Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દર્શન અને સમાધિ મરણ
ચીમનલાલ એમ. શાહ-કલાધર’
જૈન દર્શનમાં ‘જુવો મલો' — દુઃખ અને કર્માંના ક્ષય કરનારા સમાધિ મરણની વિશેષ મહત્તા આંકવામાં આવી છે.
આ સાર સંસારમાં પરિભ્રમણ કરવા છતાં અસમાધિને લીધે આત્મા કેમે કરીને સ'સારના અંતને પામ્યા નથી. આ વે ચારેય ગતિમાં ભ્રમણ કરી અનંતાનંત દુઃખેા ભોગવ્યાં છે.
કાઈ અપૂર્વ પુણ્યના ઉદયથી આ જીવ મનુષ્યના અવતાર પામ્યા છે, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે અને તેને ધર્મની શ્રેષ્ઠ એવી સામગ્રી પ્રાપ્ત થઈ છે.
મનુષ્યજીવનમાં આટલી સુંદર સામગ્રી પ્રાપ્ત થઈ હોય ત્યારે તેને સદુપયેગ કરી અરિહંત પરમાત્માના મહા માંગલકારી આલખન દ્વારા પુણ્યશાળી છવેા સમાધિ મૃત્યુને પામવા પ્રયત્ન કરે છે.
આ શરીર જોતજોતાંમાં ઉત્પન્ન થયું છે અને જોતજોતાંમાં નાશ પામવાનું છે. તેથી આ શરીરની કાઈ મમતા કરશે! નહિ.
આ સંસારમાં ભ્રમણુ કરતી વખતે અનંત વખત નવા નવા ભવ અને અનંતાનંત શરીર ધારણ કર્યાં છે. જન્મ અને મરણ એ અને સાથે જ હાય છે, ક્ષણે ક્ષણે તે મરણ થાય છે, પણ માહથી વિકળ એવા આ જીવને તેની કાંઈ ખબર પડતી નથી. હું તે જ્ઞાનદૃષ્ટિએ કરીને સ` પુદ્ગલનું સ્વરૂપ જાણુ છું. આ શરીરને હું પાડેાશી છું, શરીર એ મારું રૂપ નથી. હું તેા ચેતન દ્રવ્ય છું અને આનંદ એ મારું સ્વરૂપ છે. આ શરીર તા પુદ્ગલને પિંડ છે. ભ્રમજાળ એ અપ છે, સડવું, પડવું અને નાશ પામવું એ પુદ્ગલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org