SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૩૧ ] સંયમ એ જ સુખ-શાંતિની ખરી ચાવી છે. કિઈક ભેળા લોકે સંયમના નામથી જ ભડકે છે. તેમને સંયમને ખરે અર્થ સમજાયે હોતો નથી. અથવા સંયમના મિષથી કઈક વખત બગભક્તોને દંભ જોઈ તેઓ તેથી ઉભગી ગયા હોય છે અથવા તો તેમને તે તરફ અભાવ પેદા થયેલ હોય છે, પરંતુ જે સંયમને ખરે અર્થ–પરમાર્થ બરાબર સમજાય અને તેવા જ સાચા સંયમનું યથાર્થ રીતે પાલન કરાતું સાક્ષાત્ જોવાય તો તે સાચા સંયમ પ્રત્યે તેમ જ સંયમવંત વ્યક્તિ પ્રત્યે પ્રેમ પ્રગટ્યા વગર રહે જ નહિં. તેથી જ સંયમને અર્થ–પરમાર્થ કહેવા પ્રયત્ન કરશું. ઉક્ત સંયમમાં સં અને યમ બે પદ છે. સમ્ = સમ્યફ– સારી રીતે, યમ = નિયમનું પાલન કરવું. હિંસા, અસત્ય, ચેરી, જારી પ્રમુખ પાપકાને બને તેટલે પરિહાર ( ત્યાગ ) કરે, મન તથા ઈદ્રિયોનો નિગ્રહ કરે છે તેમને ઉન્માર્ગે જવા ન દેતાં અટકાવવાં ), કેધ–રેષ, માન, અહંકાર, માયા-કપટ અને લેભ ( અથવા રાગ અને દ્વેષ ) રૂપ ચંડાળોથી ચેતતા રહેવું ( તેમને સંગ ન કર ) તથા મન, વચન અને કાયાને કબજામાં ( અંકુશમાં ) રાખવા પ્રયત્ન કરે તેનું નામ સંયમ. શુદ્ધ પ્રેમ-દયા, સત્ય, પ્રામાણિકતા અને શીલ-સતિષાદિકનું સતત સેવન કરવાથી, ક્ષણિક અને અશુચિભરેલા જડ વસ્તુ સંબંધી વિષયભોગની અસારતા સમજી, તેની ઉપેક્ષા કરી આત્માના સહજ સ્વાભાવિક સત્-ચિત્ આનંદ મેળવવા ,
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy