Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જેન સાહિત્ય સમારેલ
૧૪૫૪ને નિર્દેશ એ સ્પષ્ટ કરે છે કે એક પ્રત બે વાર નોંધાઈ છે. પૃ. ૧૩૩૬ પર કૃતિના આરંભ અંતના ભાગ મળે છે. જેમાં નિર્દિષ્ટ ગુરુ પરંપરા છે અને કવિનામ “ખેમો' છે, જેનું પ્ર. ૧૨૮૨ પરની નેધમાં ખેતો” થઈ ગયું લાગે છે અને ગુરુનામ ખેતસી કર્તાના અપરનામ તરીકે બેસાડી દેવાયું જણાય છે. આ પણ શ્રી દેસાઈને મળેલી સામગ્રીને જ દોષ હોવાનું જણાય છે.
અન્ય કોઈ પણ સંદર્ભ સાધનને મુકાબલે જૈન ગૂર્જર કવિઓની = અધિકૃતતા ઘણું વધારે છે. શ્રી દેસાઈએ પિતાની સર્વ સજજતા કામે લગાડીને ને એકસાઈથા સામગ્રીનું અર્થઘટન અને સંજન કર્યું છે. આમ છતાં વિભિન્ન કારણેસર કેટલીક ભૂલ થઈ ગઈ છે.
આ ભૂલે પકડવાની ચાવીઓ એમાં પડેલી જ હોય છે. અભ્યાસીએ -એ માટે એમાં અપાયેલી સામગ્રી તરફ પૂરતું લક્ષ આપવાનું રહે છે. આ પ્રકારના થોડા મુદ્દાઓ હવે આપણે જોઈએ:
(૧) વિપુલ સામગ્રીનું સંયોજન કરનારને અવારનવાર અનુમાનનો આધાર લેવાનું થાય એ ઘણું સાહજિક છે. પરંતુ આ -અનુમાન માટે કોઈક ચેકસ ભૂમિકા જોઈએ અને અનુમાનને અનુમાન તરીકે રજૂ કરવાની શાસ્ત્રીય પદ્ધતિ સ્વીકારવી જોઈએ. અનુમાનેથી હકીકતોને જોડતી વખતે શ્રી દેસાઈથી બધે જ થઈ શકયું - નથી. આવા થોડાક કિસ્સાઓ આપણે જોઈએ.
પ્રાચીન કૃતિઓમાં ઘણું વાર કવિઓની પૂરી ઓળખ નહીં હેવાની, કેવળ નામછાપ હેવાની. “જૈન ગૂર્જર કવિઓએ આવી કૃતિઓને કેટલીય વાર અનુમાનથી કેાઈ ઓળખવાળા કવિને નામે મૂકવાની પદ્ધતિ સ્વીકારી છે. પણ બધે જ આ માટે પૂરતો આધાર -હેય એવું જણાતું નથી. એથી જુદા જુદા સ્થાનેથી મળેલી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org