SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) પિતાનું સ્વરૂપ બદલીને એક નાની–સી ટેટના આકારમાં ફેરવાઈ જાય; છતાં પણ કેટલાંક અતિબોધપ્રદ સુવાક્યો અહીં ઉદધૃત કરવાનું કાર્ય અસ્થાને તે નથી જ. પ્રાણુ ગયા પછી પાણી પાવું નકામું છે તેમ તક ગયા પછી દાન દેવું તે પણ નકામું જ છે. આડંબરમાં મેહ પામી અવગુણુ પ્રત્યે પ્રેમ કરે નહિ; કારણ કે ગાયના દૂધથી પુષ્ટિ મળે, થેરના દૂધથી નહિ. - કાંબળ ભીંજાવાથી જેમ ભાર વધે છે તેમ હઠાગ્રહથી આમા કમથી ભારે બને છે. જેમ સૂર્યોદય થતાં અંધકાર ન ટકી શકે તેમ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં સાંસારિક વિકારે આપોઆપ નાશ પામી જાય છે. સંકટના સમયમાં હિંમત રાખવી તે અડધી ફતેહ મેળવવા બરાબર છે. જે વધસ્થાનમાંથી તમે મુક્ત ન થઈ શક્તા હો ત્યાં હસ્તે ચહેરે ઊભા રહેવું. પ્રકૃતિ જ્યારે મુશ્કેલી વધારે છે ત્યારે સાથોસાથ બુદ્ધિબલ પણ વધારે છે. સમય બરબાદ ન કરે, જે સમય ગુમાવશે તે ફરી આવશે નહિ. જેમ તમારી જરૂરિયાતો ઓછી કરશે તેમ તમે વધારે સુખી થશો.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy