SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૮] શ્રી કરવિજયજી ૨૪. પ્ર–ખરું જીવિત (જીવતર ) કયું? ઉ–નિર્દોષ ( પાપ-કલંક-રહિત ). ૨૫. પ્ર-જડતા કઈ? ઉ૦-છતી શકિત-બુદ્ધિએ આળસ કરવું (અભ્યાસ ન કરવો તે). ૨૬. પ્રહ-જાગતે કોણ? ઉ૦-વિવેકી (જેને હિતાહિતનું યથાર્થ ભાન થયું હોય તે). ૨૭. પ્ર-નિદ્રા કઈ? ઉ–જીવની મૂઢતા (અજ્ઞાનદશા). ૨૮. પ્રહ-અતિ ચપલ શું? ઉ૦-જોબન (જુવાની), લક્ષ્મી અને આયુષ્ય. ૨૯. પ્ર-ચંદ્રના કિરણ જેવા શીતળ કોણ? ઉ૦-સજજન-સપુરુષ જ. ૩૦. પ્ર–ખરી નરક કઈ? ઉ૦-પરવશતા-પરતંત્રતા–પરાધીનતા. ૩૧. પ્ર.–ખરું સુખ કયું? ઉ–સર્વસંગત્યાગ–વેરાગ્ય. ૩૨. પ્ર-સત્ય કયું? ઉ૦-પ્રાણીને હિતરૂપ થાય તે. ૩૩. પ્ર-પ્રાણીમાત્રને પ્રિય શું? ઉ૦-નિજ પ્રાણ ૩૪. પ્ર.–ખરું દાન કર્યું ? ઉ૦-ફળની ઈચ્છા રહિત દેવાય તે. ૩૫. પ્ર૦-ખરો મિત્ર કો? ઉ૦-પાપથી નિવર્તાવે અને ધર્મમાં જે તે. ૩૬. પ્રખરું આભૂષણ કયું? ઉ૦-શીલ-સદાચરણ.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy