Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
૨૪3
ભગવંતોને જરૂરી એવાં જોતિષ-મુહૂર્ત આદિની માહિતી, ૯ તીર્થકર ભગવંતની ભક્તિ કરી જીવન સફળ બનાવનાર ઈદ્રોનું વર્ણન અને ૧૦ મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિનાં વર્ણને આપેલ છે.
૬ બે ચૂલિકાસૂત્રો : ૧ નંદીસૂત્ર, ૨ અનુગદ્વારસત્ર, આ બંને આ ગમ દરેક આગમનાં અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમોની , વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુગદ્વાર સૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સુત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમનું સાચું રહસ્ય જાણી શકાતું નથી.
આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમને અભ્યાસ કરવાનો અધિકાર તે તે આગમના યોગોહન કરનાર પૂજ્ય મુનિ ભગવંતોને છે. પૂજ્ય સાવીજી મહારાજે પણ ગહન કરી આમાંનાં કેટલાંક આગમન અભ્યાસ કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ ગુરુમુખેથી સાંભળી તે તે આગમોના અર્થ જાણી શકે છે પણ તેઓને માટે યોગઠહનનું વિધાન ન હેવાથી તેઓ જાતે અભ્યાસ કરી શકે નહીં.
આ આગમોનાં ૧ મૂળ સૂત્રો, ૨ તેની નિયુક્તિઓ, ૩ ભાળ્યો, ૪ ચૂણિઓ અને ૫ ટીકાઓ-વૃત્તિઓ અવચૂરિ – એમ દરેકનાં પાંચ અંગે છે તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણભૂત ગણાય છે. અન્ય જૈન સાહિત્ય
આગમ સાહિત્યના આધારે પૂર્વના મહાપુરુષેએ જીવોનું એકાંત હિત કરવાની ભાવનાથી પ્રેરાઈ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખો-કરડે લૅપ્રમાણુ દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરિતાનુયોગ અને ચરણકરણનુગરૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org