Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ - બંધ કરાવે તે આટલાં નાણુમાંથી કોઈ પણ સ્થળે એક સારું જ્ઞાનમંદિર કે એક નાનું રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સ્થાપી શકાય.” સમયની માંગના સંદર્ભમાં સૂચનો
વર્તમાન સમયની આવશ્યકતાને લક્ષમાં રાખીને એમણે કહ્યું : -“ વિદ્યાભ્યાસ કે વ્યવસાયના કારણે જૈનો વિશ્વના બધા દેશોમાં વસેલાં છે. ત્યાં વસેલાં કેટલાંય મા-બાપને પિતાનાં સંતાનને જૈનત્વના સંસ્કાર કેવી રીતે આપવા અને પિષવા એની ચિંતા છે. ભારતીય -ભાષાઓથી અજાણુ, કેવળ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન કે જાપાની ભાષા -જાણનાર, જૈન બાળક માટે જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની ભૂમિકા પૂરી પાડવા સરળ અને લેકે પગી સામગ્રી મેટા પાયા પર તૈયાર કરવાની ઘણું જરૂર છે.” વિદેશમાં વસતા વડીલે અને એમનાં સંતાને પિતાની જિજ્ઞાસા સુરત સંતોષી શકે એ માટે જૈન તીર્થો, -જ્ઞાનભંડારો, કલાકૃતિઓ, સાધુ-સાધ્વીઓની દિનચર્યા વગેરેની પ્રમાણ
ભૂત વિડિયો કેસેટ વ્યાવસાયિક ધોરણે તૈયાર થવી જોઈએ એવું એમણે -સૂયન કર્યું હતું. વીડિયો કેસેટની જેમ તીર્થો વગેરેની રંગીન સ્લાઈ
ડ્ઝ પણ વ્યાવસાયિક ધોરણે તૈયાર કરવાનો પણ એમણે અનુરોધ કર્યો હતે. જૈન સાહિત્યમાં કચ્છ
જૈન સાહિત્યમાં કરછના આવતા ઉલ્લેખને હવાલે આપીને -એમણે કહ્યું હતું કે “૪૦૦ વર્ષ પહેલાં લખાયેલી કૃતિઓમાં કચ્છના હાલના રણપ્રદેશનું વર્ણન આવે છે. સાધુઓના વિહારના એ માર્ગ -હતો અને આ આખેય પ્રદેશ રળિયામણું અને હરિયાળો હતો. કચ્છનું રણ છેલા ત્રણ ચાર સૈકાની ઘટના હોવાનું જણાવી ભૌલિક પરિસ્થિતિમાં આવેલા પરિવર્તનનું એ સંભવતઃ કારણ હોવાનું જણાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org