SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૧૮૭ ] આત્મા સાથે કર્મના સબંધ કેવી રીતે થાય છે ? અને તેના અંત શી રીતે આવે છે ? કમ, કુદરત, દેવ, ભાગ્ય, વાસના, અદ્રષ્ટાદિક બધા ય પર્યાયવાચક નામ છે. તેના પ્રત્યેક સંસારી આત્મા સાથે અનાદિ સબંધ કનકાપલના દૃષ્ટાન્તથી સિદ્ધ છે. યપિ આત્મા પેાતાના જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણાવડે સ્વપરપ્રકાશક છે, તેા પણ જેમ સૂર્યાદિક સ્વયંપ્રકાશક છતાં મેઘાદિકના ગાઢ આવરણુડે આચ્છાદિત થયા હાય તા તે ત્યાંસુધી પરવસ્તુ જોવાના પ્રકાશ આપી શકતા નથી, પરંતુ તે મેઘાદિક આવરણા દૂર થયે છતે તે પેાતાના સ્વાભાવિક પ્રકાશવર્ડ પ્રકાશી રહે છે, તેમ આત્મા સાથે લાગેલાં નાના પ્રકારનાં જ્ઞાનાવરણાદિક કર્મોવડે જ્યાંસુધી આત્મા આચ્છાદિત થયેલા હાય છે ત્યાંસુધી તે પેાતાના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણાના પ્રકાશ કરી શકતા નથી, અને જ્યારે તથાપ્રકારને અનુ મૂળ ચેગ મળતાં તે તે જ્ઞાનાવરણાદિક કર્મના ક્ષયેાપશમ થતે જાય છે ત્યારે તે તે જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણે! સ્વયં પ્રકાશમાન થઇ શકે છે. જેમ પ્રયત્નથી અનાદિ સંબંધવાળા કનકાપલ જુદા પડી શકે છે, એટલે તીત્ર અગ્નિના પ્રયાગ કરતાં માટી અને કનક-સુવર્ણ જુદા પડી જાય છે તેમ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા સમ્યગ્દર્શન (તત્ત્વાર્થ` શ્રદ્ધાનરૂપ સમ્યકૃત્ય, તત્ત્વાર્થ અવબેધરૂપ સભ્યજ્ઞાન અને તત્ત્વરમણુતારૂપ સમ્યક્ચારિત્રના આસેવનરૂપ યથા ઉપાયેાવડે આત્મા સાથે લાગેલ કરજ ( કમળ ) દૂર થઇ પેાતાનુ સહજ સ્વાભાવિક રૂપ પ્રગટ થઇ શકે છે; અથવા દૂધ અને જળની જેવા કે અગ્નિ અને લેાહગાળકની જેવા જીવકના સંબંધ છે તે તથા
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy