SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૪૧ ] ક્રોધાદિક દુષ્ટ કષાયાને ક્ષમાદિકડે વશ કરવાં જોઇએ; તેમ જ ઉદાર ભાવનાયુક્ત રહેણીકરણીવડે મન, વચન, કાયા કહેા કે વિચાર, વાણી અને આચારની શુદ્ધિ અવશ્ય કરવી જોઇએ એ રીતે સંયમ યા. આત્મનિગ્રહવડે જ સ્વભાવદયાની સિદ્ધિ થાય છે. સ્વદયા વગરની પરક્રયા શી રીતે થઇ શકે ? જેનામાં ક્ષમા–સમતાર્દિક ન હૈાય તે અન્યને ક્ષમા-મારીી આપી, અભય શી રીતે કરી શકશે જેનામાં નમ્રતા સભ્યતાદિક નહિ હૈાય તે અન્યને નમ્રતાદિક ગુણા કયાંથી શીખવી શકશે ? જેનામાં સરલપણું તથા સંતાષાદિક નહિ હાય તેનું વિત અન્યને શી રીતે ઉપકારક બની શકશે ? મતલબ કે જે આત્મનિગ્રહ કરી શકશે તે જ ખરો સ્વદયા સિદ્ધ કરી અન્ય અનેક જીવાનુ પણ હિત સાધી શિવસંપદા પામી શકશે. ( આ. પ્ર. પુ. ૧૭, પૂ. ૩૦૧. ) સ્વજીવનતત્ત્વને ટકાવી રાખવાની કળા. ૧. સાદું, સાત્ત્વિક, પરિમિત, નિયમિત, નિર્દોષ, ઇચ્છિત ખાનપાન કરવાથી શરીરનુ આરેાગ્ય ઠીક સચવાય છે, અને આપણાં નિત્યકર્ત્તવ્ય સ્ખલના રહિત સાધી શકાય છે. ૨. શરીરના સંચા બગડે ત્યારે તેને નિયમમાં લાવવા, મળની શુદ્ધિ કરવા લંઘન–ઉપવાસાદિક અકસીર ઉપાય છે, છતાં નિળ મનના લેાકેા શરીરમમતાથી દુઃખરૂપ થાય એવું નકામુ ખાનપાન કર્યા કરે છે. આપણા લેાકેા આરેાગ્યરક્ષાના નિયમ કયારે પાળતા શીખશે ?
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy