Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતીય સ ંસ્કૃતિ અને જૈન અધ્યયન
૧૩૧
આલેાચના મહુવા ખાતે જૈન સાહિત્ય સમાÖાહના બીજા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખપદેથી મે કરી હતી (જુઆ બુદ્ધિપ્રકાશ, ' માર્ચ ૧૯૭૯). વૃત્તિ અથવા ટીકા એ સંસ્કૃત ગદ્યમાં થયેલાં વિવરણ છે. વિદ્વાનેની અખિલ ભારતીય ભાષા તરીકે સંસ્કૃતનું મહત્ત્વ જૈનાએ સ્વીકાર્યુ હતું. જૂનામાં જૂની સંસ્કૃત ટીકાએ આઠમા સૈકામાં થયેલા આચાર્ય હરભદ્રસિરની છે. એ પછી શીલાંકદેવ (આઠમેા સૈકા), શાન્તિસૂરિ (૧૧મે સૈફેા), અભયદેવસૂરિ, દ્રોણાચાય, મલધારી હેમચંદ્ર (૧૨ મે। સકા), મલયગિરિ (૧ર મે સૈકે!) આદિ મહાન આચાર્યોએ પ્રમાણભૂત ટીકાએકની આ પરપરા ચાલુ રાખી હતી.
*
આ આચાર્યોંમાં અભયદેવસૂરિનું કાર્ય ચિરસ્મરણીય છે. બારમું અંગ દૃષ્ટિવાદ તે લુપ્ત થયું હતું. અગિયાર અંગ પૈકી ‘ આચારાંગ સૂત્ર ’ અને ‘ સૂત્રકૃતાંગ સૂત્ર' ઉપર પ્રમાણભૂત ટીકાઓ એમની પહેલાં શીલાંકદેવે લખી હતી. આથી બાકીનાં નવ અંગો તથા પ્રથમ ઉપાંગ - ઔપપાતિક સૂત્ર ' આદિ ઉપર વૃત્તિએ રચવાને મહા પુરુષા અભયદેવસૂરિએ કર્યાં. જેમ વેદ ઉપરનું સાયણાચાર્યનું ભાષ્ય એક પડિત પરિષદની દેખરેખ નીચે રચાતું હતું તેમ દ્રોણાચાય જેમાં મુખ્ય હતા એવી વિદ્વત્સમિતિ અભયદેવસૂરિની ટીકાઓનું સ’શેાધન કરતી હતી. (આ દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા અને ગુજરાતના રાજા ભીમદેવ પહેલાના મામા થતા હતા ) જુએ ‘જ્ઞાતાધર્મકથા સૂત્ર” તથા ‘પ્રશ્નવ્યાકરણ સૂત્ર'ની ટીકાએની પ્રશસ્તિમાં એ વિશેને નિર્દેશ—
+
-
निर्वृत्तककुलनभस्तल चन्द्रद्रोणाख्यसूरिमुख्येन ।
पण्डितगणेन गुणावरिप्रयेण संशोधिता चेयम् ॥ સ્થાનાંગ સૂત્ર' ટીકાની પ્રશસ્તિમાં અભયદેવસૂરિ પ્રસ્તુત અનુયાગનું શેાધન કરનાર પતિ પરિષદને નમસ્કાર કરે છે . नम प्रस्तुतानुयोगशोधिकायै श्रीद्रोणाचार्यप्रमुख पण्डितपर्षदे
Jain Education International
For Private & Personal Use Only
...
www.jainelibrary.org