SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૧૪૩ ] આપણી આંતરસ્થિતિ સમજીને સુધારવાની જરૂર. આપણામાં અનત જ્ઞાનાદિક, અનેક સદ્ગુણે। જેનાવડે છુપાએલા છે તે બધા અજ્ઞાન, અશ્રદ્ધા અને અનાચારાદિક દેાષાના નામથી પ્રસિદ્ધ છે. અજ્ઞાન, અશ્રદ્ધા અને અનાચરણરૂપ દોષ માત્ર ત્યાજ્ય છે અને સમ્યજ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રાદિક ગુણા ઉપાદેય-આદરવા ચેાગ્ય છે. એટલેા અંત:કરણમાં દઢ-નિર્ણય કરી દઈને જે રીતે ઉક્ત દ્વેષા દૂર થાય અને ગુણે! પ્રગટ થાય તેવા ઉદ્યમ યા પુરુષાર્થ પવિત્ર શાસ્ત્રનીતિ મુજબ કરવા અતિ જરૂર છે. ‘ અજ્ઞાન, અશ્રદ્ધાદિક દોષ। અમારાથી ફ્રજાએ !” એમ ખાલી ફક્ત પાકારવાથી કદાપિ દૂર જવાના નથી. તેમ જ ‘ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક સદ્ગુણ્ણા અમારામાં આવેા-પ્રગટે !’ એમ કહેવા માત્રથી કઇ તે પ્રગટતા નથી. ઉક્ત મિથ્યાત્વ અન્નાનાદિક દોષમાત્રને દળવા–દૂર કરવા અને નિર્મળ દન જ્ઞાનાદિક પ્રગટ કરવા ભગવાન મહાવીરદેવની પેઠે ધીરજ અને ખંતથી પૂર્વ મહાપુરુષાએ જાતે આદરેલા અને બતાવેલા ઉત્તમ માગે દઢ પ્રયત્ન કરવાની આપણને ભારે જરૂર છે. દશ હૃષ્ટાન્ત દુર્લભ એવા માનવભવમાં જ એવા દૃઢ પ્રયત્ન ભવ્ય મુમુક્ષુજના કરી શકે છે અને અનુક્રમે દોષ માત્રને હઠાવી અનતાં ગુણરત્નાને પ્રગટ કરી અંતે અક્ષયસુખસંપદાને વરી શકે છે. શુદ્ધ અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મ સાવધાન પણે સેવવાવડે અનુક્રમે દોષમાત્રનેા જય ( ક્ષય ) થતાં જ સહેજે સદ્ગુણેાની પ્રાપ્તિ થવા પામે છે. ઉક્ત કલ્યાણુસાધક ધર્મસાધનમાં કેવળ પ્રમાદ, સ્વચ્છ ંદતા જ અંતરાયરૂપ થાય છે, તે બહુરૂપી માહના પ્રતિનિધિરૂપ પ્રમાદથી નહિ
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy