SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) પ્રાણીએ કેવી રીતે સમજી શકે તે દૃષ્ટિબિંદુ લક્ષમાં રાખીને જ હળવી અને સાદી ભાષામાં લેખા લખતા. એક રીતે કહીએ તેા તેઓશ્રીએ ખરેખર જ્ઞાન-ગંગા રેલાવી છે. જે ક્રાઇ તેમાં સ્નાન કરશે તે અવશ્ય પવિત્ર બનશે. સંસારથી સતપ્ત આત્માએ અવકાશના સમયે આવા જ્ઞાન–નીરથી પેાતાને દાહ શમાવી શકશે. ગરમ પાણીમાં હાથ ઝએાળી શીતળતાની આશા રાખવી અસ્થાને છે તેમ જેઓ ભવ-દાવાનળમાં રચ્યાપચ્યા રહે છે તેને આત્મશાન્તિ પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. મુનિશ્રી કપૂરવિજયજીએ એક અધ્યાત્મી પુરુષ તરીકે પેાતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું છે. આમ્રરસને એક વાર આસ્વાદ કરવા પછી બીજા બધા રસે। નિરસ જણાય છે તેમ અધ્યાત્મ રસ પણ આમ્રરસ જેવા જ છે. સદ્દગતશ્રીએ પોતાનું સંપૂર્ણ આયુષ્ય આત્મગવેષણામાં જ વ્યતીત કર્યુ. છે અને સમયે સમયે જે આંતરનાદ ઊઠતા તેને લેખાદ્વારા અક્ષરદેહ ' આપ્યા છે. તેમને દુન્યવી પ્રલાભને, પદવીને મેહ કે ખાટી કીર્તિની લાલસા આકર્ષી શકયાં નહતાં. એક રીતે તેમને આધુનિક આન ધનજી કે ચિદાન'ના નામથી સએધીએ તેા તેમાં અતિશયેાક્તિ નથી. 66 આવા અધ્યાત્મપરાપણુ પવિત્ર પુરુષના લખાણાના સંગ્રહ કરી તેને પ્રકાશમાં મૂકવાનું કાર્ય સંવત ૧૯૯૪ ના મુંબઇ ગાડીજી દેરાસરના ઉપાયમાં મારા ચાતુર્માસ દરમિયાન મે વિચાર્યું અને તેને મુંબઇની જૈનપ્રજાએ વધાવી લઇ યોગ્ય સહાયતા અ`તાં “ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ ” ની સ્થાપના કરી લેખ સ ંગ્રહ છપાવવા શરૂ કર્યાં. આ બના દરેક લેખસંગ્રહમાં જણાવવામાં આવી છે. "" સમિતિની સ્થાપના થઇ તે જ વખતથી સમિતિના સેક્રેટરી તરીકે શ્રીયુત્ નરોત્તમદાસ ભગવાનદાસ શાહની નિમણુક થઇ છે, તેએ
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy