Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા ૫. દલસુખ માલવણિયા
જૈન સાહિત્યને જ્યારે આપણે અન્ય સાહિત્યથી જુદુ` પાડીએ છીએ ત્યારે તે શાથી ? –આ પ્રશ્ન છે. આને ઉત્તર એ છે કે ભારતીય સાહિત્યમાં વેટ્ટથી માંડીને જે સાહિત્ય રચાયું છે તેમાં જેને આપણે જૈન સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અન્ય સાહિત્ય – વિશેષે ધાર્મિક સાહિત્ય – વૈમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે, જ્યારે જેને આપણે જૈન સાહિત્ય કહીએ છીએ તેના પ્રારંભ જ વૈદના પ્રામાણ્યના વિરાધને કારણે થયા છે. આ વિરાધ પ્રારભમાં બે રીતે પ્રશ્નટ થાય છે : એક તા ભાષાને કારણે, અને ખીજો પ્રતિપાદ્ય વસ્તુને કારણે.
-
વૈદિક સાહિત્યની ભાષા જે શિષ્ટમાન્ય સંસ્કૃત હતી તેને બદલે જૈન સાહિત્યના પ્રારભ પ્રાકૃત, એટલે કે લેાકભાષાથી થયા. વેદ્યાએ અને તેની ભાષાએ મન્ત્ર' નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના ઉચ્ચારણ આદિમાં કશે! ભેદ થવા ન જોઈએ. અને તેના વિધિપૂર્વકના ઉચ્ચારમાત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણા વૈાિમાં બધાઈ હતી. આના વિરાધમાં જૈન સાહિત્યે પેાતાની ભાષા પ્રાકૃત સ્વીકારી અને તીથંકરા લેાડ઼ાની ભાષા અર્ધ માધિમાં ઉપદેશ આપે છે તેવી માન્યતા સ્થિર થઈ. એટલે પ્રારભિક જૈન સાહિત્યની રચના પ્રાકૃતમાં જ થઈ છે તે છેક ઈસાની ચેાથી સદી સુધી તે આપણે જોઈ શકીએ છીએ.
પશુ જ્યારે ગુપ્ત કાળમાં સંસ્કૃત ભાષા અને વૈદિક ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org