________________
કલશામૃત ભાગ-૫
માર્ગ તો આ છે, ભાઈ ! તને ન મળ્યો માટે બીજો માર્ગ થાય એમ છે નહિ. આહા..હા...! સભ્યષ્ટિ શુદ્ધને અનુભવે છે. એ કેવો છે ? અવધ્ય છે શાશ્વત છે. શું ? જ્ઞાનગુણ....’ તેનો. આ..હા..હા...! શું કહે છે ? સમ્યક્દષ્ટિ – સત્ય દૃષ્ટિવંતને જ્ઞાનગુણ અવધ્ય ત્રિકાળ છે. તે છે શરીર જેનું,...' સમિકતીનું શરીર, શાશ્વત (સ્વરૂપ) એ એનું શરીર છે. ભાઈ ! આ (બહા૨ના પૈસા આદિ) ધૂળ તો માટી છે. આહા..હા...! સમજાણું કાંઈ ? છે પાઠ ? ‘અવધ્યવોધવપુષં’આ..હા..હા...! શું કહ્યું ?
આ નિર્જરાનો અધિકાર છે. તેથી એને એમ કહ્યું કે, મિથ્યાષ્ટિ જે રાગ ને શીર ને રાગના પુણ્યના ફળ સંયોગી ચીજ એને મારી માને છે. પોતાના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ છે એમ માને છે. ઈ મારું છે એટલે પોતાનું માને છે). એમ માનનારા જીવોને અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ, ઉપસર્ગ આવે (ત્યારે) એને જ્ઞાન શુદ્ધ નહિ રહે. ઈ મૂંઝાય જઈને અંદરમાં મરી જવાના. આહા..હા...! ત્યારે સમ્યક્દૃષ્ટિ જીવ સ્વને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે.' આહા...હા...! પોતે આત્મા આનંદસ્વરૂપ છે એને રાગની અપેક્ષા વિના જ્ઞાન દ્વારા (સીધો) આત્માને અનુભવે છે. ઝીણી વાતું, ભાઈ !
આ પ્રત્યક્ષ જ્ઞાનપણાની અપેક્ષાએ (વાત કરી છે). સમ્યગ્દર્શનમાં પ્રત્યક્ષ-પરોક્ષપણું ન હોય. સમજાય છે કાંઈ ? અહીંયાં સમ્યગ્દર્શનમાં તો અનુભવ થયો એની પ્રતીતિ થઈ પણ અહીંયાં પ્રત્યક્ષપણે છે ઈ મતિ-શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષપણું કહ્યું છે. સમજાણું કાંઈ ? કહ્યું ને ? ‘સમ્યક્દષ્ટિ જીવ સ્વને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે.’ આહા..હા..! એને રાગ અને મનની સહાય વિના, ભગવાનઆત્મા ભિન્ન છે એને મતિ અને શ્રુતજ્ઞાન (દ્વારા) પ્રત્યક્ષપણે જ્ઞાનથી તે આત્માને જાણે અને વેદે છે. આહા...હા....! સમજાણું કાંઈ ? તેથી તેને ‘અવધ્યવોધવપુષં” ધર્મી – સમ્યક્દષ્ટિનો આત્મા કેવો છે ? કે, શાશ્વત જેનું જ્ઞાનગુણ શરીર છે. શાશ્વત જ્ઞાન જેનું શરીર છે. આહા..હા...! છે ?
‘અવધ્યવોધવપુષ” અવધ્ય નામ શાશ્વત, અવધ્ય નામ નહિ હણાય તેમ, અવિનાશી રહેનારો ભગવાન અને જેનું જ્ઞાન એ શરી૨ છે. આ..હા..હા..! પુણ્ય-પાપ પણ નહિ અને આ શરી૨-બરી૨ તો કાંઈ નહિ. આહા..હા...! ધર્મી જીવને જ્ઞાનસ્વરૂપ શાશ્વત અવધ્ય એ એનું શરીર છે. આહા..હા...! તેની દૃષ્ટિમાં શાશ્વત આત્મા હોવાથી એ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ ગણીને તેનું જ્ઞાનશરીર શાશ્વત છે (એમ કહ્યું). આહા..હા...! છે ?
શાશ્વત જે વધ' બોધ એટલે જ્ઞાનગુણ, તે છે શરીર જેનું,..' આહા..હા...! આ શરી૨ તો પરમાણુ માટીનું – ધૂળનું (છે), એ કંઈ આત્માનું નહિ. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય એ પણ આત્માનું સ્વરૂપ નહિ. એક સમયની પર્યાય છે તે પણ ત્રિકાળી સ્વરૂપ નહિ. પર્યાય એને વિષય કરે, પણ વિષય કરે શાશ્વત વસ્તુને. ધ્રુવ... ધ્રુવ... શાશ્વત દળ, જે અવિનાશી ચૈતન્યરસથી ભરેલો ભગવાન ! એ સમિતીનું શરીર છે. કહો, શેઠ ! આ
૨૦
-
1