SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] શ્રી કર્ખરવિજયજી ન આવે, કેવળ લેકરંજનાથે અથવા તુચ્છ મન:કામના પૂર્ણ કરવા માટે જ કરવામાં આવે તો તે બુદ્ધિ-શક્તિની ખરી સાર્થકતા ગણી શકાય નહિં. રુડી-નિર્મળ બુદ્ધિ પામીને સ્વપર, જડચેતન, હિતાહિત, કર્તવ્યાકર્તવ્ય, ભક્ષ્યાભઢ્ય, પિયા પેય, ગમ્યાગઓ તથા ગુણદેષની યથાર્થ વહેંચણ કરતાં શીખી ખરી વસ્તુને આદરવી અને બેટી વસ્તુને તજી દેવી જોઈએ. રુડી નિરોગી કાયા પામીને તુચ્છ વિષયાદિકની લાલસા તજી ડાં વ્રત–નિયમ આદરવા ખપ કરે જોઈએ. શ્રીમંતાઈ પામીને પરોપકારાર્થે તેને સદુપયેગ કરવો જોઈએ અને રુડી વચનશક્તિ પામીને અન્ય પ્રાણુઓને પ્રીતિ ઉપજે તથા તેમનું હિત-શ્રેય-કલ્યાણ થાય તે તેને વિવેકપૂર્વક ઉપયોગ કર જોઈએ. તેમ જ સ્વપરહિતની વૃદ્ધિ થાય તેવાં દરેક કાર્યમાં પ્રયત્ન કરવા સાવધાન રહેવું જોઈએ. [ આ. પ્ર. પુ. ૧૭પૃ. ૨૪૭. ] ધર્મની ભાવના જાગૃત કરવાની જરૂર ધર્મરતો નથઃ ” ગમે તેવો આકરો પ્રસંગ ઊભું થયું હોય તો પણ પંડિત પુરુષે સ્વકર્તવ્યધર્મનો ત્યાગ કરતા નથી; કેમકે જ્ઞાની પુરુષે કહે છે કે “જે ધર્મનું રક્ષણ કરે છે તેને જ જય થાય છે.” એ ઉત્તમ શિષ્યવચનને અનુસરી આપણે સહુએ અવશ્ય સ્વકર્તવ્યપરાયણ થવું જોઈએ. ધીરજ રાખી ખરી ખંતથી સ્વકધર્મમાં મચી રહેવાથી જરૂર આપણે જય ( ઉદય ) થવા પામશે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy