તું જુએ છે અને બીલાં જેવડાં મોટાં પિતાના છિદ્ર(દોષ)ને દેખતો છતો પણ દેખતો નથી, અર્થાત પિતાનામાં રહેલા અનેક અવગુણોને નહિ સુધારતાં પારકાં જ છિદ્ર તાકતે (શોધતો) ફરે છે, એ તારી મૂર્ખાઈને તું કેમ જોત-જાણતા કે લક્ષ્યમાં લેતો નથી ? મૂઢ ! ચેત ! ચેત ! તું મોટો દેખાઈને કેમ બેટે કરે છે અને શાહુકાર કહેવાતા છતાં દેવાળું કેમ કાઢે છે ?
૨. હે ભવ્યાત્મન ! મનુષ્યપણું, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, પાંચે ઇંદ્રિયે પરિપૂર્ણ, નિરોગી શરીર, દીર્ઘ આયુષ્ય, પરહિતપરાયણ બુદ્ધિ, ધર્મશાસ્ત્રનું શ્રવણ તથા અવધારણ, તસ્વાર્થ શ્રદ્ધા અને તપસંયમમાં પ્રયત્ન આટલાં બાર વાનાં આ મનુષ્યલોકમાં પ્રાપ્ત થવાં અત્યંત દુર્લભ છે.
૩. (૧) ચુલગ-પરિપાટી ભજન (૨) પાસગ–પાસા (૩) ધાન્ય (૪) યૂપસ્તંભ (૫) રત્ન (૬) સ્વપ્ન (૭) ચક રાધાવેધ (૮) ચમ–કચ્છપ ગ્રીવા (૯) યુગધૂસરું ( ૧૦ ) અને પરમાણુ–એ શાસ્ત્રોક્ત દશ દષ્ટાંતે મનુષ્યભવ પામ મહાદુર્લભ છે. કદાચ દેવપ્રભાવથી ઉપરોક્ત દશ વાત બને પણ મનુષ્યભવની ફરીને પ્રાપ્તિ થવી તો ખરેખર દુર્લભ જ છે.
૪. તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આલસ્ય, મેહ, અવજ્ઞા, અહંકાર, ક્રોધ, પ્રમાદ-નિદ્રાદિ, કૃપણુતા, ભય, શેક, અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ-ઇંદ્રજાલ પ્રમુખ અવલોકન અને ખેલ
Page #269
--------------------------------------------------------------------------
________________
[ ર૩૬ ]
શ્રી કર્ખરવિજયજી તમાસા રમતગમતના કારણે અતિદુર્લભ મનુષ્યભવ પામીને પણ જીવ સંસારને પાર પમાડનારી એવી હિતકારી શાસ્ત્રવાણીને સાંભળતું નથી–સાંભળવાને ઉદ્યમ પણ કરતો નથી.
૫. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ દુષ્ટ પ્રમાદને વશ પડેલા પ્રાણીઓ સંસારમાં રઝળે છે, જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ શકતા નથી. ઉક્ત પાંચ પ્રમાદનું સ્વરૂપ સારી રીતે સમજી સુજ્ઞજનોએ તેને અવશ્ય ત્યાગ કરે ઉચિત છે તેથી તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે દર્શાવવામાં આવે છે જે અત્યંત ઉપયોગી થઈ પડશે.
(૧) જેનાથી પરવશ થઈ જઈ (બેભાન બની) કાર્યાકાર્ય, વાયાવાય તેમ જ ગમ્યાગમને કશે વિવેક રહી શકતો નથી તેવું મદ્યપાન (Intoxication) કદાપિ કરવું નહિ. મદ્યપાનના પરિણામે દ્વારિકા નગરી અને યાદોને નાશ થયે હતે તે હકીકત સુપ્રસિદ્ધ છે.
(૨) ભગવતી વખતે મીઠા લાગતા પણ પરિણામે ઝેર જેવા વિષયે વિવેક રહિત જનોને જ પ્રિય લાગે છે, વિવેકી જ તે તેનાથી દૂર રહેવા જ પ્રયત્ન કરે છે. . (૩) જેના વડે કલુષિત થયેલા આત્માને કર્મ ચાટે અને લાંબે વખત ટકે એવા ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયોને ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષવડે સુજ્ઞજનેએ ખાળવા-ટાળવા જરૂર પ્રયત્ન કરવો જોઈએ. સંસારને વધારનાર એ ચાર કષાય જ છે. - () તે કષાયને વશ થવાથી જીવ આ લેકમાં તેમ જ
Page #270
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૭] પરલેકમાં ખરાબ અવસ્થા પામે છે, કેમ કે નિદ્રાવશ થયેલ પ્રાણ અગ્નિ પ્રમુખ ઉપદ્રવથી વિનાશ પામી જાય છે. વળી તેને વશ થયેલ પ્રાણી ધર્મકાર્યોમાં ચિત્તને જોડી શકતો નથી, તેથી જ
ધમી પુરુષો જગતા ભલા અને અધમ માણસો ઊંઘતા ભલા” કહ્યા છે; કેમ કે ધમી માણસ તેથી ધર્મ કરી શકે અને અધમી હોય તે પાપથી બચી શકે.
(૫) જેથી કશું સ્વપરહિત થતું નથી એવી નકામી અને વિરુદ્ધ વાતો કરવાથી પાપ જ બંધાય છે, તેથી જ્યાં સુધી મન પરાઈ વાતો કરવાની ટેવ ન તજે ત્યાં સુધી તેને વિશુદ્ધ ધ્યાનમાં જ પરોવી દેવું શ્રેષ્ઠ છે. શૂરવીર, પરાક્રમી, પુરુષાર્થવત (જિતેંદ્રિય) જનેનું જ શીધ્ર કલ્યાણ થઈ શકે છે.
| [આ. પ્ર. પુ. ૧૪, પૃ. ૭૧ ]
શ્રી વીતરાગપ્રણીત પવિત્ર ધર્મમાર્ગ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની નિષ્પક્ષપણે બને તેટલી ખંત અને ધીરજથી (શ્રત, શીલ, દયા અને તપવડે) પરીક્ષા કરી તેને દઢતાથી સ્વીકાર કરવો કે જેથી તેનાથી કદાપિ ઠગાવાનો પ્રસંગ આવે નહિ, પરમતની વાંછા થાય નહિ તેમ જ ફળ માટે પણ અધીરજ-આતુરતા થવા પામે નહિ (વ્યવહાર સમકિત).
સત્તા-શક્તિરૂપે આત્મા જ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મરૂપ છે. અનંત જ્ઞાનાદિક ગુણસંપદાનો સ્વામી છે. રાગ-દ્વેષાદિક વિભાવ ઉપગે જ તે અન્યથા (વિપરીત ) જણાય છે. તે રાગાદિક વિભાવને ત્યાગ કરી નિષ્કષાયતારૂપ નિજ સ્વભાવ
Page #271
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી પરિણતિને આદરવાથી એ જ આત્મા શુદ્ધ ફટિક જે નિર્મળ (વ્યક્તપણે) થઈ રહે છે, તેથી નિજ આત્મતત્ત્વનું યથાર્થ ભાન કરી તેમાં દઢ પ્રતીતિ–વિશ્વાસ રાખી સમતા-સ્થિરતારૂપ નિજ સ્વભાવમાં રમવું એ જ સ્વકર્તવ્ય છે (નિશ્ચય સમકિત).
નાના મોટા સહુ જીવોને આત્મ સમાન લેખી સરલ વ્યવહારી થવું. સહુનું હિત ચિંતવનરૂપ મૈત્રીભાવ, દુઃખી જનનું દુઃખ દૂર કરવારૂપ કરુણભાવ, સુખીને-સદ્ગણીને દેખી પ્રમુદિત થવારૂપ પ્રમેદભાવ અને અતિ કઠોર પરિણામી છવ પ્રત્યે ઉપેક્ષા (ઉદાસીનતા) ભાવ રાખી જિનેશ્વર દેવે કહેલા દયાના સિદ્ધાંતને યથાશક્તિ સફળ કરે. ઉપરોક્ત સફળ ભાવને જ આગળ કરીને સત્ય, અસ્તેય (અચર્ય, બ્રહ્મચર્ય અને અસંગતાદિક વ્રતનું પરિપાલન કરવા દઢ લક્ષ્ય રાખવું.
પ્રિય અને પથ્ય એવું તથ્ય (સત્ય) પણ જરૂરી પ્રસંગે બોલવું, સત્ય પ્રતિજ્ઞાવંત બનવું, ડહાપણભરી પ્રતિજ્ઞા જ કરવી અને તેને પૂરા તેરથી નિર્વાહ કરે, કાયર બની કરેલી પ્રતિજ્ઞાનો ભંગ ન જ કરે, તુચ્છ સ્વાર્થની ખાતર સત્યનો ભંગ કરે નહિ પણ ગમે તે ભેગે સત્યનું જ પાલન કરવું.
ક્રોધ, લોભ, ભય કે હાસ્યવશ થઈ અસત્ય બોલવું નહિ, ભવભીરુ બની સત્યપરાયણ જ રહેવું. ન્યાય, નીતિ અને પ્રમાણિકપણાનું ધોરણ મકકમપણે આદરી કોઈ પણ પ્રકારે પરવંચના કરવી નહિ. પૈસો અગિયારમે પ્રાણ લેખાય છે તે અપહરવાથી સકળ પ્રાણુ અપહરવા જેવું જણાય છે. માલીકની રજા વગર કઈ પણ ચીજ સ્વેચ્છાએ ભેગવટા માટે લેવી તે પ્રગટ અન્યાય છે. માલીકની રજાથી જરૂરી વસ્તુ લઈ શકાય
Page #272
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૩૯ ]
છે. રાગાદિક પરંપરિણતિ તજી સ્વભાવમાં રમણતાવાળા બનવુ તે નિશ્ચય બ્રહ્મચર્ય, અને તે રાગાદિકના કારણરૂપ વિષયસંગ માત્ર વ દેવા તે વ્યવહારથી બ્રહ્મચર્ય કહેવાય છે. વિવેકી ગૃહસ્થા પણ પરસ્ત્રીને માતૃતુલ્ય લેખે છે તે પછી સંત મહાત્મા એવા સુસાધુજનાનુ તે કહેવુ' જ શુ? તેઓ તે વિષયવાસનાને ઉન્મૂલન કરવાના જ યત્ન કરે છે.
બ્રહ્મચર્ય ના પ્રભાવ અચિંત્ય છે. વિષયાભિલાષને જીતી લેનાર દુ:ખમાત્રને દૂ કરી શકે છે અને તે સ્વર્ગ તથા અપવર્ગ –મેાક્ષને પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય થી પ્રત્યક્ષ અને પરાક્ષ અનેક લાભ સંભવે છે. વિજયશેઠ, વિજયાશેઠાણી, સુદર્શન શેઠ, સીતા, સુભદ્રા, જંબુસ્વામી અને સ્થૂલભદ્રાદિક તેના ઉત્તમ દૃષ્ટાંતરૂપ છે.
પરિગ્રહ અનર્થનું મૂળ છે. પરિગ્રહવશ મમતાવડે જીવ ભારે દુ:ખ વેઠે છે. લિગધારી જને પણ માયામાં લપેટાઈ પેાતાની પાયમાલી કરી નાંખે છે, તેથી તેમણે કંચન અને કામિનીથી સદંતર અળગા જ રહેવુ જોઇએ. ગૃહસ્થ જનેાએ પણ સંતાષવૃત્તિ આદરી ઇચ્છાનું પ્રમાણ કરવું ઘટે છે. ધન– ધાન્યાક્રિક નવવિધ બાહ્ય પરિગ્રહ સાથે મિથ્યાત્વકષાયાદિ ચૌદ પ્રકારના અભ્યંતર પરિગ્રહ તજનાર મહાશય જ ખરેખર સ્થિર–અક્ષય એવા મેાક્ષસુખના અધિકારી થઇ શકે છે. ઇચ્છાપ્રમાણવાળે સતાષી શ્રાવક ન્યાયદ્રવ્યવડે પવિત્ર શાસનની પ્રભાવના કરી શકે છે તથા મૂળવત સાથે ઉત્તરવ્રત(ગુણુવ્રત અને શિક્ષાવ્રત )ને પણ સુખપૂર્વક સેવી-આરાધી સ્વજન્મની સાર્થકતા કરી શકે છે.
[ આ. પ્ર. પુ. ૧૫, પૃ. ૧૬૮ ]
Page #273
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૦ ]
શ્રી કપૂરવિજયજી
હવે પણ કઇ ચેતી શકાય કે નહિ ?
સાચુ' જીવિતવ્ય ઈચ્છનારાઓએ તે અવશ્ય ચેતવુ જ જોઇએ.
શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી વ્યાજબી જ કહે છે કે જો તમારે તમારું' ચૈતન્ય ટકાવવુ જ હાય, સુખી અને સમૃદ્ધિવંત અનવુ જ હાય તા સર્વાંગ સદશી પરમાત્મા પરમતત્ત્વનું આરાધન કરે.. એકાંત હિતકારી પ્રભુની આજ્ઞાઓને અભ્યાસ કરા અને સ્વશક્તિનુ ગોપન કર્યા વગર તે પવિત્ર આજ્ઞાઓનુ પાલન કરે. જેમ સવેદ્યની આજ્ઞા મુજબ ચાલવાથી વ્યાધિના વહેલા અંત આવે છે તેમ સનદેવના વચનને અનુસરીને ચાલવાથી જરૂર સર્વ દુ:ખને, અરે! જન્મમરણના સર્વથા અત આવે છે.
પરન્તુ તેમ કરવા પહેલાં અનાદિપ્રિય એવી સ્વચ્છંદતા તજવી પડે છે. સ્વછંદપણે કુપથ્ય સેવનાર કદાપિ વ્યાધિને અંત કરી શકે ખરા ? નહિ જ, તેવી રીતે મદ { Intoxication ), વિષયાસક્તિ (Sensual Appetite ), કષાય ( Anger, pride etc. ), આલસ્ય ( Idleness ) અને વકથા (Gossips ) વગેરે સ્વચ્છંદ પ્રવૃત્તિનું સતત સેવન કર્યો કરવાથી જન્મ મરણાદિક અન’ત દુ:ખના કદાપિ અંત આવી શકે જ નહિ.
અજ્ઞાન, મિથ્યાત્વ અને મેહ-મમતાવશ મૂઢ પ્રાણીઓ પેાતાની વિપરીત પ્રવૃત્તિને સાચી અને સુખદાયક લેખી અધિકાધિક દુ:ખના વમળમાં પડ્યા કરે છે. આ ભયંકર વિપરીતતાનુ' તેમને ગમે તે રીતે યથાર્થ ભાન થવું જોઇએ, અને તેમાંથી પેાતાના ઉદ્ધાર કરવા જ્ઞાની મહાશયેાનાં એકાંત હિતકારી વચનાનું આલેખન લઇ, અનાદિની સ્વચ્છંદતાને
Page #274
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૧ ] તિલાંજલિ આપી પોતાની શક્તિનું લેશમાત્ર ગોપન ક્યો વગર સદાચારપરાયણ રહેવું જોઈયે.
સ્વાર્થોધતાથી વગરવિચાર્યું અનેક પ્રકારની પ્રતિકૂળતા અન્યના માર્ગમાં ઊભી કરતાં વિરમવું જોઈએ, કેમકે તે જ પ્રતિકૂળતા સ્વપરની ઉન્નતિના માર્ગમાં અવરોધ-અંતરાયકારક થઈ પડે છે, અને ક્ષણિક સુખ મેળવવાની ધુનમાં અપાર દુઃખના ડુંગર ઊભા કરવામાં આવે છે.
રાવણ કે દુર્યોધનાદિકના દાખલા તપાસશે તો ઉપરના કથનની સત્યતા સચોટ સમજાશે અને તમે તેવાં અપકૃત્ય કરતાં અટકશે, એટલું જ નહિ પણ રાજસી અને તામસી વૃત્તિઓને ટાળી, સાત્વિક વૃત્તિ આદરી ભૂતકાલીન તેમ જ વર્તમાનકાલીન અનેક ઉત્તમ આદર્શ પુરુષોની જેમ તમે પણ એક ઉત્તમ આદર્શજીવન ગાળવા તત્પર થશો, અને અન્ય અનેક ભવ્યાત્માઓને પણ સ્વજીવન સુધારણામાં ઉમદા દષ્ટાંતરૂપ થવાને ભાગ્યશાળી થઈ શકશે. સ્વજીવનની સાર્થકતા કરવા ઈચ્છનારને વધારે શું કહેવું ?
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૩૬ ]
જેવું વાવશે તેવું લણશે–જેવું કરશે
તેવું જ પામશો. દરેક જીવ સુખ અને જીવિત ચાહે છે, કોઈ દુઃખને કે મરણને ચાહતા નથી, તેમ છતાં કર્મના અચળ કાયદા મુજબ તો જે
Page #275
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]
શ્રી કપૂરવિજયજી
જેવું આચરણ ( સારું કે માઠું) કરે છે તેવું જ ફળ પામે છે. આજે જ કરેલી કરણીનું આજે જ પૂર્ણ ફળ મળી જતુ નથી, પર ંતુ તે કાળ પરિપાક થતાં મળી શકે છે.
ઉગ્ર પુણ્યપાપનું જે તાત્કાલિક ફળ દેખાય છે તે તા તેના નમૂનારૂપ અક્ષાંશ માત્ર સમજવુ, તેનું સંપૂર્ણ ફળ વેદવાના સમય તા હજી હવે જ આવવાના છે. એક માણસે બહુ અનીતિ આદરી, વિશ્વાસભંગ કરી, ઠગવિદ્યા કરી કેટલુંક દ્રવ્ય પ્રાપ્ત કર્યું પણ તે પાપ પ્રગટ થતાં તેને બહુ સખ્સ શિક્ષા થાય છે ત્યારે લાકો પણ તેને તિરસ્કાર કરવાપૂર્વક ખેલે છે કે તેને તેના ઉગ્ર પાપનું પ્રત્યક્ષ ફળ મળ્યું.
જો કે એ વાત ખરી છે તે પણ એ શિક્ષા ઉપરાંત હજી તેને ભવિષ્યમાં ( ભવાંતરમાં) તેના બહુ માઠાં ફળ ભાગવવાનાં બાકી રહેલાં છે. એ જ રીતે અતિ ઉદારતાથી નિ:સ્વાર્થ પણે જે સુકૃત્યા કરે છે. તેને તાત્કાલિક લેાકસત્કારાદિ ફળ મળે છે, પરંતુ તેની કરણીનું મુખ્ય-પારમાર્થિક ફળ તા ભવિષ્યમાં ખીજું ઘણું ઉમદા પ્રકારનું મળી શકે એમ છે. આ વાતની ખાત્રી કરવા અનેક પુરાવા મળી શકે છે. એક જ બાપના અથવા એક જ સાથે, એક જ ગામમાં કે એક જ કુળમાં ઉત્પન્ન થયેલા બે અથવા વધારે જીવા એક સરખાં અગાપાંગને પામ્યા છતાં સુખ-સમૃદ્ધિમાં એક બીજા કરતાં ઓછા કે અધિક પ્રમાણમાં પ્રગટ દેખાય છે. એક જન્મથી જ દુ:ખી– રાગી બીજો સર્વાંગ સુખી-નિરંગી, એક જ્ઞાની ખીજો અજ્ઞાની, એક રાજા–અધિકારી ત્યારે બીજો રક-નાકર વગેરે પ્રગટ વિષમતા દેખાય છે, તે સઘળું પૂર્વકૃત શુભાશુભ કરણીનું જ ફળ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૩ ] એટલું જ નહિ પણ એથી પુનર્ભવની પણ સિદ્ધિ થઈ શકે છે. એક તરતનું જન્મેલું બાળક જન્મતાં જ અહીં કોઈના પણ શિખવ્યા વગર જ સ્તનપાન કરવા મંડે છે, તે શું તેના પૂર્વભવના સંસ્કાર વગર જ બને છે ? જીવ જેવી જેવી કરણ જેવી જેવી ભાવનાથી કરે છે તેને તેનું શુભાશુભ ફળ તરત નહિ તે કાળ પરિપક્વ થતાં મળે જ છે. પ્રથમ પડેલા શુભાશુભ સંસ્કારો નિમિત્ત પામીને ઉભૂત થઈ જીવને સુખદુ:ખરૂપે પરિણમે છે તેથી શાણા ભાઈબહેનોએ શુભ અભ્યાસ કરવા સદા ય લક્ષ્ય આપવા ચૂકવું નહિ.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૩૭ ] સદ્દભાવનાનો અલોકિક ચમત્કાર અને તે આપણું
નસેનસમાં પ્રગટાવવાની અનિવાર્ય જરૂર.
સમાજનું કે પવિત્ર શાસનનું ખરું હિત હૈયે ઘરનાર દરેક વ્યક્તિને સદભાવના એ પોતાને મુદ્રાલેખ હોવો જોઈએ, અને તેને પોતાની નસેનસમાં લખી લેવું જોઈએ. | મુગ્ધ જીવો અજ્ઞાનવશ માયિક સુખમાં મુંઝાઈ રહે છેજેમ શ્વાન શુષ્ક હાડકાને ખાવામાં મઝા માને છે–સુખ સમજે છે, પણ તેમાં પરિણામે દુઃખ જ મેળવે છે. સહુ કોઈ સુખને જ ચાહે છે પરંતુ તે સુખ ક્ષણવિનાશી નહિ પણ અવિનાશી હોવું જોઈએ, અસાર નહિ પણ સારભૂત હોવું જોઈએ. તેવું ખરું સારભૂત અવિનાશી સુખ તો આત્મામાંથી જ મળી શકે છે. મુગ્ધ–અજ્ઞાની જીવ તે મેળવી શકતો નથી, જ્ઞાની-વિવેકી આમા જ તે મેળવવા ભાગ્યશાળી બને છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ ]
શ્રી કપૂરવિજય
યથાર્થ જ્ઞાન–સમજ, યથાર્થ શ્રદ્ધા-પ્રતીતિ અને યથા વનવડે જ તેવું વાસ્તવિક સુખ મેળવી શકાય છે. પ્રત્યેક આત્મામાં અનંત ગુણરાશિ ( ખરી ઝવેરાત ) છુપી રહેલી છે, તેની બરાબર માહીતિ, તેવા દઢ વિશ્વાસ અને આત્મામાં જ છપી રહેલી અનંત ગુણરાશિને પ્રગટ કરી લેવા સર્વજ્ઞ વચનાનુસારે દઢ પ્રયત્ન એ જ સત્ય સુખપ્રાપ્તિના અમેઘ ઉપાય છે.
અજ્ઞાન અને મેહવશ જીવ ખરે। માર્ગ ભૂલી, ખાટા માર્ગ પકડી લઇ સ્વચ્છ ંદ પણે ચાલવામાં જ ચતુરાઇ સમજે છે; તેથી જ તે સુખને બદલે દુ:ખમાં જ ગબડતા જાય છે. ખરેખરી દિલગીરી ઉપજાવે એવી આ દુ:ખદાયી સ્થિતિમાંથી પ્રત્યેક જીવના ઉદ્ધાર કઈ રીતે થાય એવુ હિત ચિંતવન કરવારૂપ મૈત્રીભાવ, તેના દુ:ખના અંત આણવા તનથી, મનથી, વચનથી કે ધનથી દરેક શકય એવા દઢ પ્રયત્ન કરવારૂપ કરુણાભાવ, કેાઇ પણ સુખી કે સદ્ગુણીને દેખી કે સાંભળી દિલમાં પ્રમેદ ધરવારૂપ મુદિતાભાવ અને ગમે તેવા નીચ-નિધ કર્મ કરનારને પણ કેવળ કરુણાદષ્ટિથી સમજાવી ઠેકાણે પાડવાનુ ખની ન જ શકે ત્યારે પણ તેને કવશ લેખી, રાગ-દ્વેષ રહિતપણે તટસ્થ રહી સ્વકર્ત્તવ્યપરાયણ થઇ રહેવારૂપ માધ્યસ્થ્યભાવ સ્વપરને અત્યંત હિતકારી છે.
સંસાર–પરિભ્રમણુના ઉપાદાનકારણરૂપ રાગ, દ્વેષ અને માહાર્દિકનું સર્વથા ઉન્મૂલન કરવા અને અક્ષય-અજરાઅમર મેાક્ષસુખ મેળવવા ઇચ્છનાર દરેક વ્યક્તિએ ઉક્ત સદ્ભાવના સ્વહૃદયમાં સદા ઉદિત જ રાખવી જોઇએ. એથી જ આપણે અકયતા ઉપજાવી સ્વપરહિત સરલતાથી સાધી શકશુ અને અંતે પરમ શાંતિ પણ મેળવી શકશું.
Page #278
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૫ ] મલિન–વિરોધી વિચાર, વાણી અને વર્તનવડે જે કુસં૫ અને અશાંતિ ઉપજાવી સ્વપરના અહિતમાં જ વધારો કરવામાં આવે છે અને તેથી બચવા જેમ બને તેમ ઉજજવળ–અવિરોધી વિચાર, ઉચ્ચાર અને વર્તન આદરવાની આપણે સહુને અનિવાર્ય જરૂર છે, એવી સ્પષ્ટ સમજ અને પ્રતીતિ રાખી સ્વપર શ્રેયસાધક પ્રયત્ન કરવા સહુ કઈ બંધુઓ અને બહેનોએ સાવધાનતા રાખવી ઉચિત છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૫૯ ] જૈન બંધુઓને ખાસ ઉપયોગી સૂચનાઓ. ઘણુંએક જૂના પુરાણા વખતથી દયાળુ જેને પાંજરાપોળે સ્થાપીને ખેડાં, અપંગ અને અનાથ એવા પશુઓનું પાલન કરતા આવ્યા છે, અને જે કે પ્રથમ કરતાં અત્યારની તેમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નથી, તેમાં એકંદર ઘણે જ ઘટાડો થયેલે જણાય છે, તે પણ તેઓ લાજ-શરમે નહિ તે દયાની ખાતર પણ માની લીધેલા અને માથે પડેલા એ બોજાને ખેંચ્યા કરે છે, એટલું જ નહિ પણ પર્યુષણાદિ પર્વ પ્રસંગે પુષ્કળ દ્રવ્યનું ઉઘરાણું કરી કસાઈ લેક પાસેથી પણ ઘણુએ પશુ-પંખીઓને છોડાવી, પાંજરાપોળમાં મૂકી તેના ખર્ચમાં વિશેષ વધારો કરે છે.
આ બધા ય ખર્ચીને તેમ જ બીજા કઈક આગંતુક ખર્ચને તેઓ ગમે તે રીતે પહોંચી વળે છે. મિષ્ટાન્ન માલ જમવા જમાડવા પાછળ લાખના ખર્ચ તેમ જ નાના મોટા મહોત્સવ નિમિત્તે પણ અઢળક ખર્ચ કરાય છે. આમ છૂટીછવાઈ અનેક
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ ].
શ્રી કરવિજયજી
દિશાઓમાં જેનોના દ્રવ્યને પુષ્કળ વ્યય થાય છે, પરંતુ સ્વસમાજનો ઉદ્ધાર થાય, સમાજની સ્થિતિ સર્વ રીતે સુધરે અને જે જેનસમાજે પ્રથમ જાહોજલાલી કરી બતાવી પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપ્યું હતું તેવી જ નહિ તો તેની કંઈ ઝાંખી થવા પામે એવી સમાજની સ્થિતિ સુધારવા માટે હવે જેનોએ વિચારપૂર્વક વિવેકથી ખાસ જરૂરી દિશામાં જ દ્રવ્યને વ્યય કરવો જોઈએ. પાંજરાપોળ પાછળ બેસુમાર દ્રવ્યને અને વખતો વ્યય કરવા ઉપરાંત તનતોડ મહેનત કરવામાં આવે છે, તેમ છતાં તેના સાધ્ય અને હેતુનું અચાસ પણું રહી જવાથી તથા વ્યવસ્થાની કેટલીક ખામી હોવાથી તેનાથી ભાગ્યે જ કોઈને પૂરો સંતોષ ઉપજ હશે ?
બાકી તેનાં જે પરિણામે વખતોવખત બહાર આવતાં સંભળાય છે તેથી ખેદ તે અનેક સહદય જનોને પેદા થત હશે. તે પશુ-પંખીઓ કરતાં અસંખ્ય ગુણ ચઢતી પંક્તિના લેખાતા મનુષ્ય તરફ એટલી અનુકંપા કેમ દાખવવામાં આવતી નથી? સામાન્યત: માનવજાતિમાં પશુ કરતાં વધારે સમજ, ગુણની કદર અને સદ્દગુણનું અનુકરણ કરવાની શક્તિ રહેલી છે તેની કણ ના કહી શકે એમ છે ? જે સીદાતી સ્થિતિમાં આવી પડેલા સકળ માનવે ઉપર અનુકંપા કરવાનું બની ન શકે તો તેમાંનાં ખાસ આસ્તિકવર્ગ ઉપર અને તેમ પણ ન બની શકે તો સ્વયમી બંધુઓ ઉપર અનુકંપા શા માટે નથી આવતી? જે કદી આવે છે તો તે પશુ-પંખીઓ ઉપર આવે છે એટલી જ આવે છે.
પશુ-પંખીઓની અનુકંપામાં જેમ સહુ જેનો સ્વસ્વશક્તિ
Page #280
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૭ ]
અનુસારે રસપૂર્વક ભાગ લે છે તેમ આ સ્વધર્મી અધુઆની સ્થિતિ સુધારવા અને તેમને ઊંચી પંક્તિ ઉપર મૂકવા લે છે ખરા ? નહિ જ. તેા પછી તેમનામાં શ્રાવક યેાગ્ય શ્રદ્ધા વિગેરે અને કરણી રહેલી શી રીતે માનવી ? ખરું જોતાં તે વધી બધુએ પ્રત્યે કેવળ અનુકંપા—દયા જ નહિં પણ પૂર્ણ પ્રેમ, ભક્તિભાવવાળું વર્તન રાખી તેમના ઉદ્ધાર કરવા કટિબદ્ધ થવુ જોઇએ, તે જ શ્રાવકપણાની સફળતા થાય તેમ છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૭૪ ]
પાંજરાપાળ પ્રમુખ જીવદયાની સંસ્થાઆને સૂચના,
આ સંબંધમાં કંઇક વ્યવહારુ સૂચના કરી શકાય એમ છે. લૂલાં, લગડાં, અપંગ કે કેવળ અશક્ત પશુએને જ પાંજરાપાળમાં જરૂરી રક્ષણ મળે. સશક્ત કે સબળ જાનવરેાને ખાસ તથાપ્રકારના દુષ્કાળાદિક કારણ વગર સગ્રહ ન કરાય, તેવી ચેાગ્ય વ્યવસ્થા અવશ્ય હાવી જોઇએ.
ખ
રક્ષણ માટે રાખેલાં જાનવરોના વ્યવસ્થાની ખામીથી વૃથા વિનાશ થવે! ન જોઈએ. વ્યવસ્થાની ખામીથી પૈસાના પણ નકામે થવા ઉપરાંત લેાકવિશ્વાસનેા ભંગ થવા પામે છે. લેાકેા જે પૈસા આપે છે તે તેનેા સદુપયોગ કરવા માટે જ આપે છે તેથી તેને તેવા જ ઉપયાગ થવા જોઇએ. એટલું જ નહિ પણ આવાં કામા જૈન તેમ જ જૈનેતર સહુ સમુદાયની સરખી દિલસેાજીથી વિવેકપૂર્વક ચાલે તે ઘણું સારું
આ ઉપરાંત જૈનાએ બીજું ઘણુંએક મહત્ત્વનું કાર્ય પેાતાના
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ]
શ્રી કપૂરવિજયજી જ પગ ઉપર ઊભા રહીને કરવાનું હોય છે તે માટે પુષ્કળ નાણાની જરૂર છે. જુદી જુદી જાતની જરૂરી કેળવણીને જૈન આલમમાં બહોળો પ્રચાર કરવાની અનિવાર્ય જરૂર છે, તેમાં સહુ જૈન બંધુઓએ ઉદાર દિલથી ભેગ આપવો જોઈએ. એમ કરવાથી બહુ સુંદર ફળ-પરિણામ મેળવી શકાશે અને ઘણાં બીજાં સારાં સારાં કામ પણ એથી અનાયાસે સાધી શકાશે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૭૫ ]
સદભાવના એ જ અનુપમ શાતિ સમર્પનારી
સાચી કલપના છે.
[ વસંતતિલકા.] यस्याशयं श्रुतकृतातिशयं विवेकपीयूषवर्षरमणीयरमं श्रयन्ते ॥ सद्भावनासुरलता नहि तस्य दूरे,
लोकोत्तरप्रशमसौख्यफलप्रसूतिः ॥ (शान्तसुधारसे) શ્રુતજ્ઞાનના ચિર પરિચય( અભ્યાસ )થી સુસંસ્કારિત થયેલા અને સત્યાસત્યના પ્રકાશાત્મક વિવેકરૂપ અમૃતની
૧ “શાન્તસુધારસ’ નામના પુસ્તકમાં પૃ૪ ૮ માના લોક પાંચમામાં થયેલી અર્થખલના દૂર કરવાના આશયથી ઉપર લેક સાથે તેની મતલબ સહિત અત્ર આપવામાં આવ્યો છે. તેમાં સદ્દભાવના અને સુરલતાનું રૂપક છે. તે શુદ્ધ-પવિત્ર આશયમાં જ પ્રગટ થાય છે અને અલૌકિક-પારમાર્થિક–અવિહડ વૈરાગ્ય-અનાસક્તિ–ઉદાસીનતારૂપ ઉત્તમ ફળને પ્રસરે છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૪૯ ] વૃષ્ટિથી અત્યંત ચોગ્યતાવંત (ભવ્ય શોભાવત) થયેલા જેના આશય( અંતકરણ )માં સદભાવનારૂપી સુરલતા ઊગી નીકળે છે ( પ્રગટ થાય છે) તે શુભાશયને લોકોત્તર ( અનુપમ ) શાન્તિજન્ય સુખરૂપ ફળની પ્રાપ્તિ દૂર નથી; પરંતુ નજદીક જ છે. મતલબ કે જ્ઞાનીનાં સૂક્ત વચનનું શ્રવણ-મનન કરવાથી જેના હૃદયમાં સવિવેક જાગ્યો છે અને એથી જે ખરું, ખાટું, હિત, અણહિત, ગુણ, દોષને સારી રીતે સમજી હિતકર ખરા ગુણને જ આદરવા ઊજમાળ થયે છે અર્થાત્ હૃદયની અશાન્તિના કારણ સમજી તેને દૂર કરવા અને સાચી શાન્તિનાં કારણ અંગીકાર કરવા જે ઊજમાળ-સાવધાન બન્યા છે અને એ રીતે અનુક્રમે સ્વહૃદયની શુદ્ધિ થાય એવી ઉત્તમ ભાવનાઓ-મૈત્રી, મુદિતા, કરુણા અને મધ્યસ્થતા-સાક્ષાત્ ક૯૫વેલીની જેવી જેના પવિત્ર હૃદયમાં પ્રગટી નીકળી છે તેને પરમ શાન્તરસનો સાક્ષાત્ અનુભવ થ દુર્લભ નથી પણ સુલભ જ છે. જેમાં ખેડાણ કરી, ખાતર નાંખી, સંસ્કારિત કરેલી કાળી ભૂમિમાં પુષ્કળ વર્ષાદના વેગે બીજ વાવવાથી મનમાનતો પાક નીપજે છે તેમ અત્ર પણ જાણવું.
[ આ. પ્ર. પુ. ૧૧, પૃ. ૯૦ ]
ગછનો નાયક (ગણી આચાર્ય આદિમાંથી )
કોણ હોઈ શકે ? આ એક અતિ ગંભીર અને મહત્વનો પ્રશ્ન ઉકેલવાન છે. શ્રીમાન્ હરિભસૂરીશ્વરજી શ્રીપંચવસ્તુ ગ્રંથમાં સ્પષ્ટપણે નીચે મુજબ હકીકત જણાવે છે –
Page #283
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ]
શ્રી ક્યૂરવિજયજી જે મહાનુભાવ સાધુ સૂત્ર અને અર્થમાં નિષ્ણાત-નિપુણ હોય, બહુશ્રુત ગીતાર્થ હોય, પ્રિયધર્મા અને દઢધર્મો હેય, શ્રુતચારિત્ર એવા ધર્મ ઉપર અત્યંત પ્રેમ અને આત્માણ કરી શકતા હેય, અનુવર્તનાકુશળ-સમયેચિત મોક્ષ-ઉપાયના જાણકાર હોય, ઉત્તમ જાતિ અને કુળમાં ઉત્પન્ન થયા હોય, જેનાં માતપિતા સંબંધી ઉભય પક્ષ નિર્મળ હોય, ગંભીરઉદાર આશયવાળા હોય.
લબ્ધિવંત-સારા અતિશયવાળા, શક્તિવંત-પ્રભાવી, સંગ્રહશીલ અને ઉપગ્રહનિરત-ગચ્છસમુદાયને સારી રીતે નિર્વાહ થાય તેટલા ઉપકરણાદિકને યથાઅવસર નિઃસ્વાર્થપણે સંગ્રહ કરનાર તથા સહુને ઉપકાર કરવા દેશનાદિક દેવા સદા ય તત્પર રહેતા હોય, જેમણે ક્રિયાકાંડનો સારી રીતે અભ્યાસ કરેલ હોય અને જે પ્રવચન ( શાસન-આજ્ઞા) ઉપર અત્યંત પ્રેમ ધરાવનારા હોય તેવા સમર્થ મહાત્મા ગણનાયક અથવા આચાર્ય હોઈ શકે, એ રીતે તીર્થકર દેવોએ કહેલું છે. તેમ જ વળી ગછનાયિકા એવી પ્રવતિની પણ આવા ઉત્તમ ગુણવાળી સમર્થ સાધ્વી હોય તે જ હોઈ શકે.
જે ગીતાર્થ-સૂત્ર અર્થ ઉભયમાં નિપુણ હોય-સમુચિત સંયમક્રિયામાં કુશળ સાવધાન હોય, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ-કુલીન હોય, ઉત્સર્ગ અપવાદ યથાર્થ સમજનાર હોય, ઉદાર આશય, ચિરદીક્ષિત અને વયેવૃદ્ધ હોય.
પૂર્વોક્ત ગુણરહિત છતાં જે ગચ્છનાયક પદવી કે પ્રવર્તિની પદવી પાત્રતા રહિત અગ્ય જીવને આપે અને પોતાનામાં પાત્રતા આવ્યા વગર ઉક્ત પદવી અંગીકાર કરે તે જિનાજ્ઞાને
Page #284
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૧ ] લેપ કરનાર વિરાધક બની સ્વપરનું હિત બગાડે છે, કેમ કે ૌતમસ્વામી પ્રમુખ મહાપુરુષેએ ગણધર પદને વહન કરીને એ શબ્દ સાર્થક કર્યો છે.
એવી એ મહાપદવી જાણી જોઈને પાત્રહીન–અગ્ય જીવમાં જે સ્થાપન કરે છે તેને મહાપાપી ને ઉન્માર્ગપષક કહ્યો છે. તેમ જે જે પ્રવર્તિની શબ્દ આર્યા ચંદનાદિક મહાસતીઓએ વહી સાર્થક કરેલ છે તે પદવી જાણતાં છતાં જે પાત્રહીનતામાં સ્થાપન કરે છે તેને પણ મહાપાપી ને ઉન્માર્ગપોષક કહ્યો છે.
સાર–શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી જેવા મહાપુરુષોનાં સર્વમાન્ય, પ્રમાણિક વચનનો ભાવાર્થ વિચારી ભવભી, આત્માથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ખ્યાલ કરી સત્યહિતકારી માર્ગ આદરશે તો જરૂર સ્વપરહિત કરી શકશે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૮૪]
કર્મના અસ્તિત્વ અને અતુલ પ્રભાવ ઉપર
કર્મ કુલકની વ્યાખ્યા. ૧. ત્રિભુવનમાં એક અદ્વિતીય વીર એવા શ્રી મહાવીરદેવને જે કર્મનું અસ્તિત્વ ન હોત તો ઘોર–ભયંકર ઉપસર્ગો કેમ થાત?
૨. વીર ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં પણ જે કર્મની પ્રબળ સત્તા વિદ્યમાન ન હોત તો મિનક ગામમાં અતિવિષમ એ અતિસાર રોગ કેમ પેદા થાત?
૩. વીરપ્રભુને અસ્થિક ગામમાં શૂલપાણિ યક્ષદ્વારા
Page #285
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૨ ]
શ્રી કપૂરવિજ્યજી
( અઘાર ઉપસર્ગરૂપે ) જે વિવિધ વેદના થવા પામી તે કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.
૪. જો કર્મનું અસ્તિત્વ ન હોય તેા મહાવીરસ્વામીના અને કાનેામાં તીક્ષ્ણ ખીલા ગાવાળે કેમ ઠાકયા ?
૫. સંગમે વીર ભગવાનને ઘેાર વીશ ઉપસર્ગો કેમ કર્યો? ૬. ગજસુકુમાલને માથે તેના સસરા સેામીલે ખેરના અગારા કેમ Àપળ્યા ?
૭. ખંધકસૂરિના શિષ્યેાને પાપી પાલકે યંત્રમાં કેમ પીલ્યા ? ૮. સનત્કુમાર ચક્રવત્તી પ્રમુખ સુસાધુએને વ્યાધિવેદના કેમ થવા પામી ?
૯. કોશાંખીનગરીમાં સમૃદ્ધિમાન્ છતાં નિગ્રંથને તીવ્ર ચક્ષુવેદના કેમ થઇ ?
૧૦. નિમરાજાને માદાહવર અને ( સ્ત્રીના ખુડખડાટથી ) અતિ દુ:સહુ પરિતાપ કેમ થવા પામ્યા ?
વલયના
૧૧. સેાળ હજાર યક્ષદેવાથી સેવાતાં છતાં બ્રહ્મદત્ત ચક્રત્તીને અતિ આકરું અધપણુ કેમ પ્રાપ્ત થયું ?
૧૨. આ ભરતક્ષેત્રમાં મેટા પુણ્યના ભડાર સરખા શ્રી વીરભગવાન્ પણ સ્વર્ગથી ચ્યવીને નીચ ગેાત્રમાં કેમ ઉત્પન્ન થયા ?
૧૩. મહાસમૃદ્ધિવત યશસ્વી અવંતીસુકુમાલનું શરીર ઉજ્જયિની નગરીમાં શીયાલણીએ કેમ ભક્ષણ કર્યું ?
Page #286
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૩ ] ૧૪. શુદ્ધ શીલવતી સતી દ્રૌપદીને પાંચ પાંડવોરૂપ પાંચ ભર્તાર કેમ થયા ?
૧૫. ઉત્તમ કુળમાં ઉપજેલ છતાં મૃગાપુત્રાદિક કઈક જીવોને નરક જેવાં મહાદુઃખ કેમ સહન કરવાં પડ્યાં ?
૧૬. વિશાળ રાજવંશમાં ઉત્પન્ન થયા છતાં વસુદેવાદિક કઈક રાજપુત્રને ભરવનવયે પરિભ્રમણ કેમ કરવું પડ્યું ? .
૧૭. કૃષ્ણ વાસુદેવના પુત્ર અને મીશ્વર ભગવાનના ખૂદ અંતેવાસી શિષ્ય છતાં ઢઢણમુનિને નિર્દોષ ભિક્ષા કેમ ન મળી?
૧૮. વનમાં એકલા પડેલા શ્રી કૃષ્ણ વાસુદેવનું મરણ પોતાના જ ભાઈ જરાકુમારના હાથે કેમ થવા પામ્યું ?
૧૯. ( ગંગાનદી ઉતરવા જતાં )નાવ ઉપર આરૂઢ થયેલા શ્રી વર્ધમાન સ્વામીને સુદંષ્ટ્ર દેવે કેમ ઘેર ઉપસર્ગ કર્યો ?
૨૦. તીર્થકર છતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનને (દીક્ષા બાદ કાઉસગધ્યાને વર્તતાં)કમઠ–મેઘમાળી દેવે કેમ ઘેર ઉપસર્ગ કર્યો?
૨૧. સુખશાતા અને સૈભાગ્યલીલાવડે સર્વોપરી એવા અનુસર વિમાનવાસી દેવો ત્યાંથી વી મૃત્યુલેકમાં કેમ જન્મે છે?
સાર-ચિત્તને ચમકાવે એવા ઉપર ટાંકેલા દાખલા ઉપરાંત આ દુનિયામાં થતા અનેકવિધ પરિવર્તન અને આપણું જાતમાં જ થતા અનેક વિચિત્ર બનાવના સ્વાનુભવથી એ, વાત નિર્વિવાદ સિદ્ધ થઈ શકે છે કે કર્મની ગતિ–સ્થિતિ અને તેને પ્રભાવ ન કળી શકાય એ અનાદિ અકળ અને અતુલ છે. તેમ છતાં જે પાંચે સમવાય કારણે( કાળ, સ્વભાવ,
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ ]
શ્રી કરવિજયજી નિયતિ, પૂર્વક અને પુરુષાર્થ)ની અનુકૂળતા થઈ આવે તે આત્મા સકળ સાંસારિક બંધનોને તોડવા માર્ગાનુસારી બની સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્રબળને મેળવી, અનુક્રમે રાગદ્વેષાદિક દુશ્મનોને હઠાવી, તેમને ક્ષય કરી, સર્વજ્ઞ, સર્વદશી થઈ, અધિક આયુષ્ય સ્થિતિ હોય તો પૃથ્વીતળ ઉપર વિચરી, અનેક ભવ્યાત્માઓ ઉપર અમાપ ઉપકાર કરી, તેમને પણ આ ભદધિથી તારી સકળ દુઃખ-ઉપાધિરૂપ સંસારપરંપરાનો ઉછેદ કરી શાશ્વત-મોક્ષપદને પામે છે.
[ આ. પ્ર. પુ. ૧૬, પૃ. ૧૬૬ ] જીવાનુશાસ્તિ કુલકની વ્યાખ્યા
( મુગ્ધ જીવને ખાસ બેધદાયક) ૧. અરે જીવ! જળ મધ્યે રહેલા અરહટ્ટઘટમાળની જેમ આ ચાર ગતિરૂપ અપાર–અગાધ સંસારસાગરમાં તું અનંતો કાળ ક્રમણ કરી ચૂક્યો તેમ છતાં હજી કેમ બૂઝતા નથી ?
૨. અરે જીવ! અન્ય સંગ તે તને નિમિત્ત માત્ર મળે છે, બાકી પૂર્વે કરેલાં કર્મોનું આ બધું અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલું ફળ છે એમ તું તારા દિલમાં કદી વિચારે છે? ચિન્તવે છે? સમજે છે?
૩. અરે મૂઢ જીવ! તું અન્ય જનને દુષ્કર્મથી ભરેલ વિપરીત ઉપદેશ કેમ કરે છે? પરંતુ દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળાના આવા જ દુષ્ટ પરિણામ હોય છે.
૪. અરે બાળ જીવ! તું કાન દઈને સાવધાનપણે મારું
Page #288
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૫ ] હિતવચન સાંભળ. તું સુખ-સંતેષ પામતો નથી તેથી મને ખાત્રી થાય છે કે તું ધમ–પુણ્ય સંપદાથી રહિત છે. ધર્મ સાથે જ સુખ-સંપદા આવી મળે છે.
૫. અરે જીવ ! પારકી અદ્ધિ-સિદ્ધિ દેખીને તું ફોગટ ખેદ–સંતાપ ન કર. ધર્મ–પુણ્ય રહિત પ્રાણુને વિવિધ જાતજાતની સંપદા કયાંથી સાંપડે ?
૬. અરે જીવ ! જોબન, ધન અને જીવિત જોતજોતામાં ખૂટી જતું તું શું નથી જોતો ? જુએ છે જ. તેમ છતાં આમાને હિત–શ્રેય-કલ્યાણ-મંગળકારી એવા સર્વજ્ઞ વીતરાગભાષિત ધર્મને તું શીધ્ર કેમ નથી આદરતો?
૭. અરે જીવ ! સ્વમાન અને સાહસ રહિત ( Devoid of Self-Respect & Enterprise ) દીન-રાંક જેવો નમાલે અને લાજ-શરમ વગરને બની તું નીરાંતે કેમ કાયર થઈ બેઠો છે? ધર્મમાર્ગમાં કેમ ઉદ્યમ કરતો નથી ?
૮. અરે જીવ! સદુદ્યમ યા પુરુષાર્થ સેવ્યા વગર (પૂર્વપુણ્યગે મળેલ ) મનુષ્યજન્મ નકામે ગયે, યોવન પણ વીતી ગયું, (તે દરમિયાન) તે ઉગ્ર તપધર્મ પણ કર્યો નહિ અને શ્રેષ્ઠ ( ન્યાયયુક્ત) લક્ષ્મી પણ મેળવી નહિ. “ન મળ્યા રામ અને ન મળ્યા દામ ” તેના જેવું તેં કર્યું. બન્નેથકી તું ચૂકયો. તેં તારો અમૂલ્ય સુવર્ણ જેવો સમય ગુમાવી દીધો. હજી પણ શેષ જીવિત રહ્યું છે તેટલામાં ચેતી લેવાય તો સારું છે.
૯. અરે મુગ્ધ જીવ ! પારકા મુખ સામે જોતાં જોતાં
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી કપૂરવિજયજી તારે આટલો બધે કાળ નકામે નથી ગયે શું? તેમ છતાં જ્યારે તને ઈચ્છિત સુખ મળ્યું નહિ તે હવે ખડ્ઝની ધારા જેવું સખ્ત વ્રતનું તું સેવન કર. . ૧૦. વળી તારી (ખરી–આંતર–વાસ્તવિક) લક્ષ્મી પરને આધીન છે એમ તું મનથી માનતે નહિ, પણ તારામાં સત્તામાં સાચી ઝવેરાત, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક શ્રેષ્ઠ ગુણનિધાન રહેલ છે તેની તું પ્રતીતિ–વિશ્વાસ રાખજે અને તે પ્રાપ્ત કરી લેવાને ઉપાય પણ તારા હાથમાં-સ્વાધીન છે, એટલા માટે આદર સહિત વ્રતને સ્વીકાર કરી અને અનેક પ્રયત્ન કરીને તે આદરેલાં વ્રત-નિયમનું સારી રીતે પાલન કરતો રહે, એ જ તારા અભ્યદયને અકસીર ઉપાય છે.
૧૧. જીવિત તથા મરણ સાથે અને વૈવન તથા જરા અવસ્થા પણ સાથે જ ઉપજે છે, એટલે તેમને આપસમાં બહુ ગાઢ સંબંધ રહેલે છે.
બામાં રહેલા જળની જેમ ક્ષણે ક્ષણે આઉખું ખૂટતું જ જાય છે એ ન્યાયે જીવિત સાથે જ મરણ સર્જાયેલું સમજવું. વૈવનને ચાર દિવસને ચટકે પતંગીયા રંગની માફક ક્ષણિક દેખાવમાત્ર હોવાથી તેના ઉપર વિશ્વાસ રાખી બેસનાર ઠગાઈ જાય છે. જોતજોતામાં વનનો રંગ ઊડી જાય છે, અને જરા અવસ્થા દાખલ થઈ પિતાનો જમાવ કરે છે, અથવા “ THI વયોનિઃ ” જેટલું વય–જીવિત ઓછું થયું તેટલી જરા આવી-દાખલ થઈ સમજવી. એ ન્યાયે પણ યોવનને વિશ્વાસ રાખવા ગ્ય નથી, પણ તેવે વખતે શરીરમાં સારું જેમ-બળ-વીય હેવાથી બની શકે તેટલું સુકૃત-પરભવનું
Page #290
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૭ ] ભાતું કરી લેવુ જ વ્યાજબી છે. પછી જ્યારે જરા આવી, વ્યાધિ વધ્યા અને ઇંદ્રિયબળ ઘટયુ ત્યારે ધર્મ સાધન કરવું દુ ભ થઈ પડે છે માટે પાણી આવ્યા પહેલાં જ પાળ ખાંધી લેવી સારી.
જીવિત અને જરાની પેઠે લક્ષ્મી પણ ચપળ-અસ્થિર હાવાથી તેને વિનાશ થઈ જતાં વાર લાગતી નથી, તેથી તેના લાભ કે હાનિ પ્રસંગે હર્ષ કે ખેદ નહિ કરતાં સાક્ષીભાવે યા સમભાવે રહેવું. વળી તેની વિદ્યમાનતામાં બને તેટલે તેના સારા ઉપયાગ કરી લેવા.
[ આ. પ્ર. પુ ૧૬, પૃ.
૧૯૦ ]
કેવળ હિતબુદ્ધિથી સાધુએ આપણને સાચા માર્ગ બતાવે તેને આદરતાં પ્રમાદ કરવા તે ગંભીર ભૂલ લેખાય.
પરાપકારી સંત-સાધુજના કેવળ હિતબુદ્ધિથી જ આપણને સન્માર્ગ બતાવી રહ્યા હૈાય ત્યારે પ્રમાદ, વિષય અને કષાયાક્રિકને વશ થઇ તેનેા અનાદર કરાય તે તે આપણા પ્રગટ અવિવેક જ લેખાય.
સર્વજ્ઞ વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુની સેવા–ઉપાસના કરનાર દરેકે દરેક જૈન ભાઇ-બહેને અવશ્ય વિચારવુ ઘટે કે આપણા આચાર-વિચાર એવા તે શુદ્ધ-પવિત્ર હાવા જોઇએ કે તેનુ ગમે તે અન્યદર્શીની ભાઇ-બહેના પ્રીતિથી અનુકરણુ કરે. તેને બદલે જ્યારે તેએ જ આપણી નિંદા–ટીકા કરે એટલે
૧૭
Page #291
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી
દરજ્જે આપણા આચારવિચારને મિલન કરી મૂકીએ તે પછી આપણામાં જૈનપણું રહ્યું જ કયાં ? જીવદયા ( જયણા ) જેના દિલમાં વસી જ હાય તેવા કોઇ પણ જૈનખર્ચે ભૂમિશુદ્ધિ કરવા નિમિત્તે સુકેામળ વાસદી વાપરવાને બદલે કરવત જેવી ધારવાળી ખજૂરીની સાવરણી વાપરી શકે ખરા ? અત્યારે અન્યદર્શનીઓની પેઠે જેને પેાતાના ઘર, હાટ વગેરે સ્થળે ખજૂરીની સાવરણી વાપરતાં જરા ય અચકાય છે ખરા? નહીં જ, તેા પછી તેમને જૈન શી રીતે લેખવા ? જેના દિલમાં જીવદયા જ ન હાય તે કઠેર દિલના જીવા જૈનધર્મને લાયક જ કેમ લેખાય ? આ વાત ગંભીરપણે વિચારવા ચેાગ્ય છે.
ખાનપાનાદિક બીજા પણ અનેક પ્રસંગે એવી જ ઉપેક્ષા થતી નથી જણાતી શું ? જેમાં અસંખ્ય જીવા ક્ષણે ક્ષણે ઉપજે અને વિષ્ણુસે એવા એઠવાડ કરતાં તેમને ડર લાગે છે ? નહીં જ. પીવાનું પાણી પણ કેવુ' ગેાબરુ-એઠું કરી મૂકાય છે? જાણે કે ઢારના અવેડાના પાણી જેવુ એક મીજાની લાળમિશ્રિત ગંદું બની રહ્યું હાય. સુજ્ઞ કે વિવેકી ભાઇબહેનાએ તા આવી ગદાઈ કરતાં તરત જ અટકી જવું જોઇએ અને ચાખ્ખાઇ રાખવી જોઇએ. રાંધેલા ભાત વગેરેમાંથી ઇયળ, ધનેડા પ્રમુખનાં મૃત કલેવરેા નીકળતા નજરે જોવાય છે છતાં તેની ઘૃણા કાને આવે છે ? પૂરતી તપાસ રાખી તેવી થતી ભૂલેને જો ધારે તે તરત જ સુધારી શકે છે. જીવિચાર, નવતત્ત્વ કે કર્મ ગ્રંથ વગેરે કેવળ પાપટની પેઠે પી જવાથી કશુ વળતું નથી, ભણીને પાછું ગણવું જોઇએ. વિવેક વગરની ધર્મકરણી તદ્ન પીકી લાગે છે. હૃદયમાં કામળતાદિક પ્રગટે
Page #292
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫૯ ] તેા જ એ. ધર્મકરણી લેખે થાય. અન્ય અનાથ જીવાનુ હિત સાચવતાં આપણું હિત સધાય છે એ ભાવ-લક્ષ્ય વગર કાળજી કયાંથી રહે ? પશુવળ તરફ દેખાદેખીથી કઇક દિલસેાજી રખાય છે ખરી, પણ તે ખરા અર્થમાં તે નહિ જ. એ બધા કરતાં દુર્લભ મનુષ્યભવ પામેલા માનવા તરફ અથાગ પ્રેમભાવ હાવા જોઇએ, તેને બદલે અપ્રીતિ, ઇર્ષ્યા, અદેખાઇ ફાટી નીકળેલી જોઇ કયા સજ્જનનું હૃદય બળતુ નહિ હાય ? ગુણ-ગુણી પ્રત્યે તે અવશ્ય પ્રેમ રાખવા જોઇએ. તેને બદલે પેટ ભરી ભરીને નિંદા-ચાડીને જ વ્યાપાર લઇ બેસાય તે પછી તેમાં જૈનપણું રહ્યું જ કયાં ? જ્યાં ત્યાં સ્વતંત્રતાને અહાને સ્વચ્છંદતા જ પ્રસરી રહી લાગે છે. તેમાંથી જેને કાઇ પણ રીતે ઉગરે એવું ઇચ્છી હાલ વિરમું છું.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૬૪ ]
સુશ્રાવક ઋષભદાસકૃત હિતશિક્ષાના રાસમાંથી આચારઠીલા ગુણાનુરાગી સજ્જનાએ લેવા યાગ્ય સુંદર એધ.
પેાતાના દુર્લભ માનવભવને સફળ-સાથ ક કરવા ઇચ્છતા ગમે તે ભવ્યાત્માને હિતકારી જ થાય એવી અનેક પ્રકારની
હિતશિક્ષાઆધી સંકલિત સર્વાંગ સુંદર ‘ હિતશિક્ષા ' નામને અતિ સરલ–સુખાધ રાસ ઘણી સાદી જૂની ગુજરાતી ભાષામાં સુપ્રાસદ્ધ શ્રાવક કવિવર શ્રી ઋષભદાસજીએ મનાવ્યે છે.
એક સારા ગૃહસ્થ શ્રાવકને છાજે એવા સરસ આચાર
Page #293
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૦ ]
શ્રી કપૂરવિજયજી વિચારને સેવનાર એ કવિશ્રી હતા. તેઓ શ્રીમદ્ હીરવિજય સૂરીશ્વરના સમય લગભગ વિદ્યમાન હતા. હીરસૂરીશ્વરના ખાસ પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને ગુરુ તરીકે પોતે કઈક સ્થળે પોતાની વિવિધ કાવ્યરચના પ્રસંગે ઓળખાવે છે, તે ખાસ કરીને બીજા સુશ્રદ્ધાળુ ગૃહસ્થ જૈન કવિઓએ ધડે લેવા લાયક છે. ગુણાનુરાગી શ્રાવક, શ્રાવિકાઓને તેમનું ચરિત્ર લક્ષ્યપૂર્વક વાંચવા, વિચારવા અને અનુકરણ કરવા ગ્ય છે.
આ હિતશિક્ષાના રાસમાં ખાસ કરીને સદા ય અનુકરણ કરવા લાયક ખરા આદર્શ ગૃહસ્થજીવનમાં ઉપયેગી થઈ શકે એ સુંદર વ્યવહારુ બેધ હિતશિખામણરૂપે આપેલ છે. તે વખતે શ્રાવકજીવન કેટલું બધું ઉચ્ચ-ઉન્નત હશે તેની સહજ ઝાંખી એ રાસ પરથી થઈ શકે છે અને ગૃહસ્થજીવન કેવું સુંદર વર્તનવાળું હોવું જોઈએ તેને સુંદર ખ્યાલ બાંધી દરેક શ્રોતાજને પિતાનું વર્તન તેવું પવિત્ર બનાવવા પ્રયત્ન કરે ઘટે છે.
આ રાસમાંથી શ્રોતા જને ગમે તે સ્થળેથી કંઈ ને કંઈ સુંદર હિતકારી બેધ મેળવી શકે છે. તેમાં સંકલિત કરેલી હિતશિક્ષાઓને સુંદર દાખલા, દલીલ અને ચરિત્રેથી સમજાવવામાં આવી છે, તેથી બાળજી તે સુગમતાથી સમજીને આચરણમાં પણ ઊતારી શકે છે. આ રાસમાં અનેક ઉપયોગી હિતકર વાતને સમાવેશ કરેલ છે, તેને જે રસપૂર્વક વાંચવા કે સાંભળવામાં આવે તે હદય ઉપર તે સારી અસર ઉપજાવી શકે છે, અને પિતાના વર્તનમાં જોતજોતામાં ઠીક સુધારે કરાવી શકે છે.
આ રાસને યોગ્ય આદરપૂર્વક વાંચી કે સાંભળીને પિતાના જ જીવનમાં ઉતારવા પ્રયત્ન સેવાય એ અતિ ઇચ્છવાયેગ્ય છે. નિર
Page #294
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
| [ ૨૬૧ ] તર જીવનમાં ઉપયેગી થાય એવી અનેક હિતશિક્ષાઓ એમાંથી મળી શકે છે તે મેળવી સહુ ભાઈબહેનેએ જાગૃત થવું ઘટે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૬૬ ]
વિઘ યાને અંતરાય કર્મનું સ્વરૂપ.
[કમથ-ડીકાનુસારે ] वि-विशेषण, हन्यते-तदानादिलब्धयो विनाश्यन्तेऽनेनेति
વિશેષ કરીને દાનાદિક લબ્ધિઓ-શક્તિઓ હણાય છે– વિનાશ પમાડાય છે જેનાવડે તેનું નામ વિદન અથવા અંતરાયકર્મ છે. તેના પાંચ પ્રકાર છે. ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભેગાંતરાય, ૪. ઉપભેગાંતરાય અને ૫. વીતરાય.
તે દરેક પ્રકારનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
દાન-દેવા ગ્ય વસ્તુ વિદ્યમાન છતાં, ગુણવંત પાત્ર ( સુપાત્ર ) લેવા આવ્યા છતાં અને દાનનું ફળ જાણતા છતાં પણ જે કર્મના ઉદયથી દઈ ન શકાય તે દાનાંતરાયકર્મ જાણવું.
જે કર્મના ઉદયથી દાતા ઉદાર છતાં અને દેવા ગ્ય વસ્તુ વિદ્યમાન છતાં યાચના કરવામાં કુશળ એ પણ યાચક વસ્તુ મેળવી ન શકે તે લાભાંતરાયકર્મ જાણવું.
જેના ઉદયથી વિવાદિ હોવા છતાં, અને આહાર, પુષ્પમાલ્યાદિક પોતાની પાસે હાજર છતાં વિરતિહીન પોતે પણ તે ભેગવી શકે નહીં તે ભેગાંતરાયકર્મ જાણવું.
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ર૬૨ ]
શ્રી કરવિજયજી જેના ઉદયથી વસ્ત્ર, અલંકારાદિક વિદ્યમાન છતાં તેનો ઉપભોગ કરી ન શકાય તે ઉપભેગાંતરાયકર્મ જાણવું.
જેના ઉદયથી બળવાન, નીરોગી અને યુવાન છતાં કંઈ નજીવું પણ કાર્ય કરી શકે નહીં તે વીતરાયકમ જાણવું.
પ્રભુપૂજા, સદ્ગુરુસેવા અને સદ્ધર્મ– આરાધનામાં અંતરાય કરવાથી તેમ જ હિંસાદિક અકાર્યો કરવા-કરાવવાથી ઉક્ત કર્મ (નિકાચિતપણે) બંધાય છે, જેનાં બહુ જ કહુક ( કડવાં) ફળ પ્રાણીઓને ભવચક્રમાં ભમતાં વેઠવાં પડે છે, પરંતુ જે ભવ્યાત્માઓ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મનું યથાવિધિ આરાધન ઉલ્લસિત ભાવથી કરે છે, સત્કાર્યમાં અન્યજનોને સહાય કરે છે તેમ જ તેવાં સત્કાર્યની અનુમોદના કરે છે તે શુભાશયે અંતરાય કર્મ નો ક્ષય કરી અનુક્રમે અક્ષયસુખને પામી શકે છે.
[ અ. પ્ર. પુ. ૧૧, પૃ. ૯૦ ]
શ્રાવકધર્મોચિત આચારપદેશ
પ્રથમ વર્ગ
મંગલાચરણ ૧-૨. કેવળજ્ઞાન તથા આનંદસ્વરૂપ, રૂપરહિત, જગતુત્રાતા, અને પરમ તિવંત શ્રી પરમાત્માને નમસ્કાર થાઓ. યોગી પુરુષો મનની શુદ્ધિને ધારણ કરતા જ્ઞાનચક્ષુવડે જેનું સ્વરૂપ જોવે છે તે પ્રભુને હું સ્તવું છું.
Page #296
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૬૩ ]
ત્ર ગ્રંથન હેતુ.
૩-૫. સહુ કાઇ જીવ સુખને ઇચ્છે છે, શુદ્ધ-નિર્દોષ સુખ મેક્ષમાં રહ્યું છે, મેાક્ષસુખ ધ્યાનથી મળે છે, ધ્યાન મનની શુદ્ધિથી થાય છે અને મનની શુદ્ધિ કષાયને જીતવાથી થાય છે. કષાયને જય ઇન્દ્રિયાને દમવાથી થાય છે, ઇંદ્રિયાનું દમન સદાચારથી થાય છે, અને એવે ગુણકારી સદાચાર સદુપદેશથકી પ્રાણીઓને પ્રાપ્ત થઇ શકે છે. સદુપદેશથી સુબુદ્ધિ થાય છે, સુબુદ્ધિથી સદ્ગુણે નેા ઉદય થાય છે. એવા શુભાશયથી આ આચારાપદેશ નામના ગ્રંથના હું પ્રારંભ કરું છું.
ગ્રંથશ્રવણ ફળ-ધર્મ પ્રાપ્તિ,
૬-૯. સદાચાર સંબંધી વિચારવડે મનેાહર અને ચતુરને ઉચિત એવા આ દેવતાને પણ આનંદકારી ગ્રંથ શુભાશયવાળા સજ્જનાએ શ્રવણ કરવા યુક્ત છે. અનંત કાળે પણ પામવેા દુલ ભ એવે આ મનુષ્યજન્મ પામીને વિવેકતજનેાએ ધર્મને વિષે પરમ આદર કરવા જોઇએ. ધર્મ શ્રવણુ કર્યા છતા, દેખ્યા છછ્તા, કરાજ્યે છતે। અને અનુમૈદ્યો છતા પણ પ્રાણીએને સાતમા કુળ પંત પિવત્ર કરે છે.
ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને સમ્યક્ પ્રકારે સેવ્યા વગર મનુષ્યનું આયુષ પશુના જેવું નકામું સમજવુ. તે ત્રણ વર્ગોમાં પણ ધર્મ ઉત્તમ છે, કેમ કે ધર્મસેવન કર્યા વગર ખીજા એ અર્થ અને કામ સધાતાં નથી.
સભામગ્રી અને તેની સફળતા કરવા શાશ્વપ્રેરણા,
૧૦–૧૩. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ-કુળ, અખંડ
Page #297
--------------------------------------------------------------------------
________________
[ ર૬૪ ]
શ્રી કરવિજયજી ઇન્દ્રિયકુશળતા, શરીરઆરેગ્ય, અને દીર્ઘ આયુષ કથંચિત કર્મની લઘુતાથી મળે છે. એ બધાં ય પુન્યવેગે પ્રાપ્ત થવા છતાં શ્રદ્ધા આવવી દુર્લભ છે, તેથી પણ દુર્લભ સદ્દગુરુને સંગ મહાભાગ્યને મળે છે. આ સઘળી સામગ્રી સ્વાધીન જ હોય પણ તે જેમ ન્યાયવડે રાજા, સુગંધવડે ફૂલ અને ઘી વડે ભેજન શોભે છે તેમ સદાચારવડે શેભા પામે છે સફળ થઈ શકે છે. સદાચાર સેવવામાં તત્પર મનુષ્ય શાસ્ત્રોક્તવિધિવડે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને પરસ્પર વિરોધ રહિત (અવિરુદ્ધપણે) સદા ય સાધવાં જોઈએ. શ્રાવક યોગ્ય શાસ્ત્રોક્ત અવિરુદ્ધ આચારવિચાર.
નમસ્કાર મંત્રની સ્તુતિ. ૧૪. રાત્રિના ચોથા પહોરમાં બ્રાહ્મ મુહૂર્ત વખતે કાળજી રાખી, સુજ્ઞ પુરુષ પંચપરમેષ્ઠી મંત્રની સ્તુતિ કરતો છતો નિદ્રાનો ત્યાગ કરે.
૧૫. સદા ય શખ્યામાંથી ઊઠયા (જાગ્યા) બાદ ડાબી કે જમણી જે નાડી વહેતી હોય તે જ ડાબે કે જમણે પગ ભૂમિ ઉપર (ધીમેથી) રાખ.
૧૬. શયન સંબંધી વસ્ત્રો મૂકી, બીજા (સ્વચ્છ ) વસ્ત્રો ધારણ કરી રૂડા સ્થાનકે રહીને બુદ્ધિવાને ધીરજથી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું.
૧૭. પવિત્ર થઈ પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ પવિત્ર સ્થાને રહી સ્થિર મનથી નમસ્કાર મંત્ર જાપ કરે.
૧૮. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, સુખી હોય કે
Page #298
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૬૫ ] દુ:ખી હાય તે નમસ્કાર મંત્રનું એકાગ્રમને ધ્યાન કરતા છતે સર્વ પાપથી મુક્ત થાય છે, અર્થાત્ ધર્મના અથીજનાએ સર્વ દેશકાળમાં શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ચિંતવન કરવુ જોઇએ.
૧૯. આંગળીને અંગે જે જાપ કરાય, મેરુનું ઉલ્લ્લ ંઘન કરીને જે જાપ કરાય અને ઉપયાગ રહિત સંખ્યાહીન જે જાપ કરાય તે પ્રાય: અલ્પ ફળ આપનાર થાય છે.
૨૦. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે જાપ થાય છે. તેમાં જે હૃદયકમળમાં વિધિવત્ નવપદજીનેા જાપ કરાય તે ઉત્કૃષ્ટ અને જપમાળાવડે કરાય તે મધ્યમ જાપ સમજવા.
૨૧. સૈાન રાખ્યા વગર, સંખ્યાનું લક્ષ રાખ્યા વગર, ચિત્તની એકાગ્રતા વગર, પદ્માસનાદિક આસન લગાવ્યા વગર અને ધ્યેય–પરમાત્માદિકમાં વૃત્તિને જોડ્યા વગરના જાપ જઘન્ય છે. આવશ્યક કરણી.
૨૨. ત્યારપછી ( સારી રીતે પ્રભાત થયે છતે ) ઉપાશ્રયે કે પેાતાની પાષધશાળામાં સ્વપાપની વિશુદ્ધિ કરવા માટે બુદ્ધિવંતે આવશ્યક કરણી કરવી.
૨૩. રાત્રિ સંબંધી, દિવસ સંબંધી, પાખી, ચોમાસી અને સંવત્સર સંબંધી પાપ–દોષને દૂર કરવા અને આત્માને નિળ કરવા જિનાએ પાંચ પ્રકારનાં આવશ્યક (પ્રતિક્રમણ ) કહ્યાં છે. તે પ્રત્યેકમાં સામાયિક પ્રમુખ છ આવશ્યકના સમાવેશ થાય છે. કરેલાં પાપને ફરી નહિ કરવાની બુદ્ધિથી પશ્ચાત્તાપ સહિત શ્રી સદ્ગુરુ સમીપે આલેચાય—નિદાય તે પ્રતિક્રમણ અવશ્ય
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૬ ]
શ્રી કપૂરવિજયજી
આત્માને ઉપકારક થઈ શકે છે. જાણતાં કે અજાણતાં લાગેલાં પાપની શુદ્ધિ સરલપણે શીઘ્ર કરવી જોઇએ.
૨૪. આવશ્યક કરણી કરીને પૂર્વ કુળમર્યાદા સભારી અત્યંત આન ંદિત ચિત્તથી મંગળસ્તુતિ કહેવી. ( આવશ્યક કરણી પહેલાં અને પછી આ રીતિ છે ).
મંગળ સ્તુતિ અષ્ટક
૨૫. મહાવીર ભગવાન, ગાતમ ગણધર, સ્થૂલભદ્રાદિ મુનિ વરે અને જિનેશ્વરાએ કહેલા ધર્મ એ સઘળા મુજને મંગળરૂપ થાઓ.
૨૬. ઋષભાદિક જિનેશ્વરા, ભરતાદિક ચક્રવત્તી એ, બળદેવા, વાસુદેવે અને પ્રતિવાસુદેવા એ સઘળા મારું કલ્યાણ કરે.
૨૭. નાભિકુલકર અને સિદ્ધાર્થ ભૂપ પ્રમુખ સઘળા જિનેશ્વરના પિતાએ જેમણે અખંડ સામ્રાજ્ય ભેળવેલ છે તેએ મુજને જય આપે.
૨૮. જગત્પ્રયને આનંદ કરનારી મરુદેવી અને ત્રિશલા પ્રમુખ જિનેશ્વરાની પ્રસિદ્ધ માતાએ મારું મગળ કરી.
૨૯. શ્રી પુંડરીક અને ઇન્દ્રભૂતિ પ્રમુખ સઘળા ગણધર અને બીજા શ્રુતકેવળીએ (ચૌદ પૂર્વધરા) પણ મુને મંગળમાળા
આપેા.
૩૦. અખંડ શીલની શેાભાથી ભરેલી બ્રાહ્મી અને ચંદનમાળા પ્રમુખ મહાસતી-સાધ્વીએ મુજને મંગળ ક્ષેા.
Page #300
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ર૬૭ ] ૩૧. સમકિતનાં વિદન હરનારી ચકેશ્વર અને સિદ્ધાયિકા પ્રમુખ ઋષભાદિ તીર્થકરોના શાસનની અધિષ્ઠાત્રી દેવીએ મુજને જયલક્ષ્મી આપે.
૩ર. જેનોનાં વિદનોને હરનારા કપદી અને માતંગ પ્રમુખ પ્રસિદ્ધ પરાક્રમવાળા અધિષ્ઠાયક યક્ષે મુજને સદા મંગળ આપે.
૩૩. સુકૃતવડે ભાવિત ચિત્તવૃત્તિવાળે અને સૌભાગ્ય ભાગ્યવડે ભરેલે એ જે શુભ મતિવંત પુરુષ આ મંગળાષ્ટકને પ્રભાતસમયે ભણે છે તે સર્વ વિદનોને હણીને જગતમાં મનમાન્યા મંગળને મેળવે છે.
દિવસના પહેલા પહેરની કરણ. ૩૪. ત્યારપછી નિસીહિ કહીને જિનમંદિરે જવું અને સઘળી આશાતના તજીને જિનેશ્વર ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા દેવી.
૩૫ ભેગવિલાસ, હાસ્યચેષ્ટા, નાસિકાદિકને મળ કાઢવો, નિદ્રા, કલેશ અને દુષ્ટ એવી વિકથા કરવી તથા ચાર પ્રકારનો અશનાદિક આહાર કરે–આ બધા આશાતનારૂપ સમજી જિનભુવનમાં અવશ્ય તજવાં. આ ઉપરાંત બીજી પણ નાની મટી અનેક આશાતનાએ દેવવંદનભાળ્યાદિકમાં જણાવેલી છે તે સુએ તજવી.
ક૬. “હે જગન્નાથ! આપને નમસ્કાર (નમેજિણાણું) ઈત્યાદિ સ્તુતિ પદને કહેતાં ફળ, અક્ષત પ્રમુખ પ્રભુની આગળ ઢેકવું–મૂકવું.
૩૭. ખાલી હાથે રાજા, દેવ અને ગુરુ તથા વિશેષ નિમિ
Page #301
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૮ ]
શ્રી કપૂરવિજયજી
ત્તિયાની પાસે દર્શનાર્થે જવું નહિ. કંઇક પણું સરસ ફળ પ્રમુખ લઇને જ જવું, કેમ કે ળવડે જ ફળની પ્રાપ્તિ કરી શકાય છે.
૩૮. પ્રભુની જમણી અને ડાબી બાજુએ અનુક્રમે રહી પુરુષ અને સ્ત્રીએ ઉત્કૃષ્ટ ૬૦ હાથના અને જધન્ય હું હાથના અવગ્રહ ( અંતર ) શકય હાય તે રાખીને શ્રી જિનેશ્વર પ્રભુને વંદન કરવું. ઘરદેરાસરમાં પણ ખની શકે એટલેા અવગ્રહ જરૂર સાચવવે. ( ગુરુમહારાજના પણ યાગ્ય અવગ્રહ સાચનવા ખાસ ફરમાન છે. )
૩૯. પછી ઉત્તરાસન કરી, રૂડી યાગમુદ્રાએ સ્થિત થઇ મધુરી વાણીવડે ભાવિક આત્મા પ્રભુ સમીપે પેાતાની દૃષ્ટિ સ્થાપીને ચૈત્યવંદન કરૂં.
૪. પેટ ઉપર હાથની એ કાણીએ રાખી, કમળના કાશની જેવી એ હાથની આકૃતિ કરી અન્યાઅન્ય (માંહેામાંઢ) આંગળીએ આંતરવાથી ચેાગમુદ્રા થાય છે.
૪૧. ત્યારપછી સ્વસ્થાનકે જઇ પ્રભાત સંબંધી ક્રિયા કરે, અને ભાજન, આચ્છાદન પ્રમુખ ઘરચિંતા કરે.
૪૨. સ્વબંધુએને અને નાકરચાકરેને તેના કાર્ય કરવાનુ જણાવીને પછી પાતે બુદ્ધિના આઠ ગુથ્રાવર્ડ યુક્ત છતા ગુરુ પાસે ઉપાશ્રયે આવે.
૪૩. ( ૧ ) શાસ્રશ્રવણુ કરવાની ઈચ્છા, ( ૨ ) શાસ્રશ્રવણુ, (૩) ગ્રહણુ, ( ૪ ) ધારણા, ( ૫ ) ઊઢું, ( ૬ ) અપેાહુ, (૭) અર્થવિજ્ઞાન અને ( ૮ ) તત્ત્વજ્ઞાન એ બુદ્ધિનાં આઠ ગુણ્ણા છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ર૬૯ ] ૪૪. શાસ્ત્ર શ્રવણ કરે તે ધર્મના મર્મ જાણે, દુર્ગતિને તજે, જ્ઞાનને પામે ( અજ્ઞાનને વારે ) અને વિષયકષાયાદિ પ્રમાદ તજીને વૈરાગ્ય પામે.
૪૫. પંચાંગ પ્રણિપાતવડે ગુરુમહારાજને તથા બીજા સાધુજનોને વાંદી–પ્રણમી ગુરુમહારાજની આશાતનાને તજવાપૂર્વક વિધિ-મર્યાદા સાચવી ગુરુ સન્મુખ બેસવું.
૪૬. મસ્તક, બે હાથ અને બે ઢીંચણવડે ભૂમિળને વિધિ સહિત ઠીક પૂછ-પ્રમાઈને સ્પર્શવાથી પંચાંગ પ્રણામ કર્યો કહેવાય છે.
૪૭. પલાંઠી ન વાળવી, પગ ન પ્રસારવા, પગ ઉપર પગ ન ચઢાવો અને કાખ ન બતાવવી.
૪૮-૪૯. ગુરુમહારાજની પેઠે કે તદ્દન નજદીક કે બન્ને પડખે બેસવું કે ઊભા રહેવું કે ચાલવું નહિ. તેમ જ પિતાથી પહેલાં આવેલાની સાથે વાતચીત કરવી નહિ. ટુંકાણમાં ગુરુને અવિનય થાય તેવું કશું કરવું નહિ.
૫૦. વ્યાખ્યાન વખત થયે છતે રડી બુદ્ધિવાળાએ સ્વસંદેહ ટાળવા અને દેવ, ગુરુના ગુણગાન કરનાર ભેજકાદિકને યથાશક્તિ દાન દેવું.
૫૧. જેણે પ્રતિક્રમણ કર્યું ન હોય તે (પણ) વ્રત-નિયમ કરવા સચિવંત છતો ગુરુમહારાજને વંદન કરે (વાંદણું આપે) અને યથાશક્તિ વ્રત-નિયમ આદરવા સંબંધી ગુરુમહારાજ સમક્ષ પ્રતિજ્ઞા કરી તેનું પાલન કરે.
Page #303
--------------------------------------------------------------------------
________________
[ ર૭૦ ]
શ્રી કપૂરવિજયજી પર. ઉદાર દિલથી દાન આપનાર-દાતા છતાં પણ વ્રતનિયમ વગરનાં મનુષ્ય તિર્યંચની નિઓમાં ઉત્પન્ન થાય છે તેમ જ હાથી, ઘોડાદિકના ભવમાં બંધનાદિક સહિત ભોગ ભેગવતા રહે છે. - પ૩. દાતા–દાનેશ્વરી નરક ગતિમાં જતો નથી, વ્રત, નિયમ પાળનાર-વિરતિવંત તિર્યચપણું પામતે નથી, દયાળુ અ૫આયુષી થતું નથી અને સત્યવક્તા–સદા ય સાચું હિતપ્રિય બેલનાર-દુઃસ્વરવાળે થતું નથી, પણ સુસ્વરવાળો થાય છે.
તપ-પ્રભાવ. ૫૪. તપ, સર્વ ઇદ્રિરૂપી હરણિયાને વશ કરવા મજબૂત જાળતુલ્ય છે, કષાયરૂપ તાપને શાંત કરવા દ્રાક્ષતુલ્ય છે અને કર્મરૂપ અજીર્ણને ટાળવા હરીતકી (હરડે)તુલ્ય છે. આત્માનું શ્રેય કરનાર તપ છે. - ૫૫. જે કંઈ દૂર તેમ જ સાધી ન શકાય અને દેવતાને પણ દુર્લભ હોય તે સઘળું તપવડે સાધી શકાય છે. તપનો પ્રભાવ અચિંત્ય છે. સખ્ત તાપવડે જેમ સુવર્ણની શુદ્ધિ થાય છે તેમ બાહ્ય અભ્યતર બન્ને પ્રકારના તીવ્ર તપવડે કર્મમળનો ક્ષય થતાં આત્મા શુદ્ધ-નિર્મળ થાય છે. આ પ્રમાણે સમજીને જ તીર્થ. કર જેવા જ્ઞાની પુરુષો પણ ઉક્ત ઉભય પ્રકારના તપનું આ– સેવન કરે છે. મેક્ષાથી (મુમુક્ષુ) જનેએ તે શીધ્ર મોક્ષપદની પ્રાપ્તિ માટે ઉક્ત તપનું સેવન અવશ્ય કરવું ઘટે છે અને એવી શ્રદ્ધા રાખી યથાશક્તિ તપ, જપ, વ્રત, નિયમ સદા ય આદરવા.
પ૬. ઉપરોક્ત ધર્મવિધિ આદરીને પછી સુબુદ્ધિ પુરુષ
Page #304
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૭૧ ] ચૌટામાં જાય અને દ્રવ્ય ઉપાર્જન થાય એવો યાચિત
વ્યવસાય કરે. શાસ્ત્રશ્રવણ કરનાર સુબુદ્ધિવંત ન્યાયપાર્જિત દ્રવ્યને જ પસંદ કરે પણ પરિણામે દુઃખદાયી એવા અન્યાયી દ્રવ્યની ઈચ્છા ન જ કરે.
પ૭. સજજન-મિત્રના ઉપકાર માટે અને સ્વજનબંધુઓના ઉદય માટે ઉત્તમ પુરુષે અર્થ ઉપાર્જન કરે છે. અન્યથા સ્વઉદરપોષણ તો કોણ કરતું નથી ? જે પરોપકારના માર્ગે ખર્ચાય તે જ ખરું દ્રવ્ય છે.
૫૮. વ્યાપારગે ચલાવાતી આજીવિકા ઉત્તમ, ખેતી કરી આજીવિકા ચલાવાય તે મધ્યમ, પારકી સેવાચાકરીવડે આજીવિકા ચલાવવી તે અધમ અને ભિક્ષા ( ભિખ) માંગી આજીવિકા કરવી તે અધમાધમ જાણવી.
૫૯, આવા હેતુથી કદાપિ નીચ વ્યાપાર કરવો નહિ તેમ જ કરાવે નહિ, કેમ કે પુન્યથી પ્રાપ્ત થનારી લક્ષ્મી પાપથી કઈ દિવસ વધતી નથી; પણ ઊલટું પાપ કરનારને પાછળથી બહુ કષ્ટ સહન કરવું પડે છે.
૬૦. પાપભીરુ અને વિચક્ષણ હોય તે બહુ આરંભ–સમારંભવાળા, ભારે પાપવાળાં, લોકાપવાદવાળાં અને ઉભય લાકવિરુદ્ધ હોય એવાં કામ (અંગારકર્માદિક પંદર કર્માદાન ) આચરે નહિ.
૬૧. ગમે તેટલા પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય તો પણ લુહાર, ચમાર, મોચી, કલાર અને ઘાંચી તથા વાઘરી વિગેરે સાથે વ્યવસાય કરે નહિ. નીચ દ્રવ્યથી જયવારો ન જ થાય.
Page #305
--------------------------------------------------------------------------
________________
[ ર૭૨ ]
શ્રી કરવિજયજી ૬ર. એવી રીતે પ્રથમ પહોર સંબંધી સમગ્ર વિધિને સેવતો વિશુદ્ધ હૃદયવાળો, ન્યાય-નીતિથી શોભતો અને વિજ્ઞાન (Discriminative Power ) માન પ્રતિષ્ઠા (Self-respect Prestige ) તથા જનપ્રિયતા ( Popularity ) મેળવવા સદા સાવધાન એ શ્રાવક પિતાનાં ઉભય જન્મને સફળ કરે.
દ્વિતીય વર્ગ દિવસના બીજા પહેરે કરવા યોગ્ય શ્રાવકની કરણી,
૧. હવે બીજે પહોરે સુબુદ્ધિવંત સ્વમંદિરે જાય અને જીવજંતુ વગરની ભૂમિ ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસીને સ્નાન કરે-શરીરશુદ્ધિ કરે.
૨. સ્નાન કરવા માટે જળ નીકળવાના નાળવાવાળે એક સુંદર બાજઠ કરાવે કે જેથી એમાંથી નીકળતા જળમાં જીવવિરાધના થવા ન પામે.
૩. રજસ્વલા સ્ત્રી સંબંધી મલિન સ્પર્શ થયે છતે, સૂતક લાગે છતે અને સ્વજનનું મૃતકાર્ય કયે છતે સર્વાગ સ્નાન આચરે–આખે અંગે ન્હાય.
૪. અન્યથા સુજ્ઞ જન દેવપૂજા નિમિત્તે કંઈક ઉષ્ણ (હવાય તેવા) અને ચેડા જળવડે ઉત્તમાંગ-મસ્તકને ભાગ લઈને બીજે બધે શરીરે સ્નાન કરે.
૫. ચંદ્ર અને સૂર્યનાં કિરણેના સ્પર્શથી જગત બધું પવિત્ર થાય છે તે તેના આધારે રહેલું મસ્તક સદા ય પવિત્ર છે એમ ગીજને માને છે–કહે છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૩ ] ૬. ધર્મનિમિત્તે જે સઘળા સદાચાર સેવવામાં આવે છે તે દયાપ્રધાન હોય છે. સદા ય મસ્તક છેવાથી તે તગત જીવોને ઉપદ્રવ થાય છે.
૭. નિત્ય નિર્મળ જ્યોતિને ધારણ કરતા એવા આત્માની સ્થિતિ હોવાથી કાયમ વસ્ત્રવડે વેષ્ટિત એવું પણ મસ્તક પવિત્ર જ છે.
૮. જે બાહ્ય દષ્ટિવાળા લોકો સ્નાન કરતી વખતે અતિ ઘણું જળને ઢાળવાથી જતુઓને નાશ કરે છે તે શરીરને શુદ્ધ કરતાં આત્માને મલિન કરે છે.
૯. ન્હાતાં પહેરેલું પોતીકું મૂકી, બીજું વસ્ત્ર પહેરી, જ્યાં સુધી પગ ભીના હોય ત્યાંસુધી જિનેશ્વરનું સ્મરણ કરતા ત્યાં જ ઊભા રહેવું.
૧૦. નહિ તો વળી પગને મળ સંસ્પર્શ થવાથી મલિનતા થાય અથવા તેની સાથે લાગેલા જીવને ઘાત થવાવડે મહાપાતક લાગે.
૧૧. પછી ગૃહત્ય (ઘરદેરાસર) પાસે જઈ, ભૂમિશુદ્ધિ કર્યા બાદ પૂજા, સેવા કરવા નિમિત્તે વસ્ત્રો પહેરીને આઠપડે મુખકેશ બાંધે.
૧૨. દેવપૂજાના પ્રસંગે મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજે પગરણ અને વિધિ શુદ્ધતા સંબંધી સાત પ્રકારની શુદ્ધિ સાચવવી જોઈએ.
૧૩. પૂજાવિધિ સાચવતાં પુરુષે કદાપિ પણ સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ તેમજ સ્ત્રીએ પુરુષનું વસ્ત્ર પણ પહેરવું નહિ, કેમકે
૧૮
Page #307
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કરવિજયજી તે કામ ય રાગને વધારનાર છે. (એમ દરેક બાબતમાં પણ સમજી લેવું).
૧૪. વિશાળ અને સુંદર ચેખા કળશામાં આણેલા જળવડે જિનેશ્વરના અંગને અભિષેક કરી, ઉત્તમ વસ્ત્રવડે તેને લૂછી પછી અષ્ટ પ્રકારે પ્રભુની પૂજા કરવી.
અષ્ટ પ્રકારી પૂજા પ્રસંગે બોલવાનું પૂજા અષ્ટક. ૧૫. ઘનસાર ભેળવેલા અને (કેશર) કસ્તૂરીના રસયુક્ત મનહર ઊંચા ચંદનવડે, દેવેન્દ્રોએ પૂજાએલા અને રાગાદિ દેષરહિત ત્રિભુવનપતિ જિનેશ્વર દેવને હું અચું છું-પૂજું છું. ૧ ચંદનપૂજા,
૧૬. જાઈ, જૂઈ, બકુલ, ચંપક અને પાટલાદિ પુપિવડે તેમ જ કલ્પવૃક્ષ, કુંદ અને શતપત્ર કમળાદિ અન્ય અનેક પુપવડે, સંસાર-કલેશને નાશ કરનારા અને કરુણાપ્રધાન એવા જિનેશ્વર દેવને પૂજું છું. ૨. પુપપૂજા,
૧૭. કૃષ્ણાગ અને પુષ્કળ કપૂર સહિત સારી રીતે કાળજીથી બનાવેલો ધૂપ શ્રી જિનેશ્વરદેવની પાસે પોતાના પાપનાશ માટે ખૂબ આનંદથી હું ભક્તિવડે ઉખેવું છું. ૩. ધૂપપૂજા( ૧૮. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ચિન્તવન કરી ઉજવળ અને અક્ષત-તંદુલવડે ભક્તિથી પ્રભુ પાસે ત્રણ ઢગ કરીને તેમ જ બીજાં સાધન વડે પણ શ્રી જિનેશ્વરદેવને હું અર્ચપૂછું છું. ૪. અક્ષતપૂજા.
૧૯ ઉત્તમ નાળીએર, પનસ, આમળાં, બીજેરા, બીર,
Page #308
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૭૫ ] સેપારી અને આમ્રા( આંબા )દિક ફળવડે અસાધારણ શાન્તિવાળા અને સ્વર્ગાદિક ભારે ફળને આપનારા શ્રી દેવાધિદેવને હું અત્યંત હર્ષથી પૂજું છું. ૫. ફળપૂજા.
૨૦. ઉત્તમ ભેદક, વડાં, માંડા (માલપૂડા) અને ભાત, દાળ પ્રમુખ અનેક રસવાળાં અન્નભેજનવડે, ક્ષુધા તૃષાની વ્યથાથી મુક્ત થયેલા તીર્થ પતિને સ્વહિત કરવા માટે હું સદા ય આદરભાવથી ભજું છું. ૬. નૈવેદ્યપૂજા.
૨૧. જેણે પાપપડલ ભેદી નાંખ્યાં છે અને આખા બહ્યાંડને અવલોકન કરવાની જ્ઞાનકળા (કેવળજ્ઞાન ) યુક્ત સદાદિત અને સમતાના સાગર એવા જિનેશ્વર પાસે મારા અજ્ઞાનાંધકારને ટાળવા હું ભક્તિવડે દીપક પ્રગટ કરું છું. ૭. દીપપૂજા,
૨૨. ગંગાદિક શાશ્વતી નદી, નદ, સરોવર અને સાગરના નિર્મળ તીર્થજળવડે નિર્મળ સ્વભાવવાળા અને દુર્ધર કામ, મદ અને મોહરૂપી અજગરને દમવા માટે ગરુડ જેવા શ્રી જિનેશ્વરદેવને સંસારનો તાપ શમાવવા માટે હું યજું છું. ૮. જીપૂજા,
૨૩. આ અસાધારણ પૂજાષ્ટક સ્તુતિનો પાઠ ભણું જે શુભાશય સજજન આ મનહર વિધિ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે તે ધન્ય-કૃતપુન્ય મહાશય દેવ અને મનુષ્ય સંબંધી અખંડિત સુખને અનુભવી, નજદીકના વખતમાં અક્ષય અને અવ્યાબાધ મેક્ષ–સુખ પણ મેળવે છે. ગૃહત્ય (ઘરદેરાસર ) અથવા વ્યક્તિત્વનું સ્થાન અને
તેમાં પૂજાવિધિ. ૨૪. સ્વભુવન( મહેલ)માં જતાં ડાબે હાથે ( ડાબી
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ર૭૬ ]
શ્રી કપૂરવિજયજી બાજુએ) પવિત્ર અને શલ્ય વગરની દેઢ હાથ ઊંચી ભૂમિ ઉપર સુજ્ઞ નર દેવાલય કરે.
૨૫. પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ રહી પૂજા કરનારે વિદિશાઓ સાથે અગ્નિકોણ અવશ્ય વર્જવી, તે તરફ પૂજા કરનારે ઊભા ન રહેવું.
૨૬. પૂર્વ દિશા સમુખ પૂજા કરતાં લક્ષ્મીને લાભ થાય, અગ્નિકોણ સન્મુખ રહેતાં સંતાપ થાય, દક્ષિણ દિશા સન્મુખ રહેતાં મૃત્યુ થાય અને નૈરૂત્ય કેણ સન્મુખ પૂજા કરતાં ઉપદ્રવ થાય.
૨૭. પશ્ચિમ દિશામાં ઊભા રહેતાં પુત્રદુ:ખ, વાયવ્યકોણમાં પ્રજાહાનિ, ઉત્તર દિશામાં મહાલાભ અને ઈશાનકેણમાં ધર્મવાસના થાય.
૨૮–૨૯. વિવેકી જનાએ જિનેશ્વર દેવની પૂજા પ્રથમ બને ચરણ, જાનું (ઢીંચણ), હસ્ત-ભૂજ, ખભા અને મસ્તક ઉપર અનુક્રમે કરવી. પછી અનુક્રમે લલાટ, કંઠ, હૃદય અને જઠર ઉપર તિલક કરવાં. કેશર સહિત ઉત્તમ ચંદન વગર પ્રભુપૂજા થઈ ન શકે.
૩૦. પ્રભાતમાં શુદ્ધ સુગંધી ચૂર્ણ(વાસક્ષેપ)વડે, મધ્યાહ્ન. વખતે પુપિવડે અને સંધ્યા સમયે ધૂપ, દીપકવડે સુએ પ્રભુપૂજા કરવી.
૩૧. ફૂલના બે ટુકડા ન કરવા તેમ જ કાચી કળી પણ છેદવી-તડવી નહિ. પત્રને કે પુષ્પને છેદવા–ભેદવાથી હત્યા જેવું પાતક લાગે.
૩૨. હાથથકી પડી ગયેલું, પગે કે ભેંય પર લાગેલું તેમ જ મસ્તક ઉપર રહેલું ફૂલ કદાપિ પ્રભુપૂજામાં લેવા ગ્ય ન ગણાય.
Page #310
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૭૭ ]
૩૩. નીચ જનાએ નહિ સ્પર્શેલુ, કીડાએ નહિ ખાધેલુ ( કરડેલું), ખરાબ વસ્ર-પાત્રમાં નહિ ધરેલું, અને સુગંધ વગરનું તેમ જ ઉગ્ર ગંધવિનાનું પુષ્પ પ્રભુપૂજામાં ઉપયોગી સમજવુ.
૩૪. પ્રભુની ડાબી બાજુએ ધૂપ ઉખેવવા અને બીજોરુ કે જળકુંભ તા પ્રભુની સન્મુખ રાખવા. નાગરવેલી પાન અને ફળ પ્રભુના હાથમાં રાખવાં,
એકવીશ પ્રકારી પૂજા.
૩૫, સ્નાત્ર 1--અભિષેક, ચંદન, દીપ, ધ્રુપ, લ, નૈવેદ્ય, જળ, ધ્વજા-પતાકા, વાસક્ષેપ, અક્ષત-ચેાખા, સેાપારી, નાગરવેલી પાન, રૉકડનાણું, ફળ, વાજિંત્રધ્વનિ, ગીત, નૃત્ય, સ્તુતિ, ઉત્તમ છત્ર, ચામર અને આભૂષાવડે અરિહંત દેવની એકવીશ પ્રકારે પૂજા થઈ શકે છે.
૩૬. સુપર્વ દિવસે તથા તીયેાગ સમયે ભવ્ય જના ઉપરક્ત એકવીશ પ્રકારની પૂજા રચે અને પૂર્વકત રુડી રીતે અષ્ટપ્રકારી પૂજા તે। સદા ય કરે. ભાવ સહિત જે જે રૂડું અને તે બનાવવુ,સ્વહિતકાર્ય માં પ્રમાદવશ શિથિલતા કદાપિ કરવી નહિ.
૩૭. પછી સવિશેષ ધર્મના લાભ મેળવવાની ઇચ્છાએ સ્વચ્છ વસ્ત્રવડે શેભિત છતા અશુચિ માને તજતે ગામચૈત્યે-નગરચૈત્યે જાય.
૩૮. હું જિનમ ંદિરે જઇશ એ રીતે હૃદયમાં ધ્યાતાં ચતુર્થ (ઉપવાસ )નું ફળ પામે. જવા ઊઠે એટલે છઠ્ઠું ( એ ઉપ
Page #311
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૮ ]
શ્રી કરવિજયજી વાસ) અને જિનમંદિરે જવા નિમિત્તે માર્ગે ચાલતાં અઠ્ઠમ(ત્રણ ઉપવાસ)નું ફળ પામે.
૩૯જિનમંદિર દેખે ચાર ઉપવાસ અને દ્વારે આવતાં પાંચ ઉપવાસનું ફળ પામે. મધ્યે આવતાં ૧૫ ઉપવાસ અને પ્રભુપૂજન કરતાં એક માસના ઉપવાસનું ફળ પામે. દઢ નિશ્ચયથી પ્રભુ સન્મુખ જઈ વિધિ સહિત પ્રભુ દર્શન, વંદન, પૂજન અને સ્તુતિ, સ્તવનાદિવડે પ્રભુ સાથે તન્મયતા કરનાર મહાશય મહાત્ લાભ સહેજે મેળવી શકે છે.
૪૦. ત્રણે નિસિહી કહી સુજ્ઞ જન ચેત્યની અંદર પેસે અને ચેત્ય સંબંધી સંભાળ કર્યા પછી હર્ષપૂર્વક શ્રી જિનેશ્વરની પૂજા કરે. - ૪૧. મૂળનાયક પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી અંદર અને બહાર રહેલી બીજી બધી પ્રતિમાજીઓનું માર્જન કરી પુના સમૂહવડે પૂજે-પુપોના પગાર ભરે.
૪૨. અવગ્રહથી બહાર નીકળીને અરિહંત પ્રભુને આદર સહિત વંદન કરે અને વિધિયુક્ત પ્રભુસમુખ રહીને (ઉલ્લસિતભાવથી ) ચૈત્યવંદન કરે.
ચિત્યવંદન વિધિ. ૪૩. એક શક્રસ્તવતનમણૂણું)વડે જઘન્ય, બે વડે મધ્યમ અને પાંચ શકસ્તવવડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. એ રીતે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું ચૈત્યવંદન થાય છે. અથવા એક નમસ્કારવડે જઘન્ય, બેવડે મધ્યમ અને ૧૦૮ નમસ્કારવડે ઉત્કૃષ્ટ થાય છે. અહીં સ્તુતિ કાદિકરૂપ નમસ્કાર સમજ.
Page #312
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૦૯ ]
૪૪. શક્રસ્તવાદિક સ્તુતિ કરતાં ચેાગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા અને જય વીયરાય, ' જાવતિ ચેઈયાઇં’ અને ૮ જાવંત કેવિ સાહૂ ' એ ત્રણ પ્રણિધાન કહેતી વખતે મુક્તાણુક્તિમુદ્રા કરવી.
૪૫. પેટ ઉપર હાથની કાણીએ સ્થાપી, કમળના ડાડાની જેમ હાથ કરી, અન્યાઅન્ય આંગળીએ આંતરવાથી યાગમુદ્રા
થાય છે.
૪૬. ચાર આંગળ આગળ અને કઈક ન્યૂન પાછળ એ રીતે બે પગ વચ્ચે અંતર રાખી ઊભા રહેવુ' તેને જિનમુદ્રા કહી છે.
૪૭. મને હસ્ત સરખા અને પેાલા રાખી લલાટને લગતા રખાય તે મુક્તામુક્તિમુદ્રા કહેવાય છે.
ભાજનિધિ.
૪૮. પછી જિનેશ્વર પ્રભુને નમી, આવસહી કહી ઘરે જાય અને ભક્ષ્યાભક્ષ્યમાં વિચક્ષણ છતા સ્વજન-બંધુએ સગાતે લેાજન કરે.
૪૯. પગ ધાયા વગર, ક્રોધાંધ છતા, દુચના મેલતા દક્ષિણ દિશા સન્મુખ બેસી ભાજન કરે તે તે રાક્ષસભાજન જાણવું.
૫૦. શરીરશુદ્ધિ સાચવી, શુભ સ્થળે નિશ્ચળ આસને એસી, દેવગુરુનુ સ્મરણ કરી જમે તે તે માનવભાજન જાણવું.
૫૧. સ્નાન કરી, દેવપૂજા સારી રીતે કરી અને પૂજ્ય ગુરુજનાને હ યુક્ત નમી–વંદન કરી, સુપાત્રાને દાન દઇ પછી જમે તે ઉત્તમ ભેાજન જાણવું.
Page #313
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી
પર. ભાજન, વિષયભાગ, સ્નાન, વમન તથા દાતણ કરતાં, દિશા (જંગલ) જાતાં ( વડીનીતિ કરતાં ) અને શ્વાસાદિ નિરાધ પ્રસંગે સુજ્ઞજન મીન ધારણ કરે.
૫૩. ભાજન કરતાં અગ્નિ અને નૈરૂત્ય કાણુ તથા દક્ષિણ દિશાવવી, તેમ જ સંધ્યાસમય ( સાંજ, સવાર અને મધ્યાહ્ન ), ચંદ્ર સૂર્ય સંબંધી ગ્રહણ સમય અને સ્વજનાદિકનુ શખ પડયું હાય ત્યાંસુધી લેાજન વવુ
૫૪. છતે પૈસે જે ભેાજનાદિકમાં કૃપણુતા કરે છે તેને હું મન્રુતિ ( મતિહીન ) માનુ છું. તે અહીં કેાઇ ખજાના નશીબ માટે ધન પેદા કરે છે.
ભક્ષ્યાભક્ષ્યવિચાર.
૫૫. અજાણ્યા ભજનમાં અને જ્ઞાતિભ્રષ્ટ હેાય તેને ત્યાં ભાજન કરવું નહિ, તેમ જ અજાણ્યાં અને નિષેધેલાં અન્ન ફળ પણ ખાવાં નહિ.
પ૬. ખાળ, સ્ત્રી, ગર્ભ અને ગાહત્યા કરનારા, આચાર લાપનારા અને સ્વગેાત્રમાં કલેશ કરાવનારની પક્તિમાં જાણી જોઇને સુજ્ઞજને બેસવું નહિ.
૫૭-૫૮. મદિરા, માંસ, માખણ, મધ, વડ આદિના ટેટા (ળ), અનંતકાય (કંદમૂળ વિગેરે), અજાણ્યાં ફળ તથા રાત્રિસમયે ભાજન, કાચા ગેારસ (દૂધ દહીં કે છાશ) સાથે કઠેાળ, વાસી ચાખા વિગેરે ધાન્ય, એ દિવસ ઉપરાંત રાખેલુ દહીં અને જેનાં વણુ, ગંધ, રસ, સ્પર્શે બદલાઇ ગયા હાય એવાં બગડેલાં અન્ન જરૂર વ વાં
Page #314
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૧ ] - ૫૯. જિન ધર્મ પાળવામાં તત્પર હોય તે શ્રાવક-શ્રાવિકાઓ જીવાતવાળાં ફળ, ફૂલ, પત્ર કે બીજું જે કાંઈ હોય તે તથા બાળ આથણું પણ ખાય નહિ. જીભના રસમાં ગૃદ્ધ બનીને ક્ષણ માત્ર દેખાતાં નજીવાં સુખની ખાતર આત્માને મલિન કરે નહિ.
૬૦. આહાર અને નિહાર કરતાં ઘણું વાર લગાડવી નહિ તેમ જ જળપાન તથા જ્ઞાન બહુ ઉતાવળાં કરવાં નહિ-સ્થિરતાથી કરવાં.
૬૧. ભેજન પહેલાં જળપાન કરવું તે વિષ જેવું, ભેજન કર્યા પછી ઉપર જળપાન કરવું તે પથ્થર જેવું અને ભજન કરતાં વચમાં જળપાન કરવું તે અમૃત સમાન પરિણામ આપે છે.
૬૨. અજીર્ણ જણાતું હોય તો ભજન ન કરવું, અજીર્ણ મટ્યાબાદ પ્રકૃતિને માફક આવે એવું (સાદું-હળવું ) ભજન કરવું અને ભજન કરી રહ્યા પછી પાન, સોપારીવડે મુખશુદ્ધિ કરવી. તેને (પાન સોપારીને) ત્યાગ હોય તેણે બીજી નિર્દોષ વસ્તુથી મુખશુદ્ધિ કરવી.
૬૩. વિવેકવંત હોય તે માર્ગમાં હાલતાચાલતાં તાંબૂલ ન ખાય તેમ જ પુન્યમાર્ગનો જાણું હોય તે સોપારી પ્રમુખ આખું ફળ દાંત વડે ભાગે નહિ, પણ જોઈ તપાસીને જ ખાય.
૬૪. ભેજન કર્યા બાદ શ્રીમાતુ ન હોય તો વિચારવાનું (બુદ્ધિશાળી–પરિણામદશી) દિવસે ઊંઘે નહિ કેમ કે દિવસે ઊંઘનારના શરીરમાં વ્યાધિ થવાનો સંભવ રહે છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
'
'
[ ૨૮૨ ]
શ્રી કપૂરવિજયજી તૃતીય વર્ગ ૧. પછી ગૃહશેભાને જેતે છત, વિદ્વાનોની ગેછી કરવા તત્પર રહી પુત્રાદિક પરિવારને હિત-શિખામણ દેતા સુખે બે ઘડી સુધી (ઘરે જ) સ્થિરતા કરે–વિશ્રાન્તિ લેય.
૨. અનેક સદ્દગુણ સંપ્રાપ્ત થયે છતે અને ધનાદિક સંપદાને પુન્યાધીન લેખે છતે, સમસ્ત તત્ત્વ(હિતાહિત)ને સારી રીતે સમજનાર વિવેકી નર સદ્દગુણથી પડતા નથી.
૩. વંશ(જાતિ-કુળ)હીન મનુષ્ય પણ સગુણવડે ઉત્તમતાશ્રેષ્ઠતા--પૂજ્યતાને પામે છે. જુઓ પંક-કાદવમાંથી પેદા થયેલું પંકજ-કમળ માથા ઉપર ચઢાવાય છે અને કાદવ પગવડે કચરાય છે.
૪. ઉત્તમ સ્ત્રી-પુરુષોની ખાણ કંઈ હોતી નથી, તેમ જ એવું કુળ પણ જગતમાં ભાગ્યે જ હોય છે. સ્વાભાવિક રીતે મનુષ્ય જ સ્વગુણવડે જગતમાં સર્વ વડે પ્રશંસાપાત્ર થયેલા છે.
પ. જેમ સત્કાદિક ગુણેવડે સંપૂર્ણ હેય એ મનુષ્ય રાજ્યપાલન કરવા યોગ્ય કહેવાય છે તેમ આગળ કહેવાતા એકવીશ ગુણવડે યુક્ત માનવ સર્વોક્ત ધર્મને લાયક ગણાય છે. પવિત્ર ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે આદરવા લાયક ૨૧
ગુણેનું વર્ણન. ૬-૭-૮ (૧) ક્ષુદ્રતા વગરનું–અક્ષુદ્ર-ગંભીર હૃદય, જેથી પરાયાં છિદ્ર નહિ જોતાં ગુણ જ ગ્રહણ કરવાનું બને.
(૨) શીતળ પ્રકૃતિ–આચાર, વિચાર અને વાણીની મીઠાશ, જેથી સહુને શાન્તિ-સમાધિ ઉપજે.
Page #316
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૩ ] (૩) ભવ્ય આકૃતિ, ઈન્દ્રિયપટુતા, શરીરઆરોગ્ય અને સુંદર બંધારણું, હોવાથી ધર્મ સંબંધી ધાર્યું કામ થઈ શકે
(૪) લોકપ્રિયતા-સ્વાર્થ તજી લેકોપકારી કાર્ય કરવાની ઊંડી હોવી જોઈએ કે લાગણીથી સહુ સંગાથે મેળવેલી મીઠાશ-વહાલપ.
(૫) મનની અકઠોરતા-મૃદુતા-કોમળતા, જેથી કઈ પણ પાપકાર્ય તીવ્ર પરિણામે કરી ન શકે, મન કેમળ રાખે.
(૬) પાપનો યા પરભવને ડર અથવા ગુરુજનેની યા વડીલેની બીક હેવી જોઈએ કે જેથી કોઈ પણ અકાર્ય કરતાં પાછા હટે.
(૭) નિષ્કપટ-નિખાલસ વૃત્તિ, જેથી કરવું કંઈ અને કહેવું કાંઈ એવી કપટક્રિયાથી વેગળું રહેવાય.
(૮) સુદાક્ષિણ્ય-પિતાની ઈચ્છા નહિ છતાં, જેથી સામાનું મન સંપાદન થઈ શકે એવી ભલી નિર્દોષ દાક્ષિણ્યતા.
(૯) લજજાળુતા–અદબ અથવા મર્યાદા, જેથી અકાર્ય તજી સત્કાર્યમાં સહેજે જોડાઈ શકે.
(૧૦) દયાલુતા–દયાતા, જેથી ગમે તેનું દુ:ખ દેખી પિતાનું દિલ દ્રવે અને તેના ઉપર અનુકંપા આવે.
(૧૧) મધ્યસ્થતા-નિષ્પક્ષપાતબુદ્ધિ, જે વડે ગમે તેના ગુણ દોષને સ્વબુદ્ધિરૂપી તલાવડે તળી-માપી શકે.
(૧૨) સૈય્યદષ્ટિ–સહુ ઉપર સમભાવ, અમીભરી નજર જેથી સહુને પ્રિય લાગે, કોઈને અપ્રીતિ ન ઉપજે. કોઈ સ્થળે અગ્યારમા તથા બારમા બંને ગુણને એક સાથે ગણું વિશેષજ્ઞતા ગુણ કહેવામાં આવેલ છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪ ]
શ્રી કપૂરવિજયજી
(૧૩) ગુણાનુરાગ–સદ્ગુણુ કે સદ્ગુણી ઉપર નિ:સ્વાર્થ પ્રેમ, જેથી એવા ઉત્તમ ગુણુ આપણામાં સંક્રાન્ત થાય.
(૧૪) સત્કથારુચિ-વિકથા યા નકામી કુથલી નહિ કરતાં સત્પુરુષાનાં હિતવચના કે ચિરત્રા વખાણવાની પ્રીતિ.
(૧૫) સુપક્ષ-ધર્મિષ્ટ કુટુંબ વિશાળ બળીયુ' હાવાથી ધર્મમામાં કાઇ પરાભવ કરી શકે નહિં કરતાં ડરે.
( ૧૬ ) દીર્ઘ દ્રષ્ટિ-શયાશય, દ્વિતાહિત અને લાભહાનિના વિચાર કરી શક્ય કાર્યના આર ંભ કરે, સાહસ ન કરે.
(૧૭) વૃદ્ધસેવા-આચારવિચારમાં કુશળ એવા શિષ્ટ પુરુષાને અનુસરી ચાલવાની નિરભિમાન વૃત્તિ.
(૧૮) વિનય-ગુણાધિકનું ઉચિત ગારવ-સન્માન સાચવવુ, જેથી વિદ્યા, વિવેકાદિક ગુણેાની સહેજે પ્રાપ્તિ થાય.
(૧૯) કૃતજ્ઞતા-અન્ય ઉપકારી જનેાએ આપણા ઉપર કરેલા ઉપકારનું વિસ્મરણ નહિ કરતાં તેનુ સદેાદિત સ્મરણુ રાખી તેના બદલેા વાળવા તક મળે તે તે જવા નઢુિ દેવાની ચીવટ.
(૨૦) પરેાપકારશીલતા-નિ:સ્વાર્થ પણે સ્વકર્ત્તવ્ય સમજીને અન્ય જીવાને ઉદ્ધરવાની ઉત્કટ ઇચ્છા અને તત્પરતા.
(૨૧) લબ્ધલક્ષ-કાઇપણ કાર્ય ને સુખે સાધી શકે એવી કાર્યદક્ષતા, ચંચલતા અને સાવધાનતા.
કરવાવડે આપણી
ઉક્ત એકવીશ શુષ્ણેાના દૃઢ અભ્યાસ હૃદયભૂમિ શુદ્ધ નિર્દોષ અની સધર્મ યાગ્ય થવા પામે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૫ ]
૯. ઘણું કરીને રાજકથા, દેશકથા, સ્રીકથા અને ભેાજનકથા, જેથી અલાભ કશા ન હાય અને ઊલટા અનર્થ થવા સંભવ હૈાય તે બુદ્ધિશાળી તજે. નકામી કુથલીએ કરી કાળક્ષેપ કદાપિ ન કરે.
૧૦. સુમિત્ર ખંધુએ સગાતે માંહામાંહે ધર્મકથા કરે અને શાસ્ત્ર-અના જાણુ એવા વિદ્વાનેા સંગાતે શાસ્રા સંબધી રહસ્યા-ખરી ખૂબીઓ વિચારે. એવી રીતે પોતાના વખત સાર્થક કરે.
૧૧. જેની સેામતથી પાપમુદ્ધિ થાય ( બુદ્ધિ મલિન થાય ) તેવાની સંગતિ વર્ષે અને તન, મન, વચનથી કાઇ રીતે પણ ન્યાય—નીતિ ચા પ્રમાણિકતાનું ધારણ કદાપિ ન તજે.
૧૨. સજ્જન મનુષ્ય કેાઇના પણ અવણૅ વાદ ન મેલે. પિતા, ગુરુ, સ્વામી અને રાજાદિકના તેા ન જ મેલે.
માત,
૧૩. મૂર્ખ, દુષ્ટ-હીણાચારી, મલિન, ધનિ ંદક, દુ:શીલ, લેાભી અને ચારા સાથેની સખત સર્વથા વજે.
૧૪–૧૮. મૂર્ખનાં ચિહ્નો-અજાણ્યાની પ્રશંસા કરવી, તેને રહેવા માટે તથાપ્રકારનું સ્થાન આપવું, અજાણ્યા કુળ સાથે સંબંધ જોડવા, અજાણ્યા નાકર રાખવા, મેાટા ડિલ ઉપર કાપ કરવા, વહાલા સાથે વિરાધ કરવા, ગુણીજના સાથે વિવાદ કરવા, પાતાથી ઊંચા દરજ્જાના નાકર રાખવા, પારકું દેવુ કરીને ધર્માંકૃત્ય કરવાં ( ઋતુ લેણું ન માગવુ' ), છતે પૈસે કૃપણુતા કરવી, સ્વજના સાથે વિરાધ કરવા, પરાયાં સાથે મિત્રતા રાખવી, દુ:ખથી મુક્તિ મેળવવા માટે પર્વત જેવા ઊંચા
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી સ્થળે ચઢી પૃપાપાત કરે, નેકરને દંડી ભેગવિલાસ કરે, દુઃખી હાલતમાં કર્મ ઉપર આશા રાખી બેસી રહેવું અથવા બંધુને આશ્રય માગ, પોતે પોતાના ગુણનું વર્ણન કરવું, બોલીને પિતે જ હસવું, જેનું તેનું જે તે ખાવું-આ ઉપર વર્ણવેલાં વિરુદ્ધ કામ કરવાં એ સઘળાં મૂર્ખતાનાં ચિહ્ન સમજી સુજ્ઞજનેએ અવશ્ય તજવાં–પરિહરવાં.
૧૯. ન્યાયપાર્જિતદ્રવ્યને ખપ કરે, દેશ વિરુદ્ધ અને કાળ વિરુદ્ધ ચર્ચા, ગમનાગમન તજે, રાજાના દુશ્મને સાથે સંગતિ ન કરે અને (ગમે તેવાં નબળાં પણ) ઘણા લોકો સાથે વિરોધ ન કરે. - ૨૦-૨૪. સરખા કુળ અને આચારવાળા અન્યત્રીય સાથે વિવાહ કરે અને ભલા પડેશમાં ઘર બાંધી સ્વજન કુટુંબ બીજને સાથે રહે. ઉપદ્રવવાળું સ્થાન તજે. આવકના પ્રમાણમાં જ ખર્ચ કરે. સ્વસંપત્તિ અનુસારે પહેરવેશ રાખે અને લેકવિરુદ્ધ કામ ન કરે. દેશાચારનું સેવન કરે, સ્વકર્તવ્ય ધર્મને ન તજે, આશ્રયે આવેલાનું હિત કરે, સ્વશક્તિને ખ્યાલ રાખી ઉચિત કાર્ય કરે, હિતાહિતને વિશેષ ખ્યાલ રાખે, ઇન્દ્રિયોને સારી રીતે નિયમમાં રાખે, દેવ-ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિભાવ રાખે તેમ જ સ્વજન, અનાથ અને અતિથિ-સાધુસંતની સેવાચાકરી કરે. એવી રીતે ચતુર જનોની સંગાતે વિચારચાતુર્ય રીતે, શાસ્ત્રને સાંભળતો કે ભણતો કેટલેક વખત વ્યતીત કરે-નકામે કાળક્ષેપ ન જ કરે.
૨૫. પછી દ્રવ્યઉપાર્જન કરવાના ઉપાય કરે પણ નશીબ ઉપર જ આધાર રાખીને બેસી ન રહે, કેમ કે રીતસર ઉદ્યમવ્યવસાય કર્યા વગર કદાપિ મનુષ્યનું ભાગ્ય ફળતું નથી.
Page #320
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૮૭ ] ૨૬. શુદ્ધિ વ્યવહારવડે સદા ય વ્યવસાય કરતે ફૂડ તેલ, માન કે લેખ (દસ્તાવેજ) કરવાનો ત્યાગ કરે.
૨૭–૨૮. અંગારકર્મ, વનકર્મ, શકટ (ગાડાં વિગેરે) કર્મ, ભાટક ( ભાડા) અને ઑટક (ધરતી ફેડવાના) કર્મવડે આજીવિકા તજે, તથા દાંત, લાખ, રસ, કેશ અને વિષ સંબંધી કુવાણિજ્યનો ત્યાગ કરે, તેમ જ યંત્રપલન, નિલંછન (ખસી કરવાનું ), અસતીષણ (કૂર જીવેનું પાલન ), દવદાન (બાળી મૂકવું) અને તળાવ વિગેરે સૂકાવવા–એ ઉપર જણાવેલાં પંદર કર્માદાન ધર્માથી જનેએ અવશ્ય વર્જવા.
૨૯. લેખંડ, મહુડાનાં ફૂલ, મદિરા, મધ તેમ જ કંદમૂળ તથા પત્ર-શાખાદિક બુદ્ધિશાળી હોય તે વ્યાપાર અર્થે આદરે નહિ. ઉપર જણાવેલા સઘળા પાપ વ્યાપાર સુજ્ઞજન કરે નહિ.
૩૦. ફાગણ માસી ઉપરાંત તલ અને અલસી રાખે નહિ તેમ જ જંતુવ્યાસ ગોળ તથા ટોપરાં પ્રમુખ ચોમાસું (અષાઢી) આવ્યું છતે રાખે નહિ. જે જે વસ્તુને સંગ્રહ કરવાથી ત્રસાદિ જીવને સંહાર થાય તે વસ્તુને સંચય સુબુદ્ધિવંત હોય લેવિશ બની કરે નહિં.
૩૧. ચોમાસામાં ગાડાં અથવા બળદને હંકાવે નહિ, તેમ જ અનેક ત્રસાદિક જીવોની હિંસાકારક કૃષિકર્મ (ખેડ) પણ પ્રાયઃ કરાવે નહિં.
વ્યાપાર-વ્યવસાય કરવાની કુનેહ અને સ્વધર્મરક્ષા. ૩૨. વ્યાજબી મૂલ્ય મળતું હોય તે વસ્તુ વેચી દેવી
Page #321
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ]
શ્રી કપૂરવિજયજી
પણ અધિક અધિક મૂલ્ય ઇચ્છવું નહિ, અતિ મૂલ્ય કરનાર લેાભી માણસનાં નાણાં સમૂળગાં નાશ પણ પામી જાય છે.
૩૩. ભારે મોટા લાભ મળતા હાય તેા પણ ઉધારે આપવુ નહિ તેમ જ લેાભવશ થઇ સામું ઘરેણુ રાખ્યા વગર વ્યાજે ધન આપવું નહિ, ચિન્તા હૈારી લેવી ન પડે તેવુ કાર્ય કરવું.
૩૪. ધર્મના મર્મ સમજનાર જાણી જોઇને ચારીના માલ ગ્રહણ કરે જ નહિ, અને વિવેકવત હાય તે વ્યાપારમાં સરસનિરસ વસ્તુની સેળભેળ કરી દગલબાજીભર્યાં ધંધા કરે નહિ.
૩૫. ચાર, ચંડાળ, ધૂર્ત –ઠગ, મલિન અને પતિત–પાપીજના સાથે, આ લેાક પલાક સંબંધી સુખની વાંછા રાખનારે કશે। વ્યવહાર ( વ્યાપાર-વ્યવસાય ) કરવા નહિ.
૩૬. વિચક્ષણ હાય-પરભવથી યા પાપથી ડરતે હૈાય તે વેચાણ કરતા વસ્તુનુ હું મૂલ્ય કરે નહિ; વ્યાજબી મૂલ્ય જ કરે અને અન્યની વસ્તુને લેતાં જે કરાર કર્યા હાય તે લેાપે નહિ. કોઇ વસ્તુ શ્વેતાં કે લેતાં લેાભવશ નહિ થતાં પ્રમાણિકપણું બરાબર સાચવી રાખે.
૩૭. સુબુદ્ધિવત હાય તે અણુદીઠેલી વસ્તુનું સાચું ન જ કરે, તેમ જ સુવણૅ રત્નાદિક કિંમતી ચીજો પ્રાય: પરીક્ષા કર્યો વગર ગ્રહણ ન કરે,
૩૮. રાજાના પ્રતાપ વગર અનર્થ અને આવી પડેલ આપદાનુ નિવારણ થવા ન પામે તેથી સ્વત ંત્રપણું સાચવી રાખી રાજાઆને યથાયાગ્ય અનુસરે.
Page #322
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ ૫ :
| ૨૮૯ ]
૩૯. તપસ્વી, કવિ, વૈદ્ય, મના જાણુ, રસાઇ કરનાર, મંત્રવાદી અને પોતાના પૂજ્ય વડિલેાને કદાપિ ગુસ્સે કરવા નહિ. તેમને કાપાવવાથી દ્રવ્યભાવથી અનિષ્ટ થવા પામે છે.
૪૦. અર્થ ઉપાર્જન કરવા તત્પર થયેલાએ અતિ કલેશ, ધર્મનું ઉલ્લ્લંઘન, નીચ જનાની સેવા અને વિશ્વાસઘાત એટલાં વાનાં કરવાં નિહ.
૪૧. લેતાં અને દેતાં પેાતાનુ મેથ્યુ લેાપવું નહિ, પેાતાનુ વચન યથાર્થ રીતે પાળનાર માણસ મહાપ્રતિષ્ઠા પામે છે. માણસનુ મૂલ્ય તેના વચનથી જ થવા પામે છે.
૪ર. પેાતાની વસ્તુના સર્વથા નાશ થતા હાય તે પણ ધીર પુરુષા પેાતાનુ મેલ્યુ જ પાળે, પરંતુ જે નજીવા લાભની ખાતર પેાતાનું વચન લેાપે તે વસુરાજાની પેઠે દ્રવ્યભાવથી દુ:ખી થવા પામે છે.
૪૩-૪૪. એવી રીતે વ્યવસાય કરતા ચેાથેા પહેાર વ્યતીત કરે અને વાળુ કરવા માટે પેાતાના ગૃહે જાય પણ જેણે એકાશનાર્દિક પચ્ચખ્ખાણુ કર્યું હોય તે તે આવશ્યક-પ્રતિક્રમણ કરવા નિમિત્તે સાયંકાળ થતાં મુનિરાજ બિરાજતા હૈાય તે ઉપાશ્રયે જાય.
૪૫. દિવસના આઠમે ભાગે-ચાર ઘડી દિવસ રહ્યો હાય ત્યારે બુદ્ધિશાળી હાય તે વાળુ કરી લેય. વિચક્ષણ હાય તે સધ્યાસમયે તેમ જ રાત્રિસમયે ભાજન ન જ કરે.
૪૬. સંધ્યા સમયે આહાર, મૈથુન ( વિષયવિલાસ ), નિદ્રા
૧૨
Page #323
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦ ]
શ્રી કરવિજયજી અને ખાસ કરીને વિદ્યા અભ્યાસ એ ચાર વાનાં ચીવટ રાખીને વજે, અન્યથા એથી અનર્થ થવા પામે છે.
૪૭. આહારથકી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુનથકી ગર્ભસ્થ બાળક દુષ્ટ થવા પામે છે, નિદ્રા કરવાથી ભૂતપીડા થાય છે અને વિદ્યાભ્યાસથી બુદ્ધિહીનતા થવા પામે છે.
૪૮. વાળુ કર્યા પછી દિવસચરિમ દુવિહાર, તિવિહાર કે ચવિહારનું પચ્ચખાણ કરી લેવું.
૪૯રાત્રિભેજન સંબંધી દોષના જાણ હોઈ જે કંઈ દિવસની આદિની અને અંતની ગણાતી બે બે ઘડી સુધી રાત્રિ ભેજન તજે તેને પુન્યશાળી જાણવા.
૫૦. જે કઈ ભાગ્યશાળી રાત્રિભેજનનો સર્વથા ત્યાગ કરે છે તે પોતાની જિંદગીના અર્ધા ભાગના ઉપવાસને લાભ અવશ્ય મેળવે છે. ટેકીલા વ્રતધારી જ આ ઉત્તમ લાભ હાંસલ કરી શકે છે.
૫૧. દિવસે અને રાત્રે જે ખાતોપીતો જ રહે છે તે શીંગડા અને પુંછડા વગરને પશુ જ છે, એમ સ્પષ્ટ રીતે તે પોતાની મોકળી વૃત્તિથી પૂરવાર કરી આપે છે.
પર. રાત્રિભોજનના દોષ-પાતિકથી પ્રાણીઓ ઘુવડ, કાગ, માર, ગીધ, સાબર, સૂઅર (ભૂંડ), સાપ, વિષ્ણુ અને ગીલી જેવા નીચ અવતાર પ્રાપ્ત કરે છે અને ધર્મભ્રષ્ટ થાય છે.
૫૩. રાત્રિસમયે હોમ-આહૂતિ, સ્નાન, દેવપૂજા, દાન અને ખાસ કરીને ભજન કરવાનું વજેલું છે. આટલા વાનાં રાત્રે કરવાની શાસ્ત્રકારની મનાઈ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ ?
[ ૨૯૧ ] ૫૪. એવી રીતે ન્યાય—નીતિવડે શોભતો જે પુરુષ દિવસના ચારે પહેરને નિગમે છે તે ન્યાયયુક્ત અને વિનયવિચક્ષણ હાઈ અંતે અક્ષયસુખનું ભાજન થાય છે.
ચતુર્થ વર્ગ. ૧. થોડા પાણી વડે પિતાના પગ, હાથ અને મુખનું પ્રક્ષાલન કરી, પોતાના આત્માને ધન્ય તેમજ કૃત્યપુન્ય માનતો છતો શ્રાવક સાંજ સમયે હર્ષપૂર્વક શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે. (ધૂપ, દીપાદિકવડે દ્રવ્યપૂજા અને ચૈત્યવંદનવડે પ્રભુની સમયોચિત ભાવપૂજા કરે. )
૨. સમ્યક્ ક્રિયા સહિત જ્ઞાનવડે મેક્ષસુખ પ્રાપ્ત થાય છે એમ જાણતો શ્રાવક સાંજે ષઆવશ્યક કરણી (પ્રભાતની પેઠે) પુનઃ કરે.
૩. લોકમાં કિયા જ ફળદાયક મનાય છે, પણ જ્ઞાન ફળદાયી મનાતું નથી, કેમ કે સ્ત્રી અને ભક્ષ્ય–ભજન સંબંધી ભેદનો જાણ છતાં તેવા જ્ઞાનમાત્રથી સુખી થતો નથી. જ્યારે તેનો ભગવટો કરે છે ત્યારે જ તેનું અનુભવાત્મક સુખ મળી શકે છે.
૪. ગુરુના વિરહ સ્થાપનાચાર્ય કે નવકારવાળીની સ્થાપના કરી બુદ્ધિશાળી પિતાના ઘરમાં (અનુકૂળ સ્થાન હોય તો) આવશ્યક કરણું–પ્રતિક્રમણુદિ ક્રિયા કરે.
૫. ધર્મના પ્રભાવથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે એમ હદયમાં જાણતે સદા સર્વદા ધર્મમાં જ ચિત્ત રાખનાર પુરુષ ધર્મસાધન કરવાનો સમય વ્યર્થ વિતાવી દે નહિ, મતલબ કે અવસરચિત ધર્મકરણ અવસરે જ કરવા બરાબર લક્ષ રાખે; ભૂલે નહિ.
Page #325
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૨ ]
શ્રી કપૂરવિજયજી
૬. વખત વીત્યા પછી કે સમય થયાં પહેલાં જે જપ પ્રમુખ ધમ કરણી કરવામાં આવે છે તે ઉખર ક્ષેત્રમાં વાવેલાં ધાન્યની પેઠે નિષ્ફળ થવા પામે છે તેથી અવસરની કરણી અવસરે જ કરવી શે।ભે અને ફળદાયક થાય એમ સમજી ધર્મ સમયનું ઉલ્લ્લંઘન કરવું નહિ.
૭. ધર્મક્રિયા કરતાં બુદ્ધિશાળીએ વિધિ બરાબર સાચવવા, તેમાં હીનાધિકતા કરતાં મંત્ર સાધનારની પેઠે દૂષિત થાય છે. ( આ સંબંધી તે ગ્રંથમાં અન્યત્ર ખુલાસે કરેલા છે. )
૮. જેમ ઔષધપ્રયાગ કરવામાં દુરુપયેાગ થયા હોય તે તેથી ભયંકર ચાંદાં પ્રમુખ પેદા થાય છે તેમ ધર્મક્રિયામાં આડીઅવળી વિપરીત ક્રિયા કરવાથી ઊલટા અનર્થ થવા પામે છે. એમ સમજી સુરજને સાવધાનપણે વિધિવત્ ધર્મકરણી કરવા લક્ષ રાખે છે. શરૂઆતમાં કરણી સપૂર્ણ શુદ્ધ ન હાઇ શકે પશુ શુદ્ધિના ખપ તેા જરૂર રાખવે.
૯. વૈયાવચ્ચયેાગે પેાતાનું અક્ષય શ્રેય સમજીને વિચક્ષણ શ્રાવક આવશ્યક કરણી કરી રહ્યા માદ શ્રીગુરુમહારાજની સેવાભક્તિ કરે.
૧૦. મુખાશ ખાંધી ( મુખે વસ્ત્ર ઢાંકી રાખી ), માન ધારી, પેાતાના પગના સ્પર્શ ગુરુશ્રીને તેમ જ તેમના વસ્ત્રાદિકને ન થાય તેમ તેમના સઘળે શરીર સંબંધી શ્રમ દૂર કરતાં શ્રાવક ગુરુમહારાજની વિશ્રામણા કરે.
૧૧. ત્યાંથી ગામ-નગરમાં આવેલા ચૈત્યમાં જિનેશ્વરને નમી–સ્તવી પછી નિજ ઘર પ્રત્યે જાય અને ત્યાં પગ પખાળીને પંચપરમેષ્ઠી મંત્રનુ સ્મરણુ કરે અને ચિંતવે કે—
Page #326
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯૩ ]
૧૨. મુને સદા અરિતાનું શરણુ હાજો, 'સિદ્ધ-પરમાત્માઓનું શરણુ હાજો, જિનધર્મનુ શરણ હાજો અને આત્મસાધન કરવામાં શૂરા સાધુજનનું શરણુ હા.
૧૩. મંગળકારી, દુ:ખદારક (સુખદાયક) અને શીલસન્નાહ(અખતર)ને ધારનારા શ્રી સ્થૂલભદ્ર મુનિવરને મારા નમસ્કાર હા !
૧૪. ગૃહસ્થ છતાં જેની શીલલીલા અત્યંત પ્રશંસાપાત્ર હતી અને જેની દન-સતિવડે શૈાભા વધેલી છે. એવા શ્રી સુદર્શન શ્રેણીને નમસ્કાર હા !
૧૫. જેમણે કામદેવને જીતી લીધેા છે અને જીવિતપર્યંત આ નિર્દોષ બ્રહ્મચર્યને પાળે છે એવા મુનિજના ખરેખર ધન્ય કૃતપુન્ય છે, તેવા શમક્રમવત સંત-સાધુજનાને પુન: પુનઃ નમસ્કાર હા !
૧૬. સવહીન, ભારૅકમી અને સદા ચાલનારા હાય તે એક દિવસ ધારવા સમર્થ થતા નથી.
ઇન્દ્રિયાને મેાકળી મૂકી પણ ઉત્તમ શીલવ્રતને
૧૭, રે સંસારસાગર ! જો વચ્ચમાં સ્ત્રીએરૂપી ખરાબા ન હૈાત તા તારા પાર પામવેા દુ ભ ન ગણાતાં સુલભ થવા પામત.
૧૮. અસત્ય ખેલવું, સાહસ કરવું, માયા કેળવવી, મુગ્ધતા, અતિ લેાભ-અસતાષ, અપવિત્રતા અને નિર્દયતા એ દોષા સ્ત્રીઓમાં સ્વાભાવિક હાય છે. સ્ત્રીજાતિમાં ઉક્ત દોષ વગરની કેાઇ વિરલ જ સ્ત્રી હાય છે.
૧૯. જે રાગી ઉપર વિરક્ત રહે છે તે સ્ત્રીઓની કામના—
Page #327
--------------------------------------------------------------------------
________________
[ ર૯૪ ]
શ્રી કરવિજયજી ઈચ્છા કોણ કરે? સુજ્ઞ હોય તે તે મુકિતકન્યાને જ ઈછે કે જે વિરક્ત વ્યક્તિ ઉપર પણ રાગ ધરે છે.
૨૦. એ રીતે ચિત્તમાં ચિન્તવતો સુજ્ઞ પુરુષ આનંદમાં ઝૂલતો થોડો વખત નિદ્રા , પણ ધર્મપર્વમાં કદાપિ મૈથુન સેવે નહિ.
૨૧. સુજ્ઞ હોય તે ઘણે વખત નિદ્રા સેવવામાં કદાપિ કાઢે નહિ, કેમકે અતિ ઘણું નિદ્રા ધર્મ, અર્થ અને સુખને નાશ કરનારી થાય છે.
૨૨. અલ્પઆહાર, અનિદ્રા, અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ અને અપકષાયવંત હોય તેને ભવભ્રમણ અ૯પ જ જાણવું.
૨૩. નિદ્રા, આહાર, ભય, નેહ, લજજા, કામ, કલેશ અને કંધ એમને જેટલો વધારીએ તેટલાં વધે છે અને ઘટાડીએ તેટલાં ઘટે છે.
૨૪. શયન કરતી વખતે વિદન માત્ર ચરવા સમર્થ શ્રી નેમીશ્વર પ્રભુનું સ્મરણ કરનારને ખોટાં સ્વને આવતાં નથી.
૨૫. અશ્વસેન રાજાના અને તામારાના પુત્ર શ્રી પાર્શ્વ પ્રભુનું સદા ય સમરણ કરનારને ખાટાં સ્વપ્ન આવતાં જ નથી.
૨૬. શ્રી લક્ષમણા માતાના અને મહસેન રાજાના પુત્ર શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્મરણ ચિત્તમાં કર્યા કરે છે તેને સુખપૂર્વક નિદ્રા આવી જાય છે.
૨૭. સર્વ વિનને ચરનાર અને સર્વ સિદ્ધિને આપનાર શ્રી શાંતિનાથપ્રભુનું ધ્યાન કરનારને ચેર, રેગ અને અગ્નિ પ્રમુખથી ભય થતો નથી.
Page #328
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૫ ]
૨૮. શ્રાવક સમુદાયને સુખ-સ ંતાષકારી એવી સઘળી દિનકૃત્ય કરણી સારી રીતે સમજી આ લેક અને પરલેાકમાં સંચરતા પુરુષ દોષરહિત અની નિર્મળ યશ પામે છે.
પંચમ વ
૧. સકળ જન્મામાં સારભૂત એવે માનવભવ પામીને સદા ય સુકૃત્ય કરણીવડે સુજ્ઞ જને!એ તેને સંપૂર્ણ રીતે સળ કરી લેવેા જોઇએ.
૨. નિરંતર ધર્મકરણી કર્યાથી સદા ય આત્મસંતાષ થાય છે, એમ સમજી સુના જનાએ દાન, ધ્યાન, તપ અને શાસ્ત્રાભ્યાસવડે દિવસ સફળ કરવેા.
૩. પેાતાના આયુષ્યના ત્રીજો ભાગ બાકી રહ્યુ છતે અથવા છેવટે છેલ્લે સમયે જીવ પરજન્મ સંબંધી શુભાશુભ આયુષ્ય પ્રાયે કરીને બાંધે છે.
૪. આયુષ્યને ત્રીજો ભાગ ખાકી રહેતાં પાંચ પર્વશ્રેણી પ્રસંગે શુભ કરણી કરતા છતા જીવ પેાતાનું પરભવ સંબંધી આયુ નક્કી બાંધે છે.
૫. મીજ તિથિનુ આરાધન કરતાં એ પ્રકારને ( સાધુ અને ગૃહસ્થ સંબંધી ) ધર્મ આરાધી શકાય છે, તેમ જ સુકૃત્યા કરતાં રાગ અને દ્વેષને જીતી શકાય છે.
૬. પંચમીનુ પાલન કરતાં પાંચ જ્ઞાન, પાંચ ચારિત્ર અને પાંચ વ્રતની પ્રાપ્તિ થાય છે અને પાંચ પ્રમાદને પરાભવ ચાક્કસ થાય છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૬ ]
શ્રી કરવિજયજી ૭. અષ્ટમીનું આરાધન કર્યાથી આઠ કર્મને ક્ષય થાય છે, આઠ પ્રવચન માતા(સમિતિ, ગુપ્તિ)ની શુદ્ધિ થાય છે અને આઠ મદને પરાજય થાય છે.
૮. એકાદશીનું સેવન કર્યાથી અગિયાર અંગેનું નિચે આરાધના થાય છે તેમ જ શ્રાવકની અગિયાર પડિમાનું પણ આરાધન કરાય છે.
૯. અહો ! ચતુર્દશીનું આરાધન કરનાર ચૌદ રાજલકની ઉપર મોક્ષમાં જઈ વસે છે. વળી તે ચૌદ પૂર્વોનું પણ આરાધન કરી શકે છે.
૧૦–૧૧. આ ઉપર જણાવેલાં પાંચ પર્વો અધિકાધિક ફળદાયક છે, એમાં કરેલી સુકૃત કરણ અધિક ફળદાયક બને છે, એમ સમજી સુજ્ઞજને પર્વદિવસે વિશેષે કરી ધર્મ કરશું કરે અને પિષધ પ્રતિક્રમણાદિકને આરાધતાં સ્નાન તેમજ મથુનને પરિહરે.
૧૨. મુક્તિને વશ કરવાને પરમ ઔષધ સમાન પિષધવ્રત પર્વદિવસે સુજ્ઞજન આદરે, તેમ ન કરી શકાય તો સામાયકવ્રત વિશેષ આદરે.
૧૩. વળી યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પચે અરિહંત દેવનાં કલ્યાણકો છે. તેનું આરાધન સુજ્ઞ જનોએ કરવું.
૧૪-૧૫. જે દિવસે એક કલ્યાણક હોય ત્યારે એકાસન,બે હેય ત્યારે નવી, ત્રણ હોય ત્યારે પુરિમટ્ટ સહિત આયંબિલ અને ચાર કલ્યાણક હોય ત્યારે ઉપવાસ કરે. પાંચ કલ્યાણક હોય
Page #330
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯૭ ] ત્યારે પૂર્વાર્ધ (પરિમટ્ટ) સહિત ઉપવાસ કરે. આ કલ્યાણક તપ પાંચ વર્ષે સુજ્ઞજને પૂર્ણ કરે. ( ઉપર જણાવેલા પૂર્વાર્ધને અર્થ કઈ સ્થળે એકાસણુરૂપ કરેલો દેખાય છે.)
૧૬. વળી અરિહંતાદિક વિશ સ્થાનક પદને ભવ્યાત્માઓ આરાધે અને એકાશનાદિક તરવડે ભાગ્યવંત અને તેને વિધિ સાચવે.
૧૭. વિધિ અને ધ્યાનયુક્ત જે ઉક્ત વીશ સ્થાનકનું આરાધન કરે તે મહાનુભાવ આત્મા દુઃખવિદારક એવું શ્રેષ્ઠ તીર્થકરનામકર્મ ઉપાજે છે.
૧૮. સાડા પાંચ વર્ષપર્યત જે ઉજજવળ પંચમીનું આરાધન કરે છે તે પાંચમી ગતિ જે મોક્ષ તેને પ્રાપ્ત કરે છે.
૧૯. વ્રત પૂર્ણ થયે છતે ઉજમણું કરે, તેવી શક્તિ ન હોય તો બમણું વ્રત કરે અને તપના દિવસ જેટલો માણસ જમાડે.
૨૦. પંચમીના ઉજમણામાં પાંચ પાંચ ઉત્તમ જ્ઞાનનાં ઉપકરણે તેમ જ ચિત્યનાં પણ પાંચ પાંચ સુંદર ઉપકરણે કરાવે.
૨૧. વળી પાક્ષિક (પાણી) પ્રતિક્રમણ અને ચતુર્દશીને ઉપવાસ કરે છે તે શ્રાવક પિતાનાં ઉભય પક્ષ( પિતાના તથા માતાના)ને વિશુદ્ધ કરે છે.
રર. બુદ્ધિશાળી શ્રાવક ત્રણે માસીમાં છઠ્ઠ તપ કરે અને સર્વોપરી સંવત્સરી પર્વ સંબંધી અઠ્ઠમ તપ કરે; સાથે પ્રતિકમણાદિક આવશ્યક પણ સાચવે.
૨૩. સઘળી (છએ) અઠ્ઠાઈઓમાં અને વિશેષે પર્વદિવસે
Page #331
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૮ ]
શ્રી કરવિજ્યજી પિતાના ઘરે ખાંડવાનું, દળવાનું વિગેરે આરંભનું કામ કરવાનું પરિહરે.
૨૪. પર્યુષણ પર્વમાં સ્વચ્છ મનથી કલ્પસૂત્ર સાંભળે અને શાસનની ઉન્નતિ કરતે પિતાના શહેરમાં અમારી પળાવે.
૨૫. શ્રાવક રુડાં ધર્મનાં કામ કરતે સંતેષ ન પામે, તે તે પ્રતિદિન અધિકાધિક પ્રીતિ–ભક્તિથી ધર્મકાર્યો કરતા જ રહે.
ર૬. પર્યુષણ પર્વમાં સાવધાનપણે જે કલ્પસૂત્ર શ્રવણ કરે તે આઠ ભવની અંદર મહામંગળકારી મોક્ષપદને પામે.
૨૭. સદા ય સમ્યકત્વ રત્નનું સેવન કરવાથી અને બ્રહ્મવ્રત(શીલવત)ને પાળવાથી જે પુન્ય પ્રાપ્ત થાય છે તે શ્રી કલપસૂત્ર સાંભળવાથી પ્રાપ્ત થાય છે.
૨૮. વિવિધ દાન દેવાવડે અને તપ તપવાવડે તથા સારાં તીર્થોની સેવના કરવાવડે એટલે પાપક્ષય થાય તેટલો કલ્પસૂત્ર સાંભળવાવડે જીવન પાપનો ક્ષય થાય.
૨૯. મુક્તિ એટલે મેક્ષ ઉપરાંત કેઈ ઊંચું પદ-સ્થાન નથી, શ્રી શત્રુંજય તીર્થ ઉપરાંત કેઈ ઊંચું તીર્થ નથી અને સમ્યગ્દર્શન–સમ્યફવા ઉપરાંત ઊંચું તત્વ નથી તેમ શ્રી કલ્પસૂત્ર ઉપરાંત કેઈ અધિક સૂત્ર નથી.
૩૦. દીવાળીની અમાવાસ્યાએ શ્રી વિરપ્રભુનું નિર્વાણ થયેલ છે અને દીવાળીના પડવાને દિવસે શ્રી ગૌતમ ગણધરને કેવળજ્ઞાન ઉપન્યું છે તેમનું તે પ્રસંગે અવશ્ય સ્મરણ કરવું.
૩૧. દિવાળીના દિવસે બે ઉપવાસ કરીને જે ગૌતમસ્વામીનું
Page #332
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૨૯ ] સમરણ–યાન કરે છે તે નિચ્ચે આ લેકમાં તેમ જ પરલેકમાં ભારે સુખસંપદા(મહોદય)ને પામે છે.
૩૨. ઘરદેરાસરમાં અને ગામના દેરાસરમાં વિધિ સહિત શ્રી જિનેશ્વર પ્રભુની, પૂજા ભક્તિ કરીને પછી મંગળદી ઊતારીને સુજ્ઞ શ્રાવક પિતાના ભાઈભાંડુઓની સંગાતે ભજન કરે.
૩૩. જિનેશ્વરના પાંચ કલ્યાણકના દિવસોને મહાન લેખીને તેને પ્રસંગે અથજનોને સ્વશક્તિ અનુસારે યથોચિત દાન આપે.
૩૪. આ રીતે રુડા પર્વદિવસે કરેલાં ઉત્તમ કૃત્ય અને રુડા આચારના પ્રચારવડે કર્મનાં દ્વાર જેણે બંધ કર્યા છે એવા શ્રાવક ઉત્તમ વિધિવડે શુદ્ધ બુદ્ધિને પુષ્ટ કરી સ્વર્ગ સંબંધી સુખને ભેગવી મુક્તિના સુખને પામે છે.
પષ્ટ વર્ગ. ૧. શ્રાવક રુડાં ધર્મનાં કામ કરીને સંતોષ માની લેતે નથી. તે તો પ્રતિદિન અધિકાધિક રુચિ સહિત ધર્મનાં કામે કર્યા કરે છે.
૨. ધર્મના પ્રભાવથી જ ઐશ્વર્ય–સુખસંપદા પામીને જે ધર્મને જ લેપ કરે છે તે સ્વસ્વામીહી પાતકીનું ભવિષ્ય કેમ જ સુધરે ?
૩. દાન, શીલ, તપ અને ભાવભેદે કરીને ધર્મ ચાર પ્રકારન છે. સદા ય ભુક્તિ (સ્વર્ગાદિક ભેગસુખ) અને મુક્તિસુખદાયક એવા ઉક્ત ધર્મનું સેવન સુબુદ્ધિજનેએ આદરથી કરવું.
Page #333
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ]
શ્રી કપૂરવિજયજી ૪. થોડામાંથી પણ ડું દેવું (દાન), મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. (ઘણું સંપદા થશે ત્યારે બહોળું દાન આપીશ એમ સમજી છેડામાંથી પણ થોડું આપવાને પ્રસંગ જતો ન કરો.) મનમાનતી લમી–સંપદા કેને કયારે થવા પામે છે?
દાનફળ” ૫. જ્ઞાનનું દાન દેવાવડે જ્ઞાની થવાય છે, અભયદાનવડે નિર્ભય-ભયરહિત થવાય છે, અન્નદાનવડે સુખી થવાય છે અને ઔષધ-ભેષજ આપવાવડે સદા ય વ્યાધિ રહિત થવાય છે.
૬. કીતિ પુન્યથકી થવા પામે છે, પણ દાનથકી નહિ. એમ છતાં જે કંઈ કીર્તિને માટે દાન આપે છે તેને સુજ્ઞજોએ વ્યસન સમજવું.
છે. વ્યાજે દેતાં (બહુ તો) દ્રવ્ય બમણું થાય, વ્યવસાય (વ્યાપાર) કરતાં ગણું થાય, ક્ષેત્રમાં વાવતાં સોગણું થાય; પરંતુ સારા પાત્ર(સુપાત્ર)માં આપવાથી તો અનંતગણું થવા પામે છે.
૮. (જીર્ણ) દેરાસર, પ્રતિમા (પૂજા-ભક્તિ), પુસ્તકપ્રકાશનાદિ અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવકારૂપ ચતુર્વિધ શ્રી સંઘની યથાયોગ્ય સેવા, ભક્તિ (સંભાળ) એ સાત ક્ષેત્રમાં અમાપ ફળની પ્રાપ્તિ માટે યથાશક્તિ દ્રવ્યવ્યય કરે.
૯ જિનેશ્વર પ્રભુની ભક્તિથી ભાવિત જે ભાગ્યશાળી શ્રાવક ખાસ જરૂરી સ્થળે ચિત્ય કરાવે છે તે ચૈત્યમાં જેટલાં પરમાણુ હોય તેટલા કપિ સુધી દેવકનાં સુખ પામે છે. (તન ચૈત્ય કરાવવાં કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણું પુન્ય શાસ્ત્રમાં કહ્યું છે.)
Page #334
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૦૧ ] ૧૦. કરાવેલ દેરાસર જેટલા દિવસ રહે તેના જેટલા સમયે થાય તેટલા વર્ષો પર્યત જિનચૈત્ય કરાવનાર દેવગતિનાં સુખ ભોગવે છે.
૧૧. સોનાની, રૂપાની, રત્નની, પાષાણની કે માટીની જિનપ્રતિમા જે વિધિવત્ કરાવે છે તે તીર્થંકર પદ પામે છે.
(આ બાબતમાં આજકાલ ઘણે જ અવિધિદોષ ચાલતે દેખાય છે અને વગરસમજે આશાતનામાં વધારો થાય છે, તે વાત ખાસ લક્ષમાં રાખી જ્યાં દેશકાળમાં આ કાર્ય કરાવવું વધારે લાભદાયક હોય ત્યાંને માટે ઉક્ત ઉપદેશની સાર્થકતા સમજવી.)
૧૨. એક અંગુઠા જેવડી પણ પ્રભુની પ્રતિમા જે મહાનુભાવ વિવેકથી કરાવે છે તે ઈંદ્રની પદવી પામીને અંતે પરમપદમેક્ષને પામે છે.
૧૩. ધર્મરૂપી વૃક્ષનાં મૂળરૂપ ઉત્તમ શાસ્ત્ર મેક્ષફળને આપનાર છે, એમ સમજી સુજ્ઞજને ભાવશુદ્ધિને કરનારાં શાસ્ત્ર પોતે લખે–લખાવે, વાંચે–વંચાવે અને સાંભળ–સંભળાવે.
૧૪. જે શ્રાવકે ધર્મશાસ્ત્રો લખી–લખાવી સગુણી (પાત્રજન)ને આપે છે તે શાસ્ત્રના અક્ષર જેટલાં વર્ષો સુધી સ્વર્ગનાં સુખને પામે છે.
૧૫. જ્ઞાન-વિજ્ઞાનવડે શોભિત જે સુજ્ઞજનો જ્ઞાનભક્તિ કરે છે તે અંતે જેને કદાપિ ક્ષય ન થાય એવું સર્વજ્ઞપદ પામે છે.
૧૬. સર્વ સુખનું કારણ અન્નદાન છે, એમ જાણતો શ્રાવક પ્રતિવર્ષ શક્તિ અનુસારે સાધમીવાત્સલ્ય કરે.
૧૭. પિતાનાં ભાઈભાંડુ વિગેરે કટુંબીઓને ઘણા હેતથી
Page #335
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ ]
શ્રી કપૂરવિજયજી
( સ્વાર્થ બુદ્ધિવડે ) જમાડવા એ સંસારવૃદ્ધિનું કારણ છે ત્યારે ( નિ:સ્વાર્થ પણું ) સાધી બંધુઓને પ્રેમપૂર્વક જમાડવા તે સંસારસમુદ્ર તરવાને સાધનરૂપ છે. (વસ્તુ એક જ છતાં આશયભેદથી ફળમાં મેટો તફાવત પડે છે તે સમજાય તેમ છે. )
૧૮. આ પ્રમાણે સમજી સુજ્ઞ શ્રાવકે પ્રતિવષ શક્તિ અનુસારે શ્રી સઘને પેાતાના ઘરે પધરાવી તેની યથાચિત સેવાભક્તિ કરે અને શ્રી ગુરુમહારાજ પ્રત્યે શુદ્ધ-નિષ વસ્ત્ર ભક્તિપૂર્વક આપે.
૧૯. વસતી ( રહેવાનું સ્થાન ), આહાર, પાણી, પાત્ર, વસ્ત્ર, ઔષધ, ભેષજ પ્રમુખ સાધુજનોને કલ્પે તેવી નિર્દોષ વસ્તુઓ મેતે સંપૂર્ણ સુખી ન હાય તા પણ યથાશક્તિ આપે.
૨૦. સુપાત્રમાં જે નિર્દોષ દાન અપાય છે તેથી કશી હાનિ થતી નથી, પણ કૂવા, આરામ ( બગીચા ) અને ગાય પ્રમુખની પેઠે સંપદાની વૃદ્ધિ થવા પામે છે.
( કૂવા પાણી આપે છે, બગીચા ફળ આપે છે અને ગાય વિગેરે દૂધ પ્રમુખ આપે છે તેથી તેને કશી હાનિ થતી દેખાતી નથી, પણ તેથી ઘણા પરોપકાર થવાથી લાભ મળે છે અને ખરી શૈાભા પણ એમાં જ છે. )
૨૧. દાન અને ભાગમાં માટુ અંતર છે. ખાધેલી વસ્તુ વિષ્ટારૂપ ( મળરૂપ ) થઇ જાય છે પણ દીધેલી ( સત્પાત્રમાં અપાયેલી ) વસ્તુ અક્ષય થવા પામે છે.
૨૨. હજારે પરિશ્રમ વેઠીને મેળવેલ અને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય દ્રવ્યનું ખરું ફળ દાન જ છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
લખ સંગ્રહ : ૫ :
[ ૩૦૩ ] ૨૩. પૂર્વોક્ત સાત ક્ષેત્રમાં પિતાનું ન્યાયવ્ય જે વિવેકથી વાવે છે તે શ્રાવક પોતાના ધન અને જન્મ બનેની સફળતા કરે છે. | [આ. પ્ર. પુ. ૧૩. પૃ૪, ૨૬, ૫૦, ૭૭, ૧૬૬, ૧૭૯, ૨૭૬ ]
શીધ્ર સ્વહિત સાધી લેવા ભવ્યાત્માને ગ્ય હિતેપદેશ,
૧. મેહમાયાને વશ પડેલા ઓ માનવી ! દ્રવ્ય મેળવવાની તૃષ્ણા તજી દે, મનમાં આશા-તૃષ્ણા વગરની સુબુદ્ધિ ધારણ કર. નિજ કર્મ અનુસારે જેટલું દ્રવ્ય ન્યાયમાગે પ્રાપ્ત થાય તેટલાથી હે ભેળા તું સંતોષવૃત્તિ ધારણ કરી - ૨. અર્થ–દ્રવ્ય-ધન અનર્થનું કારણ છે, તેનાથી અનેક અનર્થ પ્રભવે છે એમ સદા ચિન્તવ. તે દ્રવ્યથી લેશમાત્ર સત્ય સુખ સંભવતું નથી. નિજ પુત્રથકી પણ ધનવંતને ભય રહે છે કે રખે તે દ્રવ્યથી પિતાને પણ મારી નાખે. સર્વત્ર એ રીતે ચાલતું જ આવ્યું છે એમ માનવું નહીં.
૩. તારી સ્ત્રી કઈ અને પુત્ર કોણ ? આ દેખાતાં સ્ત્રીપુત્રાદિક તો સહુ સ્વાર્થનાં જ સંબંધી છે. આ સંસાર અંત્યત વિચિત્ર જણાય છે. તું કોને? અને ક્યાંથી આવ્યા ? હે ભાઈ ! આ તત્ત્વ તું ચિન્તવ.
૪. હે ભેળા ! સ્વજન, ધન અને જોબનને ગર્વ તું ન કર. પલકમાત્રમાં કાળ સર્વ કંઈ હરી લે છે. આ બધી બેટી માયા-મમતા તજીને સત્ય પરમાત્મસ્વરૂપને ઓળખી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર.
Page #337
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪ ]
શ્રી કપૂરવિજયજી
૫. કામ, ક્રોધ, લાભ અને મેહને તજી હું આત્મન્ ! વિચાર કે હું કાણુ છું? મારું શું સ્વરૂપ છે? મારું શું કર્તવ્ય છે ? અરે ! આત્મજ્ઞાન વગરના મૂઢ જા નરકાદિ સંબંધી દુઃખદાવાનળમાં દુગ્ધ થઇ દુઃખી થાય છે.
૬. જો તુ શીઘ્ર શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી લેવા વાંછતા જ હા તેા શત્રુ, મિત્ર, પુત્ર અને મધુ ઉપર દ્વેષાદિક તજી સર્વત્ર સમતાભાવ ધારણ કર. કષાયતાપ મુઝતાં, હૃદયશાન્તિ પ્રાપ્ત થયે સતે સર્વ સુદર થાય છે.
૭. કમળના પત્ર ઉપર રહેલા જળામ દુની જેમ જીવિત અત્યંત ચપળ છે અને સમસ્ત જગત વ્યાધિ અને અભિમાનથી વ્યાસ તથા શેાકાકુળ છેએમ સમજી શીઘ્ર સ્વહિત સાધી લેવા ઊજમાળ થા,
૮. પ્રથમ વયમાં ઘેાડું પાણી પીધેલું સંભારીને નાળીએરનાં વૃક્ષેા પેાતાના માથા પર ઘણા ભાર છતાં મનુષ્યેાને જીવિત પંત અમૃત જેવું મીઠું પાણી આપ્યા કરે છે. ખરું છે કે સજ્જન પુરુષા કરેલા ઉપગારને કદાપિ વિસરી જતા નથી.
૯. છતી આંખે અકાર્ય કરે તે જ અંધ, છતે કાને હિતવચન શ્રવણ ન કરે તે જ અધિર અને છતી જીભે અવસરેાચિત ન મેલે તે જ મૂંગા–એમ સમજી સુજ્ઞજનોએ પ્રાપ્તસામગ્રીના સદુપયેાગ કરી લેવા સંપૂર્ણ કાળજી રાખવી.
[ . પ્ર. પુ. ૧૨, પૃ. ૩૪૦ ]
Page #338
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૫ :
[ ૩૦૫ ]
સુખના અર્થીએ દુઃખના માર્ગથી પાછા હુડી સુખના માર્ગે જ સંચરવું જોઇએ.
સુખ સહુને સારું લાગે છે, દુ:ખ સારું લાગતુ નથી. તેમ છતાં સુખના ખરા માગે ઘેાડા જ સંચરે છે. દુ:ખના જ માગે ઘણા ચાલતા હોય છે. ન્યાય-નીતિ અને ધર્મના માર્ગે ચાલ. વાથી જ ખરું સુખ મળી શકે છે. અન્યાય, અનીતિ અને અધર્મના માગે ચાલવાથી તા દુઃખ જ પમાય છે. તેમ છતાં મુગ્ધ અજ્ઞાની જીવા અધવત્ ખાટા માર્ગે જ ચાલતા જણાય છે. એવા મુગ્ધ જીવાને પાપમા`થી દૂર રહી સુખી થવા માટે તે સંબ ંધે કંઇક સમજ આપવી ઉચિત જાણી અત્ર તેનુ સક્ષેપથી બ્યાન કરવામાં આવે છે.
અને આપણે જેવુ બીજ વાવીએ તે
સુખ દુ:ખની લાગણી સહુને સમાન છે વાવીએ તેવુ લણીએ છીએ. જો સુખનાં સુખ-ફળ અને દુ:ખનાં ખીજ વાવીએ તેા દુ:ખ-ફળ પામીએ છીએ. મન, વચન અને કાયાના માઠા વ્યાપાર જેમ આપણને પ્રતિકૂળ લાગે છે તેમ બીજાને પણ લાગે જ, એમ સમજી કાઇ પણ જીવ પ્રત્યે પ્રતિકૂળતાવાળું આચરણુ મન, વચન, કાયાથી કરવું, કરાવવું કે અનુમેાદવું નિહ. આપણા પ્રાણ જેવા સહુને પેાતાને પ્રાણ વ્હાલેા હાય છે, એમ સમજી કોઇને પ્રાણહાનિ થાય તેવુ કરવું નહિં. જૂઠું ખેાલવાથી કે પારકા
·
મમ ખાલવાથી કે કઠાર શબ્દો કહેવાથી પેાતાને અને પરને
ઘણી હાનિ થાય છે તેથી તેવુ ભાષણ કરવું નહિ. અગિયારમા પ્રાણ જેવુ. પરદ્રવ્ય અપહરી લેવાથી સામાના પ્રાણ ઊડી જાય
૨૦
Page #339
--------------------------------------------------------------------------
________________
3 આલિંગ પણ પાયા, મન અને આર.
[ ૩૦૬ ]
શ્રી કપૂરવિજયજી છે અને એવી અનીતિ કરનારને પણ દંડ કે કેદ પ્રમુખથી મહાન હાનિ અહીં જ થાય છે. વળી તે ઉપરાંત પરલોકમાં નરકાદિકનાં મહાદુઃખ ભેગવવા પડે છે. પરસ્ત્રી કે વેશ્યા સાથે ગમન કરવાથી પૈસાના અને આબરૂના કાંકરા થાય છે, અને પરભવમાં પરમાધામી તેને ધગધગતી લેઢાની પુતળી સાથે પરાણે આલિંગન કરાવે છે. એ જ રીતે પરપુરુષ સાથે ગમન કરનારી સ્ત્રીઓને પણ પરાધીન પણે ભારે કષ્ટ સહન કરવાં પડે છે. દ્રવ્યાદિક ઉપર ખોટી માયા, મમતા રાખવાથી જીવ વધારે ઉપાધિગ્રસ્ત બની બહુ દુઃખી થાય છે અને અજ્ઞાની જીવ કોધ, માન, માયા અને લેભરૂપ કષાયનું સેવન કરી, રાગ-દ્વેષને વશ થઈ, કલેશ કંકાસને વહોરી લઈ ખુવાર થાય છે. પાપની કે પરભવની વ્હીક નહિ હોવાથી અન્ય ઉપર ખોટાં આળ ચઢાવે છે, પારકી ચાડી-ચૂગલી કરે છે, મનગમતું કામ થતાં હર્ષ અને અણગમતું થતાં ખેદ કરે છે, પારકી નિંદા-ખણખોદ કર્યા કરે છે, કૂડકપટ કરી બીજાને છેતરે છે અને દુરંત દુર્ગતિદાયક નિત્ત્વ અને વિપરીત માને હિતરૂપ સમજી આદરે છે. આ સઘળાં પાપસ્થાનકે પાપમાર્ગમાં ગાઢ પ્રીતિને લઈ સેવાય છે. એના પરિણામે જીવ બહુ દુઃખી થાય છે, દુર્ગતિમાં જાય છે અને પામેલી સઘળી સામગ્રી હારી જાય છે જે ફરી સાંપડવી મુશ્કેલ છે. પાપથી ડરે છે તે જ ખરેખર સુખી થાય છે.
[ આ. પ્ર. પુ ૧૨, પૃ. ૩૪૧ ]
Page #340
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
મનુષ્યજન્મની સાર્થકતા કેમ થાય ?
[ ૩૦૭ ]
૧. આ દેશમાં અવતાર, આરોગ્ય-નિરોગી કાયા, પાંચે ઇન્દ્રિયાની પટુતા-કુશળતા, દીર્ઘ આયુષ્ય, ઉત્તમ કુળ અને જાતિમાં જન્મ, ઉત્તમ બુદ્ધિમળ અને શુદ્ધ તત્ત્વની ગવેષણા, સમકિતરત્નની પ્રાપ્તિ અને નિર્દોષ ચારિત્રનુ સેવન કરવું એ પ્રબળ પુન્યયેાગે હુછુકમી જીવને જ પ્રાપ્ત થઇ શકે છે. ૨. પૂર્વ પુન્યયેાગે આ મનુષ્યજન્માદિ ઉત્તમ સામગ્રી પામ્યા છતાં તેની સફળતા કરવામાં જીવને દુષ્ટ પ્રમાદાચરણ અંતરાયરૂપ થાય છે.
૩. એકાન્ત હિતકારી એવાં જ્ઞાનીનાં વચનના અનાદર કરી કેવળ સ્વચ્છંદ વૃત્તિથી મન, વચન, કાયાને મેાકળાં મૂકવાં–જેમકે માદક ( મદ ઉપજાવે એવા ) પદાર્થનું સેવન કરવું, વિષયાસક્ત અનવું, કિલષ્ટ કષાયને વશ થઇ જવું, આલસ્ય સેવવું અને નકામી કુથલી ( વકથા ) કરવી એને જ્ઞાની પુરુષા પ્રમાદાચરણ કહે છે.
૪. ઉક્ત પ્રમાદ જેવા કેઇ પ્રમળ શત્રુ નથી અને આત્મકલ્યાણ સાધી લેવા માટે સેવવામાં આવતાં સદુઘમ સમાન અન્ય કેઇ મિત્ર નથી.
૫. નાનાં-મેટા, ત્રસ-સ્થાવર, સઘળા જીવાને આત્મ સમાન લેખી હાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, સૂતાં–શયન કરતાં કે ખેલતાં જો બનતી સંભાળ રાખવામાં આવે છે તે તેથી સ્વપરપ્રાણના બચાવ થાય છે અને આપણા
Page #341
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજયજી આત્મા પાપથી મલિન થતો નથી, એમ સમજી કઈ પણ કામ ઉતાવળથી નહિ કરતાં જયણાથી કરવું.
૬. પ્રિય, પચ્ચ અને તથ્ય (અન્યને પ્રિય લાગે અને હિતરૂપ થાય) એવું જ સત્ય વચન વદવું, અન્યથા મન ધારણ કરવું યુક્ત છે.
૭. પરદ્રવ્યને પથ્થરની જેમ ઉવેખી, ન્યાય, નીતિ ને પ્રમાણિકપણે દ્રવ્યપાર્જન કરી સ્વકુટુંબપષણ અને સ્વધર્મરક્ષણ કરવું.
૮. સુજ્ઞ ભાઈઓએ પરસ્ત્રીને સ્વમાતા, બહેન કે પુત્રી તુલ્ય ગણવી અને સુજ્ઞ બહેનેએ પરપુરુષને સ્વપિતા, બંધુ કે પુત્ર તુલ્ય જ લેખ.
૯. અપરિમિત દ્રવ્યની આશા-તૃષ્ણા છેદવા માટે પરિમિત દ્રવ્યનું પ્રમાણ કરી, સંતોષ ધારણ કરી પાર્જિત દ્રવ્યને સક્ષેત્રમાં એવી કુનેહથી સદ્વ્યય કરો કે તે તમને પરિણામે અનંતગુણો લાભ આપે.
[ આ. પ્ર. પુ. ૧૨, પૃ. ૩૪૨ ]
સદગુણીને અનાદર નહિ કરતાં તેમના ગુણની
| કિંમત કરતાં શીખે. ૧. સ્વદેશમાં જન્મેલે ગમે એટલે ગુણવાનું હોય તે પણ નિરંતરના પરિચયને લીધે તેની ખરેખર અવજ્ઞા થાય છે, જોઈએ એવી કદર થઈ શકતી નથી. જુઓ ! પિતાની સ્ત્રી ગમે તેટલી રૂપવતી હોય તે પણ તેને અનાદર કરી મુગ્ધ
Page #342
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૦૯ ] લેકે પરસ્ત્રીને સંગ કરે છે અથવા ગંગા જેવી પવિત્ર નદી ગામને પાદરે વહેતી હોય તેને તજી લેકે કૂવાનું પાણુ વાપરે છે. તેથી જ કહેવત છે કે “અતિરિત્રકાર વિશTI’ - ૨. સુવર્ણમાં સુગંધ નથી, શેલડીને ફળ બેસતું નથી, ચન્દનનાં વૃક્ષને ફલ બેસતાં નથી, વળી વિદ્વાન લક્ષમીપાત્ર થતો નથી અને કદાચ તેમ થયો તે પણ લાંબું જીવતે નથી; તેથી સમજાય છે કે કોઈ ભલે બુદ્ધિશાળી સલાહકાર પહેલાં વિધાતાને મળેલે નથી.
૩. ફણિધરના માથે રહેલા રત્ન ઉપર, કૃપણના ધન ઉપર, સતી–પતિવ્રતા સ્ત્રીનાં સ્તન ઉપર, કેસરીસિંહની યાળ (કેશવાળી) ઉપર અને સ્વાભિમાનીને શરણે ગયેલા ઉપર મૃત્યુવશ થયા વગર કોઈ હાથ નાંખી શકે નહિં. તેમને આંગળી અડાડવી પણ ભારે થઈ પડે છે તે પછી તેમનો પરાભવ કરવા જતાં પિતાના જ પ્રાણનો નાશ થવા પામે છે.
૪. મૂર્ણ—અજ્ઞાનને મહાધનાઢ્ય દેખીને વિદ્વાન માણસે નિર્દોષ વિદ્યાને અનાદર કરે નહિ. કુલટા વેશ્યાઓને રત્નનાં મુગટવાળી દેખીને આર્ય નારીઓ (પવિત્ર પતિવ્રતા સ્ત્રીઓ ) શું કુલટા થઈ જાય ? નહિ જ. જેમ સતી સ્ત્રીઓ પિતાના પવિત્ર શીલને જ સાર–શણગાર–અલંકારરૂપ લેખે છે તેમ વિદ્વાન પુરુષો પણ વિદ્યાધનને જ સર્વ ધનમાં પ્રધાન ધન સમજી યત્નથી તેનું સંરક્ષણ કરે છે.
૫. જે જેના ગુણાતિશય(ગુણૌરવ)ને જાણતા નથી તે તેની સદા ય નિંદા-અવજ્ઞા-આશાતના કર્યા કરે છે તેમાં
Page #343
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ]
શ્રી કપૂરવિજયજી કંઈ વધારે નવાઈ જેવું જણાતું નથી. જુઓ, ભીલડીને હાથીના કુંભસ્થળમાં પાકતાં સાચાં મેતીની કંઈ પણ કિંમત નહિ હોવાથી તેને અનાદર કરી એ બાપડી રાતી ચણેઠી ઉપર મહી પડી તેને જ ધારણ કરી લે છે. આવી રીતે જે નિર્ગુણી હોય તે ગુણવતની કદર કરી શકે નહિ. ઝવેરી હોય તે જ રત્નની પરીક્ષા કરી જાણે.
[અ. પ્ર. પુ. ૧૨ પૃ. ૩૪૩ ]
સૂક્ત વચનો વાંચી કે સાંભળી આદરવા યોગ્ય વિવેક
૧. પુરુષને કલીનતાનપુંસકતા હોય તે સારી, પણ પરસ્ત્રીગમન કરવું સારું નહિ. ભિક્ષા માગીને ભેજનવૃત્તિ કરવી સારી, પણ પારકા ધનને અપહરી લઈ સુખ મેળવવાની બુદ્ધિ રાખવી સારી નથી. મન ધારણ કરી રહેવું સારું, પણ અસત્ય વચન વદવું ઠીક નથી. નિજ પ્રાણ ત્યાગ કરવો સારે, પણ ચાડી ખેરનાં વચનમાં વિશ્વાસ રાખી બેસવું ઠીક નથી. આ બધા પ્રકારે પરમ દુઃખદાયક છે.
૨. પશાળા શૂન્ય પડી રહે તે સારી, પણ તેમાં અપલક્ષણે બળદ બાંધી રાખવો સારો નહિ. ચતુર-વિનીત વેશ્યારૂપ ભાય સારી, પણ અવિનીત (વિનયશૂન્ય) કુળવધુ સારી નહિ. જંગલમાં જઈ રહેવું સારું, પણ વિવેક રહિત રાજાના નગરમાં રહેવું સારું નહિ તેમ જ પ્રાણત્યાગ કરવો સારો, પણ અધમ જનોની સોબત કરવી સારી નહિ.
૩. કચ્છની વખતે મિત્રની ખરી કસોટી થાય છે, રણસંગ્રામ
Page #344
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૧ ] વખતે શૂરવીરની ખરી કસોટી થાય છે, વિનય પ્રસંગે નેકરની પરીક્ષા થાય છે અને દુકાળ વખતે દાતારની ખરી પરીક્ષા થઈ શકે છે.
૪. સુપાત્રદાનથી જીવ ધનાઢ્ય-અનર્ગલ લક્ષ્મીવાળો થાય છે, ધનના પ્રભાવથી તે સારાં સુકૃત્ય કરે છે–પુપાર્જન કરે છે, પુન્યના પ્રભાવથી તે દેવલોકમાં સુખ પામે છે–દેવગતિ પામે છે અને ત્યાંથી આવી ફરી ધનાઢ્ય થઈ ભેગસામગ્રી પ્રાપ્ત કરે છે.
૫. કુપાત્રદાનથી જીવ નિધન-સુખસંપત્તિહીન બને છે, નિર્ધનતાના વેગે તે પાપકૃત્ય-દુષ્ટ કામ કરે છે, પાપના પ્રભાવથી તે નરકગતિ પામે છે–અર દુ:ખ દાવાનળમાં જઈ પડે છે, ત્યાંથી થવી ફરી નિર્ધન થાય છે અને ફરી પાપકૃત્યા જ કરે છે.
૬. સ્મિત હાસ્યવડે, હાવભાવ દેખાડવાવડે, લાજ કાઢવાવડે, વ્હીક બતાવવાવડે, વચનચાતુરીવડે, ઈર્ષાવડે, કલહ કરવાવડે, લીલા-ક્રીડા કરવાવડે અને અર્ધ કટાક્ષ-બાણ ફેંકવાવડે એટલે કે આડી આંખે જોવાવડે, એમ બધી રીતે સ્ત્રી એ ખરેખર બંધનરૂપ છે, તેથી શાણા જનેએ સદા ય તેનાથી ચેતતા રહેવું યુક્ત છે.
[ આ. પ્ર. પુ. ૧૩, પૃ. ૪૪. ]
Page #345
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૨]
શ્રી કપૂરવિજયજી પ્રશ્નોત્તરે. પ્ર–કયા સદગુણેથી ગ્યતા મળી શકશે ? ધર્મ કઈ રીતે મળી શકશે? તેનાં સાધને કયા છે?
ઉ૦-શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા વિગેરે સગુણેથી યોગ્યતા મેળવવી. કોઈ વેળા સંત-મહાત્માના ચેગે ધર્મ મળી રહેશે. સત્સંગ, સત્શાસ્ત્ર અને સદ્ગત એ તેનાં સાધન છે.
પ્ર-શ્રી તીર્થકરે આત્મજ્ઞાનની ન્યૂનતા શાને કહી છે?
ઉ–જેટલી સંસારને વિષે સારા પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે.
પ્ર-શ્રી જિને ભાખેલા સર્વ પદાર્થોના ભાવે આત્માને નિજસ્વરૂપે પ્રગટ કરવાને અર્થે જ છે?
ઉ૦-એમ જ છે. પ્ર-જ્ઞાનાક્ષેપકવંત એટલે શું સમજવું ?
ઉ –જેને વિક્ષેપ રહિત વિચારજ્ઞાન પ્રાપ્ત થયું છે એ આત્મકલ્યાણની ઈચ્છાવાળે પુરુષ.
પ્ર-જ્ઞાની પુરુષની ઓળખાણ થવામાં જીવના કયા દેશે આડા આવે છે–નડે છે?
ઉ – જાણું છું–સમજું છું” એવું માન, પરિગ્રહાદિ વિષે જ્ઞાની પુરુષ કરતાં પણ વધારે રાગ, અને લોકભય, અપકીર્તિભય અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, જ્ઞાની
Page #346
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૩ ] પ્રત્યે જેવું વિનયાન્વિતપણું જોઈએ તેવું ન કરવું એ ત્રણે દેથી ઘણું કરીને જ્ઞાનની ખરી ઓળખાણ થતી નથી.
પ્ર-જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ મુક્તપણ કહ્યું છે તે ખરું છે?
ઉ –તે ખરું છે. પ્ર-ચેતનશુદ્ધિ કેમ પમાશે?
ઉ૦–કઈ પણ આત્મા દયિક કર્મને ભેગવતાં રાગદ્વેષને ટાળી સમભાવે વર્તત અબંધ પરિણામે રહેશે તો અવશ્ય ચેતનશુદ્ધિ થશે.
પ્રવ–આપણે મોક્ષ કેમ થયા નથી ?
ઉ૦-અનંતકાળમાં કાં તો સત્પાત્રતા પ્રાપ્ત થઈ નથી અથવા તેવા કોઈ પુરુષનો ય ગ સાંપડ્યો નથી તેથી; નહા તો મેક્ષ હથેળીમાં છે.
પ્ર૦જીવને અનાદિના કયા કયા દોષે છે ? ઉ૦-મળ, વિક્ષેપ અને અજ્ઞાન. પ્રવે-અજ્ઞાનની નિવૃત્તિ શી રીતે થઈ શકે?
ઉ૦-જ્ઞાની પુરુષોનાં વચન પ્રાપ્ત થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન નિવૃત્ત થાય છે.
પ્ર–મળ અને વિક્ષેપ શા માટે મટાડવાં ઘટે છે ? ઉ૦–અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેને રાધ થવાને
Page #347
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪]
શ્રી કપૂરવિજયજી અર્થે અને જ્ઞાનીનાં વચનોને યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ તેમ જ વિક્ષેપ મટાડવા ઘટે છે.
પ્ર–મળ મટવાનાં સાધન કયાં છે?
ઉ–સરલતા, ક્ષમા, સંતોષ અને સ્વદેનું નિરીક્ષણ એ વિગેરે મળને મટાડવામાં સાધન છે.
પ્ર–વિક્ષેપ મટવાનું સાધન શું છે ? ઉજ્ઞાની પુરુષની અત્યન્ત ભક્તિ વિક્ષેપ મટવાનું સાધન છે. પ્ર-જ્ઞાની પુરુષના વિરહે શું કરવા ચોગ્ય છે ?
ઉ–તેવે પ્રસંગે જ્ઞાનની દશા, ચેષ્ટા ને વચન સાવધાનપણે સંભારવા યોગ્ય છે.
પ્ર–સ્વપ્ન સાચું કેવું પડે ?
ઉ૦-જેઓ તદ્દન નીરોગી હેય, તેમ જ મન અને ઇન્દ્રિયોને ઠીક કાબૂમાં રાખી શક્તા હોય તેનું.
પ્રહ–આત્માને મળેલું સ્વરૂપ શાથી ભૂલી જવાય છે? ઉ૦-પ્રમાદને લીધે. પ્ર–મનને વશ કરવાનાં ઉત્તમ સાધને કયાં કયાં છે ?
ઉ૦–અલ્પઆહાર, અલ્પવિહાર, અલ્પનિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૫ ] - પ્રવે-નવાં કર્મ બાંધવા નહીં ને જૂનાં ભેગવી લેવાં એ રીતે કોણ વતી શકે છે?
ઉ–એવી જેની અચળ ભાવના-જાગૃતિ છે તે એ રીતે વતી શકે છે.
પ્ર-આત્માની શ્રેષ્ઠતા શી છે? ઉ૦–શ્રેષ્ઠ વસ્તુની ભાવના-અભિલાષા કરવી તે. પ્ર–કે બોધ પામવું જોઈએ? ઉ૦-જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. પ્ર-સર્વ કાળનાં અસમાધિમરણ કેમ ટળે ? ઉ૦-એક વાર પણ સમાધિમરણ પ્રાપ્ત થવાથી. પ્રવે-કોનું પદ સર્વોત્તમ છે ? ઉ૦-સર્વસંગના પરિત્યાગીનું. પ્રજીવ અનાદિ કાળથી કેમ રખડ્યા કરે છે? ઉ–સ્વછંદને વશ થઈ સત્પષની આજ્ઞાના વિરહે. પ્ર–આત્મસ્વરૂપને આવરણ કરનાર મુખ્યતાએ શું છે? ઉ૦–અતqશ્રદ્ધા અને કુસંગ. પ્રા–સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન કયું છે?
ઉ૦-સત્સંગ, સપુરુષના ચરણ સમીપે વાસ બધા કાળમાં તેનું દુર્લભપણું છે અને આવા વિષમ કાળમાં તો તેનું અત્યન્ત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૬ ]
શ્રી કર્ખરવિજયજી પ્રવ-જીવનાં ચેડાંક સ્પષ્ટ લક્ષણ જણાવો. ઉ૦-જ્ઞાયકતા, વેદકતા, સમતા, ચૈતન્ય, રમ્યતાદિક. પ્ર-મુમુક્ષુ જન અલપકાળમાં આત્મસાધન શી રીતે કરી શકે? ઉ૦-સત્સંગ ગે ઉલ્લસિત પરિણામે રહેવાથી. પ્રવે-સત્સંગના અભાવે સમપરિણતિ રહી શકે ?
ઉ–સમપરિણતિ રહેવી અત્યન્ત વિકટ છે, તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહેલું છે, માટે જેમ બને તેમ નિરુપાધિવાળાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનું સેવન કરવું જરૂરનું છે.
પ્ર–મુમુક્ષુ જીવને શાને ભય, વિચાર તથા ઇછા હોય ?
ઉ૦-મુમુક્ષુ જીવને અજ્ઞાન સિવાય બીજે ભય હાય નહીં. આમાને ત્યાજ્ય શું છે તેનો જ વિચાર હોય અને તેની નિવૃત્તિ થાય એવી એક જ ઈચ્છા વર્તે
પ્ર–મહાત્માઓની ઋદ્ધિ શી રીતે પ્રાપ્ત થઈ શકે ?
ઉ–આત્મા વિનીત બની, સરલ અને લધુત્વ ભાવ પામી, સપુરુષની ચરણઉપાસના અનન્યચિત્તે એકનિષ્ઠાથી કરે તો તેવી ઋદ્ધિને પામી શકે. પ્રમૈત્રી ભાવના એટલે શું? ઉ૦-જગતના સહુ જી પ્રત્યે નિર્વેરબુદ્ધિ. પ્ર–અમેદભાવના એટલે શું ? ઉ૦–કઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામે. પ્રો-કરુણ ભાવના એટલે શું?
Page #350
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૭ ]
ઉ-સ’સારતાપથી દુ:ખી થતા આત્માનું દુઃખ જોઇ અનુકંપા
આવવી.
પ્રશ્ન-ઉપેક્ષા ભાવના એટલે શુ?
ઉ-પાપી જીવાને જોઇ તેની ઉપેક્ષા કરવી. નિ:સ્પૃહભાવે જગતના પ્રતિબ ંધને વિસારી આત્મહિત કરવું. આ પ્રમાણે ઉક્ત ચારે ભાવનાઓ કલ્યાણમય છે અને પાત્રતા આપનારી છે.
પ્ર-શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે કે મ ?
ઉ-માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. પ્ર૦-મમ કયાં રહ્યો છે ?
ઉ—સત્પુરુષાના અંતરાત્મામાં રહ્યો છે. પ્ર૦-ધર્મના રસ્તા કેવા છે ?
ઉ-ધર્મ ને રસ્તા સરલ, સ્વચ્છ અને સહજ છે, પણ તેને વિરલ આત્માએ પામી શકે છે.
પ્ર૦-પરમાત્માને ધ્યાવાથી શું ફળ, અને તેવું ધ્યાન કેમ પ્રાપ્ત થઇ શકે ?
ઉ-પરમાત્માને ધ્યાવાથી પરમાત્મા થવાય; પરન્તુ તેવું ધ્યાન સત્પુરુષના ચરણકમળની વિનયેાપાસના વગર પ્રાપ્ત થઈ શકતું નથી.
પ્ર—આ કાળમાં અહીં શુકલધ્યાનની પ્રાપ્તિ થવી સવિત છે ? ઉ-અહીં તેની પ્રાપ્તિ અસંભવિત છે.
પ્ર૦-આ કાળમાં ધર્મધ્યાનની પ્રાપ્તિ કયા સાધનાથી થઇ શકે છે ?
Page #351
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ ]
શ્રી કપૂરવિજયજી
ઉ—આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષાને સહજ સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાએકને સત્સંગ આદિ અનેક સાધનાથી થઇ શકે છે.
પ્ર૦–ચેાથે શુશુઠાણું આવેલેા આત્મા પાત્રતા પામ્યા લેખાય ? ઉ—તેવા આત્મા પાત્રતા પામ્યા લેખાય.
પ્રત્યાં ધર્મ ધ્યાનની મુખ્યતા છે કે ગાણુતા ? ઉ-ગાણુતા છે.
પ્ર૦-પાંચમે ગુણઠાણે ધર્મધ્યાનની શી સ્થિતિ છે ? ઉ-મધ્યમ ગાણુતા છે.
પ્ર-છઠ્ઠ ગુણઠાણે તેની શી સ્થિતિ છે ?
ઉમુખ્યતા પણુ મધ્યમ છે.
પ્ર૦-સાતમે ગુણુઠાણે તેની શી સ્થિતિ છે ?
ઉ—તેની મુખ્યતા છે.
પ્ર૦-સર્વ કરતાં કયું જ્ઞાન શ્રેષ્ઠ છે ?
ઉ—આત્મજ્ઞાન.
પ્ર—આત્મજ્ઞાન કેમ પમાય ?
ઉ—જેમ જેમ ઉપયાગની શુદ્ધતા થાય તેમ તેમ.
પ્ર−તે માટે કેવી ષ્ટિની અગત્ય છે?
ઉ-નિર્વિકાર દષ્ટિની અગત્ય છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૯ ] પ્ર-પુરુષનાં ચરિત્ર કેવાં હોય છે? ઉ૦-દર્પણરૂપ હોય છે. પ્ર-બુદ્ધ અને મહાવીરના બોધમાં કે તફાવત છે? ઉ૦-મહાતફાવત છે. પ્ર-ધર્મ વસ્તુ કેમ રહી છે અને કેમ મળે ?
ઉ૦–એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. બાહ્ય સંશોધનથી પ્રાપ્ત ન થાય પણ અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે પણ કોઈ મહાભાગ્યશાળી મનુષ્ય સદ્ગુરુના અનુગ્રહથી પામે છે.
પ્ર-પુરુષો શેમાં પ્રયત્ન કરે છે?
ઉ –સ્વ–પરહિતમાં વૃદ્ધિ થવા પામે તેવા શુભ પ્રયત્ન તેઓ હાનિશ કર્યા કરે છે.
પ્ર-મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કેની ઘટે છે?
ઉ૦-એક આતમજ્ઞાનીની અને એક તેની નિશ્રાવંતની. એ બેની મેક્ષ પ્રવૃત્તિ સફળ લેખાય.
[ આ. પ્ર. પુ. ૨૯, પૃ. ૮૭, ૧૧૯ ] મૈત્રી ભાવનાનો અનુક્રમે થતે વિકાસ-વિસ્તાર
Charity begins at Home–મૈત્રીભાવની ખરી શરૂઆત પિતાના ઘરથી થવા પામે છે, અને તે પ્રેમભાવથી સાધી શકાય છે. જેના દિલમાં સારો પ્રેમ જાગે છે તે ભાઈ–બહેને ગમે તેવી સ્થિતિમાં ઘરમાંનાં અન્ય કુટુંબી જનોને અનેક રીતે સંતોષી શકે છે. એટલે એવા પ્રેમી ભાઈ-બહેનના કુશળ
Page #353
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૦ ]
શ્રી કરવિજયજી વર્તનથી ઘરમાંનાં સહુ કોઈ રાજી-પ્રસન્ન રહે છે, તેથી તેમનો ઉત્સાહ વધતું જાય છે. અનુક્રમે તેવા પ્રેમનો વિસ્તાર કુટુંબ, જ્ઞાતિ, દેશ, સમાજ પ્રત્યે અધિકાધિક કરતાં અને તેના સુમધુર ફળ-પરિણામ મળતાં વસુધૈવ કુટુંબકમ્ એવી વિશ્વભાવના તેમનામાં પ્રગટે છે, એમ પૂર્વ મહાપુરુષોનાં તેમ જ વર્તમાન કોઈ વિરલ મહાત્માઓનાં ચરિત્રો ઉપરથી જોઈ-જાણી-સમજી શકાય છે. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः ॥
સર્વ જગતના જીવનું કલ્યાણ-મંગળ થાવ! સર્વ જી પરોપકારરસિક બનો ! અહંતા-મમતા કહે કે રાગ, શ્રેષ, મહાદિક દોષ જેને લઈને જે અનેક પાપાચરણ કરતા રહે છે તેને લેપ થાવ ! અને સર્વત્ર સહુ કેઈ સુખી થાવ !! એવી ઉદાર ભાવના વિભાવનાનું જ પરિણામ લાગે છે. તેમ જ “સર્વ કઈ સુખી થાઓ ! સર્વે કેઈ નિરોગી થાઓ ! સર્વે કઈ મંગળને પામે! કઈ પણ દુઃખ ન પામે અથવા દુ:ખના કારણરૂપ પાપાચરણથી ડરતા રહે ! આવી આવી ઉદાત્ત ભાવનાઓ તથાવિધ શુદ્ધ-નિઃસ્વાર્થ વિશ્વભાવનાવાળા હૃદયમાંથી જાગવા પામે છે. એવી હૃદયપશી ભાવનાભર્યા વચનને મર્મ વિચારી આપણે આપણું શુદ્ર સ્વાર્થ બુદ્ધિને તજતા શિખવું અને નિજ ઘરેથી મૈત્રી ભાવનાનો આદર કરી અનુક્રમે તેનો વિસ્તાર કરતાં રહી યાવતુ આપણામાં વિશ્વભાવના પ્રગટે એમ કરવું.
મૈત્રીભાવનાને સ્વીકાર કરવો યુક્ત છે. અન્યના કેધને ક્ષમા-સમતા ગુણથી જીત, દુષ્ટ-દુર્જનને સજજનતાથી જીત, સૂમ-કૃપણને દાનગુણથી જીતવો અને
Page #354
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૨૧ ]
અસત્યને સત્યથી જીતવું તેવી રીતે અન્ય પ્રત્યેના વેરભાવને મૈત્રી ભાવથી જીતી શકાય, એટલે નિવૈરતા આદરવાથી વેરવિરાધ આપેઆપ શમી જાય. એ રીતે શત્રુ પણ જીતાઈ જાય છે અને શાન્તિ પ્રસરે છે. સંસારભ્રમણ કરતાં જીવે દરેક જીવની સાથે મા-બાપ, ભાઈ-બહેન, પુત્ર-પુત્રી અને સ્ત્રી પ્રમુખ અનેક જાતના સંબધા અન તીવાર ખાંધ્યા છે. આવા પૂર્વભવના સંબધી જીવાને શત્રુ-વેરી લેખવા એ કેવળ અયુક્ત છે. તેમની સાથે મૈત્રી-ભાવના જ ધારવી અને પાષવી ઘટે. જો આ ભવ અને પરભવના હિસાબ ગણી એક ખીજા સાથે ચાલતી આવતી વરપરંપરાને અંત જ આણુવા હાય તે સુના જનાએ ડહાપણથી દરેક પ્રસ ંગે મૈત્રીભાવનાને જ આશ્રય લેવા ઘટે. જ્યાંસુધી એક બીજા સાથે ચાલતી વિષમતાવાળી દૃષ્ટિ ડહાપણથી સુધારવામાં નહીં આવે ત્યાંસુધી તેવી વેપરપરાનેા અંત આવી શકે નહીં. શાસ્ત્રકારે ખાસ જણાવેલ છે કે—
એવી કોઇ જાતિ કે યાનિ ( ઉત્પત્તિસ્થાન ) નથી, એવુ કાઈ સ્થળ કે કુળ નથી કે જ્યાં સર્વ જીવા અનતી વાર જન્મ્યા ને મૃત્યુ પામ્યા ન હેાય. એ ભયંકર સ્થિતિમાંથી છૂટવા મૈત્રીભાવના આદરવી યુક્ત જ છે. સાચા દિલથી એકબીજાએ ક્ષમા માગવી અને આપવી.
પ્રમાદ ભાવના.
ચંદ્રને દેખી ચકાર, મેઘ-ગર્જનાને સાંભળી મેર, વસંત ઋતુને પામીને વનરાજી ( વૃક્ષલતા ) અને વર્ષાના નવા જબિંદુએ પામીને ચાતક જેમ હર્ષ-સતેષ પામે છે;
૨૧
Page #355
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૨ ]
શ્રી કપૂરવિજયજી તેમ જ અન્યની અનેકવિધ સંપત્તિએ દેખીને કે સાંભળીને આનંદિત થાય છે, હર્ષ-પ્રમોદ પામે છે. એમ કરવાથી નિજ ગુણને વિકાસ સહેજે સધાય છે. એથી વિપરીત પરની ઈષ્યઅદેખાઈ કરનાર અધિકાધિક દુઃખી થવા પામે છે. પૂર્વનાં શુભ દષ્ટાને લક્ષમાં રાખી, ઈર્ષા–અદેખાઈ કરવાની પડેલી કૂડી ટેવ સુખના અથી જનેએ જલદી સુધારવી અને ગુણગ્રાહી બની અન્યની ગુણ-સંપત્તિ જોઈ જાણુને દિલમાં રાજી-પ્રમુદિત થવું.
“દયા, કરુણા યા કે મળતા પરનું દુઃખ જોઈ તેને દૂર કરવા દિલમાં દયાની લાગણી થાય, કરુણા ને કેમલતા પ્રગટે ને ફક્ત ભાવનારૂપે નહીં પણ સાચા દિલથી તેનું દુઃખ દૂર કરવા યથાસાધ્ય પ્રયત્ન કરવા ન ચૂકે તે જીવ ધર્મને અધિકારી લેખાય. અન્યને અભય આપી આપણે અભય પામી શકીએ.”
વાવીએ એવું લણીએ. દયાપાત્ર, દીન, દુઃખી, અનાથે જ ઉપર કરુણ-કમળતા રાખી તેમને યથાશક્તિ રાહત આપી સંતોષવા. આપણું તુચ્છ સ્વાર્થની ખાતર તેમને કેઈને ત્રાસ ઉપજે એમ ન જ કરવું. જેવું સુખ આપણને વહાલું છે તેમ સહુને હાઈ સહુને યથાસાધ્ય સુખ-શાન્તિ ઉપજે એવું હિત વર્તન કરવું જ ઉચિત છે. આપણા સ્વાર્થની ખાતર કોઈને પ્રતિકૂળતા નહીં ઉપજાવવા અને એટલી અનુકૂળતા સાચવવા ચીવટ રાખવી જોઈએ.
[ આ. પ્ર. પુ. ૨૯, પૃ. ૧૪૩]
Page #356
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૨૩ ]
જિન અને જૈન શબ્દ સધી સાદી સમજ,
જિનદેવ, જૈન સાધુ, જૈન શ્રાવક અને જૈન ધર્મના ખરા
અવિવેક.
“ રાગદ્વેષ રહિત સમભાવથી ગમે તે કાઇ ગમે ત્યાંથી આ ભવસમુદ્રને તરી શકે છે. ”
રાગદ્વેષ અને મેદિ (અંતરના ) મહાવિકારાને વારનાર, અંતરના છૂપા રહેનારા કટ્ટા દુશ્મનેાને જીતી લેનાર જ જિન કહેવાય છે. સકળ દોષ રહિત જિન ભગવાને ભાખàા ધર્મ, ( મા ) જૈન ધમ કહેવાય છે. એ ઉપરથી સહેજે સમજી શકાશે કે, જૈન ધર્મ કોઈ અમુક જાતિ ( જ્ઞાતિ ) કે કામના નથી પણ જે કેાઇ ઉપર જણાવેલા સકળ દોષ-વિકાર વગરના જિનાએ કહેલા શુદ્ધ-નિર્દોષ ( સત્ય-સનાતન ) ધર્મને અથવા ધર્મના કુમાનને અનુસરે છે તે સઘળાંના એ ધમ હાઈ શકે છે. એટલે કે જૈન ધર્મને વિશાળ દ્રષ્ટિથી તાસવામાં આવે તા તે આખી આલમના ધર્મ જણાય છે. એવા એ જૈન ધમ સમુદ્ર જેવા ઊંડા અને ઉદાર ( વિશાળ ) છે. ફક્ત નિષ્પક્ષપાતપણે તેનાં તત્ત્વ તપાસવાથી તેની ખાત્રી થઇ શકે છે. પરમાદશીને અમુક નામ સાથે તત હાતા નથી. દેવ, ગુરુ અને ધર્મનાં નામ ગમે તે હોય પણ જો પરમાર્થમાં તફાવત ન હેાય તેા પછી તેના સ્વીકાર કરી લેવામાં કશે! વાંધા આવતા જ નથી. એક વસ્તુનાં જુદાં જુદાં નામ હાઇ શકે છે તેમ છતાં પરમા એક સરખા હૈાવાથી સમજુ માણુસ તે સંબધે ઝઘડા કરતા નથી પણ સમષ્ટિથી બધા ય નામને સાચાં માને છે. તેવી જ રીતે
ܝܗ
Page #357
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪]
શ્રી કરવિજય પરમાર્થદષ્ટિથી શુદ્ધ નિર્દોષ દેવને જિન, અરિહંત, વીતરાગ, પરમાત્મા, તીર્થકર, શિવ, શંકર, શંભુ, સ્વયંભૂ, બ્રહ્મા, વિષ્ણુ, રામ, મહેશ યા મહાદેવાદિક ગમે તે નામથી સંબોધવામાં આવે તો પણ તે સાર્થક જ હોવાથી સમજુ માણસો સ્વીકારી જ લે છે. એવી જ રીતે ગુરુનાં અને ધર્મનાં જુદાં જુદાં નામ ગમે તે હે પણ તે સાથે પરમાર્થદષ્ટિ જો કશે ઝઘડો કરી બેસતા નથી. શબ્દભેદથી અર્થભેદ સમજી નહિ લેતાં અર્થની એકતા નિષ્પક્ષપાતપણે વિચારી તેનું ઝટ સમાધાન કરી લે છે. એવી સમદષ્ટિ પૂર્વોક્ત જિનના ખરા અનુયાયી જૈનમાં હોઈ શકે છે, તેથી જ તે સ્યાદ્વાદી, અનેકાન્તવાદી અથવા યથાર્થવાદી કહેવાય છે અને તે સત્ય છે. તત્વદષ્ટિથી કહે કે ઉદાર-વિશાળ સમદષ્ટિથી વિચારી શકાય તે સકળ રાગાદિ દોષ રહિત વિતરાગદેવે કહેલોસમજાવેલે શુદ્ધ અહિંસા(દયા), સંયમ (ચારિત્ર) અને (ઈચ્છાનિધિરૂપ) તપલક્ષણ ધર્મ જ ખરેખર દરેક ભવ્ય આત્માને માટે સ્વાભાવિક ધર્મ છે. અને એ જ ઉત્તમ સનાતનધર્મ દ્વારા વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈ શકે છે. એ પવિત્ર ધર્મમાં જેનું ચિત્ત સદા ય વત્ય કરે છે તેને ઇન્દ્રાદિક દે પણ નમસ્કાર કરે છે. પ્રથમ અજ્ઞાનવશ આદરેલા અસત ધર્મ ઉપર મિથ્યા મમત્વ રાખવું ઘટતું નથી. ભાગ્ય સત્ય વસ્તુની પિછાન થવાનું એ જ ફળ છે અને દશ દષ્ટાન્ત દુર્લભ માનવભવની ખરી કિંમત એથી જ છે.
[ આ. પ્ર. પુ. ૧૨, પૃ. ૩૦૦ ]
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રી કરવિજયજી લેખસંગ્રહ ભાગ પાંચમાનાવિષયોની
અકારાદિ અનુક્રમણિકા.
૧. ધર્મોપદેશાત્મક લેખસંગ્રહ.
વિષય
98
२७
૧૮૯
૧ અવંચકોગથી ક્રિયાઅવંચકતા અને ક્રિયાઅવંચકતાથી
અવંચક ફળપ્રાપ્તિ અવશ્ય થાય છે. ... ૨ અહિંસા યાને દયાધર્મ | ... •••
૧૯૭ ૩ આચાર્યાદિક ઉત્તમ પદવી પાત્રમાં જ શોભે છે. ... ૪ આ જીવનયાત્રા સફળ કરી લેવા રાખવી જોઈતી
ચીવટ, અને પ્રમાદાચરણથી દૂર રહેવાની અગત્ય ( આત્મજાગૃતિ ). ... ... ... .... ૫ આત્મકલ્યાણ સાધવાની સંક્ષિપ્ત શિખામણો .. ૨ ૩૫ ૬ આત્માવબેધકુલકની વ્યાખ્યા ... ... ... છ આત્મા સાથે કર્મનો સંબંધ કેવી રીતે થાય છે
અને તેને અંત શી રીતે આવે છે ? ... ... ૧૮૭ ૮ આપણી આંતરસ્થિતિ સમજીને સુધારવાની જરૂર ..
૧૪૩ ૯ ઇકિયાદિ વિકાર-નિરાધ કુલકની સરલ વ્યાખ્યા ... ૧૦ ઈરિયાવહીય કુલકની વ્યાખ્યા ... • •
૧૭૦ ૧૧ ઉન્નતિને પંથે (ચાર ગુણની પ્રાપ્તિ ) . ૧૨ કર્મના અસ્તિત્વ અને અતુલ પ્રભાવ ઉપર કર્મ
કુલકની વ્યાખ્યા .... .. .. ••• ૨૫૧ ૧૩ કેવા કર્મો કરવાથી કેવી અવસ્થા પમાય છે ? . ૧૮૨ ૧૪ ગચ્છનાયક (ગણિ–આચાર્ય આદિમાંથી) કોણ હોઈ શકે ? ૨૪૯ ૧૫ ગૌતમ મુલકનાં સુવર્ણ વા .. . ••• ૧૭૪
૧૬૯
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨૩
૧૨૭
૨૪૧
૧ ૩૯
( ૩૨૬ ) વિષય
પૃષ્ઠ ૧૬ જિન અને જૈન શબ્દ સંબંધી સાદી સમજ - ૧૭ છવાનુશાસ્તિ કુલકની વ્યાખ્યા ... ... ... ૨૫૪ ૧૮ જેવી ભાવના એવી સિદ્ધિ, જેવી દષ્ટિ એવી સૃષ્ટિ .. ૧૯ જેવું વાવશે તેવું જ પામશે • • • ૨૦ જૈન દર્શન અને ઇતર દર્શનનો તત્ત્વજ્ઞાન અને * વિજ્ઞાનશાસ્ત્ર સંબંધી મુકાબલો ... ૨૧ જૈન શાસનની રક્ષા અને પુષ્ટિનો માર્ગ ... ... ૧૧૦. ૨૨ તત્ત્વજ્ઞાનને સરલ માર્ગ–સદ્દબોધ સંગ્રહ .. ... ૨૩ તત્ત્વજિજ્ઞાસુ સજજને પ્રત્યે પર્યુષણ પ્રસંગે બે બેલ. ૨૪ તીર્થકર ભગવાનના કલ્યાણક ઉજવવાના પ્રસંગ,
જયંતિ અને કલ્યાણકની એકતા ... ... ... ૧૪૮ ૨૫ ત્રણ પ્રકારના મિત્ર અને તેને વિલક્ષણ વિભાવ. ૧૨૬ ૨૬ દશ શ્રાવક કુલક (આનંદાદિક દશ શ્રાવકોનો સંક્ષિપ્ત
અધિકાર ) . . .. •••••• ૨૭ દ્રવ્ય-ભાવતીર્થ સેવાનું ફળ .... ... ... ૨૮ ધર્મની ભાવના જાગૃત રાખવાની જરૂર ... ... ૨૯ ધર્મસાધન કરવામાં ઢીલ કરવી જોઈએ નહિ ... ૧૧૭ ૩૦ પરમ સુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિનું ફળ કઈ રીતે મળે ? ૩૧ પર્યુષણ પ્રસંગે .. •• • • ‘૩૨ પ્રશ્નોત્તરરનમાલિકા ... .. ••• .. ૩૩ પ્રશ્નોત્તરો ... .. ... ૩૪ મન અને ઇંદ્રિયદમન કરવાની અતિ ઘણી જરૂર... ૩૫ મનને નિરાકુળ રાખવાની ઘણી જ જરૂર છે .. ૧૩૦ ૩૬ મનુષ્યજન્મની સાર્થકતા કેમ થાય ? ... ... ૩૭ માન–અભિમાનની પણ કંઈ હદ હોય ખરી કે ? ... ૩૮ મિથ્યાત્વના ચાર ભેદ ... • • •
૧૫૫
૨૨૬
૩૧૨
૩ ૦૭
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧૯
૨૬૧
૭૬ ૧૧૮ ૨૩૭
૧૫૯ ૩૦૩ ૨૬૨
»
(૩૨૭ )
વિષય ૩૮ મૈત્રી ભાવનાને અનુક્રમે થતે વિકાસ-વિસ્તાર ... ૪૦ વિદ્ધ યાને અંતરાયકર્મનું સ્વરૂપ ... ૪૧ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા, તેની ધર્મા
ચરણથી જ સાર્થકતા • • • • • ૪૨ વીતરાગકથિત ધર્મનું સેવન તું જલદી કરી લે. ... ૪૩ વિતરાગપ્રણીત પવિત્ર ધર્મમાર્ગ .. .. ••• ૪૪ વીતરાગ શાસનની રક્ષા અને પ્રભાવના આપણાથી
શી રીતે થઈ શકે ? ... ... ... ... ૪૫ શીધ્ર સ્વહિત સાધી લેવા ભવ્યાત્માને ગ્ય હિતોપદેશ. ૪૬ શ્રાવકધર્મોચિત આચારપદેશ ... ... ... ૪૭ સત્સંગ કરવાથી થતા અનેક ઉત્તમ લાભ ... .. ૪૮ સત્સંગ-સંત-સમાગમ કેમ કરતું નથી ? ... ૪૯ સદ્દગુરુ-સસંગ મહિમા... .. ૫૦ સદ્દભાવના એ જ અનુપમ શાંતિ સમર્પનારી સાચી
કલ્પના છે. .... ... ૫૧ સદ્દભાવનાને અલૌકિક ચમત્કાર અને તે આપણું
નસેનસમાં પ્રગટાવવાની જરૂર ... . પર સર્વ જીવોની ઉન્નતિ સંબંધી બે મિત્રોને સંવાદ ... ૫૩ સર્વ સાધારણ હિતવચને . • ••• ૫૪ સાધુ-નિગ્રંન્યગ્ય ચરણસિત્તરી અને કરણસિત્તરી ... પપ સામાયિક-સમભાવ–સમતાપ્રાપ્તિ ઉપાય .. • ૫૬ સુખના અથએ દુઃખના માર્ગથી પાછા હઠી સુખના
માર્ગે જ સંચરવું જોઈએ . . ૫૭ સુપાત્ર લક્ષણ ... ••• ૫૮ સંજમ એ જ સુખશાંતિની ખરી ચાવી છે. ૫૯ સંત-સમાગમ દુર્લભ છે
૨૪૮
૨૪૩
૧૫૬
૧૩૭
૧૩૭
૨૮
૩૦૫
૮૦
Page #361
--------------------------------------------------------------------------
________________
વિષય
૬૦ સંત–સાધુજનેાની સેવાના લાભ શી રીતે લઇ શકાય ?... ૬૧ હવે પણ કંઇ ચેતી શકાય કે નહિ ? ૬૨ હિતવચનમાંળા
( ૩૨૮ )
...
...
૨. સામાજિક લેખસ ગ્રહ,
૬૩ આપણામાં ઉચ્ચ કેળવણીના પ્રચાર કરવાને ખાસ ઉદ્દેશ ૬૪ આપણા દિલમાં દયાગુણ ખીલવવા શાસ્ત્રોક્ત સુગમ
G
ઉપાય
૬૫ આપણી ઉન્નતિ કેમ થઈ શકતી નથી ? તેને સંભવિત
...
...
ઉપાય
૬૬ આપણી ઉન્નતિને સરલ-સુગમ માર્ગ ૬૭ આપણી ભાવી ઉન્નતિની દિશા સમજીને આદરવાની
...
906
...
જર
૬૮ આપણી સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક ઉન્નતિ માટે સ ́પની અનિવા` જરૂર ૬૯ આરેાગ્ય સાચવવા અવશ્ય લક્ષમાં રાખવા યેાગ્ય નિયમા અને તેથી થતા ફાયદા ... ૭૦ કેવળ હિતબુદ્ધિથી સાધુએ આપણને સાચેા માર્ગ બતાવે તેને આદરતાં પ્રમાદ કરવા તે ગંભીર ભૂલ લેખાય
...
...
...
...
...
૭૧ કેશરના કાયડા કાણુ અને કયારે ઊકેલશે ? ૭૨ જગતની મહાનમાં મહાન વસ્તુ ચારિત્ર્ય ૭૩ જીવયા અથવા અનુક ંપાના ખર્ચ સંબંધી થતા ઊહાપાહુ અને તેનું પરિણામ
w3.
...
૭૪ જુદા જુદા પ્રકારનું વાંચન માણસને કેવાં બનાવે છે ? ... ૭પ જુદે જુદે સ્થળે વસતા કચ્છી, કાઠિયાવાડી અને ગુજરાતીઓને એ ખાલ
...
પૃષ્ઠ
૨૧
૨૪૦
૫૭
૯૭
૪.
૧૧
૧૪
૧૪૪
૪૪
૨૫૭
૧૧૨
૪
૨૦૪
૯૪
૪૮
Page #362
--------------------------------------------------------------------------
________________
(૩૨૯)
પર
૨૩૨
४६
૨૪૫
૧૧૫ ૧૩૪
૨૪૭
૧૫
૩૮
કપ
વિષય ૭૬ જૈન, કામની પડતી માટે જવાબદાર કોણ? તેની ચડતી
કેમ થઈ શકે ? ... ૭૭ જેન જૈનેતર દયાળુ જનોને ભક્યાભઢ્ય સંબંધી થોડીક
સૂચનાઓ ... ... ... ૭૮ જૈન બંધુઓને ખાસ ઉપયોગી સૂચનાઓ ... ૭૯ જેને અને સ્વદેશી વસ્ત્રો .. ••• ૮૦ દવા કરવા કરતાં પથ્ય ઉત્તમ ... ... ૮૧ પાંજરાપોળ પ્રમુખ જીવદયાની સંસ્થાઓને સૂચના ... ૮૨ પુરુષની પંક્તિમાં કોને ગણવા ? ... . ... ૮૩ મુંગા પણ ઉપયોગી જાનવરે પ્રત્યે અનુકંપા-દયા
રાખવાની આપણી ફરજ ••• .. ••• ૮૪ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા ... ૮૫ રોગી તથા નિરગી થવાનાં કારણ સમજી, નિરંગી
જીવન જીવવા ક્યારે શીખશો ? ... ૮૬ રંકતા અને શ્રીમંતાઈ .. ૮૭ લક્ષ્મીનો વાસ કયાં હોઈ શકે ... ૮૮ શરીરના આરોગ્યભૂત મુખ્ય કારણ ૮૯ સહૃદય અને સકર્ણ સજજનેને સાગ્રહ સૂચના ૯૦ સર્વ સામાન્ય હિતવચનો ... ૯૧ સાચા સુખના અર્થીઓએ કુસંપને ટાળી શુદ્ધ પ્રેમી અને
નિર્દોષ જીવી થવાની જરૂર ••••• ૯૨ સ્વકર્તવ્ય પ્રેરક સૂક્તવચનો ... ••• ૯૩ સ્વજીવન તત્વને ટકાવી રાખવાની કળા ... ૯૪ સ્વજીવન શક્તિને વ્યર્થ વ્યય કરતાં અટકે ૯૫ હિતવચનમાળા-બોધવચને ... ... ૯૬ હિતશિક્ષાના રાસમાંથી લેવા યોગ્ય સુંદર બોધ ...
૧૬૪
૭૩
૧ ૩૬
૧૩
૧૨૩
૪૧
૩૫
૫૪
૨૫૯
Page #363
--------------------------------------------------------------------------
________________
વિષય
૩. નૈતિક લેખસંગ્રહ.
૯૭ ઇચ્છા અને મા
૯૮ ઉપમિતિભવપ્રપ`ચા કથાંતગત-ઉપયુક્ત વચનેને
( ૩૩૦ )
...
...
...
અનુવાદ
૯૯ કચની કથવા માત્રથી શું વળવાનુ છે ? રહેણીએ રહેવાથી જ સિદ્ધિ છે ( જુએ પૃષ્ઠ ૩૩૫-૩૬ )
૧૦૦ ચૂંટી કાઢેલાં સારહિતવચને ૧૦૧ નીતિ–એધવચને
...
...
...
૧૦૨ નીતિ વચને
...
૧૦૩ પરાપકારી સજ્જનેાને સુ ંદર સ્વભાવ ૧૦૪ મૂર્ખશતક
...
૧૦૫ લઘુતામાં પ્રભુતા, નમે તે પ્રભુને ગમે, નમ્રતામાં જ
મેટાઈ
...
...
...
...
...
:
...
...
૧૦૬ વિચારામાં રહેલી અદ્ભુત શક્તિ... ૧૦૭ સદ્ગુણીના અનાદર નહિ કરતાં તેમના ગુણની કિંમત કરતાં શીખા ... ૧૦૮ સદ્વિદ્યા ૧૦૯ સાચા મિત્રના શાસ્ત્રોક્ત લક્ષણ
૧૧૦ સૂક્તવચને વાંચી કે સાંભળી આદરવા ચેાગ્ય વિવેક ૧૧૧ સંગ્રહિત સૂક્તવચને
...
...
:
...
...
...
...
પૃષ્ઠ
૯૩
૨૦૮
૧૬૨
૧૨૦
e
૧૨૨
૧૨૫
૨૨૦
૧૬૧
૯૬
૩૦૮
૨-૩
૧૩૨
૩૧૦
e
Page #364
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય
સાંજ વર્તમાન. (દૈનિક) મુંબઈ તા. ૩૧-૭-૪૦ બુધવાર, પૃષ્ઠ છે.
શ્રી કપૂરવિજ્યજી લેખ સંગ્રહ ભાગ ત્રીજે. પ્રકાશક:-શ્રી કપૂરવિજયજી મારક સમિતિ, મુંબઈ.
મંત્રી –શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ, ગોપાળ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. કિંમત ૮-પ-૦, કપડાંના પૂઠાના ૦-૬-૦
આ પુસ્તકના આગલા ભાગની સમાલોચના આ કલમમાં ભૂતકાળમાં લેવામાં આવી હતી અને આજે વિશેષ આનંદ થાય છે કે સ્મારક સમિતિએ મહારાજશ્રીનાં વધુ બોધવચનો ૩ જે ભાગ પ્રગટ કર્યો છે. પૂજ્યશ્રીને પરિચય કરાવવાને યશ આ સમિતિને, તેને નાણાંની મદદ કરનારાઓને, તેમ જ તેમના મંત્રી શ્રી નરોત્તમદાસભાઈ શાહને મળે છે. ૩૦૦ કરતાં યે વિશેષ પાનાનાં, આ પુસ્તકની નામની કિંમત માત્ર પાંચ આના રાખવામાં આવી છે માટે એને પ્રચાર બહેળો થાય એવું હરકેઈ ઈચ્છે છે.
લગભગ ૮૫ લેખો પૂજ્યશ્રીએ “જૈન ધર્મ પ્રકાશ વગેરેમાં પ્રગટ કર્યા હતા તે આ ત્રીજા ભાગમાં એકત્ર કરવામાં આવ્યા છે. એમાં સમાયલા લેખે, બેધવચનો, સુત્રો વગેરે જ્ઞાન અને ધર્મને લાભ આપનારા છે, અને જેન તેમ જ જૈનેતર પ્રજા બંનેને તે લાભદાયી થઈ પડે એવા છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
( ૩૩૨)
ગુજરાતી, ( સાપ્તાહિક ) મુંબઇ તા. ૧૧-૮-૪૦, લેખ સંગ્રહ ભાગ ત્રીજો,
પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ મુંબઈ. કિંમત ૦-૫-૦, કપડાનાં પૂઠાવાળીના ૦-૬-૦ સ્મારક સમિતિ.
ઠેકાણું :—શ્રો કપૂરવિજયજી
મત્રી:-નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ, ગેાપાળભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુ་બ.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકની તપાગચ્છ શાખામાં ક્રિયાપાત્રી સન્મિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલા સ્વ. સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજના લખેલા લેખાના સંગ્રહમાંથી બહાર પડેલા આ ત્રીજા ભાગની શરૂઆતમાં મજકુર ક્રિયાપાત્રી મુનિરાજનેા ધ્યાનગ્રસ્ત ભાવવાહી સુંદર ફોટા આપવામાં આવ્યે છે, લેખ સંગ્રહ શરૂ થતાં જ જ્ઞાની ભાગ્યવંતને કલ્પવૃક્ષ સમાન અમુક અપેક્ષાથી ગણાવેલા છે. પૃષ્ઠ વીશ ઉપર નિકટભવી જીવનાં લક્ષણ આપેલાં છે. ‘ભાષાસમિતિ ’ ને અંગે કહે છે કે ‘ માર્ગોમાં ચાલતાં કાંઇપણ વાતચીત કરવી નહિ, માગે ચાલતાં મૌનપણે રહી જીવરક્ષાનું બરાબર
આપણી પ્રજા નિ`ળ કેમ બને છે',
>
(
ભાન રાખવું. ઉપરાંત
"
પરિષદને સૂચના ’,
આત્મધર્મ' ',
સ્ત્રી કેળવણી ’, ‘ જૈન યુવક સદુપદેશસાર ', ‘ સપ્તભંગી ’,
6
• મિથ્યાત્વના અનેક ભેદ ’, ‘ સમાધિત ત્ર’,
*
.
શુદ્ઘ દયાના સિદ્ધાંત ', સારસમુચ્ચય દેશના ' વગેરે લેખા સઘળા જૈન સાધુએએ ખાસ મનન કરવા ચેાગ્ય છે.
"
"
આ લેખસંગ્રહમાંથી જૈનેતર બંધુઓને પણ ઘણું જાણવાઆચરવાનું મળી આવે તેમ છે. ભાષા ઘણી સરળ છે, તેથી થેાડા અભ્યાસીને પણ ઘણા લાભ થવાના સંભવ છે
Page #366
--------------------------------------------------------------------------
________________
( ૩૩૩) સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજના સદ્દગુણોથી સમગ્ર જેનસમાજ પરિચિત છે. એમના જીવનને છેલ્લો મોટો ભાગ શત્રુંજય મહાતીર્થની છત્રછાયામાં પાલીતાણામાં જ પસાર થયો છે. આ ગ્રંથ તે એ મહાપુરુષને અક્ષરદેહ છે. આવા અણમૂલ લેખોનો સંગ્રહ કરી તે છપાવવાની પ્રવૃત્તિ કરવા માટે અમે લાગતાવળગતાને અંતઃકરણથી અભિનંદન આપીએ છીએ
જૈન યુગ. (પાક્ષિક) મુંબઈ, તા. ૧-૯-૪૦.
શ્રી વિજ્યજી લેખ સંગ્રહ ભાગ ૩ જ. પ્રકાશક-કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઈ, કિમત ૦-૬-૦
પૂર્વના બે ભાગોની માફક આ ભાગમાં પણ મુનિશ્રીના “જૈન ધર્મ પ્રકાશ” માં જુદા જુદા પ્રસંગે લખાયેલા લેખો તેમ જ પૂર્વાચાર્યરચિત નાનાં પ્રકરણના અનુવાદે છે. પાનાની સંખ્યામાં અને બાંધણીમાં પૂર્વના બે ભાગને મળીને આ ગ્રંથ ધાર્મિક વિષયના જ્ઞાનાથે સંગ્રહણીય છે.
શ્રી જૈન ધર્મ પ્રકાશ (માસિક) ભાવનગર, અંક ૭મે આધિન
અકટોબર. ૧૯૪૦, પૃષ્ઠ. ૨૪૭ સગુણાનુરાગી શ્રી રવિજયજી લેખ સંગ્રહ ભાગ ૩ જે આ ભાગમાં પણ શ્રી જૈન ધર્મ પ્રકાશ ”માં જ આવેલા તેમના લેખોનો સંગ્રહ છે. પ્રારંભના બે ભાગ પ્રમાણે ૩૫૦ પૃષ્ઠ થયા છતાં કિંમત પાંચ આના ને પાકા પૂઠાના કપડાવાળીના છ આના રાખ્યા છે. પ્રકાશક શ્રી કપૂરવિ જ સ્મારક સમિતિ-મુંબઈ. ખાસ વાંચવા લાયક છે. આત્મહિતકર છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
( ૩૩૪ )
જૈન, (સાપ્તાહિક) ભાવનગર, તા. ૧-૧૨-૪૦, પૃષ્ઠ. ૧૦૮૭, લેખ સંગ્રહ ભાગ ૧, ૨, ૩.
પ્રકાશકઃ-શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ-મુબઈ.
મંત્રી:-નર।ત્તમદાસ ભગવાનદાસ શાહ, ગેાપાળજીવન, પ્રીન્સેસ રટ્રીટ-મુંબઇ નં. ૨ તરફથી ત્રણે ભાગેાતી પાછી કપડાની બાંધેલી ખૂફ઼ા મળી છે. આ ત્રણે ભાગેામાં સ્વર્ગસ્થ સદ્ગુઙ્ગાનુરાગી મુનિવર્યાં શ્રી કરવિજયુજી મહારાજ સાહેબના જુદા જુદા માસિકા વિગેરેમાં આવેલા લેખાને સંગ્રહ કરી પુતકરૂપે બહાર પાડવામાં આવેલ છે. આ લેખાતા સંગ્રહ અહાર પાડવા માટે મુંબઇમાં પ્રવર્તક પં. શ્રી પ્રીતિવિજયજી મહારાજની પ્રેરણાથી જે રમારક કુંડ કરવામાં આવ્યુ' છે તેમાંથી પ્રગટ કરવાના હાઇ સાડાત્રણસેં પાનાના પાકું ખાઈડીંગ કરેલ આ દરેક ભાગની છ આનાની કિંમત રાખવામાં આવી છે. આ પછી ભાગ ચેાથે। તથા પાંચમે પણ તેમના લેખેાના સગ્રહરૂપે બહાર પડશે. આ લેખાના સંગ્રહ ઉપરાંત સમયાનુકૂલ શિષ્ટ સાહિત્ય બહાર પાડવાથી લાંકાને વધારે ઉપયાગી થઇ શકશે.
Page #368
--------------------------------------------------------------------------
________________
( ૩૩૫ )
શ્રીમદ્ ચિદાન કૃત. ૫૪ ૨૭ મું.
( રાગ–બિહાગ અથવા ટેડી )
લઘુતા” મેરે મન માની, લઇ ગુરુગમજ્ઞાન નિશાની. ૯૦ મદ અષ્ટર જિનાને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે; દેખા જગતમેં પ્રાની, દુ:ખ લડુત અધિક અભિમાની. લ૦ ૧ શશિ૪ સુરજ ખડે કહાવે, તે રાહુકે ખશ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વર્ણાનુ ભીતિ નિવારી. લ૦ ૨ છેાટી અતિ જોયણુગધી, લહે ખટરસ† સ્વાદ સુગંધી; કરટી૧૦ મેાટાઇ ધારે, તે છાર૧૧ શિર પર ડારેશ્વર. ૯૦ ૩ જખ ખાળચ૬૧૩ હાઇ આવે, તમ સહુ જગ દેખણ૧૪ ધાવે; પુનમ દિન બડા કહાવે, તત્ર ક્ષીણ કળા હાઇ જાવે. ૯૦ ૪ ગુરુવાઇ૧૫ મનમે વેટ્ટે, નૃપ શ્રવણ ૬ નાસિકા છેદે; અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણુ પૂજાવે. લ૦ ૫ શિશુ રાજધામમે જાવે, સખી હીલમીલ ગાદ૧ ખીલાવે; હાય બડા જાણુ નિવ પાવે, જાવે તે શોશ કટાવે. લ૦ ૬
૧૬
અંતર મદભાવ વહાવે, તખ ત્રિભુવનનાથ કહાવે; ઇમ ચિદાનંદ એ ગાવે, રહણી વિરલા કેાઉ પાવે. લ॰ છ
ૐ
૧ નમ્રતા. ૨ આઠ મદઃ—જાતિમ, લાભમદ, કુળમદ, શ્રુતમદ, ઐશ્વર્યંમદ. ગ્રસાય. હું રાહુ. ૭ બીક. ૮ કીડી. હું ષડરસ. ૧૨ નાંખે. ૧૩ બીજના ચંદ્ર. ૧૪ ટ્રાડે. ૧૫ બાળક. ૧૮ ખેાળામાં. ૧૯ દૂર કરે.
તપમદ, રૂપમદ, બળમદ,
જીવા. ૪ ચંદ્ર. ૫ રાહુથી
૧૦ હાથી. ૧૧ કચર. મેટા. ૧૬ કાન. ૧૭
Page #369
--------------------------------------------------------------------------
________________
(૩૩૬ ) પદ ૨૮ મું. ( રાગડી )
કથણી કથે સહુ કઈ, રહણ અતિ દુર્લભ હોઈ. આ શુક રામકે નામ બખાણે, નવિ પરમારથ તસ જાણે, યાવિધ ભણ વેદ સુણાવે, પણ અકળ કળા" નવિ પાવે. ક. ૧ ષટસ્વિંશ પ્રકાર રસોઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હોઈ, શિશુ નામ નહીં તસ લેવે, રસ સ્વાદત સુખ અતિ લેવે. કo ૨ બંદીજનકડખાર ગાવે, સુણે શૂરા શીશ કટાવે; જબ ફંડમુંડતા° ભાસે, સહુ આગળ ચારણ નાસે. ક. ૩ કહણ તે જગત મજૂરી, રહણી હે બંદી હજૂરી; કહણી સાકર સમ મીઠી, રહણ અતિ લાગે અનીઠી.૧૧ ક. ૪ જબ રહણકા ઘર પાવે, કથણી તબ ગણતી આવે; અબ ચિદાનંદ ઈમ જોઈ, રહણકી સેજ રહે સોઈ. ક. ૫
૧ સારી-સારી વાત. ૨ વર્તન. ૩ પિપટ. ૪ પરમતત્વ. ૫ અધ્યાત્મ–દશા. ૬ છત્રીશ. છ ભાટ-ચારણું. ૮ શૈર્ય ચડે તેવાં કવિતા ૯ પાવે. ૧૦ માથાં પડવા માંડે. ૧૧ અનિષ્ટ.
Page #370
--------------------------------------------------------------------------
_