SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ પ પ ] ૫. હિતશિક્ષા જેને રુચતી નથી તેને દુ:ખદાયક દોષરૂપી રોગ દૂર થઈ શકતો નથી. ૬. મોટા(કુલીન)નું દુઃખ મેટા (કુલીને) જ ટાળી શકે. જે અન્યનું દુઃખ ટાળવા સશક્ત હોય તે જ કુલીન-મોટા સમજવા. ૭. મોટા મનુષ્યએ મુખ–મલિનતા ને હૃદયની કઠોરતા તજી દેવી. ઉદારતા ને ગંભીરતા વાપરે તેને જ મોટા-કુલીન સમજવા. ૮. સજન અને દુર્જનને સરખા ગણવા તે ગેળ અને ખેળ સરખા ગણવા બરાબર છે. ૯. આડંબરથી મહી અવગુણીમાં રંગાવું નહિં. ગાયનાં દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી કદાપિ ન મળે. ૧૦. માયાવી-કપટીને શિખામણ દેવી તે નાકકટ્ટાને દર્પણ દેખાડવા જેવું છે. ૧૧. મોટા-ઉદાર દિલવાળાનું અભિમાન શીતળ અને મિષ્ટ વચનથી ગળી જશે–શાંત થઈ જશે. ૧૨. સમયને વિચારી અવસરચિત પ્રિય અને પથ્ય ( હિત-મિત ) સત્ય વચન વદવું. ૧૩. ધ અને અહંકાર ઉપજાવે એવાં વચન વદવાથી ક્રોધાદિકની શાંતિ શી રીતે થશે ? ૧૪. કાંબળ ભીંજાયાથી જેમ તેમાં ભાર વધે છે તેમ હઠકદાગ્રહ વધવાથી આત્મા કર્મથી ભારે થાય છે તેથી તેવું વર્તન સુજ્ઞજનેએ ન કરવું.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy