SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૨ ] શ્રી કપૂરવિજયજી ૬. વખત વીત્યા પછી કે સમય થયાં પહેલાં જે જપ પ્રમુખ ધમ કરણી કરવામાં આવે છે તે ઉખર ક્ષેત્રમાં વાવેલાં ધાન્યની પેઠે નિષ્ફળ થવા પામે છે તેથી અવસરની કરણી અવસરે જ કરવી શે।ભે અને ફળદાયક થાય એમ સમજી ધર્મ સમયનું ઉલ્લ્લંઘન કરવું નહિ. ૭. ધર્મક્રિયા કરતાં બુદ્ધિશાળીએ વિધિ બરાબર સાચવવા, તેમાં હીનાધિકતા કરતાં મંત્ર સાધનારની પેઠે દૂષિત થાય છે. ( આ સંબંધી તે ગ્રંથમાં અન્યત્ર ખુલાસે કરેલા છે. ) ૮. જેમ ઔષધપ્રયાગ કરવામાં દુરુપયેાગ થયા હોય તે તેથી ભયંકર ચાંદાં પ્રમુખ પેદા થાય છે તેમ ધર્મક્રિયામાં આડીઅવળી વિપરીત ક્રિયા કરવાથી ઊલટા અનર્થ થવા પામે છે. એમ સમજી સુરજને સાવધાનપણે વિધિવત્ ધર્મકરણી કરવા લક્ષ રાખે છે. શરૂઆતમાં કરણી સપૂર્ણ શુદ્ધ ન હાઇ શકે પશુ શુદ્ધિના ખપ તેા જરૂર રાખવે. ૯. વૈયાવચ્ચયેાગે પેાતાનું અક્ષય શ્રેય સમજીને વિચક્ષણ શ્રાવક આવશ્યક કરણી કરી રહ્યા માદ શ્રીગુરુમહારાજની સેવાભક્તિ કરે. ૧૦. મુખાશ ખાંધી ( મુખે વસ્ત્ર ઢાંકી રાખી ), માન ધારી, પેાતાના પગના સ્પર્શ ગુરુશ્રીને તેમ જ તેમના વસ્ત્રાદિકને ન થાય તેમ તેમના સઘળે શરીર સંબંધી શ્રમ દૂર કરતાં શ્રાવક ગુરુમહારાજની વિશ્રામણા કરે. ૧૧. ત્યાંથી ગામ-નગરમાં આવેલા ચૈત્યમાં જિનેશ્વરને નમી–સ્તવી પછી નિજ ઘર પ્રત્યે જાય અને ત્યાં પગ પખાળીને પંચપરમેષ્ઠી મંત્રનુ સ્મરણુ કરે અને ચિંતવે કે—
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy