________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજયજી પણે ચિન્તવન કરતાં તત્કાળ પ્રશસ્ત રાગાદિકને પણ સહેજે અંત થઈ શકે છે. મન ઉપર સંયમ રાખવે, મનને સ્થિર, શાંત, નિરાકુળ કરવાથી જ નિજ શ્રેય સધાય છે.
આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૧૪૦ ]
સાચા મિત્રનાં શાક્ત લક્ષણ, ભર્તુહરિ પિતાના નીતિશતકમાં સાચા મિત્રનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવે છે -
पापान्निवारयति योजयते हिताय, गुह्यं च गृहति गुणान्प्रकटीकरोति । आपद्गतं च न जहाति ददाति काले,
सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ॥ આપણને પાપ-માર્ગથી (પાપાચરણ કરતાં ) નીવારે–અટકાવે, હિતમાર્ગમાં (સુકૃત્ય કરણી કરવામાં) જોડી આપે, આપણુ દુર્ગુણ-એબને ઢાંકેલકમાં ઊઘાડા ન કરે, પણ શાંતિ અને સભ્યતાથી સુધારવા પ્રયત્ન કરે, સગુણે પ્રકાશમાં લાવી તેને ખૂબ વિસ્તાર કરે જેથી ગુણાનુરાગી જને તે તે ગુણનું અનુકરણ અને આસેવન કરે, ખરી આપત્તિમાં અનાદર ન કરે–દુ:ખમાં સહભાગી બને, અને તેવા દરેક પ્રસંગે ગ્ય આલંબન-ટેકે આપી સ્વમિત્રતા સાર્થક કરે. ઉદાર-નિઃસ્વાર્થ મિત્રોમાં ઉપરનાં લક્ષણે અવશ્ય હોવાં જોઈએ.
પ્રગટ કે પરોક્ષ દુઃખનાં ખરાં કારણ સ્પષ્ટપણે સમજાવી એથી દૂર રહેવા (બચવા) આપણને સવેળા ચેતવણી આપે